Language: ગુજરાતી

Book: Deuteronomy

Deuteronomy

Chapter 1

1 યર્દન પાર [1] અરણ્યમાં, સૂફ સમુદ્રની સામેના અરાબાની ખીણ પ્રદેશમાં, પારાન, તોફેલ, લાબાન, હસેરોથ તથા દી-ઝાહાબ તેઓની નગરો આવેલાં હતા ત્યાં જે વચનો મૂસાએ ઇઝરાયલપુત્રોને કહી સંભળાવ્યાં તે નીચે મુજબ છે. 2 સેઈર પર્વતને માર્ગે હોરેબથી કાદેશ બાર્નેઆ સુધીનું અંતર અગિયાર દિવસની મજલ જેટલું છે.

3 મિસર દેશ છોડ્યાના ચાળીસમા વર્ષના અગિયારમા મહિનાને પ્રથમ દિવસે એમ થયું કે, જે સર્વ આજ્ઞાઓ યહોવાહે મૂસાને આપી હતી, તે તેણે ઇઝરાયલી લોકોને કહી સંભળાવી. 4 એટલે અમોરીઓનો રાજા સીહોન જે હેશ્બોનમાં રહેતો હતો અને બાશાનનો રાજા ઓગ જે આશ્તારોથમાં એડ્રેઇ પાસે રહેતો હતો, તેઓનો ઈશ્વરે નાશ કર્યો ત્યાર પછી;

5 યર્દન પાર મોઆબ દેશમાં મૂસાએ આ નિયમ પ્રગટ કરવાની શરૂઆત કરીને કહ્યું કે, 6 આપણા ઈશ્વર યહોવાહે હોરેબ પર આપણને કહ્યું હતું કે, તમને આ પર્વત પર ઘણો જ વખત વીતી ગયો છે.

7 તો હવે તમે પાછા ફરો, અને કૂચ કરીને અમોરીઓના પહાડી પ્રદેશમાં તથા તેની નજીકની સર્વ જગ્યાઓમાં એટલે અરાબા, પહાડીપ્રદેશમાં, નીચલાપ્રદેશમાં, નેગેબમાં તથા સમુદ્રકાંઠે, કનાનીઓના દેશમાં તથા લબાનોનમાં એટલે મોટી નદી ફ્રાત નદી સુધી જાઓ. 8 જુઓ, તમારી આગળ આ જે દેશ હું દર્શાવું છું; તેમાં પ્રવેશ કરો. એ દેશ વિષે યહોવાહે તમારા પૂર્વજો એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ પ્રતિજ્ઞા લીધી હતી કે હું તમને તથા તમારા વંશજોને તે દેશ આપીશ તેનું વતન પ્રાપ્ત કરો'"

9 "તે સમયે મેં તમને એવું કહ્યું હતું કે, હું પોતે એકલો તમારો બધાનો બોજો ઉપાડવાને શક્તિમાન નથી. 10 તમારા યહોવાહે તમારો વિસ્તાર વધાર્યો છે, અને જુઓ, આજે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી છે. 11 તમારા પૂર્વજોના ઈશ્વર યહોવાહે તમને આપેલા વચન પ્રમાણે તમે છો તેના કરતાં તમને હજારગણા વધારો અને આશીર્વાદ આપો.

12 પણ હું એકલો જાતે તમારી જવાબદારી, તમારી સમસ્યા તથા તમારા ઝઘડાનું નિરાકરણ શી રીતે કરી શકું? 13 માટે તમે પોતપોતાના કુળોમાંથી જ્ઞાની, બુદ્ધિમાન અને અનુભવી માણસોને પસંદ કરો. હું તેઓને તમારા અધિકારીઓ ઠરાવીશ." 14 પછી તમે મને ઉત્તર આપ્યો હતો અને કહ્યું હતું કે, જે વાત તેં કહી છે તે પ્રમાણે કરવું તે સારું છે. 15 "તેથી તમારાં કુળોમાંના આગેવાનો જેઓ બુદ્ધિમાન અને અનુભવી પુરુષો હતા તેઓને લઈને મેં તમારા અધિકારીઓ ઠરાવ્યા. એટલે તમારાં કુળો પ્રમાણે હજાર-હજારના આગેવાનો તથા સો-સોના આગેવાનો, પચાસ-પચાસના આગેવાનો દસ-દસના આગેવાનો તથા અમલદારો ઠરાવ્યા. 16 અને તે સમયે મેં તમારા ન્યાયીધીશોને એવી આજ્ઞા કરી હતી કે, તમારા ભાઈઓ વચ્ચેની તકરાર તમારે સાંભળવી. અને ભાઈ ભાઈની વચ્ચે તથા ભાઈ અને તેની સાથેના પરદેશી વચ્ચે તમારે નિષ્પક્ષ ન્યાય કરવો.

17 ન્યાય કરતી વખતે તમારે આંખની શરમ રાખવી નહિ; નાના તથા મોટા સૌનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહિ, કેમ કે ન્યાય કરવો એ ઈશ્વરનું કામ છે. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમારે મારી પાસે લાવવો એટલે તે હું સંભાળીશ. 18 અને તમારે શું કરવું તે સર્વ વિષે મેં તમને તે સમયે આજ્ઞા આપી હતી.

19 અને આપણે હોરેબ પર્વત છોડીને જે વિશાળ અને ભયંકર અરણ્ય તમે જોયું તે અરણ્ય, ઈશ્વર આપણા યહોવાહે આપેલી આજ્ઞા પ્રમાણે અમોરીઓના પર્વતીય પ્રદેશને રસ્તે ચાલતાં આપણે ઓળગ્યું. અને આપણે કાદેશ બાર્નેઆ આવ્યા.

20 ત્યારે મેં તમને કહ્યું કે, "અમોરીઓનો જે પહાડી પ્રદેશ ઈશ્વર આપણા યહોવાહે આપણને આપવાનું વચન આપ્યું હતું, તેમાં તમે આવી પહોંચ્યા છો. 21 જુઓ, ઈશ્વર તમારા યહોવાહે તે દેશ તમારી આગળ મૂક્યો છે; ઈશ્વર તમારા પિતૃઓના યહોવાહે તમને કહ્યું તે પ્રમાણે આગળ વધીને તેનો કબજો લો. બીશો નહિ અને ગભરાશો નહિ."

22 અને તમે સર્વએ મારી પાસે આવીને કહ્યું કે, "આપણે માણસો મોકલીએ, એ માટે કે તેઓ આપણે વાસ્તે દેશની બાતમી કાઢે અને આપણે કયે રસ્તે આગળ જવું અને કયાં નગરો આપણા રસ્તામાં આવશે તે વિષે તેઓ પાછા આવીને આપણને ખબર આપે.'' 23 અને એ સૂચના મને સારી લાગી; તેથી મેં દરેક કુળમાંથી એકેક માણસ એટલે તમારામાંથી બાર માણસો પસંદ કર્યા. 24 અને તેઓ પાછા ફરીને પર્વત પર ચઢ્યા અને એશ્કોલની ખીણમાં જઈને તેની જાસૂસી કરી. 25 અને તેઓ તે દેશનાં ફળ પોતાની સાથે લઈને આપણી પાસે આવ્યા. અને તેઓ એવી ખબર લાવ્યા કે, જે ભૂમિ આપણા ઈશ્વર યહોવાહ આપણને આપવાના છે તે ભૂમિ સારી છે.

26 "પણ તમે ત્યાં જવા નહિ ચાહતા ઈશ્વર તમારા યહોવાહની આજ્ઞાનો અનાદર કર્યો. 27 અને તમે લોકોએ તમારા તંબુમાં બબડાટ કરીને કહ્યું કે, 'યહોવાહ આપણને ધિક્કારે છે, તેથી જ તેમણે આપણને મિસરમાંથી બહાર લાવીને અમોરીઓના હાથમાં સોંપી દીધા છે જેથી તેઓ આપણા સૌનો નાશ કરે. 28 હવે આગળ અમે કયાં જઈએ? "તે લોકો આપણા કરતાં કદમાં મોટા અને શક્તિશાળી છે; તેઓનાં નગરો મોટાં અને તેના કોટ ગગન જેટલા ઊંચા છે; અને વળી ત્યાં અનાકપુત્રો પણ અમારા જોવામાં આવ્યા છે. એવું કહીને અમારા ભાઈઓએ અમને ભયભીત કરી નાખ્યા છે."

29 ત્યારે મેં તમને કહ્યું કે, "ડરો નહિ અને તેઓથી બી ન જાઓ. 30 તમારા ઈશ્વર યહોવાહ તમારી આગળ જશે અને તમેે મિસરમાં હતા ત્યારે તમારા માટે જે પરાક્રમી કૃત્યો કર્યા હતા તેમ તે તમારા માટે લડશે. 31 અરણ્યમાં પણ તમે જોયું તેમ જ આ જગ્યાએ આવ્યા ત્યાં સુધી જે માર્ગે તમે ગયા ત્યાં જેમ પિતા પોતાના દીકરાને ઊંચકી લે તેમ ઈશ્વર તમારા યહોવાહે તમને ઊંચકી લીધા છે."

32 આ બધી બાબતોમાં પણ તમે તમારા ઈશ્વર ફક્ત યહોવાહ પર વિશ્વાસ કર્યો નહિ, 33 રસ્તે તમારા માટે તંબુ બાંધવાની જગ્યા શોધવા, કયા માર્ગે તમારે જવું તે બતાવવાને યહોવાહ રાત્રે અગ્નિરૂપે અને દિવસે મેઘરૂપે તમારી આગળ ચાલતા હતા.

34 યહોવાહ તમારો અવાજ સાંભળીને કોપાયમાન થયા; તેમણે સમ ખાઈને કહ્યું કે, 35 "જે સારો દેશ તમારા પૂર્વજોને આપવાને મેં સમ ખાધા હતા, તે આ ખરાબ પેઢીના માણસોમાંથી એક પણ જોશે નહિ. 36 ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ તે દેશ જોશે. જે ભૂમિમાં તે ફર્યો છે તે હું તેને તથા તેના સંતાનોને આપીશ, કેમ કે તે સંપૂર્ણપણે યહોવાહને અનુસર્યો છે."

37 વળી તમારા લીધે યહોવાહે મારા પર પણ ગુસ્સે થઈને કહ્યું કે, "તું પણ તેમાં પ્રવેશ કરશે નહિ; 38 નૂનનો દીકરો યહોશુઆ જે તારી આગળ તારા ચાકર તરીકે ઊભો છે તે તેમાં પ્રવેશ કરશે; તું તેને હિંમત આપ, કેમ કે તે ઇઝરાયલને તેનો વારસો અપાવશે.

39 વળી તમારાં બાળકો જેના વિષે તમે કહ્યું કે, તેઓ ભક્ષ થઈ જશે, જેઓને આજે સારા અને ખરાબની સમજ નથી તેઓ તેમાં પ્રવેશ કરશે. તેઓને હું તે આપીશ અને તેઓ તેનું વતન પામશે. 40 પણ તમે પાછા ફરો અને અરણ્યમાં લાલ સમુદ્રના માર્ગે થઈને ચાલો."

41 ત્યારે તમે મને જવાબ આપ્યો કે, "અમે યહોવાહની વિરુદ્ધ પાપ કર્યું છે, અમે ઉપર ચઢીને આપણા ઈશ્વર યહોવાહે આપણને આપેલી બધી આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરીશું." તમારામાંનો દરેક માણસ પોતપોતાનાં યુદ્ધશસ્ત્ર ધારણ કરીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કરવા જવાને તૈયાર થઈ ગયો હતો. 42 યહોવાહે મને કહ્યું, "તેઓને કહે કે, 'હુમલો કરશો નહિ, તેમ યુદ્ધ પણ કરશો નહિ, રખેને તમે તમારા શત્રુઓથી પરાજિત થાઓ, કેમ કે હું તમારી સાથે નથી."

43 એમ મેં તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ. તમે યહોવાહની આજ્ઞાની વિરુદ્ધ બળવો કર્યો; તમે આવેશમાં આવીને પર્વતીય પ્રદેશ ઉપર હુમલો કર્યો. 44 પહાડી પ્રદેશમાં રહેતા અમોરીઓ તમારી વિરુદ્ધ બહાર નીકળી આવ્યા અને મધમાખીઓની જેમ તમારી પાછળ લાગ્યા, સેઈરમાં છેક હોર્મા સુધી તમને મારીને હાર આપી.

45 તમે પાછા ફરીને યહોવાહની આગળ રડ્યા; પણ યહોવાહે તમારો અવાજ સાંભળ્યો નહિ, તમારી દરકાર કરી નહિ. 46 આથી ઘણાં દિવસો તમે કાદેશમાં રહ્યા, એટલે કે બધા દિવસો તમે ત્યાં રહ્યા.


Footnotes


1:1 [1]યર્દનની પૂર્વ પ્રદેશ


Chapter 2

1 પછી યહોવાહે મૂસા સાથે આ પ્રમાણે વાત કર્યું. યહોવાહે મને કહ્યું હતું તે મુજબ અમે પાછા ફરીને લાલ સમુદ્રને માર્ગે અરણ્યમાં ચાલ્યા. ઘણાં દિવસો સુધી અમે સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા. 2 પછી યહોવાહે મને કહ્યું, કે, 3 "આ પર્વતની આસપાસ તમે લાંબો સમય ફર્યા છો, હવે ઉત્તર તરફ પાછા વળો.

4 લોકોને આજ્ઞા કરીને કહે, તમે સેઈરમાં રહેનારા તમારા ભાઈઓ, એટલે કે એસાવના વંશજોની હદમાં થઈને પસાર થવાના છો. તેઓ તમારાથી ડરી જશે. માટે તમે કાળજી રાખજો. 5 તેઓની સાથે યુદ્ધ કરશો નહિ, કેમ કે તેઓના દેશમાંથી હું તમને કંઈપણ આપીશ નહિ, પગ મૂકવા જેટલું પણ આપીશ નહિ. કેમ કે મેં સેઈર પર્વત એસાવને વતન તરીકે આપ્યો છે.

6 નાણાં આપીને તેઓની પાસેથી ખોરાક ખરીદો, જેથી તમે ખાઈ શકો; પાણી પણ નાણાં આપીને ખરીદો, જેથી તમે પી શકો. 7 કેમ કે ઈશ્વર તમારા યહોવાહે તમારા હાથનાં બધાં જ કાર્યોમાં તમને આશીર્વાદ આપ્યો છે, આ મોટા અરણ્યમાં તમારું ચાલવું તેમણે જાણ્યું છે. કેમ કે આ ચાળીસ વર્ષ ઈશ્વર તમારા યહોવાહ તમારી સાથે રહ્યા, તમને કશાની ખોટ પડી નથી.'"

8 જેથી અમે આપણા સેઈરવાસી ભાઈઓ એટલે કે એસાવના વંશજોના દેશમાંથી પસાર થયા, અરાબાના માર્ગે થઈને એલાથ તથા એસ્યોન-ગેબેરથી ગયા.

અને અમે પાછા વળીને મોઆબના અરણ્યના માર્ગે ચાલ્યા.

9 યહોવાહે મને કહ્યું કે, "મોઆબને સતાવશો નહિ, તેમની સાથે યુદ્ધમાં લડશો નહિ. કેમ કે, તેઓના દેશમાંથી હું તમને વતન આપીશ નહિ, કેમ કે, આર તો મેં લોતના વંશજોને વતન તરીકે આપ્યું છે."

10 અગાઉ એમીઓ ત્યાં રહેતા હતા. તેઓની વસ્તી ઘણી હતી અને તેઓ અનાકીઓ જેવા ઊંચા તથા કદાવર હતા. 11 અનાકીઓની જેમ તેઓ પણ રફાઇમી [1] ઓ ગણાય છે; પણ મોઆબીઓ તેઓને એમીઓ કહે છે.

12 અગાઉ હોરીઓ પણ સેઈરમાં રહેતા હતા, પણ એસાવપુત્રો તેઓની જગ્યાએ આવ્યા. તેઓ પોતાની આગળથી તેઓનો નાશ કરીને તેઓની જગ્યાએ વસ્યા. જેમ ઇઝરાયલે જે દેશ યહોવાહે તેઓને વતનને માટે આપ્યો તેને કર્યું હતું તેમ જ.

13 "હવે ઊઠો અને ઝેરેદનું નાળું ઊતરો." તેથી આપણે ઝેરેદનું નાળું ઊતર્યા. 14 આપણે કાદેશ બાર્નેઆથી નીકળીને ઝેરેદનું નાળું ઊતર્યા ત્યાં સુધીમાં આડત્રીસ વર્ષ પસાર થયા. તે સમયે લડવૈયા માણસોની આખી પેઢી, યહોવાહે તેઓને પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું હતું તે પ્રમાણે નાશ પામી હતી. 15 વળી તેઓ બધા નાશ પામે ત્યાં સુધી છાવણી મધ્યેથી તેઓનો નાશ કરવા સારુ યહોવાહનો હાથ તેઓની વિરુદ્ધ હતો.

16 હવે લોકોમાંથી સર્વ લડવૈયાઓ નાશ પામ્યા તથા મરી ગયા ત્યાર પછી, 17 યહોવાહે મને કહ્યું કે, 18 તું આજે આર એટલે કે મોઆબની સરહદ પાર કરવાનો છે; 19 અને જયારે તું આમ્મોનપુત્રોની નજીક આવે ત્યારે તેઓને સતાવીશ નહિ કે તેઓની સાથે લડીશ પણ નહિ; કારણ કે, હું તમને આમ્મોનપુત્રોના દેશમાંથી વતન આપવાનો નથી. કેમ કે મેં તે પ્રદેશ વતન તરીકે લોતપુત્રોને આપ્યો છે."

20 તે પણ રફાઈઓનો દેશ ગણાય છે; અગાઉ રફાઈઓ તેમાં રહેતા હતા. જો કે આમ્મોનીઓ તેઓને ઝામઝુમીઓ એવું નામ આપે છે. 21 તે લોક પણ અનાકીઓની જેમ બળવાન તથા કદાવર હતા. તેઓની સંખ્યા ઘણી હતી; પરંતુ યહોવાહે આમ્મોનીઓ આગળથી તેઓનો નાશ કર્યો અને તેઓ તેઓના વતનમાં દાખલ થઈને તેઓની જગ્યાએ વસ્યા. 22 જેમ હોરીઓનો નાશ કરીને યહોવાહે સેઈરવાસી એસાવપુત્રો માટે કર્યું હતું તેમ જ; અને તેઓએ તેઓનું વતન લઈ લીધું. અને તેઓની જગ્યાએ તેઓ આજ સુધી વસ્યા.

23 અને આવ્વીઓ જેઓ ગાઝા સુધીના ગામોમાં રહેતા હતા, તેઓનો કાફતોરીઓએ કાફતોરીમમાંથી ધસી આવીને નાશ કર્યો અને તેઓની જગ્યાએ રહ્યા.

24 "હવે તમે ઊઠો, આગળ ચાલો અને આર્નોનની ખીણ ઓળંગો; જુઓ, મેં હેશ્બોનના રાજા અમોરી સીહોનને તેમ જ તેના દેશને તમારા હાથમાં સોંપી દીધો છે. તેનું વતન જીતવાનું શરૂ કરો અને તેની સાથે યુદ્ધ કરો. 25 હું આજથી આકાશ નીચેની સર્વ પ્રજાઓ પર તમારો ડર તથા ધાક એવો બેસાડીશ કે તેઓ તમારી ખ્યાતી સાંભળી ધ્રૂજશે અને તીવ્ર વેદનાથી દુઃખી થશે."

26 અને કદેમોથના અરણ્યમાંથી મેં હેશ્બોનના રાજા સીહોન પાસે સંદેશવાહકો મોકલ્યા કે, તેઓ શાંતિનો સંદેશો લઈને કહે કે, 27 "અમને તારા દેશમાં થઈને જવા દે; અમે રસ્તે જ ચાલીશું; ડાબે કે જમણે હાથે વળીશું નહિ.

28 ખાવાને માટે અન્ન અમને પૈસા લઈને વેચાતું આપજે જેથી અમે ખાઈએ; પીવાને પાણી પણ તું મને પૈસા લઈને આપજે જેથી હું પીવું; ફક્ત તારા દેશમાંથી થઈને અમને પગે ચાલીને જવા દે; 29 જ્યાં સુધી અમે યર્દન નદી ઓળંગીને અમારા ઈશ્વર યહોવાહ અમને જે દેશ આપવાના છે ત્યાં પહોંચીએ ત્યાં સુધી જેમ સેઈરમાં વસતા એસાવપુત્રો તથા આરમાં વસતા મોઆબીઓ મારી સાથે વર્ત્યા તેમ તું અમારી સાથે વર્તજે"

30 પરંતુ હેશ્બોનના રાજા સીહોને આપણને પોતાના દેશમાં થઈને જવા દેવાની ના પાડી; કેમ કે ઈશ્વર તમારા યહોવાહ તેનું મન કઠણ અને હૃદય હઠીલું કર્યું હતું કે તે તેને તારા હાથમાં સોંપે, જેમ આજે છે તેમ. 31 અને યહોવાહે મને કહ્યું, 'જો મેં સીહોનને તથા તેના દેશને તને સ્વાધીન કરવાનો આરંભ કર્યો છે. વતન પ્રાપ્ત કરવાનું શરૂ કર કે જેથી તું તે દેશનો વારસો પામે."

32 "ત્યારે સીહોન તથા તેના સર્વ લોક યાહાસ આગળ આપણી સામે લડાઈ કરવાને બહાર નીકળી આવ્યા. 33 પરંતુ આપણા ઈશ્વર યહોવાહે તેને આપણને સ્વાધીન કરી દીધો. અને આપણે તેને તથા તેના પુત્રોને તથા તેના સર્વ લોકોને હરાવ્યા.

34 આપણે તેનાં સર્વ નગરો જીતી લીધા. અને વસ્તીવાળાં સર્વ નગરોનો, તેઓની સ્ત્રીઓ તથા બાળકો શુદ્ધા તેઓનો પૂરો નાશ કર્યો. કોઈને પણ જીવતા રહેવા દીધા નહિ. 35 ફક્ત જે નગરો આપણે જીતી લીધાં હતાં તેમની લૂંટ સાથે આપણે પોતાને સારુ જાનવરો લીધા.

36 આર્નોનની ખીણની સરહદ પર આવેલા અરોએર તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલ્યાદ સુધી એક પણ નગર એવું મજબૂત નહોતું કે આપણાથી જિતાય નહિ. ઈશ્વર આપણા યહોવાહે આપણા સર્વ શત્રુઓ પર વિજય આપ્યો. 37 ફક્ત આમ્મોનપુત્રોના દેશની નજીક તથા યાબ્બોક નદીના કાંઠા પરનો આખો પ્રદેશ, પર્વતીય પ્રદેશના નગરો તથા જે જગ્યા વિષે આપણા ઈશ્વર યહોવાહે આપણને મના કરી હતી ત્યાં આપણે ગયા જ નહિ.


Footnotes


2:11 [1]કદાવર વ્યક્તિ


Chapter 3

1 ત્યારબાદ આપણે પાછા વળીને બાશાનના માર્ગે આગળ વધ્યા. બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોક એડ્રેઇ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા. 2 યહોવાહે મને કહ્યું, ''તેનાથી તું બીશ નહિ; કારણ કે, મેં તેને તેના સર્વ લોકને અને તેના દેશને તારા હાથમાં સોંપ્યા છે. અને અમોરીનો રાજા સીહોન જે હેશ્બોનમાં રહેતો હતો તેને તેં જેવું કર્યું તેવુ જ તેને પણ કર."

3 તેથી ઈશ્વર આપણા યહોવાહે બાશાનના રાજા ઓગ અને તેના સર્વ લોકને આપણા હાથમાં સોંપી દીધા. આપણે તેઓને પરાજિત કર્યા. તેઓમાંનું કોઈ પણ જીવતું રહ્યું નહિ. 4 તે સમયે આપણે તેઓનાં સર્વ નગરો જીતી લીધા. એટલે તેઓની પાસેથી જીતી લીધું ના હોય એવું એક પણ નગર ન હતું. સાઠ નગરો તથા આર્ગોબનો આખો પ્રદેશ એટલે કે બાશાનમાં ઓગનું રાજ્ય આપણે જીતી લીધું.

5 આ બધાં નગરોના રક્ષણ માટે ઊંચા કોટ, દરવાજા તથા ભૂંગળો હતાં. તે ઉપરાંત, કોટ વગરનાં બીજા અનેક ગામો હતાં. 6 અને આપણે હેશ્બોનના રાજા સીહોનને કર્યુ હતું તેમ તેઓનો પૂરો નાશ કર્યો. વસ્તીવાળાં સર્વ નગરો, તેઓની સ્ત્રીઓ અને બાળકોનો સંપૂર્ણ નાશ કર્યો. 7 પરંતુ સર્વ જાનવરો તથા નગરોની લૂંટ આપણે પોતાને માટે લીધી.

8 તે સમયે આપણે યર્દન પાર અમોરીઓના બન્ને રાજાઓના હાથમાંથી આર્નોનની ખીણથી હેર્મોન પર્વત સુધીનો દેશ કબજે કરી લીધો. 9 સિદોનીઓ હેર્મોન પર્વતને સીર્યોન કહે છે અને અમોરીઓ તેને સનીર કહે છે; 10 સપાટ પ્રદેશનાં બધાં નગરો, આખું ગિલ્યાદ, આખું બાશાન તથા બાશાનમાં ઓગના રાજ્યનાં સાલખા અને એડ્રેઇ નગરો આપણે જીતી લીધાં.

11 કેમ કે રફાઈઓમાંનાં બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ બાકી રહ્યો હતો; જુઓ, તેનો પલંગ લોખંડનો હતો. શું તે રાબ્બામાં નથી કે જ્યાં આમ્મોનપુત્રો રહે છે? માણસનાં હાથના માપ પ્રમાણે તેની લંબાઈ નવ હાથ અને પહોળાઈ ચાર હાથ હતી.

12 અને તે સમયે જે દેશને અમે કબજે કર્યો હતો, તે આર્નોનની ખીણના અરોએર [1] થી ગિલ્યાદના પર્વતીય પ્રદેશનો અડધો ભાગ તથા તેનાં નગરો મેં રુબેનીઓને અને ગાદીઓને આપ્યાં. 13 ગિલ્યાદનો બાકીનો ભાગ તથા ઓગનું રાજ્ય એટલે આખું બાશાન મેં મનાશ્શાના અર્ધકુળને આપ્યું. આર્ગોબનો આખો પ્રદેશ, આખું બાશાન આપ્યું. તે રફાઈઓનો દેશ કહેવાય છે.

14 મનાશ્શાના વંશજ યાઈરે ગશૂરીઓ અને માખાથીઓની સરહદ સુધીનો આખો આર્ગોબનો પ્રદેશ જીતી લીધો. તેણે પોતાના નામ ઉપરથી બાશાનને, હાવ્વોથ યાઈર એ નામ આપ્યું, તે આજ સુધી ચાલે છે.

15 મેં માખીરને ગિલ્યાદ આપ્યું. 16 રુબેનીઓને અને ગાદીઓને મેં ગિલ્યાદથી માંડીને આર્નોનની ખીણ સુધીનો પ્રદેશ જે પ્રદેશની સરહદ તે ખીણની વચ્ચે આવેલી હતી તે, યાબ્બોક નદી જે આમ્મોનપુત્રોની સરહદ છે ત્યાં સુધીનો પ્રદેશ આપ્યો.

17 અરાબામાં પશ્ચિમે યર્દન નદી તથા તેની સીમા પણ, કિન્નેરેથથી અરાબાના સમુદ્ર એટલે કે ખારા સમુદ્રની પૂર્વમાં પિસ્ગાહ પર્વતના ઢોળાવ તળે આવેલી છે, ત્યાં સુધીનો પ્રદેશ.

18 તે સમયે મેં તમને આજ્ઞા આપીને કહ્યું હતું કે, "ઈશ્વર તમારા યહોવાહે આ દેશ તમને વતન કરી લેવા માટે આપ્યો છે. તમે તથા બધા યોદ્ધાઓ હથિયાર સજીને તમારા ભાઈઓની એટલે ઇઝરાયલના લોકોની આગળ પેલી બાજુ જાઓ.

19 પણ તમારી પત્નીઓ, તમારાં બાળકો તથા તમારાં જાનવર હું જાણું છું કે તમારી પાસે ઘણાં જાનવર છે, જે નગરો મેં તમને આપ્યાં છે તેમાં તેઓ રહે, 20 જ્યાં સુધી કે જેમ તમને તેમ તમારા ભાઈઓને યહોવાહે જે દેશ ઈશ્વર તમારા યહોવાહ તેઓને યર્દનને પેલી બાજુ આપવાના છે તેનું વતન તેઓ પણ પામે ત્યાં સુધી આરામ આપ્યો. ત્યાર પછી તમે બધા પોતપોતાનાં વતન તમને આપ્યાં છે તેમાં પાછા આવો."

21 મેં યહોશુઆને આજ્ઞા આપીને કહ્યું કે, "યહોવાહે આ બે રાજાઓને જે બધું કર્યું, તે તારી આંખોએ તેં જોયું છે, તે જ પ્રમાણે જે સર્વ રાજ્યોમાં તું જશે તેઓને યહોવાહ એવું કરશે. 22 તમે તેઓથી બીશો નહિ, કેમ કે, ઈશ્વર તમારા યહોવાહ એકલા જ તમારા માટે લડશે."

23 તે સમયે મેં યહોવાહને આગ્રહપૂર્વક વિનંતી કરીને કહ્યું કે, 24 "હે પ્રભુ યહોવાહ, તમે તમારા દાસોને તમારી મહાનતા તથા તમારો બળવાન હાથ બતાવ્યો છે; કેમ કે આકાશમાં કે પૃથ્વી પર એવા કયા દેવ છે કે જે તમારા જેવાં કામો તથા તમારા જેવા ચમત્કારો કરી શકે? 25 કૃપા કરીને મને પેલી બાજુ જવા દો, યર્દનની પેલી બાજુનો સારો દેશ, સારો પર્વતીય પ્રદેશ તથા લબાનોન પણ મને જોવા દો."

26 પરંતુ તમારે કારણે યહોવાહ મારા પર ગુસ્સે થયા હતા તેમણે મારી અરજ સાંભળી નહિ. અને મને કહ્યું, "તારા માટે આટલું જ બસ છે, આ બાબત વિષે કદી મારી આગળ બોલીશ નહિ. 27 પિસ્ગાહ પર્વતના શિખર પર ચઢ, તારી આંખો ઊંચી કરીને પશ્ચિમબાજુ, ઉત્તરબાજુ, દક્ષિણબાજુ તથા પૂર્વબાજુ જો તારી આંખોથી જોઈ લે, તું આ યર્દનની પાર જવા પામવાનો નથી.

28 યહોશુઆને આદેશ આપ; તેને હિંમત તથા બળ આપ, કેમ કે, તે આ લોકોને પેલી પાર લઈ જશે અને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તે તેઓને અપાવશે." 29 એ પ્રમાણે આપણે બેથ-પેઓરની સામેની ખીણમાં મુકામ કર્યો.


Footnotes


3:12 [1]અરોએરની ઉત્તર પ્રદેશમાં


Chapter 4

1 હવે, હે ઇઝરાયલ, જે કાયદાઓ અને નિયમો હું તમને શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો; એ માટે કે તમે જીવતા રહો અને તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહ જે દેશ તમને આપે છે, તેમાં પ્રવેશ કરો અને તેને કબજે કરો. 2 હું તમને જે આજ્ઞા આપું છું તેમાં તમારે કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ. એ માટે કે ઈશ્વર તમારા યહોવાહની જે આજ્ઞાઓ હું તમને ફરમાવું તે તમે પાળો.

3 બઆલપેઓરના લીધે યહોવાહે જે કંઈ કર્યું તે તમારી નજરે તમે જોયું છે; કેમ કે જે બધા માણસો બઆલ-પેઓરને અનુસરતા હતા, તેઓના ઈશ્વર તમારા યહોવાહે તમારી મધ્યેથી નાશ કર્યો. 4 પણ તમે જેઓ ઈશ્વર તમારા યહોવાહને આધીન રહ્યા તેઓ આજે જીવતા રહ્યા છે.

5 જુઓ, જેમ ઈશ્વર મારા યહોવાહે મને આજ્ઞા આપી તે પ્રમાણે મેં તમને કાનૂનો અને નિયમો શીખવ્યા છે, કે જેથી જે દેશનું વતન પ્રાપ્ત કરવા માટે તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે કરો. 6 માટે તે પાળીને તેને અમલમાં લાવો; તેથી લોકોની દ્રષ્ટિમાં તમે જ્ઞાની તથા સમજદાર ગણાશો, જેઓ સર્વ આ કાનૂનો વિષે સાંભળશે તેઓ કહેશે કે, "ખરેખર, આ મહાન દેશજાતિ જ્ઞાની અને સમજદાર છે."

7 કેમ કે એવી કઈ મોટી દેશજાતિ છે કે જેની સાથે કોઈ ઈશ્વર નજીક છે, જેમ ઈશ્વર આપણા યહોવાહને જયારે આપણે પોકારીએ છીએ ત્યારે તે આપણી સાથે સંબંધ રાખે છે. 8 બીજી કઈ એવી મહાન જાતિ છે કે તેઓની પાસે આ બધા નિયમો જેને આજે હું તમારી આગળ પ્રગટ કરું છું તેના જેવા ન્યાયી નિયમો તથા કાનૂનો છે?

9 ફક્ત પોતાના વિષે સાવધ રહો અને ધ્યાનથી તમારા આત્માની કાળજી રાખો, કે જેથી તમારી આંખે જે જોયું છે તે તું ભૂલી જાઓ નહિ અને તમારા જીવનના સર્વ દિવસો પર્યંત તમારા હૃદયમાંથી તે દૂર થાય નહિ. પણ, તમારા સંતાનને અને તમારા સંતાનના સંતાનને શીખવો. 10 તમે હોરેબમાં તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ ઊભા રહ્યા હતા તે દિવસે યહોવાહે મને કહ્યું કે, "લોકોને મારી સમક્ષ ભેગા કર. હું તેઓને મારાં વચનો કહી સંભળાવીશ અને જે સર્વ દિવસો સુધી તેઓ પૃથ્વી પર જીવે ત્યાં સુધી મારો ડર રાખતા શીખે અને પોતાનાં સંતાનોને પણ તે શીખવે."

11 તેથી તમે આવીને પર્વતની તળેટી નજીક ઊભા રહ્યા અને પર્વત અગ્નિથી બળતો હતો અને જ્વાળાઓ આકાશ સુધી પહોંચતી હતી. ત્યારે વાદળ તથા ઘોર અંધકાર સર્વત્ર વ્યાપી ગયાં હતાં. 12 તે વખતે યહોવાહ અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલ્યા; તમે તેમના શબ્દોનો અવાજ સાંભળ્યો, પણ તમે કોઈ આકાર જોયો નહિ, તમે ફક્ત અવાજ સાંભળ્યો.

13 તેમણે તમને પોતાનો કરાર જાહેર કર્યો એટલે કે દસ નિયમોનું પાલન કરવાની આજ્ઞા ઈશ્વરે તમને આપી. અને એ નિયમો બે શિલાપાટીઓ પર લખ્યા. 14 તે સમયે યહોવાહે તમને કાયદાઓ તથા કાનૂનો શીખવવાનું મને ફરમાવ્યું, એ સારું કે પેલી પાર જે દેશમાં તમે વતન પ્રાપ્ત કરવા જાઓ છો તેમાં તમે તે પાળો.

15 "માટે પોતાના વિષે સાવધ રહેજો, જે દિવસે તમે હોરેબમાં યહોવાહને અગ્નિ મધ્યેથી તમારી સાથે બોલતા સાંભળ્યા તે દિવસે તમે કોઈ આકાર જોયો ન હતો. 16 માટે સાવધ રહો કે રખેને તમે ભ્રષ્ટ થઈને કોઈ પ્રકારના આકારની નર કે નારીની પ્રતિમા બનાવો, 17 પૃથ્વી પર ચાલનારા કોઈ પશુની કે આકાશમાં ઊડતા પક્ષીની પ્રતિમા, 18 અથવા પૃથ્વી તળેના પાણીમાંની કોઈ માછલીની પ્રતિમા બનાવીને તમે ભ્રષ્ટ થશો નહિ.

19 સાવધ રહો રખેને જયારે તમે આકાશ તરફ નજર કરો ત્યારે સૂર્ય, ચંદ્ર, તારા એટલે આખું ગગનમંડળ જેઓને ઈશ્વર તમારા યહોવાહે આકાશ નીચેના સર્વ લોકોને વહેંચી આપ્યાં છે. તેઓને જોઈને તમે આકર્ષાઈને તેમની સેવાપૂજા કરો. 20 પરંતુ યહોવાહ તમને મિસરમાં ધગધગતા લોખંડ ઓગળવાનું ભઠ્ઠીમાંથી બહાર કાઢી લાવ્યા છે. જેથી જેમ આજે છો તેમ તમે તેમના વારસાના લોક બની રહો.

21 વળી તમારે કારણે યહોવાહ મારા પર શબ્દો વડે કોપાયમાન થયા; અને તેમણે એવા સમ ખાધા કે, "તું યર્દનની પેલે પાર જવા પામશે નહિ. અને ઈશ્વર જે ઉતમ દેશનો વારસો તમને આપે છે તેમાં તું પ્રવેશ પામશે નહિ." 22 હું તો નક્કી આ દેશમાં જ મરવાનો છું, હું યર્દન નદી ઓળંગી શકવાનો નથી. પણ તમે પેલી પાર જશો. અને એ ઉતમ દેશનું વતન પ્રાપ્ત કરશો.

23 તમે હવે સાંભળો, જે કરાર ઈશ્વર તમારા યહોવાહે તમારી સાથે કર્યો છે તે તમે ભૂલશો નહિ. કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ જે વિષે યહોવાહ તમારા ઈશ્વરે મના કરી છે તે બનાવશો નહિ. 24 કેમ કે ઈશ્વર તમારા યહોવાહ ભસ્મકારક અગ્નિરૂપ તથા ઈર્ષ્યાળુ ઈશ્વર છે.

25 તમને સંતાનો અને સંતાનોનાં પણ સંતાનો પણ પ્રાપ્ત થાય અને તમે બધા તે દેશમાં સ્થાયી થયા પછી તમે જો ભ્રષ્ટ થઈને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ બનાવશો અને જે ઈશ્વર તારા યહોવાહની નજરમાં અજૂગતું છે તે કરીને તેમને કોપાયમાન કરશો; 26 તો હું આજે આકાશ તથા પૃથ્વીને સાક્ષી રાખીને તમને કહું છું કે, યર્દન ઊતરીને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે જાઓ છો, તેમાંથી જલ્દી તમારો પૂરો નાશ થઈ જશે. તેમાં તમે દીર્ઘાયુષ્ય પામશો નહિ, તેમાંથી તમારો પૂરો નાશ થશે.

27 યહોવાહ તમને દેશજાતિઓ મધ્યે વિખેરી નાખશે અને તમને જે દેશજાતિ મધ્યે લઈ જશે તેમની વચ્ચે તમારામાંના બહુ થોડા જ બચવા પામશે. 28 અને તમે ત્યાં રહીને માણસનાં હાથનાં ઘડેલાં લાકડાનાં તથા પથ્થરનાં દેવદેવીઓની બનાવેલી મૂર્તિઓ કે જે જોઈ ન શકે કે સાંભળી ન શકે, ખાઈ ન શકે કે સૂંઘી ન શકે, એવા દેવદેવીઓની પૂજા કરશો.

29 પણ જો તમે ત્યાંથી ઈશ્વર તમારા યહોવાહને શોધશો, જો તમે તમારા પૂરા અંત:કરણથી તથા તમારા પૂરા હૃદયથી તેમની પ્રતિક્ષા કરશો તો તેઓ તમને મળશે.

30 જયારે તમે સંકટમાં અને આ સર્વ આફત તમારા પર આવી પડી હોય ત્યારે છેવટે તમે ઈશ્વર તમારા યહોવાહ તરફ પાછો ફરીને તેમનું કહેવું સાંભળશો; તો 31 તમારા ઈશ્વર યહોવાહ દયાળુ ઈશ્વર છે; તે તમારો ત્યાગ કરશે નહિ અને તમારો નાશ પણ કરશે નહિ તેમ જ જે કરાર તમારા પિતૃઓની સાથે સમ ખાઈને તેમણે કર્યો છે તેને તે ભૂલી જશે નહિ.

32 કેમ કે ઈશ્વરે પૃથ્વી પર માણસનું સર્જન કર્યું ત્યારથી માંડીને તમારી અગાઉનો જે સમય વીતી ગયો છે તેને તથા પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી પૂછો કે, પહેલાં કદી આ પ્રમાણેની અદ્દભુત ઘટના બનેલી જોઈ છે કે સાંભળી છે? 33 જેમ તમે ઈશ્વરની વાણી અગ્નિ મધ્યે બોલતી સાંભળી તેવી વાણી સાંભળીને કોઈ લોકો કદી જીવતા રહ્યા છે શું?

34 અથવા જે સર્વ તમારા ઈશ્વર યહોવાહે મિસરમાં તમારા માટે તમારી નજર સમક્ષ કર્યું તેવું કરીને એટલે પરીક્ષણો, ચિહનો, ચમત્કારો, યુદ્ધ, પરાક્રમી હાથ તથા લંબાવેલા ભુજ તથા મોટાં ત્રાસદાયક કૃત્યો વડે બીજી દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે?

35 આ બધું તેમણે એટલા માટે કર્યુ કે તમે જાણો કે ઈશ્વર યહોવાહ છે. તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી. 36 તેઓ તમને બોધ આપે એ માટે યહોવાહે આકાશમાંથી પોતાની વાણી તમને સંભળાવી. અને તમને પૃથ્વી પર મોટી આગ બતાવી અને તેં તેમના શબ્દો અગ્નિમાંથી સાંભળ્યા.

37 અને તમારા પિતૃઓ પર તેમને પ્રેમ હતો માટે ઈશ્વરે તેઓની પાછળ તેઓના વંશજોને પસંદ કર્યા હતા. એટલે એ જાતે જ તમને પોતાના સામર્થ્યથી મિસરમાંથી બહાર લઈ આવ્યા. 38 એ માટે કે તેઓ તમારા કરતાં મોટી અને સમર્થ દેશજાતિઓને નસાડી મૂકે. અને તેઓના દેશમાં પ્રવેશ કરાવી અને તેઓને વારસો આપે, જેમ આજે છે તેમ.

39 એ માટે આજે તમે જાણો અને અંત:કરણમાં રાખો કે આકાશમાં અને પૃથ્વી ઉપર ઈશ્વર તે જ યહોવાહ છે અને તેમના વગર બીજા કોઈ ઈશ્વર નથી. 40 તેમના કાનૂનો તથા તેમની આજ્ઞાઓ જેનો આજે હું તમને આદેશ આપું છું તે તમારે પાળવા, કે જેથી તમારું અને તમારા પછી તમારા સંતાનનું ભલું થાય અને ઈશ્વર તમારા યહોવાહ જે દેશ તમને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય.

41 પછી મૂસાએ યર્દન નદીની પૂર્વ દિશાએ ત્રણ નગરો અલગ કર્યાં, 42 એ માટે, જો તેણે અગાઉ કોઈ દુશ્મનાવટ વગર અજાણતાં કોઈ વ્યક્તિને મારી નાખી હોય, તો તે ત્યાંથી નાસી જાય. આ નગરોમાંથી એક નગરમાં નાસી જઈને તે બચી જાય. 43 તે નગરો આ હતાં: રુબેનીઓ માટે અરણ્યના સપાટ પ્રદેશમાંનું બેસેર; ગાદીઓ માટે ગિલ્યાદમાંનું રામોથ અને મનાશ્શીઓ માટે બાશાનમાંનું ગોલાન.

44 ઇઝરાયલી લોકો આગળ મૂસાએ જે નિયમ મૂક્યો તે એ છે; 45 ઇઝરાયલી લોકો મિસરમાંથી રવાના થયા ત્યારે જે કરારો, નિયમો, કાનૂનો તથા હુકમો મૂસા બોલ્યો તે એ છે, 46 અમોરીઓનો રાજા સીહોન, જે હેશ્બોનમાં રહેતો હતો, જેને મૂસા અને ઇઝરાયલી લોકોએ મિસરમાંથી તેઓ બહાર નીકળ્યા ત્યારે તેને હરાવ્યો હતો, તેના દેશમાં યર્દનની પૂર્વ તરફ, બેથ-પેઓરની સામેની ખીણમાં મૂસાએ આ વચનો કહી સંભળાવ્યાં.

47 તેઓએ તેના દેશનો તેમ જ બાશાનના રાજા ઓગના દેશનો, યર્દનની પૂર્વ તરફ આવેલા અમોરીના બે રાજાઓના દેશનો કબજો લીધો હતો. 48 આ પ્રદેશ આર્નોનની ખીણના કિનારે આવેલા અરોએરથી તે સિયોન પર્વત જે હેર્મોન પર્વત સુધી, 49 અને યર્દનની પેલી બાજુ પૂર્વ તરફ, યર્દન નદીની ખીણના બધા મેદાનો, તે છેક પિસ્ગાહ પર્વતના ઢોળાવ નીચે આવેલા અરાબાના સમુદ્ર સુધીનો હતો.



Chapter 5

1 મૂસાએ બધા ઇઝરાયલીઓને બોલાવીને તેઓને કહ્યું, "હે ઇઝરાયલ, જે કાનૂનો તથા નિયમો હું તમને આજે કહી સંભળાવું છું તે સાંભળો, કે તમે તે શીખો અને તેને પાળો. 2 યહોવાહ આપણા ઈશ્વરે હોરેબમાં આપણી સાથે કરાર કર્યો હતો. 3 યહોવાહે આપણા પિતૃઓ સાથે આ કરાર કર્યો નહિ પણ આપણી સાથે, એટલે કે આપણે બધા આજે અહીં હયાત છીએ તેઓની સાથે કર્યો.

4 યહોવાહ પર્વત પર તમારી સાથે અગ્નિજ્વાળામાંથી પ્રત્યક્ષ બોલ્યા હતા, 5 તે સમયે યહોવાહનું વચન તમને સંભળાવવા હું તમારી અને યહોવાહની મધ્યે ઊભો રહ્યો હતો, કેમ કે, તમને અગ્નિથી ભય લાગતો હતો અને તમે પર્વત પર ગયા ન હતા. યહોવાહે કહ્યું.

6 'ગુલામીના ઘરમાંથી એટલે મિસર દેશમાંથી જ્યાં તમે ગુલામ તરીકે રહેતા હતા ત્યાંથી તમને બહાર કાઢી લાવનાર હું ઈશ્વર તારો યહોવાહ છું.

7 મારી સમક્ષ તારે કોઈ પણ અન્ય દેવો હોવા જોઈએ નહિ.

8 તું પોતાના માટે કોતરેલી મૂર્તિની પ્રતિમા ન બનાવ, ઉપર આકાશમાંની કે નીચે પૃથ્વીમાંની કે પૃથ્વી નીચેના પાણીમાંની કોઈ પણ વસ્તુની પ્રતિમા ન બનાવ.

9 તું તેઓની આગળ નમીશ નહિ કે તેઓની પૂજા કરીશ નહિ. કેમ કે, હું યહોવાહ, તમારો ઈશ્વર, ઈર્ષ્યાળુ ઈશ્વર છું. જેઓ મારો તિરસ્કાર કરે છે, તેઓની ત્રીજી ચોથી પેઢી સુધી પિતૃઓના અન્યાયની શિક્ષા સંતાનો પર લાવનાર, 10 અને જે લોકો મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે, તેઓની હજારો પેઢી સુધી મારા કરાર અનુસાર તેઓના પર દયા દર્શાવનાર છું.

11 તું યહોવાહ તારા ઈશ્વરનું નામ વ્યર્થ ન લે, કેમ કે, જે કોઈ યહોવાહનું નામ વ્યર્થ લે છે તેને તેઓ નિર્દોષ ગણશે નહિ.

12 યહોવાહ તારા ઈશ્વરે આજ્ઞા આપી તે મુજબ વિશ્રામવારના દિવસને પવિત્ર પાળવાને તું ધ્યાન રાખ. 13 છ દિવસ તું પરિશ્રમ કર અને તારું બધું કામ કર; 14 પણ સાતમો દિવસ યહોવાહ તારા ઈશ્વરનો વિશ્રામવાર છે. તેમાં તારે કોઈ પણ કામ કરવું નહિ, તું, તારો દીકરો કે તારી દીકરી, તારા દાસ કે તારી દાસી, તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ અન્ય જાનવર, તારા દરવાજામાં વસતા કોઈ પણ પરદેશી આ દિવસે કશું કામ ન કરે. જેથી તારા દાસ કે દાસીઓને પણ તારી જેમ આરામ મળે.

15 યાદ રાખ કે મિસર દેશમાં તું દાસ હતો, ઈશ્વર તારા યહોવાહ તેમના પરાક્રમી હાથ વડે તથા અદ્દભુત શક્તિ વડે તને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા. તે માટે ઈશ્વર તારા યહોવાહે તને વિશ્રામવાર પાળવાની આજ્ઞા આપી છે તે તારે પાળવી.

16 ઈશ્વર તારા યહોવાહે તને જેમ આજ્ઞા આપી છે, તેમ તારા માતા અને પિતાનો આદર કર, કે જેથી ઈશ્વર તારા યહોવાહે તને જે દેશ આપ્યો છે તેમાં તારું આયુષ્ય લાંબુ થાય અને તારું ભલું થાય,

17 તું હત્યા ન કર.

18 તું વ્યભિચાર ન કર.

19 તું ચોરી ન કર.

20 તું તારા પડોશી વિરુદ્ધ જૂઠી સાક્ષી ન પૂર. 21 'તું તારા પડોશીની પત્ની પર લોભ ન રાખ, તેમ જ તેના ઘર કે ખેતર, દાસ કે દાસી, પશુ, ગધેડું કે અન્ય જાનવર તારા પડોશીનું જે કંઈ હોય તે પર લોભ ન રાખ.'

22 આ વચનો યહોવાહ પર્વત ઉપર અગ્નિજ્વાળા, વાદળ તથા ઘોર અંધકારની મધ્યેથી મોટા સાદે તમારી આખી સભા આગળ બોલ્યા; તેમાં તેમણે કંઈ પણ વધારો કર્યો નહિ. અને ઈશ્વરે મને તે આજ્ઞાઓ બે શિલાપાટીઓ ઉપર લખીને આપી.

23 પર્વત જયારે અગ્નિથી ભડભડ બળતો હતો, ત્યારે અંધકારમાંથી નીકળતી વાણી તમે સાંભળી. પછી એમ થયું કે, તમારાં કુળોના સર્વ આગેવાનો અને વડીલો મારી પાસે આવ્યા. 24 તમે કહ્યું કે, જો ઈશ્વર આપણા યહોવાહે આપણને પોતાનું ગૌરવ તથા માહાત્મ્ય બતાવ્યું છે. અને અગ્નિ મધ્યેથી તેમની વાણી આપણે સાંભળી છે; આજે આપણે જોયું છે કે ઈશ્વર મનુષ્ય સાથે બોલે છે તેમ છતાં મનુષ્ય જીવતો રહે છે.

25 તો હવે અમે શા માટે માર્યા જઈએ? કેમ કે આ મહાભયંકર અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે; જો અમે વધારે વાર અમારા ઈશ્વર યહોવાહની વાણી સાંભળીશું તો અમે માર્યા જઈશું. 26 પૃથ્વી પર એવો કયો માણસ છે કે જેણે જીવતા ઈશ્વરની વાણી અગ્નિ મધ્યેથી આપણી જેમ બોલતી સાંભળી હોય અને જીવતો રહ્યો હોય? 27 તું પાસે જઈને ઈશ્વર આપણા યહોવાહ જે કહે તે સાંભળ; અને ઈશ્વર આપણા યહોવાહ જે તને કહે તે અમને જણાવજે; અને અમે તે સાંભળીને તેનો અમલ કરીશું.'

28 જયારે તમે મારી સાથે વાત કરતા હતા ત્યારે યહોવાહે તમારો અવાજ સાંભળ્યો; અને યહોવાહે મને કહ્યું કે, 'આ લોકોએ તને જે કહ્યું છે તે મેં સાંભળ્યું છે. જે સર્વ તેઓ બોલ્યા છે તે તેઓનું કહેવું ઠીક છે. 29 જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે અને મારી સર્વ આજ્ઞાઓ સદા પાળે તો કેવું સારું! તેથી તે લોકો અને તેઓનાં સંતાનો સદા સુખી રહે. 30 જા, તેઓને કહે કે, "તમે તમારા તંબુઓમાં પાછા જાઓ."

31 પણ તું અહીં મારી પાસે ઊભો રહે, એટલે હું તને મારી સર્વ આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો કહીશ; અને પછી તું તે લોકોને શીખવજે, એ સારુ કે જે દેશ હું તેઓને વતન કરી લેવા સારુ આપવાનો છું તેમાં તેઓ તે પાળે.

32 માટે ઈશ્વર તમારા યહોવાહે તમને જે આજ્ઞાઓ આપી છે તેનું કાળજી રાખીને તેનું પાલન કરવું અને તમારે તેમાંથી ડાબે કે જમણે હાથે વળવું નહિ. 33 જે માર્ગ ઈશ્વર તમારા યહોવાહે બતાવ્યો છે તેમાં જ તમારે ચાલવું. એ સારુ કે તમે જીવતા રહો અને તમારું ભલું થાય. અને જે દેશનું વતન તમે પ્રાપ્ત કરવાના છો તેમાં તમારું આયુષ્ય લાંબું થાય.



Chapter 6

1 હવે જે આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો ઈશ્વર તમારા યહોવાહે તમને શીખવવા માટે મને કહ્યું છે એ સારુ કે જે દેશનું વતન પામવા માટે તમે યર્દન ઊતરીને પ્રવેશ કરો છો, તેમાં તમે તે પાળો. તે આ છે: 2 તેથી તું તથા તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો તારા આખા જીવનભર યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખીને તેમના સર્વ નિયમો અને આજ્ઞાઓ જે હું તમને કહું છું તે પાળો; જેથી તમારું આયુષ્ય લાંબું થાય.

3 માટે હે ઇઝરાયલ સાંભળ અને કાળજીપૂર્વક એનું પાલન કર; એ માટે કે, જેમ યહોવાહ તારા પિતૃઓના ઈશ્વરે આપેલા વચન પ્રમાણે દૂધ તથા મધથી રેલછેલવાળો [1] દેશમાં તારું ભલું થાય અને તમે ખૂબ વૃદ્ધિ પામો.

4 હે ઇઝરાયલ સાંભળ: યહોવાહ આપણા ઈશ્વર તે એકલા જ યહોવાહ છે. 5 અને યહોવાહ તારા ઈશ્વર પર તું તારા પૂર્ણ મનથી તથા પૂર્ણ જીવથી તથા પૂર્ણ બળથી પ્રેમ રાખ.

6 આ વચનો જે હું તમને ફરમાવું છું તેને તારા અંત:કરણમાં રાખ. 7 અને ખંતથી તું તારા સંતાનોને તે શીખવ અને જયારે તું ઘરમાં બેઠો હોય કે રસ્તે ચાલતો હોય, જયારે તું સૂઈ જાય કે ઊઠે તેના વિષે વાત કર.

8 તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ અને તારી આંખોમાં તેમને કપાળભૂષણ તરીકે રાખ. 9 અને તું તેમને તારા ઘરની બારસાખ ઉપર તથા દરવાજા ઉપર તે લખ.

10 અને એમ થશે કે જયારે યહોવાહ તારા ઈશ્વરે જે દેશ તારા પિતૃઓની સમક્ષ એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબની સમક્ષ સમ ખાધા હતા તે દેશમાં તમને લઈ જશે એટલે જે મોટાં અને ઉત્તમ નગરો તમે બાંધ્યાં નથી. 11 અને સર્વ પ્રકારની સારી વસ્તુઓથી ભરેલાં ઘર જે તમે ભર્યાં નથી, ખોદી કાઢેલા કૂવા જે તમે ખોઘ્યા નથી તથા દ્રાક્ષવાડીઓ અને જૈતૂનવૃક્ષો જે તમે વાવ્યાં નથી તેમાં લાવે અને તે તમે ખાઈને તૃપ્ત થાઓ. 12 ત્યારે સાવધાન રહેજો, રખેને મિસર એટલે કે ગુલામીના ઘરમાંથી તમને કાઢી લાવનાર યહોવાહ તમારા ઈશ્વરને તમે ભૂલી જાઓ.

13 યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો; અને તેમની જ સેવા કરો અને તેમના જ નામના સમ ખાઓ. 14 તમારી આસપાસના અન્ય દેવદેવીઓની સેવા તમારે કરવી નહિ. 15 કારણ કે, તમારી મધ્યે રહેનાર યહોવાહ તમારા ઈશ્વર ઈર્ષ્યાળુ ઈશ્વર છે. રખેને યહોવાહ તમારા ઈશ્વરનો કોપ તમારા પર સળગી ઊઠે અને પૃથ્વીના પટ પરથી તમારો સંહાર કરે.

16 જેમ તમે માસ્સામાં તેમની કસોટી કરી, તેમ યહોવાહ તમારા ઈશ્વરની કસોટી કરશો નહિ. [2]17 તમારા ઈશ્વર યહોવાહના કાનૂનો, નિયમો અને તેમની આજ્ઞાઓ જે તેમણે ફરમાવ્યાં છે તેનું ખંતથી પાલન કરો.

18 અને યહોવાહની નજરમાં જે યોગ્ય અને સારું છે તે તું કર, એ માટે કે તારું ભલું થાય. અને જે ઉત્તમ દેશ તારા પિતૃઓને આપવાના યહોવાહે સમ ખાધા છે તેમાં પ્રવેશ કરીને તું તેનું વતન પામે અને 19 જેમ યહોવાહે કહ્યું તેમ તે તારી આગળથી તારા બધા દુશ્મનોને નસાડી મૂકે.

20 ભવિષ્યકાળમાં જયારે તારો દીકરો તને પૂછે કે; "યહોવાહ આપણા ઈશ્વરે તમને જે કરારો, નિયમો અને કાનૂનો ફરમાવ્યા છે તેનો અર્થ શો છે?" 21 ત્યારે તું તારા દીકરાને કહેજે કે, "અમે મિસરમાં ફારુનના ગુલામ હતા; ત્યારે યહોવાહ તેમના મહાન પરાક્રમી હાથ વડે અમને મિસરમાંથી બહાર લાવ્યા, 22 અને તેમણે અમારા દેખતાં મિસર પર, ફારુન પર તથા તેના આખા ઘર પર મોટાં અને દુઃખ ભર્યાં ચિહ્નો તથા ચમત્કારો બતાવ્યા; 23 તેઓ અમને ત્યાંથી બહાર કાઢી લાવ્યા, કે જેથી આપણા પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે આપવા માટે તેઓ આપણને તેમાં લઈ જઈ શકે.

24 આપણા ભલાને માટે હંમેશા આ બધા નિયમો પાળવાની તથા ઈશ્વરનો ભય રાખવાની તેમણે આપણને આજ્ઞા આપી કે, જેથી તેઓ આપણને જીવતા રાખે, જેમ આજે જીવતા છીએ તેમ. 25 યહોવાહ આપણા ઈશ્વરે આપણને જે આજ્ઞાઓ આપી છે, તે પ્રમાણે જો આપણે બધી આજ્ઞાઓ કાળજીથી પાળીએ તો તે આપણા હિતમાં ન્યાયીપણાને અર્થે ગણાશે."


Footnotes


6:3 [1]ફળદ્રૂપ
6:16 [2]વાંચો નિ. ૧૭:૧ - ૭


Chapter 7

1 જે દેશનું વતન પામવા માટે તું જાય છે ત્યાં યહોવાહ તારા ઈશ્વર તને લઈ જશે, તારી આગળથી અનેક પ્રજાઓને કાઢી મૂકશે, એટલે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ, જે તારા કરતાં મોટી તથા જોરાવર સાત પ્રજાઓ છે; તેઓને ત્યાંથી નસાડી મૂકશે.

2 જયારે યહોવાહ તારા ઈશ્વર તને યુદ્ધમાં તેઓની સામે વિજય અપાવે, ત્યારે તું તેઓ પર હુમલો કર અને તેઓનો તદ્દન નાશ કર. તારે તેઓની સાથે કંઈ કરાર કરવો નહિ કે દયા દર્શાવવી નહિ. 3 તારે તેઓની સાથે લગ્ન વ્યવહાર રાખવો નહિ; તેમ જ તારે તારી દીકરીઓનાં લગ્ન તેઓના દીકરાઓ સાથે અને તારા દીકરાઓના લગ્ન તેઓની દીકરીઓ સાથે કરાવવાં નહિ.

4 કેમ કે તેઓ તારા દીકરાઓને મારી આરાધના કરતાં અટકાવશે જેથી તેઓ બીજા દેવોની સેવા કરે. કે જેથી યહોવાહનો ગુસ્સો તમારી વિરુદ્ધ ઊઠે અને તેઓ જલ્દી તમારો નાશ કરે. 5 તમારે તેઓ સાથે આ પ્રમાણે વર્તવું; તેઓની વેદીઓને તોડી પાડવી, તેઓના સ્તંભોને ભાગીને ટુકડા કરી નાખવા, તેઓની અશેરા મૂર્તિઓને કાપી નાખવી અને તેઓની કોતરેલી મૂર્તિઓને બાળી નાખવી.

6 કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો. યહોવાહ તમારા ઈશ્વરે પૃથ્વીની સપાટી પરની બધી પ્રજાઓમાંથી તમને જ પોતાની પ્રજા થવા માટે પસંદ કર્યા છે.

7 તમે બીજા લોકો કરતા સંખ્યામાં વધારે હતા તેને કારણે યહોવાહે તમારા પર પ્રેમ રાખ્યો અને તમને પસંદ કર્યા છે એવું નથી; કેમ કે તમે તો બધા લોકો કરતાં સૌથી ઓછા હતા. 8 પણ યહોવાહ તમને પ્રેમ કરે છે, તમારા પિતૃઓને આપેલી પ્રતિજ્ઞા પાળવા તેઓ ઇચ્છે છે. તે માટે યહોવાહ તમને પરાક્રમી હાથ વડે બહાર લાવ્યા અને ગુલામીના ઘરમાંથી એટલે મિસરના રાજા ફારુનના હાથમાંથી સ્વતંત્ર કર્યા છે.

9 તે માટે તારે જાણવું કે યહોવાહ તમારા ઈશ્વર છે, તે ઈશ્વર છે, તે વિશ્વાસુ ઈશ્વર છે, જે તેમના પર પ્રેમ રાખે છે અને તેમની આજ્ઞાઓ પાળે છે તેમની હજારો પેઢીઓ સુધી કરાર પાળવા માટે તે વિશ્વાસુ છે. 10 પણ જેઓ તેમનો તિરસ્કાર કરે છે તેમનો સામી છાતીએ બદલો લઈને તે નષ્ટ કરે છે; જે કોઈ તેમનો તિરસ્કાર કરે છે તેમનો બદલો લેવામાં તે વિલંબ નહિ કરે; તે બદલો વાળશે. 11 માટે જે આજ્ઞાઓ, કાનૂનો તથા વિધિઓ આજે હું તને ફરમાવું છું, તે પાળીને તું તેનો અમલ કર.

12 જો તમે આ હુકમો સાંભળીને તેનું પાલન કરશો અને અમલમાં મૂકશો, તો એવું થશે કે જે કરાર તથા દયા વિષે યહોવાહ તમારા ઈશ્વરે તમારા પિતૃઓ સાથેે પ્રતિજ્ઞા લીધી છે, તે તમારી પ્રત્યે તે અદા કરશે. 13 તે તારા પર પ્રેમ રાખશે, તને આશીર્વાદ આપશે તથા તને વધારશે; જે દેશ તને તારા પિતૃઓને આપવાની પ્રતિજ્ઞા લીધી છે, તેમાં તે તારા પેટના ફળને તથા તારી ભૂમિના ફળને આશીર્વાદ આપશે, તારા અનાજને, તારા દ્રાક્ષારસને, તારા તેલને, તારા પશુઓના વિસ્તારને તથા તારા જુવાન ટોળાને આશીર્વાદ આપશે.

14 બીજા લોકો કરતાં તું વધારે આશીર્વાદિત થશે. તમારી વચ્ચે કે તમારા પશુઓ મધ્યે કોઈ નર કે નારી વાંઝણું રહેશે નહિ. 15 યહોવાહ તારી બધી બીમારી દૂર કરશે; મિસરના ખરાબ રોગો જેની તને ખબર છે તેઓમાંનો કોઈ પણ તેઓ તારા પર લાવશે નહિ. પણ જેઓ તારો તિરસ્કાર કરે છે તેના પર લાવશે.

16 જે બધી પ્રજાઓ પર યહોવાહ તારા ઈશ્વર તને જય અપાવશે તેઓનો તારે ઉપભોગ કરવો, તારી આંખ તેઓ પર દયા લાવે નહિ. તારે તેઓનાં દેવોની પૂજા કરવી નહિ, કેમ કે તે તારા માટે ફાંદારૂપ થશે.

17 જો તું તારા મનમાં એમ કહેશે કે, "આ જાતિઓ મારા કરતાં સંખ્યામાં વધારે છે; હું કેવી રીતે તેઓને પરાજિત કરી શકું?" 18 તું તેઓથી બીશ નહિ; યહોવાહ તારા ઈશ્વરે ફારુન તથા આખા મિસરને જે કર્યું તે તારે યાદ રાખવું; 19 એટલે જે ભારે દુઃખો તેં તારી આંખોથી જોયાં તે, ચિહ્નો, ચમત્કારો, પરાક્રમી હાથ તથા સામર્થ્ય દેખાડીને યહોવાહ તારા ઈશ્વર તને મિસરમાંથી બહાર લાવ્યા. જે લોકોથી તું ડરે છે તેઓને યહોવાહ તારા ઈશ્વર તેવું જ કરશે.

20 વળી, યહોવાહ તારા ઈશ્વર તેઓની મધ્યે ભમરીઓ [1] મોકલશે, જેઓ તારાથી બચી રહ્યા હશે અને તારાથી સંતાઈ રહ્યા હશે તેઓનો તારી હજૂરમાંથી નાશ કરશે. 21 તું તેઓથી ભયભીત થઈશ નહિ, કેમ કે, યહોવાહ તારા ઈશ્વર તારી મધ્યે છે, મહાન અને ભયાવહ ઈશ્વર છે. 22 યહોવાહ તારા ઈશ્વર ધીમે ધીમે તારી આગળથી તે પ્રજાઓને હાંકી કાઢશે. તું એકદમ તેઓનો પરાજય કરીશ નહિ, રખેને જંગલી પશુઓ વધી જાય અને તને હેરાન કરે.

23 જ્યારે તું તેઓ સાથે યુદ્ધ કરીશ, ત્યારે યહોવાહ તારા ઈશ્વર તને તેઓ પર વિજય આપશે; જ્યાં સુધી તેઓનો નાશ ન થાય ત્યાં સુધી તે તેઓને ગૂંચવશે. 24 યહોવાહ તેઓના રાજાઓને તમારા હાથમાં સોંપી દેશે અને તમે તેઓનું નામ આકાશ તળેથી નાબૂદ કરી દેશો. અને તેમનો નાશ થશે નહિ ત્યાં સુધી કોઈ માણસ તમારી આગળ ટકી શકશે નહિ.

25 તેઓના દેવદેવીઓની કોતરેલી મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી. તેઓના શરીર પરના રૂપા પર કે સોના પર તમે લોભ કરશો નહિ. રખેને તમે તેમાં ફસાઈ પડો; કેમ કે યહોવાહ તમારા ઈશ્વરની નજરમાં તે શ્રાપિત છે. 26 માટે તમે કોઈ ધિક્કારપાત્ર વસ્તુ તમારા ઘરમાં લાવી તેની સેવા કરવી નહિ, તમારે તેને ધિક્કારવું અને તમારે તેનાથી કંટાળવું; કેમ કે તે શાપિત વસ્તુ છે.


Footnotes


7:20 [1]મરકીઓ


Chapter 8

1 આજે હું તમને જે સર્વ આજ્ઞાઓ જણાવું છું તે તમે કાળજી રાખીને તેને પાળો, જેથી તમે જીવતા રહો અને તમે વૃદ્ધિ પામો. અને જે દેશ આપવાના યહોવાહે તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા તેનું વતન પ્રાપ્ત કરો. 2 તમને નમ્ર બનાવવા અને તમે તેમની આજ્ઞાઓનું પાલન કરવા માગો છો કે કેમ, એ જાણવા માટે તથા પારખું કરવા યહોવાહ તમારા ઈશ્વરે ચાળીસ વર્ષ સુધી જે રસ્તે તમને ચલાવ્યાં તે તમે યાદ રાખો.

3 અને યહોવાહે તમને નમ્ર બનાવવા માટે તમને ભૂખ્યા રહેવા દીધા. અને તમે નહોતા જાણતા કે તમારા પિતૃઓ પણ નહોતા જાણતા એવા માન્નાથી તમને પોષ્યા; એ માટે કે યહોવાહ તમને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવિત રહેતો નથી, પણ યહોવાહના મુખમાંથી નીકળતા દરેક વચનોથી માણસ જીવે છે.

4 આ ચાળીસ વર્ષ દરમ્યાન તમારા શરીર પરનાં વસ્રો ઘસાઈ ગયા નહિ અને તમારા પગ સૂજી ગયા નહિ. 5 એટલે આ વાત તમે સમજો કે જે રીતે પિતા પોતાના પુત્રને શિક્ષા કરે છે તેમ યહોવાહ તમારા ઈશ્વર તમને શિક્ષા કરે છે. 6 તેથી તમારે યહોવાહ તમારા ઈશ્વરના માર્ગોમાં ચાલવું, તેમનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી.

7 કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને એક સમૃદ્વ દેશમાં લઈ જાય છે એટલે પાણીનાં વહેણવાળા તથા ખીણોમાં અને ઉચ્ચપ્રદેશમાં ફૂટી નીકળતા ઝરણાં તથા જળનિધિઓવાળા દેશમાં; 8 ઘઉં તથા જવ, દ્રાક્ષ, અંજીરીઓ તથા દાડમોનાં દેશમાં; જૈતૂન તેલ અને મધના દેશમાં;

9 જયાં તું ધરાઈને અન્ન ખાશે અને તને ખાવાની કોઈ ખોટ પડશે નહિ એવા દેશમાં. વળી કોઈ વસ્તુની ખોટ નહિ પડે, તેમ જ જેના પથ્થર લોખંડના છે અને જેના ડુંગરોમાંથી તું પિત્તળ કાઢી શકે. એવા દેશમાં લઈ જાય છે. 10 ત્યાં તમે ખાઈને તૃપ્ત થશો અને યહોવાહ તમારા ઈશ્વરે જે સમૃદ્વ દેશ તમને આપ્યો છે તે માટે તમે યહોવાહની સ્તુતિ કરશો.

11 સાવધ રહેજો રખેને તેમની આજ્ઞાઓ, કાનૂનો અને નિયમો જે આજે હું તને ફરમાવું છું તે ન પાળતાં તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ. 12 રખેને તમે ખાઈને તૃપ્ત થાઓ અને સારાં ઘરો બાંધીને તેમાં રહો.

13 અને જ્યારે તમારાં ઢોરઢાંક અને ઘેટાંબકરાંની અને અન્ય જાનવરોની સંખ્યામાં વધારો થાય અને જ્યારે તમારું સોનુંચાંદી વધી જાય અને તમારી માલમિલકત વધી જાય, 14 ત્યારે રખેને તમારું મન ગર્વિષ્ઠ થાય અને તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જાઓ કે જે તમને મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી બહાર લાવ્યા છે.

15 જેણે તમને આગિયા સાપ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ અને ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યાં. જેમણે તમારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેતું કર્યું અને જે 16 યહોવાહે અરણ્યમાં તમને માન્ના કે જે તમારા પિતૃઓએ કદી નહોતું જોયું તેનાથી તમારું પોષણ કર્યું, એ માટે યહોવાહ તમને નમ્ર કરે અને આખરે તમારું સારું કરવા માટે તે તમારી કસોટી કરે. 17 રખેને તમે તમારા મનમાં વિચારો કે "મારી પોતાની શક્તિથી અને મારા હાથનાં સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ મેળવી છે.''

18 પણ તમે હંમેશા યહોવાહ તમારા ઈશ્વરનું સ્મરણ કરો કેમ કે સંપત્તિ પ્રાપ્ત કરવા માટેની શક્તિ આપનાર તો તે એકલા જ છે; એ માટે કે તેનો કરાર અને તેમણે તમારા પિતૃઓની આગળ જે સમ ખાધા તે તેઓ પૂર્ણ કરે. 19 અને એમ થશે કે જો તમે યહોવાહ તમારા ઈશ્વરને ભૂલી જઈને અન્ય દેવદેવીઓની તરફ વળશો અને તેઓની સેવા કરશો તો હું આજે તમારી વિરુદ્ધ સાક્ષી આપું છું કે તમે નિશ્ચે નાશ પામશો. 20 જે પ્રજાઓનો યહોવાહ તમારી આગળથી નાશ કરે છે તેઓની જેમ તમે નાશ પામશો. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરની વાણી તમે સાંભળવાને ચાહ્યું નહિ.



Chapter 9

1 હે ઇઝરાયલ સાંભળ; તારા કરતાં મહાન અને શક્તિશાળી દેશજાતિઓનું મોટાં તથા ગગનચુંબી કોટવાળાં નગરોનું વતન પ્રાપ્ત કરવા સારુ તું આજે યર્દન નદી પાર ઊતરવાનો છે, 2 એ લોકો કદાવર અને બળવાન છે. તેઓ અનાકીઓના દીકરાઓ છે. જેઓને તું સારી રીતે ઓળખે છે. તેઓ વિશેની અફવા પણ તેં સાંભળી છે કે અનાકપુત્રોની સામે કોણ ટકી શકે?

3 માટે આજે જાણ કે ખાઈ નાખનાર અગ્નિરૂપે તમારી આગળ પેલે પાર જનાર તો યહોવાહ તમારા ઈશ્વર છે. તે એ લોકોનો નાશ કરશે. અને તે તેઓને નીચા પાડશે; અને યહોવાહના વચન અનુસાર તમે તેઓને કાઢી મૂકશો તેમ જ જલ્દી તેઓનો નાશ કરશો. 4 યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારી આગળથી હાંકી કાઢે ત્યારે તમે મનમાં એમ ન કહેતા કે, મારા ન્યાયીપણાને લીધે યહોવાહે મને અહીં લાવીને આ દેશનો વારસો અપાવ્યો છે; ખરું જોતાં તો એ લોકોની દુષ્ટતાને લીધે યહોવાહ તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.

5 તમારા ન્યાયીપણાને લીધે કે તમારા અંત:કરણના પ્રમાણિકપણાને લીધે તમે તેઓના દેશનું વતન પામવાને જાઓ છો એમ તો નહિ; પણ એ લોકોની દુષ્ટતાને લીધે તથા જે વચન યહોવાહે સમ ખાઈને તમારા પિતૃઓને એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને આપ્યું હતું તે પૂર્ણ કરવા માટે યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારી આગળથી નસાડી મૂકે છે.

6 એ માટે નક્કી જાણ કે તારા ન્યાયીપણાને લીધે યહોવાહ તારા ઈશ્વર આ ઉતમ દેશ તને નથી આપતા કેમ કે તમે તો હઠીલી પ્રજા છો.

7 તમે અરણ્યમાં કેવી રીતે યહોવાહ તમારા ઈશ્વરને કોપ ચઢાવ્યો તે તું યાદ રાખ, ભૂલી જઈશ મા; મિસર દેશમાંથી તમે બહાર નીકળ્યા તે દિવસથી તે અહીં આવ્યા ત્યાં સુધી તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા આવ્યા છો. 8 હોરેબમાં પણ તમે યહોવાહને ગુસ્સો કરવા માટે ઉશ્કેર્યા હતા, તે એટલા બધા ગુસ્સે થયા હતા કે તેમણે તમારો નાશ કરી નાખ્યો હોત.

9 જ્યારે હું શિલાપાટીઓ, એટલે યહોવાહે કરેલી કરારની શિલાપાટીઓ લેવા પર્વત પર ગયો, ત્યારે હું ચાળીસ દિવસ અને ચાળીસ રાત પર્વત પર રહ્યો; મેં રોટલી ખાધી નહિ તેમ જ પાણી પીધું નહિ. 10 યહોવાહે પોતાની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ મને આપી; જે બધાં વચનો યહોવાહ સભાના દિવસે અગ્નિ મધ્યેથી બોલ્યાં હતા તે તેના પર લખેલાં હતાં.

11 ચાળીસ દિવસ અને ચાળીસ રાત પછી એવું બન્યું કે, યહોવાહે મને બે શિલાપાટીઓ, એટલે કે કરારની શિલાપાટીઓ આપી. 12 યહોવાહે મને કહ્યું, "ઊઠ, અહીંથી જલ્દી નીચે ઊત્તર, કેમ કે, તારા લોકો જેને તું મિસરમાંથી બહાર લાવ્યો છે તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યાં છે. જે માર્ગ મેં તેઓને બતાવ્યો હતો તેમાંથી તેઓ જલ્દી ભટકી ગયા છે. તેઓએ પોતાના માટે કોતરેલી મૂર્તિઓ બનાવી છે."

13 વળી યહોવાહે મને કહ્યું, "મેં આ લોકોને જોયા છે; કે તેઓ કેવા હઠીલા લોકો છે. 14 તું મને રોકીશ નહિ, કે જેથી હું તેઓનો નાશ કરીને આકાશ નીચેથી તેઓનું નામ ભૂંસી નાખીશ, હું તારામાંથી તેઓના કરતાં વધારે પરાક્રમી અને મોટી પ્રજા ઉત્પન્ન કરીશ.

15 તેથી હું પાછો ફરીને પર્વત પરથી નીચે આવ્યો, ત્યારે પર્વત સળગતો હતો. અને કરારની બે શિલાપાટીઓ મારા હાથમાં હતી. 16 મેં જોયું, તો જુઓ, તમે યહોવાહ તમારા ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું હતું. તમે પોતાના માટે વાછરડાંની મૂર્તિ બનાવી. યહોવાહે જે માર્ગ તમને બતાવ્યો હતો તેમાંથી તમે પાછા ફરી ગયા હતા.

17 ત્યારે મેં પેલી બે શિલાપાટીઓ લઈને મારા હાથમાંથી ફેંકી દીધી. મારી નજર આગળ મેં તેમને તોડી નાખી. 18 યહોવાહની નજરમાં ખોટું કરવાથી જે પાપ કરીને તમે તેમને ગુસ્સો કરવા માટે ઉશ્કેર્યા હતા તે બધાને લીધે હું ફરીથી યહોવાહની આગળ ચાળીસ દિવસ અને ચાળીસ રાત ઊંધો પડી રહ્યો; મેં રોટલી ખાધી નહિ તેમ જ પાણી પણ પીધું નહિ.

19 કેમ કે યહોવાહ તમારા પર એટલા બધા ગુસ્સે તેમ જ નાખુશ થયા હતા કે તમારો નાશ કરે, એટલે હું ડરી ગયો. પણ યહોવાહે તે સમયે મારી પ્રાર્થના સાંભળી. 20 યહોવાહ હારુન પર પણ ગુસ્સે થયા હતા કે તેનો પણ નાશ કરી નાખત; પરંતુ મેં હારુન માટે પણ તે જ સમયે પ્રાર્થના કરી.

21 મેં તમારાં પાપને, તમે જે વાછરડું બનાવ્યું હતું તે લઈને બાળી નાખ્યું, તે ધૂળ જેવું થઈ ગયું ત્યાં સુધી ટીપીને જમીનમાં ભૂકો કરી નાખ્યું. મેં તે ભૂકાને પર્વત પરથી વહેતા ઝરણામાં ફેંકી દીધો.

22 અને તાબેરાહ, માસ્સા અને કિબ્રોથ હાત્તાવાહમાં પણ તમે યહોવાહને કોપાયમાન કર્યા. 23 જ્યારે યહોવાહે તમને કાદેશ બાર્નેઆથી એવું કહીને મોકલ્યા કે, "જાઓ, મેં તમને જે દેશ આપ્યો છે તેનો કબજો લો," ત્યારે તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ બળવો કર્યો, તમે તેમનો અવાજ સાંભળ્યો નહિ કે તેમના પર વિશ્વાસ કર્યો નહિ. 24 જે દિવસથી હું તમને ઓળખતો થયો [1] ત્યારથી તમે યહોવાહની વિરુદ્ધ બળવાખોર રહ્યા છો.

25 તેથી હું ચાળીસ દિવસ અને ચાળીસ રાત યહોવાહની આગળ પડી રહ્યો, કેમ કે તેમણે કહ્યું હતું કે, હું તેઓનો નાશ કરીશ. 26 એટલે મેં યહોવાહને પ્રાર્થના કરીને કહ્યું, "હે પ્રભુ યહોવાહ, કૃપા કરીને તમારા લોકોનો, તમારા વારસાનો, જેઓને તમે તમારી મહાનતાથી છોડાવ્યા છે, જેઓને તમે તમારા પરાક્રમી હાથથી મિસરમાંથી બહાર કાઢી લાવ્યા છો, તેમનો નાશ કરશો નહિ.

27 તમારા સેવકો, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને યાદ કરો; આ લોકોની હઠીલાઈ, તેઓની દુષ્ટતા તથા તેઓના પાપની તરફ ન જુઓ. 28 રખેને જે દેશમાંથી તમે અમને બહાર કાઢી લાવ્યા તે દેશના લોકો કહે કે, 'કેમ કે જે દેશમાં લઈ જવાનું વચન યહોવાહે આપ્યું હતું તેમાં તે લઈ જઈ શકયા નહિ, કેમ કે તેઓ તેઓને ધિક્કારતા હતા, તેઓ તે લોકોને અરણ્યમાં મારી નાખવા માટે બહાર કાઢી લાવ્યા હતા.' 29 તો પણ, તેઓ તમારા લોક તથા તેઓ તમારો વારસો છે, જેઓને તમે તમારી મહાન શક્તિ તથા તમારા લંબાવેલા ભૂજથી દેખાડીને બહાર કાઢી લાવ્યા છો."


Footnotes


9:24 [1]જે દિવસથી યહોવાહ તેઓને ઓળખતો થયો


Chapter 10

1 તે સમયે યહોવાહે મને કહ્યું, "પહેલાં હતી તેવી જ બે શિલાપાટીઓ તૈયાર કર અને તેને મારી પાસે પર્વત પર લાવ વળી લાકડાની એક પેટી બનાવ. 2 પહેલી પાટીઓ જે તેં તોડી નાખી, તેના પર જે વચનો લખેલાં હતા તે હું આ પાટીઓ ઉપર લખીશ, તું તેઓને કોશમાં મૂકી રાખજે."

3 માટે મેં બાવળના લાકડાનો એક કોશ બનાવ્યો. અને પહેલાના જેવી બે શિલાપાટીઓ બનાવી, તે બે શિલાપાટીઓ મારા હાથમાં લઈને હું પર્વત પર ગયો. 4 સભાના દિવસે પર્વત પર અગ્નિમાંથી જે દસ આજ્ઞાઓ યહોવાહ બોલ્યા, તે તેમણે અગાઉના લખાણ પ્રમાણે શિલાપાટીઓ ઉપર લખી; યહોવાહે તે મને આપી.

5 પછી હું પર્વત પરથી પાછો નીચે આવ્યો, જે કોશ મેં બનાવ્યો હતો તેમાં તે શિલાપાટીઓ મૂકી; યહોવાહે મને આજ્ઞા આપી હતી તે મુજબ તેઓ ત્યાં છે.

6 ઇઝરાયલી લોકો બેરોથ બેની યાકાન [1] થી મુસાફરી કરીને મોસેરા આવ્યા. ત્યાં હારુનનું મૃત્યુ થયું, તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેના દીકરા એલાઝારે યાજકપદની સેવા બજાવી. 7 ત્યાંથી તેઓએ ગુદગોદા સુધી મુસાફરી કરી, ગુદગોદાથી યોટબાથાહ જે પાણીના ઝરણાંનો પ્રદેશ છે ત્યાં આવ્યા.

8 તે સમયે યહોવાહે લેવીના કુળને યહોવાહનો કરારકોશ ઊંચકવા, યહોવાહની સમક્ષ ઊભા રહીને તેમની સેવા કરવા, તેમના નામથી લોકોને આશીર્વાદ આપવા માટે પસંદ કર્યું. આજ સુધી તે તેની સેવા કરે છે. 9 તેથી લેવીઓને પોતાના ભાઈઓની સાથે કંઈ ભાગ કે વારસો મળ્યો નથી. જેમ યહોવાહ તારા ઈશ્વરે કહ્યું તેમ યહોવાહ પોતે તેનો વારસો છે.

10 અગાઉની જેમ હું ચાળીસ રાત અને ચાળીસ દિવસ પર્વત પર રહ્યો; અને યહોવાહે તે સમયે પણ મારું સાંભળીને તમારો નાશ કર્યો નહિ. 11 પછી યહોવાહે મને કહ્યું, ઊઠ, આ લોકોની આગળ ચાલ; એટલે જે દેશ તેઓને આપવાના મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા છે, તેમાં તેઓ પ્રવેશ કરીને તેનું વતન પ્રાપ્ત કરે.

12 હવે હે ઇઝરાયલ, તું યહોવાહ તારા ઈશ્વરનો ડર રાખે, તેમના માર્ગોમાં ચાલે અને તેમના પર પ્રેમ રાખે અને તારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવાહ તારા ઈશ્વરની સેવા કરે. 13 અને આજે હું તમને યહોવાહની જે આજ્ઞાઓ અને નિયમો તારા હિતાર્થે ફરમાવું છું તેનું પાલન કરે.

14 જો, આકાશ તથા આકાશોનાં આકાશ; પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તે યહોવાહ તમારા ઈશ્વરનું છે. 15 તેમ છતાં તમારા પિતૃઓ પર પ્રેમ રાખવાનું યહોવાહને સારું લાગ્યું. અને તેમણે તેઓની પાછળ તેઓનાં સંતાનને એટલે સર્વ લોકોના કરતાં તમને પસંદ કર્યા જેમ આજે છે તેમ.

16 તેથી તમે તમારાં પાપી હૃદયોને શુદ્વ કરો અને હઠીલાપણું છોડી દો. 17 કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તે તો સર્વોપરી ઈશ્વર છે. તે મહાન, પરાક્રમી અને ભયાનક ઈશ્વર છે, તે નિષ્પક્ષ અને ન્યાયી છે, તે કદી લાંચ લેતા નથી.

18 તે વિધવાની તથા અનાથની દાદ સાંભળે છે. તે પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે. 19 તેથી તમારે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં પરદેશી હતા.

20 તમે યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખો અને તમે તેમની જ સેવા કરો; તેમને જ તમે વળગી રહો. અને તેમના જ નામે સમ ખાઓ. 21 તમારે તેમની સ્તુતિ કરવી, તે જ તમારા ઈશ્વર છે. તેમણે તમારા માટે જે મહાન અને અદ્ભૂત કાર્યો કર્યાં છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યાં છે.

22 જયારે તમારા પિતૃઓ બધા મળીને મિસર ગયા હતા ત્યારે તેઓ ફક્ત સિત્તેર જ હતા. પણ અત્યારે તમારા ઈશ્વર યહોવાહે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી છે.


Footnotes


10:6 [1]યાકાનના લોકોની કૂવા


Chapter 11

1 એ માટે યહોવાહ તારા ઈશ્વર પર પ્રેમ રાખો અને તેમના ફરમાન, કાયદા, નિયમો અને આજ્ઞાઓ સર્વદા પાળો.

2 હું તમારાં સંતાનો સાથે નહિ પણ તમારી સાથે બોલું છું. જેઓએ યહોવાહ તમારા ઈશ્વરની શિક્ષા [1] , તેમની મહાનતા, તેમનો પરાક્રમી હાથ તથા તેમનાં અદ્દભુત કામો જોયા કે જાણ્યાં નથી, 3 તેમનાં ચિહ્નો, તેમનાં કામો, જે તેમણે મિસર મધ્યે મિસરના રાજા ફારુન તથા તેના આખા દેશ પ્રત્યે કર્યા તે.

4 મિસરનું સૈન્ય તેના ઘોડા અને રથો તમારો પીછો કરતાં હતાં, ત્યારે સૂફ સમુદ્રનું પાણી તેમની પર ફેરવી વાળ્યું. એ રીતે યહોવાહે તેમનો આજ સુધી કેવી રીતે વિનાશ કર્યો તે તેમણે જોયું નથી; 5 અને તમે આ સ્થળે આવી પહોંચ્યા ત્યાં સુધી તેમણે અરણ્યમાં તમારે સારું જે કર્યુ તે.

6 અને સર્વ ઇઝરાયલીઓના જોતાં રુબેનના દીકરાઓમાંથી, અલિયાબના દીકરા દાથાન અને અબિરામને યહોવાહે શું કર્યું તે તમે જોયું છે, પણ તમારા સંતાનો એ જોયું નથી. એટલે કેવી રીતે પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓના કુટુંબોને, તેઓના તંબુઓને અને તેમની સાથેના નોકર ચાકર તથા તેમની માલિકીનાં સર્વ જાનવરોને ગળી ગઈ. 7 પણ તમારી આંખોએ યહોવાહે કરેલાં અદ્દભુત કામો નિહાળ્યાં છે.

8 તેથી જે સર્વ આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે સર્વ પાળો જેથી તમે બળવાન થાઓ અને જે દેશનું વતન પામવાને તમે જઈ રહ્યા છો તેમાં પ્રવેશ કરીને તેનું વતન સંપાદન કરો; 9 યહોવાહે જે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ વિષે તમારા પિતૃઓ આગળ સોગન ખાધા હતા કે હું તમને તથા તમારા સંતાનોને આપીશ અને તેમાં તમારું આયુષ્ય લંબાવીશ.

10 તમે જે દેશનું વતન પામવાને જઈ રહ્યા છો તે તો મિસર દેશ જ્યાંથી તમે બહાર નીકળી આવ્યા છો તેના જેવો નથી કે જયાં બી વાવ્યા પછી તમારે શાકભાજીની વાડીની જેમ પોતાના પગથી પાણી પાવું પડતું હતું. 11 પરંતુ જે દેશનું વતન પામવાને માટે તમે પેલે પાર જાઓ છો તે ડુંગરવાળો અને ખીણોવાળો દેશ છે. તે આકાશના વરસાદનું પાણી પીએ છે, 12 તે દેશ વિષે યહોવાહ તમારા ઈશ્વર કાળજી રાખે છે. વર્ષના આરંભથી તે અંત સુધી યહોવાહ તમારા ઈશ્વરની નજર હમેશાં તેના પર રહે છે.

13 અને આજે હું [2] તમને જે આજ્ઞાઓ જણાવું છું તે જો તમે ધ્યાનથી સાંભળી અને તમારા ઈશ્વર યહોવાહ પર પ્રીતિ રાખીને તમારા ખરા મન અને આત્માથી તેમની સેવા કરશો તો એમ થશે કે, 14 હું તમારા દેશમાં વરસાદ એટલે આગળનો વરસાદ તથા પાછળનો વરસાદ તેની ઋતુ અનુસાર મોકલીશ. જેથી તમે તમારું અનાજ, તમારો નવો દ્રાક્ષારસ તથા તમારા તેલનો સંગ્રહ કરી શકો. 15 હું તમારાં ઢોરને સારુ ખેતરોમાં ઘાસ ઉગાવીશ. અને તમે ખાઈને તૃપ્ત થશો.

16 સાવચેત રહો રખેને તમારું અંત:કરણ ઠગાઈ જાય. અને તમે ભટકી જઈ બીજા દેવ દેવીઓની સેવા કરો અને તેમનું ભજન કરો; 17 રખેને યહોવાહનો કોપ તમારી વિરુદ્ધ સળગી ઊઠે અને તેઓ આકાશમાંથી વરસાદ બંધ કરે અને જમીન પોતાની ઊપજ ન આપે. અને યહોવાહ જે ફળદ્રુપ દેશ તમને આપે છે તેમાં તમારો જલ્દી નાશ થાય.

18 માટે મારાં આ વચનો તમે તમારા હૃદયમાં તથા મનમાં મૂકી રાખો, ચિહ્ન તરીકે તમારા હાથમાં બાંધો તથા તેઓને તમારી આંખોની વચ્ચે કપાળભૂષળ તરીકે રાખો. 19 જયારે તમે ઘરમાં બેઠા હોય ત્યારે, બહાર ચાલતા હોય ત્યારે, તું સૂતા હોય ત્યારે અને ઊઠતી વેળાએ તે વિષે વાત કરો અને તમારા સંતાનોને તે શીખવો.

20 તમારા ઘરની બારસાખ પર તથા તમારા નગરના દરવાજા પર તમે તેઓને લખો. 21 જેથી જે દેશ આપવાનું વચન યહોવાહે તમારા પિતૃઓને આપ્યું હતું તેમાં તમારા દિવસો અને તમારા વંશજોના દિવસો પૃથ્વી પરના આકાશોના દિવસોની જેમ વૃદ્ધિ પામે.

22 કેમ કે આ જે બધી આજ્ઞાઓ હું તમને આપું છું તેને જો તમે ખંતપૂર્વક પાળીને અમલમાં મૂકશો અને યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ રાખીને તેમના સર્વ માર્ગોમાં ચાલશો અને તેમને વળગી રહેશો તો, 23 યહોવાહ આ સર્વ પ્રજાઓને તમારી આગળથી હાંકી કાઢશે, તમે તમારા કરતાં મોટી અને બળવાન પ્રજાને કબજે કરશે.

24 દરેક જગ્યા જ્યાં તમારા પગ ફરી વળશે તે તમારી થશે; અરણ્યથી તથા લબાનોનથી, નદીથી એટલે ફ્રાત નદી સુધી, પશ્ચિમના સમુદ્ર સુધી તમારી સરહદ થશે. 25 વળી તમારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ; જે ભૂમિ પર તમે ચાલશો તે પર યહોવાહ તમારા ઈશ્વર તમારી બીક અને ધાક રાખશે. જેમ તેમણે તમને કહ્યું છે તે પ્રમાણે.

26 જો, આજે હું તમારી આગળ આશીર્વાદ તથા શાપ બન્ને મૂકું છું. 27 જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે સાંભળશો તો તમે આશીર્વાદ પામશો; 28 જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ નહિ સાંભળો, જે માર્ગ હું તમને આજે ફરમાવું છું તે છોડીને બીજા દેવો કે જેઓ વિષે તમે જાણતા નથી તેની પાછળ જશો તો તમે શાપ પામશો.

29 જે દેશનો કબજો કરવાને તમે જાઓ તેમાં જ્યારે યહોવાહ તમારા ઈશ્વર તમને લાવે ત્યારે એવું થાય કે આશીર્વાદને તમે ગરીઝીમ પર્વત પર અને શાપને એબાલ પર્વત પર રાખજો. 30 શું તેઓ યર્દન નદીની સામે પાર પશ્ચિમ દિશાના રસ્તા પાછળ, ગિલ્ગાલની સામેના અરાબામાં રહેતા કનાનીઓના દેશમાં, મોરેના એલોનવૃક્ષોની પાસે નથી?

31 કેમ કે જે દેશ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપ્યો છે તેનું વતન પામવા માટે તમે યર્દન નદી પાર કરીને જવાના છો, તમે તેનું વતન પામીને તેમાં રહેશો. 32 હું આજે તમારી સમક્ષ જે બધા કાનૂનો તથા નિયમો મૂકું છું તેને તમે કાળજીપૂર્વક પાળો.


Footnotes


11:2 [1]શિસ્ત
11:13 [2]ઈશ્વર


Chapter 12

1 તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહે તમને જે દેશ વતન તરીકે આપ્યો છે, તેમાં તમારે નિયમો તથા કાનૂનો પૃથ્વી પરના તમારા બધા દિવસો પર્યંત પાળવા તે આ છે. 2 જે જે પ્રજાઓનો તમે કબજો કરશો તેઓ જે ઊંચા પર્વતો પર, ડુંગરો પર તથા દરેક લીલાં વૃક્ષોની નીચે જે બધી જગ્યાઓમાં તેઓનાં દેવોની પૂજા કરતા હતા તે સર્વનો તમારે નિશ્ચે નાશ કરવો.

3 તમારે તેઓની વેદીઓ તોડી નાખવી, તેઓના સ્તંભોને ભાંગીને ટુકડા કરી નાખવા, અશેરીમ મૂર્તિઓને બાળી નાખવી અને તેઓના દેવોની કોતરેલી મૂર્તિઓ કાપી નાખીને તે જગ્યાએથી તેઓના નામનો નાશ કરવો. 4 તમારે યહોવાહ તમારા ઈશ્વરની આરાધના તે પ્રમાણે ન કરવી.

5 પણ યહોવાહ તમારા ઈશ્વર તમારા સર્વ કુળમાંથી જે સ્થળ પસંદ કરશે તે સ્થળ આગળ એટલે જ્યાં તે રહે છે ત્યાં તમારે ભેગા થવું, ત્યાં તમારે આવવું. 6 ત્યાં તમારે તમારાં બધાં દહનીયાર્પણો, તમારાં બલિદાનો, તમારાં દશાંશો, તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, તમારી માનતાઓ, તમારાં ઐચ્છિકાર્પણ તથા તમારાં ઘેટાં બકરાનાં તથા અન્ય જાનવરોનાં પ્રથમજનિતને લાવવાં.

7 ત્યાં તમારે યહોવાહ તમારા ઈશ્વરની આગળ જમવું અને તમારા હાથની સર્વ બાબતોમાં યહોવાહ તારા ઈશ્વરે તમને આશીર્વાદ આપ્યો છે તેમાં તમારે તથા તમારા કુટુંબોએ આનંદ કરવો.

8 આજે આપણે જે બધું અહીં કરીએ છીએ, એટલે દરેક માણસ પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે છે તે કરે છે તે પ્રમાણે તમારે કરવું નહિ; 9 કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર જે આરામ તથા વારસો આપવાના છે તેમાં હજુ સુધી તમે ગયા નથી.

10 તમે યર્દન નદી પાર કરીને યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તરીકે આપવાના છે તેમાં જ્યારે તમે રહેશો, ત્યારે યહોવાહ તમને ચારે બાજુના દુશ્મનોથી આરામ આપશે કે જેથી તમે બધા સુરક્ષિત રહો. 11 ત્યારે એવું બને કે યહોવાહ તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે જે જગ્યા પસંદ કરે ત્યાં, હું તમને ફરમાવું તે બધું તમારે લાવવું: તમારાં દહનીયાર્પણ, તમારાં બલિદાનો, તમારાં દશાંશો, તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, જે બધી શ્રેષ્ઠ માનતાઓ તમે યહોવાહ પ્રત્યે માનો તે તમારે લાવવાં.

12 તમે, તમારા દીકરાઓ, તમારી દીકરીઓ, તમારા દાસો, તમારી દાસીઓ તથા લેવીઓ કે જેને તમારી મધ્યે કોઈ હિસ્સો કે વારસો નથી જેઓ તમારા દરવાજાની અંદર રહેતા હોય તેઓએ યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો.

13 સાવધ રહેજો, જે દરેક જગ્યા તમે જુઓ ત્યાં તમારે તમારા દહનીયાર્પણ ચઢાવવાં નહિ; 14 પણ જે જગ્યા યહોવાહ તમારા ઈશ્વર તમારા કુળો મધ્યેથી એકને પસંદ કરે ત્યાં તારે તારા દહનીયાર્પણો ચઢાવવાં.

15 તોપણ તમારી ઇચ્છા પ્રમાણે તમે તમારા દરવાજાના પ્રાણીઓને મારીને ખાજો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વરે તમને જે બધું આપ્યું છે તેનો આશીર્વાદ તમે પ્રાપ્ત કરો. શુદ્ધ તથા અશુદ્ધ જન તે ખાય, જેમ હરણનું અને જેમ સાબરનું માંસ ખવાય છે તેમ ખાજો. 16 પણ લોહી તમારે ખાવું નહિ એ તમારે પાણીની જેમ જમીન પર રેડી દેવું.

17 તમારા અનાજનો, દ્રાક્ષારસનો કે તેલનો દશમો ભાગ, અથવા તમારાં ઘેટાંબકરાંનાં અને અન્ય જાનવરોનાં પ્રથમજનિત અથવા તમારી લીધેલી કોઈ પણ માનતા અથવા તમારા ઐચ્છિકાર્પણ તથા તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણ એ સર્વ તમારા રહેઠાણોમાં ખાવાની તમને રજા નથી. 18 પણ તમારે અને તમારા દીકરાએ અને તમારી દીકરીએ, તમારા દાસે અને તમારી દાસીએ તમારા ઘરમાં રહેનાર તમારા લેવીએ યહોવાહ તમારા ઈશ્વર જે સ્થળ પસંદ કરે તેમાં તમારા યહોવાહની સમક્ષ તે ખાવાં; અને જે સર્વને તમે તમારો હાથ લગાડો છો તેમાં યહોવાહ તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો. 19 પોતાના વિષે સાંભળો કે જ્યાં સુધી તમે આ ભૂમિ પર વસો ત્યાં સુધી લેવીઓનો ત્યાગ તમારે કરવો નહિ.

20 જયારે યહોવાહ તમારા ઈશ્વર પોતાના આપેલા વચન મુજબ તમારો વિસ્તાર વધારે ત્યારે તમને જો માંસ ખાવાની ઇચ્છા થાય તો ખાવું કેમ કે મન માનતાં સુધી ખાવાની તમને છૂટ છે.

21 તમારા ઈશ્વર યહોવાહે પોતાના નામ માટે પસંદ કરેલું સ્થળ જો બહુ દૂર હોય તો જેમ યહોવાહે તમને આજ્ઞા આપી છે તેમ, તમારાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવર કે જે યહોવાહે તમને આપ્યાં છે તે કાપવાં અને તમારી ઇચ્છા થાય ત્યાં સુધી તમારે ઘરે ખાવાં. 22 હરણ કે સાબરનું માંસ ખવાય છે તેમ તમારે તે ખાવું; માણસ શુદ્ધ કે અશુદ્ધ સ્થિતિ હોય તો પણ તે ખાઈ શકે છે.

23 પરંતુ એટલું સંભાળજો કે લોહી તમારા ખાવામાં ન આવે, કારણ કે, રક્તમાં જ જીવ છે અને માંસ સાથે તેનો જીવ તમારે ખાવો નહિ. 24 તમારે લોહી ખાવું નહિ, પણ જળની જેમ જમીન પર ઢોળી દેવું. 25 તમારે તે ખાવું નહિ; એ માટે કે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કર્યાથી તમારું તથા તમારી પાછળ તમારા સંતાનોનું ભલું થાય.

26 તમારી પાસેની અર્પિત વસ્તુઓ તથા તમારી માનતાઓ તે તમારે યહોવાહે પસંદ કરેલા સ્થાનમાં લઈ જવાં. 27 અને યહોવાહ તમારા ઈશ્વરની વેદી પર તમારે તમારાં દહનીયાર્પણ એટલે માંસ તથા લોહી ચઢાવવાં; પણ તમારા યજ્ઞોનું લોહી તમારે યહોવાહ તમારા ઈશ્વરની વેદી પર રેડી દેવું.

28 જે સર્વ આજ્ઞાઓ હું તમને ફરમાવું છું તે ધ્યાન આપીને સાંભળો એ માટે કે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં જે સારું અને યથાર્થ કર્યાથી તમારું અને તમારાં સંતાનોનું સદા ભલું થાય.

29 જે દેશજાતિઓનું વતન પ્રાપ્ત કરવા તમે જાઓ છો તેઓનો જયારે યહોવાહ તમારા ઈશ્વર તમારી આગળથી નાશ કરે અને તમે તેઓનું વતન પામી તેમના દેશમાં રહો, 30 ત્યારે સાવધ રહેજો, રખેને તેઓનો તમારી આગળથી નાશ થયા પછી તમે તેઓનું અનુકરણ કરીને ફસાઈ જાઓ. અને તમે તેઓના દેવદેવીઓની પૂછપરછ કરતાં એવું કહો કે "આ લોકો કેવી રીતે પોતાના દેવદેવીઓની પૂજા કરે છે.''

31 યહોવાહ તમારા ઈશ્વર વિષે એવું કરશો નહિ; કેમ કે જે સર્વ અમંગળ કાર્યો યહોવાહની દૃષ્ટિએ ધિક્કારજનક છે. તે તેઓએ પોતાના દેવદેવીઓની સમક્ષ કર્યા છે. કેમ કે પોતાના દીકરા દીકરીઓને પણ તેઓ તેઓનાં દેવદેવીઓની આગળ આગમાં બાળી નાખે છે.

32 મેં તમને જે આજ્ઞાઓ આપી છે તે તમારે કાળજી રાખીને પાળવી. તમારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ.



Chapter 13

1 તમારી મધ્યે કોઈ પ્રબોધક કે સ્વપ્નદ્રષ્ટા ઊભો થાય અને જો તે તમને ચિહ્ન કે ચમત્કાર બતાવે, 2 જો કદાચ તેણે તમને કહેલા ચિહ્ન કે ચમત્કાર થાય અને જો તમને તે કહે ''ચાલો આપણે અન્ય દેવદેવીઓની પૂજા કરીએ જેને તમે જાણતા નથી અને ચાલો આપણે તેમની સેવા કરીએ," 3 તોપણ તે પ્રબોધકના શબ્દોને કે સ્વપ્નદ્રષ્ટાને સાંભળશો નહિ, કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમારી કસોટી કરે છે કે, તમે તમારા પૂરા અંત:કરણથી તથા પૂરા જીવથી યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ કરો છો કે નહિ તે જણાય.

4 તમે તમારા ઈશ્વર યહોવાહ પાછળ ચાલો અને તેમનો ડર રાખો અને તેમની આજ્ઞાઓ પાળો, તેમનું કહ્યું કરો તથા તમે તેમની સેવા કરો. અને તેમને વળગી રહો. 5 અને તે પ્રબોધક તથા તે સ્વપ્નદ્રષ્ટાને મારી નાખવો; કેમ કે તે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી બહાર લાવ્યા છે, જેમણે તમને ગુલામીમાંથી મુક્ત કર્યા તેમની સામે બળવો કરવાનું કહે છે, એ માટે કે રખેને જે માર્ગમાં ચાલવાની યહોવાહ તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તેમાંથી તે તમને ભમાવી દે. એ રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.

6 જો તારો ભાઈ એટલે તારી માનો દીકરો અથવા તારી દીકરી અથવા તારી પ્રિય પત્ની તથા તારો પ્રિય મિત્ર તને લલચાવતાં એમ કહે કે ''ચાલો જે અન્ય દેવદેવીઓને તમે જાણતા નથી, તેમ તમારા પિતૃઓ પણ જાણતા નહોતા તેઓની આપણે પૂજા કરીએ. 7 તથા જે દેશજાતિઓ તમારી ચોતરફ, તમારી આસપાસમાં કે તમારાથી દૂર પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી છે તેઓનાં દેવદેવીઓની સેવા કરીએ."

8 તો તમારે તેઓની વાત સાંભળવી કે માનવી નહિ, તમારી આંખ તેની પર દયા ન લાવે. તમારે તેને જવા દેવો નહિ અને છુપાવવો પણ નહિ. 9 પરંતુ તેને નક્કી મારી નાખવો, તેને મારી નાખવા માટે તમારો હાથ પહેલો તેના પર પડે ત્યાર બાદ બીજા લોકો પણ તેમ કરે.

10 તમારે તેને પથ્થર વડે મારી નાખવો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી એટલે ગુલામીમાંથી બહાર લાવ્યા, તેમની પાસેથી તમને દૂર લઈ જવાનો પ્રયત્ન તેણે કર્યો છે. 11 સર્વ ઇઝરાયલ તે સાંભળીને બીશે. અને પછી ફરીથી એવી કોઈ દુષ્ટતા તમારી મધ્યે થશે નહિ.

12 જે નગરો યહોવાહ તમારા ઈશ્વર તમને રહેવા માટે આપે છે તેઓમાંથી એક પણ વિષે તમે એવી વાત સાંભળો કે, 13 કેટલાક બલિયાલપુત્રો તમારી મધ્યેથી નીકળી જઈને તેઓના નગરના લોકોને એમ કહીને ખેંચી લીધા છે કે ચાલો આપણે જઈને અન્ય દેવદેવીઓ કે જેઓને તમે જાણતા નથી તેમની સેવા કરીએ." 14 તેથી તારે તેની પૂરેપૂરી તપાસ કરવી, શોધ કરીને ખંતથી પૂછપૂરછ કરવી. જો તે વાત સાચી અને નક્કી હોય કે એ અમંગળ કર્મ તમારી મધ્યે કરવામાં આવેલું છે,

15 તો તમારે નગરના બધા રહેવાસીઓનો, તેમાં જે બધા લોકો રહે છે તે સર્વનો તેઓના પશુઓના ટોળાં સાથે તલવારની ધારથી સંપૂર્ણપણે નિશ્ચે હુમલો કરીને નાશ કરવો. 16 તેમાંની સર્વ લૂંટ તે નગરના ચોકની વચમાં એકઠી કરીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે તે નગરને તથા તેની સર્વ લૂંટને અગ્નિમાં છેક બાળી નાખવાં; તેનો સદાને માટે ઢગલો થઈ જાય; તે ફરીથી બંધાય નહિ.

17 લૂંટમાંથી કશું જ તમારે તમારા હાથમાં રાખવું નહિ. તેથી યહોવાહ તમારા પર ગુસ્સો કરવાથી પાછા વળશે અને બદલામાં તેઓ તમારા પ્રત્યે કૃપાળુ બનશે. તેઓ તમારા પ્રત્યે કરુણા દર્શાવશે અને જેમ તમારા પિતૃઓને વચન આપેલું હતું તે પ્રમાણે તમને સંખ્યામાં વધારશે. 18 યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે હું આજે તમને ફરમાવું છું તે તમે તેમની વાણી સંભાળીને પાળશો, યહોવાહ તમારા ઈશ્વરની દ્રષ્ટિમાં જે યોગ્ય છે તે કરશો ત્યારે ઈશ્વર તે પ્રમાણે કરશે.



Chapter 14

1 તમે યહોવાહ તમારા ઈશ્વરનાં સંતાન છો. મૃત્યુ પામેલાંને લીધે તમારે તમારા શરીર પર ઘા ન કરવા, કે ચહેરા પર મૂંડન ન કરવું. 2 કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોકો છો, પૃથ્વીની સપાટી પરના સર્વ લોકોમાંથી તમને યહોવાહે પોતાની ખાસ પ્રજા થવા માટે પસંદ કર્યા છે.

3 તમારે કોઈ અશુદ્ધ વસ્તુમાંથી ખાવું નહિ. 4 તમારે આ પ્રાણીઓને ખાવાં એટલે બળદ, ઘેટાં, બકરાં, 5 હરણ, સાબર, કાળિયાર, જંગલી બકરાં, પર્વતીય ઘેટાં.

6 જે કોઈ પ્રાણીની ખરી ફાટેલી હોય અને ફાટીને તેના બે ભાગ થઈ ગયેલા હોય, વાગોળતો હોય તેવાં પ્રાણીને તમે ખાઈ શકો. 7 પરંતુ, તમારે કેટલાંક પ્રાણીઓ જેવા કે, વાગોળતાં હોય પણ જેઓની ખરી બે ભાગમાં ફાટી ગયેલી હોય આ પ્રાણીઓ ન ખાવાં. એટલે કે ઊંટ, સસલું તથા શાફાન કેમ કે તેઓ વાગોળે છે પણ તેમની ખરી ફાટેલી નથી, તેઓ તમારા માટે અશુદ્ધ છે.

8 ડુક્કરની ખરી ફાટેલી હોય છે પણ તે વાગોળતું નથી એટલે તે તમારા માટે અશુદ્ધ છે. તેનું માંસ તમારે ખાવું નહિ અને તેમના મૃતદેહને તમારે સ્પર્શ કરવો નહિ.

9 જળચર પ્રાણીઓમાં તમારે ખાવાં તે આ છે: જેમને ભિંગડાં તથા પર હોય તે ખાવાં; 10 પરંતુ જેઓને પર કે ભિંગડાં ના હોય તેવા જળચરો તમારે ખાવાં નહિ, તેઓ તમારા માટે અશુદ્ધ છે.

11 બધાં જ શુદ્ધ પક્ષીઓ તમે ખાઈ શકો. 12 પણ આ પક્ષીઓમાંથી તમારે ખાવાં નહિ એટલે કે, ગરુડ, ગીધ, કુરર, 13 સમડી, બાજ તથા કલીલ તેની જુદી જાત પ્રમાણે,

14 પ્રત્યેક જાતના કાગડા, 15 શાહમૃગ, ચીબરી, સીગલ, તથા દરેક જાતના શકરા, 16 ચીબરી, ઘુવડ, રાજહંસ, 17 જળકૂકડી, ગીધ, કરઢોક; 18 દરેક જાતનું બગલું, હંસલો તથા ચામાચીડિયું. 19 બધાં પાંખવાળાં સર્પટિયાં તમારા માટે અશુદ્ધ છે. તે ન ખાવાય 20 પરંતુ તમે બધાં શુદ્ધ પક્ષીઓ ખાઈ શકો.

21 પોતાની રીતે મૃત્યુ પામેલા કોઈ પણ પશુનું માંસ તમારે ખાવું નહિ. તમારા નગરમાં રહેતા પરદેશીને ખાવા માટે આપવું હોય તો આપો. ભલે તે લોકો ખાય; અથવા કોઈ પરદેશીને તે વેચે તો ભલે વેચે. કેમ કે તમે તો યહોવાહ તમારા ઈશ્વરના પવિત્ર લોક છો. વળી બકરીના બચ્ચાંને માતાના દૂધમાં બાફવું નહિ.

22 પ્રતિવર્ષ તમારે તમારા ખેતરના બીજની બધી ઊપજમાંથી દશમો ભાગ જુદો રાખવો. 23 તેઓ જે જગ્યા પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરે ત્યાં તેઓની આગળ તમારા અનાજનો દશાંશ, તમારા દ્રાક્ષારસનો, તમારા તેલનો તથા તમારાં પશુ તથા ઘેટાં બકરાંના તથા અન્ય જાનવરોના પ્રથમજનિતને તમારે ખાવાં, કે જેથી તમે યહોવાહ તમારા ઈશ્વરનો આદર કરતાં શીખો.

24 જો મુસાફરી એટલી લાંબી હોય કે તે તું લઈ જઈ શકે નહિ, કેમ કે જ્યારે યહોવાહ ઈશ્વર તને આશીર્વાદ આપે, ત્યારે યહોવાહ તારા ઈશ્વર જે જગ્યા તેમના પવિત્રસ્થાન માટે પસંદ કરે તે તારાથી ઘણે દૂર હોય, 25 તો તમારે તે વેચીને, નાણાં તમારા હાથમાં લઈને યહોવાહ તમારા ઈશ્વર જે જગ્યા પસંદ કરે ત્યાં જવું.

26 અને તારું દિલ ચાહે તે ખરીદવા માટે તારે એ પૈસા વડે બળદો, ઘેટાં, દ્રાક્ષારસ અને મધ તમને જે કંઈ પસંદ પડે તે ખરીદવું અને તમારા ઈશ્વર યહોવાહ સમક્ષ તમારે અને તમારા કુટુંબે તે ખાઈને આનંદ કરવો; 27 તમારા ઘરના લેવીઓને તમારે કદી ભૂલવા જોઈએ નહિ. કારણ કે, તેઓને તમારી સાથે કોઈ પણ ભાગ કે વારસો મળેલો નથી.

28 દર ત્રીજે વર્ષને અંતે તે વર્ષની તમારી ઊપજનો દશમો ભાગ કાઢી લાવીને તમારા ઘરમાં તમારે સંગ્રહ કરવો; 29 તમારા ઘરમાં રહેનાર લેવી કે જેને તમારી સાથે કોઈ ભાગ કે વારસો મળ્યો નથી, તે તથા પરદેશી, અનાથ તથા વિધવા આવે અને ખાઈને તૃપ્ત થાય. એ માટે કે જે કામ તમે કરો છો તેમાં તમારા ઈશ્વર યહોવાહ તમને આશીર્વાદ આપે.



Chapter 15

1 દર સાતમું વર્ષ તમારે માટે છુટકારાનું વર્ષ થાય. 2 અને છૂટકો કરવાની રીત આ છે; દરેક લેણદારે પોતાના પડોશીને દેવાથી મુકત કરવા. તેણે પોતાના પડોશી પાસેથી તથા પોતાના ભાઈ પાસેથી દેવું વસૂલ કરવા દબાણ કરવું નહિ. કારણ કે યહોવાહના માનાર્થે છુટકારાનો ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. 3 વિદેશીઓ પાસે તમે દેવું ભરપાઈ કરાવી શકો છો પરંતુ તારું લેણું જો તારા ભાઈ પાસે હોય તો તે જતું કર.

4 તોપણ તમારામાં કોઈ ગરીબ નહિ હોય કેમ કે યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશના વતનનો વારસો આપે છે, તેમાં યહોવાહ નક્કી તમને આશીર્વાદ દેશે; 5 ફક્ત એટલું જ કે તમે યહોવાહ તમારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને આ જે સર્વ આજ્ઞાઓ આજે હું તમને જણાવું છું, તે તમે કાળજીથી પાળશો તો. 6 કેમ કે તમને આપેલા વચન મુજબ યહોવાહ તમને આશીર્વાદ આપશે અને તમે અનેક પ્રજાઓના લેણદાર બનશો, તમે કોઈના દેવાદાર નહિ બનો અને તમે અનેક પ્રજાઓ પર રાજ કરશો, પણ કોઈ તમારા પર રાજ કરશે નહિ.

7 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે, તેમાં તમારા ઘરમાં રહેતો તમારો કોઈ જ્ઞાતિજન ગરીબ હોય તો તમે તમારું હૃદય કઠણ ન કરો. 8 પરંતુ તેમના પ્રત્યે તમારો હાથ ઉદાર રાખો અને તેની અછતને લીધે જેટલાંની તેમને જરૂરિયાત હોય તે પ્રમાણે આપો.

9 પણ સાવધ રહો, રખેને તમારા મનમાં એવો દુષ્ટ વિચાર આવે કે સાતમું વર્ષ એટલે છુટકારાનું વર્ષ પાસે છે. અને તમારી દાનત તમારા ગરીબ ભાઈની વિરુદ્ધ બગડે અને તમે તેને કંઈ ન આપો. અને તે યહોવાહની આગળ પોકાર કરે તો તમે દોષિત ઠરશો. 10 વળી તમારે તેને આપવું જ કે જે તેને આપતાં તમારો જીવ કચવાય નહિ. કારણ કે, એ કાર્યને લીધે યહોવાહ તમારા ઈશ્વર તમારાં બધાં કામમાં એટલે જે કંઈ કામ તમે હાથમાં લેશો તેમાં તમને આશીર્વાદ આપશે.

11 કેમ કે દેશમાંથી ગરીબો કદી ખૂટશે નહિ તેથી હું તમને આજ્ઞા કરું છું કે, તમારે તમારા દેશમાં તમારા ભાઈ પ્રત્યે જરૂરિયાતમંદવાળા પ્રત્યે તથા ગરીબ પ્રત્યે ઉદારતા બતાવવી.

12 જો તમારો ભાઈ એટલે કોઈ હિબ્રૂ સ્ત્રી કે પુરુષ તમારે ત્યાં વેચાયો હોય અને છ વર્ષ સુધી તે તમારી ચાકરી કરે. તો સાતમે વર્ષે તમારે તેને છોડી મૂકવો. 13 જયારે તમે તેને મુક્ત કરો ત્યારે તેને ખાલી હાથે જવા દેવો નહિ; 14 તમારે તમારાં ઘેટાંબકરાંમાંથી અને તમારાં ખળામાંથી અને તમારાં દ્રાક્ષકુંડમાંથી તેને ઉદારતાથી આપવું. યહોવાહે તમને આપેલા આશીર્વાદના પ્રમાણમાં તમારે તેને આપવું.

15 અને તમારે યાદ રાખવું કે, તમે પોતે પણ મિસરમાં ગુલામ હતા અને યહોવાહ તમારા ઈશ્વરે તમને છોડાવ્યા હતા. એ માટે હું આજે તમને આ આજ્ઞા આપું છું. 16 અને એમ બને કે, જો તે તમને કહે કે 'મારે તમારી પાસેથી જવું નથી,'' એ માટે કે તેને તમારી સાથે અને તમારાં ઘરનાંની સાથે પ્રેમ છે. અને તમારે ત્યાં સુખચેનમાં રહે છે. 17 તો એક સોયો લઈને તેને બારણાની સાથે ઊભો રાખીને તેનો કાન વીંધવો એટલે તે સદાને માટે તારો દાસ થશે. અને તારી દાસી વિષે પણ એ પ્રમાણે કરવું.

18 જયારે તમે તેને ગુલામીમાંથી મુકત કરો ત્યારે એમ કરવાનું તમને કઠણ ન લાગવું જોઈએ. કારણ કે, મજૂરના પગાર કરતાં બમણી ચાકરી તેણે તમારે ત્યાં છ વર્ષ સુધી કરી છે. તમારા સર્વ કામમાં યહોવાહ તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે.

19 તમારાં ઘેટાંબકરાંના તથા અન્ય જાનવરના પ્રથમજનિત નર બચ્ચાંને તમારે યહોવાહ તમારા ઈશ્વરને અર્પિત કરી દેવાં; પ્રથમજનિત એટલે કે વાછરડા પાસે કંઈ કામ ન કરાવ અને તારા ઘેટાંબકરાંના પ્રથમજનિત બચ્ચાંને તું ન કાતર. 20 વર્ષોવર્ષ તમારે અને તમારા પરિવારે યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલા સ્થાને તે પ્રાણીઓ ખાવાં. 21 પરંતુ જો તેને કંઈ ખોડખાંપણ હોય, એટલે કે અપંગ અંધ કે કશી ખોડવાળું હોય તો તે યહોવાહ તમારા ઈશ્વરને તેનો યજ્ઞ ન કરો.

22 તમે તે તમારે ઘરે ખાઓ; જેમ હરણ તથા સાબર, તેમ શુદ્ધ કે અશુદ્ધ જન તે ખાય. 23 પરંતુ તમારે તેનું લોહી ખાવું નહિ તેને પાણીની જેમ જમીન પર ઢોળી દેવું.



Chapter 16

1 આબીબ [1] માસ ધ્યાન રાખીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે પાસ્ખાપર્વ પાળો; કેમ કે આબીબ માસમાં યહોવાહ તમારા ઈશ્વર તમને રાત્રે મિસરમાંથી બહાર લઈ આવ્યા. 2 અને પોતાનું નામ રાખવા માટે યહોવાહ જે સ્થળ પસંદ કરે ત્યાં ઘેટાંબકરાંનો કે અન્ય જાનવરોનો પાસ્ખાયજ્ઞ તું યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે કર.

3 તમારે તેની સાથે ખમીરી રોટલી ન ખાવી. સાત દિવસ સુધી તમારે તેની સાથે ખમીર વગરની એટલે દુઃખની રોટલી ખાવી કારણ કે, તમે મિસર દેશમાંથી ઉતાવળે નીકળ્યા હતા. અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે બહાર આવ્યા તે દિવસ આખા જીવનભર યાદ રહે. 4 સાત દિવસ સુધી તમારી સર્વ સરહદોમાં તમારી મધ્યે ખમીર જોવામાં આવે નહિ. તેમ જ પહેલે દિવસે સાંજે વધેલા બલિદાનનું થોડું પણ માંસ સવાર સુધી રહેવા દેવું નહિ.

5 જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાંની કોઈ પણ ભાગળમાં તારે પાસ્ખાયજ્ઞ કરવું નહિ. 6 પરંતુ, યહોવાહ તારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં સાંજે સૂર્યાસ્ત સમયે એટલે જે વર્ષે તમે મિસરમાંથી બહાર આવ્યા તે સમયે, પાસ્ખાયજ્ઞ કરો.

7 યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલી જગાએ તમારે તે શેકીને ખાવું; સવારમાં પાછા પોતાના તંબુઓમાં જવું. 8 છ દિવસ સુધી તમારે બેખમીરી રોટલી ખાવી, સાતમા દિવસે યહોવાહ તમારા ઈશ્વર માટે પવિત્ર સભા કરવી, તે દિવસે તમારે કોઈ કામ કરવું નહિ.

9 તમે તમારે પોતાને માટે સાત અઠવાડિયાં ગણો; ઊભા પાકને દાતરડું લગાવાનું શરૂઆત કરો તે સમયથી સાત અઠવાડિયાં ગણવાં. 10 તમે યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે અઠવાડિયાનાં પર્વ ઉજવો, યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારા હાથનાં ઐચ્છિકાર્પણ આપો.

11 યહોવાહ તમારા ઈશ્વરે પોતાના પવિત્રસ્થાન માટે પસંદ કરેલી જગ્યાએ તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસીઓ, નગરની ભાગળમાં રહેતા લેવીઓ, તમારી મધ્યે રહેતા વિદેશીઓ, અનાથો તથા તમારી મધ્યે રહેતી વિધવાઓએ બધાએ મળીને યહોવાહ તમારા ઈશ્વરની આગળ આનંદ કરવો. 12 તમે મિસરમાં ગુલામ હતા તે યાદ રાખીને તમે આ કાનૂનો પાળો અને તેને અમલમાં મૂકો.

13 તમારા ખળામાંથી તથા તમારા દ્રાક્ષકુંડમાંથી ઊપજ ભેગી કરી લો પછી તમે સાત દિવસ સુધી માંડવાપર્વ ઉજવો. 14 તમારાં પર્વ દરમિયાન તમે, તમારા સંતાન, તમારી દીકરી, તમારા દાસ, તમારી દાસી, લેવી, નગરની ભાગળમાં રહેતા પરદેશીઓ, અનાથો તથા વિધવાઓ આનંદ કરો.

15 તમે યહોવાહ તમારા ઈશ્વરના માટે યહોવાહે પસંદ કરેલા સ્થાને સાત દિવસ સુધી પર્વ ઉજવો, કેમ કે યહોવાહે તમારી બધી ઉપજમાં, તમારા હાથનાં સર્વ કામોમાં તમને આશીર્વાદ આપશે, તમે પુષ્કળ આનંદ પામશો.

16 તમારા બધા પુરુષો એ જે જગ્યા યહોવાહ પસંદ કરે ત્યાં વર્ષમાં ત્રણ વાર યહોવાહ તમારા ઈશ્વરની આગળ ઉપસ્થિત થવું. બેખમીરી રોટલીના પર્વના પ્રસંગે અઠવાડિયાનાં પર્વના પ્રસંગે અને માંડવાપર્વના પ્રસંગે યહોવાહ આગળ ખાલી હાથે આવવું નહિ. 17 પરંતુ, દરેક માણસે પોતાની યથાશક્તિ પ્રમાણે યહોવાહની આજ્ઞા પાળીને યહોવાહ તમારા ઈશ્વરે આપેલા આશીર્વાદ પ્રમાણે તમારે આપવું.

18 જે નગરની ભાગળ યહોવાહ તારા ઈશ્વર તમને આપે તેમાં તમે તમારા માટે તમારા કુળોમાંથી ન્યાયાધીશો તથા બીજા અધિકારીઓની નિમણૂક કરો, તેઓ લોકોનો ઉચિત ન્યાય કરશે. 19 તમે ન્યાય માટે બળજબરી ન કરો, પક્ષપાત ન કર, લાંચ ન લો, કેમ કે લાંચ જ્ઞાની આંખોને અંધ બનાવી દે છે અને ન્યાયી માણસોના વચનો ખોટા કરી નાખે છે. 20 તમે ન્યાયનું અનુસરણ કરો, કે જેથી તમે જીવતા રહો અને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેનો વારસો પ્રાપ્ત કરો. 21 તમે યહોવાહ તમારા ઈશ્વરની માટે જે વેદી બનાવો તેની બાજુએ કોઈ પણ જાતની અશેરા મૂર્તિ ન ગોઠવો. 22 તમારે તમારા માટે કોઈ સ્તંભ ઊભો કરવો નહિ. કેમ કે, યહોવાહ તમારા ઈશ્વર તેને ધિક્કારે છે.


Footnotes


16:1 [1]હીબ્રુ કલેન્ડરમાં આબીબ પહેલો મહિનો હતો. તેને "નિસાન" પણ કહેવાતું હતું.


Chapter 17

1 યહોવાહ તમારા ઈશ્વરને તમારે ખોડખાંપણવાળાં કે કંઈ પણ રીતે ખરાબ બળદ કે ઘેટો અર્પણ કરવો નહિ. કેમ કે યહોવાહ તમારા ઈશ્વરને તે બલિદાનો ઘૃણાસ્પદ છે.

2 જો યહોવાહ તમારા ઈશ્વર તમને જે ગામો આપે છે તેમાં તમારી મધ્યે કોઈ સ્ત્રી કે પુરુષ મળી આવે કે જે યહોવાહ તમારા ઈશ્વરના કરારનું ઉલ્લંઘન કરીને તેમની દૃષ્ટિમાં જે ખોટું છે તે કરે, 3 અને જો કોઈ બીજા દેવોની પૂજા કરતો હોય, તેઓની આગળ નમતો હોય, એટલે સૂર્ય, ચંદ્ર અથવા તારા જેના વિષે મેં તમને ફરમાવ્યું નથી તેની પૂજા કરતો હોય, 4 તે વિષે તમને ખબર પડે કે તમે તે વિષે સાંભળો તો તમે તે વિષે કાળજીપૂર્વક તપાસ કરો. જો એ વાત સાચી અને ચોક્કસ હોય કે, એવું ઘૃણાસ્પદ કામ ઇઝરાયલમાં બન્યું છે,

5 તો એવું અધમ કૃત્ય કરનાર સ્ત્રી કે પુરુષને, એટલે તે જ સ્ત્રી કે પુરુષને નગરના દરવાજા આગળ લાવીને તેમને પથ્થર મારીને મારી નાખો. 6 બે સાક્ષીના કે ત્રણ સાક્ષીના આધારે તે મરનારને મરણદંડ આપવામાં આવે; પણ એક સાક્ષીના આધારે તેને મરણદંડ આપવો નહિ. 7 સૌપ્રથમ સાક્ષીઓનો હાથ તેને મારી નાખવા તેના પર પડે, ત્યારપછી બીજા બધા લોકોના હાથ. આ રીતે તમે તમારી મધ્યેથી દુષ્ટતા નાબૂદ કરો.

8 જો કોઈ વાતનો ન્યાય આપવો તમને બહુ મુશ્કેલ લાગે, જેમ કે ખૂનનો, મિલકતના હકનો, મારામારીનો એક કે બીજી વ્યક્તિ વચ્ચે વિવાદનો કે, કોઈ ઈજાનો પ્રશ્ન હોય કે તમારા નગરના દરવાજામાં કોઈ બાબતનો મતભેદ હોય, તો તમારે યહોવાહ તમારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં જવું. 9 લેવી યાજકો પાસે જઈને તે સમયે જે ન્યાયાધીશ હોય તેને પૂછવું, તેઓ તમને તેનો ચુકાદો આપશે.

10 યહોવાહ પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાંથી જે ચુકાદો તેઓ તમને કહે, તે ચુકાદા પ્રમાણે તમારે અનુસરવું. તેઓ તમને જે કંઈ કરવા કહે તે કાળજીપૂર્વક કરવું. 11 તેઓ જે નિયમ તમને શીખવે તેને અનુસરો, જે નિર્ણય તેઓ આપે તે પ્રમાણે કરો. તેઓ જે કહે તેમાંથી ડાબે હાથે કે જમણે હાથે ફરશો નહિ.

12 જો કોઈ માણસ યહોવાહ તમારા ઈશ્વરની સેવા કરનાર યાજકના કે ન્યાયાધીશના ચુકાદાઓનો અસ્વીકાર કરવાની દૃષ્ટતા કરે, તો તે માર્યો જાય. અને એ રીતે તમારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી. 13 અને સર્વ લોકોને એની જાણ થશે ત્યારે તેઓ ડરશે. અને એવી દુષ્ટતા ફરી કદી કરશે નહિ.

14 યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ આપે છે ત્યાં જ્યારે તમે પહોંચો અને તેનું વતન લઈને તેમાં વસો અને એમ કહો કે, 'અમારી આસપાસની અન્ય પ્રજાઓની જેમ અમે અમારે માથે રાજા ઠરાવીશું. 15 તો જેને યહોવાહ તમારા ઈશ્વર પસંદ કરે તેને જ તમારે રાજા તરીકે નિયુકત કરવો. તમારા ભાઈઓમાંથી એકને તમારે તમારા શિરે રાજા તરીકે નિયુક્ત કરવો. કોઈ પરદેશી કે જે તમારો ભાઈ નથી તેને તમે તમારે શિરે રાજા નિયુક્ત કરશો નહિ.

16 ફક્ત આટલું જ કે તે પોતાને માટે મોટી સંખ્યામાં ઘોડાઓ ન રાખે. અને પોતાના ઘોડાઓની સંખ્યામાં વધારો કરવાના મતલબથી તે લોકોને પાછા મિસર ન મોકલે [1] . કેમ કે યહોવાહે તમને કહ્યું છે કે ''તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહિ.'' 17 વળી તે ઘણી પત્નીઓ કરે નહિ. કે જેથી તેનું હૃદય યહોવાહ તરફથી વિમુખ થઈ ન જાય. વળી તે પોતાને સારુ સોનુંચાંદી અતિશય ન વધારે.

18 અને જયારે તે તેના રાજ્યાસને બેસે પછી તેણે લેવી યાજકો પાસેથી આ નિયમની નકલ પુસ્તકમાં ઉતારે 19 અને તે તેની પાસે રહે અને તેના જીવનપર્યત તેમાંથી વાંચે કે, તે યહોવાહનો ડર રાખતાં શીખીને આ નિયમનાં સર્વ વચનો તથા વિધિઓનું પાલન કરે.

20 એ માટે કે તેનું હૃદય તેના ભાઈઓ પ્રત્યે ગર્વિષ્ઠ ન થઈ જાય. તથા આ આજ્ઞાઓથી તે વિમુખ થઈ ન જાય. એ સારુ કે ઇઝરાયલ મધ્યે તેના રાજ્યમાં તેનું તથા તેના સંતાનોનું આયુષ્ય વધે.


Footnotes


17:16 [1]ઘોડાઓની બદલ ગુલામોને મિસર ન મોકલો


Chapter 18

1 લેવી યાજકો તથા લેવીના આખા કુળને ઇઝરાયલની સાથે ભાગ કે વારસો ન મળે; તેઓ યહોવાહને ચઢાવેલાં હોમયજ્ઞો અને તેમના વારસા ઉપર ગુજરાન ચલાવે. 2 તેઓને તેઓના બીજા ભાઈઓની મધ્યે વારસો મળે નહિ, તેઓનો વારસો તો યહોવાહ છે. જેમ તેમણે કહ્યું છે તેમ.

3 લોકો તરફથી એટલે વાછરડાનો કે ઘેટાંનો યજ્ઞ ચઢાવનાર તરફથી આ પ્રત્યેક ઘેટાના અથવા બળદના ખભાનો ભાગ, મોં તથા પેટનો ભાગ યાજકોને આપે. 4 તમારા અનાજની, નવા દ્રાક્ષારસની તથા તેલની પેદાશની પ્રથમફળ ઊપજ અને ઘેટાંની પહેલી કાતરણીનું ઊન તમે લેવીઓને આપો. 5 કારણ કે યહોવાહ તમારા ઈશ્વરે તમારાં સર્વ કુળોમાંથી તેઓ તથા તેઓના દીકરાઓને સદાને માટે પસંદ કર્યા છે કે, તેઓ ઊભા રહીને યહોવાહને નામે સેવા કરે.

6 અને કોઈ પણ લેવી આખા ઇઝરાયલમાં તમારી કોઈ પણ જગ્યાએ રહેતો હોય અને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઇચ્છાથી યહોવાહ જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં આવે. 7 તો ત્યાં યહોવાહની હજૂરમાં ઊભા રહેનાર તેઓના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવાહ તેઓના ઈશ્વરના નામે સેવા કરે. 8 તેઓના વડીલોની મિલકતના વેચાણથી જે તેઓને મળે તે ઉપરાંત તેઓને બીજાઓના જેટલો જ ભાગ ખાવાને મળે.

9 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર આપે છે, તેમાં તમે જાઓ ત્યારે તે દેશજાતિઓનાં ધિક્કારપાત્ર કાર્યોનું અનુકરણ તમારે કરવું નહિ. 10 તમારી મધ્યે એવો કોઈ માણસ હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે, જોષ જોતો હોય કે, શકુન જોતો હોય કે, ધંતરમંતર કરનાર કે જાદુગર, 11 મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, ઈલમી કે ભૂવો હોય.

12 કેમ કે જે કોઈ આવાં કામો કરે છે તેઓને યહોવાહ ધિક્કારે છે અને આવાં ધિક્કારપાત્ર કામોને કારણે જ યહોવાહ તમારા ઈશ્વરે તેઓને તારી આગળથી કાઢી મૂકવા છે. 13 તેથી તમે યહોવાહ તમારા ઈશ્વરની દૃષ્ટિમાં નિર્દોષ થાઓ. 14 કેમ કે આ જે દેશજાતિઓનું વતન તમે પામવાના છો, તેઓ જોષ જોનારોઓનું તથા શુકન જોનારાનું પણ સાંભળે છે. તમને તો યહોવાહ તમારા ઈશ્વરે એવું કરવા દીધું નથી.

15 યહોવાહ તમારા ઈશ્વર તમારે માટે તમારી મધ્યેથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે. અને તેઓનું તમારે સાંભળવું. 16 હોરેબમાં સભાને દિવસે જે સર્વ તમે યહોવાહ તમારા ઈશ્વર પાસે માગ્યું કે, "હવે પછી યહોવાહ અમારા ઈશ્વરની વાણી અમારા સાંભળવામાં ન આવે. તેમ જ આ મોટો અગ્નિ હવે પછી અમારા જોવામાં ન આવે. રખેને તે પ્રમાણે હું માર્યો જાઉં."

17 અને યહોવાહે મને કહ્યું કે, તેઓએ જે કહ્યું છે તે ઠીક કહ્યું છે. 18 હું તેમને માટે તેઓમાંથી તારા જેવા એક પ્રબોધકને ઊભો કરીશ. અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ. અને જે સર્વ હું ફરમાવું તે તેઓને કહેશે. 19 અને એમ થશે કે, મારે નામે મારાં જે વચનો તે બોલશે, તે જે કોઈ નહિ સાંભળે તેની પાસેથી હું જવાબ લઈશ.

20 પણ જો કોઈ પ્રબોધક ગર્વ કરીને મારે નામે જે વાત બોલવાની મેં તેને આજ્ઞા આપી નથી, તે બોલશે, અથવા અન્ય દેવોને નામે જે બોલશે તે પ્રબોધક માર્યો જશે. 21 અને જો તમે તમારા હૃદયમાં એમ કહો કે, યહોવાહ જે વાત બોલ્યા નથી તે અમે શી રીતે જાણીએ?'

22 જયારે કોઈ પ્રબોધક યહોવાહના નામે બોલે અને જો તે વાત પ્રમાણે ન થાય, અથવા તે પૂરી કરવામાં ન આવે, તો તે વાત યહોવાહ બોલ્યા નથી એમ તમારે જાણવું; પ્રબોધક ગર્વથી તે બોલ્યા છે, તેનાથી તું બીશ નહિ.



Chapter 19

1 જે દેશજાતિઓનો દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે, તે દેશજાતિઓનો જ્યારે યહોવાહ તમારા ઈશ્વર નાશ કરે, તમે તેઓનો કબજો કરો અને તેઓનાં નગરો અને ઘરોમાં વસવાટ કરો, 2 ત્યારે જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને વતન પામવા માટે આપે, તેની મધ્યે તમે તમારા માટે ત્રણ નગરો પસંદ કરો. 3 તમે તમારા માટે માર્ગ બનાવો [1] , યહોવાહ તમારા ઈશ્વર જે દેશનો તમને વારસો આપે, તે દેશની સીમાના ત્રણ ભાગ કરો, કે જેથી દરેક વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિને મારી નાખે તે તેમાં નાસી જાય.

4 જે કોઈ અન્ય વ્યક્તિને મારી નાખીને ત્યાં નાસી જાય તે બચી જાય આ નિયમ તેઓના માટે છે: જે કોઈને પોતાના પડોશી પર પહેલાં દ્રેષ ન હતો, પણ અજાણ્યે તે તેને મારી નાખે તે, 5 જ્યારે કોઈ વ્યક્તિ પોતાના પડોશી સાથે જંગલમાં લાકડાં કાપવા જાય, ત્યાં લાકડાં કાપતાં કુહાડો હાથમાંથી છટકીને પડોશીને વાગે અને તેનું મૃત્યુ થાય, એવો ખૂની આ ત્રણ નગરમાંથી કોઈ એકમાં નાસી જાય અને તેમાં આશ્રય મળે.

6 રખેને લોહીનો બદલો લેનારને ગુસ્સો આવે અને મનુષ્યઘાતકની પાછળ લાગીને રસ્તો લાંબો હોવાના કારણથી તે તેને પકડી પાડીને તેને મરણતોલ માર મારે, જો કે પહેલાથી તે તેના પર દ્રેષ કરતો ન હોવાને લીધે તે મરણયોગ્ય ન હોય તો પણ. 7 એ માટે હું તમને આજ્ઞા આપું છું કે, તમારા માટે ત્રણ નગરો પસંદ કરો.

8 જો યહોવાહ તમારા ઈશ્વર, તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે, તમારી સરહદો વધારે અને તમારા પિતૃઓને આપેલા વચન પ્રમાણે આખો દેશ તમને આપે; 9 જો હું તમને આજે જે આજ્ઞાઓ ફરમાવું છું એટલે કે, યહોવાહ તમારા ઈશ્વરને પ્રેમ કરવો, હંમેશા તેમના માર્ગોમાં ચાલવું, તે પાળીને તમે અમલમાં મૂકો, તો તમારે આ ત્રણ નગર ઉપરાંત બીજાં ત્રણ નગરોનો વધારો કરવો. 10 આ રીતે જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા માટે આપે છે તેમાં નિર્દોષ લોકોનાં લોહી વહેવડાવામાં ન આવે, કે જેથી લોહીનો દોષ તમારા પર ન આવે.

11 પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી પર દ્વેષ રાખે, લાગ તાકીને છુપાઈ રહે અને તેની સામે ઊઠીને તેનો નાશ થાય ત્યાં સુધી તેને મારે કે તે મરી જાય ત્યારે જો તે આ નગરોમાંના કોઈ એકમાં નાસી જાય, 12 ત્યારે નગરના વડીલો કોઈને મોકલીને તેને ત્યાંથી પાછો લાવે, તેને મરનારના નજીકના સગાને સોંપે, કે જેથી તે માર્યો જાય. 13 તમારે તેની પર દયા બતાવવી નહિ. તમારે ઇઝરાયલમાંથી લોહીનો દોષ નાબૂદ કરવો, કે તમારું ભલું થાય.

14 યહોવાહ તમારા ઈશ્વરે તને જે દેશ વતન માટે આપે છે, તેમાં વતનનો વારસો તમને મળે તે અગાઉના સમયમાં પૂર્વજોએ નક્કી કરેલી તમારા પડોશીઓની સરહદ હઠાવશો નહિ.

15 કોઈ માણસનાં પાપ માટે, કોઈ અન્યાય માટે કે કોઈ પાપની બાબતમાં એક જ વ્યક્તિની સાક્ષી ચાલે નહિ, બે કે ત્રણ સાક્ષીઓના મુખથી કોઈ પણ વાત સાબિત થઈ શકે. 16 જો કોઈ અન્યાયી સાક્ષી કોઈ માણસની વિરુદ્ધ તેણે ખોટું કર્યું છે તેમ સાબિત કરવા ઊભો થાય.

17 તો તે બન્ને માણસોને, એટલે જેઓની વચ્ચે વિવાદ હોય તેઓએ યહોવાહ, યાજકો અને તે સમયના ન્યાયાધીશો સમક્ષ ઊભા રહેવું. 18 ન્યાયાધીશોએ કાળજીપૂર્વક તપાસ કરવી, જો સાક્ષી આપનાર સાક્ષી જૂઠો હોય અને તેના ભાઈ વિરુદ્ધ ખોટી સાક્ષી આપી હોય, 19 તો તેણે પોતાના ભાઈની સાથે જે કરવાની ઇચ્છા રાખી તે તમારે તેની સાથે કરવું; આ રીતે તમારે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.

20 ત્યારે જેઓ આ સાંભળશે તેઓ બીશે, ત્યાર પછી કોઈ આવું દુષ્ટ કાર્ય તારી મધ્યે કરશે નહિ. 21 તમારે દયા દર્શાવવી નહિ; જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલેે હાથ અને પગને બદલે પગની શિક્ષા કરવી.


Footnotes


19:3 [1]અંતર માપવા, પ્રદેશનું સર્વેક્ષણ કરવું


Chapter 20

1 જયારે તમે યુદ્ધમાં તમારા દુશ્મનો વિરુદ્ધ લડવા જાઓ, ત્યારે ઘોડાઓ, રથો અને તમારા કરતાં વધારે લોકો તમે જુએ તો તેઓથી બીશો નહિ, કેમ કે, મિસરની ભૂમિમાંથી બહાર લાવનાર યહોવાહ તમારા ઈશ્વર તમારી સાથે છે.

2 જયારે તમે યુદ્ધભૂમિની નજીક પહોંચો, ત્યારે યાજક આગળ આવીને લોકોની સાથે બોલે, 3 તેઓને કહે કે, "હે ઇઝરાયલ, સાંભળો; આજે તમે તમારા દુશ્મનો સામે યુદ્ધ કરવા આવ્યા છો, ત્યારે નાહિંમત થશો નહિ, બીશો નહિ, ભયભીત થશો નહિ કે તેઓનાથી ગભરાશો નહિ; 4 કેમ કે તમને બચાવવા અને તમારા પક્ષે રહીને તમારા દુશ્મનો સામે જે લડવા જાય છે તે તો યહોવાહ તમારા ઈશ્વર છે.

5 ત્યારે અધિકારીઓએ લોકોને કહેવું કે, "શું એવો કોઈ માણસ છે કે જેણે નવું ઘર બાંધ્યું હોય અને તેની અર્પણવિધિ કરી ના હોય? તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજા કોઈ માણસે તેના ઘરનું અર્પણ કરવું પડે.

6 શું કોઈ એવો માણસ છે જેણે દ્રાક્ષવાડી રોપી હોય અને તેનાં ફળ ખાધાં ન હોય? તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજો કોઈ માણસ તેનાં ફળ ખાય. 7 વળી શું કોઈ એવો માણસ છે કે જેણે કોઈ સ્ત્રી સાથે સગાઈ કરી હોય પણ તેની સાથે લગ્ન કર્યાં ન હોય? તો તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તે યુદ્ધમાં માર્યો જાય અને બીજો કોઈ પુરુષ તે સ્ત્રી સાથે લગ્ન કરે.

8 અધિકારીઓએ લોકોને એવું પણ પૂછવું કે, "શું કોઈ એવો માણસ છે જે ગભરાઈ ગયો હોય કે નાહિંમત થઈ ગયો હોય? તો તેને જતો રહેવા દો કે તે પાછો તેના ઘરે જાય, રખેને તેના હૃદયની જેમ તેના ભાઈઓનાં હૃદય પણ નાહિમ્મત થઈ જાય." 9 જયારે અધિકારીઓ લોકોને પૂછવાનું બંધ કરે, ત્યારે તેઓ તેઓના પર સેનાપતિ નિયુક્ત કરે.

10 જયારે તમે કોઈ નગર પર હુમલો કરવા જાઓ, ત્યારે તે પહેલાં તેને શાંતિનું કહેણ મોકલો. 11 અને એમ થશે કે જો તે તમને સલાહનો પ્રત્યુત્તર આપીને તમારે માટે દરવાજા ઉઘાડે, તો એમ થાય કે તેમાં જે લોકો હોય તે સર્વ તમને ખંડણી આપીને તમારા દાસ થાય.

12 અને જો તે નગર તમારી સાથે સલાહ ન કરે પણ તમારી વિરુદ્ધ યુદ્ધ કરે તો તમે તે નગરને ઘેરો ઘાલો; 13 અને જ્યારે યહોવાહ તમારા ઈશ્વર તેને તમારા હાથમાં સોંપે ત્યારે તમે તેમાંના દરેક પુરુષને તલવારની ધારથી મારી નાખો.

14 પરંતુ સ્ત્રીઓ, બાળકો, જાનવરો તથા નગરમાં જે કંઈ હોય તે, એટલે તેમાંની સર્વ લૂંટ તમે તમારે માટે લો; અને તમારા શત્રુઓની જે લૂંટ તમે તમારે સારુ લો; અને તમારા શત્રુઓની જે લૂંટ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપી હોય તે તમે ખાઓ. 15 જે નગરો તમારાથી ઘણાં દૂરના અંતરે છે, જે આ દેશજાતિઓનાં નગરોમાંનાં નથી, તે સર્વને તમે એમ જ કરો.

16 પણ આ લોકોનાં જે નગરો યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપે છે. તેઓમાંના કોઈ પણ પશુંને તારે જીવતું રહેવા દેવું નહિ. 17 પણ જેમ યહોવાહ તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તેમ તમારે તેઓનો, એટલે કે હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, હિવ્વીઓ પરિઝીઓ અને યબૂસીઓનો તમારે સંપૂર્ણ નાશ કરવો. 18 રખેને જે સર્વ અમંગળ કામો તેઓએ તેમના દેવોની પૂજામાં કર્યા છે. તે પ્રમાણે કરવાને તેઓ તમને શીખવીને યહોવાહ તમારા ઈશ્વરની સામે તમારી પાસે પાપ કરાવે.

19 જયારે યુદ્ધ કરતાં તું કોઈ નગર જીતવા માટે લાંબા સમય સુધી તેનો ઘેરો ઘાલે, ત્યારે તેનાં વૃક્ષો પર કુહાડી લગાડીને તું તે કાપી નાખતો નહિ; કેમ કે તું તેઓનું ફળ ભલે ખાય, પણ તું તેઓને કાપી ન નાખ; કેમ કે ખેતરનું વૃક્ષ તે શું માણસ છે કે તારે તેને ઘેરો ઘાલવો પડે? 20 જે વૃક્ષ ફળો ના આપે તેવાં વૃક્ષોનો તમે નાશ કરી શકો; એટલે તેઓને જ તમારે કાપી નાખવા; અને જે નગર તારી વિરુદ્ધ યુદ્ધ કરે છે તેનો પરાજય થતાં સુધી તારે તેની સામે મોરચા બાંધવા.



Chapter 21

1 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તેનું વતન પામવા માટે તમને આપે છે, તેમાં જો કોઈની લાશ ખેતરમાં પડેલી તમને મળી આવે અને તેને કોણે માર્યો છે તે કોઈ જાણતું ન હોય; 2 તો તમારા આગેવાનો અને ન્યાયાધીશો બહાર જઈને લાશની આસપાસનાં નગરોનું અંતર માપી જુએ,

3 અને એમ થાય કે જે નગર લાશથી નજીકના અંતરે હોય એટલે તે નગરના વડીલોએ ટોળાંમાંથી એવી વાછરડી લાવવી કે જે કામમાં લીધેલી ન હોય તથા તેના પર કદી ઝૂંસરી ખેંચેલી ન હોય. 4 અને તે નગરના વડીલો તે વાછરડીને વહેતા પાણીવાળી એક ખીણ કે જ્યાં કદી વાવણી કે ખેડાણ ના થયું હોય ત્યાં લાવે અને તે ખીણમાં તેની ગરદન ભાંગી નાખે.

5 અને યાજકો એટલે લેવીના દીકરાઓ, પાસે આવે; કેમ કે, પોતાની સેવા કરવાને તથા યહોવાહને નામે આશીર્વાદ આપવાને યહોવાહ તમારા ઈશ્વરે તેઓને પસંદ કર્યા છે. અને તેઓના કહ્યા પ્રમાણે દરેક તકરાર તથા દરેક મારનો ચુકાદો થાય.

6 ત્યારબાદ તે નગરના વડીલો કે જેઓ પેલી લાશની સૌથી નજીક રહે છે, તેઓ ખીણમાં ગરદન ભાગી નાખેલી વાછરડી પર પોતાના હાથ ધોઈ નાખે. 7 અને તેઓ એમ કહે કે, "અમારે હાથોએ આ લોહી વહેવડાવ્યું નથી, તેમ જ અમારી આંખોએ તે જોયું પણ નથી.

8 હે યહોવાહ, તમારા ઇઝરાયલી લોકો જેઓનો તમે ઉદ્ધાર કર્યો છે તેઓને તમે માફ કરો. અને તમારા ઇઝરાયલી લોકો મધ્યે નિદોર્ષના ખૂનના દોષમાંથી તેમને મુકત કરો." અને તેઓને તેઓના ખૂનના દોષની માફી મળશે. 9 આ રીતે યહોવાહની દૃષ્ટિમાં જે યથાર્થ છે તે કરીને તમારી મધ્યેથી તમારે નિર્દોષના લોહીથી દૂર રહેવું.

10 જયારે તમે તમારા શત્રુઓની સાથે યુદ્ધમાં જાઓ અને યહોવાહ તમારા ઈશ્વર તેઓને તમારા હાથમાં સોંપે. 11 અને બંદીવાનોમાં કોઈ સુંદર સ્ત્રી જોઈને તું તેના પર મોહિત થાય, તેની સાથે લગ્ન કરવા માટે ઇચ્છા રાખે, 12 તો તેને તારે ઘરે લઈ આવવી અને તે પોતાનું માથું મૂંડાવે અને તે પોતાના નખ કપાવે.

13 અને તે પોતાની બંદીવાન અવસ્થાનું વસ્ત્ર બદલી નાખે; અને તે તારા ઘરમાં રહે અને એક માસ સુધી તેના માતાપિતા માટે શોક કરે. પછી તમારે તેની પાસે જવું અને તમે તેના પતિ થાઓ અને તે તમારી પત્ની થાય. 14 પછી એમ થાય કે જયારે તે તમને ન ગમે તો તમારે તેને તે ચાહે ત્યાં જવા દેવી. પરંતુ તમારે પૈસા લઈ તેને વેચવી નહિ તેમ જ ગુલામ તરીકે તારે તેની સાથે વર્તવું નહિ, કારણ કે તમે તેની આબરુ લીધી છે.

15 જો કોઈ પુરુષને બે પત્નીઓ હોય, એક માનીતી અને બીજી અણમાનીતી અને તે બન્નેને પુત્ર જન્મે અને અણમાનીતીનો પુત્ર જયેષ્ઠ હોય. 16 પછી જયારે તે તેના દીકરાઓને મિલકતનો વારસો આપે ત્યારે એમ થવું જોઈએ કે અણમાનીતીનો દીકરો જે એનો ખરો જયેષ્ઠ દીકરો છે તેની અવગણના કરીને માનીતી પત્નીના પુત્રને જયેષ્ઠ દીકરો ગણવો નહિ. 17 પણ તેની સર્વ મિલકતનો બમણો ભાગ અણમાનીતીના દીકરાને આપીને તે તેને જયેષ્ઠ તરીકે માન્ય રાખે; કારણ, તે તેનું પ્રથમફળ છે અને જયેષ્ઠ પુત્ર તરીકેનો અધિકાર તેનો છે.

18 જો કોઈ પુરુષને જીદ્દી અને બંડખોર દીકરો હોય અને તે તેના માતાપિતાનું કહેવું માનતો ન હોય અને તેઓ શિક્ષા કરવા છતાં પણ તેં તેમને ગણકારતો ન હોય. 19 તો તેમનાં માતાપિતા તેને પકડીને તેઓના નગરના વડીલોની આગળ અને નગરના દરવાજા પાસે તેને બહાર લાવે.

20 અને તેઓ તે નગરના વડીલોને કહે કે "આ અમારો દીકરો જીદ્દી અને બળવાખોર છે તે અમારું કહ્યું માનતો નથી. તે લાલચું અને મદ્યપાન કરનારો છે." 21 પછી તે નગરના બધા માણસોએ તેને પથ્થરે મારીને મારી નાખવો. અને આ રીતે તારે તારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરવી. પછી બધા ઇઝરાયલીઓ તે સાંભળશે અને બીશે.

22 જો કોઈ માણસે મરણયોગ્ય પાપ કર્યું હોય, જો તેને મૃત્યુદંડ આપ્યો હોય તો તમે તેને ઝાડ પર લટકાવો. 23 તેનો મૃતદેહ આખી રાત ઝાડ પર લટકતો ન રહે, તે જ દિવસે તારે તેને દફનાવી દેવો, કેમ કે લટકાવેલા માણસ ઈશ્વરથી શાપિત છે. આ આજ્ઞા પાળો જેથી જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને વારસા તરીકે આપે છે તેને તમે અશુદ્ધ કરશો નહિ.



Chapter 22

1 તમારા ભાઈના ભૂલા પડી ગયેલા બળદ કે ઘેટાંને જોઈને તારે સંતાવું નહિ, તમારે તેને તેના માલિકની પાસે પાછું લાવવું. 2 જો તમારો ઇઝરાયલી સાથી નજીકમાં રહેતો ન હોય, કે તમે તેને ઓળખતા ન હોય, તો તે પશુને તમારે પોતાને ઘરે લઈ જવું અને તે શોધતો આવે ત્યાં સુધી તમારી પાસે રાખવું. જ્યારે તે આવે ત્યારે તમારે તેને તે પાછું સોંપવું.

3 તેનાં ગધેડાં, વસ્ત્રો તથા તમારા સાથી ઇઝરાયલીની ખોવાયેલી કોઈ વસ્તુ તમને મળી આવે તો તેના માટે પણ તમારે આમ જ કરવું, તમારે તેનાથી સંતાવું નહિ. 4 તમારા ઇઝરાયલી સાથીના ગધેડાને કે બળદને રસ્તામાં પડી ગયેલું જોઈને તમે તેઓથી પોતાને અળગા રાખશો નહિ; તમારે તેને ફરીથી ઊભું કરવામાં સહાય કરવી.

5 સ્ત્રીએ પુરુષનાં વસ્ત્રો પહેરવાં નહિ, તેમ જ પુરુષે સ્ત્રીનાં વસ્ત્રો પહેરવાં નહિ; કેમ કે, જે કોઈ એવું કામ કરે છે તે યહોવાહ તમારા ઈશ્વરને ઘૃણાસ્પદ લાગે છે.

6 જો માર્ગે જતાં કોઈ પક્ષીનો માળો જમીન પર કે વૃક્ષ પર તમારા જોવામાં આવે, તેની અંદર બચ્ચાં કે ઈંડાં હોય, માતા બચ્ચાં પર બેઠેલી હોય તો તમારે માતાને બચ્ચાં સાથે લેવી નહિ. 7 તમે બચ્ચાં લો, પણ માતાને રહેવા દો. જો તમે આમ કરશે તો તમારું ભલું થશે અને તમારા આયુષ્યનાં દિવસો લાંબા થશે.

8 જયારે તમે નવું ઘર બાંધે ત્યારે તમારે અગાશીની ચારે ફરતે પાળ બાંધવી, કે જેથી ત્યાંથી કોઈ પડી ન જાય અને તમારા ઘર પર લોહીનો દોષ ન આવે.

9 તમારી દ્રાક્ષની વાડીઓમાં બે જુદી જાતનું બીજ વાવવું નહિ; નહિ તો બધી જ દ્રાક્ષવાડીની ઉપજ તેમ જ જે કંઈ વાવ્યું હશે તે ડૂલ [1] થાય. 10 બળદ તથા ગધેડા બન્નેને એક સાથે જોડીને તું હળ વડે ખેતી ન કર. 11 ઊન તથા શણનું મિશ્રણ હોય તેવાં વસ્ત્ર પહેરવાં નહિ.

12 જે ઝભ્ભો તું પહેરે છે તેની ચારે બાજુની કિનારે સુુશોભિત ઝાલર મૂકવી.

13 જો કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે, તેની પાસે જાય, પછી તેને ધિક્કારે, 14 તેને બદનામ કરીને તેના પર ખોટા આરોપ મૂકીને કહે કે,"મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેની પાસે ગયો, ત્યારે મેં જોયું તો તેનામાં કૌમાર્યનાં કોઈ ચિહ્ન મને મળ્યાં નહિ."

15 તો તે કન્યાના માતાપિતા તેના કૌમાર્યનાં પુરાવા ગામના વડીલો પાસે લાવે.

16 અને કન્યાના પિતા ગામના વડીલોને કહે કે, "મેં મારી દીકરીને આ પુરુષને પરણાવી, હવે તે તેને ધિક્કારે છે." 17 જો તેે તેના પર ખોટા આરોપ મૂકીને કહે છે કે, "મને તમારી દીકરીમાં કૌમાર્યનાં પુરાવા મળ્યા નથી પણ મારી દીકરીના કૌમાર્યના પુરાવા આ રહ્યા." પછી તેઓ ગામના વડીલો આગળ ચાદર પાથરે.

18 ત્યારે તે નગરના વડીલો તે પુરુષને પકડીને સજા કરે; 19 તેઓ તેને સો શેકેલ ચાંદીનો દંડ કરે, તે કન્યાના પિતાને આપે, કેમ કે તે પુરુષે ઇઝરાયલની કન્યા પર ખોટા આરોપ મૂક્યો છે. તે હંમેશા તેની પત્ની તરીકે રહે; તેના બધા દિવસો દરમિયાન તે તેને દૂર કરી શકે નહિ.

20 પણ જો આ વાત સાચી હોય અને તે કન્યામાં કૌમાર્યના પુરાવા મળ્યા ન હોય, 21 તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે અને તે ગામના લોકો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે, કેમ કે, તેણે તેના પિતાના ઘરમાં [2] વ્યભિચાર કરીને ઇઝરાયલમાં શરમજનક કૃત્ય કર્યું છે.આ રીતે તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.

22 જો કોઈ પુરુષ પરિણીત સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં જોવા મળે, તો તેઓ એટલે કે તે સ્ત્રી તથા વ્યભિચાર કરનાર પુરુષ બન્ને માર્યા જાય. આ રીતે તારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.

23 જો કોઈ કન્યાની સગાઈ કોઈ પુરુષ સાથે થઈ હોય અને જો અન્ય પુરુષ તેને નગરમાં મળીને તેની સાથે વ્યભિચાર કરે, 24 તો તમારે તે બન્નેને ગામના દરવાજા આગળ લાવીને પથ્થર મારીને મારી નાખવાં. કન્યાને પથ્થરે મારવી, કેમ કે તે નગરમાં હતી છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને પથ્થરે મારવો, કેમ કે તેણે ઇઝરાયલી પડોશીની પત્નીનું અપમાન કર્યું છે. આ રીતે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.

25 પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, જો તે તેની સાથે બળજબરી કરીને વ્યભિચાર કરે, તો ફક્ત તેની સાથે વ્યભિચાર કરનાર પુરુષ જ માર્યો જાય. 26 પણ તે કન્યાને તમારે કંઈ કરવું નહિ; મરણયોગ્ય કોઈ પાપ કન્યાએ કર્યું નથી. આ તો કોઈ માણસ તેના પડોશી વિરુદ્ધ ઊઠીને તેને મારી નાખે તેના જેવી તે વાત છે. 27 કેમ કે તે તેને ખેતરમાં મળી; સગાઈ કરેલી કન્યાએ બૂમ પાડી, પણ ત્યાં તેને બચાવનાર કોઈ ન હતું. 28 વળી જો કોઈ પુરુષ કુંવારી કન્યા કે જેની સગાઈ કરેલી નથી, તેને પકડીને તેની સાથે વ્યભિચાર કરતાં તેઓ પકડાય; 29 તો તે કન્યા સાથે વ્યભિચાર કરનાર તે પુરુષ તે કન્યાના પિતાને પચાસ શેકેલ ચાંદી આપે. તે તેની પત્ની થાય, વળી તેણે આબરુ લીધી છે. તેના આખા આયુષ્યભર માટે તે કદી તેને છૂટાછેડા આપે નહિ.

30 કોઈ પણ પુરુષે પોતાના પિતાની પત્ની [3] સાથે વ્યભિચાર કરવો નહિ, તેમ પોતાના પિતાની નિવસ્ત્રતા જોવી નહિ.


Footnotes


22:9 [1]જે પણ વાવ્યું હોય તે પવિત્ર સ્થાનમાં લઈ જવામાં આવશે
22:21 [2]પિતાના નિયંત્રણમાં
22:30 [3]કોઈ પણ પત્નીઓ સાથે


Chapter 23

1 જો કોઈ વ્યક્તિના વૃષણ ઘાયલ થયાં હોય અથવા જેની જનનેન્દ્રિય કાપી નાખવામાં આવી હોય, તેને યહોવાહની સભામાં દાખલ થવા દેવો નહિ. 2 વ્યભિચારથી જન્મેલો યહોવાહની સભામાં પ્રવેશ ન કરે; તેઓની છેક દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં પ્રવેશ કરે નહિ.

3 આમ્મોની કે મોઆબી અથવા દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં દાખલ થાય નહિ. 4 કારણ કે, જયારે તમે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહિ; વળી તેને લીધે તેઓએ અરામ-નાહરાઈમના પથોરથી બેઓરના દીકરા બલામની સાથે કરાર કરીને તમને શાપ આપવા તેને બોલાવ્યો.

5 પરંતુ યહોવાહ તમારા ઈશ્વરે બલામની વાત સાંભળી નહિ પણ યહોવાહ તમારા ઈશ્વરે તમારે માટે શાપને બદલીને આશીર્વાદ આપ્યો. કારણ કે યહોવાહ તમારા ઈશ્વર તમારા પર પ્રેમ રાખતા હતા. 6 તમે તમારા આખા આયુષ્યભર કદી તેઓની શાંતિ કે આબાદી શોધશો નહિ.

7 પરંતુ તમે કોઈ અદોમીઓનો તિરસ્કાર કરશો નહિ કારણ કે તેઓ તમારા ભાઈ છે; અને મિસરીઓનો તિરસ્કાર કરશો નહિ, કેમ કે તમે તેના દેશમાં પ્રવાસી હતા. 8 તેઓની ત્રીજી પેઢીનાં છોકરા જે તેઓને જન્મ્યાં તેઓ યહોવાહની સભામાં પ્રવેશ કરી શકે.

9 જયારે તમે તમારા શત્રુઓની સામે છાવણીમાં જાઓ ત્યારે દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો. 10 જો તમારામાંથી કોઈ પુરુષ રાતના અચાનક બનાવથી શુદ્ધ ન હોય તો તેણે છાવણીમાંથી બહાર ચાલ્યા જવું અને તેણે છાવણીની અંદર પાછા ન આવવું. 11 પરંતુ એમ થાય કે સાંજ પડતાં તેણે સ્નાન કરવું અને જયારે સૂર્ય અસ્ત થાય ત્યારે તેણે છાવણીમાં પાછા આવવું.

12 વળી કુદરતી હાજતે જવા માટેની જગ્યા તમારે છાવણીની બહાર રાખવી અને પછી તમારે તે માર્ગે જવું; 13 અને ખાડો ખોદવા માટે તમારાં હથિયારોમાં તમારી પાસે કશું રહે; અને જયારે તમે કુદરતી હાજતે જાઓ ત્યારે તમારે ખાડો ખોદીને વિષ્ટાને માટી વડે ઢાંકી દેવી. 14 આમ કરવાથી યહોવાહ તમારા ઈશ્વર તમારું રક્ષણ કરવા તથા શત્રુઓને તમારા હાથમાં સોંપવાને તમારી છાવણીમાં ફરે છે. માટે તમારી છાવણી શુદ્વ રહે. વળી તમારામાં કોઈ અશુદ્ધ વસ્તુ જોઈને તે તમારાથી દૂર જતા રહે નહિ.

15 જો કોઈ દાસ તેના માલિક પાસેથી તમારી પાસે નાસી આવ્યો હોય. તેને તમે પાછો તેના માલિકને ન સોંપો. 16 તમારાં નગરોમાંથી તેને જયાં પસંદ પડે ત્યાં રહેવા દેવો અને તમારે તેના પર જુલમ કરવો નહિ.

17 ઇઝરાયલની દીકરીઓમાં કોઈ પણ ગણિકા [1] ન હોય અને ઇઝરાયલપુત્રોમાં કોઈ સજાતીય સંબંધ ધરાવતા ન હોય. 18 સ્ત્રી અથવા પુરુષ વેશ્યાની કમાણીને માનતા ઉતારવા માટે યહોવાહ તમારા ઈશ્વરના ઘરમાં લાવવા નહિ; કારણ કે એ બન્ને કમાણીને યહોવાહ તમારા ઈશ્વર ધિક્કારે છે.

19 તમે તમારા ભાઈને કંઈ પણ વ્યાજે ન ધીરો; નાણાનું વ્યાજ કે અનાજનું વ્યાજ કે વ્યાજે ધીરાતી કોઈપણ વસ્તુનું વ્યાજ લેવું નહિ. 20 પરંતુ પરદેશીને વ્યાજે આપવાની છૂટ છે. પણ તમારા ઇઝરાયલી ભાઈઓ પાસે વ્યાજ લેવું નહિ, તેથી જે દેશનું વતન પામવા તમે જાઓ છો. તેમાં જે કશામાં તમે હાથ લગાડો તેમાં યહોવાહ તમારા ઈશ્વર આશીર્વાદ આપે.

21 જો તમે યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે માનતા લો તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો, કારણ કે યહોવાહ તમારા ઈશ્વર નિશ્ચે તમારી પાસેથી ઉત્તર લેશે. કેમ કે એ તો તમારો દોષ ગણાય. 22 પણ જો તમે માનતા લેવા માંગતા ન હોય તો તેથી તમે દોષિત નહિ ઠરો. 23 પરંતુ જે કંઈ બોલ્યા હોય તે તમે પાળો, તથા અમલમાં મૂકો; યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે જે કંઈ માનતા લીધી હોય એટલે કે જે ઐચ્છિકાર્પણનું વચન તે તમારા મુખથી આપ્યું હોય તો તે પ્રમાણે કરો.

24 જયારે તમે તમારા પડોશીની દ્રાક્ષવાડીમાં જાઓ ત્યારે મરજી પ્રમાણે દ્રાક્ષ ધરાઈને ખાઈ શકો છો, પરંતુ તમારા પાત્રમાં ભરીને લઈ જાઓ નહિ. 25 તમે તમારા પડોશીના ખેતરમાં જાઓ ત્યારે કણસલાં તોડવાની છૂટ છે. પણ તારા પડોશીનાં પાકેલાં અનાજને દાંતરડાથી કાપી લો નહિ.


Footnotes


23:17 [1]મંદિર ગણિકા


Chapter 24

1 જો કોઈ પુરુષે સ્ત્રીની સાથે લગ્ન કર્યા હોય અને તેનામાં કંઈ શરમજનક બાબત માલૂમ પડ્યાથી તે તેની નજરમાં કૃપા ન પામે, તો તેને છૂટાછેડા ના પ્રમાણ પત્ર લખી આપે અને તે તેના હાથમાં મૂકીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકી શકે. 2 અને જયારે તે સ્ત્રી તેના ઘરમાંથી નીકળી જાય પછી અન્ય પુરુષ સાથે લગ્ન કરવાની તેને છૂટ છે.

3 જો તેનો બીજો પતિ પણ તેને ધિક્કારે અને છૂટાછેડાના પ્રમાણ પત્ર લખી તેના હાથમાં મૂકે, તેના ઘરમાંથી તેને કાઢી મૂકે; અથવા જે બીજા પતિએ તેને પત્ની તરીકે લીધી હતી તે જો મૃત્યુ પામે, 4 ત્યારે તેનો પહેલો પતિ, જેણે તેને અગાઉ કાઢી મૂકી હતી, તે તેને અશુદ્ધ થયા પછી પોતાની પત્ની તરીકે ફરીથી ન લે; કેમ કે, યહોવાહની દૃષ્ટિમાં તે ઘૃણાસ્પદ છે. યહોવાહ તમારા ઈશ્વર તને જે દેશ વારસા તરીકે આપનાર છે તે દેશને તું પાપનું કારણ ન બનાવ.

5 જયારે કોઈ પુરુષ નવ પરિણીત હોય ત્યારે તે લશ્કરમાં ન જાય કે તેને કંઈ જ કામ સોંપવામાં ન આવે; તે એક વર્ષ સુધી ઘરે રહે, જે પત્ની સાથે તેણે લગ્ન કર્યું છે, તેને આનંદિત કરે.

6 કોઈ માણસ લોટ દળવાની ઘંટીની નીચેનું કે ઉપલું પડ પણ ગીરવે ન લે; કેમ કે તેમ કરવાથી તે માણસની આજીવિકા ગીરવે લે છે.

7 જો કોઈ માણસ ઇઝરાયલના લોકોમાંથી પોતાના કોઈ ભાઈનું અપહરણ કરી તેને ગુલામ બનાવે, કે તેને વેચી દે, તો તે ચોર નિશ્ચે માર્યો જાય. આ રીતે તમારે તમારામાંથી દુષ્ટતા દૂર કરવી.

8 કુષ્ઠ રોગ વિષે તમે સાવધ રહો, કે જેથી લેવી યાજકોએ શીખવેલી સૂચનાઓ તમે કાળજીપૂર્વક પાળો જેમ મેં તમને આજ્ઞા આપી તે પ્રમાણે તમે કરો. 9 મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાહ તમારા ઈશ્વરે મરિયમ સાથે શું કર્યું તે યાદ કરો.

10 જ્યારે તમે તમારા પડોશીને કંઈ ઉધાર આપો, ત્યારે તમે ગીરે મૂકેલી વસ્તુ લેવા તેના ઘરમાં ન જાઓ. 11 તમે બહાર ઊભો રહો, જે માણસે તમારી પાસેથી ઉધાર લીધું હશે તે ગીરે મૂકેલી વસ્તુને તમારી પાસે બહાર લાવે.

12 જો કોઈ માણસ ગરીબ હોય તો તેની ગીરેવે મૂકેલી વસ્તુ લઈને તમે ઊંઘી જશો નહિ. 13 સૂર્ય આથમતાં પહેલાં તમારે તેની ગીરે મૂકેલી વસ્તુ પાછી આપી દેવી, કે જેથી તે તેનો ઝભ્ભો પહેરીને સૂએ અને તમને આશીર્વાદ આપે; યહોવાહ તમારા ઈશ્વરની આગળ તે તારું ન્યાયીપણું ગણાશે.

14 તમારા ઇઝરાયલી સાથીદાર સાથે કે તમારા દેશમાં તમારા ગામોમાં રહેનાર પરદેશીમાંના કોઈ ગરીબ કે દરિદ્રી ચાકર પર તમે જુલમ ન કરો; 15 દરેક દિવસે તમે તેનું વેતન તેને આપો; સૂર્ય તે પર આથમે નહિ, કેમ કે તે ગરીબ છે તેના જીવનનો આધાર તેના પર જ છે. આ પ્રમાણે કરો કે જેથી તે તમારી વિરુદ્ધ યહોવાહને પોકાર કરે નહિ અને તમે દોષિત ઠરો નહિ.

16 સંતાનોનાં પાપને કારણે તેઓનાં માતાપિતા માંર્યા જાય નહિ, માતાપિતાઓનાં પાપને કારણે સંતાનો માંર્યા જાય નહિ. પણ દરેક પોતાના પાપને કારણે માર્યો જાય.

17 પરદેશી કે અનાથોનો તમે ન્યાય ન કરો, કે વિધવાનાં વસ્રો કદી ગીરે ન લો. 18 તમે મિસરમાં ગુલામ હતા અને યહોવાહ તમારા ઈશ્વરે તમને ત્યાંથી બચાવ્યા તે તમારે યાદ રાખવું. તે માટે હું તમને આ આજ્ઞા પાળવાનું ફરમાવું છું.

19 જયારે તમે ખેતરમાં વાવણી કરો, ત્યારે જો તમે પૂળો ખેતરમાં ભૂલી જાઓ તો તે લેવા તમે પાછા જશો નહિ, તેને પરદેશી, અનાથો તથા વિધવાઓ માટે ત્યાં જ પડયો રહેવા દેવો, જેથી યહોવાહ તમારા ઈશ્વર તમને તમારા હાથનાં સર્વ કામમાં આશીર્વાદ આપે. 20 જયારે તમે જૈતૂનનાં વૃક્ષને ઝૂડો ત્યારે ફરીથી ડાળીઓ પર ફરો નહિ; તેના પર રહેલા ફળ પરદેશીઓ, વિધવાઓ અને અનાથો માટે રહે.

21 જયારે તમે તમારી દ્રાક્ષવાડીની દ્રાક્ષ ભેગી કરી લો, ત્યારે ફરીથી તેને એકઠી ન કરો. તેને પરદેશી માટે, વિધવા માટે તથા અનાથો માટે રહેવા દો. 22 યાદ રાખો કે તમે મિસર દેશમાં ગુલામ હતા, એ માટે તમને આજ્ઞા પાળવાનું ફરમાવું છું.



Chapter 25

1 જો બે માણસો વચ્ચે ઝઘડો હોય અને તેઓ ન્યાય માટે અદાલતમાં જાય, ન્યાયાધીશો ન્યાય કરે, તેઓ ન્યાયીને નિર્દોષ અને દુષ્ટનો તિરસ્કાર કરે. 2 જો ગુનેગાર ફટકા મારવા યોગ્ય હોય તો ન્યાયાધીશ તેને નીચે સુવાડીને તેના ગુના પ્રમાણે ગણીને તેની હાજરીમાં ફટકા મારે.

3 ન્યાયાધીશ તેને ચાળીસ ફટકા મારે, પણ ચાળીસથી વધારે ફટકા ન મારે; કેમ કે જો તે તેને વધારે ફટકા મારે, તો તમારો સાથી તમારી નજરમાં અપમાનિત ઠરે.

4 પારે ફરતા બળદના મોં પર તું જાળી ન બાંધ.

5 જો બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એક નિ:સંતાન મૃત્યુ પામે, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષ સાથે લગ્ન કરવું નહિ. તેના પતિનો ભાઈ તેની પાસે જાય અને તેને પોતાના માટે પત્ની તરીકે લે, તેની પ્રત્યે પતિના ભાઈની ફરજ અદા કરે. 6 અને એમ થાય કે તેને જે પ્રથમજનિત જન્મે તે તે માણસનાં મૃત્યુ પામેલા ભાઈનું નામ પ્રાપ્ત કરે, જેથી તેનું નામ ઇઝરાયલમાંથી નષ્ટ ન થાય.

7 પણ જો તે માણસ પોતાના મૃત્યુ પામેલા ભાઈની પત્નીને પોતાની પત્ની તરીકે રાખવા ઇચ્છતો ન હોય તો તેના ભાઈની પત્નીએ ગામના આગેવાનો સમક્ષ જઈને કહે કે, "મારા પતિનો ભાઈ તેના ભાઈનું નામ ઇઝરાયલમાં રાખવાનો ઇનકાર કરે છે; વળી તે મારા પ્રત્યે પતિના ભાઈની ફરજ બજાવવા ઇચ્છતો નથી." 8 ત્યારે નગરના વડીલો તેને બોલાવીને તેને કહે. પણ કદાચ તે આગ્રહ કરીને કહે, "હું તેને લેવા ઇચ્છતો નથી."

9 તો પછી તેના ભાઈની પત્ની વડીલોની હાજરીમાં તેની પાસે જાય, તેના પગમાંથી તેના ચંપલ કાઢી નાખીને તેના મુખ પર થૂંકે. તે તેને જવાબ આપીને કહે, "જે માણસ પોતાના ભાઈનું ઘર બાંધવા ઇચ્છતો નથી તેના આવા જ હાલ થાય." 10 ઇઝરાયલમાં તેનું નામ આ રાખવામાં આવે, "જેના ચંપલ કાઢી લેવાયાં હતાં તેનું કુટુંબ."

11 જો કોઈ માણસો એકબીજાની સાથે ઝઘડો કરતા હોય અને તેઓમાંના કોઈ એકની સ્ત્રી પોતાના પતિને મરનારના હાથમાંથી છોડાવવાને જાય અને હાથ લાંબો કરીને તેના શરીરના ખાનગી ભાગને પકડે, 12 તો તમારે તે સ્ત્રીનો હાથ કાપી નાખવો; તમારી આંખ તેના પર દયા ન લાવે.

13 તમારે તમારી થેલીમાં જુદા જુદા માપનાં કાટલાં એટલે કે એક હલકું અને બીજું ભારે એમ ન રાખવાં. 14 વળી તમારા ઘરમાં અનેક તરેહના માપ એટલે એક મોટું અને બીજું નાનું એમ ન રાખો.

15 તમારે સાચું અને પ્રમાણિત વજન તથા માપ રાખવું જેથી યહોવાહ તમારા ઈશ્વર જે દેશ તમને આપે છે તેમાં તમે લાંબુ આયુષ્ય ભોગવો. 16 જે કોઈ વ્યક્તિ એવાં કામ કરે છે એટલે જેઓ અન્યાય કરે છે. તે સર્વ યહોવાહ તમારા ઈશ્વરને ધિક્કારપાત્ર લાગે છે.

17 તમે જયારે મિસરથી આવતા હતા ત્યારે અમાલેકે જે કર્યું તે તમે યાદ કરો; 18 તમે બેહોશ અને થાકેલાં હતા ત્યારે માર્ગમાં તે તમને મળ્યો. અને જે અબળો તારી પાછળ હતા તેઓના સર્વ પર આક્રમણ તેણે કર્યુ; અને ઈશ્વરનો પણ તેને ડર લાગ્યો નહિ. 19 તેથી યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વારસા તથા વતન તરીકે આપે છે તેમાં તે તમારી આસપાસના શત્રુઓથી તમને રાહત આપે ત્યારે એમ થાય કે તમે આકાશ તળેથી અમાલેકનું નામોનિશાન નષ્ટ કરી નાખવાનું તમે ભૂલશો નહિ.



Chapter 26

1 અને યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ વતન તરીકે આપે છે તેમાં તમે આવો અને તેનો વારસો લઈને તેમાં રહો ત્યારે એમ થાય કે, 2 જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તે ભૂમિનો પ્રથમ પાક તમારે લઈને તેને ટોપલીમાં ભરી જે સ્થળ યહોવાહ તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા સારું પસંદ કરે ત્યાં લઈ જવો.

3 અને તે દિવસે ત્યાં જે કોઈ યાજક સેવા કરતો હોય તેની પાસે જઈને કહેવું કે, "આજે હું યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ જાહેર કરું છું કે, જે દેશ આપણને આપવાને યહોવાહે આપણા પિતૃઓની આગળ સમ ખાધા હતા તેમાં અમે પહોંચ્યા છીએ.'' 4 પછી યાજક તમારા હાથમાંથી ટોપલી લઈને યહોવાહ તમારા ઈશ્વરની વેદી આગળ નીચે મૂકે.

5 પછી તમારે યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ એમ કહેવું કે, "અમારા પિતા સ્થળાંતર [1] કરીને આવેલ અરામી હતા અને મિસરમાં જઈને રહ્યા. અને તેમના લોકની સંખ્યા થોડી હતી. ત્યાં તેઓ એક મોટી, શક્તિશાળી અને વસ્તીવાળી પ્રજા બન્યા.

6 પરંતુ મિસરીઓએ અમારી સાથે દુર્વ્યવહાર કરી અમને ગુલામ બનાવી અમારી પાસે સખત મજૂરી કરાવી. 7 ત્યારે અમે અમારા પિતૃઓના ઈશ્વર યહોવાહને પોકાર કર્યો. તેમણે અમારો સાદ સાંભળ્યો અને અમારી વિપત્તિ, મુશ્કેલીઓ અને અમારા પર થતાં જુલમ પર દ્રષ્ટિ કરી.

8 અને યહોવાહે પોતાના બળવાન હાથે અદ્ભૂત સામર્થ્યથી તથા તેમના પ્રચંડ બાહુબળથી, ચિહ્ન તથા ચમત્કારોથી અમને મિસરમાંથી બહાર લાવ્યા; 9 અને અમને આ સ્થળે લાવીને તેમણે અમને દૂધ તથા મધથી રેલછેલવાળો [2] દેશ આપ્યો.

10 અને હવે, હે યહોવાહ જુઓ જે દેશ તમે અમને આપ્યો છે તેની ઊપજનું પ્રથમ ફળ અમે લાવ્યા છીએ." અને યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ તે મૂકીને તમારે યહોવાહ તમારા ઈશ્વરનું ભજન કરવું; 11 અને જે કંઈ સારું યહોવાહ તમારા ઈશ્વરે તમારા અને ઘરનાંને માટે કર્યુ હોય તે સર્વમાં તમારે તથા લેવીઓએ અને તમારી મધ્યે રહેતા પરદેશીઓએ ભેગા મળીને આનંદોત્સવ કરવો.

12 ત્રીજું વર્ષ દશાંશનું વર્ષ છે. તેમાં જ્યારે તમે તમારી ઊપજનો દશાંશ આપી ચૂકો પછી તમારે લેવીઓને, પરદેશીઓને, વિધવાઓને અને અનાથોને આપવો જેથી તેઓ તમારી ભાગળોમાં ખાઈને તૃપ્ત થાય. 13 પછી તમારે યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ કહેવું કે, 'અમે અમારા ઘરમાંથી બધી અર્પિત વસ્તુઓ કાઢી છે અને અમે તે વસ્તુઓ લેવીઓને, પરદેશીઓને, વિધવાઓને અને અનાથોને તમારી આજ્ઞા મુજબ આપી છે. અમે તમારી એકપણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી તેમ જ અમે ભૂલી પણ ગયા નથી.

14 શોકના સમયમાં અમે તેમાંથી કંઈ પણ ખાધું નથી અને અશુદ્ધ થઈને અમે તેમાંથી કંઈ રાખી મૂક્યું નથી. વળી મૂએલાંને સારું તેમાંથી કંઈ આપ્યું નથી; અમે યહોવાહ અમારા ઈશ્વરની વાણી સાંભળીને જે સર્વ આજ્ઞા તમે અમને આપી છે તે પ્રમાણે કર્યું છે. 15 તમે તમારા પવિત્ર રહેઠાણમાંથી એટલે સ્વર્ગમાંથી નીચે જોઈ અને તમારી ઇઝરાયલી પ્રજા તેમ જ અમારા પિતૃઓની આગળ સમ ખાધા હતા તે પ્રમાણે જે ભૂમિ તમે અમને આપી છે એટલે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ આપ્યો છે તેના પર આશીર્વાદ આપો.

16 આજે યહોવાહ તમારા ઈશ્વર તમને આ નિયમો અને હુકમો પાળવાની આજ્ઞા કરે છે; માટે તમે તમારા પૂરા હૃદયથી તથા પૂરા જીવથી તેને પાળો તથા અમલમાં મૂકો. 17 તમે આજે યહોવાહને તમારા ઈશ્વર તરીકે સ્વીકાર્યાં છે. તમે તેમના માર્ગમાં ચાલશો તથા તેમના કાયદાઓ, આજ્ઞાઓ અને નિયમો પાળશો અને તેમની વાણી સાંભળશો.

18 અને યહોવાહે તમને જે વચન આપ્યું હતું તે પ્રમાણે તેમણે કબૂલ કર્યું છે કે, તમે તેમના પસંદ કરેલા લોક છો તેથી તમારે તેમની સર્વ આજ્ઞાઓ પાળવી. 19 અને જે દેશજાતિઓને તેમણે ઉત્પન્ન કરી છે તે સર્વના કરતાં તમને મહાન પ્રજા બનાવશે અને તમને માન-પ્રતિષ્ઠા અને આદર પ્રાપ્ત થશે. અને યહોવાહે આપેલા વચન પ્રમાણે તમે યહોવાહ તમારા ઈશ્વરની પવિત્ર પ્રજા થશો.


Footnotes


26:5 [1]નાશ કરીને આવેલો
26:9 [2]ફળદ્રૂપ


Chapter 27

1 અને મૂસાએ તથા ઇઝરાયલના આગેવાનોએ લોકોને આજ્ઞા આપી કે, "જે આજ્ઞાઓ આજે હું તમને બધાને ફરમાવું છું તે સર્વ પાળો. 2 જયારે તમે યર્દન નદી ઓળંગીને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેમાં તમે જાઓ ત્યારે તમારે પોતાને સારુ મોટા પથ્થર ઊભા કરીને તેના પર ચૂનાનો લેપ મારજો. 3 પાર ઊતર્યા પછી આ નિયમના સર્વ શબ્દો તેના પર તમારે લખવા. તમે યહોવાહ તમારા ઈશ્વર તમને જે દેશ આપે છે એટલે કે દૂધ તથા મધથી રેલછેલવાળો [1] દેશ, યહોવાહ તમારા પિતૃઓના ઈશ્વરે તમને આપેલા વચન પ્રમાણે તમને આપે છે, તેમાં તમે જાઓ.

4 જયારે તમે યર્દન પાર કરી રહો, ત્યારે આ પથ્થરો જે વિષે હું આજે તમને આજ્ઞા આપું છું તેઓને એબાલ પર્વત પર મૂકવા અને તેના પર ચૂનો લેપ કરવો. 5 ત્યાં તમારે યહોવાહ તમારા ઈશ્વરના નામે પથ્થરની વેદી બાંધવી, પણ તમે તે પથ્થર પર લોખંડનું હથિયાર વાપરશો નહિ.

6 તમારે યહોવાહ તમારા ઈશ્વર માટે વેદી બાંધવા સારુ અસલ પથ્થરોનો ઉપયોગ કરવો, તેના ઉપર યહોવાહ તમારા ઈશ્વર માટે દહનીયાર્પણ ચઢાવવાં. 7 તમારે શાંત્યર્પણો ચઢાવીને ત્યાં ખાવું; તમારે યહોવાહ તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો. 8 પથ્થરો ઉપર તારે નિયમના બધા શબ્દો સ્પષ્ટ રીતે લખવા."

9 મૂસાએ તથા લેવી યાજકોએ સર્વ ઇઝરાયલને કહ્યું, "હે ઇઝરાયલ શાંત રહો અને સાંભળો. આજે તમે યહોવાહ તમારા ઈશ્વરની પ્રજા થયા છે. 10 તે માટે તમારે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળવો, આજે હું તમને જે આજ્ઞાઓ અને કાનૂનો ફરમાવું છું તેનું પાલન કરવું."

11 તે જ દિવસે મૂસાએ તે લોકોને આજ્ઞા આપીને કહ્યું, 12 "યર્દન નદી પાર કર્યા પછી લોકોને આશીર્વાદ આપવા, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યૂસફ તથા બિન્યામીન કુળો ગરીઝીમ પર્વત પર ઊભાં રહે.

13 રુબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન તથા નફતાલીનાં કુળો શાપ આપવા એબાલ પર્વત પર ઊભાં રહે. 14 લેવીઓ જવાબ આપીને મોટે અવાજે સર્વ ઇઝરાયલના માણસોને કહે.

15 'જે માણસ કોતરેલી કે ગાળેલી ધાતુની એટલે કારીગરના હાથે બનેલી પ્રતિમા, જે યહોવાહને ઘૃણાસ્પદ લાગે છે તે બનાવીને તેને ગુપ્તમાં ઊભી કરે તે શાપિત હો.' અને બધા લોકો જવાબ આપીને કહે, 'આમીન'.

16 'જે કોઈ માણસ પોતાના પિતા કે માતાનો અનાદર કરે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'

17 'જે કોઈ માણસ પોતાના પડોશીની જમીનની સીમાનું નિશાન હઠાવે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'

18 'જે કોઈ માણસ અંધ વ્યક્તિને રસ્તાથી દૂર ભમાવે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'

19 'જે કોઈ માણસ પરદેશી, અનાથ કે વિધવાનો અન્યાય કરે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'

20 'જે કોઈ માણસ પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે તો તે શાપિત થાઓ, કેમ કે, તેણે પોતાના પિતાની નિવસ્ત્રતા જોઈ.' અને બધા લોકો કહે, 'આમીન.'

21 'જે કોઈ માણસ કોઈ પણ પ્રકારના પશુંની સાથે કુકર્મ કરે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'

22 'જો કોઈ માણસ પોતાની બહેન સાથે, પોતાના પિતાની દીકરી, પોતાની માતાની દીકરી સાથે કુકર્મ કરે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'

23 'જે કોઈ માણસ તેની સાસુ સાથે કુકર્મ કરે તો તે શ્રાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'

24 'જે કોઈ માણસ પોતાના પડોશીને ગુપ્ત રીતે મારી નાખે તો તે શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'

25 'જે કોઈ માણસ નિર્દોષ માણસને મારી નાખવા માટે લાંચ લે તો તે માણસ શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.' 26 'જે કોઈ માણસ આ નિયમના શબ્દોનું પાલન ન કરે તો તે માણસ શાપિત થાઓ.' અને બધા લોકો કહે, 'આમીન.'


Footnotes


27:3 [1]ફળદ્રૂપ


Chapter 28

1 જો યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ કાળજીથી સાંભળીને જે આજ્ઞાઓ હું આજે તને ફરમાવું છું તે સર્વ પાળીને તેને અમલમાં મૂકો, તો યહોવાહ તમારા ઈશ્વર તમને પૃથ્વીની બીજી જાતિઓ ઉપર શ્રેષ્ઠ દેશજાતિ તરીકે સ્થાપિત કરશે. 2 જો તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળશો, તો આ બધા આશીર્વાદ તમારા ઉપર આવશે અને તમને મળશે.

3 તમે નગરમાં આશીર્વાદિત થશો, ખેતરમાં તમે આશીર્વાદિત થશો. 4 તમારાં સંતાન, તમારી ભૂમિનું ફળ, તમારાં પશુનું ફળ, તમારાં ઘેટાંબકરાં તથા અન્ય જાનવરોના બચ્ચાં આશીર્વાદિત થશે.

5 તમારી ફળની ટોપલી તથા તમારા ગૂંદવાની વાસણ આશીર્વાદિત થશે. 6 તમે અંદર આવતાં અને બહાર જતાં આશીર્વાદિત થશો.

7 યહોવાહ તમારા ઉપર હુમલો કરવા આવનાર શત્રુઓને પરાજિત કરશે; તમારી સામે તેઓ એક માર્ગેથી આવશે તો પણ તમારી સામેથી સાત માર્ગે નાસી જશે. 8 યહોવાહ તમારા ભંડારોમાં અને જેમાં તમે હાથ નાખો છો તે સર્વમાં અને જે દેશ યહોવાહ તમારા ઈશ્વર તમને આપે છે તેમાં તમને આશીર્વાદ આપશે.

9 જો તમે યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ પાળીને તેમના માર્ગોમાં ચાલશો. તો જેમ, યહોવાહે તમારી આગળ સમ ખાધા છે તેમ તે તમને પોતાની પવિત્ર પ્રજા તરીકે સ્થાપશે. 10 પૃથ્વીના સર્વ લોક જોશે કે, યહોવાહના નામ પરથી તમારું નામ પડેલું છે. અને તેઓ તમારાથી બીશે.

11 અને જે દેશ તમને આપવા અંગે યહોવાહે તમારા પિતૃઓ આગળ સમ ખાધા હતા, તેમાં તમારાં સંતાનો વિષે, તમારાં જાનવરોના બચ્ચા વિષે તથા તમારી ભૂમિના ફળ વિષે તમને ઘણાં જ આબાદ કરશે. 12 તમારા દેશ પર મોસમમાં વરસાદ મોકલવા માટે અને તમારા હાથનાં કામ પર આશીર્વાદ આપવા માટે યહોવાહ તમારા માટે અખૂટ ભંડાર એટલે આકાશ ઉઘાડશે; અને તમે ઘણી દેશજાતિઓને ઉછીનું આપશો પણ તમારે ઉછીનું લેવું નહિ પડે.

13 અને યહોવાહ તમને સર્વના અગ્રેસર બનાવશે, પણ પૂંછ નહિ. અને તમે ઉપર જ રહેશો નીચે નહિ. જો યહોવાહ તમારા ઈશ્વરની આજ્ઞાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે લક્ષ આપીને પાળો અને અમલમાં લાવો, 14 અને જે વચનો આજે હું તમને કહું છું તેઓમાંના કોઈથી જો તમે ડાબે કે જમણે ફરી જઈને અન્ય દેવોની સેવા કરવા તેઓની પાછળ નહિ જાઓ, તો તે પ્રમાણે થશે.

15 યહોવાહ તમારા ઈશ્વરની વાણી ન સાંભળતાં તેમની જે સર્વ આજ્ઞાઓ તથા કાયદાઓ જે આજે હું તમને ફરમાવું છું તેઓને તમે પાળીને તમે અમલમાં નહિ મૂકો, તો એમ થશે કે, આ સર્વ શાપ તમારા પર આવીને તમને પકડી પાડશે.

16 તમે નગરમાં શાપિત થશો અને ખેતરમાં શાપિત થશો. 17 તમારી ફળની ટોપલી તથા તમારો ગૂંદવાનો વાસણ શાપિત થશે.

18 તમારા સંતાનો તથા તમારી ભૂમિના ફળ, તમારી ગાયોનો વિસ્તાર તથા તમારા ઘેટાંબકરાંના બચ્ચાં શાપિત થશે. 19 તમે અંદર આવતાં તેમ જ બહાર જતા શાપિત થશો.

20 જે કંઈ કામમાં તમે હાથ નાખશે તેમાં યહોવાહ તમારા પર શાપ તથા પરાજય તથા ધમકી મોકલશે, એટલે સુધી કે, જે દુષ્ટ કામ કરીને તમે મારો ત્યાગ કર્યો છે. તેથી તમારો સંહાર થાય અને તમે જલ્દી નાશ પામો. 21 જે દેશનું વતન પામવા સારુ તમે જાઓ છો, તેમાંથી યહોવાહ તમારો પૂરો નાશ નહિ કરે ત્યાં સુધી તે તમારા પર મરકી લાવ્યા કરશે.

22 યહોવાહ તમને ચેપી રોગોથી તથા સોજાથી, સખત તાપથી, તલવાર [1] થી, લૂ તથા ફૂગથી મારશે. અને તમારો નાશ થતા સુધી તેઓ તમારી પાછળ લાગશે. 23 તમારા માથા ઉપરનું આકાશ પિત્તળ જેવું થઈ જશે. તમારા પગ નીચેની ભૂમિ તે લોખંડ જેવી થઈ જશે. 24 તમારા દેશ પર યહોવાહ વરસાદને બદલે ભૂકો તથા ધૂળ વરસાવશે; તમે નાશ પામો ત્યાં સુધી આકાશમાંથી તે તમારા પર વરસ્યા કરશે.

25 યહોવાહ તમારા શત્રુઓની સામે તમને માર ખવડાવશે, તમે એક માર્ગે તેઓની સામે ધસી જશે અને સાત માર્ગે તેઓની સામેથી નાસી જશો; અને પૃથ્વીના સર્વ રાજ્યોમાં તમે આમતેમ ભટક્યા કરશો. 26 અને તમારા મૃતદેહ ખેચર પક્ષીઓનો તથા પૃથ્વીના સર્વ પશુઓનો ખોરાક થશે. અને તેઓને નસાડી મૂકનાર કોઈ નહિ હોય.

27 મિસરનાં ગૂમડાંથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવાહ તમને મારશે. અને તેમાંથી તમે સાજા થઈ શકશો નહિ. 28 પાગલપનથી, અંધાપાથી તથા મનના ગભરાટથી યહોવાહ તમને મારશે. 29 અને જેમ અંધજન અંધારામાં ફાંફાં મારે છે તેમ તમે ભર બપોરે ફાંફાં મારશો. અને તમારા માર્ગોમાં તમે સફળ નહિ થાઓ; અને તમે કેવળ લૂંટ તથા જુલમને આધીન થશો. અને તમને બચાવનાર કોઈ નહિ હોય.

30 તમે જે સ્ત્રી સાથે સગાઈ કરશો તેનો ઉપભોગ બીજો પુરુષ કરશે. તમે ઘર બાંધશો પણ તેમાં રહેવા નહિ પામો; તમે દ્રાક્ષવાડીઓ રોપશો પણ તેનાં ફળ તમે ખાવા નહિ પામો. 31 તમારી નજર આગળથી તમારો બળદ કાપી નંખાશે પણ તેનું માસ તમે ખાવા નહિ પામો. તમારા દેખતાં તમારો ગધેડો બળાત્કારે લઈ લેવાશે અને તે તમને પાછો મળશે નહિ. તમારું ઘેટું તમારા શત્રુઓને આપવામાં આવશે અને તમને મદદ કરનાર કોઈ નહિ હોય.

32 તમારા દીકરાઓ અને તમારી દીકરીઓ બીજા લોકને અપાશે અને તમારી આંખ તે જોશે. તેઓને સારુ ઝૂરી ઝૂરીને તમારી આંખો ઝાંખી થઈ જશે. અને તમે કંઈ જ કરી શકશો નહિ.

33 જે દેશજાતિઓને તમે ઓળખતા નથી તે તમારી ભૂમિનું ફળ તથા તમારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે; અને તમે સર્વદા ફક્ત જુલમ જ વેઠ્યા કરશો તથા કચરી નંખાશો. 34 અને તમારી આંખો જે દ્રશ્ય નીરખશે, તેને લીધે તમે પાગલ થઈ જશો. 35 તમારા પગનાં તળિયાથી માંડીને માથાના તાલકા સુધી પીડાકારક તથા અસાધ્ય ગૂમડાં થશે. અને યહોવાહ તમને ઘૂંટણોમાં તથા પગોમાં મારશે.

36 જે દેશ જાતિઓને તમે કે તમારા પિતૃઓ ઓળખતા નથી તેની પાસે યહોવાહ તમને તથા જે રાજા તમે તમારા પર ઠરાવો તેને લાવશે; અને ત્યાં તમે લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની પૂજા કરશો. 37 જે સર્વ લોકોમાં યહોવાહ તમને દોરશે તેઓ મધ્યે તમે કહેણીરૂપ, ત્રાસરૂપ તથા ઘૃણાપાત્ર થઈ પડશો.

38 તમે ખેતરમાં ઘણું બીજ લઈ જશો, પણ તમે તેમાંથી થોડાં જ બીજ પેદા કરી શકશો, કેમ કે, તીડ તે ખાઈ જશે. 39 તમે દ્રાક્ષવાડીઓ રોપશો અને તેને ઉછેરશો, પણ તમે તેમાંથી દ્રાક્ષારસ પીવા પામશો નહિ, કે તેમાંની દ્રાક્ષ પણ ભેગી કરવા પામશો નહિ, કેમ કે કીડા તેઓને ખાઈ જશે.

40 તમારા આખા પ્રદેશમાં તમારી પાસે જૈતૂનવૃક્ષ હશે, પણ તમે તમારા પર તેનું તેલ લગાવવા નહિ પામો, કેમ કે, તમારાં જૈતૂનવૃક્ષનાં ફળ ખરી પડશે. 41 તમને દીકરા અને દીકરીઓ હશે, પણ તેઓ તમારાં નહિ થાય, કેમ કે, તેઓ ગુલામી કરવા જશે.

42 તમારા બધા વૃક્ષો અને જમીનનાં ફળ તીડો ખાઈ જશે. 43 તમારી મધ્યે રહેલો પરદેશી તમારા કરતાં વધારે અને વધારે ઉચ્ચ થશે, પણ તમે વધારે અને વધારે નિમ્ન થતાં જશો. 44 તેઓ તમને ઉછીનું આપશે, પણ તમે તેઓને ઉછીનું નહિ આપો, તે સર્વોપરી થશે અને તમે પાછળ રહી જશો.

45 તમારો નાશ થતાં સુધી આ બધા શાપો તમારા પર આવશે અને તમારી પાછળ લાગીને તમને પકડી પાડશે. કેમ કે, તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહિ, તેમની જે આજ્ઞાઓ તથા કાનૂનો તેમણે તમને ફરમાવ્યાં તે પાળ્યાં નહિ. માટે આ પ્રમાણે બધું થશે. 46 આ બધા શાપો તમારા પર તથા તમારા વંશજો પર હંમેશા ચિહ્નોરૂપ તથા આશ્ચર્યરૂપ થઈ પડશે.

47 જયારે તમે સમૃદ્ધ હતા ત્યારે તમે યહોવાહ તમારા ઈશ્વરની આરાધના આનંદથી તથા ઉલ્લાસથી કરી નહિ, 48 માટે તમે ભૂખમાં, તરસમાં, નિવસ્ત્રઅવસ્થામાં તથા દરિદ્રતામાં તમારા દુશ્મનો કે, જેઓને યહોવાહ તમારી વિરુદ્ધ મોકલશે તેઓની તમે સેવા કરશે. તમારો નાશ થતાં સુધી યહોવાહ [2] તમારી ગરદન પર લોખંડની ઝૂંસરી મૂકશે.

49 યહોવાહ પૃથ્વીના છેડાથી એટલે દૂર દેશથી એક દેશજાતિ જેની ભાષા તમે સમજશો નહિ તેને જેમ ગરુડ ઊડતો હોય છે તેમ તમારી વિરુદ્ધ લાવશે; 50 તે જાતિ વિકરાળ હાવભાવ વાળી કે જે વૃદ્ધોનો આદર ન કરે અને જુવાનો પર દયા ન રાખતો હોય તેવી હશે. 51 તે તમારો નાશ થતાં સુધી તમારા પશુઓના બચ્ચાં અને તમારી ભૂમિનું ફળ ખાઈ જશે. તેઓ તમારો વિનાશ થતાં સુધી તમારા માટે અનાજ, નવો દ્રાક્ષારસ, તેલ, પશુઓ કે ઘેટાંબકરાંના બચ્ચાં રહેવા દેશે નહિ.

52 તમારા દેશમાંના જે ઊંચી અને કોટવાળી દીવાલો કે જેઓના પર તમે ભરોસો રાખતા હતા, તેઓ દરેક જગ્યાએ પડી જતાં સુધી તમારા નગરમાં ઘેરો નાખશે. યહોવાહ તમારા ઈશ્વરે જે આખો દેશ તમને આપ્યો છે તેમાં તમારા સર્વ નગરોમાં તે ઘેરી લેશે. 53 જે ઘેરો તથા આપત્તિ તમારા દુશ્મનો તમારા પર લાવ્યા છે, તેને લીધે તમે તમારા સંતાનોને, એટલે તમારા દીકરાદીકરીઓ યહોવાહ તમારા ઈશ્વરે તમને આપ્યાં છે તે તઓનું માંસ તમે ખાશો.

54 તમારી મધ્યે જે કોઈ માણસ લાગણીશીલ હશે તેની નજર તેના ભાઈ પ્રત્યે, પોતાની પ્રિય પત્ની પ્રત્યે અને પોતાનાં બાકી રહેલાં સંતાનો પ્રત્યે ઈર્ષ્યાળુ થશે. 55 જે પોતાનાં સંતાનોનું માંસ ખાતો હશે તે તેઓમાંના કોઈને નહિ આપે, કેમ કે જે ઘેરાથી તથા આપત્તિથી તમારા સર્વ નગરોમાં તમારા શત્રુઓ ઘેરો નાખશે, તેને લીધે તેની પાસે કંઈ જ રહ્યું નહિ હોય.

56 તમારી મધ્યે જે કોમળ તથા નાજુક સ્ત્રી તેની કોમળતા તથા નાજુકતાને લીધે પોતાના પગની પાની જમીન પર મૂકવાનું સાહસ કરી શકતી નહિ હોય, તે પોતાના પ્રિય પતિ પ્રત્યે, પોતાના દીકરા પ્રત્યે, પોતાની દીકરી પ્રત્યે, 57 પોતે જન્મ આપેલા સંતાન પ્રત્યે અને જે બાળકને તે જન્મ આપવાની હોય તેના પ્રત્યે ઈર્ષ્યાળુ થશે. કેમ કે જે ઘેરાથી તથા આપત્તિથી તમારા શત્રુઓ તમને ઘેરશે, તેમાં સર્વ વસ્તુની અછતને લીધે તે તેઓને છાનીમાની રીતે ખાઈ જશે.

58 યહોવાહ તમારા ઈશ્વરના ગૌરવી તથા ભયાનક નામથી તમે બીહો, માટે આ નિયમના જે સર્વ શબ્દો આ પુસ્તકમાં લખેલા છે, તે તમે પાળીને અમલમાં નહિ મૂકો, 59 તો યહોવાહ તમારા પર તથા તમારા વંશજો પર મરકીઓ, આકસ્મિક મરકીઓ, એટલે ભારે તથા લાંબા સમય ચાલે એવી મરકીઓ તથા ભારે તથા લાંબા સમયનો રોગ લાવશે.

60 મિસરના જે રોગથી તમે બીતા હતા, તે રોગો હું તમારા પર લાવીશ; તે તમને વળગી રહેશે. 61 તમારો નાશ થાય ત્યાં સુધી જે રોગ તથા મરકી નિયમનાં પુસ્તકમાં લખેલાં નથી, તે યહોવાહ તારા પર લાવ્યા કરશે. 62 તમે સંખ્યામાં આકાશના તારાઓ જેટલા હતા તેને બદલે અતિ અલ્પ થઈ જશો, કેમ કે તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળ્યો નથી.

63 જેમ યહોવાહ તમારું ભલું કરવામાં અને તમારી વૃદ્ધિ કરવામાં આનંદ પામતા હતા, તમે યહોવાહ તમારો વિનાશ કરવામાં તથા નાશ કરવામાં આનંદ પામશે. જે દેશમાં તમે વતન પામવા જાઓ છો તેમાંથી તને ઉખેડી નાખવામાં આવશે. 64 યહોવાહ તમને પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી વિખેરી નાખશે; ત્યાં તમે કે તમારા પિતૃઓ લાકડાંના અને પથ્થરના દેવો જેઓને તમે ઓળખતા નથી, તેઓની પૂજા કરશો.

65 આ દેશજાતિઓ મધ્યે તને કંઈ ચેન નહિ પડે, તમારા પગનાં તળિયાંને કંઈ આરામ નહિ મળે, પણ, ત્યાં યહોવાહ તમને કંપિત હૃદય, ધૂંધળી આંખ અને શોકાતુર હૃદય આપશે. 66 તમારું જીવન શંકામાં રહશે; તમે રાત અને દિવસ ભયભીત રહેશો અને તમારા જીવનની કોઈ ખાતરી નહિ રહે. 67 તમારા મનમાં જે બીક લાગશે તેને લીધે અને તમારી આંખોથી જે બનાવ તું જોશે તેને લીધે સવારમાં તમે કહેશો કે, ઈશ્વર કરે અને ક્યારે સાંજ પડે અને સાંજે તમે કહેશે કે, ઈશ્વર કરે અને ક્યારે સવાર થાય. 68 જે માર્ગ વિષે મેં તમને કહ્યું હતું કે તે માર્ગ પર ફરી કદી તમે જશો નહિ. અને તે માર્ગ પર વહાણોમાં યહોવાહ ફરીથી તને મિસરમાં લાવશે. ત્યાં તમે દાસ અને દાસી તરીકે તમારા શત્રુઓને વેચાઈ જવા માગશો પણ તમને કોઈ ખરીદશે નહિ.


Footnotes


28:22 [1]દુકાળથી
28:48 [2]દુશ્મનો


Chapter 29

1 હોરેબમાં જે કરાર યહોવાહે ઇઝરાયલી લોકો સાથે કર્યો, તે ઉપરાંત મોઆબ દેશમાં તેઓની સાથે જે કરાર કરવા ને મૂસાએ આજ્ઞા આપી હતી તે આ મુજબ છે.

2 અને મૂસાએ સર્વ ઇઝરાયલી લોકોને બોલાવીને તેઓને કહ્યું, "તમારી નજર આગળ મિસર દેશમાં ફારુનને તથા તેના સેવકોને તથા સમગ્ર દેશને યહોવાહે જે કર્યુ તે બધું તમે નિહાળ્યું છે; 3 એટલે તમારી આંખોએ જોયેલ ભયંકર મરકી, ચિહ્નો, તથા અદ્દભુત ચમત્કારો તમે જોયા. 4 પણ યહોવાહે તમને સમજણવાળું હૃદય કે નિહાળતી આંખ કે સાંભળવાને કાન આજ દિન સુધી આપ્યાં નથી.

5 મેં તમને ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ચલાવ્યાં, તેમ છતાં તમારાં શરીર પરનાં વસ્ત્રો ફાટી ગયાં નહિ કે તમારાં પગરખાં ઘસાઈ ગયાં નહિ. 6 તમે રોટલી ખાધી નથી તેમ જ દ્રાક્ષાસવ કે મદ્ય પીધાં નથી; એ સારુ કે હું તમારો ઈશ્વર છું એ તમે જાણો.

7 જયારે તમે આ જગ્યાએ આવ્યા ત્યારે હેશ્બોનનો રાજા સીહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડવા આવ્યા અને આપણે તેઓનો પરાજય કર્યો. 8 અને આપણે તેઓનો દેશ લઈને રુબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અડધા કુળને વતન તરીકે આપ્યો. 9 તેથી તમે જે કરો છો તે સર્વમાં સફળ થાઓ માટે આ કરારના શબ્દો પાળો અને અમલમાં લાવો.

10 આજે યહોવાહ તમારા ઈશ્વરની આગળ તમે બધા ઉપસ્થિત છો; તમારા નેતા, તમારાં કુળો, તમારા વડીલો તથા તમારા સરદારો એટલે સર્વ ઇઝરાયલી માણસો, 11 વળી તમારી સાથે તમારાં સંતાનો, પત્નીઓ, તમારી સાથે છાવણીમાં રહેનાર પરદેશી, કઠિયારાથી માંડીને પાણી ભરનાર સુધી તમે સર્વ ઈશ્વરની સમક્ષ છો.

12 માટે યહોવાહ તમારા ઈશ્વરનો કરાર તથા તેમની જે પ્રતિજ્ઞા યહોવાહ તમારા ઈશ્વર આજે તમારી આગળ કરે છે, તે પ્રમાણે કરવાને તમે તૈયાર થાઓ. 13 કે તેઓ આજે તમને પોતાની પ્રજા બનાવે અને જેમ તેમણે તમને કહ્યું હતું, તથા જેમ તેમણે તમારા પિતૃઓ આગળ, એટલે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ આગળ સમ ખાધા હતા, તેમ તે તમારા ઈશ્વર થાય.

14 અને હું આ કરાર માત્ર તમારી જ સાથે કરતો નથી તથા આ સમ ખાતો નથી. 15 પરંતુ આજે આપણી સાથે યહોવાહ આપણા ઈશ્વરની સમક્ષ જે ઊભો રહેલો હશે તેની સાથે, તેમ જ આજે આપણી સાથે જે નહિ હોય તેની સાથે પણ;

16 આપણે મિસર દેશમાં કેવી રીતે રહેતા હતા અને જે દેશજાતિઓમાં થઈને આપણે પસાર થયા તેઓની મધ્યે થઈને આપણે કેવી રીતે બહાર આવ્યા એ તમે જાણો છો.

17 તમે તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યો તેઓની લાકડાની, પથ્થરની, ચાંદીની તેમ જ સોનાની મૂર્તિઓ જે તેમની પાસે હતી તે જોઈ છે. 18 રખેને તમારામાંથી કોઈ પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇઝરાયલનું કોઈ કુળ એવું હોય કે જેનું હૃદય યહોવાહ તમારા ઈશ્વર તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના દેવોની પૂજા કરવા લલચાય. રખેને પિત તથા કડવાશરૂપી મૂળ તમારામાં હોય, 19 રખેને તે આ શાપની વાતો સાંભળે ત્યારે તે પોતાના હૃદયમાં આશીર્વાદ આપીને કહે કે, હું મારા હૃદયની હઠીલાઈ પ્રમાણે ચાલું અને સૂકાની સાથે લીલાનો નાશ કરું તો પણ મને શાંતિ મળશે.

20 યહોવાહ તેને માફ નહિ કરે પણ તે માણસની સામે યહોવાહનો રોષ તથા જુસ્સો તપી ઊઠશે અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે. અને યહોવાહ આકાશ નીચેથી તેનું નામોનિશાન નષ્ટ કરી નાખશે. 21 અને નિયમના આ પુસ્તકમાં લખેલા કરારમાંના બધા શાપો પ્રમાણે યહોવાહ તેને ઇઝરાયલના સર્વ કુળોમાંથી અલગ [1] કરીને તેને નુકસાન કરશે.

22 અને તમારી પાછળ થનાર તમારાં સંતાનોની આગામી પેઢી તથા દૂર દેશથી આવનાર પરદેશી પણ યહોવાહે આ દેશને આપેલા રોગો અને આફતો જોશે. 23 વળી સદોમ, ગમોરા, આદમા અને સબોઈમ જેઓનો સંહાર યહોવાહે પોતાના કોપથી તથા રોષથી કર્યો તેઓના નાશની પેઠે આખો દેશ ગંધક, ખારરૂપ તથા બળતો થયો છે કે, જેમાં કંઈ વવાતું નથી, વળી કંઈ નીપજતું નથી, તેમ જ તેમાં કંઈ ઘાસ ઊગતું નથી તે જયારે જોશે. 24 ત્યારે સર્વ પ્રજાઓ પૂછશે કે, 'યહોવાહે આ દેશને આવું શા માટે કર્યું? એના ઉપર આવા ભારે કોપની ઉગ્રતાનું શું કારણ હશે?'

25 ત્યારે લોકો કહેશે કે, એનું કારણ એ છે કે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાહ તેઓને મિસરમાંથી બહાર લાવ્યા પછી તેઓની સાથે તેમણે જે કરાર કર્યો હતો તે કરારનો તેઓએ ત્યાગ કર્યો. 26 બીજા જે દેવોને તેઓ જાણતા નહોતા તથા જેઓને તેણે તેઓને આપ્યા નહોતા. તેઓની સેવા તથા તેઓનું ભજન તેઓએ કર્યું.

27 તેથી આ પુસ્તકમાં લખેલા શાપો આ દેશ પર લાવવાને યહોવાહનો કોપ તેઓ પર સળગ્યો હતો. 28 યહોવાહે કોપમાં તથા ક્રોધમાં તથા તેના ઘણાં રોષમાં તેઓને તેઓના દેશમાંથી ઉખેડીને બીજા દેશમાં કાઢી મૂક્યા. જેમ આજે છે તે પ્રમાણે.

29 મર્મો યહોવાહ આપણા ઈશ્વરના છે, પણ પ્રગટ કરેલી વાતો સદા આપણી તથા આપણાં સંતાનોની છે, તેથી આપણે આ નિયમનાં સર્વ વચનો પાળીએ.


Footnotes


29:21 [1]ઈશ્વર તેમને બધી આફતોથી પીડિત કરશે.


Chapter 30

1 અને એમ થશે કે જયારે આ બાબતો એટલે કે આશીર્વાદો તથા શાપો જે મેં તમારી આગળ મૂક્યા છે તે તમારા પર આવશે અને જે સર્વ દેશોમાં યહોવાહ તમારા ઈશ્વરે તમને વિખેરી મૂક્યા હશે ત્યારે તે બાબતોને યાદ રાખીને, 2 તમે યહોવાહ તમારા ઈશ્વરની પાસે પાછા આવશો અને જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું, તે તમે તથા તમારા સંતાન પૂરા હૃદયથી તથા પૂરા અંત:કરણથી પાળશો તથા તેમનો અવાજ સાંભળશો, 3 તો યહોવાહ તમારા ઈશ્વર તમારી ગુલામી ફેરવી નાખશે, તમારા પર દયા કરશે; અને પાછા આવીને જે બધા લોકોમાં યહોવાહ તમારા ઈશ્વરે તમને વિખેરી નાખ્યો હશે તેઓમાંથી તમને એકત્ર કરશે.

4 જો તમારામાંના દેશનિકાલ કરાયેલામાંના કોઈ આકાશ નીચેના દૂરના દેશોમાં [1] વસ્યા હશે, ત્યાંથી યહોવાહ તમારા ઈશ્વર તમને એકત્ર કરશે, ત્યાંથી તે તમને લાવશે. 5 જે દેશ તમારા પિતૃઓના કબજામાં હતો, તેમાં યહોવાહ તમારા ઈશ્વર તમને લાવશે, તમે ફરીથી તેનો કબજો કરશો, તે તમારું ભલું કરશે અને તમારા પિતૃઓ કરતાં તમને વધારશે.

6 યહોવાહ તમારા ઈશ્વર તમારાં તથા તમારાં સંતાનોનાં હૃદયની સુન્નત કરશે, જેથી તમે યહોવાહ તમારા ઈશ્વરને તમારા પૂરા હૃદયથી તથા પૂરા અંત:કરણથી પ્રેમ કરો, અને જીવતા રહો. 7 યહોવાહ તમારા ઈશ્વર આ બધા શાપો તમારા શત્રુઓ પર તથા તમને ધિક્કારનાર પર મોકલી આપશે. 8 તમે પાછા ફરીને યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળશો, આજે હું તને જે આજ્ઞાઓ ફરમાવું છું તેનું તમે પાલન કરશો.

9 યહોવાહ તમારા ઈશ્વર તમારા હાથનાં સર્વ કામમાં, તમારાં સંતાનોમાં, તમારાં પશુઓનાં બચ્ચામાં, તમારી ભૂમિના ફળમાં પુષ્કળ વૃદ્ધિ કરશે. જેમ યહોવાહ તમારા પિતૃઓ પર પ્રસન્ન હતા તેમ તેઓ ફરી તમારા હિતને માટે પ્રસન્ન થશે. 10 યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ સાંભળીને તેઓની જે આજ્ઞાઓ તથા કાનૂનો લખેલાં છે તે તમે પાળશો અને તમે તમારા પૂરા અંત:કરણથી યહોવાહ તમારા ઈશ્વરની તરફ ફરશો તો એ પ્રમાણે થશે. 11 કેમ કે આજે હું તમને જે આજ્ઞાઓ ફરમાવું છું તે તમારી શક્તિ ઉપરાંતની નથી, તેમ તમારાથી એટલી દૂર પણ નથી કે તમે પહોંચી ન શકો. 12 તે આકાશમાં નથી કે તમે કહો કે, 'કોણ આપણે માટે ઉપર જઈને લાવીને આપણને સંભળાવે કે આપણે તે પાળીએ?'

13 વળી તે સમુદ્રને પેલે પાર પણ નથી કે તમે કહો કે, 'કોણ સમુદ્રને પેલે પર જઈને લાવીને અમને સંભળાવે જેથી અમે તેનું પાલન કરીએ?' 14 પરંતુ તે વચન તો તમારી નજીક છે, તમારા મુખમાં અને તારા હૃદયમાં છે, કે જેથી તમે તેને પાળી શકો.

15 જુઓ, આજે મેં તમારી આગળ જીવન તથા સારું, મરણ તથા ખોટું મૂક્યાં છે. 16 આજે હું તમને યહોવાહ તમારા ઈશ્વરની જે આજ્ઞાઓ ફરમાવું છું એટલે કે યહોવાહ તમારા ઈશ્વરને પ્રેમ કરવો, તેમના માર્ગોમાં ચાલવું, તેમની આજ્ઞાઓ, નિયમો અને કાનૂનો પાળવા, કે જેથી તમે જીવતા રહેશો. અને તમારી વૃદ્ધિ થશે, જે દેશનું વતન પામવા તમે જાઓ છો તેમાં યહોવાહ તમારા ઈશ્વર તમને આશીર્વાદ આપશે.

17 પરંતુ જુઓ તમારું હૃદય તેમનાંથી દૂર થઈ જાય અને તમે તેમનું સાંભળો નહિ, પણ તેમનાંથી દૂર થઈને બીજા દેવોનું ભજન તથા પૂજા કરો, 18 તો આજે હું તમને જણાવું છું કે તમે નિશ્ચે નાશ પામશો, યર્દન ઓળંગીને તમે જે દેશમાં વતન પામવા જઈ રહ્યા છો, ત્યાં તમે તમારું આયુષ્ય ભોગવી નહિ શકો.

19 હું આજે આકાશ તથા પૃથ્વીને તમારી આગળ સાક્ષી રાખું છું કે મેં તમારી આગળ જીવન તથા મરણ, આશીર્વાદ તથા શાપ મૂક્યાં છે. માટે જીવન પસંદ કરો કે જેથી તમે અને તમારા વંશજો જીવતા રહો. 20 યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ રાખવાનું, તેમની વાણી સાંભળવાનું અને તેમને વળગી રહેવાનું પસંદ કરો, કેમ કે તે તમારા જીવન તથા તમારા આયુષ્યની વૃદ્ધિ કરે છે; તે માટે જે દેશ તમારા પિતૃઓને, એટલે ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબને આપવાને યહોવાહે સમ ખાધા તેમાં તમે રહો."


Footnotes


30:4 [1]ભાગમાં


Chapter 31

1 મૂસાએ જઈને આ બધી વાતો આખા ઇઝરાયલને કહી. 2 તેણે તેઓને કહ્યું, "હવે હું એકસો વીસ વર્ષનો થયો છું; હું બહાર જઈ શકતો નથી કે અંદર આવી શકતો નથી, યહોવાહે મને કહ્યું કે, 'તું યર્દન નદી પાર જવા પામશે નહિ.' 3 યહોવાહ તારા ઈશ્વર તારી આગળ પાર જશે; તે તારી આગળથી પ્રજાઓનો નાશ કરશે અને તું તેઓનું વતન પામશે. યહોવાહની આજ્ઞા પ્રમાણે યહોશુઆ તમારી આગળ જશે.

4 અમોરીઓના રાજાઓ સીહોન તથા ઓગ તેઓના દેશ જેમનો યહોવાહે નાશ કર્યો, તેઓને જેમ તેમણે કર્યું તેમ તે તેઓને કરશે. 5 અને યહોવાહ તે લોકોને તમારા હાથમાં સુપ્રત કરશે અને તમારે તેમની સાથે મેં તમને આજ્ઞા કરી છે તે મુજબ વર્તવુ. 6 બળવાન તથા હિંમતવાન થાઓ, બીહો નહિ, તેઓથી ભયભીત ન થાઓ, કેમ કે, જે તમારી સાથે જાય છે તે તો યહોવાહ તમારા ઈશ્વર છે. તે તમને છોડી દેશે નહિ કે તમને તજી દેશે નહિ."

7 મૂસાએ યહોશુઆને બોલવીને બધા ઇઝરાયલીઓની નજર સમક્ષ તેને કહ્યું, "બળવાન તથા હિંમતવાન થા, કેમ કે જે દેશ યહોવાહ તારા ઈશ્વરે આ લોકોને આપવાનું તારા પિતૃઓ આગળ વચન આપ્યું છે, તેમાં તું તેઓની સાથે જશે. તું તે લોકોને દેશનો વારસો અપાવશે. 8 જે તારી આગળ જાય છે, તે તો યહોવાહ છે; તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહિ કે તને તજી દેશે નહિ, માટે તું ગભરાઈશ નહિ કે નાહિંમત થઈશ નહિ."

9 મૂસાએ આ નિયમ લખીને યહોવાહના કરારકોશ ઊંચકનાર લેવી યાજકોને તથા ઇઝરાયલના બધા આગેવાનોને તેની એક એક નકલ આપી. 10 મૂસાએ તેઓને આજ્ઞા કરીને કહ્યું, "દર સાતમા વર્ષને અંતે એટલે કે છુટકારાના વર્ષને ઠરાવેલે સમયે, માંડવાપર્વમાં, 11 જયારે બધા ઇઝરાયલીઓ યહોવાહ તમારા ઈશ્વરે પસંદ કરેલા સ્થળે હાજર થાય, ત્યારે બધા ઇઝરાયલની આગળ તેઓના સાંભળતાં તમે આ નિયમ વાંચજો.

12 લોકોને એટલે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો તેમ જ તારી ભાગળમાં વસતા પરદેશીઓને એકત્ર કરજો જેથી તેઓ સાંભળે તથા શીખે અને યહોવાહ તમારા ઈશ્વરનો ડર રાખે અને આ નિયમોનું કાળજીપૂર્વક પાલન કરે. 13 અને તેઓના સંતાનો કે જેઓ જાણતા નથી તેઓ પણ સાંભળી અને જે દેશનું વતન પામવાને તમે યર્દન નદી ઊતરીને ત્યાં જાઓ છો તેમાં, જ્યાં સુધી તમે જીવતા રહો ત્યાં સુધી યહોવાહ તમારા ઈશ્વરથી બીતા શીખો.

14 પછી યહોવાહે મૂસાને કહ્યું, "જો, તારો મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. યહોશુઆને બોલાવ અને તમે બન્ને મુલાકાતમંડપમાં મારી પાસે આવો, જેથી હું તને મારી આજ્ઞા આપું." તેથી મૂસા અને યહોશુઆ ગયા અને મુલાકાતમંડપમાં ઉપસ્થિત રહ્યા. 15 અને યહોવાહ તંબુની અંદર મેઘસ્તંભમાં દેખાયા; અને તે મેઘસ્તંભ તંબુના દ્વારની સામે સ્થિર રહ્યો.

16 યહોવાહે મૂસાને કહ્યું, "જો તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે; અને આ લોકો ઊઠશે અને જે દેશમાં તેઓ વસવા જઈ રહ્યા છે તેમાં જઈ તેઓ અન્ય દેવોની પાછળ ગણિકાવૃતિ કરશે અને મારો ત્યાગ કરશે. અને મારો કરાર જે મેં તેઓની સાથે કર્યો તેનો તેઓ ભંગ કરશે.

17 ત્યારે મારો કોપ તે લોકો પર સળગી ઊઠશે અને હું તેઓને તજી દઈશ તથા તેઓનાથી વિમુખ થઈ જઈશ. અને તેઓ ભક્ષ થઈ પડશે. તેઓના પર અનેક આફતો અને સંકટો ઊતરશે ત્યારે તેઓ કહેશે કે, 'આપણા ઈશ્વર આપણી વચ્ચે નથી તેથી આ બધાં સંકટો આપણા પર આવી પડ્યાં નથી શું? 18 પણ તેઓએ અન્ય દેવોની પાછળ જઈને જે સર્વ દુષ્ટતા કરી હશે તેને કારણે જરૂર હું તેઓનાથી તે દિવસે મારું મુખ સંતાડીશ.

19 હવે આ ગીત તમે પોતાને માટે લખી લો અને તે તમે ઇઝરાયલપુત્રોને શીખવજો, તેઓને તે રટણ કરવા કહો કે જેથી આ ગીત ઇઝરાયલપુત્રોની વિરુદ્ધ મારા માટે સાક્ષીરૂપ થાય. 20 કેમ કે જે દૂધમધથી ભરપૂર દેશ વિષે મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા હતા, તેમાં જ્યારે હું તેઓને લઈ જઈશ ત્યારે તેઓ ખાઈને તથા તૃપ્ત થઈને પુષ્ટ થશે; અને તેઓ અન્ય દેવો તરફ વળી જઈને તેઓની સેવા કરશે અને મને ધિક્કારશે અને મારો કરાર તોડશે.

21 અને તેઓના પર ભયંકર દુઃખ તથા સંકટ આવી પડે ત્યારે આ ગીત સાક્ષીરૂપે તેઓની આગળ શાહેદી પૂરશે; કેમ કે તે તેઓના વંશજો ભૂલી જશે નહિ. કે અત્યારે પણ, એટલે જે દેશ વિષે મેં સમ ખાધા હતા તેમાં હું તેઓને લાવું. તે પહેલાં તેઓ જે મનસૂબા ઘડે છે તે હું જાણું છું."

22 તેથી તે જ દિવસે મૂસાએ આ ગીત લખ્યું. અને ઇઝરાયલપુત્રોને તે શીખવ્યું. 23 પછી યહોવાહે નૂનના પુત્ર યહોશુઆને સોંપણી કરી અને તેને કહ્યું, "બળવાન તથા હિંમતવાન થા; કારણ કે, ઇઝરાયલપુત્રોને મેં જે દેશ આપવાને મેં સમ ખાધા હતા તેમાં તારે એમને લઈ જવાના છે, અને હું તારી સાથે રહીશ."

24 જયારે મૂસાએ આ નિયમોના શબ્દો શરૂથી અંત સુધી પુસ્તકમાં લખવાનું પૂર્ણ કર્યું ત્યારે એમ થયું કે, 25 મૂસાએ યહોવાહના કરારકોશને ઊંચકનારા લેવીઓને આજ્ઞા કરી કે, 26 "આ નિયમનું પુસ્તક લો અને તેને યહોવાહ તમારા ઈશ્વરના કરારકોશની સાથે રાખો કે, જેથી એ તમારી વિરુદ્ધ સાક્ષી તરીકે ત્યાં રહે.

27 કેમ કે હું તમારા જડ ગર્દન અને હઠીલાઈ જાણું છું. જુઓ, હું આજે હજી તો તમારી વચ્ચે જીવતો છું છતાં આજે તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો; તો મારા મૃત્યુ પછી તો તમે શું નહિ કરો? 28 તમારા કુળોના સર્વ વડીલો અને અમલદારોને મારી આગળ એકત્ર કરો કે, જેથી હું તેઓના સાંભળતાં આ વચનો કહું અને તેઓની વિરુદ્ધ આકાશ તથા પૃથ્વીને સાક્ષી તરીકે રાખું.

29 મને ખબર છે કે મારા મૃત્યુ પછી તમે દુષ્ટ થશો અને જે માર્ગે મેં તમને ચાલવાનું કહ્યું છે તેમાંથી ભટકી જશો; તેથી ભવિષ્યમાં તમારા પર દુઃખ આવી પડશે. કારણ કે યહોવાહની નજરમાં જે દુષ્ટ છે તે કરીને તમે તમારા હાથનાં કામથી તમે યહોવાહને ક્રોધ ચઢાવશો."

30 પછી મૂસાએ ઇઝરાયલની સમગ્ર સભાને સાંભળતાં એ આખા ગીતનાં વચનો શરૂથી અંત સુધી કહી સંભળાવ્યા.



Chapter 32

    1 હે આકાશો, કાન ધરો અને હું બોલીશ.

     હે પૃથ્વી, તું મારા મુખના શબ્દો સાંભળ.

    2 મારો બોધ વરસાદની જેમ ટપકશે, મારી વાતો ઝાકળની જેમ પડશે,

     કુમળા ઘાસ પર પડતા ઝરમર ઝરમર વરસાદના ટીપાની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ તે પડશે.

    3 કેમ કે હું યહોવાહનું નામ પ્રગટ કરીશ.

     અને આપણા ઈશ્વરના માહાત્મ્યને લીધે તેમને સ્તુત્ય માનો.

    4 યહોવાહ અચળ ખડક છે, તેમનાં કાર્યો પણ સંપૂર્ણ છે;

     તેમના સર્વ માર્ગો ન્યાયી છે.

     વિશ્વાસુ તથા સત્ય ઈશ્વર

     તે ન્યાયી તથા સાચા ઈશ્વર છે.

    5 તેઓએ પોતાને ભ્રષ્ટ કર્યા છે. તેઓના સંતાનો રહ્યાં નથી. અને તેઓ પાપથી ખરડાયા.

     તેઓ અડિયલ તથા કુટિલ પેઢી છે.

    6 ઓ મૂર્ખ તથા નિર્બુદ્ધ લોકો

     શું તમે યહોવાહને આવો બદલો આપો છો?

     શું તે તમને ખંડી લેનાર તમારા પિતા નથી

     તેમણે તમને સરજ્યા અને સ્થિર કર્યા.

    7 ભૂતકાળના દિવસોનું તમે સ્મરણ કરો,

     ઘણી પેઢીઓનાં વર્ષોનો વિચાર કરો.

     તમારા પિતાને પૂછો એટલે તે તમને કહી બતાવશે.

     તમારા વડીલોને પૂછો એટલે તે તમને કહેશે.

    8 જ્યારે પરાત્પર યહોવાહે દેશજાતિઓને તેઓનો વારસો આપ્યો.

     જયારે તેમણે માનવપુત્રોને જુદા કર્યા,

     ત્યારે તેમણે ઇઝરાયલનાં સંતાનોની ગણતરી પ્રમાણે તે લોકોને સીમાઓ ઠરાવી આપી.

    9 કેમ કે યહોવાહનો હિસ્સો તો તેમના લોક છે.

     યાકૂબ એ તેમના વારસાનો ભાગ છે.

    10 તે તેઓને ઉજ્જડ દેશમાં,

     તથા વેરાન અને વિકટ રણમાં મળ્યા;

     તે તેઓની આસપાસ કોટરૂપ રહ્યા.

     અને તેમણે તેઓની આંખની કીકીની જેમ સંભાળ કરી.

    11 જેમ કોઈ ગરુડ પોતાના માળાની ચોકી કરે અને પોતાના બચ્ચાં ઉપર પાંખો ફફડાવે છે.

     તેમ યહોવાહે પોતાની પાંખો ફેલાવીને તેમને પોતાની પાંખો પર ઊંચકી લીધા.

    12 એકલા યહોવાહે જ તેમને ચલાવ્યાં;

     કોઈ પરદેશી દેવ તેઓની સાથે નહોતો.

    13 તેમણે તેઓને દેશની ઊંચાઈઓ પર બેસાડ્યા,

     તેમણે તેઓને ખેતરનું ફળ ખવડાવ્યું,

     તેમણે તેઓને ખડકમાંથી મધ તથા

     ચકમકના પથ્થરમાંથી તેલ પીવડાવ્યું

    14 તેમણે તેઓને ગાયોનું માખણ ખવડાવ્યું તથા ઘેટીઓનું દૂધ પીવડાવ્યું,

     હલવાનની ચરબી,

     બાશાનના ઘેટાં તથા બકરાં,

     સારામાં સારા ઘઉં તથા

     દ્રાક્ષોમાંથી બનાવેલો સારો દ્રાક્ષારસ તમે પીધો.

    15 પણ યશુરૂને [1] પુષ્ટ થઈને લાત મારી,

     તું હુષ્ટપુષ્ટ, જાડો અને સુંવાળો થયો, જે ઈશ્વરે તેને બનાવ્યો હતો તેમનો તેણે ત્યાગ કર્યો, તેણે તેના ઉદ્ધારના ખડકનો તિરસ્કાર કર્યો.

    16 તેઓએ બીજા અજાણ્યા દેવોની પૂજા કરીને યહોવાહને ઈર્ષ્યા ઉત્પન્ન કર્યો; ઘૃણાસ્પદ કર્મોથી ઈશ્વરને ગુસ્સે કર્યા.

    17 તેઓ દુષ્ટાત્માને કે જે ઈશ્વર ન હતા તેઓને,

     જે દેવોને તેઓ જાણતા ન હતા,

     ટૂંક સમયમાં જ પ્રગટ થયેલા દેવોને

     કે જે દેવોથી તમારા પિતાઓ બીતા ન હતા તેઓને બલિદાનો ચઢાવતા હતા.

    18 ખડક સમાન તારા પિતાને તેં તજી દીધા,

     તને જન્મ આપનાર ઈશ્વરને તું ભૂલી ગયો.

    19 આ જોઈને યહોવાહે તેને નાપસંદ કર્યો,

     કેમ કે તેના દીકરા અને દીકરીઓ તેમને ગુસ્સે કર્યા.

    20 તેમણે કહ્યું, "હું મારું મુખ તેઓથી સંતાડીશ," "તેઓના હાલ કેવા થશે તે હું જોઈશ; કેમ કે તે પેઢી વિકૃત છે, તેઓનાં સંતાનો વિશ્વાસઘાતી છે.

    21 જે દેવ નથી તે વડે તેઓએ મારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરી છે. નકામા દેવોથી મને ગુસ્સે કર્યો છે.

    22 માટે મારો કોપ ભડકે બળે છે

     શેઓલના તળિયાં સુધી તે બળે છે,

     પૃથ્વીને અને તેના પાક સહિત ખાઈ જશે,

     અને પર્વતોના પાયાને સળગાવી દે છે.

    23 પછી હું તે લોકો પર એક પછી એક આફતો લાવીશ; તીરોથી હું તેઓને વીંધી નાખીશ.

    24 તેઓ ભૂખથી સુકાઈ જશે અને ઉગ્ર તાપથી

     અને દારુણ વિનાશથી ખવાઈ જશે;

     હું તેના પર પશુઓના દાંત અને ધૂળમાં પેટે ચાલનાર જનાવરોનું ઝેર રેડીશ,

    25 બહાર તલવાર તેઓને પૂરા કરશે,

     અને ઘરમાં ત્રાસથી તેઓ મરશે.

     જુવાન સ્ત્રી-પુરુષ કે વૃદ્વોનો અને દૂધપીતાં બાળકોનો પણ નાશ થશે,

    26 હું તેઓને દૂરના દેશોમાં વિખેરી નાખત.

     હું તેઓનું સ્મરણ માણસોમાંથી નષ્ટ કરત.

    27 પરંતુ હું શત્રુઓની ખીજવણીથી ગભરાઉં છું,

     કે રખેને તેઓના શત્રુઓ ખોટું સમજે

     અને તેઓ કહે કે, અમારો હાથ પ્રબળ થયો છે.'

     અને યહોવાહે આ સર્વ કર્યું નથી.

    28 કેમ કે તેઓ સમજણ વગરની મૂર્ખ પ્રજા છે.

     અને તેઓમાં કંઈ સમજણ નથી.

    29 તેઓમાં શાણપણ હોત, તેઓ સમજનારા થયા હોત,

     અને તેઓએ પોતાના અંતકાળનો વિચાર કર્યો હોત તો કેવું સારું!

    30 જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત,

     યહોવાહે દુશ્મનોના હાથમાં સોંપ્યા ન હોત, તો હજારની પાછળ એક કેમ ધાત

     અને દસ હજારને બે કેમ નસાડી મૂકત?

    31 આપણા શત્રુઓના માનવા પ્રમાણે

     તેઓનો ખડક આપણા ખડક જેવો નથી,

    32 તેઓનો દ્રાક્ષવેલો સદોમના દ્રાક્ષવેલામાંનો તથા ગમોરાનાં ખેતરોનો છે.

     તેઓની દ્રાક્ષો ઝેરી દ્રાક્ષો છે;

     તેઓની લૂમો કડવી છે.

    33 તેઓના દ્રાક્ષારસ અજગરોનું ઝેર

     તથા ઝેરી સર્પોનું પ્રાણઘાતક વિષ છે.

    34 શું મેં તેને મારા ખજાનામાં મુદ્રિત કરાઈને

     મારી પાસે સંગ્રહ કરી રાખેલું નથી?

    35 તેનો પગ લપસી જશે;

     તે વખતે વેર વાળવું તથા બદલો લેવો એ મારું કામ છે.

     કેમ કે તેઓની વિપતીના દિવસ પાસે છે,

     અને તેઓ પર જે આવી પડવાનું છે તે જલદી આવી પડશે."

    36 કેમ કે યહોવાહ પોતાના લોકનો ન્યાય કરશે,

     અને જયારે તેઓ જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે,

     અને ગુલામ તથા મુક્ત એવો કોઈ બાકી રહ્યો નથી.

     તે જોઈ તે પોતાના સેવકો માટે દુ:ખી થશે. 37 પછી તે કહેશે કે, 'તેઓના દેવો ક્યાં છે, એટલે જે ખડક પર તેઓ ભરોસો રાખતા હતા તેઓ?

    38 જેઓ તમારા બલિની ચરબી ખાતા હતા;

     જે પેયાર્પણનો દ્રાક્ષારસ પીતા હતા, તે ક્યાં ગયા?

     તેઓ ઊઠીને તમને મદદ કરે, તેઓ તમારો આશરો થાય!

    39 હવે જુઓ હું જ એકલા જ ઈશ્વર છું. હા હું તે જ છું,

     મારા વગર બીજા કોઈ ઈશ્વર નથી, શું તમે નથી જોતા?

     હું જ મારું છું, અને હું જ જિવાડું છું,

     હું જ ઘાયલ કરું છું અને હું જ સાજા કરું છું;

     અને મારા હાથમાંથી કોઈ છોડાવી શકે એમ નથી.

    40 હું મારો હાથ આકાશ તરફ ઊંચો કરીને,

     મારા સનાતન નામે પ્રતિજ્ઞા લઈને કહું છું કે,

    41 જો હું મારી ચળકતી તલવારની ધાર કાઢીશ,

     અને મારો હાથ ન્યાય કરશે તો મારા દુશ્મનો પર હું વેર વાળીશ,

     અને જે મને ધિક્કારે છે તેઓનો હું બદલો લઈશ.

    42 જેઓને મારી નાખવામાં આવ્યા છે તે તથા કેદીઓના લોહીથી,

     શત્રુઓના આગેવાનોના માથાના લોહીથી,

     મારાં બાણોને લોહી પાઈને તૃપ્ત કરીશ,

     અને મારી તલવાર માંસ ખાશે."'

    43 ઓ દેશજાતિઓ, ઈશ્વરના લોકોની સાથે આનંદ કરો,

     તે પોતાના સેવકોના ખૂનનો બદલો લેશે,

     અને પોતાના શત્રુઓ પર વેર વાળશે,

     અને પોતાના દેશનું તથા પોતાના લોકનું પ્રાયશ્ચિત કરશે.

44 મૂસા અને નૂનના દીકરા યહોશુઆએ આ ગીતનાં શબ્દો લોકોની સમક્ષ બોલ્યા. 45 પછી મૂસા સર્વ ઇઝરાયલીઓને આ વચનો કહી રહ્યો.

46 ત્યારે તેણે કહ્યું કે, જે સર્વ વચનોની આજે હું તમારી સમક્ષ સાક્ષી પૂરું છું તે પર તમારું ચિત્ત લગાડો; અને તે વિષે તમારાં સંતાનોને આજ્ઞા કરજો કે, આ નિયમનાં સર્વ વચનો તેઓ પાળે તથા અમલમાં મૂકે. 47 આ નિયમો નકામી વાત નથી કેમ કે તેમાં તમારું જીવન છે અને જે દેશનું વતન પ્રાપ્ત કરવા તમે યર્દન પાર જાઓ છો તેમાં તમે રહીને આ બાબતને લીધે તમે તમારું આયુષ્ય વધારશો."

48 તે જ દિવસે યહોવાહે મૂસાને કહ્યું, 49 "મોઆબ દેશમાં યરીખોની સામે અબારીમ પર્વતોમાં નબો પર્વત પર ચઢીને જે કનાન દેશ હું ઇઝરાયલપુત્રોને આપવાનો છું તે તું જોઈ લે.

50 અને જે પર્વત પર તું ચઢે છે ત્યાં તું મૃત્યુ પામ અને તારા પિતૃઓની સાથે મળી જા; જેમ તારો ભાઈ હારુન હોર પર્વત પર મૃત્યુ પામીને તારા પૂર્વજો સાથે મળી ગયો તે મુજબ. 51 કારણ કે તેં સીનના અરણ્યમાં કાદેશ આગળ આવેલા મરીબાનાં પાણી નજીક મારા પર અવિશ્વાસુ કરીને ઇઝરાયલપુત્રો આગળ મને પવિત્ર માન્યો નહિ. 52 કેમ કે તે દેશને તું દૂરથી જોશે; પણ જે દેશ હું ઇઝરાયલપુત્રોને આપનાર છું તેમાં પ્રવેશ કરી શકીશ નહિ."


Footnotes


32:15 [1]ઇઝરાયલનો નેક માણસ


Chapter 33

1 અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલીઓને જે આશીર્વાદ આપ્યો તે આ છે; 2 મૂસાએ કહ્યું,

     "યહોવાહ સિનાઈ પર્વત પરથી આવ્યા.

     તે સેઈર પર્વત પરથી તેઓ પર પ્રગટ્યા

     પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા,

     અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા.

     અને તેમને જમણે હાથે નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો.

    3 હા, યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરે છે;

     તેમના સર્વ પવિત્ર લોકો તેમના હાથમાં છે,

     તેઓ તેમના ચરણ આગળ બેઠા;

     અને દરેક તમારાં વચનો ગ્રહણ કરશે.

    4 મૂસાએ અમને યાકૂબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું.

    5 જયારે લોકોના આગેવાનો

     અને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાં

     ત્યારે યહોવાહ યશુરૂનમાં રાજા હતા.

    6 રુબેન સદા જીવંત રહો અને મરે નહિ;

     પરંતુ તેના માણસો થોડા રહે."

    7 મૂસાએ કહ્યું, યહૂદા માટે આ આશીર્વાદ છે:

     હે યહોવાહ, યહૂદાની વાણી સાંભળો,

     અને તેને તેના લોકો પાસે પાછા લાવો,

     તેને માટે લડાઈ કરીને;

     અને તેના દુશ્મનોનો સામનો કરવામાં તમે તેને સહાય કરજો."

8 ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું કે;

     તમારાં તુમ્મીમ તથા તમારાં ઉરીમ, તમારો પસંદ કરેલો પુરુષ,

     જેની તમે માસ્સામાં પરીક્ષા કરી.

     અને મરીબાના પાણી પાસે તમે એમની કસોટી કરી તેની સાથે છે.

    9 અને તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું કે મેં તેઓને જોયાં નથી;

     અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યાં નહિ.

     અને તેણે પોતાનાં સંતાનોને પણ ઓળખ્યાં નહિ;

     કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે,

     અને તમારો કરાર તેઓ પાળે છે.

    10 તેઓ યાકૂબને તમારા હુકમો

     અને ઇઝરાયલને તમારો નિયમ શીખવશે;

     અને તેઓ તમારી આગળ ધૂપ,

     તથા તમારી વેદી સમક્ષ દહનીયાર્પણ ચઢાવશે.

    11 હે યહોવાહ તેઓની સંપત્તિને આશીર્વાદ આપજો,

     અને તેઓના હાથનાં કામો સ્વીકારો;

     જેઓ તેઓની વિરુદ્ધ ઊઠે છે

     અને જેઓ તેમની અદેખાઈ રાખે છે, તેમની કમર તોડી નાખજો,

     જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે."

    12 પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું,

     "તે યહોવાહનો પ્રિય છે તેની પાસે સુરક્ષિત રહેશે;

     યહોવાહ સદાય તેનું રક્ષણ કરે છે.

     અને એ તેમની ખાંધોની વચ્ચે રહે છે."

    13 પછી યૂસફ વિષે મૂસાએ કહ્યું;

     તેનો દેશ યહોવાહથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉતમ વસ્તુઓથી અને ઝાકળથી અને પાતાળના પાણીથી,

    14 સૂર્યની ઊપજની ઉતમ વસ્તુઓથી

     તથા ચંદ્રની [1] વધઘટની ઉત્તમ વસ્તુઓથી,

    15 પ્રાચીન પર્વતોની ઉત્તમ વસ્તુઓથી

     અને સાર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી,

    16 પૃથ્વી તથા તેની ભરપૂરીપણાની કિંમતી વસ્તુઓથી,

     ઝાડમાં જે રહ્યો છે તેની કૃપાથી.

     યૂસફ, જે તેના ભાઈઓ પર આગેવાન જેવો હતો,

     તેના પર આશીર્વાદ આવો.

    17 તેનો પ્રથમજનિત તેજસ્વી બળદના જેવો છે,

     તેનાં શિંગડાં જંગલી બળદના જેવાં છે,

     પ્રજાઓને તે પૃથ્વીને છેડેથી હાંકી કાઢશે.

     એફ્રાઇમના દસ હજારો અને

     મનાશ્શાના હજારો છે."

    18 મૂસાએ ઝબુલોન વિષે કહ્યું, "ઝબુલોન, તેના બહાર જવામાં,

     ઇસ્સાખાર તેના તંબુઓમાં આનંદ કરો.

    19 તેઓ લોકોને પર્વત પર બોલાવશે.

     ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞો ચઢાવશે.

     કેમ કે તેઓ સમુદ્રમાંની પુષ્કળતાને,

     દરિયાકિનારાની ગુપ્ત રેતીને ચૂસશે."

20 ગાદ વિષે મૂસાએ કહ્યું,

     "ગાદને વિસ્તારનાર આશીર્વાદિત હો.

     તે ત્યાં સિંહણ જેવો રહે,

     તે તેના હાથને તથા તેના માથાને ફાડી નાખે છે.

    21 તેણે પોતાના માટે પ્રથમ ભાગ મેળવ્યો,

     કેમ કે, ત્યાં આગેવાનોને જમીનનો ભાગ ફાળવવામાં આવ્યો હતો.

     તેણે લોકોને નેતૃત્વ પૂરું પાડયું,

     ઇઝરાયલ માટેની યહોવાહની આજ્ઞાઓ,

     અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો."

22 મૂસાએ દાન વિષે કહ્યું,

     "દાન બાશાનથી કૂદી નીકળતું,

     સિંહનું બચ્ચું છે."

23 નફતાલી વિષે મૂસાએ કહ્યું,

     "અનુગ્રહથી તૃપ્ત થયેલા,

     યહોવાહના આશીર્વાદથી ભરપૂર નફતાલી,

     તું પશ્ચિમ તથા દક્ષિણનું વતન પામ."

24 આશેર વિષે મૂસાએ કહ્યું,

     "બધા દીકરાઓ કરતાં આશેર વધારે આશીર્વાદિત થાઓ;

     તે પોતાના ભાઈઓને માન્ય થાઓ,

     તે પોતાના પગ જૈતૂનનાં તેલમાં બોળો.

    25 તારી ભૂંગળો લોખંડ તથા પિત્તળની થશે;

     જેવા તારા દિવસો તેવું તારું બળ થશે."

    26 હે યશુરૂન, આપણા ઈશ્વર જેવા કોઈ નથી,

     તેઓ આકાશમાંથી વાદળો પર સવાર થઈને

     પોતાના ગૌરવમાં તમને મદદ કરવા આવશે.

    27 સનાતન ઈશ્વર તમારો આશ્રય છે, તારી નીચે અનંત હાથો છે.

     તેમણે તારી આગળથી દુશ્મનોને કાઢી મૂક્યા,

     અને કહ્યું, "નાશ કર!"

    28 ઇઝરાયલ સલામતીમાં રહે,

     યાકૂબનો રહેઠાણ [2] એકલો,

     ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે,

     તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે.

    29 હે ઇઝરાયલ, તું આશીર્વાદિત છે!

     યહોવાહ જે તારી સહાયની ઢાલ,

     તારી ઉત્તમતાની તલવાર

     તેનાથી ઉદ્ધાર પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે?

     તારા શત્રુઓ જુઠા કરશે;

     તું તેઓના ઉચ્ચસ્થાનો [3] ખૂંદી નાખશે.


Footnotes


33:14 [1]દર મહિને
33:28 [2]ઝરા
33:29 [3]તેઓના પીઠ


Chapter 34

1 મૂસા મોઆબના મેદાનમાંથી યરીખોની સામે આવેલા નબો પર્વત પર, પિસ્ગાહના શિખર પર ચઢયો. યહોવાહે તેને દાન સુધીનો આખો ગિલ્યાદ દેશ, 2 આખો નફતાલીનો પ્રદેશ, એફ્રાઇમ તથા મનાશ્શાનો પ્રદેશ, પશ્ચિમ સમુદ્ર સુધીનો યહૂદાનો આખો પ્રદેશ, 3 નેગેબનો પ્રદેશ અને ખજૂરીઓના નગર યરીખોથી સોઆર સુધીનો સપાટ પ્રદેશ બતાવ્યો.

4 યહોવાહે તેને કહ્યું, "જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને સમ ખાઈને કહ્યું હતું કે, 'હું તારા વંશજોને આપીશ તે આ છે.' મેં તે દેશ તને તારી આંખે જોવા દીધો છે, પણ તું તેમાં પ્રવેશ કરવા નહિ પામે." 5 આમ, યહોવાહનો સેવક મૂસા યહોવાહના વચન પ્રમાણે મોઆબની ભૂમિમાં મરણ પામ્યો. 6 યહોવાહે તેને મોઆબના દેશમાં બેથ-પેઓરની સામેની ખીણમાં દફનાવ્યો, પરંતુ આજ સુધી કોઈ તેની કબર વિષે જાણતું નથી.

7 મૂસા મરણ પામ્યો ત્યારે તે એક સો વીસ વર્ષનો હતો. તેના શરીરનું બળ ઓછું થયું નહોતું કે તેની આંખો ઝાંખી થઈ નહોતી. 8 મોઆબના મેદાનમાં ઇઝરાયલીઓએ ત્રીસ દિવસ સુધી મૂસાના માટે શોક પાળ્યો, ત્યાર બાદ મૂસા માટેના શોકના દિવસો પૂરા થયા.

9 નૂનનો દીકરો યહોશુઆ ડહાપણના આત્માથી ભરપૂર હતો, કેમ કે મૂસાએ તેના પર પોતાના હાથ મૂક્યા હતા. તેથી ઇઝરાયલી લોકોએ તેનું સાંભળ્યું અને યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું.

10 ઇઝરાયલમાં મૂસા જેવો કોઈ બીજો પ્રબોધક ઊઠયો નથી, તેની સાથે ઈશ્વર જેને યહોવાહ મુખોપમુખ વાત કરતા હતા. 11 મિસર દેશમાં ફારુન પર તથા તેના ચાકરો પર તથા તેના આખા દેશ પર યહોવાહે તેને જે બધા ચમત્કારો તથા ચિહ્નો કરવા મોકલ્યો તેના જેવો બીજા કોઈ પ્રબોધક નથી. 12 આખી ઇઝરાયલી પ્રજાના દેખતાં મૂસાએ જે મહાન અને આશ્ચર્યજનક કૃત્યો કર્યા, તેવાં કૃત્યો બીજો કોઈ પ્રબોધક કરી શકયો નથી.



Book: Matthew

Matthew

Chapter 1

1 ઈસુ ખ્રિસ્ત જે ઇબ્રાહિમનાં દીકરા, જે દાઉદના દીકરા, તેમની વંશાવળી. 2 ઇબ્રાહિમ ઇસહાકનો પિતા, ઇસહાક યાકૂબનો પિતા, યાકૂબ યહૂદા તથા તેના ભાઈઓનો પિતા, 3 યહૂદા તથા તામારથી થયેલા પેરેસ અને ઝેરાહ, પેરેસ હેસ્રોનનો પિતા, હેસ્રોન આરામનો પિતા.

4 આરામ આમ્મીનાદાબનો પિતા, આમ્મીનાદાબ નાહશોનનો પિતા, નાહશોન સલ્મોનનો પિતા, 5 સલ્મોન બોઆઝનો પિતા અને રાહાબ તેની માતા, બોઆઝ ઓબેદનો પિતા અને રૂથ તેની માતા, ઓબેદ યિશાઈનો પિતા અને 6 યિશાઈ દાઉદ રાજાનો પિતા હતો. દાઉદ સુલેમાનનો પિતા હતો જેની મા પહેલા ઉરિયાની પત્ની હતી.

7 સુલેમાન રહાબામનો પિતા, રહાબામ અબિયાનો પિતા, અબિયા આસાનો પિતા, 8 આસા યહોશાફાટનો પિતા, યહોશાફાટ યોરામનો પિતા, યોરામ ઉઝિયાનો પિતા હતો.

9 ઉઝિયા યોથામનો પિતા, યોથામ આહાઝનો પિતા, આહાઝ હિઝકિયાનો પિતા, 10 હિઝકિયા મનાશ્શાનો પિતા, મનાશ્શા આમોનનો પિતા, આમોન યોશિયાનો પિતા, અને 11 બાબિલના બંદીવાસને સમયે યોશિયા યખોન્યા તથા તેના ભાઈઓનો પિતા હતો.

12 અને બાબિલના બંદીવાસ પછી, યખોન્યા શાલ્તીએલનો પિતા, શાલ્તીએલ ઝરુબ્બાબેલનો પિતા, 13 ઝરુબ્બાબેલ અબીઉદનો પિતા, અબીઉદ એલિયાકીમનો પિતા, એલિયાકીમ આઝોરનો પિતા, 14 આઝોર સાદોકનો પિતા, સાદોક આખીમનો પિતા, આખીમ અલિયુદનો પિતા.

15 અલિયુદ એલાઝારનો પિતા, એલાઝાર મથ્થાનનો પિતા, મથ્થાન યાકૂબનો પિતા, અને 16 યાકૂબ યૂસફનો પિતા, યૂસફ જે મરિયમનો પતિ હતો; અને મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જનમ્યાં. 17 ઇબ્રાહિમથી દાઉદ સુધી બધી મળીને ચૌદ પેઢી થઈ, દાઉદથી બાબિલના બંદીવાસ સુધી ચૌદ પેઢી, અને બાબિલના બંદીવાસથી ખ્રિસ્તનાં સમય સુધી ચૌદ પેઢી થઈ.

18 ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો. તેમની મા મરિયમની સગાઈ યૂસફ સાથે થયા પછી, તેઓનો શારીરિક સંબંધ થયા અગાઉ તે પવિત્ર આત્માથી ગર્ભવતી થયેલી જણાઈ. 19 તેના પતિ યૂસફ એક પ્રામાણિક માણસ હતો, પણ તે જાહેરમાં તેનું અપમાન કરવા ન ચાહતો હતો. તેથી તેને ગુપ્ત રીતે તેની સાથે સગાઈ તોડી નાખવાનો નિર્ણય કર્યો.

20 જયારે તે એ બાબત વિશે વિચારતો હતો, ત્યારે પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દેખાયો અને કહ્યું કે, “યૂસફ, દાઉદના દીકરા, તું તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીશ નહિ; કેમ કે તેના ગર્ભમાં જે બાળક છે તે પવિત્ર આત્માથી છે. 21 તેને દીકરો થશે અને તું તેમનું નામ ઈસુ પાડશે, કેમ કે તે પોતાના લોકોને તેઓનાં પાપથી ઉદ્ધાર કરશે.”

22 હવે એ બધું એ માટે થયું કે, પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય, એટલે, 23 “જુઓ, કુંવારી ગર્ભવતી થશે, તેને દીકરો થશે અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ‘ઈશ્વર આપણી સાથે.”

24 ત્યારે યૂસફે ઊંઘમાંથી ઊઠીને જેમ પ્રભુના સ્વર્ગદૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું; તે પોતાની પત્નીને તેડી લાવ્યો. 25 મરિયમને દીકરો થયો ત્યાં સુધી યૂસફે મરિયમની સાથે શારીરિક સંબંધ કર્યો નહિ; અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું.



Chapter 2

1 હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જનમ્યાં ત્યારે, જ્ઞાની માણસો પૂર્વથી યરુશાલેમમાં આવીને પૂછ્યું કે, 2 “જે બાળક જેનો જન્મ થયો છે, જે યહૂદીઓના રાજા છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને, અમે તેમનું ભજન કરવાને આવ્યા છીએ.” 3 એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું.

4 ત્યાર પછી હેરોદ રાજાએ સર્વ મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને એકત્ર કરીને તેઓને પૂછ્યું કે, “ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ?” 5 તેઓએ તેને જવાબ આપ્યો કે, “યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે, 6 ‘ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સૂબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇઝરાયલી લોકોના પાળક થશે.’”

7 ત્યારે હેરોદ રાજાએ તે જ્ઞાનીઓને ગુપ્તમાં બોલાવીને, તારો કયા સમયે દેખાયો, તે વિષે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. 8 તેણે તેઓને બેથલેહેમમાં મોકલતાં કહ્યું કે, “તમે જઈને તે બાળક સંબંધી સારી રીતે શોધ કરો અને જયારે તમને મળશે ત્યાર પછી મને જણાવો, એ માટે કે હું પણ આવીને તે બાળકનું ભજન કરું.”

9 તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા અને જે તારો તેઓએ પૂર્વમાં જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો અને જ્યાં બાળક હતો તે જગ્યા પર આવીને અટકી ગયો. 10 તેઓ તારાને જોઈને ઘણા આનંદથી હરખાયા.

11 ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયું; પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી ખોલીને સોનું, લોબાન તથા બોળ તેને નજરાણું કર્યું. 12 હેરોદ પાસે પાછા જવું નહિ, એવી ચેતવણી સ્વપ્નમાં મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા.

13 તેઓના પાછા ગયા પછી, પ્રભુના સ્વર્ગદૂતે સ્વપ્નમાં યૂસફને કહ્યું કે, “ઊઠ, બાળક તથા તેની માને લઈને મિસરમાં નાસી જા. હું તને કહું ત્યાં સુધી ત્યાં જ રહેજે, કેમ કે બાળકને મારી નાખવા સારુ હેરોદ તેની શોધ કરવાનો છે.” 14 તે રાત્રે યૂસફ ઊઠીને બાળક તથા તેની માને લઈને મિસરમાં ગયો. 15 અને હેરોદના મરણ સુધી ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધક દ્વારા જે કહ્યું હતું તે પૂરું થાય કે, “મિસરમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો.”

16 જયારે હેરોદને માલૂમ પડ્યું કે જ્ઞાનીઓએ તેને છેતર્યો છે, ત્યારે તે ઘણો ગુસ્સે થયો અને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે જ્ઞાનીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં સર્વ નર બાળકો જેઓ બેથલેહેમમાં તથા તેના આસપાસના વિસ્તારમાં હતાં, તેઓને મારી નંખાવ્યાં.

17 ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, 18 “રામાની સ્ત્રીઓ રુદન તથા મોટા વિલાપ કરે છે. એટલે તે સ્ત્રીઓની પૂર્વજ રાહેલ પોતાનાં બાળકો માટે રડે છે પણ દિલાસો પામવા ઇચ્છતી નહોતી, કેમ કે તેના સંતાન રહ્યાં ન હતા.”

19 હેરોદના મરણ પછી, પ્રભુના સ્વર્ગદૂતે મિસરમાં યૂસફને સ્વપ્નમાં આવીને કહ્યું કે, 20 “ઊઠ, બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં જા કેમ કે જેઓ બાળકનો જીવ લેવા ઇચ્છતા હતા, તેઓ મૃત્યુ પામ્યા છે.” 21 ત્યારે યૂસફ બાળક તથા તેની માને લઈને ઇઝરાયલ દેશમાં આવ્યો.

22 પણ આર્ખિલાઉસ પોતાના પિતા હેરોદને સ્થાને યહૂદિયામાં રાજ કરે છે, એ સાંભળીને તે ત્યાં જતા ગભરાયો. તોપણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલીલના પ્રાંત તરફ વળ્યો 23 અને નાસરેથ નામના નગરમાં આવીને રહ્યો. આમ એટલા માટે થયું, જેથી પ્રબોધકોનું કહેલું પૂરું થાય કે તે નાઝીરી કહેવાશે.



Chapter 3

1 તે દિવસોમાં યોહાન બાપ્તિસ્મા કરનાર યહૂદિયાના અરણ્યમાં ઉપદેશ આપતા એમ કહેતો હતો કે, 2 “પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.” 3 કારણ કે તે એ જ છે, જેનાં વિષે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, “અરણ્યમાં પોકારનારની એવી વાણી છે, ‘પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેમના રસ્તા સીધા કરો.’”

4 યોહાનનાં વસ્ત્રો ઊંટના વાળનાં હતાં, તેની કમરે ચામડાનો પટ્ટો હતો અને તીડ તથા રાની મધ તેનો ખોરાક હતા. 5 ત્યારે યરુશાલેમના, યહૂદિયાના તથા યર્દનના આસપાસના સર્વ પ્રદેશના લોકો તેની પાસે ગયા. 6 તેઓ પોતાનાં પાપો કબૂલ કરીને યર્દન નદીમાં તેનાથી બાપ્તિસ્મા પામ્યા.

7 પણ ફરોશીઓમાંના તથા સદૂકીઓમાંના ઘણાંને પોતાથી બાપ્તિસ્મા પામવા માટે આવતા જોઈને યોહાને તેઓને કહ્યું કે, “ઓ સર્પોના વંશ, આવનાર કોપથી નાસવાને તમને કોણે ચેતવ્યાં? 8 પસ્તાવો કરનારાને શોભે તેવા ફળ આપો. 9 તમારા મનમાં એમ કહેવાનું ન ધારો કે, ‘ઇબ્રાહિમ અમારા પિતા છે’, કેમ કે હું તમને કહું છું કે, આ પથ્થરોમાંથી ઈશ્વર ઇબ્રાહિમને માટે સંતાનો ઉત્પન્ન કરી શકે છે.

10 વૃક્ષોના મૂળ પર કુહાડો પહેલેથી જ મુકાયો છે. માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. 11 માટે પસ્તાવાને સારુ હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સામર્થ્યવાન છે, હું તેમના ચંપલ ઊંચકવાને યોગ્ય નથી; તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માથી તથા અગ્નિથી કરશે. 12 તેમનું સૂપડું તેમના હાથમાં છે, તે પોતાની ખળીને પૂરેપૂરી સાફ કરશે અને પોતાના ઘઉં વખારમાં ભરશે, પણ ભૂસું, ન હોલવાનાર અગ્નિમાં બાળી નાખશે.”

13 ત્યારે ઈસુ યોહાનથી બાપ્તિસ્મા પામવા માટે ગાલીલથી યર્દન નદીએ તેની પાસે આવ્યા. 14 પણ યોહાને તેમને અટકાવતાં કહ્યું કે, “તમારાથી તો મારે બાપ્તિસ્મા પામવું જોઈએ અને શું તમે મારી પાસે આવો છો?” 15 પછી ઈસુએ ઉત્તર આપતાં કહ્યું કે, “હમણાં એમ થવા દે, કેમ કે સર્વ ન્યાયીપણું એવી રીતે પૂરું કરવું તે આપણને ઉચિત છે.” ત્યારે યોહાને તેને બાપ્તિસ્મા આપ્યું.

16 જયારે ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી બહાર આવ્યા, અને જુઓ, તેમને સારુ સ્વર્ગો ઉઘાડાયું અને ઈશ્વરના આત્માને કબૂતર રૂપે ઊતરતા તથા પોતા પર આવતા તેમણે જોયા. 17 જુઓ, સ્વર્ગોમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું.”



Chapter 4

1 પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને અરણ્યમાં લઈ ગયા. 2 ચાળીસ રાતદિવસ ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી. 3 પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરોને કહે કે, તેઓ રોટલી થઈ જાય.” 4 પણ ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે, “એમ લખેલું છે કે, ‘માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મુખમાંથી નીકળે છે તેથી જીવશે.’”

5 ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ ગયો અને ભક્તિસ્થાનના બુરજ પર તેમને ઊભો રાખ્યો, 6 અને તેમને કહ્યું કે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, ‘ઈશ્વર પોતાના સ્વર્ગદૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને દૂતો તને પોતાના હાથો પર ધરી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે ન અફળાય.”

7 ઈસુએ તેને કહ્યું, “એમ પણ લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું તું પરીક્ષણ ન કર.’ 8 ફરીથી શેતાન તેને ઘણાં ઊંચા પહાડ ઉપર લઈ ગયો અને દુનિયાના સઘળાં રાજ્યો તથા તેઓનો વૈભવ તેમને બતાવ્યું. 9 અને તેને કહ્યું કે, “જો તું પગે પડીને મારું ભજન કરશે, તો આ સઘળાં હું તને આપીશ.”

10 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “અરે શેતાન, દૂર જા! કેમ કે લખેલું છે કે, ‘પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને એકલા તેમની જ સેવા કર.’”

11 ત્યારે શેતાન તેમને મૂકીને ગયો; અને સ્વર્ગદૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી.

12 યોહાન બંદીવાન કરાયો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા આવ્યા. 13 પછી નાસરેથ મૂકીને ઝબુલોનના તથા નફતાલીના પ્રદેશમાંના સમુદ્ર પાસેના કપરનાહૂમમાં તે આવીને રહ્યા.

14 એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે, 15 “ઝબુલોનના પ્રાંત, નફતાલીના પ્રાંત, યર્દન નદીની પેલે પાર, એટલે બિનયહૂદીઓના ગાલીલ! 16 જે લોકો અંધકારમાં જીવતા હતા, તેઓએ મોટું અજવાળું જોયું અને તે વિસ્તારમાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.”

17 ત્યાર પછી ઈસુ ઉપદેશ આપતા કહેવા લાગ્યા કે, “પસ્તાવો, કેમ કે સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.”

18 ઈસુ ગાલીલના સમુદ્રને કિનારે ચાલતા હતા ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછીમાર હતા. 19 ત્યારે ઈસુ તેઓને કહ્યું કે, ‘મારી પાછળ આવો અને હું તમને માણસોના પકડનારા કરીશ.’ 20 તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા.

21 ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોયા. તે તેઓને બોલાવ્યા, 22 અને તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા.

23 ઈસુ સભાસ્થાનોમાં શિક્ષણ આપતા, રાજ્યની સુવાર્તાનો ઉપદેશ આપતા અને લોકોમાં દરેક પ્રકારના રોગ તથા દુઃખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા. 24 ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, અને લોકો તેમની પાસે સઘળાં માંદાઓને, અનેક જાતનાં રોગીઓ અને દર્દીઓને, દુષ્ટાત્મા વળગેલાંઓને, વાઈ તથા લકવાગ્રસ્તથી પીડાતાઓને લાવ્યા; અને તેમણે તેઓને સાજાં કર્યા. 25 ગાલીલથી, દસનગરથી, યરુશાલેમથી, યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયા.



Chapter 5

1 ત્યારે ઘણાં લોકને જોઈને ઈસુ પહાડ પર ચઢ્યાં; ત્યાં તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. 2 તેમણે પોતાનું મુખ ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું કે.

3 “આત્મામાં જેઓ નિર્ધન છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે. 4 જેઓ શોક કરે છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દિલાસો પામશે. 5 જેઓ નમ્ર છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. 6 જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ તૃપ્ત થશે. 7 દયાળુઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ દયા પામશે. 8 મનમાં જેઓ શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરને જોશે. 9 સુલેહ કરાવનારાંઓ આશીર્વાદિત છે; કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે. 10 ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરાઈ છે તેઓ આશીર્વાદિત છે; કેમ કે સ્વર્ગનું રાજ્ય તેઓનું છે.

11 જયારે લોકો તમારી નિંદા કરશે અને તમને સતાવશે તથા મારે લીધે તમારી વિરુદ્ધ જાત જાતની ખોટી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમે આશીર્વાદિત છો. 12 તમે આનંદ કરો તથા ખૂબ હરખાઓ, કેમ કે સ્વર્ગમાં તમારો બદલો મોટો છે. તમારી અગાઉનાં પ્રબોધકોની સાથે લોકો આ રીતે જુલમ કર્યા હતા.

13 તમે માનવજગતનું મીઠું છો; પણ જો મીઠું બેસ્વાદ થયું તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે કશા કામનું નથી. 14 તમે માનવજગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.

15 દીવો કરીને તેને વાસણ નીચે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંના બધાને તે અજવાળું આપે છે. 16 તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારાં સદકૃત્યો જોઈને સ્વર્ગમાંનાં તમારા પિતાનો મહિમા કરે.

17 એમ ન ધારો કે હું નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને આવ્યો છું; હું નાશ કરવા નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું. 18 કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી સઘળાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા માત્રા જતી રહેશે નહિ.

19 એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એકને જો કોઈ તોડશે અથવા માણસોને એવું કરવાનું શીખવશે, તો તે સ્વર્ગના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જો કોઈ તે પાળશે અને શીખવશે તે સ્વર્ગના રાજ્યમાં મોટો કહેવાશે. 20 કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ જ કરશો.

21 ‘હત્યા ન કર’, અને ‘જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે,’ એમ પહેલાંના સમયનાં લોકોએ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે. 22 પણ હવે હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર કારણ વગર ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે પોતાના ભાઈને ‘બેવકૂફ’ કહેશે, તે ન્યાયસભામાં અપરાધી ઠરવાના જોખમમાં આવશે; જે તેને કહેશે કે ‘તું મૂર્ખ છે’, તે નરકાગ્નિના જોખમમાં આવશે.

23 એ માટે જો તું તારું અર્પણ યજ્ઞવેદી પાસે લાવે અને જો ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક છે, 24 તો ત્યાં યજ્ઞવેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પ્રથમ તારા ભાઈની સાથે સુલેહ કર અને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.

25 જ્યાં સુધી તું તારા દુશ્મનની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે ત્વરિત સમાધાન કર; રખેને તારો દુશ્મન તને ન્યાયાધીશને સોંપે, ન્યાયાધીશ તને સિપાઈને સોંપે અને તને જેલમાં પૂરવામાં આવે. 26 ખરેખર હું તમને કહું છું કે, તમે પૂરેપૂરો દંડ ચૂકવશો નહિ, ત્યાં સુધી તમે ત્યાંથી નીકળશો નહિ.

27 ‘વ્યભિચાર ન કરો’, એમ કહ્યું હતું, તે તમે સાંભળ્યું છે. 28 પણ હું તમને કહું છું કે, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે ક્યારનુંયે વ્યભિચાર કર્યો છે.

29 જો તારી જમણી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે. 30 જો તારો જમણો હાથ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અંગોમાંના એકનો નાશ થાય, અને તારું આખું શરીર નર્કમાં ન નંખાય, એ તને ગુણકારક છે.

31 ‘જે કોઈ પોતાની પત્નીને છોડી દે તે તેને છૂટાછેડા લખી આપે’, એમ પણ કહેલું હતું. 32 પણ હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને છોડી દે, તે તેની પાસે વ્યભિચાર કરાવે છે; અને જે કોઈ તે ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે.

33 વળી, ‘તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર’, એમ પહેલાના સમયમાં લોકોને કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. 34 પણ હું તમને કહું છું કે, કોઈ પણ પ્રકારના સમ ન ખાઓ; સ્વર્ગના નહિ, કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે; 35 પૃથ્વીના નહિ, કેમ કે તે તેમનું પાયાસન છે; અને યરુશાલેમના નહિ, કેમ કે તે મોટા રાજાનું નગર છે.

36 તમે તમારા માથાના પણ સમ ન ખાઓ, કેમ કે તમે એક પણ વાળને પણ સફેદ અથવા કાળો કરી શકતા નથી. 37 પણ તમારું બોલવું તે ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે દુષ્ટ તરફથી છે.

38 ‘આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. 39 પણ હું તમને કહું છું કે જે દુર્જન હોય તેમની સામા ન થાઓ; પણ જે કોઈ તારા જમણાં ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ.

40 જે તારો કોટ લેવા માટેનો દાવો કરીને તને ન્યાયસભામાં લઈ જવા ઇચ્છે, તેને તારું પહેરણ પણ લેવા દે. 41 જે કોઈ તને બળજબરીથી એક માઇલ લઈ જાય, તો તેની સાથે બે માઇલ જા. 42 જે કોઈ તારી પાસે માગે તેને તું આપ અને તારી પાસે જે ઉછીનું લેવા ચાહે, તેનાથી મોં ન ફેરવ.

43 ‘તું તારા પડોશી પર પ્રેમ કર અને તારા દુશ્મન પર દ્વેષ કર’, તેમ કહેલું હતું, તે તમે સાંભળ્યું છે. 44 પણ હું તમને કહું છું કે તમે તમારા દુશ્મનો પર પ્રેમ કરો અને જેઓ તમને સતાવે છે તેઓને માટે પ્રાર્થના કરો, 45 એ માટે કે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરા થાઓ. કેમ કે તે સૂર્યને દુષ્ટ તથા ભલા પર ઉગાવે છે અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ મોકળે છે.

46 કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શો બદલો મળે? દાણીઓ પણ શું એમ નથી કરતા? 47 જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તમે વિશેષ શું કરો છો? દેવ વગરના લોકો પણ શું એમ નથી કરતાં? 48 એ માટે જેવા તમારા સ્વર્ગમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે પણ સંપૂર્ણ થાઓ.



Chapter 6

1 માણસો તમને જુએ તે હેતુથી તેઓની આગળ તમારાં ન્યાયી કૃત્યો કરવાથી સાવધાન રહો; નહિ તો સ્વર્ગમાંના તમારા પિતાથી તમને બદલો મળશે નહિ. 2 માટે જયારે તમે દાનધર્મ કરો, ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ પોતાની આગળ રણશિંગડું ન વગાડો. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે.

3 પણ તમે જયારે દાનધર્મ કરો, ત્યારે જે તમારો જમણો હાથ કરે તે તમારો ડાબો હાથ ન જાણે, 4 એ માટે કે તમારા દાનધર્મ ગુપ્તમાં થાય; ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.

5 જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે ઢોંગીઓનાં જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ, માટે તેઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓનાં નાકાંઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું ચાહે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. 6 પણ જયારે તમે પ્રાર્થના કરો, ત્યારે તમારી ઓરડીમાં જાઓ, બારણું બંધ કરીને ગુપ્તમાંના તમારા પિતાને પ્રાર્થના કરો; અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે. 7 તમે પ્રાર્થના કરતાં બિનયહૂદીઓની જેમ બકવાસ ન કરો; કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણાં બોલવાથી અમારું સાંભળવામાં આવશે.

8 એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને જરૂર છે, તે તેમની પાસે માગ્યા અગાઉ તમારા પિતા જાણે છે. 9 માટે તમે આ રીતે પ્રાર્થના કરો: “ઓ સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ. 10 તમારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ. 11 દિવસની અમારી રોટલી આજ અમને આપો. 12 જેમ અમે અમારા અપરાધીને માફ કર્યા છે, તેમ તમે અમારા અપરાધ અમને માફ કરો. 13 અમને પરીક્ષણમાં પડવા ન દો, પણ દુષ્ટથી અમારો છુટકારો કરો.”

14 કેમ કે જો તમે માણસોના અપરાધો તેઓને માફ કરો, તો તમારા સ્વર્ગમાંના પિતા પણ તમને માફ કરશે. 15 પણ જો તમે માણસોને તેઓના અપરાધો માફ નહિ કરો, તો તમારા પિતા તમારા અપરાધો પણ માફ નહિ કરે.

16 વળી જયારે તમે ઉપવાસ કરો, ત્યારે ઢોંગીઓની માફક ઊતરી ગયેલા ચહેરાવાળાં ન થાઓ, કેમ કે લોકોને ઉપવાસી દેખાવા માટે તેઓ પોતાના મોં પડી ગયેલા બતાવે છે. હું તમને નિશ્ચે કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. 17 પણ જયારે તમે ઉપવાસ કરો, ત્યારે તમારા માથા પર તેલ લગાવો અને તમારો ચહેરો ધોઓ, 18 એ માટે કે ફક્ત માણસો ન જાણે કે તમે ઉપવાસ કરી રહ્યા છો, પણ તમારા પિતા જે ગુપ્તમાં છે તેમને તમે ઉપવાસી દેખાય. અને ગુપ્તમાં જોનાર તમારા પિતા તમને બદલો આપશે.

19 પૃથ્વી પર પોતાને સારુ દ્રવ્ય એકત્ર ન કરો, ત્યાં તો કીડા તથા કાટ નાશ કરે છે અને ચોરો દીવાલ તોડીને ચોરી જાય છે. 20 પણ તમે પોતાને સારુ સ્વર્ગમાં દ્રવ્ય એકત્ર કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા અને જ્યાં ચોરો દીવાલ તોડીને ચોરી જતા નથી. 21 કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે, ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે.

22 શરીરનો દીવો તે આંખ છે. એ માટે જો તમારી દ્રષ્ટિ સારી હોય, તો તમારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે. 23 પણ જો તમારી દ્રષ્ટિ ખરાબ હોય, તો તમારું આખું શરીર અંધકારથી ભરેલું થશે. માટે તમારામાં જે અજવાળું છે, તે જો અંધકારરૂપ હોય, તો તે અંધકાર કેટલો મોટો!

24 કોઈ ચાકર બે માલિકોની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકનો દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે, અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે. એકસાથે તમે ઈશ્વરની તથા દ્રવ્યની ચાકરી કરી શકો નહિ. 25 એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારુ ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું અથવા શું પીશું; તેમ જ તમારા શરીરને માટે ચિંતા ન કરો કે, અમે શું પહેરીશું? શું જીવ ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં અધિક નથી? 26 આકાશના પક્ષીઓને જુઓ! તેઓ તો વાવતાં નથી, કાપતાં નથી અને વખારોમાં ભરતાં નથી, તોપણ તમારા સ્વર્ગીય પિતા તેઓનું પોષણ કરે છે. તો તેઓ કરતાં તમે અધિક મૂલ્યવાન નથી શું?

27 ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના જીવનકાળમાં એકાદ પળનો વધારો કરી શકો છે? 28 વળી વસ્ત્રો સંબંધી તમે ચિંતા કેમ કરો છો? ખેતરનાં ફૂલઝાડોનો વિચાર કરો કે, તેઓ કેવાં વધે છે; તેઓ મહેનત કરતા નથી અને કાંતતાં પણ નથી. 29 તોપણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો.

30 એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં નંખાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો, ઓ અલ્પવિશ્વાસીઓ, તમને શું તેથી વિશેષ નહિ પહેરાવે? 31 માટે ‘અમે શું ખાઈશું?’, ‘શું પીશું?’ અથવા ‘શું પહેરીશું?’ એમ કહેતાં ચિંતા ન કરો.

32 કારણ કે એ સઘળાં વાનાં અવિશ્વાસીઓ શોધે છે; કેમ કે સ્વર્ગમાંના તમારા પિતા જાણે છે કે એ બધાની તમને જરૂર છે. 33 પણ તમે પ્રથમ તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો અને એ બધાં વાનાં પણ તમને અપાશે. 34 તે માટે આવતી કાલને સારુ ચિંતા ન કરો, કેમ કે આવતી કાલ પોતાની વાતોની ચિંતા કરશે. દિવસને સારુ તે દિવસનું દુઃખ બસ છે.



Chapter 7

1 કોઈનો ન્યાય ન કરો અને તમારો ન્યાય નહિ કરાશે. 2 કેમ કે જે ન્યાય પ્રમાણે તમે ન્યાય કરો તે પ્રમાણે તમારો ન્યાય થશે. જે માપથી તમે માપી આપો છો, તે જ પ્રમાણે તમને માપી અપાશે.

3 તું તારા ભાઈની આંખમાંનું ફોતરાં ધ્યાનમાં લે છે, અને તારી પોતાની આંખમાંનો ભારોટીયો કેમ જોતો નથી? 4 અથવા તું તારા ભાઈને કેવી રીતે કહી શકે કે ‘મને તારી આંખમાંથી ફોતરું કાઢવા દે’; પણ જો, તારી પોતાની જ આંખમાં ભારોટીયો છે? 5 ઓ ઢોંગી! પ્રથમ તું પોતાની જ આંખમાંથી ભારોટીયો કાઢ, ત્યાર પછી તને તારા ભાઈની આંખમાંથી ફોતરું કાઢવાને સારી રીતે દેખાશે.

6 જે પવિત્ર છે તે કૂતરાઓની આગળ ન નાખો, તમારાં મોતી ભૂંડોની આગળ ન ફેંકો; એમ ન થાય કે તેઓ તે પોતાના પગ તળે છૂંદે અને તમને ફાડી નાખે.

7 માગો તો તમને અપાશે; શોધો, તો તમને જડશે; ખટખટાવો, તો તમારે સારુ ઉઘાડાશે. 8 કેમ કે જે દરેક માગે છે તેઓ પામે છે; જે શોધે છે તેઓને જડે છે; અને જે કોઈ ખટખટાવે છે, તેઓને માટે દરવાજા ઉઘાડવામાં આવશે. 9 તમારામાં એવી કઈ વ્યક્તિ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? 10 અથવા જો માછલી માગે, તો તે તેને સાપ આપશે?

11 માટે જો તમે ખરાબ હોવા છતાં, જો પોતાના બાળકોને સારાં વાનાં આપવા જાણો છો, તો તમારા સ્વર્ગમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલી વિશેષે કરીને સારાં વાનાં આપશે? 12 માટે જે કંઈ તમે ઇચ્છો છો કે બીજા લોકો તમારા પ્રત્યે કરે, તેવું તમે પણ તેઓ પ્રત્યે કરો; કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર તે છે.

13 તમે સાંકડે બારણેથી અંદર પ્રવેશો; કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે, તેનું બારણું પહોળું છે અને ઘણાં તેમાં થઈને પ્રવેશે છે. 14 જે માર્ગ જીવનમાં પહોંચાડે છે, તે સાંકડો છે, તેનું બારણું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ થોડા જ છે.

15 જે જૂઠાં પ્રબોધકો ઘેટાંને વેશે તમારી પાસે આવે છે, પણ અંદરથી ફાડી ખાનાર વરુના જેવા છે, તેઓ સંબંધી તમે સાવધાન રહો. 16 તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાનાં ઝાડ પરથી દ્રાક્ષ અથવા ઝાંખરાં પરથી અંજીર તોડે છે? 17 તેમ જ દરેક સારું ઝાડ સારાં ફળ આપે છે અને ખરાબ ઝાડ ખરાબ ફળ આપે છે.

18 સારું ઝાડ ખરાબ ફળ આપી શકતું નથી અને ખરાબ ઝાડ સારાં ફળ આપી શકતું નથી. 19 દરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. 20 તેથી તેઓનાં ફળથી તમે તેઓને ઓળખશો.

21 જેઓ મને ‘પ્રભુ, પ્રભુ,’ કહે છે, તેઓ સર્વ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ પ્રવેશશે. 22 તે દિવસે ઘણાં મને કહેશે કે, ‘પ્રભુ, પ્રભુ,’ શું અમે તમારે નામે પ્રબોધ કર્યો નહોતો? તમારે નામે દુષ્ટાત્માઓને કાઢયાં નહોતાં? અને તમારે નામે ઘણાં પરાક્રમી કામો કર્યા નહોતાં? 23 ત્યારે હું તેઓને સ્પષ્ટ કહીશ કે, ‘મેં તમને કદી પણ ઓળખ્યા નહિ; ઓ દુષ્ટકર્મીઓ, તમે મારી પાસેથી દૂર જાઓ!’”

24 એ માટે, જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે, તે એક ડાહ્યા માણસની જેમ છે, જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું. 25 વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં અને તે ઘર પર સપાટા લાગ્યા; પણ તેનો પાયો ખડક પર નાખેલો હોવાથી તે પડ્યું નહિ.

26 જે કોઈ મારી આ વાતો સાંભળે છે પણ પાળતો નથી, તે એક મૂર્ખ માણસની જેમ છે, જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું. 27 વરસાદ વરસ્યો, પૂર આવ્યું, વાવાઝોડાં થયાં, તે ઘર પર સપાટા લાગ્યા અને તે પડી ગયું; અને તેનો નાશ મોટો થયો.

28 ઈસુ એ વાતો કહી રહ્યા પછી, એમ થયું કે, લોકો તેમના ઉપદેશથી આશ્ચર્ય પામ્યા, 29 કેમ કે શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય છે તેવી રીતે તે તેઓને ઉપદેશ કરતા હતા.



Chapter 8

1 જયારે ઈસુ પહાડ પરથી ઊતર્યા, ત્યારે અતિ ઘણાં લોક તેમની પાછળ ગયા. 2 અને જુઓ, એક કુષ્ઠ રોગીએ આવીને તેમને પગે પડીને કહ્યું કે, “ઓ પ્રભુ, જો તમારી ઇચ્છા હોય તો તમે મને શુદ્ધ કરી શકો છો.” 3 ત્યારે ઈસુએ પોતાના હાથ લાંબો કર્યો, અને તેને સ્પર્શીને કહ્યું, “હું ચાહું છું, તું શુદ્ધ થા.” અને તરત તે પોતાના કુષ્ઠ રોગથી શુદ્ધ થયો.

4 પછી ઈસુ તેને કહ્યું કે, “જોજે, તું કોઈને કહીશ નહિ; પણ જા, યાજકને જઈને પોતાને બતાવ અને તેઓને માટે સાક્ષી તરીકે જે અર્પણ મૂસાનાં ફરમાવ્યાં પ્રમાણે છે તે ચઢાવ.”

5 ઈસુ કપરનાહૂમમાં આવ્યા, પછી એક શતપતિ તેમની પાસે આવીને વિનંતી કરી કે, 6 “ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે, તેને ભારે પીડા થાય છે.” 7 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “હું આવીને તેને સાજો કરીશ.”

8 શતપતિએ ઉત્તર આપતાં કહ્યું કે, “ઓ પ્રભુ, તમે મારા છાપરા હેઠળ આવો એવો હું યોગ્ય નથી; પણ તમે કેવળ શબ્દ કહો, એટલે મારો ચાકર સાજો થશે. 9 કેમ કે હું પણ કોઈનાં અધિકાર હેઠળ છું અને સિપાઈઓ મારે સ્વાધીન છે. એકને હું કહું છું કે, ‘જા’, ને તે જાય છે; બીજાને કહું છું કે, ‘આવ’ અને તે આવે છે; અને મારા દાસને કહું છું કે, ‘એ પ્રમાણે કર’, ને તે કરે છે.” 10 ત્યારે ઈસુને તે સાંભળીને આશ્ચર્ય થયું, પાછળ આવનારાઓને તેમણે કહ્યું, “હું તમને નિશ્ચે કહું છું કે, આવો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી.

11 હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણાં લોકો આવશે અને ઇબ્રાહિમની, ઇસહાકની તથા યાકૂબની સાથે સ્વર્ગના રાજ્યમાં જમવા બેસશે. 12 પણ રાજ્યના દીકરાઓ બહારના અંધકારમાં નંખાશે કે, જ્યાં રડવું અને દાંત પીસવું થશે.” 13 ઈસુએ તે શતપતિને કહ્યું કે, “જા! જેવો તેં વિશ્વાસ કર્યો તેવું જ તને થાઓ.” તે જ ઘડી તેનો ચાકર સાજો થયો.

14 ઈસુ પિતરના ઘરમાં આવ્યા, ત્યાં તેમણે તેની સાસુને તાવે બિમાર પડેલી જોઈ. 15 ઈસુ તેના હાથને સ્પર્શ્યા, એટલે તેનો તાવ જતો રહ્યો અને તેણે ઊઠીને તેમની સેવા કરી.

16 સાંજ પડી ત્યારે લોકોએ ઘણાં દુષ્ટાત્મા વળગેલાંઓને તેમની પાસે લાવ્યા અને તેમણે શબ્દથી તે દુષ્ટાત્માઓને બહાર કાઢ્યાં, અને સઘળાં માંદાઓને સાજાં કર્યાં. 17 એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, “તેમણે પોતે આપણી માંદગીઓ લીધી અને આપણા રોગો ભોગવ્યા.”

18 ઈસુએ લોકોની મોટી ભીડ પોતાની આસપાસ એકત્ર થયેલો જોયો, ત્યારે તેમણે સરોવરની પેલે પાર જવાની આજ્ઞા કરી. 19 એક શાસ્ત્રીએ પાસે આવીને તેમને કહ્યું કે, “ઓ ઉપદેશક, જ્યાં કહીં તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.” 20 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “શિયાળોને દર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી.”

21 તેમના શિષ્યોમાંથી બીજાએ તેમને કહ્યું કે, “પ્રભુ, મને રજા આપો કે હું જઈને પહેલાં મારા પિતાને દફનાવીને આવું.” 22 પણ ઈસુએ તેને કહ્યું કે, “તું મારી પાછળ આવ, મરણ પામેલાંઓને પોતાનાં મરણ પામેલાંઓને દફનાવવા દો.”

23 જયારે ઈસુ હોડી પર ચઢ્યાં, ત્યારે તેમના શિષ્યો તેમની પાછળ ગયા. 24 જુઓ, સમુદ્રમાં એવું મોટું તોફાન થયું, જેથી હોડી મોજાંઓથી ઢંકાઈ ગઈ; પણ ઈસુ પોતે ઊંઘતા હતા. 25 ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું કે, “ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ!”

26 પછી ઈસુ તેઓને કહ્યું કે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમે શા માટે ભયભીત થયા છો?” પછી તેમણે ઊઠીને પવનને તથા સમુદ્રને ધમકાવ્યાં; અને મહાશાંતિ થઈ. 27 ત્યારે તે માણસોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “એ કયા પ્રકારના માણસ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?”

28 જયારે ઈસુ પેલે પાર ગાડરેનેસના દેશમાં પહોંચ્યા ત્યારે દુષ્ટાત્મા વળગેલાં બે માણસ કબરોમાંથી નીકળતા તેમને મળ્યા; તેઓ એવા બિહામણા હતા કે તે માર્ગે કોઈથી જવાતું નહોતું. 29 જુઓ, તેઓએ બૂમ પાડતાં કહ્યું કે, “ઓ ઈશ્વરના દીકરા, અમારે ને તમારે શું છે? નિશ્ચિત સમય અગાઉ તમે અમને પીડા દેવાને અહીં આવ્યા છો શું?”

30 હવે તેઓથી થોડેક દૂર ઘણાં ભૂંડોનું એક ટોળું ચરતું હતું. 31 દુષ્ટાત્માઓએ તેમને વિનંતી કરતાં કહ્યું કે, “જો તમે અમને કાઢો તો ભૂંડોના ટોળાંમાં અમને મોકલો.” 32 ઈસુએ તેઓને કહ્યું કે, ‘જાઓ!’ પછી તેઓ નીકળીને ભૂંડોમાં પેઠાં; અને જુઓ, આખું ટોળું ટેકરીની ધાર પરથી સમુદ્રમાં ઘસી પડ્યું અને પાણીમાં ડૂબી મર્યું.

33 ત્યારે ચરાવનારા ભાગ્યા, તેઓએ નગરમાં જઈને સઘળું કહી સંભળાવ્યું; સાથે દુષ્ટાત્મા વળગેલાંઓને શું થયું તે પણ કહ્યું. 34 ત્યારે જુઓ, આખું નગર ઈસુને મળવાને બહાર આવ્યું. તેમને જોઈને તેઓએ તેમને વિનંતી કરી કે, અમારા પ્રદેશમાંથી ચાલ્યા જાઓ.



Chapter 9

1 ત્યારે હોડીમાં બેસીને ઈસુ પેલે પાર ગયા, ત્યાર પછી પોતાના નગરમાં આવ્યા. 2 ત્યાં જુઓ, ખાટલે પડેલા એક લકવાગ્રસ્તને લોકો તેમની પાસે લાવ્યા. ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું કે, “દીકરા, હિંમત રાખ, તારાં પાપ તને માફ થયા છે.”

3 ત્યારે શાસ્ત્રીઓમાંના કેટલાકે પોતાના મનમાં કહ્યું કે, “એ દુર્ભાષણ કરે છે.” 4 ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે, “તમે તમારા મનમાં શા માટે દુષ્ટ વિચાર કરો છો? 5 કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે ‘તારાં પાપ તને માફ થયાં છે,’ અથવા એમ કહેવું કે ‘ઊઠીને ચાલ્યો જા?’ 6 પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એ તમે જાણો,” તેથી ઈસુ લકવાગ્રસ્ત માણસને કહ્યું કે “ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘરે ચાલ્યો જા.”

7 અને તે ઊઠીને પોતાને ઘરે ગયો. 8 તે જોઈને લોકો આશ્ચર્યચકિત થયા, અને ઈશ્વરે માણસોને એવો અધિકાર આપ્યો છે, એ માટે તેઓએ તેમનો મહિમા કર્યો.

9 ઈસુએ ત્યાંથી જતા માથ્થી નામનો એક માણસને જકાત લેવાની ચોકી પર બેઠેલો જોયો; તેમણે તેને કહ્યું કે, ‘તું મારી પાછળ આવ.’ ત્યારે તે ઊઠીને તેમની પાછળ ગયો.

10 ત્યાર પછી એમ થયું કે, ઈસુ માથ્થીના ઘરે જમવા બેઠા ત્યારે જુઓ, ઘણાં જકાત લેનારાઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા. 11 ફરોશીઓએ એ જોઈને તેમના શિષ્યોને કહ્યું કે, “તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે કેમ ખાય છે?”

12 ઈસુએ એ સાંભળીને તેઓને કહ્યું કે, “જેઓ તંદુરસ્ત છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ બિમાર છે તેઓને છે. 13 પણ, ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને બોલાવવા હું આવ્યો છું.”

14 ત્યારે યોહાનના શિષ્યો તેમની પાસે આવીને કહ્યું કે “અમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી. એનું કારણ શું?” 15 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “જ્યાં સુધી વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસો આવશે કે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.

16 વળી નવા વસ્ત્રોનું થીંગડું જૂના વસ્ત્રોમાં કોઈ મારતું નથી, કેમ કે તે થીંગડાથી તે વસ્ત્રો ખેંચાય છે, અને તે વધારે ફાટી જાય છે.

17 વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી; જો ભરે તો મશકો ફાટી જાય છે, દ્રાક્ષારસ ઢોળાઈ જાય છે, અને મશકોનો નાશ થાય છે. પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે, જેથી બન્નેનું રક્ષણ થાય છે.”

18 ઈસુ તેઓને આ વાત કહેતાં હતા, ત્યારે જુઓ, એક અધિકારી આવીને તેમને પગે પડીને કહ્યું કે, “મારી દીકરી હમણાં જ મૃત્યુ પામી છે, પણ તમે આવીને તમારો હાથ તેના પર મૂકો એટલે તે જીવતી થશે.” 19 ત્યારે ઈસુ ઊઠીને પોતાના શિષ્યો સહિત તેની પાછળ ગયા.

20 ત્યારે જુઓ, એક સ્ત્રી જેને બાર વર્ષથી સખત લોહીવા હતો, તે ઈસુની પાછળ આવીને તેમના વસ્ત્રોની કોરને અડકી; 21 કેમ કે તેણે પોતાના મનમાં વિચાર્યું કે, “જો હું માત્ર તેમના વસ્ત્રને અડકું તો હું સાજી થઈ જઈશ.” 22 ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું કે, “દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે;” અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ.

23 પછી જયારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારાઓને તથા લોકોને કકળાટ કરતા જોયા; 24 ત્યારે તેમણે કહ્યું કે, “અહીંથી ચાલ્યા જાઓ; કેમ કે છોકરી મરી ગઈ નથી, પણ ઊંઘે છે.” અને તેઓએ ઈસુની વાતને મજાકમાં કાઢી.

25 લોકોને બહાર કાઢ્યાં પછી, તેમણે અંદર જઈને તેનો હાથ પકડ્યો; અને તે છોકરી ઊઠી. 26 તે વાતની ચર્ચા આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ.

27 ઈસુ ત્યાંથી જતા હતા, તેવામાં બે અંધજનો તેમની પાછળ જઈને બૂમ પાડતાં કહ્યું કે, “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કરો!” 28 ઈસુ ઘરમાં આવ્યા, ત્યારે તે અંધજનો તેમની પાસે આવ્યા. ઈસુએ તેઓને કહ્યું છે કે, “હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું?” તેઓ તેમને કહ્યું કે, ‘હા પ્રભુ.’”

29 ત્યારે ઈસુ તેઓની આંખોને અડકીને કહ્યું કે, “તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ.” 30 તે જ સમયે તેઓની આંખો ઊઘડી ગઈ. પછી ઈસુએ તેઓને કડક આજ્ઞા આપીને કહ્યું કે, “જોજો, કોઈ આ વિષે જાણે નહિ.” 31 પણ તેઓએ બહાર જઈને આખા દેશમાં તેમની કીર્તિ ફેલાવી.

32 તેઓ બહાર ગયા ત્યારે જુઓ, દુષ્ટાત્મા વળગેલાં એક મૂંગા માણસને લોકો તેમની પાસે લાવ્યા. 33 દુષ્ટાત્મા કાઢવામાં આવ્યો ત્યારે તે મૂંગો માણસ બોલ્યો અને લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “ઇઝરાયલમાં આવું કદી જોવામાં આવ્યું નથી!” 34 પણ ફરોશીઓએ કહ્યું કે, “તે દુષ્ટાત્માઓનાં સરદારથી જ દુષ્ટાત્માઓ કાઢે છે.”

35 ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, દરેક પ્રકારનો રોગ તથા દરેક પ્રકારની બીમારી મટાડતા; સઘળાં નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા. 36 લોકોને જોઈને તેમને તેઓ પર અનુકંપા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન તથા નિરાધાર હતા.

37 ત્યારે ઈસુ પોતાના શિષ્યોને કહ્યું કે, “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. 38 એ માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે, તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.”



Chapter 10

1 પછી ઈસુએ પોતાના બાર શિષ્યોને પાસે બોલાવીને અશુદ્ધ આત્માઓને કાઢવાનો, તથા દરેક પ્રકારનો મંદવાડ તથા દરેક જાતનો રોગ મટાડવાનો અધિકાર તેઓને આપી.

2 તે બાર પ્રેરિતોનાં નામ આ છે. પહેલો સિમોન જે પિતર કહેવાય છે, અને તેનો ભાઈ આન્દ્રિયા; ઝબદીનો દીકરો યાકૂબ, તથા તેનો ભાઈ યોહાન; 3 ફિલિપ તથા બર્થોલ્મી; થોમા તથા માથ્થી દાણી; અલ્ફીનો દીકરો યાકૂબ તથા થદી; 4 સિમોન જે અતિ ઝનૂની માણસ હતો તથા યહૂદા ઇશ્કારિયોત, જે ઈસુને પરસ્વાધીન કરનાર હતો.

5 ઈસુએ તે બાર શિષ્યોને મોકલીને એવી આજ્ઞા આપી કે, “તમે વિદેશીઓને માર્ગે ન જાઓ અને સમરૂનીઓના કોઈ નગરમાં ન પેસો. 6 પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ. 7 તમે જતા જતા એમ પ્રગટ કરો કે, ‘સ્વર્ગનું રાજ્ય પાસે આવ્યું છે.’”

8 માંદાઓને સાજાં કરો, મૂએલાંઓને સજીવન કરો, રક્તપિત્તના રોગીઓને શુદ્ધ કરો, અને દુષ્ટાત્માઓને કાઢો. તમે મફત પામ્યા છો, મફત આપો. 9 સોનું, ચાંદી કે પિત્તળ તમારા કમરબંધમાં ન રાખો; 10 મુસાફરીને સારુ થેલો, બે અંગરખા, ચંપલ, લાકડી પણ ન લો; કેમ કે મજૂર પોતાના વેતનને યોગ્ય છે.

11 જે જે નગરમાં કે ગામમાં તમે જાઓ, તેમાં યોગ્ય કોણ છે એની તપાસ કરો, ત્યાંથી નીકળતાં સુધી તેને ત્યાં રહો. 12 ઘરમાં જઈને તેઓને સલામ કહો. 13 જો તે ઘર યોગ્ય હોય તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો તે ઘર યોગ્ય ન હોય તો તમારી શાંતિ તમારા પર પાછી રહેશે.

14 જો કોઈ તમારો આવકાર નહિ કરે તથા તમારી વાતો નહિ સાંભળે તો તે ઘરમાંથી અથવા તે નગરમાંથી નીકળતાં તમે તેની ધૂળ તમારા પગ પરથી ખંખેરી નાખો. 15 હું તમને નિશ્ચે કહું છું કે, ન્યાયકાળે સદોમ તથા ગમોરા દેશના હાલ તે નગરના કરતાં સહેલ થશે.

16 જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું; માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરનાં જેવા સાલસ થાઓ. 17 તમે માણસોથી સાવધાન રહો; કેમ કે તેઓ તમને ન્યાયસભાને સોંપશે, અને તેઓનાં સભાસ્થાનોમાં તમને કોરડા મારશે. 18 તેઓને તથા બિનયહૂદીઓને માટે સાક્ષીને અર્થે મારે લીધે તમને અધિકારીઓની તથા રાજાઓની આગળ લઈ જવાશે.

19 પણ જયારે તેઓ તમને સોંપશે ત્યારે તમે ચિંતા ન કરો કે શી રીતે અથવા શું બોલીએ; કેમ કે શું બોલવું તે તે જ ઘડીએ તમને અપાશે. 20 કેમ કે જે બોલે છે તે તો તમે નથી, પણ પિતાનો આત્મા તમારા દ્વારા બોલે છે.

21 ભાઈ ભાઈને તથા પિતા બાળકને મારી નંખાવવાને સોંપી દેશે અને બાળકો માતાપિતાની સામે ઊઠીને તેઓને મારી નંખાવશે. 22 મારા નામને કારણે સહુ તમારો દ્વેષ કરશે, પણ જે કોઈ અંત સુધી ટકશે તે જ ઉદ્ધાર પામશે. 23 જયારે તેઓ તમને એક નગરમાં સતાવણી કરે ત્યારે તમે બીજામાં ભાગી જાઓ, કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયલનાં સઘળાં નગરોમાં તમે ફરી નહિ વળશો.

24 શિષ્ય ગુરુ કરતાં મોટો નથી અને નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી. 25 શિષ્ય પોતાના ગુરુ જેવો અને નોકર પોતાના શેઠ જેવો હોય તો તે જ ઘણું છે. જો ઘરના માલિકને તેઓએ બાલઝબૂલ કહ્યો છે, તો તેના ઘરના લોકોને કેટલું વિશેષે કરીને તેઓ એમ જ કહેશે!

26 તે માટે તેઓથી તમે ગભરાશો નહિ, કેમ કે ઉઘાડું નહિ કરાશે એવું કંઈ ઢાંકેલું નથી, અને પ્રગટ નહિ થશે એવું કશું ગુપ્ત નથી. 27 હું તમને અંધારામાં જે કહું છું તે તમે અજવાળામાં કહો, તમે કાને જે સાંભળો છો તે ધાબાઓ પરથી પ્રગટ કરો.

28 શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો મા. પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નર્કમાં કરી શકે છે તેનાથી ગભરાઓ. 29 શું ચકલીઓ બે પૈસે વેચાતી નથી? તોપણ તમારા પિતાની ઇચ્છા વગર તેમાંથી એક પણ જમીન પર પડનાર નથી. 30 તમારા માથાના બધા વાળ પણ ગણેલા છે. 31 તે માટે ગભરાશો નહિ; ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.

32 માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે, તેને હું પણ મારા સ્વર્ગમાંના પિતાની આગળ કબૂલ કરીશ; 33 પણ માણસોની આગળ જે કોઈ મારો ઇનકાર કરશે, તેનો હું પણ મારા સ્વર્ગમાંના પિતાની આગળ ઇનકાર કરીશ.

34 એમ ન ધારો કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું; શાંતિ તો નહિ, પણ તલવાર લઈને આવ્યો છું. 35 કેમ કે પુત્રને તેના પિતાની વિરુદ્ધ, દીકરીને તેની માની વિરુદ્ધ તથા પુત્રવધૂને તેની સાસુની વિરુદ્ધ કરવાને હું આવ્યો છું. 36 માણસના દુશ્મન તેના ઘરનાં થશે.

37 મારા કરતાં જે પોતાની મા અથવા પોતાના પિતા પર વધારે પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી; અને દીકરા કે દીકરી પર જે મારા કરતાં વધારે પ્રેમ કરે છે, તે પણ મારે યોગ્ય નથી. 38 જે પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી તે મારે યોગ્ય નથી. 39 જે પોતાનું જીવન બચાવે છે તે તેને ખોશે, મારે લીધે જે પોતાનું જીવન ગુમાવે છે તે તેને બચાવશે.

40 જે તમારો આવકાર કરે છે તે મારો આવકાર કરે છે, જે મારો આવકાર કરે છે તે મારા મોકલનારનો પણ આવકાર કરે છે. 41 જે કોઈ વ્યક્તિ પ્રબોધકનો આવકાર કરે છે, કેમ કે તે પ્રબોધક છે, તે પ્રબોધકનું બદલો પામશે; અને જે કોઈ વ્યક્તિ ન્યાયીનો આવકાર કરે છે, કેમ કે તે ન્યાયી છે, તે ન્યાયીનું બદલો પામશે.

42 હું તમને નિશ્ચે કહું છું કે શિષ્યને નામે જે કોઈ આ નાનામાંના એકને માત્ર ઠંડા પાણીનું પ્યાલું પીવાને આપશે તે તેનું બદલો પામ્યા વિના રહેશે જ નહિ.”



Chapter 11

1 ઈસુ પોતાના બાર શિષ્યોને આજ્ઞા આપી ચૂક્યા, ત્યારે એમ થયું કે શીખવવા તથા ઉપદેશ આપવા તે ત્યાંથી તેઓનાં નગરોમાં ગયા. 2 હવે યોહાને જેલમાં ખ્રિસ્તનાં કાર્યો સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને 3 તેમને પુછાવ્યું કે, “જે આવનાર છે તે તમે જ છો કે, અમે બીજાની રાહ જોઈએ?”

4 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમે જે જે સાંભળો છો તથા જુઓ છો, તે જઈને યોહાનને કહી બતાવો. 5 અંધજનો દેખતા થાય છે, અપંગો ચાલતા થાય છે, રક્તપિત્તના રોગીઓ શુદ્ધ કરાય છે, બહેરાઓ સાંભળતાં થાય છે; મૃત્યુ પામેલાઓ સજીવન થાય છે, તથા દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે. 6 જે કોઈ મારાથી દૂર ન થાય તે આશીર્વાદિત છે.”

7 જયારે તેઓ જતા હતા ત્યારે ઈસુ યોહાન સંબંધી લોકોને કહેવા લાગ્યા કે, “તમે અરણ્યમાં શું જોવા ગયા હતા? શું પવનથી હાલતા ઘાસને? 8 પણ તમે શું જોવા નીકળ્યા? શું મુલાયમ વસ્ત્રો પહેરેલા માણસને? ખરેખર, જે એવાં વસ્ત્રો પહેરે છે તેઓ તો રાજમહેલોમાં છે.

9 તો તમે શું જોવા નીકળ્યા? શું પ્રબોધકને? હું તમને કહું છું કે, હા, પ્રબોધક કરતાં જે ઘણાં અધિક છે તેને. 10 જેનાં સંબંધી એમ લખેલું છે કે, ‘જો, હું મારા સંદેશવાહકને તારી આગળ મોકલું છું, જે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે.’”

11 હું તમને નિશ્ચે કહું છું કે, જેટલાં સ્ત્રીઓથી જનમ્યાં છે, તેઓમાં યોહાન બાપ્તિસ્મા કરનાર કરતાં કોઈ મોટો ઉત્પન્ન થયો નથી, તોપણ સ્વર્ગના રાજ્યમાં જે સૌથી નાનો છે તે પણ તેના કરતાં મોટો છે. 12 યોહાન બાપ્તિસ્મા કરનારનાં સમયથી તે અત્યાર સુધી સ્વર્ગના રાજ્ય પર બળજબરી થાય છે, તથા બળજબરી કરનારાઓ તેને છીનવી લે છે.

13 કેમ કે બધા પ્રબોધકોએ તથા નિયમશાસ્ત્રે યોહાન સુધી પ્રબોધ કર્યો છે. 14 જો તમે માનવા ચાહો તો એલિયા જે આવનાર છે તે એ જ છે. 15 જેને સાંભળવાને કાન છે તે સાંભળે.

16 પણ આ પેઢીને હું શાની સાથે સરખાવવું? તે છોકરાંનાં જેવી છે કે, જેઓ બજારોમાં બેસીને પોતાના સાથીઓને હાંક મારતાં કહે છે કે 17 ‘અમે તમારી આગળ વાંસળી વગાડી, પણ તમે નાચ્યા નહિ; ‘અમે શોક કર્યો, પણ તમે રડ્યા નહિ.’”

18 કેમ કે યોહાન ખાતો પીતો નથી આવ્યો, અને તેઓ કહે છે કે,’ તેને દુષ્ટાત્મા વળગ્યો છે.’ 19 માણસનો દીકરો ખાતો પીતો આવ્યો, તો તેઓ કહે છે કે, ‘જુઓ, ખાઉધરો અને દારૂબાજ માણસ, દાણીઓનો તથા પાપીઓનો મિત્ર! પણ જ્ઞાન પોતાનાં કૃત્યોથી યથાર્થ ઠરે છે.’”

20 ત્યારે જે નગરોમાં તેમના પરાક્રમી કામો ઘણાં થયાં હતાં, તેઓએ પસ્તાવો નહિ કર્યો, માટે તે તેઓની ટીકા કરી. 21 “ઓ ખોરાજીન, તને હાય! ઓ બેથસાઈદા તને હાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામ થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનોય પસ્તાવો કર્યો હોત. 22 વળી હું તમને કહું છું કે ન્યાયકાળે તૂર તથા સિદોનને તમારા કરતાં સહેલ થશે.

23 ઓ કપરનાહૂમ, તું સ્વર્ગ સુધી ઊંચું કરાશે શું? તને પાતાળ સુધી નીચું કરી નંખાશે; કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત. 24 વળી હું તમને કહું કે, ન્યાયકાળે સદોમ દેશને તારા કરતાં સહેલ થશે.”

25 તે વેળા ઈસુએ કહ્યું કે, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા સમજણોથી તમે એ વાતો ગુપ્ત રાખી તથા બાળકોની આગળ પ્રગટ કરી છે. 26 હા, પિતા, કેમ કે તમને તે સારું લાગ્યું. 27 મારા પિતાએ મને સઘળું સોંપ્યું છે, પિતા સિવાય દીકરાને કોઈ જાણતું નથી અને દીકરા સિવાય પિતાને કોઈ જાણતું નથી, તથા જેમને દીકરો પ્રગટ કરવા ચાહે તેને જ પિતા જાણે છે.

28 ઓ વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, અને હું તમને વિસામો આપીશ. 29 મારી ઝૂંસરી તમે પોતા પર લો, અને મારી પાસેથી શીખો, કેમ કે હું મનમાં નમ્ર તથા દીન છું, તમે તમારા જીવમાં વિસામો પામશો. 30 કેમ કે મારી ઝૂંસરી સહેલી અને મારો બોજો હલકો છે.”



Chapter 12

1 તે વેળાએ ઈસુ વિશ્રામવારે અનાજના ખેતરોમાં થઈને જતા હતા, ત્યારે તેમના શિષ્યોને ભૂખ લાગી, તેઓ કણસલાં તોડવા તથા ખાવા લાગ્યા. 2 ફરોશીઓએ તે જોઈને ઈસુને કહ્યું કે, “જો, વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમારા શિષ્યો કરે છે.”

3 પણ ઈસુએ તેઓને કહ્યું કે, “જયારે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા, ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી? 4 તેણે ઈશ્વરના ઘરમાં પેસીને અર્પણ કરેલી રોટલી, જે તેને તથા તેના સાથીઓને ખાવી ઉચિત ન હતી, પણ એકલા યાજકોને ઉચિત હતી, તે તેણે ખાધી.

5 અથવા શું નિયમશાસ્ત્રમાં તમે એ નથી વાંચ્યું કે, વિશ્રામવારે ભક્તિસ્થાનમાં યાજકોએ વિશ્રામવારને અપવિત્ર કર્યા છતાં પણ નિર્દોષ છે? 6 પણ હું તમને કહું છું કે ભક્તિસ્થાન કરતાં અહીં એક મોટો છે.

7 વળી ‘બલિદાન કરતાં હું દયા ચાહું છું,’ એનો અર્થ જો તમે જાણતા હોત તો નિર્દોષને તમે દોષિત ન ઠરાવત. 8 કેમ કે માણસનો દીકરો વિશ્રામવારનો પ્રભુ છે.”

9 ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં આવ્યા. 10 ત્યારે જુઓ, ત્યાં એક માણસ હતો, જેનો હાથ સુકાઈ ગયેલો હતો. ઈસુ પર દોષ મૂકવા સારુ ફરોશીઓએ તેમને પૂછ્યું કે, “શું વિશ્રામવારે સાજું કરવું ઉચિત છે?”

11 ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “તમારામાં કયો માણસ એવો છે કે, જેને એક ઘેટું હોય, અને વિશ્રામવારે જો તે ખાડામાં પડે તો તેને પકડીને બહાર નહિ કાઢે? 12 તો માણસ ઘેટાં કરતાં કેટલું મૂલ્યવાન છે! એ માટે વિશ્રામવારે સારું કરવું ઉચિત છે.”

13 ત્યારે પેલા માણસને ઈસુએ કહ્યું કે, “તારો હાથ લાંબો કર.” તેણે તે લાંબો કર્યો, તરત તેનો હાથ બીજા હાથનાં જેવો સાજો થયો. 14 ત્યારે ફરોશીઓએ નીકળીને તેમને મારી નાખવાને માટે તેમની વિરુદ્ધ મસલત કરી.

15 પણ ઈસુ એ જાણીને ત્યાંથી નીકળી ગયા. ઘણાં લોકો તેમની પાછળ ગયા, અને તેમણે બધાને સાજાં કર્યા. 16 તેઓને કડક આજ્ઞા આપી કે, ‘તમારે મને પ્રગટ કરવો નહિ’, 17 એ માટે કે પ્રબોધક યશાયાએ જે કહ્યું હતું તે પૂરું થાય કે, 18 “જુઓ, મારો સેવક, જેને મેં પસંદ કર્યો; મારો પ્રિય, જેનાં પર મારો જીવ પ્રસન્ન છે. તેના પર હું મારો આત્મા મૂકીશ, અને તે બધા જ જાતિઓનો ન્યાયચુકાદો પ્રગટ કરશે. 19 તે ઝઘડો નહિ કરશે, બૂમ નહિ પાડશે; તેની વાણી રસ્તાઓમાં કોઈ નહિ સાંભળશે. 20 જ્યાં સુધી ન્યાયચુકાદાને તે જયમાં નહિ પહોંચાડે, ત્યાં સુધી છૂંદેલું બરુ તે ભાંગી નહિ નાખશે, ધુમાતું શણ પણ તે નહિ હોલવશે. 21 બધા જ દેશના લોકો તેમના નામ પર આશા રાખશે.”

22 ત્યારે દુષ્ટાત્મા વળગેલાં કોઈ અંધ અને મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા; તેમણે તેને સાજો કર્યો, એટલે જે અંધ તથા મૂંગો હતો તે બોલવા અને જોવા લાગ્યો. 23 સર્વ લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, “શું આ દાઉદનો દીકરો હોઈ શકે?”

24 પણ ફરોશીઓએ તે સાંભળીને કહ્યું કે, “દુષ્ટાત્માના સરદાર બાલઝબૂલની મદદથી જ તે દુષ્ટાત્માઓને કાઢે છે.” 25 ત્યારે ઈસુએ તેઓનો વિચાર જાણીને તેઓને કહ્યું કે, “દરેક રાજ્ય જે ભાગલા પડે, તે તૂટી પડે છે; તથા દરેક નગર અથવા ઘર જે ભાગલા પડે, તે સ્થિર નહિ રહેશે.

26 જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો; તો પછી તેનું રાજ્ય શી રીતે સ્થિર રહેશે? 27 જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો તમારા લોકો કોની મદદથી કાઢે છે? માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે.

28 પણ જો હું ઈશ્વરના આત્માથી દુષ્ટાત્માઓને કાઢું છું, તો ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો. 29 વળી બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લુટાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે. 30 જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વિખેરી નાખે છે.

31 એ માટે હું તમને કહું છું કે, દરેક પાપ તથા દુર્ભાષણ માણસોને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે દુર્ભાષણ કરે તે માણસને માફ નહિ કરાશે. 32 માણસના દીકરા વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ કરાશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ કંઈ કહેશે, તે તેને માફ નહિ કરાશે; આ યુગમાં પણ નહિ, અને આવનાર યુગમાં પણ નહિ.

33 ઝાડ સારું કરો અને તેનું ફળ સારું થશે, અથવા ઝાડ ખરાબ કરો અને તેનું ફળ ખરાબ થશે; કેમ કે ઝાડ ફળથી ઓળખાય છે. 34 ઓ ઝેરી સર્પોના વંશ, તમે દુષ્ટ છતાં સારી વાતો તમારાથી શી રીતે કહી શકાય? કેમ કે મનના ભરપૂરીપણામાંથી મોં બોલે છે. 35 સારું માણસ મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે, ખરાબ માણસ મનના ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢે છે.

36 વળી હું તમને કહું છું કે, માણસો જે દરેક નકામી વાત બોલશે, તે સંબંધી ન્યાયકાળે તેઓને જવાબ આપવો પડશે. 37 કેમ કે તારી વાતોથી તું ન્યાયી ઠરાવાશે; અને તારી વાતોથી અન્યાયી ઠરાવાશે.”

38 ત્યારે કેટલાક શાસ્ત્રીઓએ તથા ફરોશીઓએ તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “ઓ ઉપદેશક, અમે તમારી પાસેથી ચમત્કારિક ચિહ્ન જોવા ચાહીએ છીએ.” 39 પણ ઈસુએ ઉત્તર દેતાં તેઓને કહ્યું કે, “દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂના પ્રબોધકનાં ચમત્કારિક ચિહ્ન સિવાય કોઈ ચમત્કારિક ચિહ્ન તેને અપાશે નહિ. 40 કેમ કે જેમ યૂના ત્રણ રાતદિવસ મોટી માછલીના પેટમાં રહ્યો હતો, તેમ માણસનો દીકરો પણ ત્રણ રાતદિવસ પૃથ્વીના પેટાળમાં રહેશે.

41 ન્યાયકાળે નિનવેહના માણસ આ પેઢી સાથે ઊઠીને ઊભા રહેશે અને તેને અપરાધી ઠરાવશે; કેમ કે યૂનાનો ઉપદેશ સાંભળીને તેઓએ પસ્તાવો કર્યો, પણ જુઓ, યૂના કરતાં અહીં એક મોટો છે.

42 દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઊઠીને એને અપરાધી ઠરાવશે; કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી; અને જુઓ, અહીં જે છે તે સુલેમાન કરતાં મહાન છે.

43 જયારે અશુદ્ધ આત્મા માણસમાંથી નીકળે છે ત્યારે તે ઉજ્જડ જગ્યામાં વિસામો શોધતો ફરે છે, પણ નથી પામતો. 44 ત્યારે તે કહે છે કે, ‘જે ઘરમાંથી હું નીકળ્યો તેમાં જ હું પાછો જઈશ;’ અને આવીને જુએ છે ત્યારે તો ઘર વાળેલું ખાલી તથા શોભાયમાન કરેલું હોય છે. 45 પછી તે જઈને પોતા કરતાં વધારે દુષ્ટ એવા સાત દુષ્ટાત્માઓને પોતાની સાથે લાવે છે, અને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે, ત્યારે તે માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતાં વધારે ખરાબ થાય છે. તેમ આ દુષ્ટ પેઢીને પણ થશે.”

46 ઈસુ લોકોને હજુ વાત કહેતાં હતા એટલામાં જુઓ, તેમની મા તથા તેમના ભાઈઓ બહાર આવીને ઊભા હતાં, અને તેમની સાથે વાત કરવા ચાહતા હતાં. 47 ત્યારે કોઈએ તેમને કહ્યું કે, “જુઓ, તમારી મા તથા તમારા ભાઈઓ બહાર ઊભા છે, તેઓ તમારી સાથે વાત કરવા ચાહે છે.”

48 પણ પેલા કહેનારને તેમણે ઉત્તર દેતાં કહ્યું કે, “મારી મા કોણ છે? અને મારા ભાઈઓ કોણ છે?” 49 તેમણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લંબાવીને કહ્યું કે, “જુઓ મારી મા તથા મારા ભાઈઓ! 50 કેમ કે મારા સ્વર્ગમાંના પિતાની ઇચ્છા પ્રમાણે જે કોઈ કરે, તે જ મારો ભાઈ, બહેન તથા મા છે.”



Chapter 13

1 તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠા. 2 અતિ ઘણાં લોક તેમની પાસે એકઠા થયા, માટે તે હોડી પર ચઢીને બેઠા; અને સર્વ લોક કિનારે ઊભા રહ્યા.

3 ઈસુએ દ્રષ્ટાંતોમાં તેઓને ઘણી વાતો કહેતાં કહ્યું કે, “જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. 4 તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાના કિનારે પડ્યાં; એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. 5 કેટલાક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી; તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં. 6 પણ જયારે સૂર્ય ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયા, તેને જડ ન હોવાથી તે સુકાઈ ગયા.

7 કેટલાક કાંટાનાં ઝાડવામાં પડ્યાં; કાંટાનાં ઝાડવાએ વધીને તેને દબાવી નાખ્યાં. 8 બીજાં સારી જમીન પર પડ્યાં, તેઓએ ફળ આપ્યાં; કેટલાકે સોગણાં, કેટલાકે સાંઠગણાં, અને કેટલાક ત્રીસગણાં. 9 જેને સાંભળવાને કાન છે તે સાંભળે.”

10 પછી શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, “તમે તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલો છો?” 11 ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપતાં કહ્યું કે, “સ્વર્ગના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને આપેલું નથી. 12 કેમ કે જેની પાસે સમજ છે તેને અપાશે, અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે સમજ નથી તેની પાસે જે છે, તે પણ તેની પાસેથી લઈ લેવાશે.

13 એ માટે હું તેઓને દ્રષ્ટાંતોમાં બોલું છું; કેમ કે જોતાં તેઓ જોતાં નથી, સાંભળતાં તેઓ સાંભળતાં નથી, અને સમજતા પણ નથી. 14 યશાયાની ભવિષ્યવાણી તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે કે, ‘તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; અને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ. 15 કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયા છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ રાખી છે, એમ ન થાય કે, તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે, પશ્ચાતાપ કરે અને હું તેઓને સાજાં કરું.’”

16 પણ તમારી આંખો આશીર્વાદિત છે, કેમ કે તેઓ જુએ છે; અને તમારા કાનો આશીર્વાદિત છે, કેમ કે તેઓ સાંભળે છે. 17 હું તમને નિશ્ચે કહું છું કે, તમે જે જે જુઓ છો, તે ઘણાં પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ચાહ્યું, પણ જોયું નહિ; તમે જે જે સાંભળો છો તે સાંભળવા ચાહ્યું, પણ સાંભળ્યું નહિ.

18 હવે વાવનારનું દ્રષ્ટાંત સાંભળો. 19 ‘જયારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, પણ સમજતો નથી, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું તે છીનવી લઈ જાય છે; રસ્તાની કોરે જે બીજ વાવેલું તે એ જ છે.

20 પથ્થરવાળી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને સ્વીકારી લે છે; 21 તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, જયારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે પાછા પડે છે.

22 કાંટાનાં જાળાંમાં જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ ભૌતિક જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દબાવી નાખે છે, અને તે નિષ્ફળ થઈ જાય છે. 23 સારી જમીન પર જે બીજ વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, અને તેને નિશ્ચે ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાંઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે.”

24 ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય એવા માણસના જેવું છે કે જેણે પોતાના ખેતરમાં સારું બી વાવ્યું. 25 પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો દુશ્મન આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. 26 પણ જયારે છોડવા ઊગ્યા, તેમને કણસલાં આવ્યાં, ત્યારે કડવા દાણા પણ દેખાયા.

27 ત્યારે તે માલિકના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે, ‘સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા?’ 28 તેણે તેઓને કહ્યું કે, ‘કોઈ દુશ્મને એ કર્યું છે.’ ત્યારે ચાકરોએ તેને કહ્યું કે, ‘તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ?’”

29 પણ તેણે કહ્યું, ‘ના, એમ ના થાય કે તમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો. 30 કાપણી સુધી બન્નેને સાથે વધવા દો. કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, “તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો, બાળવા સારુ તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.”

31 ઈસુએ તેઓની આગળ બીજું દ્રષ્ટાંત પ્રગટ કરતાં કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય રાઈના બીજ જેવું છે, જેને એક વ્યક્તિએ લઈને પોતાના ખેતરમાં વાવ્યું. 32 તે સઘળાં બીજ કરતાં નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, તે એવું ઝાડ પણ થાય છે કે આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.”

33 તેમણે તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે, “સ્વર્ગનું રાજ્ય ખમીર જેવું છે કે, જેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો.”

34 એ બધી વાતો ઈસુએ લોકોને દ્રષ્ટાંતોમાં કહી; દ્રષ્ટાંત વગર તેમણે તેઓને કંઈ કહ્યું નહિ. 35 એ માટે કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, “હું મારું મુખ ઉઘાડીને દ્રષ્ટાંતો કહીશ, સૃષ્ટિનો પાયો નાખ્યાના વખતથી જે ચૂપ રખાયાં છે તે હું પ્રગટ કરીશ.”

36 ત્યારે લોકોને મૂકીને ઈસુ ઘરમાં ગયા; પછી તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “ખેતરનાં કડવા દાણાના દ્રષ્ટાંતનો અર્થ અમને કહો.” 37 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “સારું બીજ જે વાવે છે તે માણસનો દીકરો છે. 38 ખેતર દુનિયા છે; સારાં બી રાજ્યના સંતાન છે, પણ કડવા દાણા શેતાનના સંતાન છે; 39 જેણે વાવ્યાં તે દુશ્મન શેતાન છે. કાપણી જગતનો અંત છે, અને કાપનારા સ્વર્ગદૂતો છે.

40 એ માટે જેમ કડવા દાણા એકઠા કરાય છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતનો અંતે થશે. 41 માણસનો દીકરો પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, પાપમાં પાડનારી બધી વસ્તુઓને તથા દુષ્ટતા કરનારાંઓને તેમના રાજ્યમાંથી તેઓ એકઠા કરશે, 42 અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. 43 ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂર્યની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.

44 વળી સ્વર્ગનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે; કે જે એક માણસને મળ્યું, પછી તેણે તે સંતાડી રાખ્યું. તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખેતર વેચાતું લીધું.

45 વળી સ્વર્ગનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે. 46 જયારે તેને અતિ મૂલ્યવાન મોતી મળ્યું, ત્યાર પછી જઈને તેણે પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે ખરીદી લીધું.

47 વળી સ્વર્ગનું રાજ્ય જાળના જેવું છે, જેને સમુદ્રમાં નાખવામાં આવ્યું, અને દરેક જાતનાં સમુદ્રજીવો તેમાં સમેટાયા. 48 જયારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, બેસીને જે સારું હતું તે તેઓએ વાસણમાં એકઠું કર્યું, પણ નરસું ફેંકી દીધું.

49 એમ જ જગતને અંતે પણ થશે; સ્વર્ગદૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદાં પાડશે, 50 અને તેઓ તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; ત્યાં રડવું ને દાંત પીસવું થશે.

51 શું તમે એ બધી વાતો સમજ્યા?” તેઓ ઈસુને કહ્યું કે, “હા.” 52 ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “દરેક શાસ્ત્રી જે સ્વર્ગના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરમાલિક કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”

53 ત્યારે એમ થયું કે ઈસુ એ દ્રષ્ટાંતો કહી રહ્યા, ત્યારે તે ત્યાંથી ચાલ્યા ગયા. 54 પછી પોતાના પ્રદેશમાં આવીને તેમણે તેઓના સભાસ્થાનમાં તેઓને એવો બોધ કર્યો કે, તેઓ આશ્ચર્યચકિત થઈને બોલ્યા કે, “આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવાં પરાક્રમી કામો ક્યાંથી? 55 શું એ સુથારના દીકરા નથી? શું એમની માનું નામ મરિયમ નથી? શું યાકૂબ, યૂસફ, સિમોન તથા યહૂદા તેમના ભાઈઓ નથી? 56 શું એમની સઘળી બહેનો આપણી સાથે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?”

57 તેઓ તેમને સ્વીકાર કર્યો નહિ. પણ ઈસુએ તેઓને કહ્યું કે, “પ્રબોધક પોતાના વતનમાં તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી.” 58 તેઓના અવિશ્વાસને લીધે તેમણે ત્યાં ઘણાં પરાક્રમી કામ કર્યા નહિ.



Chapter 14

1 તે સમયે ગાલીલના રાજ્યકર્તા હેરોદે ઈસુની કીર્તિ સાંભળી. 2 તેમણે પોતાના ચાકરોને કહ્યું કે, “આ તો યોહાન બાપ્તિસ્મા કરનાર છે; તે મૃત્યુમાંથી સજીવન થયો છે, એ માટે એવાં પરાક્રમી કામો તેનાથી થાય છે.”

3 કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો અને તેને બાંધીને જેલમાં નાખ્યો હતો. 4 કેમ કે યોહાને તેને કહ્યું હતું કે, “તેને તારે પત્ની તરીકે રાખવી યોગ્ય નથી.” 5 હેરોદે તેને મારી નાખવા ઇચ્છતો હતો, પણ લોકોથી તે બીતો હતો, કેમ કે તેઓ તેને પ્રબોધક ગણતા હતા.

6 પણ હેરોદની વર્ષગાંઠ આવી, ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો. 7 ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે જે કંઈ તે માગશે તે તેને અપાશે.

8 ત્યારે તેની માની સૂચના પ્રમાણે તે બોલી કે, “યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું મને થાળમાં આપો.” 9 હવે રાજા દિલગીર થયો, તોપણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે જમવા બેઠેલાઓને લીધે, તેણે તે આપવાનો હુકમ કર્યો.

10 તેણે માણસોને મોકલીને યોહાનનું માથું જેલમાં કપાવ્યું. 11 અને થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપ્યું; અને છોકરીએ પોતાની માને તે આપ્યું. 12 ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેનો મૃતદેહ ઉઠાવી લઈ જઈને તેને દફનાવ્યો અને જઈને ઈસુને ખબર આપી.

13 ત્યારે ઈસુએ સાંભળીને ત્યાંથી હોડીમાં એકાંત જગ્યાએ ગયા. લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા. 14 ઈસુએ નીકળીને ઘણાં લોકોને જોયા, ત્યારે તેઓ પર તેમને અનુકંપા આવી; અને તેમણે તેઓમાંનાં માંદાઓને સાજાં કર્યા.

15 સાંજ પડી ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, “આ જગ્યા ઉજ્જડ છે, હવે સમય થઈ ગયો છે, માટે લોકોને વિદાય કરો કે તેઓ આસપાસનાં પ્રદેશમાં તથા ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.”

16 પણ ઈસુએ તેઓને કહ્યું કે, “તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને જમવાનું આપો.” 17 તેઓએ તેમને કહ્યું કે, “અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.” 18 ત્યારે ઈસુએ કહ્યું કે, “તે અહીં મારી પાસે લાવો.”

19 પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી. અને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ સ્વર્ગ તરફ જોઈને આશીર્વાદ માગ્યો અને રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને આપી. 20 તેઓ સર્વ જમીને ધરાયાં; પછી ભાણામાં વધેલા કકડાઓની બાર ટોપલી ભરાઈ. 21 જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.

22 પછી તરત તેમણે શિષ્યોને આગ્રહથી હોડીમાં બેસાડ્યા અને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા અને તેણે પોતે લોકોને વિદાય કર્યા. 23 લોકોને વિદાય કર્યા પછી, ઈસુ પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા અને સાંજ પડી ત્યારે ઈસુ ત્યાં એકલા હતા. 24 પણ તે સમયે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો.

25 રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા. 26 શિષ્યોએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈને કહ્યું, “એ તો કોઈ ભૂત છે” અને બીકથી તેઓએ બૂમ પાડી. 27 પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે, “હિંમત રાખો! એ તો હું છું! ગભરાશો નહિ.”

28 ત્યારે પિતરે તેમને ઉત્તર આપતાં કહ્યું કે, “પ્રભુ, એ જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.” 29 ઈસુએ કહ્યું કે “આવ.” ત્યારે પિતર હોડીમાંથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. 30 પણ પવનને જોઈને તે ગભરાયો અને ડૂબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, મને બચાવો.”

31 ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે, “અરે અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?” 32 પછી જયારે ઈસુ અને પિતર હોડીમાં ચઢ્યાં એટલે તરત જ પવન બંધ થયો. 33 હોડીમાં જેઓ હતા તેઓએ તેમનું ભજન કરતાં કહ્યું કે, “ખરેખર તમે ઈશ્વરના દીકરા છો.”

34 તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા. 35 જયારે તે જગ્યાનાં લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસોને મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા. 36 તેઓએ ઈસુને વિનંતી કરી કે ‘કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;’ અને જેટલાં અડક્યા તેટલાં સાજાં થયા.



Chapter 15

1 તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓએ ઈસુની પાસે આવીને કહ્યું કે, 2 “તમારા શિષ્યો વડીલોના રિવાજોનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર ભોજન કરે છે.” 3 પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “તમે તમારા રિવાજોથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો?”

4 કેમ કે ઈશ્વરે કહ્યું છે કે, ‘તમે તમારા માતાપિતાનું સન્માન કરો’ અને ‘જે કોઈ પોતાના માતાપિતાની નિંદા કરે તે નિશ્ચે માર્યો જાય.’ 5 પણ તમે કહો છો કે, ‘જે કોઈ પોતાના માતાપિતાને કહેશે કે, “જે વડે મારાથી તમને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે,’” 6 તો તેઓ ભલે પોતાના માતાપિતાનું સન્માન ન કરે; એમ તમે તમારા રિવાજથી ઈશ્વરની આજ્ઞાને રદ કરી છે.

7 ઓ ઢોંગીઓ, યશાયા પ્રબોધકે તમારા સંબંધી ઠીક જ કહ્યું છે કે, 8 ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં હૃદય મારાથી વેગળાં જ રહે છે. 9 તેઓની ભક્તિ નિરર્થક છે, કેમ કે તેઓ પોતાના સિદ્ધાંત પ્રમાણે માણસોની આજ્ઞાઓ શીખવે છે.’”

10 પછી ઈસુએ લોકોને પાસે બોલાવીને કહ્યું કે, “સાંભળો અને સમજો. 11 મુખમાં જે જાય છે તે માણસને ભ્રષ્ટ કરતું નથી, પણ મુખમાંથી જે નીકળે છે તે જ માણસને ભ્રષ્ટ કરે છે.”

12 ત્યારે ઈસુના શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું કે, “આ વાત સાંભળીને ફરોશીઓ નારાજ છે, એ શું તમે જાણો છો?” 13 પણ ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, ‘જે રોપા મારા સ્વર્ગીય પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે. 14 તેઓને રહેવા દો, તેઓ અંધ માર્ગદર્શકો છે; અને જો અંધવ્યક્તિ બીજી અંધવ્યક્તિને દોરે તો તેઓ બન્ને ખાડામાં પડશે.

15 ત્યારે પિતરે ઈસુને જવાબ આપતાં કહ્યું કે, “આ દ્રષ્ટાંતનો અર્થ અમને કહો.” 16 ઈસુએ કહ્યું કે, “શું હજી સુધી તમે પણ અણસમજુ છો? 17 શું તમે હજી નથી સમજતા કે મુખમાં જે કંઈ ભોજન લઈએ છીએ, તે પેટમાં જાય છે તેનો બિનઉપયોગી કચરો નીકળી જાય છે?

18 પણ મુખમાંથી જે બાબતો નીકળે છે, તે મનમાંથી આવે છે, અને તે માણસને ભ્રષ્ટ કરે છે. 19 કેમ કે દુષ્ટ કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જાતીય ભ્રષ્ટતા, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા દુર્ભાષણો હૃદયમાંથી નીકળે છે. 20 માણસને જે ભ્રષ્ટ કરે છે તે એ જ છે; પણ હાથ ધોયા વગર ભોજન કરવું એ માણસને ભ્રષ્ટ કરતું નથી.”

21 ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનના પ્રદેશમાં ગયા. 22 જુઓ, એક કનાની સ્ત્રીએ તે વિસ્તારમાંથી આવીને ઊંચે અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો; મારી દીકરી દુષ્ટાત્માથી બહુ પીડા પામે છે.” 23 પણ ઈસુએ તે સ્ત્રીને કંઈ જવાબ આપ્યો નહિ. તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરતાં કહ્યું કે, “તે સ્ત્રીને મોકલી દો, કેમ કે તે આપણી પાછળ બૂમ પાડયા કરે છે.”

24 તેમણે તે સ્ત્રીને ઉત્તર આપ્યો કે, “ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકવામાં આવ્યો નથી.” 25 પછી તે સ્ત્રીએ ઈસુની પાસે આવીને તેમને પગે પડીને કહ્યું કે, “ઓ પ્રભુ, મને મદદ કરો.” 26 તેમણે ઉત્તર આપતાં કહ્યું કે, “છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે ઉચિત નથી.”

27 તે સ્ત્રીએ કહ્યું કે, “ખરું, પ્રભુ, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકોની મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.” 28 ઈસુએ ઉત્તર આપતાં તેને કહ્યું કે, “ઓ બહેન, તારો વિશ્વાસ મોટો છે જેવું તું ચાહે છે તેવું તને થાઓ.” તે જ સમયે તેની દીકરીને સાજાંપણું મળ્યું.

29 પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને બેઠા. 30 ત્યારે કેટલાક પંગુઓ, અંધજનો, મૂંગાંઓ, પગે અપંગ તથા બીજાં ઘણાંઓને લોકો તેમની પાસે લઈને આવ્યા અને ઈસુના પગ પાસે તેઓને લાવ્યા અને તેમણે તેઓને સાજાંપણું આપ્યું. 31 જયારે લોકોએ જોયું કે મૂંગાઓ બોલતાં થયાં છે, અપંગો સાજાં થયાં છે, પાંગળાઓ ચાલતાં થયા છે તથા અંધજનો દેખતા થયાં છે, ત્યારે તેઓએ આશ્ચર્ય પામીને ઇઝરાયલના ઈશ્વરનો મહિમા કર્યો.

32 ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, “આ લોકો પર મને અનુકંપા આવે છે, કેમ કે ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, તેઓની પાસે કંઈ ખાવા માટે નથી. તેઓને ભૂખ્યા વિદાય કરવાનું હું ઇચ્છતો નથી, એમ ન થાય કે તેઓ રસ્તામાં બેહોશ થઈ જાય.” 33 શિષ્યોએ તેમને કહ્યું કે, આટલા બધા લોકો ભોજનથી તૃપ્ત થાય તેટલું ભોજન અમે આ અરણ્યમાં ક્યાંથી લાવીએ? 34 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું કે, “સાત રોટલી અને થોડીએક નાની માછલીઓ છે.” 35 તેમણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી.

36 તેમણે તે સાત રોટલી તથા માછલી લઈ સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપી, શિષ્યોએ લોકોને આપી. 37 સઘળાં ખાઈને તૃપ્ત થયાં; પછી વધેલા કકડાની તેઓએ સાત ટોપલી ભરી. 38 જેઓ જમ્યાં તેઓ સ્ત્રીઓ તથા બાળકો ઉપરાંત ચાર હજાર પુરુષ હતા. 39 લોકોને વિદાય કર્યા પછી ઈસુ હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા.



Chapter 16

1 ફરોશીઓએ તથા સદૂકીઓએ આવીને ઈસુનું પરીક્ષણ કરતાં સ્વર્ગથી કોઈ ચમત્કારિક ચિહ્ન કરી બતાવવાની માંગણી કરી. 2 પણ તેમણે ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ‘હવામાન સારું થશે, કેમ કે આકાશ લાલ છે.’”

3 સવારે તમે કહો છો કે, ‘આજે વરસાદ પડશે, કેમ કે આકાશ લાલ તથા અંધરાયેલું છે.’ તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોના ચિહ્ન તમે પારખી નથી શકતા. 4 દુષ્ટ તથા બેવફા પેઢી ચમત્કારિક ચિહ્ન માગે છે, પણ યૂનાના ચમત્કારિક ચિહ્ન વગર બીજું કોઈ ચમત્કારિક ચિહ્ન તેઓને અપાશે નહિ.” ત્યાર પછી ઈસુ તેઓને મૂકીને ચાલ્યા ગયા.

5 શિષ્યો સરોવરને પેલે પાર ગયા, પરંતુ તેઓ રોટલી લેવાનું ભૂલી ગયા હતા. 6 ઈસુએ તેઓને કહ્યું કે, “ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન થાઓ અને સચેત રહો.” 7 ત્યારે તેઓએ પરસ્પર વિચાર કર્યો કે, “આપણે રોટલી નથી લાવ્યા માટે ઈસુ એમ કહે છે.” 8 ઈસુએ તેમના વિચાર જાણીને તેઓને કહ્યું કે, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તે માટે તમે પરસ્પર કેમ વિચારો છો?

9 શું હજી સુધી તમે નથી સમજતા? પેલા પાંચ હજાર પુરુષ માટે પાંચ રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું શું તમને સ્મરણ નથી? 10 વળી પેલા ચાર હજાર પુરુષ માટે સાત રોટલી હતી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું પણ શું તમને સ્મરણ નથી?

11 તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન રહો એમ મેં કહ્યું હતું.” 12 ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહિ, પરંતુ ફરોશીઓના તથા સદૂકીઓના ઉપદેશ વિષે સાવધાન રહેવાનું તેમણે કહ્યું હતું.

13 ઈસુએ કાઈસારિયા ફિલિપ્પીના વિસ્તારમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે, “માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?” 14 ત્યારે તેઓએ કહ્યું કે, “કેટલાક કહે છે, યોહાન બાપ્તિસ્મા કરનાર, કેટલાક એલિયા, કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંના એક.” 15 ઈસુ તેઓને પૂછ્યું, “પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?” 16 ત્યારે સિમોન પિતરે જવાબ આપતાં કહ્યું કે, “તમે ખ્રિસ્ત, જીવતા ઈશ્વરના દીકરા છો.”

17 ઈસુએ જવાબ આપતાં સિમોન પિતરને કહ્યું કે, સિમોન યૂનાપુત્ર, “તું આશીર્વાદિત છે કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ સ્વર્ગમાંના મારા પિતાએ તને એ જણાવ્યું છે. 18 હું પણ તને કહું છું કે તું પિતર છે અને આ પથ્થર પર હું મારી મંડળી સ્થાપીશ, તેની વિરુદ્ધ પાતાળની સત્તાનું જોર ચાલશે નહીં.

19 આકાશના રાજ્યની ચાવીઓ હું તને આપીશ, પૃથ્વી પર જે કંઈ તું બાંધીશ, તે સ્વર્ગમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડીશ, તે સ્વર્ગમાં પણ છોડાશે.” 20 તે ખ્રિસ્ત છે તેવું કોઈને પણ નહિ જણાવવા ઈસુએ તેના શિષ્યોને આજ્ઞા આપી.

21 ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવાં લાગ્યા કે, તેણે યરુશાલેમમાં જવું પડશે. વડીલો, મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું દુઃખ સહન કરવી પડશે, માર્યો જશે અને ત્રીજે દિવસે પાછા મૃત્યુમાંથી સજીવન થશે. 22 પિતર તેમને એક બાજુ પર લઈ જઈને ઠપકો દેવા લાગ્યો અને કહ્યું કે, “અરે પ્રભુ, એ તમારાથી દૂર રહે; એવું તમને કદાપિ ન થાઓ.” 23 પણ તેમણે પાછળ ફરીને પિતરને કહ્યું કે, “અરે શેતાન, મારી પછવાડે જા! તું મને અડચણ છે; કેમ કે ઈશ્વરની વાતો પર નહિ, પણ માણસોની વાતો પર તું મન લગાડે છે.”

24 પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “જો કોઈ મને અનુસરવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 25 કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે, તે તેને ગુમાવશે; પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે, તે તેને બચાવશે. 26 કેમ કે જો માણસ આખું ભૌતિક જગત મેળવે અને પોતાનું જીવન ગુમાવે, તો તેને શો લાભ થશે? વળી માણસ પોતાના જીવનને બદલે શું આપશે?

27 કેમ કે માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના સ્વર્ગદૂતો સહિત આવશે, ત્યારે તે દરેકને તેમના કાર્યો પ્રમાણે બદલો ભરી આપશે. 28 હું તમને નિશ્ચે કહું છું કે, અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.”



Chapter 17

1 છ દિવસ પછી ઈસુએ પિતર, યાકૂબ તથા તેના ભાઈ યોહાનને લઈને એક ઊંચા પહાડ પર ચાલ્યા ગયા. 2 તેઓની આગળ તેમનું રૂપાંતર થયું, એટલે તેમનું મુખ સૂર્યના જેવું તેજસ્વી થયું અને તેમના વસ્ત્ર અજવાળાનાં જેવા શ્વેત થયા.

3 જુઓ, મૂસા તથા એલિયા તેમની સાથે વાતો કરતાં તેઓને દેખાયા. 4 પિતરે ઈસુને કહ્યું કે, “પ્રભુ, આપણે અહીં રહીએ તે સારું છે. જો તમારી ઇચ્છા હોય તો હું અહીં ત્રણ મંડપ બાંધુ; એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે.”

5 તે બોલતો હતો એટલામાં, જુઓ, એક ચળકતી વાદળી તેઓ પર આચ્છાદિત થઈ; અને વાદળીમાંથી એવી વાણી થઈ કે, “આ મારો વહાલો દીકરો છે, તેના પર હું પ્રસન્ન છું, તેનું સાંભળો.” 6 શિષ્યો એ સાંભળીને બહુ ગભરાયા, અને ઊંધે મોઢે જમીન પર પડયા. 7 ઈસુએ તેઓની પાસે આવીને તેઓને સ્પર્શ કરીને કહ્યું કે, “ઊઠો, અને બીશો નહિ.” 8 તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના તેઓએ અન્ય કોઈને જોયા નહિ.

9 જયારે તેઓ પહાડ પરથી ઊતરતા હતા, ત્યારે ઈસુએ તેઓને આજ્ઞા કરી કે, “આ જે તમે જોયું તે જ્યાં સુધી માણસનો દીકરો મરણમાંથી પાછો સજીવન થાય ત્યાં સુધી કોઈને કહેશો નહિ.” 10 તેમના શિષ્યોએ તેમને પૂછ્યું કે, “શાસ્ત્રીઓ કેમ કહે છે કે, એલિયાએ પ્રથમ આવવું જોઈએ?”

11 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “એલિયા ખરેખર આવશે અને સઘળું વ્યવસ્થિત કરશે. 12 પણ હું તમને કહું છું કે, “એલિયા આવી ચૂક્યા છે, તોપણ તેઓએ તેને ઓળખ્યા નહિ, પણ જેમ તેઓએ ચાહ્યું તેમ તેઓએ તેને કર્યું; તેમ જ માણસનો દીકરો પણ તેઓથી દુઃખ સહન કરશે.” 13 ત્યારે શિષ્યો સમજ્યા કે યોહાન બાપ્તિસ્મા કરનાર સંબંધી તેમણે તેઓને કહ્યું હતું.

14 જયારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા, ત્યારે એક વ્યક્તિએ ઈસુની પાસે આવીને તેમની આગળ ઘૂંટણે પડીને કહ્યું કે, 15 “ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કરો; કેમ કે તેને વાઈનુ દર્દ છે, તેથી તે ઘણો પીડાય છે; અને તે ઘણીવાર અગ્નિમાં તથા પાણીમાં પડે છે. 16 તેને હું તમારા શિષ્યોની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી શક્યા નહીં.”

17 ત્યારે ઈસુએ જવાબ આપ્યો કે, “ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહન કરીશ? તેને મારી પાસે લાવો.” 18 પછી ઈસુએ તે દુષ્ટાત્માને ધમકાવ્યો, અને તે તેનામાંથી નીકળી ગયો; તે જ સમયે તે છોકરો સાજો થયો.

19 પછી શિષ્યો એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તેને કેમ કાઢી ન શક્યા?” 20 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમારા અવિશ્વાસને લીધે; કેમ કે હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, ‘તું અહીંથી ત્યાં ખસી જા’ અને તે ખસી જશે; અને તમારા માટે કંઈ અશક્ય નહિ હોય. 21 [પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી.”]

22 જયારે તેઓ ગાલીલમાં રહેતા હતા ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે; 23 તેઓ તેને મારી નાખશે, પણ ત્રણ દિવસ પછી તે પાછો ઊઠશે.” ત્યારે શિષ્યોએ બહુ દિલગીર થયા.

24 પછી તેઓ કપરનાહૂમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિતરની પાસે આવીને કહ્યું કે, “શું તમારો ઉપદેશક ભક્તિસ્થાનના કરનાં પૈસા નથી આપતા?” 25 પિતરે કહ્યું કે, “હા.” અને તે ઘરમાં આવ્યો ત્યારે તેના બોલવા અગાઉ ઈસુએ કહ્યું કે, “સિમોન, તને શું લાગે છે, દુનિયાના રાજાઓ કોની પાસેથી જકાત અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પરદેશીઓ પાસેથી?”

26 પિતરે ઈસુને કહ્યું કે, “પરદેશીઓ પાસેથી.” ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તો પછી દીકરાઓ તો કરમુક્ત છે. 27 રખેને આપણે તેઓને અપમાન કરીએ, તું સમુદ્રકિનારે જઈને ગલ નાખ; અને જે માછલી પહેલી આવે તેને પકડી લે, જયારે તું તેનું મુખ ઉઘાડશે ત્યારે તેમાંથી તને પૈસા મળશે, તે લઈને મારે અને તારે માટે તેઓને આપ.”



Chapter 18

1 તે જ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે?” 2 ત્યારે ઈસુએ એક બાળકને પોતાની પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને 3 તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમે તમારું બદલાણ નહિ કરો, અને બાળકોના જેવા નહિ થાઓ તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહિ કરી શકો.

4 માટે જે કોઈ પોતાને આ બાળકના જેવો નમ્ર કરશે, તે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે. 5 વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે.

6 પણ આ નાનાંઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે વ્યક્તિ પાપ કરવા પ્રેરે, તે કરતાં તેના ગળે ભારે પથ્થર બંધાય અને સમુદ્રના ઊંડાણમાં ડુબાડાય એ તેને માટે સારું છે. 7 માનવજગતને અફસોસ છે! કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની અગત્ય છે. પણ તે વ્યક્તિને અફસોસ છે જે બીજાને પાપ કરાવવા જવાબદાર છે! 8 માટે જો તારો હાથ અથવા પગ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંતઅગ્નિમાં નંખાય, તેના કરતાં હાથ અથવા પગે અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

9 જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બન્ને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય, તેના કરતાં એક આંખ સાથે જીવનમાં પેસવું એ તારે માટે સારું છે.

10 સાવધાન રહો કે આ નાનાઓમાંના એકનો પણ અનાદર તમે ન કરો, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના સ્વર્ગદૂત મારા સ્વર્ગમાંના પિતાનું મુખ સદા જુએ છે. 11 [કેમ કે જે ખોવાયેલું છે તેને બચાવવાને માણસનો દીકરો ઈસુ આવ્યો છે.]

12 તમે શું ધારો છો? જો કોઈ વ્યક્તિની પાસે સો ધેટાં હોય અને તેમાંથી એક ભૂલું પડે, તો શું નવ્વાણુંને પહાડ પર મૂકીને તે ભૂલાં પડેલાં ઘેટાંને શોધવા જતો નથી? 13 જો તે તેને મળે તો હું તમને નિશ્ચે કહું છું કે, જે નવ્વાણું ભૂલાં પડેલાં ન હતાં, તેઓના કરતાં તેને લીધે તે વધારે ખુશ થાય છે. 14 એમ આ નાનાંઓમાંથી એકનો નાશ થાય, એવી તમારા સ્વર્ગમાંના પિતાની ઇચ્છા નથી.

15 વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે, તો જા અને તેને એકાંતમાં લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે, તો તેં તારા ભાઈને મેળવી લીધો છે. 16 પણ જો તે ન સાંભળે, તો બીજા એક બે માણસને તારી સાથે લે, એ માટે કે દરેક બાબત બે અથવા ત્રણ સાક્ષીઓના મુખથી સાબિત થાય.

17 જો તે તેઓનું માન્ય ન રાખે, તો મંડળીને કહે અને જો તે વિશ્વાસી સમુદાયનુ પણ માન્ય ન રાખે તો તેને બિનયહૂદીઓ તથા દાણીઓનાં જેવા ગણ.

18 હું તમને નિશ્ચે કહું છું કે, જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો, તે સ્વર્ગમાં બંધાશે; અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો, તે સ્વર્ગમાં છોડાશે. 19 વળી હું તમને સાચે જ કહું છું કે, જો પૃથ્વી પર તમારામાંના બે જણ કંઈ પણ બાબત સંબંધી એક ચિત્તના થઈને માગશે, તો મારા સ્વર્ગમાંના પિતા તેઓને માટે એવું કરશે. 20 કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની મધ્યે હું છું.”

21 ત્યારે પિતરે ઈસુની પાસે આવીને કહ્યું કે, “ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે અને હું તેને માફ કરું? શું સાત વાર સુધી?” 22 ઈસુએ તેને કહ્યું કે, “સાત વાર સુધીનું હું તને કહેતો નથી, પણ સિત્તેરગણી સાત વાર સુધી કહું છું.

23 એ માટે સ્વર્ગના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ માગ્યો. 24 તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓ એક દેવાદારને તેમની પાસે લાવ્યા જેણે જીવનભર કમાય તો પણ ના ભરી શકે તેટલું દેવું હતું. 25 પણ પાછું આપવાનું તેની પાસે કંઈ નહિ હોવાથી, તેના માલિકે તેને, તેની પત્ની, તેનાં બાળકોને તથા તેની પાસે જે હતું તે સઘળું વેચીને દેવું ચૂકવવાની આજ્ઞા કરી.

26 એ માટે તે ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘માલિક, ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી આપીશ.’ 27 ત્યારે તે ચાકરનાં માલિકને અનુકંપા આવી તેથી તેણે તેને જવા દીધો અને તેનું દેવું માફ કર્યું.

28 પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો જેને, ત્રણ મહિનાના પગાર જેટલું દેવું હતું, ત્યારે તેણે તેનું ગળું પકડીને કહ્યું કે, ‘તારું દેવું ચૂકવ.’ 29 ત્યારે તેના સાથી ચાકરે તેને પગે પડીને વિનંતી કરતાં કહ્યું કે, ‘ધીરજ રાખ અને હું તારું દેવું ચૂકવી આપીશ.’”

30 તેણે તેનું માન્યું નહિ, પણ જઈને દેવું ચૂકવે નહિ ત્યાં સુધી તેણે તેને જેલમાં પુરાવ્યો. 31 ત્યારે જે થયું તે જોઈને તેના સાથી ચાકરો ઘણાં દિલગીર થયા, તેઓએ જઈને તે સઘળું પોતાના માલિકને કહી સંભળાવ્યું.

32 ત્યારે તેના માલિકે તેને બોલાવીને કહ્યું કે, ‘અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી, માટે મેં તારું તે બધું દેવું માફ કર્યું. 33 મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત નહોતી?’”

34 તેના માલિકે ગુસ્સે થઈને તેનું બધું દેવું ચૂકવે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો. 35 એ પ્રમાણે જો તમે પોતપોતાનાં ભાઈઓના અપરાધ તમારાં હૃદયપૂર્વક માફ નહિ કરો, તો મારા સ્વર્ગીય પિતા પણ તમને એમ જ કરશે.”



Chapter 19

1 ઈસુએ એ વાતો પૂરી કર્યા પછી એમ થયું કે, તે ગાલીલથી નીકળીને યર્દન નદીને પેલે પાર યહૂદિયાના પ્રદેશમાં આવ્યા. 2 અતિ ઘણાં લોક તેમની પાછળ ગયા અને ત્યાં તેમણે તેઓને સાજાં કર્યા.

3 ફરોશીઓએ તેમની પાસે આવીને તેમનું પરીક્ષણ કરતાં પૂછ્યું કે, “કોઈ પણ કારણને લીધે શું પુરુષે પત્નીને છોડી દેવી ઉચિત છે?” 4 ઈસુએ જવાબ આપતાં કહ્યું કે, “શું તમે એમ નથી વાંચ્યું કે, જેમણે તેઓને ઉત્પન્ન કર્યાં, તેમણે તેઓને આરંભથી નરનારી ઉત્પન્ન કર્યા?

5 અને કહ્યું કે ‘તે કારણને લીધે પુરુષ પોતાનાં માતાપિતાને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે, અને તે બન્ને એક દેહ થશે?’ 6 માટે તેઓ હવેથી બે નથી, પણ એક દેહ છે. એ માટે ઈશ્વરે જેમને જોડ્યાં છે તેમને માણસોએ જુદા ન પાડવાં.”

7 તેઓએ ઈસુને કહ્યું કે, “તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે, ફારગતીનું પ્રમાણપત્ર આપીને તેને મૂકી દેવી?” 8 ઈસુએ તેઓને કહ્યું કે, “મૂસાએ તમારાં હૃદયની કઠોરતાને લીધે તમને તમારી પત્નીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું ન હતું. 9 હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની પત્નીને ત્યજીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરે, તો તે વ્યભિચાર કરે છે; અને જો કોઈ ત્યજી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે તો તે પણ વ્યભિચાર કરે છે.”

10 તેમના શિષ્યોએ તેમને કહ્યું કે, “જો પુરુષની તેની પત્ની સંબંધી આ સ્થિતિ હોય, તો લગ્ન કરવું સારું નથી.” 11 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “બધાથી એ વાત પળાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ. 12 કેમ કે કેટલાક નપુંશક છે કે જેઓ પોતાની માતાઓથી જ એવા જન્મેલાં છે. કેટલાક એવા છે કે જેઓને માણસોએ નપુંશક બનાવ્યા છે; વળી કેટલાક એવા છે કે જેઓએ સ્વર્ગના રાજ્યને લીધે પોતાની જાતને જ નપુંશક તરીકે કર્યા છે. જે સ્વીકારી શકે છે તે આ વાત સ્વીકારે.”

13 ત્યાર પછી તેઓ બાળકોને તેમની પાસે લાવ્યા, એ માટે કે તે તેઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરે; પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. 14 પણ ઈસુએ કહ્યું કે, “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય એવાઓનું છે.” 15 તેઓ પર હાથ મૂક્યા પછી તે ત્યાંથી ગયા.

16 ત્યાર પછી, કોઈકે ઈસુની પાસે આવીને કહ્યું કે, “ઉપદેશક, અનંતજીવન પામવા માટે હું શું સારું કરું?” 17 ત્યારે તેમણે તે વ્યક્તિને કહ્યું, “તું મને સારાં વિષે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનનાં માર્ગમાં પ્રવેશવા ચાહે છે, તો આજ્ઞાઓ પાળ.”

18 તે વ્યક્તિએ ઈસુને કહ્યું કે, ‘કઈ આજ્ઞાઓ?’ ત્યારે ઈસુએ કહ્યું કે, “તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર, 19 પોતાનાં માતાપિતાને માન આપ, પોતાના પડોશી પર પોતાના જેવો પ્રેમ કર.”

20 તે જુવાને તેમને કહ્યું કે, “એ બધી આજ્ઞાઓ તો હું પાળતો આવ્યો છું; હજી મારામાં શું ખૂટે છે?” 21 ઈસુએ તે જુવાનને કહ્યું કે, “જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈને તારું જે છે તે વેચી નાખ અને ગરીબોને આપી દે, એટલે સ્વર્ગમાં તને દ્રવ્ય મળશે; અને આવીને મારી પાછળ ચાલ.” 22 પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.

23 ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે ધનવાનને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું મુશ્કેલ છે. 24 વળી હું તમને ફરી કહું છું કે ‘ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા કરતાં ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે.”

25 ત્યારે તેમના શિષ્યોએ તે સાંભળીને ઘણાં અચરત થયા અને કહેવા લાગ્યા કે, “તો કોણ ઉદ્ધાર પામી શકે?” 26 પણ ઈસુએ તેઓની તરફ જોઈને કહ્યું કે, “માણસોને તો એ અશક્ય છે, પણ ઈશ્વરને સર્વ શક્ય છે.” 27 ત્યારે પિતરે ઈસુને જવાબ આપ્યો કે, “અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ, તો અમને શું મળશે?”

28 ઈસુએ તેઓને કહ્યું, “હું તમને નિશ્ચે કહું છું કે, જયારે પુનઃઆગમનમાં માણસનો દીકરો પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, ત્યારે તમે, મારી પાછળ આવનારા, ઇઝરાયલનાં બાર કુળનો ન્યાય કરતાં બાર રાજ્યાસનો પર બિરાજશો.

29 જે કોઈએ ઘરોને, ભાઈઓને, બહેનોને, પિતાઓને, માતાઓને, બાળકોને, કે ખેતરોને મારા નામને લીધે પાછળ મૂકી દીધાં છે, તે સોગણાં પામશે અને અનંતજીવનનો વારસો પામશે. 30 પણ ઘણાં જેઓ પ્રથમ તેઓ છેલ્લાં થશે; અને જેઓ છેલ્લાં તેઓ પ્રથમ થશે.”



Chapter 20

1 કેમ કે સ્વર્ગનું રાજ્ય એક જમીનદાર જેવું છે, જે પોતાની દ્રાક્ષાવાડીને માટે મજૂરો નક્કી કરવાને વહેલી સવારે બહાર ગયો. 2 તેણે મજૂરોની સાથે રોજનો એક દીનાર નક્કી કરીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા.

3 તે દિવસના આશરે સવારના ત્રણ કલાકે બહાર જઈને તેણે ચોકમાં બીજાઓને કામની શોધમાં ઊભા રહેલા જોયા. 4 ત્યારે માલિકે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ અને જે કંઈ ઉચિત હશે, તે હું તમને આપીશ.’ ત્યારે તેઓ ગયા.

5 વળી તે જ દિવસે આશરે બાર કલાકે અને ત્રણ કલાકે ફરીથી બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું. 6 ત્યાર પછી આશરે અગિયારમાં કલાકે પણ તેણે બહાર જઈને બીજાઓને કામ મળવાની રાહમાં ઊભેલા જોયા; તે માલિક તેઓને કહ્યું કે, ‘આખો દિવસ તમે કેમ અહીં કામ વગરનાં ઊભા રહો છો?’ 7 તેઓએ તેને કહ્યું કે, ‘કેમ કે કોઈએ અમને મજૂરીએ રાખ્યા નથી.’ તેણે તેઓને કહ્યું કે, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.’”

8 સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો માલિક પોતાના કારભારીને કહ્યું કે, ‘મજૂરોને બોલાવીને છેલ્લી વ્યક્તિથી માંડીને તે પહેલી વ્યક્તિ સુધીનાઓને તેઓનું વેતન આપ.’ 9 જેઓને આશરે અગિયારમાં કલાકે કામ પર રાખ્યા હતા, તેઓ જયારે આવ્યા ત્યારે તેઓને એક એક દીનાર આપવામાં આવ્યો. 10 પછી જેઓ પહેલા આવ્યા હતા, તેઓ ધારતા હતા કે અમને વધારે મળશે; પરંતુ તેઓને પણ એક દીનાર અપાયો.

11 ત્યારે તે લઈને તેઓએ જમીનદારની વિરુદ્ધ કચકચ કરી. 12 અને કહ્યું કે, ‘આ મોડેથી આવનારાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને અમે આખા દિવસનો બોજો તથા લૂ સહન કરી, તેમ છતાં તેં તેઓને અમારી બરોબર ગણ્યા છે.’”

13 પણ તેણે તેઓમાંના એકને જવાબ આપ્યો કે, મિત્ર, હું તને કશો અન્યાય નથી કરતો; શું તે મારી સાથે એક દીનાર નક્કી કર્યો નહોતો? 14 તારું જે છે તે લઈને ચાલ્યો જા; જેટલું તને તેટલું આ છેલ્લાઓને પણ આપવાની મારી મરજી છે.

15 જે મારું છે તે મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ દુષ્ટ છે શું?’ 16 એમ જેઓ છેલ્લાં તેઓ પહેલાં અને જેઓ પહેલાં તેઓ છેલ્લાં થશે.”

17 ઈસુએ યરુશાલેમ જતા, રસ્તા પર બાર શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું કે, 18 જુઓ, “આપણે યરુશાલેમ જઈએ છીએ, માણસના દીકરાને મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને હાથે પરાધીન કરાશે અને તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે 19 અને ઠઠ્ઠામશ્કરી કરવાને, કોરડા મારવાને, વધસ્તંભે જડવાને તેઓ તેમને બિનયહૂદીઓને સોંપશે; અને ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે.”

20 ત્યારે ઝબદીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે ઈસુની પાસે આવીને તથા પગે પડીને તેમની પાસે કંઈક માગણી કરી. 21 ઈસુએ તેમને કહ્યું કે, “તમે શું ચાહો છો?” તેને તેમને કહ્યું કે, “તમારા રાજ્યમાં આ મારા બે દીકરામાંનો એક તમારે જમણે હાથે અને બીજો તમારે ડાબે હાથે બેસે, એવી આજ્ઞા તમે કરો.”

22 પણ ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે, “તમે જે માગો છો તે તમે સમજતા નથી; જે પ્યાલો હું પીવાનો છું તે તમે પી શકો છો?” તેઓએ તેમને કહ્યું કે, “અમે પી શકીએ છીએ.” 23 તેમણે તેઓને કહ્યું કે, “તમે મારો પ્યાલો પીશો ખરા, પણ જેઓને માટે મારા પિતાએ તૈયાર કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવા દેવા એ મારા અધિકારમાં નથી.” 24 જયારે બીજા દસ શિષ્યોએ તે સાંભળ્યું ત્યારે તેઓ બન્ને ભાઈઓ પર ગુસ્સે થયા.

25 પણ ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું કે, “તમે જાણો છો કે વિદેશીઓના કર્તાઓ તેઓ પર સત્તા ચલાવે છે. અને જે મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે. 26 પણ તમારામાં એવું ન થાય. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો ચાકર થાય; 27 અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય; 28 જેમ માણસનો દીકરો સેવા કરાવવા નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાં લોકોના મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”

29 જયારે તેઓ યરીખોમાંથી નીકળતા હતા, ત્યારે લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ચાલતો હતો. 30 જુઓ, બે અંધજનો રસ્તાની બાજુએ બેઠા હતા, ઈસુ તેઓની પાસે થઈને જાય છે તે સાંભળીને તેઓએ ઊંચા અવાજે કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા પર દયા કરો.” 31 પણ લોકોએ તેઓને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું, પણ તેઓએ વધારે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, અમારા ઉપર દયા કરો.”

32 ત્યારે ઈસુએ ઊભા રહીને તેઓને બોલાવીને કહ્યું કે, “હું તમારે માટે શું કરું, એ વિષે તમારી શી ઇચ્છા છે?” 33 તેઓએ તેમને કહ્યું કે, “પ્રભુ, અમારી આંખો ઉઘાડો.” 34 ત્યારે ઈસુને અનુકંપા આવી, અને તે તેઓની આંખોને અડક્યા અને તરત તેઓ દેખતા થયા અને તેઓ ઈસુની પાછળ ચાલ્યા.



Chapter 21

1 જયારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા અને તેઓ જૈતૂન નામના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલીને 2 કહ્યું કે, “તમે સામેના ગામમાં જાઓ, તેમાં પ્રવેશતા જ તમને બાંધેલી એક ગધેડી તથા તેની પાસે બચ્ચું જોવા મળશે; તેઓને છોડીને મારી પાસે લાવો. 3 જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે, ‘પ્રભુને તેઓની જરૂર છે,’ એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.”

4 હવે આ એટલા માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, 5 “સિયોનની દીકરીને એમ કહો કે, જુઓ, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર, હા, ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર, સવાર થઈને આવે છે.”

6 ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને જે ફરમાવ્યું હતું તેમ કર્યું. 7 તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા અને પોતાના વસ્ત્ર તેઓ પર નાખ્યાં, અને ઈસુ તેના પર સવાર થયા. 8 લોકોમાંના ઘણાંખરાએ પોતાના વસ્ત્ર રસ્તામાં પાથર્યા, બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.

9 હવે આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે, “દાઉદના દીકરાને હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!” 10 તેઓ જયારે યરુશાલેમમાં આવ્યા ત્યારે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું કે, ‘એ કોણ છે?’ 11 ત્યારે લોકોએ કહ્યું કે, “ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાસરેથના, તે એ છે.”

12 પછી ઈસુ ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા. ત્યાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા; અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં. 13 ઈસુએ તેઓને કહ્યું કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે,’ એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર બનાવ્યું છે.” 14 ત્યાર પછી અંધજનો તથા અપંગો તેમની પાસે ભક્તિસ્થાનમાં આવ્યા અને તેમણે તેઓને સાજાં કર્યા.

15 પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે બાળકો ભક્તિસ્થાનમાં મોટા અવાજે ‘દાઉદના દીકરાને હોસાન્ના’ પોકારતા હતાં, તેઓને જયારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા. 16 તેઓએ ઈસુને કહ્યું કે, “તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?” ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘હા!’ “બાળકોના તથા નવજાત શિશુઓના મુખથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?” 17 પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને ઈસુએ રાતવાસો કર્યો.

18 હવે સવારે નગરમાં પાછા આવતા ઈસુને ભૂખ લાગી. 19 રસ્તાની બાજુમાં એક અંજીરી જોઈને ઈસુ તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે, “હવેથી તારા પર કદી ફળ ન લાગો;” અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ.

20 તે જોઈને શિષ્યો આશ્ચર્ય પામીને બોલ્યા કે, “અંજીરી કેવી રીતે એકાએક સુકાઈ ગઈ?” 21 ત્યારે ઈસુએ ઉત્તર આપતા તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો, એટલું જ નહિ પણ જો તમે આ પહાડને કહેશો કે, ‘તું ઊંચકાઈને સમુદ્રમાં પડ,’ તો તેમ જ થશે. 22 જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સઘળું તમે પામશો.”

23 પછી ભક્તિસ્થાનમાં આવીને ઈસુ બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ તેમની પાસે આવીને કહ્યું કે, “તું કયા અધિકારથી એ કામો કરે છે? અને તે અધિકાર તને કોણે આપ્યો?” 24 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “હું પણ તમને એક વાત પૂછીશ. તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, તે હું પણ તમને કહીશ.

25 જે બાપ્તિસ્મા યોહાન આપતો હતો તે ક્યાંથી હતું સ્વર્ગથી કે માણસોથી?” ત્યારે તેઓએ પરસ્પર વિચાર કરીને કહ્યું, “જો આપણે કહીએ કે ‘સ્વર્ગથી,’ તો ઈસુ આપણને કહેશે કે, ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ? 26 અથવા જો આપણે કહીએ કે ‘માણસોથી,’ તો લોકોથી આપણને બીક છે, કેમ કે સહુ યોહાનને પ્રબોધક માને છે.” 27 પછી તેઓએ ઈસુને ઉત્તર આપતાં કહ્યું કે, ‘અમે નથી જાણતા’. તેમણે પણ તેઓને કહ્યું કે, “હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.

28 પણ તમે શું ધારો છો? એક વ્યક્તિને બે દીકરા હતા; તેણે પહેલાની પાસે આવીને કહ્યું કે, ‘દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર.’ 29 ત્યારે તેણે ઉત્તર આપ્યો કે, ‘હું નથી જવાનો;’ તોપણ પછીથી તે પસ્તાઈને ગયો. 30 અને બીજા પાસે આવીને તેણે તેમ જ કહ્યું, ત્યારે તેણે ઉત્તર આપ્યો કે ‘હું જાઉં છું, સાહેબ,’ તોપણ તે ગયો નહિ.

31 તો તે બન્નેમાંથી કોણે પોતાના પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? તેઓએ ઈસુને કહ્યું કે, ‘પહેલાએ.’ ઈસુ તેઓને કહે છે કે, “હું તમને નિશ્ચે કહું છું કે, દાણીઓ તથા કસબણો તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે. 32 કેમ કે યોહાન ન્યાયીપણાને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ ન કર્યો પણ દાણીઓએ તથા વારંગનાઓ તેના પર વિશ્વાસ કર્યો; એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો.

33 એક બીજું દ્રષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો, તેણે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને બુરજ બનાવ્યો, પછી ખેડૂતોને તે ઈજારે આપી, તે પરદેશ ગયો. 34 ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારુ પોતાના ચાકરોને તે ખેડૂતો પાસે મોકલ્યા.

35 ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, બીજાને મારી નાખ્યો અને ત્રીજાને પથ્થરે માર્યો. 36 પછી તેણે અગાઉ કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને એવું જ કર્યું. 37 પછી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’”

38 પણ ખેડૂતોએ દીકરાને જોઈને પરસ્પર કહ્યું કે, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ.’ 39 ત્યારે તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો.

40 એ માટે જયારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે ત્યારે તે ખેડૂતોનું શું કરશે?” 41 તેઓએ ઈસુને કહ્યું કે, “તે દુષ્ટોનો પૂરો નાશ કરશે; અને બીજા ખેડૂતો કે જેઓ મોસમે તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી ઈજારે આપશે.”

42 ઈસુએ તેઓને કહ્યું કે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયા. તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે,’ એ શું તમે શાસ્ત્રવચનોમાં કદી નથી વાંચ્યું?

43 એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને તે અપાશે. 44 આ પથ્થર પર જે પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.”

45 મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેમના દ્રષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તેઓ અમારા સંબંધી બોલે છે. 46 તેઓએ ઈસુને પકડવાનો રસ્તો શોધતા હતા પણ તેઓ લોકોથી ડરી ગયા, કેમ કે લોકો ઈસુને પ્રબોધક માનતા હતા.



Chapter 22

1 ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતોમાં કહ્યું કે, 2 “સ્વર્ગનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનો ભોજન સમારંભ યોજ્યો. 3 ભોજન માટે આમંત્રિતોને બોલાવવા તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહિ.

4 ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું કે, ‘આમંત્રિતોને કહો, “જુઓ, મેં મારું ભોજન તૈયાર કર્યું છે, મારા બળદો તથા પુષ્ટ પ્રાણીઓ કાપ્યાં છે અને સઘળી ચીજો તૈયાર છે, લગ્નમાં આવો.’”

5 પણ તેઓએ તે ગણકાર્યું નહિ; તેઓ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા, કોઈ તેના પોતાના ખેતરમાં અને કોઈ પોતાના વેપાર પર. 6 બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા અને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા. 7 તેથી રાજા ગુસ્સે થયો, તેણે પોતાનું લશ્કર મોકલીને તે હત્યારાઓનો નાશ કર્યો અને તેઓનું નગર બાળી નાખ્યું.

8 પછી તે પોતાના ચાકરોને કહ્યું કે, ‘લગ્નનું ભોજન તૈયાર છે ખરું, પણ આમંત્રિતો યોગ્ય નહોતા. 9 એ માટે તમે રસ્તાઓનાં નાકા પર જાઓ અને જેટલાં તમને મળે તેટલાંને ભોજન સમારંભમાં બોલાવો.’ 10 તે ચાકરોએ બહાર રસ્તાઓમાં જઈને સારાં-નરસાં જેટલાં તેઓને મળ્યા તે સર્વને એકત્ર કર્યા, એટલે મહેમાનોથી ભોજન સમારંભ ભરાઈ ગયો.

11 મહેમાનોને જોવા સારુ રાજા અંદર આવ્યા, ત્યારે તેમણે ત્યાં લગ્નના વસ્ત્રો પહેર્યા વગરના એક માણસને જોયો. 12 ત્યારે તે તેને કહે છે કે, ‘ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?’ તે ચૂપ રહ્યો.

13 ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે, ‘તેના હાથપગ બાંધીને તેને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું અને દાંત પીસવું થશે.’ 14 કેમ કે નિમંત્રિત ઘણાં છે, પણ પસંદ કરેલા થોડા છે.”

15 ત્યાર પછી ફરોશીઓએ જઈને ઈસુને શી રીતે વાતમાં ફસાવવા, એ સંબંધી મનસૂબો કર્યો. 16 પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું કે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તમે સાચા છો, સત્યથી ઈશ્વરનો માર્ગ શીખવો છો અને તમે કોઈની પરવા કરતા નથી, કેમ કે તમે માણસો વચ્ચે પક્ષપાત કરતા નથી. 17 માટે તમે શું ધારો છો? કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ, તે અમને કહો?”

18 પણ ઈસુએ તેઓની દુષ્ટ ઇરાદો જાણીને કહ્યું કે, “ઓ ઢોંગીઓ, તમે મારું પરીક્ષા કેમ કરો છો? 19 કરનું નાણું મને બતાવો.” ત્યારે તેઓ એક દીનાર તેમની પાસે લાવ્યા.

20 ઈસુએ તેઓને કહ્યું કે, “આ ચિત્ર તથા લેખ કોનાં છે?” 21 તેઓએ તેમને કહ્યું કે, ‘કાઈસારનાં.’ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપો. 22 એ સાંભળીને તેઓ આશ્ચર્ય પામ્યા, અને તેમને મૂકીને ચાલ્યા ગયા.

23 તે જ દિવસે સદૂકીઓ, જેઓ કહે છે કે મૃત્યુ બાદ પુનરુત્થાન નથી, તેઓએ તેમની પાસે આવીને પૂછ્યું, 24 “ઓ ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, ‘જો કોઈ પુરુષ નિઃસંતાન મરી જાય, તો તેનો ભાઈ તેની સ્ત્રીની સાથે લગ્ન કરીને પોતાના ભાઈને સારુ વંશ ઉપજાવે.’”

25 તો અમારામાં સાત ભાઈ હતા, અને પ્રથમ લગ્ન કરીને મરણ પામ્યો. તે નિઃસંતાન હોવાથી પોતાના ભાઈને સારુ પોતાની પત્ની મૂકી ગયો. 26 તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતેય મરણ પામ્યા. 27 સહુથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. 28 એ માટે પુનરુત્થાન પામેલા પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે બધા ભાઈઓની પત્ની થઈ હતી.”

29 ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, “પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાંને લીધે તમે ભૂલ ખાઓ છો. 30 કેમ કે પુનરુત્થાન બાદ તેઓ લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંના સ્વર્ગદૂતો જેવા હોય છે.

31 પણ મરણ પામેલાંઓના પુનરુત્થાન સંબંધી, ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું? 32 ‘હું ઇબ્રાહિમનો, ઇસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું;’ તેઓ મરણ પામેલાઓના નહિ પણ જીવતાંઓના ઈશ્વર છે.” 33 લોકો તે સાંભળીને તેમના બોધથી આશ્ચર્ય પામ્યા.

34 જયારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સદૂકીઓના મોં બંધ કર્યા ત્યારે તેઓ એકઠા થયા. 35 તેઓમાંથી એક શાસ્ત્રીએ તેમની પરીક્ષા કરવા સારુ તેમને પૂછ્યું કે, 36 “ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?”

37 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.’ 38 પહેલી અને મોટી આજ્ઞા તે છે.

39 બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે ‘જેવો સ્વયં પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.’ 40 આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.”

41 હવે ફરોશીઓ એકઠા મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું કે, 42 “ખ્રિસ્ત સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે?” તેઓએ તેમને કહ્યું કે, ‘દાઉદનો.’”

43 ઈસુએ તેઓને કહ્યું, “તો પવિત્ર આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે?’ 44 જેમ કે, ‘પ્રભુ ઈશ્વરે મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’”

45 હવે જો દાઉદ તેમને ‘પ્રભુ’ કહે છે, તો તે કેવી રીતે તેનો દીકરો કહેવાય?” 46 એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેમને આપી શકયું નહિ, વળી તે દિવસથી કોઈએ તેમને કંઈ પૂછવાની હિંમત કરી નહિ.



Chapter 23

1 ત્યારે ઈસુએ લોકોને તથા પોતાના શિષ્યોને કહ્યું કે, 2 “શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે; 3 એ માટે જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કાર્યોને ન અનુસરો, કેમ કે તેઓ કહે છે, તે પ્રમાણે કરતા નથી.

4 કેમ કે ભારે અને પાળવા મુશ્કેલ પડે એવા બોજા તેઓ માણસોની પીઠ પર ચઢાવે છે, પણ તેઓ પોતે પોતાની આંગળીથી પણ તેને ખસેડવા ઇચ્છતા નથી.’ 5 લોકો તેઓને જુએ તે હેતુથી તેઓ પોતાનાં સઘળાં કામ કરે છે; તેઓ પોતાનાં સ્મરણપત્રોની પેટી પહોળાં બનાવે છે તથા પોતાનાં વસ્ત્રોની કોરની ઝાલર વધારે છે.

6 વળી જમણવારોમાં મુખ્ય જગ્યાઓ, સભાસ્થાનોમાં મુખ્ય આસનો, 7 તથા ચોકમાં સલામો તથા માણસો તેઓને ‘ગુરુ’ કહે, તેવું તેઓ ચાહે છે.

8 પણ તમે પોતાને ‘ગુરુ’ ન કહેવડાવો; કેમ કે તમારો એક જ ગુરુ છે અને તમે સઘળાં ભાઈઓ છો. 9 પૃથ્વી પર તમે કોઈ માણસને તમારા પિતા ન કહો, કેમ કે એક જે સ્વર્ગમાં છે, તે તમારા પિતા છે. 10 તમે પોતાને ‘શિક્ષક’ પણ ન કહેવડાવો, કેમ કે એક, જે ખ્રિસ્ત, તે તમારા શિક્ષક છે.

11 પણ તમારામાં જે મોટો છે તે તમારો ચાકર થશે. 12 જે કોઈ પોતાને ઊંચો કરશે, તેઓને નીચો કરાશે; જે કોઈ પોતાને નીચો કરશે, તેઓને ઊંચો કરાશે.

13 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે સ્વર્ગનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, અને જેઓ પ્રવેશવા ચાહે છે તેઓને તમે પ્રવેશવા દેતા નથી. 14 [ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે વિધવાઓનાં ઘર ખાઈ જાઓ છો, દેખાડા માટે લાંબી પ્રાર્થનાઓ કરો છો, તે માટે તમે મોટો સજા ભોગવશો.] 15 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે એક શિષ્ય બનાવવા સારુ તમે સમુદ્ર તથા પૃથ્વીમાં ફર્યા કરો છો; અને તેવું થાય છે ત્યારે તમે તેને તમારા કરતાં બમણો નરકનો દીકરો બનાવો છો.

16 ઓ અંધજનોને દોરનારાઓ, તમને અફસોસ છે; તમે કહો છો કે, ‘જો કોઈ ભક્તિસ્થાનના સમ ખાય, તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ ભક્તિસ્થાનના સોનાનાં સમ ખાય તો તેથી બંધાયેલો છે.’ 17 ઓ મૂર્ખો તથા અંધજનો, વિશેષ મોટું કયું? સોનું કે સોનાને પવિત્ર કરનારું ભક્તિસ્થાન?

18 અને તમે કહો છો કે, ‘જો કોઈ યજ્ઞવેદીના સમ ખાય તો તેમાં કંઈ નહિ; પણ જો કોઈ તે પરના અર્પણના સમ ખાય તો તે તેથી બંધાયલો છે.’ 19 ઓ અંધજનો, વિશેષ મોટું કયું? અર્પણ કે અર્પણને પવિત્ર કરનારી યજ્ઞવેદી?

20 એ માટે જે કોઈ યજ્ઞવેદીના સમ ખાય છે, તે તેના તથા જે બધું તેના પર છે તેના પણ સમ ખાય છે. 21 જે કોઈ ભક્તિસ્થાનના સમ ખાય છે, તે તેના તથા તેમાં જે રહે છે તેના પણ સમ ખાય છે. 22 જે સ્વર્ગના સમ ખાય છે, તે ઈશ્વરના રાજ્યાસનના તથા તે પર બિરાજનારના પણ સમ ખાય છે.

23 ઓ શાસ્ત્રીઓ, ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે ફુદીનાનો, સૂવાનો તથા જીરાનો દસમો ભાગ તમે આપો છો; પણ નિયમશાસ્ત્રની અગત્યની વાતો, એટલે ન્યાય, દયા તથા વિશ્વાસ, તે તમે પડતાં મૂક્યાં છે; તમારે આ કરવાં, અને એની સાથે તે પણ પડતાં મૂકવા જોઈતાં ન હતાં. 24 ઓ અંધજનોને દોરનારાઓ, તમે માખીને દૂર કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો!

25 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ તમને અફસોસ છે! કેમ કે તમે થાળી અને વાટકો બહારથી સાફ કરો છો, પણ તેમની અંદર જુલમ તથા ભોગવિલાસ ભરેલા છે. 26 ઓ આંધળા ફરોશી, તું પહેલાં થાળી અને વાટકો અંદરથી સાફ કર કે, જેથી તે બહારથી પણ સાફ થઈ જાય.

27 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે ધોળેલી કબરના જેવા છો, જે બહારથી શોભાયમાન દેખાય છે ખરી, પણ અંદર મૃતકનાં હાડકાં તથા દરેક અશુદ્ધિથી ભરેલી છે. 28 તેમ તમે પણ માણસોની આગળ બહારથી ન્યાયી દેખાઓ છો ખરા, પણ અંદર ઢોંગથી તથા દુષ્ટતાથી ભરેલા છો.

29 ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો અને ન્યાયીઓની કબરો શણગારો છો. 30 તમે કહો છો કે, ‘જો અમે અમારા પૂર્વજોના સમયોમાં હોત, તો તેઓની સાથે પ્રબોધકોની હત્યામાં ભાગીદાર ન થાત.’ 31 તેથી તમે પોતાના સંબંધી સાક્ષી આપો છો કે પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા તમે જ છો.

32 તો તમારા પૂર્વજોના બાકી રહેલાં માપ પૂરા કરો. 33 ઓ સર્પો, સાપોના વંશ, નર્કની શિક્ષાથી તમે કેવી રીતે બચશો?

34 તેથી જુઓ, પ્રબોધકોને, જ્ઞાનીઓને તથા શાસ્ત્રીઓને હું તમારી પાસે મોકલું છું, તમે તેઓમાંના કેટલાકને મારી નાખશો, વધસ્તંભે જડશો, તેઓમાંના કેટલાકને તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો અને નગરેનગર તેઓની પાછળ લાગશો. 35 કે ન્યાયી હાબેલના લોહીથી તે બારાખ્યાના દીકરા ઝખાર્યા, જેને મંદિરની તથા યજ્ઞવેદીની વચ્ચે તમે મારી નાખ્યો હતો, તેના લોહી સુધી જે બધા ન્યાયીઓનું લોહી પૃથ્વી પર વહેવડાવવામાં આવ્યું છે, તે તમારા પર આવે. 36 હું તમને નિશ્ચે કહું છું કે, એ બધું આ પેઢીને શિરે આવશે.

37 ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો તળે એકઠાં કરે છે, તેમ તારાં છોકરાંને એકઠાં કરવાનું મેં કેટલી વાર ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ! 38 જુઓ, તમારે સારુ તમારું ઘર ઉજ્જડ કરી દીધું. 39 કેમ કે હું તમને કહું છું કે, ‘જ્યાં સુધી તમે એમ નહિ કહો કે, ‘પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, ત્યાં સુધી હવેથી તમે મને નહિ જ દેખશો.’”



Chapter 24

1 ઈસુ ભક્તિસ્થાનમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને ભક્તિસ્થાનમાંનાં બાંધકામો બતાવવાને પાસે આવ્યા. 2 ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “શું તમે એ બધા નથી જોતાં? હું તમને નિશ્ચે કહું છું કે, આ બધું તોડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.”

3 પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, “એ બધું ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.” 4 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમને કોઈ ન ભુલાવે માટે સાવધાન રહો. 5 કેમ કે મારે નામે ઘણાં એમ કહેતાં આવશે કે, ‘હું ખ્રિસ્ત છું;’ અને ઘણાંને છેતરશે.

6 યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે. 7 કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુષ્કાળો તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે. 8 પણ આ બધાં તો માત્ર મહાદુઃખનો આરંભ છે.

9 ત્યારે તેઓ તમને શિક્ષા માટે સોંપશે અને તમને મારી નાખશે. મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે. 10 અને તે સમયે ઘણાં લોકો વિશ્વાસ ગુમાવશે, અને એકબીજાને પરાધીન કરાવશે અને એકબીજા પર વૈર કરશે. 11 ઘણાં જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને ઘણાંને ભુલાવામાં નાખશે.

12 દુષ્ટતા વધી જવાના કારણથી ઘણાંખરાનો પ્રેમ ઠંડો થઈ જશે. 13 પણ જે અંત સુધી ટકશે તે ઉદ્ધાર પામશે. 14 સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.

15 માટે પાયમાલીની ધિક્કારપાત્રતા જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જયારે તમે પવિત્રસ્થાને ઊભેલી જુઓ (વાચક તેનો અર્થ સમજે), 16 ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય, 17 અગાશી પર જે હોય તે પોતાના ઘરનો સામાન લેવાને ન ઊતરે, 18 અને જે ખેતરમાં હોય તે પોતાનાં વસ્ત્ર લેવાને પાછો ન આવે.

19 તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને જેઓ સ્તનપાન કરાવતી હોય, તેઓને અફસોસ છે! 20 પણ તમારું નાસવાનું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો. 21 કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી આવી નથી, અને કદી આવશે પણ નહિ. 22 જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરાશે.

23 ત્યારે જો કોઈ તમને કહે કે, ‘જુઓ, ખ્રિસ્ત અહીં છે!’ અથવા ‘ખ્રિસ્ત ત્યાં છે!’ તો તમે માનશો નહિ. 24 કેમ કે જૂઠા મસીહ તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે. 25 જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે.

26 એ માટે જો તેઓ તમને કહે કે, ‘જુઓ, તે અરણ્યમાં છે,’ તો બહાર જતા નહીં; કે જુઓ, તે ઓરડીઓમાં છે,’ તો માનતા નહિ. 27 કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે. 28 જ્યાં મૃતદેહ હોય, ત્યાં ગીધો એકઠાં થશે.

29 તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશના પરાક્રમો હલાવાશે.

30 પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત તેઓ આકાશના વાદળ પર આવતા જોશે. 31 રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.

32 હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જયારે તેની ડાળી કુમળી થઈ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે. 33 એમ જ તમે પણ જયારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, તે પાસે એટલે બારણા આગળ જ છે.

34 હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ. 35 આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

36 પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.

37 જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે. 38 કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા; 39 અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.

40 તે સમયે બે માણસ ખેતરમાં હશે તેમાંનો એક લેવાશે તથા બીજો પડતો મુકાશે. 41 બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે તેમાંની એક લેવાશે અને બીજી પડતી મુકાશે. 42 માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારા પ્રભુ આવી રહ્યા છે.

43 પણ જાણો કે ચોર કયા પહોરે આવશે એ જો ઘરનો માલિક જાણતો હોત, તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ચોરી કરવા ન દેત. 44 એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો આવશે.

45 તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને સમયસર ખાવાનું આપવા સારુ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે? 46 જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોશે, તે ચાકર આશીર્વાદિત છે. 47 હું તમને સાચું કહું છું કે, તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.

48 પણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાના મનમાં કહે કે, ‘મારા માલિકને આવવાની વાર છે;’ 49 અને તે બીજા દાસોને મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે; 50 તો જે દિવસે તે તેની રાહ જોતો નહિ હોય અને જે સમય તે જાણતો નહિ હોય તે જ સમયે તેનો માલિક આવશે. 51 તે તેને ખરાબ રીતે સજા કરશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે.



Chapter 25

1 તો સ્વર્ગના રાજ્ય દસ કુમારિકાઓ જેવું છે, જેઓ પોતાની મશાલો લઈને વરરાજાને મળવા સારુ બહાર ગઈ. 2 તેઓમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ બુદ્ધિમાન હતી. 3 મૂર્ખ કુમારિકાઓએ પોતાની મશાલો લીધી ખરી, પણ તેઓએ સાથે તેલ લીધું નહિ; 4 પણ બુદ્ધિવંતીઓએ પોતાની મશાલો સાથે કુપ્પીમાં તેલ લીધું.

5 વરરાજાને આવતાં વાર લાગી એટલામાં તેઓ સર્વ ઝોકાં ખાઈને નિદ્રાવશ થઈ. 6 મધરાતે જાહેરાત થઈ કે, ‘જુઓ, વરરાજા આવ્યો છે! તેને મળવાને નીકળો.’”

7 ત્યારે તે સર્વ કુમારિકાઓએ ઊઠીને પોતાની મશાલો તૈયાર કરી. 8 મૂર્ખીઓએ બુદ્ધિવંતીઓને કહ્યું કે, ‘તમારા તેલમાંથી અમને આપો, કેમ કે અમારી મશાલો હોલવાઈ જાય છે.’ 9 પણ બુદ્ધિવંતીઓએ ઉત્તર આપતાં કહ્યું કે, ‘કદાચ અમને તથા તમને પૂરું નહિ પડે, માટે તમે વેચનારાઓની પાસે જઈને પોતાને સારુ તેલ વેચાતું લો.’”

10 તેઓ તેલ ખરીદવા ગઈ એટલામાં વરરાજા આવી પહોંચ્યા, જેઓ તૈયાર હતી તેઓ તેમની સાથે લગ્નજમણમાં ગઈ અને બારણું બંધ કરવામાં આવ્યું. 11 પછી મૂર્ખ કુમારિકાઓએ આવીને કહ્યું કે, ‘ઓ સ્વામી, સ્વામી, અમારે સારુ ઉઘાડો.’ 12 પણ તેણે ઉત્તર દેતાં કહ્યું, ‘હું તમને નિશ્ચે કહું છું કે હું તમને ઓળખતો નથી.’ 13 માટે તમે જાગતા રહો, કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી.

14 કેમ કે તેમનું આવવું એક માણસના જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની સંપત્તિ તેઓને સોંપી. 15 એકને તેણે પાંચ તાલંત, બીજાને બે, ત્રીજાને એક એમ દરેકને તેઓની શક્તિ પ્રમાણે આપ્યું; અને તે પરદેશ ગયો. 16 પછી જેને પાંચ તાલંત મળ્યા હતા, તે તરત જઈને વેપાર કરીને તે વડે બીજા પાંચ તાલંત કમાયો.

17 તેમ જ જેને બે, તે પણ બીજા બે તાલંત કમાયો. 18 પણ જેને એક તાલંત મળ્યો હતો તેણે જઈને જમીનમાં ખોદીને પોતાના માલિકનું નાણું દાટી રાખ્યું.

19 હવે લાંબી મુદત પછી તે ચાકરોનો માલિક આવ્યો, ત્યારે તેણે તેઓની પાસેથી હિસાબ માગ્યો. 20 ત્યારે જેને પાંચ તાલંત મળ્યા હતા તે બીજા પાંચ તાલંત પણ લેતો આવ્યો, તેણે કહ્યું કે, ‘માલિક, તમે મને પાંચ તાલંત સોંપ્યાં હતા; જુઓ, હું તે ઉપરાંત બીજા પાંચ તાલંત કમાયો છું.’ 21 ત્યારે તેના માલિકે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ. તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.’”

22 જેને બે તાલંત મળ્યા હતા, તેણે પણ પાસે આવીને કહ્યું કે, ‘માલિક, તેં મને બે તાલંત સોંપ્યાં હતા; જો, હું તે ઉપરાંત બીજા બે તાલંત કમાયો છું.’ 23 તેના માલિકે તેને કહ્યું કે, ‘શાબાશ, સારાં તથા વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણાં પર ઠરાવીશ. તારા માલિકના આનંદમાં પ્રવેશ કર.’”

24 પછી જેને એક તાલંત મળ્યો હતો, તેણે પણ પાસે આવીને કહ્યું કે, ‘માલિક મેં જોયું કે તું એવો કઠોર માણસ છે કે, જ્યાં તેં નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર અને જ્યાં તેં નથી વેર્યું ત્યાંથી તું એકઠું કરનાર છે. 25 માટે મને બીક લાગી અને જઈને તારા તાલંતને મેં જમીનમાં દાટી રાખ્યું. જો, તને તારું તાલંત પાછું પહોંચ્યું છે.

26 તેના માલિકે ઉત્તર દેતાં તેને કહ્યું કે, અરે દુષ્ટ તથા આળસુ ચાકર જ્યાં મેં નથી વાવ્યું ત્યાંથી હું કાપું છું અને જ્યાં મેં નથી વેર્યું ત્યાંથી હું એકઠું કરું છું, એમ તું જાણતો હતો; 27 તો તારે મારાં નાણાં શાહુકારોને આપવા જોઈતાં હતા કે હું આવું ત્યારે મને વ્યાજ સાથે પાછા મળત.

28 એ માટે તેની પાસેથી તાલંત લઈને જેની પાસે દસ તાલંત છે તેને તે આપો. 29 કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે અને તેની પાસે પુષ્કળ થશે; પણ જેની પાસે નથી, તેની પાસે જે છે તે પણ લઈ લેવાશે. 30 તે નકામા ચાકરને બહારના અંધકારમાં ફેંકી દો. ત્યાં તેણે રડવાનું તથા દાંત પીસવાનું થશે.’”

31 જયારે માણસના દીકરા પોતાના મહિમામાં સર્વ પવિત્ર સ્વર્ગદૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. 32 સર્વ દેશજાતિઓ તેમની આગળ એકઠી કરાશે; અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે. 33 ઘેટાંને તે પોતાને જમણે હાથે, પણ બકરાંને ડાબે હાથે રાખશે.

34 ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે, ‘મારા પિતાના આશીર્વાદિતો તમે આવો, જે રાજ્ય સૃષ્ટિનો પાયો નાખ્યા અગાઉ તમારે સારુ તૈયાર કરેલું છે તેનો વારસો લો. 35 કેમ કે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું; હું તરસ્યો હતો, ત્યારે તમે મને કંઈક પીવા માટે આપ્યું; હું પારકો હતો; ત્યારે તમે મને અતિથિ તરીકે રાખ્યો; 36 હું નિર્વસ્ત્ર હતો, ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં; હું માંદો હતો ત્યારે તમે મારી ચાકરી કરી; હું જેલમાં હતો, ત્યારે તમે મને મળવા આવ્યા.’”

37 ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર આપશે કે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા જોઈને ખવડાવ્યું, તરસ્યા જોઈને કંઈક પીવા માટે આપ્યા? 38 ક્યારે અમે તમને પારકા જોઈને અતિથિ રાખ્યા, નિર્વસ્ત્ર જોઈને વસ્ત્ર પહેરાવ્યાં? 39 ક્યારે અમે તમને માંદા અથવા જેલમાં જોઈને તમને મળવા આવ્યા?’ 40 ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ મારા ભાઈઓમાંના બહુ નાનાંઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’”

41 પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે કે, ‘ઓ શાપિતો, જે અનંતઅગ્નિ શેતાન તથા તેના દૂતોને સારુ તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ, 42 કેમ કે હું ભૂખ્યો હતો, પણ તમે મને ખવડાવ્યું નહિ, હું તરસ્યો હતો, પણ તમે મને કંઈક પીવા માટે આપ્યું નહિ; 43 હું પારકો હતો, પણ તમે મને અતિથિ રાખ્યો નહિ; નિર્વસ્ત્ર હતો, પણ તમે મને વસ્ત્ર પહેરાવ્યાં નહિ; માંદો તથા જેલમાં હતો, પણ તમે મારી ચાકરી કરી નહિ.’”

44 ત્યારે તેઓ પણ તેમને ઉત્તર આપશે કે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા, તરસ્યા, પારકા, નિર્વસ્ત્ર, માંદા કે જેલમાં જોઈને તમારી સેવા નથી કરી?’ 45 ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપશે કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહિ, એટલે તે મને કર્યું નહિ.’ 46 તેઓ અનંતકાળિક સજા માટે જશે, પણ ન્યાયીઓ અનંતજીવનમાં પ્રવેશશે.”



Chapter 26

1 ઈસુએ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, 2 “તમે જાણો છો બે દિવસ પછી પાસ્ખાપર્વ છે, અને માણસના દીકરાને વધસ્તંભે જડાવા સારુ પરાધીન કરાશે.”

3 પછી મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકત્ર થયા. 4 ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ સંકલ્પ કર્યો. 5 પણ તેઓએ કહ્યું કે, “પર્વમાં નહિ, રખેને લોકોમાં હુલ્લડ થાય.”

6 ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા, 7 તેઓ જમવા બેઠા હતા ત્યારે એક સ્ત્રી અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને તેમની પાસે આવી, અને તેમના માથા ઉપર અત્તર રેડ્યું. 8 જયારે તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે, “એ બગાડ શા માટે કર્યો? 9 કેમ કે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત અને ગરીબોને અપાત.”

10 ત્યારે ઈસુએ તે જાણીને તેઓને કહ્યું કે, “એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે. 11 કેમ કે ગરીબો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.

12 તેણીએ અત્તર મારા શરીર પર રેડ્યું તે કામ તો મારા દફનની તૈયારીને સારુ કર્યું છે. 13 હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ સુવાર્તા આખી દુનિયામાં જ્યાં કહીં પ્રગટ કરાશે ત્યાં એણે જે કર્યું છે તે પણ તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.”

14 ત્યારે યહૂદા ઇશ્કારિયોત નામે બાર શિષ્યોમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે, 15 “તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવી આપ્યા. 16 ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.

17 બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તમારે માટે પાસ્ખા ખાવાની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?” 18 ત્યારે ઈસુએ કહ્યું કે, “નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ‘ઉપદેશક કહે છે કે “મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સાથે તારે ઘરે પાસ્ખા પાળીશ.’” 19 ઈસુએ શિષ્યોને જેવી આજ્ઞા આપી હતી, તેવું તેઓએ કર્યું અને પાસ્ખા તૈયાર કર્યું.

20 સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે ઈસુ જમવા બેઠા હતા. 21 તેઓ જમતા હતા ત્યારે તેમણે કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંથી એક મને પરસ્વાધીન કરશે.” 22 ત્યારે તેઓ ઘણાં દુઃખી થયા અને તેઓમાંનો દરેક તેમને કહેવા લાગ્યો કે, “પ્રભુ, શું તે હું છું?”

23 ઈસુએ ઉત્તર દેતાં કહ્યું કે, “જેણે મારી સાથે થાળીમાં હાથ મૂક્યો છે તે જ મને પરાધીન કરશે. 24 માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરાધીન કરાય છે, તેને અફસોસ છે! જો તે માણસ જન્મ્યો ન હોત, તો તેને માટે વધારે સારું હોત.” 25 ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે, “ગુરુજી, શું તે હું છું?” ઈસુએ તેને કહ્યું કે, “તેં પોતે જ કહ્યું છે.”

26 તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને આપીને કહ્યું કે, “લો, ખાઓ, આ મારું શરીર છે.”

27 પછી ઈસુએ પ્યાલો લઈને આભાર માન્યો અને તેઓને આપતાં કહ્યું કે, “તમે બધા એમાંથી પીઓ,” 28 કેમ કે એ નવા કરારનું મારું રક્ત છે, જે પાપોની માફીને અર્થે ઘણાંઓને માટે વહેવડાવવામાં આવે છે. 29 હું તમને કહું છું કે, હું મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી.”

30 તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા. 31 ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમે બધા આજ રાત્રે મારાથી દૂર થઈ જશો, કેમ કે એમ લખેલું છે કે ‘હું ઘેટાંપાળકને મારીશ અને ટોળાંનાં ઘેટાં વિખેરાઈ જશે.’ 32 પણ મારા ઊઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.”

33 ત્યારે પિતરે ઉત્તર દેતાં ઈસુને કહ્યું કે, “જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ.” 34 ઈસુએ તેને કહ્યું, “હું તને નિશ્ચે કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ, ત્રણ વાર તું મારો નકાર કરીશ.” 35 પિતરે તેને કહ્યું કે, “જો મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ.” બધાં શિષ્યોએ પણ તેમ જ કહ્યું.

36 ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામની જગ્યાએ આવ્યું અને શિષ્યોને કહ્યું કે, “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો.” 37 પિતરને તથા ઝબદીના બે દીકરાઓને સાથે લઈને ઈસુ પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા. 38 પછી ઈસુએ તેઓને કહ્યું કે, “મારો જીવ મરવા જેવો ઘણો દુઃખી છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.”

39 પછી તેમણે થોડે દૂર જઈને મુખ નમાવીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” 40 પછી ઈસુએ શિષ્યોની પાસે આવ્યું અને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહ્યું કે, “શું તમે એક કલાક પણ મારી સાથે જાગતા રહી નથી શકતા? 41 તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.”

42 બીજી વાર ઈસુએ જઈને પ્રાર્થના કરતા કહ્યું કે, “ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઈ ન શકે તો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” 43 ઈસુએ બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી. 44 ઈસુ ફરીથી શિષ્યોને મૂકીને પ્રાર્થના કરવા ગયા, અને ત્રીજી વાર એ જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી.

45 ત્યારે તે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહ્યું કે, “હજુ પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો? જુઓ, સમય પાસે આવ્યો છે, માણસનો દીકરો પાપીઓના હાથમાં પરાધીન કરાય છે. 46 ઊઠો આપણે જઈએ; જુઓ, મને પકડાવનાર આવી પહોંચ્યો છે.”

47 તે હજી બોલતા હતા, એટલામાં જુઓ, બાર શિષ્યમાંનો એક, એટલે યહૂદા, આવ્યો; તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણાં લોક તલવારો તથા લાકડીઓ લઈને આવ્યા. 48 હવે તેમને પરાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, “હું જેને ચુંબન કરું તે જ તે છે; તેને પકડી લેજો.”

49 તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, ‘ગુરુજી સલામ!’ અને તે તેમને ચૂમ્યો. 50 ઈસુએ તેને કહ્યું કે, “મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.” ત્યારે તેઓએ પાસે આવીને, ઈસુ પર હાથ નાખીને, તેમની ધરપકડ કરી.

51 પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તલવાર ખેંચી કાઢ્યું અને પ્રમુખ યાજકના ચાકર પર હુમલો કરીને તેનો કાન કાપી નાખ્યો. 52 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તારી તલવાર મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેઓ તલવાર પકડે છે તેઓ તલવારથી જ નાશ પામશે. 53 શું તું ધારે છે કે હું પિતાની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યની બાર જૂથો કરતાં વધારે સ્વર્ગદૂતોને મારી પાસે મોકલી દે? 54 તો શાસ્ત્રવચનોમાં જે લખેલું છે કે, એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?”

55 તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું કે, “તમે તલવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને પકડે તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ ભક્તિસ્થાનમાં બેસીને બોધ કરતો હતો; ત્યારે તમે મને પકડ્યો ન હતો. 56 પણ પ્રબોધકોના લેખો પૂર્ણ થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો ઈસુને મૂકીને જતા રહ્યા.

57 પછી જેઓએ ઈસુને પકડ્યા, તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા. 58 પિતર દૂરથી તેમની પાછળ પ્રમુખ યાજકની આંગણું સુધી ચાલ્યો અને અંદર જઈને ઈસુને શું કરશે તે જોવાને ચોકીદારોની સાથે બેઠો.

59 મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઈસુને મારી નાખવાને, તેમની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી. 60 જોકે ઘણાં જૂઠા સાક્ષીઓ આવ્યા, પણ તેઓની સાક્ષીઓથી તેઓ સહમત થયા નહિ. પણ પાછળથી બે માણસો આવીને બોલ્યા કે, 61 “આ માણસે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરના સભાસ્થાનને પાડી નાખવાને તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધવાને સમર્થ છું.’”

62 ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, “શું તું કંઈ ઉત્તર નથી દેતો? તેઓ તારી વિરુદ્ધ સાક્ષી આપે છે.” 63 પણ ઈસુ મૌન રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ આપું છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત છે તે તું જ છે કે નહિ, એ અમને કહે.” 64 ઈસુએ તેને કહ્યું કે, “તેં જ કહ્યું છે, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણાં હાથ પર બેઠેલા તથા આકાશના વાદળો પર આવતા નિહાળશો.”

65 ત્યારે પ્રમુખ યાજકે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે, “તેણે દુર્ભાષણ કર્યું છે. આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, હવે તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે. 66 તમે શું વિચારો છો?” તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, “તે મૃત્યુદંડને પાત્ર છે.”

67 ત્યારે તેઓએ તેના મુખ પર થૂંકીને તેને મુક્કીઓ મારી, અને તેને થપ્પડો મારતાં કહ્યું કે, 68 “ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યું એ અમને કહી બતાવ.”

69 પિતર બહાર આંગણમાં બેઠો હતો, ત્યારે એક સેવિકા તેની પાસે આવીને કહ્યું કે, “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.” 70 પણ તેણે સહુની આગળ નકાર કરતાં કહ્યું કે, “તું જે કહે છે તે હું જાણતો નથી.”

71 તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજી દાસીએ તેને જોઈને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે, “એ પણ નાસરેથના ઈસુની સંગાથે હતો.” 72 પણ તેણે સમ ખાતાં ફરીથી નકાર કર્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.”

73 થોડીવાર પછી પાસે ઊભેલાઓએ આવીને પિતરને કહ્યું કે, “ખરેખર તું પણ તેઓમાંનો એક છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાય છે.” 74 ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.” તરત જ મરઘો બોલ્યો. 75 જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, “મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,” તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.



Chapter 27

1 હવે સવાર થઈ, ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ ઈસુને મારી નાખવા માટે તેની વિરુદ્ધ કાવતરું કર્યું. 2 પછી તેઓએ ઈસુને બાંધ્યા અને તેમને લઈ જઈને પિલાત રાજ્યપાલને સોંપ્યાં.

3 જયારે યહૂદાએ, જેણે તેમને પરાધીન કર્યાં હતા તેણે જોયું કે ઈસુને અપરાધી ઠરાવાયા છે, ત્યારે તેને ખેદ થયો, અને તેણે ચાંદીના ત્રીસ સિક્કા મુખ્ય યાજકોની તથા વડીલોની પાસે પાછા લાવીને કહ્યું કે, 4 “નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ કહ્યું કે, “તેમાં અમારે શું? તે તારી ચિંતા છે.” 5 પછી સિક્કાઓ ભક્તિસ્થાનમાં ફેંકી દઈને તે ગયો; અને જઈને ગળે ફાંસો ખાધો.

6 મુખ્ય યાજકોએ તે રૂપિયા લઈને કહ્યું કે, “એ લોહીનું મૂલ્ય છે માટે ભંડારમાં મૂકવા ઉચિત નથી.” 7 તેઓએ ચર્ચા કરીને પરદેશીઓને દફનાવવા સારું એ રૂપિયાથી કુંભારનું ખેતર વેચાતું લીધું. 8 તે માટે આજ સુધી તે ખેતર ‘લોહીનું ખેતર’ કહેવાય છે.

9 ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, “જેનું મૂલ્ય ઇઝરાયલપુત્રોએ તેના જીવન માટે ઠરાવ્યાં હતા, તે ચાંદીના ત્રીસ સિક્કા તેઓએ લીધા, 10 અને જેમ પ્રભુએ મને હુકમ કર્યો, તેમ કુંભારના ખેતરને માટે આપ્યા.”

11 અને ઈસુ રાજ્યપાલની આગળ ઊભા રહ્યા અને રાજ્યપાલે તેમને પૂછ્યું કે, “શું તું યહૂદીઓનો રાજા છે?” ઈસુએ તેને કહ્યું કે, “તું પોતે કહે છે.” 12 મુખ્ય યાજકોએ તથા વડીલોએ તેમના પર આરોપ મૂક્યો છતાં તેમણે કંઈ ઉત્તર આપ્યો નહિ. 13 ત્યારે પિલાતે તેમને કહ્યું કે, “તારી વિરુદ્ધ તેઓ કેટલા આરોપો મૂકે છે એ શું તું નથી સાંભળતો?” 14 ઈસુએ તેને એક પણ શબ્દનો ઉત્તર આપ્યો નહિ તેથી રાજ્યપાલને ઘણું આશ્ચર્ય લાગ્યું.

15 હવે પર્વમાં રાજ્યપાલનો એક રિવાજ હતો કે જે એક બંદીવાનને લોકો માગે, તેને તેઓને માટે છોડી દેતો હતો. 16 તે વખતે બરાબાસ નામનો એક પ્રખ્યાત બંદીવાન હતો.

17 તેથી તેઓ એકઠા થયા પછી પિલાતે તેઓને કહ્યું કે, “હું તમારે માટે કોને છોડી દઉં, તે વિષે તમારી શી મરજી છે? બરાબાસને, કે ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને?” 18 કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઇના કારણે ઈસુને સોંપ્યો હતો. 19 જયારે તે ન્યાયાસન પર બેઠો હતો, ત્યારે તેની પત્નીએ તેને કહેવડાવ્યું કે, “તે નિર્દોષ માણસને તું કંઈ કરતો નહિ, કેમ કે આજ મને સ્વપ્નમાં તેને લીધે ઘણું દુઃખ થયું છે.”

20 હવે મુખ્ય યાજકોએ તથા વડીલોએ લોકોને સમજાવ્યાં, કે તેઓ બરાબાસને માગે અને ઈસુને મારી નંખાવે. 21 પણ રાજ્યપાલે તેઓને કહ્યું કે, “તે બેમાંથી હું કોને તમારે માટે છોડી દઉં, તમારી શી મરજી છે?” તેઓને કહ્યું કે ‘બરાબાસને.’ 22 પિલાતે તેઓને કહ્યું કે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું શું કરું?” સઘળાંએ તેને કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’”

23 ત્યારે તેણે કહ્યું, “શા માટે? તેણે શો અપરાધ કર્યો છે?” પણ તેઓએ વધારે ઊંચા અવાજે કહ્યું કે, ‘તેને વધસ્તંભે જડાવો.’ 24 જયારે પિલાતે જોયું કે તેનાથી કંઈ કરી શકે તેમ નથી, પણ તેને બદલે વધારે ગડબડ થાય છે, ત્યારે તેણે પાણી લઈને લોકોની આગળ પોતાના હાથ ધોઈને કહ્યું કે, “એ ન્યાયીના રક્ત સંબંધી હું નિર્દોષ છું; હવે એ તમારી ચિંતા છે.”

25 ત્યારે સર્વ લોકોએ ઉત્તર દેતાં કહ્યું કે, “એનું રક્ત અમારે માથે તથા અમારા સંતાનને માથે આવે.” 26 ત્યારે તેણે બરાબાસને તેઓને માટે છોડી દીધો, અને ઈસુને કોરડા મરાવીને વધસ્તંભે જડાવા સારુ સોંપ્યો.

27 ત્યારે રાજ્યપાલના સિપાઈઓ ઈસુને મહેલમાં લઈ ગયા અને આખી પલટણ તેની આસપાસ એકઠી કરી. 28 પછી તેઓએ તેમના વસ્ત્રો ઉતારીને લાલ ઝભ્ભો પહેરાવ્યો. 29 તેમના માથા પર કાંટાનો મુગટ ગૂંથીને મૂક્યો, તેમના જમણાં હાથમાં સોટી આપી અને તેમની આગળ ઘૂંટણ ટેકીને તેમના ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, “હે યહૂદીઓના રાજા, સલામ!”

30 પછી તેઓ તેમના પર થૂંક્યાં અને સોટી લઈને તેમના માથામાં મારી. 31 તેમની ઠઠ્ઠામશ્કરી કરી રહ્યા પછી તેઓએ તેમનો ઝભ્ભો ઉતારીને તેમના પોતાના જ વસ્ત્રો તેમને પહેરાવ્યાં અને વધસ્તંભે જડવાને તેઓ તેમને લઈ ગયા.

32 તેઓ બહાર ગયા ત્યારે કુરેનીનો સિમોન નામે એક માણસ તેઓને મળ્યો, જેની પાસે તેઓએ તેમનો વધસ્તંભ બળજબરીપૂર્વક ઊંચકાવ્યો. 33 તેઓ ગલગથા એટલે કે, ‘ખોપરીની જગ્યા’ કહેવાય છે, ત્યાં પહોંચ્યા. 34 તેઓએ પિત્ત ભેળવેલો સરકો તેમને પીવાને આપ્યો, પણ ચાખ્યાં પછી તેમણે પીવાની ના પાડી.

35 ઈસુને વધસ્તંભે જડ્યાં પછી તેઓએ ચિઠ્ઠી નાખીને તેમના વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં; 36 અને તેઓએ ત્યાં બેસીને તેમની ચોકી કરી. 37 ‘ઈસુ જે યહૂદીઓનો રાજા, તે એ જ છે.’ એવું તેમના વિરુદ્ધનું આરોપનામું તેમના માથાની ઉપર મુકાવ્યું.

38 તેઓએ તેમની સાથે બે ચોરને વધસ્તંભે જડ્યાં, એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ. 39 પાસે થઈને જનારાંઓએ પોતાના માથાં હલાવતાં તથા તેમનું અપમાન કરતાં કહ્યું કે, 40 “અરે મંદિરને પાડી નાખનાર તથા તેને ત્રણ દિવસમાં બાંધનાર, તું પોતાને બચાવ; જો તું ઈશ્વરનો દીકરો છે તો વધસ્તંભ પરથી ઊતરી આવ.”

41 તે જ રીતે મુખ્ય યાજકોએ પણ શાસ્ત્રીઓ તથા વડીલો સાથે ઠઠ્ઠામશ્કરી કરતાં કહ્યું કે, 42 “તેણે બીજાઓને બચાવ્યા, પણ તે પોતાને બચાવી નથી શક્તો; એ તો ઇઝરાયલનો રાજા છે, તે હમણાં જ વધસ્તંભ પરથી ઊતરી આવે, એટલે અમે તેના પર વિશ્વાસ કરીશું.

43 તે ઈશ્વર પર ભરોસો રાખે છે, જો તે તેમને ચાહતો હોય તો હમણાં તેને છોડાવે; કેમ કે તેણે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરનો દીકરો છું.’” 44 જે ચોરોને તેમની સાથે વધસ્તંભે જડાવ્યાં હતા, તેઓએ પણ તેમની નિંદા કરી.

45 બપોરના લગભગ બાર કલાકથી ત્રણ કલાક સુધી આખા દેશમાં અંધારપટ છવાયો. 46 આશરે ત્રણ કલાકે ઈસુએ ઊંચા અવાજે બૂમ પાડતાં કહ્યું કે, “એલી, એલી, લમા શબકથની?” એટલે, “ઓ મારા ઈશ્વર, મારા ઈશ્વર, તમે મને શા માટે છોડી દીધો?” 47 જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંથી કેટલાકે તે સાંભળીને કહ્યું કે, ‘તે એલિયાને બોલાવે છે.’”

48 તરત તેઓમાંથી એકે દોડીને વાદળી લઈને સરકાથી ભીંજવી અને લાકડીની ટોચે બાંધીને તેમને ચુસવા આપી. 49 પણ બીજાઓએ કહ્યું કે, “રહેવા દો, આપણે જોઈએ કે એલિયા તેમને બચાવવા આવે છે કે નહિ.” 50 પછી ઈસુએ બીજી વાર ઊંચે અવાજે બૂમ પાડીને પ્રાણ છોડ્યો.

51 ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, પૃથ્વી કાંપી, અને ખડકો ફાટ્યા. 52 કબરો ઊઘડી ગઈ અને ઘણાં મરણ પામેલા સંતોનાં શરીર ઊઠ્યાં. 53 અને ઈસુના પુનરુત્થાન પછી તેઓ કબરોમાંથી નીકળીને પવિત્ર નગરમાં ગયા અને ઘણાંઓને દેખાયા.

54 ત્યારે શતપતિ તથા તેની સાથે જેટલાં ઈસુની ચોકી કરતાં હતા, તેઓએ ધરતીકંપ તથા જે જે થયું, તે જોઈને બહુ ગભરાતા કહ્યું કે, “ખરેખર એ ઈશ્વરના દીકરા હતા.” 55 ત્યાં ઘણી સ્ત્રીઓ, જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેમની પાછળ આવી હતી, તેઓ દૂરથી જોયા કરતી હતી. 56 તેઓમાં મગ્દલાની મરિયમ, યાકૂબની તથા યોસેની મા મરિયમ તથા ઝબદીના દીકરાઓની મા હતી.

57 સાંજ પડી ત્યારે યૂસફ નામે અરિમથાઈનો એક શ્રીમંત માણસ આવ્યો, જે પોતે પણ ઈસુનો શિષ્ય હતો. 58 તેણે પિલાત પાસે જઈને ઈસુનું શબ માગ્યું, ત્યારે પિલાતે તે સોંપવાની આજ્ઞા આપી.

59 પછી યૂસફે શબ લઈને શણના સ્વચ્છ વસ્ત્રમાં તે વીંટાળ્યું, 60 અને ખડકમાં ખોદાવેલી પોતાની નવી કબરમાં તેને મૂક્યો; અને એક મોટો પથ્થર કબરના દ્વાર પર ગબડાવીને તે ચાલ્યો ગયો. 61 મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ ત્યાં કબરની સામે બેઠેલી હતી.

62 સિદ્ધીકરણને બીજે દિવસે મુખ્ય યાજકો તથા ફરોશીઓએ પિલાત પાસે એકઠા થયા. 63 તેઓએ કહ્યું કે, “સાહેબ, અમને યાદ છે કે, તે છેતરનાર જીવતો હતો ત્યારે કહેતો હતો કે, ‘ત્રણ દિવસ પછી હું પાછો ઊઠીશ.’ 64 માટે ત્રણ દિવસ સુધી કબરની ચોકી રાખવાની આજ્ઞા કરો, રખેને તેના શિષ્યો આવીને તેને ચોરી જાય અને લોકોને કહે કે, મૂએલાંઓમાંથી તે જી ઊઠ્યો છે અને છેલ્લી કાવતરું પહેલીના કરતાં મોટી થશે.”

65 ત્યારે પિલાતે તેઓને કહ્યું કે, “આ ચોકીદારો લઈને જાઓ અને તમારાથી બની શકે તેવી તેની ચોકી રખાવો.” 66 તેથી તેઓ ગયા અને પથ્થરને મહોર મારીને તથા ચોકીદારો બેસાડીને કબરનો જાપ્તો રાખ્યો.



Chapter 28

1 વિશ્રામવારની આખરે, અઠવાડિયાને પહેલે દિવસે રવિવારે વહેલી સવારે મગ્દલાની મરિયમ તથા બીજી મરિયમ કબરને જોવા આવી. 2 ત્યારે જુઓ, મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો સ્વર્ગદૂત આકાશથી ઊતર્યો, અને પાસે આવીને કબર પર પથ્થરને ગબડાવીને તે પર બેઠો.

3 તેનું રૂપ વીજળી જેવું અને તેનું વસ્ત્ર બરફના જેવું ઊજળું હતું. 4 તેની ધાકથી ચોકીદારો ધ્રૂજી ગયા અને મરણ પામ્યા હોય તેવા થઈ ગયા.

5 ત્યારે સ્વર્ગદૂતે ઉત્તર દેતાં તે સ્ત્રીઓને કહ્યું, “તમે બીશો નહિ, કેમ કે વધસ્તંભે જડાયેલા ઈસુને તમે શોધો છો, એ હું જાણું છું. 6 જુઓ ઈસુ અહીં નથી, કેમ કે તેમણે જેમ કહ્યું હતું તેમ તે સજીવન થયા છે. તમે આવો, જ્યાં તે સૂતા હતા તે જગ્યા જુઓ. 7 જલદી જઈને તેમના શિષ્યોને કહો કે, મૃત્યુમાંથી તે સજીવન થયા છે. ‘જુઓ, તે તમારા અગાઉ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેમને દેખશો.’ જુઓ મેં તમને કહ્યું છે.”

8 ત્યારે તેઓ ભય તથા ઘણાં હર્ષસહિત, કબરની પાસેથી વહેલા નીકળીને તેમના શિષ્યોને ખબર આપવાને દોડી. 9 ત્યારે જુઓ, ઈસુએ તેઓને મળીને શુભેચ્છા પાઠવી. તેઓએ પાસે આવીને તેમના પગ પકડ્યા, અને તેમનું ભજન કર્યું. 10 ઈસુએ તેઓને કહ્યું કે, “બીશો નહિ, જાઓ, મારા ભાઈઓને કહો કે, તેઓ ગાલીલમાં જાય અને ત્યાં તેઓ મને દેખશે.”

11 તેઓ જતી હતી, ત્યારે જુઓ, ચોકીદારોમાંના કેટલાકે નગરમાં જઈને જે જે થયું તે સઘળું મુખ્ય યાજકોને કહ્યું. 12 તેઓએ તથા વડીલોએ એકઠા થઈને સંકલ્પ કરીને તે સિપાઈઓને ઘણાં નાણાં આપીને સમજાવ્યું કે, 13 તમે એમ કહો કે, “અમે ઊંઘતા હતા એટલામાં ‘તેમના શિષ્યો રાત્રે આવીને તેમને ચોરી ગયા.’”

14 જો એ વાત રાજ્યપાલને કાને પહોંચશે, તો અમે તેમને સમજાવીને તમને બચાવી લઈશું.” 15 પછી તેઓએ નાણાં લીધાં અને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું. એ વાત યહૂદીઓમાં આજ સુધી ચર્ચા થાય છે.

16 પણ અગિયાર શિષ્યો ગાલીલમાં એક પહાડ પર જ્યાં ઈસુએ તેઓને જવાનું કહ્યું હતું, ત્યાં ગયા. 17 તેઓએ તેમને જોઈને તેમનું ભજન કર્યું, પણ કેટલાકને સંદેહ આવ્યો.

18 ઈસુએ પાસે આવીને તેઓને કહ્યું કે, “સ્વર્ગ તથા પૃથ્વી પરના સર્વ અધિકાર મને અપાયો છે. 19 એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય બનાવો; પિતા તથા પુત્ર તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ.

20 મેં તમને જે જે આજ્ઞા આપી છે તે સર્વ પાળવાનું તેઓને શીખવવું. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”



Translation Words

અંજીર, અંજીરો

વ્યાખ્યા:

અંજીર એ નાનું, પોચું, મીઠું ફળ છે કે જે વૃક્ષો ઉપર થાય છે. જયારે તે પાકે છે, ત્યારે ભુખરો, પીળો, અથવા જાંમલી જેવા વિવિધ રંગના હોઈ શકે છે.

ફળ લગભગ 3-5 સેન્ટીમીટર લાંબુ હોય છે.

લોકો તેઓને નાના ટુકડાઓમાં કાપે છે અને ચકતામાં દબાવી પછી ખાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંજીર, અંજીરો

વ્યાખ્યા:

અંજીર એ નાનું, પોચું, મીઠું ફળ છે કે જે વૃક્ષો ઉપર થાય છે. જયારે તે પાકે છે, ત્યારે ભુખરો, પીળો, અથવા જાંમલી જેવા વિવિધ રંગના હોઈ શકે છે.

ફળ લગભગ 3-5 સેન્ટીમીટર લાંબુ હોય છે.

લોકો તેઓને નાના ટુકડાઓમાં કાપે છે અને ચકતામાં દબાવી પછી ખાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંત:કરણ, અંત:કરણો

વ્યાખ્યા:

અંત:કરણ વ્યક્તિના વિચારોનો એક ભાગ છે કે જે દ્વારા દેવ તેને વાકેફ કરે છે કે તે કઈંક કરી રહ્યો છે તે અધમ (પાપ) છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અંધકાર

વ્યાખ્યા:

“અંધકાર” શબ્દનો વાસ્તવિક અર્થ, પ્રકાશની ગેરહાજરી. આ શબ્દના અનેક રૂપકાત્મક અર્થો પણ છે:

ભાષાંતરના સૂચનો:

લક્ષ ભાષામાં આ શબ્દના શાબ્દિક ભાષાંતર માટે, પ્રકાશની ગેરહાજરી એવો શબ્દ વાપરવો. આ શબ્દ કે જે પ્રકાશ વગરના ઓરડાના અંધકાર માટે અથવા દિવસના સમય માટે કે જયારે પ્રકાશ હોતો નથી, તેને દર્શાવી શકે છે. રૂપક તરીકે આ શબ્દના અર્થને પ્રકાશની વિરુદ્ધનું સ્વરૂપ તે દર્શાવવું જરૂરી છે, જે દુષ્ટ અને કપટવાળું છે, જે ભલાઈ અને સત્યની વિરુદ્ધમાં આવેલું છે.

સંદર્ભ પર આધાર રાખીને આ શબ્દનું ભાષાંતર, “રાત્રીનો અંધકાર” (જે દિવસના પ્રકાશની વિરુદ્ધમાં છે) અથવા “રાત્રીની જેમ કાંઈ દેખાય નહીં તેવું” અથવા “દુષ્ટ, જે અંધકારની જગ્યા છે.”

(આ પણ જુઓ: ભ્રષ્ટ, આધિપત્ય, રાજ્ય, પ્રકાશ, છૂટકારો કરવો, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ

વ્યાખ્યા:

અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.

(આ પણ જુઓ: શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અગ્નિ, આગ સળગાવે છે, સળગતું લાકડું, આગની સૂપડી, સગડી, ચૂલો, ચૂલાઓ

વ્યાખ્યા:

અગ્નિ એ ગરમી, પ્રકાશ, અને જ્યોત છે કે જે જયારે કઈંક બળે છે ત્યારે ઉત્પન્ન થાય છે.

(આ પણ જુઓ: શુદ્ધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અદાલત, અદાલતો, મંદિરનું આંગણુ, મંદિરના આંગણાઓ

વ્યાખ્યા:

“મંદિરના આંગણાઓ” અને “આંગણુ” શબ્દો, બંધ વિસ્તાર કે જે આકાશ નીચે ખુલ્લો હોય અને તે દિવાલોથી ઘેરાયેલો હોય, તેને દર્શાવે છે. “અદાલત” શબ્દ એવી જગ્યાને પણ દર્શાવે છે કે જ્યાં ન્યાયાધીશો કાનૂની અને ગુનાહિત બાબતો નક્કી કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિદેશી, ન્યાયાધીશ, રાજા, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અદેખાઈ, લોભ

વ્યાખ્યા:

“અદેખાઈ” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈને કોઈની પર, તે વ્યક્તિના અમુક પ્રશંસા કરવાલાયક ગુણોને કારણે ઈર્ષ્યા થાય.

“લોભ” શબ્દનો અર્થ, કઈંક હોવા (પ્રાપ્ત કરવા) માટેની મજબૂત ઈચ્છા હોવી.

(આ પણ જુઓ: ઈર્ષાળુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અદોમ, અદોમી, અદોમીઓ, અદોમીયા (ઈદુમીયા)

સત્યો:

અદોમ એ એસાવનું બીજું નામ હતું. જ્યાં તે રહેતો હતો તે પ્રદેશ “અદોમ” અને પછી, “અદોમીયા” તરીકે પણ જાણીતો બન્યો. “અદોમીઓ” એ તેના વંશજો હતા.

તે મોટેભાગે ઈઝરાએલના દક્ષિણમાં આવેલા હતા અને છેવટે તે યહૂદાના દક્ષિણ તરફ વિસ્તૃત પામ્યા.

ગ્રીકમાં તે “અદોમીયા (ઈદુમીયા)” કહેવાય છે.

અથવા કદાચ તે લાલ શાક કે જેને લીધે તેણે તેનું જ્યેષ્ઠ વેચી લીધું હતું, તેને દર્શાવે છે.

જૂના કરારના અન્ય બીજા પ્રબોધકો પણ અદોમની વિરુદ્ધ નકારાત્મક ભવિષ્યવાણીઓ બોલ્યાં.

(આ પણ જુઓ: વૈરી, જન્મસિદ્ધ હક, એસાવ, ઓબાદ્યા, પ્રબોધક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અધિકાર,અધિકારીઓ

વ્યાખ્યા:

“અધિકાર” શબ્દ દર્શાવે છે કે જયારે કોઈ વ્યક્તિ બીજા ઉપર પોતાના અધિકાર જમાવે અને પ્રભાવ પાડે.

“અધિકારીઓ” શબ્દ, લોકો, સરકારો અથવા સંસ્થાઓ કે જેઓ બીજા ઉપર પોતાનો અધિકાર ચલાવે છે તેઓને દર્શાવે છે. “અધિકારીઓ” શબ્દ, એવા આત્માઓને દર્શાવે છે કે જેઓને લોકો પર અધિકાર હોય છે પણ તેઓ ઈશ્વરના અધિકારને આધિન થતા નથી.

માતા-પિતા ને તેમના બાળકો ઉપર અધિકાર હોય છે.

ભાષાંતર ના સુચનો:

(આ શબ્દો જુઓ: નાગરિક, આદેશ, આજ્ઞા પાળવી, સામર્થ્ય, રાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અનંતકાળ, શાશ્વત, અનંત, સદાકાળ

વ્યાખ્યા:

“શાશ્વત” અને “અનંત” શબ્દોના ખૂબજ સમાન અર્થો હોય છે, અને તે કઈંક જે હંમેશા અસ્તિત્વમાં હશે અથવા કે જે હંમેશા ચાલુ રહેશે, તે દર્શાવે છે.

જીવન કે જેનો કદી અંત નથી, તે માટે પણ દર્શાવી શકાય છે.

“સનાતન” શબ્દ, કદી અંત નહિ આવનાર સમયને દર્શાવે છે. ક્યારેક તેને “ખૂબજ લાંબા સમય” માટે રૂપકાત્મક અર્થમાં વાપરવામાં આવ્યો છે.

તેમાં સમયનો વિચાર પણ છે કે, જેનો કદી અંત નથી.

આ એક સત્ય દર્શાવે છે કે દાઉદનો વંશજ ઈસુ રાજા તરીકે હંમેશા રાજ કરશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દાઉદ, રાજ કરવું, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

અનાજ, દાણાં, પાકના ખેતરો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા. તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.

જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.

(આ પણ જુઓ: શિર, ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અનાજ, દાણાં, પાકના ખેતરો

વ્યાખ્યા:

સામાન્ય રીતે “અનાજ” શબ્દ, એ ખાવાના છોડના દાણાંને દર્શાવે છે જેવા કે ઘઉં, જવ, મકાઈ, બાજરી, અથવા ચોખા. તે સમગ્ર છોડને પણ દર્શાવી શકે છે.

જો કે આધુનિક અંગ્રેજીમાં, “મકાઈ” ફક્ત એક પ્રકારનું અનાજ દર્શાવે છે.

(આ પણ જુઓ: શિર, ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અનુકરણ, અનુકરણ કરનાર, અનુકરણ કરનારાઓ

વ્યાખ્યા:

“અનુકરણ” અથવા “અનુકરણ કરનાર” શબ્દો, એ વ્યક્તિને દર્શાવે છે કે જે અભિનય દ્વારા બીજા કોઈની જેમ જ નકલ કરે છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અન્યાય, અન્યાયો

વ્યાખ્યા:

“અન્યાય” શબ્દ જે “પાપ” શબ્દના અર્થ જેવો સમાન (શબ્દ) છે, પણ તે ખાસ કરીને ખોટું અથવા મહાન દુષ્ટતા કાર્યો જયારે સજાગ રીતે કરવામાં આવે છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“પાપ” અને “ઉલ્લંઘન” શબ્દની માફક મોટેભાગે “અન્યાય” શબ્દ પણ તે જ લખાણમાં મળી આવે છે, જેથી તે અગત્યનું છે કે આ શબ્દોનું ભાષાંતર અલગ રીતે થાય.

(આ પણ જુઓ: પાપ, ઉલ્લંઘન, અપરાધ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

(આ પણ જુઓ: કલંક, માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપમાન, અપમાન કરે છે, અપમાનિત, અપમાન યોગ્ય

વ્યાખ્યા:

“અપમાન” શબ્દનો અર્થ, કોઈને માટે કઈંક કે જે અપમાન જનિત છે તે કરવું. તેથી તે વ્યક્તિને શરમ અથવા કલંક પણ લાગે છે.

જયારે બાળકો તેઓના માતાપિતાની આજ્ઞાનો અનાદર કરે છે, ત્યારે તેઓ તેમનું અપમાન કરે છે. તેઓ તેમના માતાપિતાને એવી રીતે ગણના કરે છે કે તે તેઓને માન આપતા નથી.

(આ પણ જુઓ: કલંક, માન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અપરાધ, અપરાધો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"અપરાધ" નો અર્થ એ છે કે કાયદાનો ભંગ કરવો અથવા અન્ય વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરવું. "અપરાધ" એ "ઉલ્લંઘન કરવાની" ક્રિયા છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, અન્યાય, પાપ, ઉલ્લંઘન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અપરાધ, (દોષ), દોષિત

વ્યાખ્યા:

“દોષ” શબ્દ, પાપ અથવા ગુનો કર્યાની હકીકત દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિર્દોષ, અન્યાય, શિક્ષા કરવી, પાપ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓમાંના એકે ઈસુની મશ્કરી કરી, પરંતુ બીજાએ કહ્યું, “શું તું દેવથી પણ ડરતો નથી? આપણે દોષિત છીએ, પણ આ માણસ નિર્દોષ છે.

શબ્દ માહિતી:

અફસોસ

વ્યાખ્યા:

આ" અફસોસ "શબ્દ મહાન તણાવની એક લાગણીનો ઉલ્લેખ કરે છે. તે એક ચેતવણી પણ આપે છે કે કોઇને ગંભીર મુશ્કેલીનો અનુભવ થશે.

અનુવાદ માટેનાં સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

અબિયા

સત્યો

અબિયા યહૂદિયાનો રાજા હતો જેણે ઈસ. પૂર્વે 915 થી 913 સુધી રાજ કર્યુ. તે રહાબઆમ રાજાનો પુત્ર હતો. જુનાકરારમાં અબિયા નામના બીજા ઘણા માણસો પણ હતા.

અબિયા અને તેનો ભાઈ અપ્રમાણિક અને લોભી હતા, તે કારણથી લોકોએ શમુએલને રાજા નિમવા માટે માંગણી કરી કે જે તેમની જગ્યાએ શાસન કરે.

બાઈબલની કલમો

શબ્દ માહિતી:

અમંગળ, અમંગળ વસ્તુઓ, અમંગળ થયેલ

વ્યાખ્યા:

“અમંગળ” શબ્દનો ઉપયોગ એવી વસ્તુ માટે કરવામાં આવ્યો છે કે, જેને કોઈ વસ્તુ પ્રત્યે અણગમો અથવા સખત નાપસંદગી હોય.

એટલે કે જે મિસરી લોકોને હિબ્રુ લોકો પ્રત્યે ખુબ જ અણગમો હતો, તેઓ તેની સાથે ભળતા ન હતા અથવા તેમની નજીક જતા નહીં.

ભાષાંતર માટેના સૂચનો:

(જુઓ: વ્યભિચાર, અપવિત્ર કરવું, પાયમાલ, દેવ, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અમાલેક, અમાલેકી, અમાલેકીઓ

સત્યો:

અમાલેકીઓ એ ભટકતા લોકોનો જનસમુદાય હતો, જેઓ કનાનના દક્ષિણ ભાગના અરબ દેશથી નેગેબના રણ સુધી રહેતા હતા. અમાલેકમાંથી ઉતરી આવેલું આ જૂથના લોકો, જેઓ એસાવના પૌત્ર હતા.

(જુઓ: અલંકાર

જયારે તે થાકી જતો ત્યારે પોતાના હાથ નીચે લાવતો, ત્યારે તેઓ હાર પામતા. તેથી હારુને અને હુરે, જ્યાં સુધી ઇઝરાએલીઓ અમાલેકીઓને હરાવી ન દીધા, ત્યાં સુધી તેઓએ મુસાના હાથો ઉપર પકડી રાખ્યા.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર

(જુઓં: અરબસ્તાન, દાઉદ, એસાવ, નેગેબ, [શાઉલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અમોરી, અમોરીઓ

સત્યો:

અમોરીઓ એ લોકોનો શક્તિશાળી સુમદાય હતો કે જે નૂહના પૌત્ર કનાનથી ઉતરી આવેલા હતા. તેમના નામનો અર્થ “ઊંચા,” કે જે પર્વતીય પ્રદેશ હોવાનું દર્શાવે છે કે જ્યાં તેઓ રહેતા અથવા શક્ય કે તેઓ ખુબજ ઊંચા હતા.

આય નગરમાં અમોરીઓ દ્વારા વસવાટ થયો હતો. “અમોરીઓના પાપ” વિશે દેવે ઉલ્લેખ કર્યો છે, જેમાં તેમની જુઠા દેવોની ઉપાસના અને દુષ્ટ આચરણનો સમાવેશ થાય છે. દેવનું આજ્ઞા પ્રમાણે યહોશુઆએ અમોરીઓનો વિનાશ કરવા ઈઝરાયેલીઓને દોર્યા.

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણે અમોરીઓને મુંઝવણમાં મૂકી તેમના પર મોટા કરા મોકલીને ઘણા અમોરીઓને મારી નાખ્યા.

શબ્દ માહિતી:

અરામ, અરામી, અરામીઓ, અરામીક

વ્યાખ્યા:

જૂનાકરારમાં “અરામ” નામનાં બે માણસો હતા. તે ક્નાનના ઉત્તરપૂર્વ પ્રદેશનું નામ હતું, કે જ્યાં હાલમાં સિરિયા આવેલું છે.

ઈસુ અને તેમના સમયના બીજા યહુદિયો પણ અરામીક બોલતા હતા.

અરામ નામનો બીજા એક માણસ જે રિબકાનો પિતરાઈ હતો. તે સંભવ છે કે અરામના પ્રદેશનું નામ આ બેમાંથી એકના નામ પરથી પડ્યું હશે.

આ પ્રદેશ મેસોપોટેમીયાના ઉત્તર ભાગમાં અને “પાદ્દાનારામ” પૂર્વમાં ભાગમાં આવેલો હતો.

(આ પણ જુઓ: મેસોપોતામિયા, પાદાનારામ, રિબકા, શેમ, [સિરિયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ

વ્યાખ્યા:

સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.

આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.

“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સોંપવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અર્પણ, સમર્પિત કરવું, સમર્પિત કરાયેલું, સમર્પણ

વ્યાખ્યા:

સમર્પિત કરવું એટલે અલગ કરવું અથવા કઈંક વિશેષ હેતુ માટે અથવા કાર્ય માટે સોંપવું.

આ પ્રસંગમાં સંગીતના સાધનો અને સંગીત સાથે દેવનો આભાર માનવાનો પણ સમાવેશ થયો હતો.

“સમર્પિત” શબ્દનું ભાષાંતર, “ખાસ વિશેષ હેતુ માટે સોંપેલું” અથવા “કઈંક ચોક્કસ ઉપયોગ માટે વપરાવવા સોંપવું” અથવા “કોઈકને વિશેષ કાર્ય કરવા માટે સોંપવું” એમ પણ (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: સોંપવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

અવાજ, અવાજો

વ્યાખ્યા:

"અવાજ" શબ્દનો ઉપયોગ ઘણી વખત બોલવાની અથવા કંઈક વાતચીત કરવા માટે વપરાય છે. ઈશ્વરે પોતાના અવાજનો ઉપયોગ કર્યો એમ કહેવાય છે, ભલે તે મનુષ્યની જેમ જ કોઈ અવાજ ન હોય.

" કોઈના અવાજ સાંભળવો" નો અનુવાદ "કોઈને બોલતા સાંભળવો" તરીકે પણ કરી શકાય છે. " અવાજ" શબ્દ કેટલીકવાર વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે જે શાબ્દિક રીતે બોલી શકતા નથી, જેમ કે જયારે દાઊદે ગીતશાસ્ત્રમાં કહ્યું કે સ્વર્ગની "વાણી" ઈશ્વરનાં શકિતશાળી કાર્યોને જાહેર કરે છે. આનો અનુવાદ આ પણ કરી શકાય છે "તેમની ભવ્યતા બતાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે."

(આ પણ જુઓ: તેડું, પ્રચાર કરવો, [વૈભવ[)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

અવાજ, અવાજો

વ્યાખ્યા:

"અવાજ" શબ્દનો ઉપયોગ ઘણી વખત બોલવાની અથવા કંઈક વાતચીત કરવા માટે વપરાય છે. ઈશ્વરે પોતાના અવાજનો ઉપયોગ કર્યો એમ કહેવાય છે, ભલે તે મનુષ્યની જેમ જ કોઈ અવાજ ન હોય.

" કોઈના અવાજ સાંભળવો" નો અનુવાદ "કોઈને બોલતા સાંભળવો" તરીકે પણ કરી શકાય છે. " અવાજ" શબ્દ કેટલીકવાર વસ્તુઓ માટે ઉપયોગમાં લેવાય છે જે શાબ્દિક રીતે બોલી શકતા નથી, જેમ કે જયારે દાઊદે ગીતશાસ્ત્રમાં કહ્યું કે સ્વર્ગની "વાણી" ઈશ્વરનાં શકિતશાળી કાર્યોને જાહેર કરે છે. આનો અનુવાદ આ પણ કરી શકાય છે "તેમની ભવ્યતા બતાવે છે કે ઈશ્વર કેટલા મહાન છે."

(આ પણ જુઓ: તેડું, પ્રચાર કરવો, [વૈભવ[)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ

વ્યાખ્યા:

આત્માએ વ્યક્તિનો આંતરિક, અદ્રશ્ય, અને સનાતન ભાગ છે. તે વ્યક્તિના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, “જે આત્મા પાપ કરે” નો અર્થ “વ્યક્તિ કે જે પાપ કરે છે” અને “મારો આત્મા થાકી ગયો છે” નો અર્થ, “હું થાકી ગયો છું.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આત્મા, આત્માઓ, આત્મિક

વ્યાખ્યા:

“આત્મા” શબ્દ લોકોના બિન ભૌતિક ભાગનો ઉલ્લેખ કરે છે જે જોઈ શકતો નથી. જ્યારે વ્યક્તિ મરણ પામે છે, ત્યારે તેનો આત્મા તેના શરીરને છોડે છે. “આત્મા” વૃત્તિ કે ભાવનાત્મક સ્થિતિનો પણ ઉલ્લેખ કરી શકે છે.

અનુવાદ માટેના સૂચનો:

તેનું અનુવાદ આ પરમને પણ થઇ શકે “મારાં આત્મામાં મેં ખેદનો અનુભવ કર્યો” અથવા “મેં ખૂબ ખેદિતપણાનો અનુભવ કર્યો.”

(આ પણ જુઓ: દેવદૂત, ભૂત, પવિત્ર આત્મા, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પિતા, હું સોંપું છું મારો આત્મા તમારાં હાથમાં.” પછી તેમને પોતાનું માથું નમાવીને પોતાનો આત્મા આપી દીધો.

શબ્દ માહિતી:

આદમ

સત્યો:

આદમ પ્રથમ વ્યક્તિ હતો જેને દેવે બનાવ્યો. દેવે તેને અને તેની પત્ની હવાને પોતાના સ્વરૂપ પ્રમાણે રચ્યા.

જુનાકરારમાં “મનુષ્ય” અને “મનુષ્યજાત” માટે “આદમ” શબ્દ વાપરવામાં આવ્યો છે.

તેઓ દેવથી અલગ કરાયા અને તેને કારણે જગતમાં પાપ અને મૃત્યુએ પ્રવેશ કર્યો.

(જુઓ: મરી જવું, વારસામાં ઉતરેલું, હવા, દેવની પ્રતિમા, જીવન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તામાંથી ઉદાહરણ:

દેવે બાગ બનાવ્યો જેથી આદમ ત્યાં રહી શકે, અને તેને ત્યાં મુકવામાં આવ્યો જેથી તે તેની સંભાળ રાખે.

પણ પ્રાણીઓમાંથી __આદમ__માટે સહાયકારી બની શક્યો નહીં.

શબ્દ માહિતી:

આદેશ, આદેશ આપવો, આજ્ઞા આપી, આજ્ઞા, આજ્ઞાઓ

વ્યાખ્યા:

“આદેશ” શબ્દનો અર્થ, કોઈકને કઈંક કરવા હુકમ કરવો. “આદેશ” અથવા “આજ્ઞા” જે વ્યક્તિને કરવા હુકમ આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો

આ શબ્દનું શ્રેષ્ઠ રીતે ભાષાંતર કરાય ત્યારે “કાયદો” શબ્દનું અલગ રીતે ભાષાંતર કરવું. “હુકમનામું અને “કાનૂન” ની વ્યાખ્યાઓ સાથે પણ તેની તુલના કરવી.

(જુઓ વિધિ (હુકમ), વિધિ, કાયદો/કાનૂન, દસ આજ્ઞાઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ, આનંદી, આનંદપૂર્વક, આનંદ, આનંદ કરવો, આનંદ કરે છે, આનંદ કર્યો, આનંદ લઈ રહ્યો છે, મોજમજા, ખુશ થવું, ખુશ થાય છે, હર્ષમાં આવી જવું, હર્ષઘેલું

વ્યાખ્યા:

આનંદ એ હર્ષની લાગણી અથવા ઊંડો સંતોષ કે જે દેવથી આવે છે. “આનંદી” સંબંધિત શબ્દ વ્યક્તિને વર્ણવે છે કે જે ખૂબ પ્રસન્ન અને સંપૂર્ણ ઊંડું સુખ અનુભવે છે.

જયારે તેઓના જીવનમાં ખૂબ મુશ્કેલ બાબતો બની રહી હોય છે ત્યારે પણ દેવ લોકોને આનંદ આપી શકે છે.

તેનો અર્થ કે લોકો કે જેઓ ત્યાં રહે છે, તેઓ આનંદી છે. “ખુશ થવું” શબ્દનો અર્થ સંપૂર્ણ આનંદ અને ઉલ્લાસમાં હોવું.

જયારે મરિયમે કહ્યું કે “મારો આત્મા મારા પ્રભુમાં હરખાય છે,” તેણીનો કહેવાનો અર્થ “પ્રભુ મારા તારણહારે મને આનંદિત કરી છે” અથવા “ મારા તારણહાર દેવે મારા માટે જે કર્યું છે, તેથી હું ખૂબ ખુશી અનુભવું છું.”

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ શિષ્યોને સુસમાચાર આપવા દોડી.

શબ્દ માહિતી:

આનંદ કરવો, આનંદ કરે છે, આનંદી, આનંદિત

વ્યાખ્યા:

“આનંદ” જે કોઈ બાબત કોઈક વ્યક્તિને સારી પેઠે ખુશ કરે અથવા ખૂબ આનંદિત કરે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આન્દ્રિયા

સત્યો:

આન્દ્રિયા એ બારમાંનો એક માણસ હતો જેને ઈસુએ પોતાની નજીકના શિષ્યોમાંના એક તરીકે પસંદ કર્યો.(પછી તેઓ પ્રેરિતો કહેવાયા).

(જુઓ: પ્રેરિત, શિષ્ય, બાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આમ્મોન,આમ્મોની ,આમ્મોનીઓ

સત્યો:

“આમ્મોનના લોક” અથવા “આમ્મોનીઓ” ક્નાનમાંનો લોકોનો સમુદાય હતો. તેઓ બેન-આમ્મીથી ઉતરી આવેલા હતા, કે જે લોતની નાની પુત્રી દ્વારા થયેલો પુત્ર હતો. “આમ્મોનેણ” શબ્દ વિશિષ્ઠપણે આમ્મોની સ્ત્રીને દર્શાવે છે. તેનું ભાષાંતર “આમ્મોની સ્ત્રી” થઇ શકે છે. આમ્મોનીઓ યર્દન નદીની પૂર્વ ગમ રહેતા હતા, અને તેઓ ઇઝરાયેલીઓના દુશ્મનો હતા. એક સમયે આમ્મોનીઓએ ઈઝરાયેલને શ્રાપ દેવા બલામ નામનાં પ્રબોધકને ભાડે રાખ્યો, પણ દેવે તેને તેમ કરવાની મંજુરી આપી નહીં.

(જુઓ : શાપ, યર્દન નદી, લોત)

બાઈબલ ની કલમો:

શબ્દ માહિતી:

આય

સત્યો:

જુના કરારના સમયમાં આય ગામ, કનાનીઓનું એક નગર, જે બેથેલના દક્ષિણ ભાગમાં અને યરીખોથી 8 કિલોમીટર વાયવ્ય દિશામાં આવેલું હતું. યરીખોને હરાવ્યા બાદ યહોશુઆએ ઈઝરાએલીઓને આયમાં હુમલો કરવા દોર્યા. પણ તેઓનો સરળતાથી પરાજય થયો હતો, કારણકે દેવ તેમના પર ખુશ નહોતો . યરીખોમાંથી આખાન નામના એક ઈઝરાએલીએ લૂંટમાંથી કાંઈક ચોરી લીધું હતું, અને તેથી ઈશ્વરે તેને તથા તેના પરિવારને મારી નંખાવ્યા. ત્યારબાદ આયને હરાવવામાં ઈશ્વરે ઈઝરાએલીઓની મદદ કરી.

(જુઓ: બેથેલ, યરીખો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આરામ, વિશ્રામ, આરામ કરે છે, આરામ કર્યો, આરામ કરતું, બેચેન

વ્યાખ્યા:

“આરામ” કરવો શબ્દનો શાબ્દિક અર્થ હળવાશ અનુભવવા કે બળ પુનઃપ્રાપ્ત કરવા કામ કરવાનું બંધ કરવું એવો થાય છે. "the rest of" કોઈક વસ્તુની બાકી રહેલી બાબતોનો ઉલ્લેખ કરે છે. કાર્ય કરવાનું બંધ કરવું તે “આરામ” છે.

આ કામ નહીં કરવાના દિવસને “સાબ્બાથદિન” કહેવામાં આવ્યો હતો.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: શેષ, વિશ્રામવાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આરામ, વિશ્રામ, આરામ કરે છે, આરામ કર્યો, આરામ કરતું, બેચેન

વ્યાખ્યા:

“આરામ” કરવો શબ્દનો શાબ્દિક અર્થ હળવાશ અનુભવવા કે બળ પુનઃપ્રાપ્ત કરવા કામ કરવાનું બંધ કરવું એવો થાય છે. "the rest of" કોઈક વસ્તુની બાકી રહેલી બાબતોનો ઉલ્લેખ કરે છે. કાર્ય કરવાનું બંધ કરવું તે “આરામ” છે.

આ કામ નહીં કરવાના દિવસને “સાબ્બાથદિન” કહેવામાં આવ્યો હતો.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: શેષ, વિશ્રામવાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આરોપ, તહોમત મુકવું, આરોપી, તહોમત મુકવો, આરોપ મુકનાર, આરોપ મુકનારા, આરોપ મુકવો, આરોપો

વ્યાખ્યા:

શબ્દ” આરોપ “અને “આરોપ મુકવો” એનો અર્થ કોઈના પર અયોગ્ય કાર્ય કરવા બદલ મુકવામાં આવેલો દોષ . જે વ્યક્તિ આરોપ મુકે તેને “આરોપ મુકનાર” કહે છે.

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

આરોપ, તહોમત મુકવું, આરોપી, તહોમત મુકવો, આરોપ મુકનાર, આરોપ મુકનારા, આરોપ મુકવો, આરોપો

વ્યાખ્યા:

શબ્દ” આરોપ “અને “આરોપ મુકવો” એનો અર્થ કોઈના પર અયોગ્ય કાર્ય કરવા બદલ મુકવામાં આવેલો દોષ . જે વ્યક્તિ આરોપ મુકે તેને “આરોપ મુકનાર” કહે છે.

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

આશા, આશા રાખી, આશા રાખે છે

વ્યાખ્યા:

આશા એટલે કંઈક મજબૂત રીતે થાય તેવી ઈચ્છાને દર્શાવે છે. આશા એ ભવિષ્યની ઘટનાને સંબંધિત નિશ્ચિતતા અથવા અનિશ્ચિતતાને સૂચિત કરી શકે છે.

દેવે તેના લોકોને જે વચન આપ્યું છે, તે પ્રાપ્ત કરવાની ચોક્કસ અપેક્ષા દર્શાવે છે. * ક્યારેક યુએલબી (અંગ્રેજી આવૃત્તિ) મૂળ ભાષામાં આ શબ્દનું ભાષાંતર “આત્મવિશ્વાસ” તરીકે કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, આત્મવિશ્વાસ, સારું, આજ્ઞા પાળવી, ભરોસો, ઈશ્વરનો શબ્દ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશેર

સત્યો:

આશેર યાકૂબનો આઠમો દીકરો હતો. તેના વંશજો ઈઝરાએલના બાર રચાયેલા કુળમાંનો એક હતું, અને આ કુળ “આશેર” તરીકે પણ ગણાતું હતું. લેઆહની દાસી, ઝિલ્પાહ આશેરની માતા હતી. તેના નામનો અર્થ “આનંદીત” અથવા “ધન્ય.” જયારે ઈઝરાએલીઓ વચનની ભૂમિમાં પ્રવેશ્યા ત્યારે આશેરના કુળને જે મુલક સોંપ્યો તેનું નામ પણ આશેર હતું.

(આ પણ જુઓ: [ઈઝરાએલ, ઈઝરાએલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશ્ચર્યરૂપ, ભયાનકતાઓ, ભયાનક, ભયાનક રીતે, ભયભીત, ભયભીત કરવું

વ્યાખ્યા:

“આશ્ચર્યરૂપ” શબ્દ, ભય અથવા ધાસ્તીની ખૂબજ તીવ્ર લાગણીને દર્શાવે છે. વ્યક્તિ કે જે આશ્ચર્ય અનુભવે છે તેને ભયભીત કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: ડર, આતંક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આશ્રય, શરણાર્થી, શરણાર્થીઓ, આશ્રયસ્થાન, આશ્રયસ્થાનો, આશ્રય લીધેલું, આશ્રય લેતું

વ્યાખ્યા:

“આશ્રય” શબ્દ સલામતી અને સુરક્ષાની જગા અથવા પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે. “શરણાર્થી” સલામત જગા શોધનાર વ્યક્તિ છે. “આશ્રયસ્થાન” વાતાવરણ અને જોખમોથી રક્ષણ કરી શકે એવી જગાનો ઉલ્લેખ કરે છે.

તે જણાવતો હતો કે તેઓ સુરક્ષિત રહેવા જોઈએ કારણ કે તે પોતાના પરિવારના સદસ્યો તરીકે તેઓનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવતો હતો.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

આસા

સત્યો:

આસા રાજાએ, ઈસ. પૂર્વે 913 થી ઈસ. પૂર્વે 873 દરમ્યાન યહૂદાના રાજ્ય ઉપર ચાળીસ વર્ષો સુધી રાજ કર્યું હતું. આસા સારો રાજા હતો જેણે જુઠા દેવોની ઘણી મૂર્તિઓને કાઢી નાંખી, અને તે કારણે ઈઝરાએલીઓ એ ફરીથી યહોવાનું ભજન કરવાનું શરુ કર્યું. યહોવાએ આસા રાજાને બીજા દેશોની વિરુદ્ધ યુદ્ધમાં વિજય આપ્યો. પછી તેના શાસનમાં, આસા રાજાએ યહોવા પર ભરોસો રાખવાનું મૂકી દીધું અને તે એક રોગથી બિમાર પડ્યો જેણે તેનો જીવ લીધો.

(ભાષાંતરના સુચનો : નામોનું ભાષાંતર કરો

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

આહાઝ

વ્યાખ્યા:

આહાઝ યહુદિયાના રાજ્યનો એક ભૂંડો રાજા હતો, જેમાં તેણે ઈસ.પૂર્વે 732 થી 716 સુધી રાજ્ય કર્યું. આ લગભગ 140 વર્ષોના પહેલાના સમયગાળાની વાત છે કે જયારે ઈઝરાઈલના તથા યહુદિયાના ઘણા લોકોને બાબિલમાં બંદીવાનો તરીકે લઈ જવાયા હતા.

(ભાષાંતર માટેના સૂચનો: નામનું ભાષાંતર કેવી રીતે કરવું

(જુઓ: બાબિલોન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઈશ્વરના લોકો, મારા લોકો

વ્યાખ્યા:

“ઈશ્વરના લોકો” શબ્દ એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓને ઈશ્વરે પોતાની સાથે ખાસ સંબંધ રાખવા જગતમાંથી તેડ્યા છે.

ઈશ્વર પોતાના લોકોને પોતાના બાળકો પણ કહે છે.

તેમાં યહૂદીઓ અને બિનયહૂદીઓ બંનેનો સમાવેશ થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઈશ્વરનું રાજ્ય, સ્વર્ગનું રાજ્ય

વ્યાખ્યા:

"ઈશ્વરનું રાજ્ય" અને "સ્વર્ગનું રાજ્ય" બંને શબ્દો ઈશ્વરના લોકો અને સર્વ સર્જન પર તેમના શાસન અને સત્તાનો ઉલ્લેખ કરે છે.

ઈસુ, ઈશ્વરના દીકરા, મસીહા છે જે ઈશ્વરના રાજ્ય પર સદાકાળ રાજ કરશે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, સ્વર્ગ, રાજા, રાજ્ય, યહુદીઓનો રાજા, રાજ કરવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

હા, સોયના નાકામાથી ઊંટને પસાર થવું સહેલું છે ધનવાન માણસના પ્રવેશવા કરતાં ઈશ્વરના રાજયમાં."

ઉદાહરણ તરીકે એમણે કહ્યું, " ઈશ્વરનું રાજ્ય એ રાઈના દાણા જેવુ છે જે કોઇકે તેના ખેતરમાં વાવ્યું."

બીજા કોઈક માણસને તે ખજાનો મળ્યો અને તેણે પણ દાટી દીધો."

શબ્દ માહિતી:

ઈશ્વરનો દીકરો, દીકરો

તથ્યો:

“ઈશ્વરનો દીકરો” શબ્દ ઈસુનો ઉલ્લેખ કરે છે, ઈશ્વરનો શબ્દ, કે જે માનવ બનીને આ જગતમાં આવ્યાં. તેમને ઘણીવાર “દીકરા” તરીકે પણ સંબોધવામાં આવે છે.

ઈસુએ ઈશ્વરના દીકરા છે તે માટે, તેઓ તેમના પિતાને પ્રેમ કરે છે અને તેમને આધીન થાય છે, અને તેમના પિતા તેમને પ્રેમ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ખ્રિસ્ત, પૂર્વજ, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, ઈસુ, દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઈશ્વરભક્ત

તથ્યો:

“ઈશ્વરભક્ત” શબ્દપ્રયોગ યહોવાના પ્રબોધકને માનપૂર્વક સંબોધવાની રીત છે. તેનો ઉપયોગ યહોવાના દૂતનો ઉલ્લેખ કરવા પણ થાય છે.

(આ પણ જૂઓ: દેવદૂત, માન, પ્રબોધક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો:

ઈસુ દેવનો પુત્ર છે. “ઈસુ” ના નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે કે જેનો અર્થ “અભિષિક્ત” અને મસીહા માટેનો બીજો શબ્દ છે.

આ નામો દેવનો પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યો છે.

એક દૂત દ્વારા તેની માતાને તેને “ઈસુ” કહેવા કહ્યું હતું કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલો હતો.

ભાષાંતરના સૂચનો:

ઉદાહરણ તરીકે, “જેસુખ્રીસ્તો,” “યેસસખ્રીસ્તુસ,” અને “હેસુખ્રીસ્તો” એ રીતે આ નામોનું અલગ અલગ ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: ખ્રિસ્ત, દેવ, ઈશ્વરપિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, તારણહાર, ઈશ્વરનો દીકરો)

બાઇબલના કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”

તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યો!

શબ્દ માહિતી:

ઉચ્ચસ્થાન, ઉચ્ચસ્થાનો

વ્યાખ્યા:

“ઉચ્ચસ્થાનો” શબ્દ વેદીઓ અને દેવળોને દર્શાવે છે કે તેઓ મૂર્તિઓની પૂજા કરવા માટે વાપરવામાં આવતા હતા. સામાન્ય રીતે તેઓને ઉચ્ચ જમીન પર બાંધવામાં આવતા હતા, જેવા કે ટેકરા ઉપર અથવા પર્વત ની બાજુ પર આવેલા હોય.

આ બાબતે લોકોને ઊંડી રીતે મૂર્તિઓની પૂજા કરવા માટે સામેલ કરીને દોરવણી આપી.

ભાષાંતરના સૂચનો:

બીજી રીતે આ શબ્દના ભાષાંતર કરવામાં આવે તો તેમાં, “મૂર્તિપૂજા માટે ઊંચા કરેલા સ્થાનો” અથવા “પર્વતો ઉપરના મૂર્તિ દેવળો” અથવા “મૂર્તિ વેદીઓના ટેકરા” જેવા શબ્દોનો સમાવેશ કરીને (ભાષાંતર) કરી શકાય છે.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દેવ, ઉપાસના)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઉપવાસ, ઉપવાસ કરે છે, ઉપવાસ કર્યા, ઉપવાસ, ઉપવાસો

વ્યાખ્યા:

“ઉપવાસ” શબ્દનો અર્થ થોડા સમય, જેમેકે એક દિવસ અથવા વધુ સમય માટે ખાવાનું બંધ કરવું.

ક્યારેક તેમાં (કોઈ પીણું) ના પીવાનો પણ સમાવેશ થાય છે.

તેઓએ ઉપવાસ કર્યા જેથી બીજાઓ વિચારે કે તેઓ પ્રામાણિક હતા.

(આ પણ જુઓ: યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઉર

તથ્યો:

ખાલદીના પ્રાચીન પ્રદેશમાં યુફ્રેટિસ નદી પર ઉર મહત્વનું શહેર હતું, જે મેસોપોટેમિયાનો ભાગ હતો. આ પ્રદેશ જે હવે આધુનિક સમયનો ઇરાક દેશ છે તેમાં આવેલું હતું.

આ કદાચ એક પરિબળ હતું જેના પર લોતને ઇબ્રાહિમ સાથે ઉર છોડવા માટે પ્રભાવિત કર્યો હતો.

)આ પણ જુઓ: ઈબ્રાહિમ, કનાન, કાસ્દી, ફ્રાત નદી, હારાન, લોત, મેસોપોતામિયા)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

ઉર

તથ્યો:

ખાલદીના પ્રાચીન પ્રદેશમાં યુફ્રેટિસ નદી પર ઉર મહત્વનું શહેર હતું, જે મેસોપોટેમિયાનો ભાગ હતો. આ પ્રદેશ જે હવે આધુનિક સમયનો ઇરાક દેશ છે તેમાં આવેલું હતું.

આ કદાચ એક પરિબળ હતું જેના પર લોતને ઇબ્રાહિમ સાથે ઉર છોડવા માટે પ્રભાવિત કર્યો હતો.

)આ પણ જુઓ: ઈબ્રાહિમ, કનાન, કાસ્દી, ફ્રાત નદી, હારાન, લોત, મેસોપોતામિયા)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

ઉરિયા

તથ્યો:

ઊરિયા એક પ્રામાણિક માણસ હતો અને રાજા દાઉદના શ્રેષ્ઠ સૈનિકોમાંનો એક હતો. તેને ઘણીવાર "ઊરિયા હિત્તી" તરીકે ઓળખવામાં આવે છે.

દાઊદે ઊરિયાની પત્ની સાથે વ્યભિચાર કર્યો, અને તે દાઉદના બાળક સાથે ગર્ભવતી થઈ.

પછી દાઉદે બાથશેબા સાથે લગ્ન કર્યા.

(આ પણ જુઓ: આહાઝ, બાથ-શેબા, દાઉદ, હિત્તી)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પરંતુ ઊરિયા એ ઘરે જવાનો ઇનકાર કર્યો જ્યારે બાકીના સૈનિકો યુદ્ધમાં હતા. તેથી દાઉદે ઊરિયાને યુદ્ધમાં પાછો મોકલ્યો અને સેનાપતિને કહ્યું કે દુશ્મન મજબૂત હોય ત્યાં તેને રાખવો, જેથી તે માર્યા જાય.

શબ્દ માહિતી:

ઉલ્લંઘન, ઉલ્લંઘનો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"ઉલ્લંઘન" શબ્દનો અર્થ આદેશ, નિયમ અથવા નૈતિક કોડને તોડવા એવો થાય છે. "ઉલ્લંઘન" કરવું એટલે "નિયમભંગ" કરવું.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: પાપ, અપરાધ, અન્યાય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઉલ્લંઘન, ઉલ્લંઘનો, ઉલ્લંઘન

વ્યાખ્યા:

"ઉલ્લંઘન" શબ્દનો અર્થ આદેશ, નિયમ અથવા નૈતિક કોડને તોડવા એવો થાય છે. "ઉલ્લંઘન" કરવું એટલે "નિયમભંગ" કરવું.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: પાપ, અપરાધ, અન્યાય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઊંચામાં, પરમ ઊંચામાં

વ્યાખ્યા:

“ઊંચામાં” અને “પરમ ઊંચામાં” શબ્દો એવી અભિવ્યક્તિઓ છે જેનો અર્થ સામાન્ય રીતે “સ્વર્ગમાં” એવો થાય છે.

તે સંદર્ભમાં તેનો અનુવાદ “આકાશમાં ઊંચે” અથવા તો “એક ઊંચા ઝાડની ટોચે” તરીકે કરી શકાય.

(આ પણ જૂઓ: સ્વર્ગ, માન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઊંટ, ઊંટો

વ્યાખ્યા:

ઊંટ એ મોટું, ચાર પગવાળું પ્રાણી છે, તેની પીઠ ઉપર એક અથવા બે ખૂંધ હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: બોજો, શુદ્ધ)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

ઊંટ, ઊંટો

વ્યાખ્યા:

ઊંટ એ મોટું, ચાર પગવાળું પ્રાણી છે, તેની પીઠ ઉપર એક અથવા બે ખૂંધ હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: બોજો, શુદ્ધ)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

એલિયા

સત્યો:

એલિયા એ યહોવાના સૌથી મહત્વના પ્રબોધકોમાંનો એક હતો. એલિયા એ ઈઝરાએલ અને યહૂદાના કેટલાક રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી, જેમાં આહાબ રાજાનો પણ સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રબોધક, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

એસાવ

સત્યો:

એસાવ એ ઈસહાક અને રિબકાના જોડિયા દીકરાઓમાંનો એક હતો. તે તેઓનું જન્મેલું પ્રથમ બાળક હતું. યાકૂબ તેનો જોડિયો ભાઈ હતો.

પરંતુ યાકૂબે તે આશીર્વાદ તેના બદલે તેને મળે માટે ઈસહાક સાથે બનાવટ કરી. એસાવ શરુઆતમાં તેના પર ખુબજ ગુસ્સે હતો કે તે યાકૂબને મારી નાખવા માંગતો હતો, પણ પછી તેણે તેને માફ કરી દીધો.

(આ પણ જુઓ: અદોમ, ઈસહાક, ઈઝરાએલ, રિબકા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઐચ્છિકાર્પણ, ઐચ્છિકાર્પણો

વ્યાખ્યા:

ઐચ્છિકાર્પણ એ દેવને આપવામાં આવતું એક પ્રકારનું બલિદાન હતું કે જેને મૂસાના નિયમ દ્વારા કરવું જરૂરી નહોતું. આ અર્પણ આપવું તે વ્યક્તિની પોતાની પસંદગીની બાબત હતી.

આ અર્પણમાં સોના અને ચાંદીના પૈસા, તેમજ વાટકીઓ અને સોના અને ચાંદીમાંથી બનાવેલી અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: દહનાર્પણ, એઝરા, મિજબાની, ખાદ્યાર્પણ, દોષાર્થાર્પણ, નિયમ/કાયદો/કાનૂન, પાપાર્થાપણ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કચરો, કચરો, વેડફાયેલું, બરબાદી, પડતર જમીન, પડતર જમીનો

વ્યાખ્યા:

કંઈક બગાડવાનો અર્થ છે બેદરકારીથી તેને ફેંકી દેવું અથવા તેનો ઉપયોગ અયોગ્ય રીતે કરવો. "પડતર જમીન" અથવા "કચરો" કંઈક એવી જમીન અથવા એક શહેરનો ઉલ્લેખ કરે છે કે જેનો એવો નાશ કરવામાં આવ્યો હોય તેથી હવે તેમાં કંઇ ન રહે.

જે વ્યક્તિ બીમાર રહેતી હોય છે તે બીમારી અથવા ખોરાકની અછતને લીધે સામાન્ય રીતે ખૂબ જ પાતળું બની જાય છે.

પરંતુ પડતર જમીન એ પણ સૂચવે છે કે લોકો ત્યાં રહેતા હતા અને જમીન પર વૃક્ષો અને છોડ હતાં જે ખોરાક ઉત્પન્ન કરતા હતાં.

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

કઠણ, વધારે કઠણ, એકદમ સખત, કઠણ કરવું, કઠણ કરે છે, કઠણ કરેલુ, સખ્તાઇ, કઠિનતા

વ્યાખ્યા:

સંદર્ભ પર આધારિત, “કઠણ” શબ્દના કેટલાક અલગ અલગ અર્થો હોય છે. સામાન્ય રીતે તે એવી કાંઇક બાબત દર્શાવે છે કે જે મુશ્કેલ, સતત ચાલુ, અથવા અતિ કઠોર હોય.

આ અભિવ્યક્તિઓ લોકો કે જેઓ સતત દેવનો અનાદર કરે છે તે વર્ણવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, હ્રદય, મજૂરી, અક્કડ ગરદન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કનાન, કનાની, કનાનીઓ

સત્યો:

કનાન હામનો દીકરો હતો, કે જે નુહના દીકરાઓમાંનો એક હતો. કનાનીઓ એ કનાનના વંશજો હતા.

તેની સરહદ દક્ષિણમાં મિસરની સુધી અને ઉત્તરે અરામની સરહદ સુધી વિસ્તરેલી છે.

દેવે ઈબ્રાહીમ અને તેના વંશજો, ઈઝરાએલીઓને કનાનની ભૂમિ આપવાનું વચન આપ્યું.

(આ પણ જુઓ: હામ, વચનનો દેશ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો

આ બધી જમીન જે તું જુએ છે તે હું તને અને તારા વંશજોને વારસા તરીકે આપીશ.”

શબ્દ માહિતી:

કનાન, કનાની, કનાનીઓ

સત્યો:

કનાન હામનો દીકરો હતો, કે જે નુહના દીકરાઓમાંનો એક હતો. કનાનીઓ એ કનાનના વંશજો હતા.

તેની સરહદ દક્ષિણમાં મિસરની સુધી અને ઉત્તરે અરામની સરહદ સુધી વિસ્તરેલી છે.

દેવે ઈબ્રાહીમ અને તેના વંશજો, ઈઝરાએલીઓને કનાનની ભૂમિ આપવાનું વચન આપ્યું.

(આ પણ જુઓ: હામ, વચનનો દેશ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો

આ બધી જમીન જે તું જુએ છે તે હું તને અને તારા વંશજોને વારસા તરીકે આપીશ.”

શબ્દ માહિતી:

કન્યા, કન્યાઓ,કન્યા વિશે

વ્યાખ્યા:

કન્યા લગ્ન સમાંરભ માં સ્ત્રી છે કે જે તેણીના પતિ સાથે લગ્ન કરી રહી છે, જે વરરાજા છે.

(જુઓ : રૂપક

(આ પણ જુઓ: વરરાજા, મંડળી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કબર, કબર ખોદનારા, કબરો, કબર, કબરો, દફનાવવાનું સ્થળ

વ્યાખ્યા:

"કબર" અને "કબર” શબ્દો એવી જગ્યા છે જ્યાં લોકો મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિના શરીરને મૂકે છે તેનો ઉલ્લેખ કરેછે. "દફનવિધિ" એ વધુ સામાન્ય શબ્દ છે જેનો સંદર્ભ પણ આ છે.

(આ પણ જુઓ: દફનાવવું, મરી જવું)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

તેઓએ તેને કહ્યું, " કબર માં આવો અને જુઓ."

તેઓએ તેમના શરીરને કાપડમાં લપેટીને અને તેને ખડકમાંથી ખોદેલી કબર માં મૂક્યા. પછી તેઓએ કબર __ આગળ એક મોટો પથ્થર ગબડાવી દીધો.

કબરનું રક્ષણ કરતા સૈનિકો ડરી ગયા હતા અને મૂએલા જેવા જમીન પર પડી ગયા હતા.

ઈસુ અહીં નથી. જેમ તેમણે જણાવ્યું હતું તેમ, તે મરણમાંથી ઉઠ્યા છે! કબરમાં જુઓ અને નિહાળો." સ્ત્રીઓ કબર માં જોયું અને નિહાળ્યું કે જ્યાં ઈસુનું શરીર મૂકવામાં આવ્યું હતું. તેનું શબ ત્યાં ન હતું!

શબ્દ માહિતી:

કબર, કબર ખોદનારા, કબરો, કબર, કબરો, દફનાવવાનું સ્થળ

વ્યાખ્યા:

"કબર" અને "કબર” શબ્દો એવી જગ્યા છે જ્યાં લોકો મૃત્યુ પામ્યા હોય તેવા વ્યક્તિના શરીરને મૂકે છે તેનો ઉલ્લેખ કરેછે. "દફનવિધિ" એ વધુ સામાન્ય શબ્દ છે જેનો સંદર્ભ પણ આ છે.

(આ પણ જુઓ: દફનાવવું, મરી જવું)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

તેઓએ તેને કહ્યું, " કબર માં આવો અને જુઓ."

તેઓએ તેમના શરીરને કાપડમાં લપેટીને અને તેને ખડકમાંથી ખોદેલી કબર માં મૂક્યા. પછી તેઓએ કબર __ આગળ એક મોટો પથ્થર ગબડાવી દીધો.

કબરનું રક્ષણ કરતા સૈનિકો ડરી ગયા હતા અને મૂએલા જેવા જમીન પર પડી ગયા હતા.

ઈસુ અહીં નથી. જેમ તેમણે જણાવ્યું હતું તેમ, તે મરણમાંથી ઉઠ્યા છે! કબરમાં જુઓ અને નિહાળો." સ્ત્રીઓ કબર માં જોયું અને નિહાળ્યું કે જ્યાં ઈસુનું શરીર મૂકવામાં આવ્યું હતું. તેનું શબ ત્યાં ન હતું!

શબ્દ માહિતી:

કમર

વ્યાખ્યા:

"કમર" શબ્દનો ઉલ્લેખ પ્રાણી અથવા વ્યક્તિના શરીરના ભાગનો થાય છે જે નીચલા પાંસળી અને હિપ હાડકા વચ્ચે હોય છે, જેને નીચલા પેટ તરીકે પણ ઓળખાય છે.

તે સરળતા સાથે આગળ વધવા માટે કમરની ફરતે બેલ્ટમાં એકના ઝભ્ભાના તળિયાને ટકવાની રીતમાંથી આવે છે.

(જુઓ: સૌમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું,બાંધવું,સંતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કમર

વ્યાખ્યા:

"કમર" શબ્દનો ઉલ્લેખ પ્રાણી અથવા વ્યક્તિના શરીરના ભાગનો થાય છે જે નીચલા પાંસળી અને હિપ હાડકા વચ્ચે હોય છે, જેને નીચલા પેટ તરીકે પણ ઓળખાય છે.

તે સરળતા સાથે આગળ વધવા માટે કમરની ફરતે બેલ્ટમાં એકના ઝભ્ભાના તળિયાને ટકવાની રીતમાંથી આવે છે.

(જુઓ: સૌમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું,બાંધવું,સંતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરા, (સલામ) બરફના કરાં, કરાનું તોફાન

સત્યો:

સામાન્ય રીતે આ શબ્દ થીજેલા પાણીના ગઠ્ઠાને દર્શાવે છે કે જે આકાશમાંથી નીચે પડે છે. જોકે અંગ્રેજીમાં, અલગ શબ્દની સમાન જોડણી છે, પણ તેનો બીજો શબ્દ “સલામ” પણ થાય છે જેનો અર્થ કોઈને સલામ પાઠવવી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરાર, કરારો, નવો કરાર

વ્યાખ્યા:

કરાર એ બે પક્ષો વચ્ચે બંધાયેલ ઔપચારિક સંમતિ છે કે જે એક અથવા બંને પક્ષોએ પરિપૂર્ણ કરવું જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જયારે દેવે માનવજાત સાથે તેનો કરાર સ્થાપિત કરી વચન આપ્યું કે, તે પૃથ્વીનો નાશ જળપ્રલયથી કદી કરશે નહીં, આ વચનને પરિપૂર્ણ કરવા લોકો માટે કોઈ શરત નહોતી.

જૂનાકરાર હેઠળ બલિદાનો કરવામાં આવતા હતા તે આ કરવામાં અસમર્થ હતા. જેઓ ઈસુના વિશ્વાસીઓ બને છે, તેઓના હ્રદય પર દેવ નવો કરાર લખે છે. આ તેઓને દેવને આધીન થવા અને પવિત્ર જીવનો જીવવાનું શરૂ કરવા મદદ કરે છે.

જયારે દેવે પ્રથમ દુનિયાને રચી હતી તેમ બધું ફરીથી ખૂબજ સારું થઇ જશે.

ભાષાંતરના સૂચનો:

જો કરાર એક તરફી હોય તો તેનું ભાષાંતર “વચન” અથવા “પ્રતિજ્ઞા” તરીકે કરી શકાય.

બધાંજ કિસ્સાઓમાં દેવ અને લોકો વચ્ચેના કરારોમાં, દેવે કરાર શરૂઆત કરી હતી.

(આ પણ જુઓ: કરાર, વચન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ _નવા કરાર_ની શરૂઆત કરશે.

નવા કરાર ને કારણે, દરેક વ્યક્તિ કોઇપણ લોકદળમાંથી ઈસુમાં વિશ્વાસ કરી દેવના લોકોનો હિસ્સો બની શકે છે.

શબ્દ માહિતી:

કરારકોશ, યહોવાનો કોશ

વ્યાખ્યા:

આ શબ્દો વિશેષ લાકડાંની પેટી, સોનાથી મઢેલી, કે જેમાં બે શિલાપાટીઓ જેની ઉપર દસ આજ્ઞાઓ લખેલી છે તેનો સમાવેશ થાય છે. તેમાં માન્નાનું પાત્ર અને હારુનની લાકડીનો સમાવેશ થાય છે.

તે સમય દરમ્યાન જયારે કરારકોશ મંદિરના પરમપવિત્રસ્થાન હતો, ત્યારે ફક્ત મુખ્યયાજક વર્ષમાં એક જ વાર પ્રાયશ્ચિતના દિવસે તે કરારકોશ પાસે જઈ શકતો હતો. ઘણી અંગ્રેજી આવૃત્તિઓમાં, આ શબ્દ “કરારની આજ્ઞાઓ” નો શાબ્દિક અર્થ “સાક્ષી” થઇ શકે છે. આ સત્ય છે કે દસ આજ્ઞાઓ, દેવના તેના લોકોની સાથે કરવામાં કરાર, જે પુરાવો અથવા સાક્ષી સમાન હતા.

(આ પણ જુઓ: વહાણ, કરાર, પ્રાયશ્ચિત, પવિત્ર સ્થાન, જુબાની)

શબ્દ માહિતી:

કરુણા, કરુણામય

વ્યાખ્યા:

કરુણા શબ્દ ખાસ કરીને તેઓ માટે કે જેઓ પીડાય છે, તે લોકો માટે ચિંતાની લાગણી થાય તેને દર્શાવે છે. “કરુણામય” વ્યક્તિ અન્ય લોકો વિશે કાળજી લે છે અને તેઓને મદદ કરે છે. સામાન્ય રીતે “કરુણા” શબ્દ, લોકોની જરૂરિયાત વિશે સંભાળ લેવી, તેમજ તેઓને મદદ કરવા માટે કાર્ય કરે છે.

તે તેઓને લોકોની સંભાળ વિશે અને જેઓ જરૂરીયાતમાં છે તેઓને સક્રિય રીતે મદદ કરવા સૂચના આપે છે.

ભાષાંતર માટેના સૂચનો:

આ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ “દયા” અથવા “દયાભાવ” થાય છે. બીજી ભાષાઓમાં તેના અર્થ માટે તેઓની પોતાની અભિવ્યક્તિ હોઈ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કસોટી, કસોટીઓ, કસોટી પામેલ

વ્યાખ્યા:

શબ્દ " કસોટી " એક મુશ્કેલ અથવા પીડાદાયક અનુભવનો ઉલ્લેખ કરે છે જે વ્યક્તિની શક્તિ અને નબળાઈઓ દર્શાવે છે.

આ એક ચિત્ર છે કે ઈશ્વર કેવી રીતે પોતાના લોકોની કસોટી માટે પીડાદાયક સંજોગોનો ઉપયોગ કરે છે.

તે સર્વશક્તિમાન, પવિત્ર ઈશ્વર છે, જે સર્વશ્રેષ્ઠ અને દરેકની ઉપર છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: લલચાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કાઈન

સત્યો:

બાઈબલમાં કાઈન અને તેનો ભાઈ હાબેલને આદમ અને હવાના પ્રથમ દીકરાઓ તરીકે ઉલ્લેખવામાં છે.

(આ પણ જુઓ: આદમ, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કાદેશ, કાદેશ-બાર્નેઆ, મરીબાથ કાદેશ

તથ્યો:

સર્વ નામો કાદેશ, કાદેશ-બાર્નેઆ, મરીબાથ કાદેશ ઈઝરાયેલના ઇતિહાસના મહત્વના શહેર જે અદોમના પ્રદેશ નજીક ઈઝરાયેલના દક્ષિણ ભાગ પર સ્થિત હતું તેનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જુઓ: રણ, અદોમ, પવિત્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કામો, કાર્યો, કાર્ય, કૃત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં "કામ", "કાર્યો" અને "કૃત્યો" શબ્દો સામાન્ય રીતે વસ્તુઓ ઈશ્વર અથવા લોકો કરે છે સંદર્ભ માટે ઉપયોગ થાય છે.

"કાર્યો" અને "કૃત્યો" શબ્દો નો ઉપયોગ "ચમત્કારી કૃત્યો" અથવા "અદ્દભુત કાર્યો" જેવા અભિવ્યક્તિઓમાં દેવના ચમત્કારોનો ઉલ્લેખ કરવા માટે થાય છે.

બાઇબલ પણ ઈશ્વરને "કામ કરનાર તરીકે" ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રભુમાં તમારા કામ" શબ્દનું ભાષાંતર "ઇશ્વર માટે તમે કરો છો તે" તેનું ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: ફળ, પવિત્ર આત્મા, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કાયાફા

સત્યો:

યોહાન બપ્તિસ્મી અને ઈસુના સમય દરમ્યાન કાયાફા ઈઝરાએલનો પ્રમુખ યાજક હતો. ઈસુની કસોટી અને દંડાજ્ઞા ફરવામાં કાયાફા એ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

દેવે તેને ભવિષ્યવાણી તરીકે લઈને, ઈસુ વિશે કેવી રીતે મરીને તેના લોકોને બચાવશે તે કહેવાનું કારણ આપ્યું.

(આ પણ જુઓ: અન્નાસ, પ્રમુખ યાજક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કાલેબ

સત્યો:

કાલેબ બાર ઈઝરાએલી જાસૂસોમાંનો એક હતો, જેને મૂસાએ કનાનની ભૂમિની તપાસ કરવા મોકલવામાં આવ્યો હતો.

તેને ખબર હતી કે જે લોકો ત્યાં રહે છે તેઓનો પરાજય કરવા ઈશ્વર તેને મદદ કરશે.

(આ પણ જુઓ: હેબ્રોન, યહોશુઆ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણે તે માણસોને સૂચના આપી કે જાઓ અને જઈને જાસુસી કરો કે તે કેવી જમીન છે.

દેવ આપણા માટે લડશે!"

જેથી તેઓ તે જગ્યામાં શાંતિથી રહી શક્યા.

શબ્દ માહિતી:

કુટુંબ, કબીલો, લોહીના સંબંધવાળું, સગાસંબંધીઓ, સગા, સગાઓ

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ વ્યક્તિના લોહીના સંબંધ, જુથ તરીકેનો ઉલ્લેખ કરે છે. “સગા” સ્પષ્ટપણે પુરુષ સંબંધીનો ઉલ્લેખ કરે છે.

આ સંબંધીને “સગા-ઉધ્ધારક” કહેવામા આવતા હતા.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કુટુંબ, કુટુંબો

વ્યાખ્યા:

“કુટુંબ” શબ્દ એવા લોકોના જૂથને દર્શાવે છે કે, જેઓ લોહીથી સબંધિત અને સામાન્ય રીતે પિતા, માતા, અને તેઓના બાળકોનો સમાવેશ થાય છે. મોટેભાગે તેમાં અન્ય સંબંધીઓ જેવા કે દાદા-દાદી, પૌત્ર –પુત્રીઓ, કાકાઓ-કાકીઓનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: કુળ, પૂર્વજ, ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુમારિકા, કુમારિકાઓ કૌમાર્ય

વ્યાખ્યા:

કુમારિકા એક સ્ત્રી છે જેણે ક્યારેય જાતીય સંબંધો કર્યા નથી.

તેમને માનવ પિતા ન હતા.

(જુઓ: [સૌમ્યોક્તિ[

(આ પણ જુઓ: [ખ્રિસ્ત[યશાયાહ, ખ્રિસ્ત, યશાયા)

બાઇબલ સંદર્ભો

બાઇબલ વાર્તાઓનાં ઉદાહરણો:

તેથી જ્યારે તે હજુ પણ કુમારિકા હતી, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેને ઈસુ નામ આપ્યું.

શબ્દ માહિતી:

કુરેની

સત્યો:

કુરેની ગ્રીક શહેર હતું, જે આફ્રિકાના ઉત્તર કિનારા ઉપર ભૂમધ્ય સમુદ્ર પર, જે ક્રિત ટાપુથી સીધું દક્ષિણ તરફ આવેલું હતું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ક્રીત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુળ, કુળો

વ્યાખ્યા:

“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.

આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુળ, કુળો

વ્યાખ્યા:

“કુળ” શબ્દ, એક જ પૂર્વજમાંથી વિસ્તરેલા કુટુંબના સભ્યોનું જૂથ તે દર્શાવે છે.

આ ઉદાહરણ છે જયારે મૂસાના સસરા યિથ્રોને ક્યારેક તેના કુળના નામ, રેઉલથી ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: કુટુંબ, યિથ્રો, જાતિ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કુહાડી, કુહાડીઓ

વ્યાખ્યા:

કુહાડી એક હથિયાર છે, જે લાકડું અથવા વૃક્ષો કાપવા અથવા ચીરવા માટે વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કૃપા, કૃપાળુ

વ્યાખ્યા:

“કૃપા” શબ્દ મદદ અથવા વરદાન છે કે જે કોઈને આપવામાં આવે છે કે જે તેને કમાવ્યું નથી. “કૃપાળુ” શબ્દ કોઈ કે જે બીજાઓ માટે કૃપા બતાવે છે તેનું વર્ણન કરે છે.

“કૃપા મેળવવી” એ એક અભિવ્યક્તિ છે કે જેનો અર્થ દેવ તરફથી દયા અને મદદ મેળવવી. મોટેભાગે તે શબ્દના અર્થમાં દેવ કોઈ વ્યક્તિથી ખુશ છે અને તેને મદદ કરે છે, તેવી બાબતનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

કોપ, ક્રોધ

વ્યાખ્યા:

ક્રોધ એ તીવ્ર ગુસ્સો છે જે ક્યારેક લાંબો સમય ચાલે છે. તે ખાસ કરીને પાપના ઈશ્વરના ન્યાયી ચુકાદા અને તેમની વિરુદ્ધ બળવાખોર લોકોની સજાને દર્શાવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઈશ્વરનો કોપ ન્યાયી અને પવિત્ર છે.

(આ પણ જુઓ: ન્યાયાધીશ, પાપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, ક્રોધ

વ્યાખ્યા:

ક્રોધ એ તીવ્ર ગુસ્સો છે જે ક્યારેક લાંબો સમય ચાલે છે. તે ખાસ કરીને પાપના ઈશ્વરના ન્યાયી ચુકાદા અને તેમની વિરુદ્ધ બળવાખોર લોકોની સજાને દર્શાવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઈશ્વરનો કોપ ન્યાયી અને પવિત્ર છે.

(આ પણ જુઓ: ન્યાયાધીશ, પાપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, કોપિત થાય છે, કોપ કર્યો, કોપિત

તથ્યો:

કોપ એ અતિશય ગુસ્સો છે કે જે નિયંત્રણની બહાર હોય છે. જ્યારે કોઈ કોપિત થાય છે ત્યારે, તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ પોતાનો ગુસ્સો વિનાશકારી રીતે પ્રદર્શિત કરે છે.

(આ પણ જૂઓ: ગુસ્સો, સંયમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

કોપ, કોપિત થાય છે, કોપ કર્યો, કોપિત

તથ્યો:

કોપ એ અતિશય ગુસ્સો છે કે જે નિયંત્રણની બહાર હોય છે. જ્યારે કોઈ કોપિત થાય છે ત્યારે, તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ પોતાનો ગુસ્સો વિનાશકારી રીતે પ્રદર્શિત કરે છે.

(આ પણ જૂઓ: ગુસ્સો, સંયમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખંડણી

વ્યાખ્યા:

" ખંડણી " શબ્દનો અર્થ, રક્ષણના હેતુસર અને તેમના દેશો વચ્ચે સારા સંબંધો માટે એક શાસક પાસેથી અન્ય શાસક માટે ભેટ એવો થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

સંદર્ભના આધારે, " ખંડણી "નું ભાષાંતર "અધિકૃત ભેટો" અથવા "વિશિષ્ટ કર" અથવા "જરૂરી ચુકવણી" તરીકે કરી શકાય છે.

(આ પણ જુઓ: સોનુ, રાજા, રાજ, વેરો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખજૂરી, ખજૂરીઓ

વ્યાખ્યા:

“ખજૂરી” શબ્દ એક પ્રકારના ઊંચા, લાંબી લચીલી પાંદડાવાળી ડાળીઓ ધરાવતા વૃક્ષનો ઉલ્લેખ કરે છે. આ ડાળીઓ ઉપરથી એક પંખા આકારે ફેલાયેલી હોય છે.

તેના પાંદડા પીંછા સમાન હોય છે.

તેમના પાંદડા બારે માસ લીલા રહે છે.

(આ પણ જૂઓ: ગધેડો, યરૂશાલેમ, શાંતિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખમીર, ખમીર, ખમીર, ખમીર, બેખમીર

વ્યાખ્યા:

" ખમીર " એક સામાન્ય શબ્દ છે જે રોટલીના કણકને ફૂલાવવા અને વધવા માટેનું કારણ બને છે. "યીસ્ટ" ચોક્કસ પ્રકારનું ખમીર છે.

ખમીરને કણકમાં ભેળવવામાં આવે છે, જેથી તે સમગ્ર કણકમાં ફેલાઇ જાય.

કણકના પહેલાના બેચમાંથી કણકની થોડી માત્રાને આગામી બેચ માટે ખમીર તરીકે સાચવવામાં આવતું હતું.

આની યાદગીરી તરીકે, દર વર્ષે યહુદી લોકો બેખમીર રોટલી ખાઈને પાસ્ખાપર્વ ઉજવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"ઉભારવું" શબ્દ "વિસ્તૃત" અથવા "મોટી બનો" અથવા "ફૂલાવવું" તરીકે વ્યક્ત કરી શકાય છે.

જો ભાષામાં જાણીતો, સામાન્ય શબ્દ હોય જેનો અર્થ "ખમીર", થાય, તો તેનો ઉપયોગ કરવા માટે શ્રેષ્ઠ શબ્દ હશે. આ પણ જુઓ: મિસર, પાસ્ખા, બેખમીર રોટલી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખમીર, ખમીર, ખમીર, ખમીર, બેખમીર

વ્યાખ્યા:

" ખમીર " એક સામાન્ય શબ્દ છે જે રોટલીના કણકને ફૂલાવવા અને વધવા માટેનું કારણ બને છે. "યીસ્ટ" ચોક્કસ પ્રકારનું ખમીર છે.

ખમીરને કણકમાં ભેળવવામાં આવે છે, જેથી તે સમગ્ર કણકમાં ફેલાઇ જાય.

કણકના પહેલાના બેચમાંથી કણકની થોડી માત્રાને આગામી બેચ માટે ખમીર તરીકે સાચવવામાં આવતું હતું.

આની યાદગીરી તરીકે, દર વર્ષે યહુદી લોકો બેખમીર રોટલી ખાઈને પાસ્ખાપર્વ ઉજવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"ઉભારવું" શબ્દ "વિસ્તૃત" અથવા "મોટી બનો" અથવા "ફૂલાવવું" તરીકે વ્યક્ત કરી શકાય છે.

જો ભાષામાં જાણીતો, સામાન્ય શબ્દ હોય જેનો અર્થ "ખમીર", થાય, તો તેનો ઉપયોગ કરવા માટે શ્રેષ્ઠ શબ્દ હશે. આ પણ જુઓ: મિસર, પાસ્ખા, બેખમીર રોટલી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખરી, ખરીઓ, પ્રાણીઓની ખરીઓ

સત્યો:

આ શબ્દો પગની નીચેના કઠણ ભાગને કે જે ચોક્કસ પ્રાણીઓ જેવા કે, ઊંટો, ઢોર, હરણ, ઘોડા, ગધેડા, ડુક્કરો, બળદો, ઘેટાં, અને બકરાંના પગોના નીચેના ભાગને દર્શાવે છે.

તેમાં ઢોર, ઘેટાં, હરણ, અને બળદોનો સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: ઊંટ, ગાય, ગધેડો, બકરી, ભૂંડ, ઘેટી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખાડો, ખાડા, જોખમ

વ્યાખ્યા:

ખાડો એ એક ઊંડું કાણું છે કે જેને જમીનમાં ખોદીને પાડવામાં આવ્યું છે.

કેટલીક વાર તે “પાતાળ (શેઓલ)” નો ઉલ્લેખ પણ કરી શકે.

(આ પણ જૂઓ: પાતાળ [શેઓલ](../kt/hades.md), નર્ક, જેલ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખૂણાનો મુખ્ય પથ્થર, ખૂણાના મુખ્ય પથ્થરો

વ્યાખ્યા:

“ખૂણાનો મુખ્ય પથ્થર” શબ્દ મોટો પથ્થર કે, જે વિશેષ રીતે કાપીને મકાનના પાયાના ખૂણામાં મુકવામાં આવેલો હોય છે, તેને દર્શાવે છે.

જે રીતે ખૂણાનો મુખ્ય પત્થર આખા મકાનને આધાર આપે છે અને તેની સ્થિતિ નક્કી કરેછે, તેવી રીતે ઈસુ ખ્રિસ્ત ખૂણાનો મુખ્ય પથ્થર છે કે જેના ઉપર મંડળીના વિશ્વાસીઓની સ્થાપના અને આધાર છે.

ભાષાંતરના સૂચનો:

જો એમ હોય તો આ શબ્દ વાપરી શકાય છે.

જો મકાનના નિર્માણ માટે પથ્થરો વપરાયા નથી, તો તેના માટે કદાચ બીજો શબ્દ, જેનો અર્થ “મોટો પત્થર” (જેવો કે “શિલાખંડ”) વાપરી શકાય છે, પણ તે સારી રીતે રચાયેલો અને બંધ બેસતો હોવો જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ખોટું, ખોટા, ખોટું, ખોટી રીતે, ખોટી રીતે, ખોટું કરનાર, ખોટું કરવું, દુર્વ્યવહાર કરવો, દુર્વ્યવય કરાવવું, દુઃખ પહોંચવું, દુખી કરવું, નુકસાન કરવું, નુકસાનકારક

વ્યાખ્યા:

વ્યક્તિને "ખોટુ કરવું" એટલે કે તે વ્યક્તિની સાથે અન્યાયી અને અપ્રમાણિક રીતે વ્યવહાર કરવો. " * દુર્વ્યવહાર" શબ્દનો અર્થ એ છે કે તે વ્યક્તિ સાથે ખરાબ રીતે અથવા અસામાન્ય રીતે વર્તવું, તે વ્યક્તિને શારિરીક અથવા ભાવનાત્મક નુકસાન પહોંચાડવું.

તે ઘણીવાર "શારીરિક ઇજા" નો અર્થ થાય છે.

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

ખોપરી

વ્યાખ્યા:

“ખોપરી” શબ્દ વ્યક્તિ કે પ્રાણીના માથાના હાડપિંજરના હાડકાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, ગુલગુથા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ખ્રિસ્ત, મસીહ

સત્યો:

“મસીહ” અને “ખ્રિસ્ત” શબ્દનો અર્થ, “અભિષિક્ત” અને ઈસુને દેવનો દીકરો દર્શાવે છે.

તેના નામનાં એક ભાગ તરીકે પણ “ખ્રિસ્ત”વપરાય છે, જેમકે “ઈસુ ખ્રિસ્ત.”

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવનો દીકરો, ઈશ્વરનો દીકરો, દાઉદ, ઈસુ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

__17:7__મસીહ _તે દેવનો એક પસંદ કરેલો હતો કે જે જગતના લોકોને તેમના પાપથી બચાવશે.

શબ્દ માહિતી:

ગંધક,ગંધકયુક્ત

વ્યાખ્યા:

ગંધક એક પીળા રંગનો પદાર્થ છે જે બળતું પ્રવાહ બની જાય છે જ્યારે તેને આગ લાગે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ:ગમોરાહ,ન્યાયાધીશ,લોત,બળવો કરવો, સદોમ,દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ગધેડો, ખચ્ચર

વ્યાખ્યા:

ગધેડો એ ચાર પગોવાળું, પણ નાનું અને લાંબા કાનોવાળું ઘોડા સમાન પ્રાણી છે.

ખચ્ચર એ ખૂબજ મજબૂત પ્રાણી છે અને જેથી તેઓ મૂલ્યવાન કામના પ્રાણીઓ છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગર્વિષ્ઠ

વ્યાખ્યા:

“ગર્વિષ્ઠ” શબ્દનો અર્થ, મિજાજી અથવા ઘમંડી હોવું. કોઈ કે જે “ગર્વિષ્ઠ” છે તે પોતા વિશે ખૂબજ ઊંચું વિચારે છે.

(આ પણ જુઓ: બડાઈ, અભિમાની)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગશૂર, ગશૂરીઓ

વ્યાખ્યા:

દાઉદ રાજાના સમય દરમ્યાન, ગશૂર એ ગાલીલ સમુદ્ધની પૂર્વ બાજુ ઉપર ઈઝરાએલ અને અરામના દેશોની વચ્ચે આવેલું નાનું રાજ્ય હતું.

તે ત્યાં ત્રણ વર્ષ રહ્યો.

(આ પણ જુઓ: આબ્શાલોમ, આમ્નોન, અરામ, ગાલીલનો સમુદ્ર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાઝા

સત્યો:

બાઈબલના સમય દરમ્યાન, ગાઝા એ પલિસ્તીઓનું સમૃદ્ધ શહેર જે ભૂમધ્ય સમુદ્ધના કિનારા પર, લગભગ 38 કિલોમીટર આશ્દોદની દક્ષિણે આવેલું હતું. તે પલિસ્તીઓના પાંચ મુખ્ય શહેરોમાંનું એક હતું.

(આ પણ જુઓ: આશ્દોદ, ફિલિપ, પલિસ્તિઓ, ઇથોપિયા, ગાથ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાથ, ગીત્તી, ગીત્તીઓ,

સત્યો:

ગાથ એ પલિસ્તીઓના પાંચ મુખ્ય શહેરોમાંનું એક હતું. તે એક્રોનના ઉત્તરે અને આશ્દોદ અને આશ્ક્લોનની પૂર્વે આવેલું હતું.

પછી તે ત્યાંથી ગાથ, અને પછીથી એક્રોનમાં ખસેડવામાં આવ્યો હતો. પણ દેવે તે શહેરોના લોકોને રોગ દ્વારા સજા કરી, જેથી ફરીથી તેઓએ તે ઈઝરાએલમાં પાછો મોકલ્યો.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આશ્દોદ, આશ્કેલોન, એક્રોન, ગાઝા, ગોલ્યાથ, પલિસ્તિઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાદ

સત્યો:

ગાદ એ યાકૂબના દીકરાઓમાંનો એક હતો. યાકૂબનું નામ ઈઝરાયેલ પણ હતું.

(આ પણ જુઓ: વસ્તીગણતરી, પ્રબોધક, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાય, ગાયો, આખલો, આખલાઓ, વાછરડું, વાછરડા, ઢોર, વાછરડી, બળદ, બળદો,

વ્યાખ્યા:

“ગાય,” “આખલો,” “વાછરડી,” “બળદ,” અને “ઢોર” બધાંજ મોટા પ્રકારના, મંદબુદ્ધિના ચાર પગવાળા પ્રાણીને દર્શાવે છે કે જે ઘાસ ખાય છે.

તેઓ પ્રાથમિક રીતે તેઓને માંસ અને દૂધ માટે ઉછેરતા હતાં. “વાછરડી” એ એક જુવાન નારી ગાય છે કે જેણે હજુ સુધી વાછરડાને જન્મ આપ્યો નથી. “બળદ” એક પ્રકારનું પશુ છે કે જે વિશિષ્ઠ રીતે કૃષિવિષયક કામ માટે તાલીમ પામેલું હોય છે. આ શબ્દનું બહુવચન “બળદો” થાય છે. સામાન્ય રીતે બળદો નર અને ખસી કરેલા હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઝૂંસરી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાય, ગાયો, આખલો, આખલાઓ, વાછરડું, વાછરડા, ઢોર, વાછરડી, બળદ, બળદો,

વ્યાખ્યા:

“ગાય,” “આખલો,” “વાછરડી,” “બળદ,” અને “ઢોર” બધાંજ મોટા પ્રકારના, મંદબુદ્ધિના ચાર પગવાળા પ્રાણીને દર્શાવે છે કે જે ઘાસ ખાય છે.

તેઓ પ્રાથમિક રીતે તેઓને માંસ અને દૂધ માટે ઉછેરતા હતાં. “વાછરડી” એ એક જુવાન નારી ગાય છે કે જેણે હજુ સુધી વાછરડાને જન્મ આપ્યો નથી. “બળદ” એક પ્રકારનું પશુ છે કે જે વિશિષ્ઠ રીતે કૃષિવિષયક કામ માટે તાલીમ પામેલું હોય છે. આ શબ્દનું બહુવચન “બળદો” થાય છે. સામાન્ય રીતે બળદો નર અને ખસી કરેલા હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઝૂંસરી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગાલીલ, ગાલીલી, ગાલીલીઓ,

સત્યો:

ગાલીલ એ સમરૂનની પાસે ઉત્તરમાં આવેલો, ઈઝરાએલનો સૌથી ઉત્તરનો પ્રદેશ હતો. “ગાલીલી” એ વ્યક્તિ હતો કે જે ગાલીલમાં રહેતો હતો અથવા જે ગાલીલમાં સ્થાયી થયેલો હતો.

(આ પણ જુઓ: નાસરેથ, સમરૂન, ગાલીલનો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ગિર્ગાશીઓ

સત્યો:

ગિર્ગાશીઓ એ કનાનની ભૂમિમાં ગાલીલના સમુદ્ધની નજીક રહેતા લોકોનું જૂથ હતું.

(આ પણ જુઓ: કનાન , હામ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગિલ્ગાલ

સત્યો:

ગિલ્ગાલ શહેર યરીખોની ઉત્તરે આવેલું હતું, અને પ્રથમ સ્થળ હતું કે જ્યાં ઈઝરાએલીઓ કનાન દેશમાં પ્રવેશ કરવા યર્દન નદી પાર કર્યા બાદ છાવણી કરી.

જૂના કરારમાં ત્યાં બીજા ઘણા સ્થાનોને “ગિલ્ગાલ” કહેવામાં આવતા હતા. “ગિલ્ગાલ” શબ્દનો અર્થ, “પથ્થરોનું વર્તુળ,” કદાચ જ્યાં ગોળાકાર વેદી બાંધવામાં આવી હતી તે સ્થળને દર્શાવે છે.

તે સૂચવે છે કે તે ચોક્કસ સ્થળ નહોતું, પણ તેના બદલે અમુક જગ્યાનું વર્ણન કરવામાં આવ્યું હતું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: એલિયા, , એલિશા, યરીખો, યર્દન નદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગુસ્સો,(ક્રોધ), ક્રોધે ભરાયેલ, ગુસ્સે થયેલું

વ્યાખ્યા:

“ગુસ્સે થવું” અથવા “ગુસ્સો આવવો” એનો અર્થ એ થાય છે કે અતિશય નાખૂશ કે ગુસ્સે થયેલું, કશાક વિશે અને કોઈકની વિરુદ્ધ ચિડાયેલું કે નારાજ થયેલ. જયારે લોકો ગુસ્સે થાય, ત્યારે તેઓ સતત પાપ કરનારા અને સ્વાર્થી જતા હોય છે, પણ ક્યારેક તેમનો ન્યાયી ગુસ્સો અન્યાય અથવા જુલમ વિરુદ્ધ હોય છે.

“ગુસ્સાથી ઉશ્કેરાવું” એ શબ્દનો અર્થ “ગુસ્સે કરાવવો” થાય છે.

(જુઓ: કોપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ગૌરવ, તેજસ્વી, મહિમા કરવો, મહિમાવાન કરે છે

વ્યાખ્યા:

સામાન્ય રીતે “ગૌરવ’ શબ્દનો અર્થ, સન્માન, શોભા, અને અત્યંત મહાનતા છે. કંઈપણ કે જેને ગૌરવ હોય છે, તે “મહિમાવાન” કહેવાય છે.

બીજા સંદર્ભમાં તે વૈભવ, તેજ, અથવા ન્યાયને વિદિત કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઊંચુ કરવું, આજ્ઞા પાળવી, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ઘઉં

વ્યાખ્યા:

ઘઉં એક પ્રકારનું અનાજ છે જે લોકો ખોરાક માટે ઉગાડે છે. જ્યારે બાઇબલ "અનાજ" અથવા "બીજ" નો ઉલ્લેખ કરે છે ત્યારે તે ઘઉંના અનાજ અથવા બીજ વિશે વાત કરે છે.

ઘઉંના છોડની દાંડીને "પરાળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ઘણીવાર પ્રાણીઓ પર સૂવા માટે જમીન પર મૂકવામાં આવે છે. ખેડ્યા પછી, અનાજના બીજની આસપાસના ફોતરાંને અનાજમાંથી ઊપણવા દ્વારા દૂર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: જવ, ભૂસું, અનાજ,બીજ, ઝુડવું, ઊપણવું)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ઘઉં

વ્યાખ્યા:

ઘઉં એક પ્રકારનું અનાજ છે જે લોકો ખોરાક માટે ઉગાડે છે. જ્યારે બાઇબલ "અનાજ" અથવા "બીજ" નો ઉલ્લેખ કરે છે ત્યારે તે ઘઉંના અનાજ અથવા બીજ વિશે વાત કરે છે.

ઘઉંના છોડની દાંડીને "પરાળ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ઘણીવાર પ્રાણીઓ પર સૂવા માટે જમીન પર મૂકવામાં આવે છે. ખેડ્યા પછી, અનાજના બીજની આસપાસના ફોતરાંને અનાજમાંથી ઊપણવા દ્વારા દૂર કરવામાં આવે છે.

(આ પણ જુઓ: જવ, ભૂસું, અનાજ,બીજ, ઝુડવું, ઊપણવું)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘર, ઘરો, ઘરનું છાપરું, ઘરના છાપરાં, વખાર, વખારો, રખેવાળો

વ્યાખ્યા:

બાઈબલમાં ઘણીવાર “ઘર” શબ્દને રૂપકાત્મક રીતે વાપરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે આ અભિવ્યક્તિ દેવ ક્યાં છે અથવા રહે છે એમ પણ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: દાઉદ, વારસામાં ઉતરેલું, દેવનું ઘર, ઘરના, ઈઝરાયેલનું રાજ્ય, મુલાકાતમંડપ, મંદિર, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘરના, ઘરનાઓ (પરિવાર)

વ્યાખ્યા:

“ઘરના” શબ્દ બધા લોકો કુટુંબના સભ્યો અને તેઓના ચાકરો સહિત કે જેઓ ઘરમાં એકસાથે રહે છે, તેઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘરના, ઘરનાઓ (પરિવાર)

વ્યાખ્યા:

“ઘરના” શબ્દ બધા લોકો કુટુંબના સભ્યો અને તેઓના ચાકરો સહિત કે જેઓ ઘરમાં એકસાથે રહે છે, તેઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: ઘર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘેટાં બકરાં, ટોળું, ટોળું, ઢોરઢાંક

વ્યાખ્યા:

બાઈબલમાં, “ટોળું” ઘેટાનો અથવા બકરાનો સમુદાય, અને “જાનવરનું ટોળું” પશુઓ, જેમાં બળદો, અથવા ભૂંડોના સમુદાયનો પણ સમાવેશ થાય છે.

(આ પણ જુઓ: બકરી, ગાય, ભૂંડ, ઘેટી, )

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઘેટાંપાળક, ઘેટાંપાળકો, માર્ગદર્શન આપ્યું, ઉત્તેજન આપે છે

વ્યાખ્યા:

ઘેટાંપાળક એ વ્યક્તિ છે કે જે ઘેટાંની સંભાળ રાખે છે. “ઘેટાંપાળક” ક્રિયાપદનો અર્થ ઘેટાનું રક્ષણ કરવું અને તેમને ખોરાક અને પાણી પૂરું પાડવું. ઘેટાંપાળક ઘેટાં પર ધ્યાન આપે છે, જ્યાં સારો ખોરાક અને પાણી મળે છે તેવી જગ્યાએ દોરી લઇ જાય છે. ઘેટાંપાળક ઘેટાંને ખોવાઈ જતું અટકાવે છે અને તેમનું જંગલી પ્રાણીઓથી રક્ષણ કરે છે.

આ બાબત ઈશ્વરે બાઈબલમાં તેમને શું કહ્યું છે તે એમને શીખવવું અને જે રીતે તેમણે જીવવું જોઈએ તે રીતે તેમને દોરવા તેનો સમાવેશ કરે છે.

પાઉલ પ્રેરિતે પણ તેમનો ઉલ્લેખ મંડળીના “મહાન ઘેટાંપાળક” તરીકે કર્યો.

જે શબ્દ પરથી “પાળક” શબ્દનો અનુવાદ થયો છે તે જ શબ્દ પરથી “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે. વડીલો અને દેખરેખ રાખનારાઓ પણ ઘેટાંપાળક કહેવાતા.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, કનાન, મંડળી, મૂસા, પાળક, ઘેટી, આત્મા)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

જુદા-જુદા સમયે જ્યારે તે તેના પિતાના ઘેટાંની સંભાળ રાખતો હતો, ત્યારે દાઉદે સિંહ અને રીંછ બંને કે જેઓએ ઘેટાં પર હુમલો કર્યો હતો તેમને મારી નાંખ્યા.

શબ્દ માહિતી:

ઘેટી, ઘેટીઓ, ખરીવાળો ઘેટો, ખરીવાળા ઘેટાંઓ, ઘેટાં, ઘેટાંનો વાળો, ઉન કાતનારાઓ, ઘેટાંનું ચામડું

વ્યાખ્યા:

“ઘેટાં” એક મધ્યમ કદના પ્રાણી છે જેના ચાર પગ હોય છે અને તેના તમામ શરીર પર ઉન હોય છે. નર ઘેટાંને “ખરીવાળો ઘેટો” કહેવાય છે. નારી ઘેટાંને “ઘેટી” કહેવાય છે. “ઘેટાં” નું બહુવચન “ઘેટાંઓ” પણ થાય છે.

તેઓ સરળતાથી દૂર ભટકવું પ્રભાવિત થઈ જાય છે. તેઓને એક ઘેટાંપાળક જે તેમને દોરી જાય, તેમનું રક્ષણ કરે તેમને ખોરાક, પાણી અને આશ્રય પૂરો પાડે તેની જરૂર હોય છે.

(અનુવાદ માટેના સૂચનો: અજ્ઞાતનો કેવી રીતે અનુવાદ કરવો

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઘેટું, બલિદાન, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

જુદા-જુદા સમયે જ્યારે તે સંભાળ રાખતો હતો તેના પિતાના ઘેટાંની, દાઉદે સિંહ અને રીંછ બંનેને મારી નાંખ્યા હતાં કે જેમણે હુમલો કર્યો હતો ઘેટાં પર.

એ લખવામાં આવ્યું છે કે, ‘હું ઘેટાંપાળકને મારી નાખીશ અને બધા ઘેટાંઓ વેર-વિખેર થઈ જશે.'"

શબ્દ માહિતી:

ઘેટું, ઈશ્વરનું હલવાન

વ્યાખ્યા:

"ઘેટું" શબ્દ યુવાન ઘેટાંનો ઉલ્લેખ કરે છે. ઘેટાં ચાર પગવાળા, જાડા ઊનવાળા વાળ સાથેના પ્રાણીઓ છે, જેનો ઈશ્વરને બલિદાન કરવામાં ઉપયોગ કરવામાં આવતો. ઈસુને "ઈશ્વરના હલવાન" કહેવામાં આવ્યા કારણ કે લોકોના પાપોની કિંમત ચૂકવવા તેઓ બલિદાન થયા હતા.

ઈશ્વર માણસજાતને ઘેટાં સાથે સરખાવે છે.

તેઓ સંપૂર્ણ, દોષરહિત બલિદાન હતા કારણ કે તેઓ સંપૂર્ણપણે પાપ વિનાના હતા.

અનુવાદ માટેના સૂચનો:

નોંધ ઘેટાં અને હલવાનને તે વિસ્તારના પ્રાણીઓ સાથે સરખાવી શકે જેઓ ટોળામાં રહેતા હોય, જે ડરપોક અને રક્ષણ કરવા અસમર્થ હોય, અને વારંવાર ભટકી જતાં હોય.

(જુઓ: અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

દરેક કુટુંબે સંપૂર્ણ પસંદ કરવું હલવાન અથવા બકરું અને તેની હત્યા કરવી.

જ્યારે યોહાને તેમને જોયા ત્યારે, તેણે કહ્યું, “જુઓ! અહીંયા ઈશ્વરનું હલવાન છે જે જગતના પાપ લઈ લેશે."

આપણે સર્વ આપણાં પાપોને માટે મરણને લાયક હતા! પરંતુ ઈશ્વરે ઈસુ પૂરા પાડ્યા હલવાન ઈશ્વરના, આપણાં સ્થાને બલિદાન તરીકે મરવાને માટે.

શબ્દ માહિતી:

ઘેટું, ઈશ્વરનું હલવાન

વ્યાખ્યા:

"ઘેટું" શબ્દ યુવાન ઘેટાંનો ઉલ્લેખ કરે છે. ઘેટાં ચાર પગવાળા, જાડા ઊનવાળા વાળ સાથેના પ્રાણીઓ છે, જેનો ઈશ્વરને બલિદાન કરવામાં ઉપયોગ કરવામાં આવતો. ઈસુને "ઈશ્વરના હલવાન" કહેવામાં આવ્યા કારણ કે લોકોના પાપોની કિંમત ચૂકવવા તેઓ બલિદાન થયા હતા.

ઈશ્વર માણસજાતને ઘેટાં સાથે સરખાવે છે.

તેઓ સંપૂર્ણ, દોષરહિત બલિદાન હતા કારણ કે તેઓ સંપૂર્ણપણે પાપ વિનાના હતા.

અનુવાદ માટેના સૂચનો:

નોંધ ઘેટાં અને હલવાનને તે વિસ્તારના પ્રાણીઓ સાથે સરખાવી શકે જેઓ ટોળામાં રહેતા હોય, જે ડરપોક અને રક્ષણ કરવા અસમર્થ હોય, અને વારંવાર ભટકી જતાં હોય.

(જુઓ: અજ્ઞાતનું અનુવાદ કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

દરેક કુટુંબે સંપૂર્ણ પસંદ કરવું હલવાન અથવા બકરું અને તેની હત્યા કરવી.

જ્યારે યોહાને તેમને જોયા ત્યારે, તેણે કહ્યું, “જુઓ! અહીંયા ઈશ્વરનું હલવાન છે જે જગતના પાપ લઈ લેશે."

આપણે સર્વ આપણાં પાપોને માટે મરણને લાયક હતા! પરંતુ ઈશ્વરે ઈસુ પૂરા પાડ્યા હલવાન ઈશ્વરના, આપણાં સ્થાને બલિદાન તરીકે મરવાને માટે.

શબ્દ માહિતી:

ઘેરો, ઘેરી લેવું, ઘેરાયેલાં, ઘેરો ઘાલનાર, ઘેરી રહ્યા છે, હંગામી કિલ્લો

વ્યાખ્યા:

"ઘેરો" ત્યારે થાય છે જ્યારે એક આક્રમણકારી લશ્કર શહેરની આસપાસ આવે છે અને તેને ખોરાક અને પાણીની કોઈ પણ ચીજ પ્રાપ્ત કરવાથી રોકી રાખે છે. શહેરને "ઘેરી લેવું" અથવા તેને "ઘોષણા હેઠળ" મૂકવું તેનો અર્થ એ છે કે ઘેરાબંધી દ્વારા તેના પર હુમલો કરવો.

બંને અભિવ્યક્તિઓ એવું શહેર કે જેને દુશ્મનના સૈન્યએ ઘેરી લીધા છે તે વર્ણવે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચંપલ,

વ્યાખ્યા:

ચંપલ એ એક સરળ પગના તળિયાના પગરખા છે જે પગના પંજા અથવા ઘૂંટીની આસપાસ રાખવામાં આવે છે. ચંપલ પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચંપલ,

વ્યાખ્યા:

ચંપલ એ એક સરળ પગના તળિયાના પગરખા છે જે પગના પંજા અથવા ઘૂંટીની આસપાસ રાખવામાં આવે છે. ચંપલ પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચમત્કાર, ચમત્કારો, આશ્ચર્યકર્મ, આશ્ચર્યકર્મો, ચિહ્ન, ચિહ્નો

વ્યાખ્યા:

“ચમત્કાર” એક એવી અદભૂત બાબત છે કે જો ઈશ્વર ન કરે તો તે શક્ય નથી.

આ બધા જ ચમત્કારો હતા.

અનુવાદ માટેના સૂચનો:

આ બન્ને સંબંધિત હોઈ શકે છે.

(આ પણ જૂઓ: સામર્થ્ય, પ્રબોધક, પ્રેરિત, ચિહ્ન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યાં, ઘણાં બીમારોને સાજા કર્યાં, દુષ્ટાત્માઓને કાઢ્યા, મૃતકોને સજીવન કર્યાં અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 કરતા વધારે લોકો માટે પુરતું ભોજન બનાવી નાખ્યાં.

શબ્દ માહિતી:

ચમત્કાર, ચમત્કારો, આશ્ચર્યકર્મ, આશ્ચર્યકર્મો, ચિહ્ન, ચિહ્નો

વ્યાખ્યા:

“ચમત્કાર” એક એવી અદભૂત બાબત છે કે જો ઈશ્વર ન કરે તો તે શક્ય નથી.

આ બધા જ ચમત્કારો હતા.

અનુવાદ માટેના સૂચનો:

આ બન્ને સંબંધિત હોઈ શકે છે.

(આ પણ જૂઓ: સામર્થ્ય, પ્રબોધક, પ્રેરિત, ચિહ્ન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ પાણી પર ચાલ્યા, તોફાનોને શાંત કર્યાં, ઘણાં બીમારોને સાજા કર્યાં, દુષ્ટાત્માઓને કાઢ્યા, મૃતકોને સજીવન કર્યાં અને પાંચ રોટલી તથા બે નાની માછલીઓને 5000 કરતા વધારે લોકો માટે પુરતું ભોજન બનાવી નાખ્યાં.

શબ્દ માહિતી:

ચાલવું, ચાલવું, ચાલ્યો, ચાલવું

વ્યાખ્યા:

"ચાલવું” શબ્દનો અર્થ ઘણીવાર લાક્ષણિક અર્થમા "જીવવું” થાય છે.

બીજા કોઈની જેમ જ કાર્ય કરવાનો અર્થ પણ થઈ શકે છે.

અનુવાદનાં સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, માન)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ચાલવું, ચાલવું, ચાલ્યો, ચાલવું

વ્યાખ્યા:

"ચાલવું” શબ્દનો અર્થ ઘણીવાર લાક્ષણિક અર્થમા "જીવવું” થાય છે.

બીજા કોઈની જેમ જ કાર્ય કરવાનો અર્થ પણ થઈ શકે છે.

અનુવાદનાં સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, માન)

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર

વ્યાખ્યા:

ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રેરિત, ખ્રિસ્ત, કરાર, સુન્નત)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચિહ્ન, ચિહ્નો, સાબિતી, સ્મૃતિપત્ર

વ્યાખ્યા:

ચિહ્ન એ એક હેતુ, પ્રસંગ, અથવા ક્રિયા છે કે જે ખાસ અર્થ વિષે વાતચીત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ચમત્કાર, પ્રેરિત, ખ્રિસ્ત, કરાર, સુન્નત)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચુંબન, ચુંબન કરે છે, ચુંબન કર્યું, ચુંબન કરી રહ્યા છે

વ્યાખ્યા:

ચુંબન એ ક્રિયા છે જેમાં એક વ્યક્તિ પોતાના હોઠ બીજાના હોઠ અથવા ચહેરા પર મૂકે છે આ શબ્દનો ઉપયોગ લાક્ષણિક રીતમાં પણ કરી શકાય.

જ્યારે એલિશાએ એલિયાને કહ્યું, "મને પહેલા મારા માતપિતા પાસે જઈને ચુંબન કરી આવવા દે," ત્યારે તે એલિયાને અનુસરવા માટે તેના માતપિતાને છોડતા પહેલા છેલ્લી સલામ કહેવા ઈચ્છતો હતો.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચોર, ચોરો, લૂંટ, લૂંટી, લૂંટી લેવાયા, લૂંટારો, લૂંટારાઓ , લૂંટફાટ, લૂંટતા

તથ્યો:

"ચોર" શબ્દ એ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે અન્ય લોકો પાસેથી નાણાં અથવા સંપત્તિ ચોરી કરે છે. “ચોર” નું બહુવચન “ચોરો” છે. " લૂંટારો " શબ્દ ઘણી વખત એવા ચોરનો ઉલ્લેખ કરે છે કે જે લોકો પાસેથી ચોરી કરતા હોય તેવા લોકોને શારીરિક નુકસાન પહોંચાડે છે અથવા ધમકી આપે છે.

લૂંટારાઓએ યહૂદી માણસને તેના પૈસા અને કપડાં ચોરી કરતા પહેલાં તેમને માર્યો હતો અને ઘાયલ કર્યો હતો.

મોટેભાગે તેઓ શું કરી રહ્યાં છે તે છુપાવવા માટે અંધકારના આવરણનો ઉપયોગ કરે છે.

આનો અર્થ એ થાય કે શેતાનની યોજના ઈશ્વરના લોકો તેમને આધીન રહેવાનું બંધ કરે તેવો પ્રયાસ કરવો.. જો શેતાન આ કરવામાં સફળ થાય તો ઈશ્વરે જે સારી વસ્તુઓની તેમના માટે યોજના કરી છે તેમાંથી તેમની પાસેથી ચોરી કરે છે।

જેમ લોકો તેની અપેક્ષા રાખતા નથી એવા સમયે ચોર આવે છે , તેમ જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી તેમ ઈસુ તે સમયે પાછો આવશે

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, ગુનો ,વધસ્તંભે જડવું, અંધકાર, નાશ, સામર્થ્ય, સમરૂન, શેતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ચોર, ચોરો, લૂંટ, લૂંટી, લૂંટી લેવાયા, લૂંટારો, લૂંટારાઓ , લૂંટફાટ, લૂંટતા

તથ્યો:

"ચોર" શબ્દ એ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે અન્ય લોકો પાસેથી નાણાં અથવા સંપત્તિ ચોરી કરે છે. “ચોર” નું બહુવચન “ચોરો” છે. " લૂંટારો " શબ્દ ઘણી વખત એવા ચોરનો ઉલ્લેખ કરે છે કે જે લોકો પાસેથી ચોરી કરતા હોય તેવા લોકોને શારીરિક નુકસાન પહોંચાડે છે અથવા ધમકી આપે છે.

લૂંટારાઓએ યહૂદી માણસને તેના પૈસા અને કપડાં ચોરી કરતા પહેલાં તેમને માર્યો હતો અને ઘાયલ કર્યો હતો.

મોટેભાગે તેઓ શું કરી રહ્યાં છે તે છુપાવવા માટે અંધકારના આવરણનો ઉપયોગ કરે છે.

આનો અર્થ એ થાય કે શેતાનની યોજના ઈશ્વરના લોકો તેમને આધીન રહેવાનું બંધ કરે તેવો પ્રયાસ કરવો.. જો શેતાન આ કરવામાં સફળ થાય તો ઈશ્વરે જે સારી વસ્તુઓની તેમના માટે યોજના કરી છે તેમાંથી તેમની પાસેથી ચોરી કરે છે।

જેમ લોકો તેની અપેક્ષા રાખતા નથી એવા સમયે ચોર આવે છે , તેમ જ્યારે લોકો તેની અપેક્ષા રાખતા નથી તેમ ઈસુ તે સમયે પાછો આવશે

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, ગુનો ,વધસ્તંભે જડવું, અંધકાર, નાશ, સામર્થ્ય, સમરૂન, શેતાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

છૂટાછેડા

વ્યાખ્યા:

છૂટાછેડા એ લગ્નની સમાપ્તિનું કાનૂની કાર્ય છે. “છૂટાછેડા” શબ્દનો અર્થ, ઔપચારિક અને કાયદેસર રીતે લગ્નનો અંત લાવવાની પ્રક્રિયા છે.

છૂટાછેડાને દર્શાવવા માટે અન્ય ભાષાઓમાં કદાચ સમાન અભિવ્યક્તિઓ હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

છૂટાછેડા

વ્યાખ્યા:

છૂટાછેડા એ લગ્નની સમાપ્તિનું કાનૂની કાર્ય છે. “છૂટાછેડા” શબ્દનો અર્થ, ઔપચારિક અને કાયદેસર રીતે લગ્નનો અંત લાવવાની પ્રક્રિયા છે.

છૂટાછેડાને દર્શાવવા માટે અન્ય ભાષાઓમાં કદાચ સમાન અભિવ્યક્તિઓ હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.

બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

છોડ, રોપે છે, રોપ્યું, રોપી રહ્યા છે, પ્રત્યારોપણ, ફરીથી રોપવું, એક જગ્યાએથી ઉખાડીને બીજે રોપવું, વાવવું, વાવે છે, વાવ્યું, વાવેતર, વાવણી

વ્યાખ્યા:

“છોડ” સંન્ય રીતે એવું કંઇક કે જે ઉગે છે અને જમીન સાથે જોડાયેલું હોય છે. “વાવવું” એટલે જમીનમાં બીજ મુકવા કે જેથી છોડ ઉગે. “વાવનાર” એ વ્યક્તિ છે કે જે બીજ વાવે છે.

એનો અર્થ કે જો વ્યક્તિ કંઇક દુષ્ટ કરે તો, તે નકારાત્મક પરિણામ મેળવશે, અને જો વ્યક્તિ સારું કરે તો, તે હકારાત્મક પરિણામ ભોગવશે.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે તેને માટે જે શબ્દનો અનુવાદ કર્યો હોય તે બીજ રોપવાને સમાવેશ કરતો હોય.

બીજી ભાષાઓઅલગ શબ્દો વાપરી શકે, શું રોપવામાં આવે છે તેના આધારે.

(આ પણ જુઓ: દુષ્ટ, સારું, કાપણી કરવી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જમણો હાથ

વ્યાખ્યા:

રૂપકાત્મક શબ્દપ્રયોગ "જમણો હાથ" શાસકની અથવા બીજા મહત્વના વ્યક્તિની જમણી બાજુ માન અથવા બળની જગ્યા સૂચવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ હાથનો સંદર્ભ આપવા માટે ભાષા જે શબ્દનો ઉપયોગ કરે છે તેનો ઉપયોગ કરીને તેનું અનુવાદ થવું જોઈએ.

(આ પણ જુઓ: આરોપ, દુષ્ટ, માન, બળ, શિક્ષા કરવી, બળવો કરવો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જવ

વ્યાખ્યા:

“જવ” શબ્દ એક પ્રકારનું અનાજ છે કે જે રોટલી બનાવવા માટે વપરાય છે.

જ્યારે જવ ઝુડવામાં આવે છે, ત્યારે ખાવા યોગ્ય બીજમાંથી નકામા ફોતરાંને અલગ કરાય છે.

જો જવ વિશે જ્ઞાન ન હોત તો, તેનું ભાષાંતર “દાણો એટલે જવ” અથવા “જવનો દાણો” કરી શકાય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: અનાજ, ઝુડવું, [ઘઉં)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાણવું, જાણે છે, જાણતો હતો, જ્ઞાન, ઓળખાવું, ઓળખાયો, ઓળખાવે છે, ઓળખાવ્યો, અજાણ, વંશવેલો, પૂર્વજ્ઞાન

વ્યાખ્યા:

"જાણવું" એટલે કે કંઈક સમજવું અથવા તથ્ય વિશે વાકેફ. "ઓળખાવ્યો" અભિવ્યક્તિનો અર્થ માહિતી કહેવી/જણાવવી.

તે ભૌતિક અને આત્મિક બંને જગતની બાબતો જાણવાનો સમાવેશ કરે છે.

તે લોકોને જાણવાનો પણ સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સુચનો

તેનું "સક્ષમ" અથવા "કુશળતા હોવી" અનુવાદ કરી શકાય.

(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, પ્રગટ કરવું, સમજવું, ડાહ્યું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાણવું, જાણે છે, જાણતો હતો, જ્ઞાન, ઓળખાવું, ઓળખાયો, ઓળખાવે છે, ઓળખાવ્યો, અજાણ, વંશવેલો, પૂર્વજ્ઞાન

વ્યાખ્યા:

"જાણવું" એટલે કે કંઈક સમજવું અથવા તથ્ય વિશે વાકેફ. "ઓળખાવ્યો" અભિવ્યક્તિનો અર્થ માહિતી કહેવી/જણાવવી.

તે ભૌતિક અને આત્મિક બંને જગતની બાબતો જાણવાનો સમાવેશ કરે છે.

તે લોકોને જાણવાનો પણ સમાવેશ કરે છે.

અનુવાદ માટેના સુચનો

તેનું "સક્ષમ" અથવા "કુશળતા હોવી" અનુવાદ કરી શકાય.

(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, પ્રગટ કરવું, સમજવું, ડાહ્યું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાતિ, જાતિઓ, આદિજાતિ, આદિવાસીઓ

વ્યાખ્યા:

એક જાતિનું લોકજૂથ જે સામાન્ય પૂર્વજ પરથી ઉતરી આવે છે.

દરેક જાતિ યાકુબના એક પુત્ર અથવા પૌત્ર પરથી ઉતરી આવ્યું હતું.

(આ પણ જુઓ: કુળ, દેશ, લોકજાતિ, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાતિ, જાતિઓ, આદિજાતિ, આદિવાસીઓ

વ્યાખ્યા:

એક જાતિનું લોકજૂથ જે સામાન્ય પૂર્વજ પરથી ઉતરી આવે છે.

દરેક જાતિ યાકુબના એક પુત્ર અથવા પૌત્ર પરથી ઉતરી આવ્યું હતું.

(આ પણ જુઓ: કુળ, દેશ, લોકજાતિ, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાદુ, જાદુઈ, જાદુગર, જાદુગરો

વ્યાખ્યા:

“જાદુ” શબ્દ ઈશ્વર તરફથી આપવામાં આવી ન હોય તેવી અલૌકિક શક્તિ વાપરવાની ક્રિયાનો ઉલ્લેખ કરે છે. જાદુ કરનાર વ્યક્તિને “જાદુગર” કહેવાય છે.

(આ પણ જૂઓ: ભવિષ્યકથન, મિસર, ફારૂન, સામર્થ્ય, જાદુગર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાદુગર, જાદુગરો, સ્ત્રી જાદુગર, મેલીવિદ્યા, મેલીવિદ્યાઓ, મેલીવિદ્યા

વ્યાખ્યા:

“જાદુ” અથવા “મેલીવિદ્યા” જાદુનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ કરે છે, જે દુશ્તાત્માઓ દ્વારા શક્તિશાળી બાબતો કરવાનો સમાવેશ કરે છે. એ “જાદુગર” એ છે કે જે આ શક્તિશાળી, જાદુને લગતી બાબતો કરે છે.

પરંતુ દરેક પ્રકારની મેલીવિદ્યાઓ ખોટી છે, કારણ કે તેઓ દુશ્તાત્માઓના સામર્થનો ઉપયોગ કરે છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, ભૂત, ભવિષ્યકથન, દેવ, જાદુ, બલિદાન, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાળ, જાળ પાથરે છે, જાળમાં ફસાવવું, જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યો, ફોસલાવવું, છટકું, છટકું કરે છે, છટકું ગોઠવ્યું

વ્યાખ્યા:

“જાળ” અને “છટકું” શબ્દ એવા સાધનનો ઉલ્લેખ કરે છે કે જે પ્રાણીઓને પકડવા અને તેમને ભાગી જતા અટકાવવા માટે વપરાય છે. “જાળ” કે “જાળમાં ફસાવવું” એટલે જાળ દ્વારા પકડવું, અને “છટકું” કે “ફોસલાવવું” એટલે કે છટકા દ્વારા પકડવું. બાઈબલમાં, આ શબ્દોનો ઉપયોગ રૂપકાત્મક રીતે એ વાત કહેવા વિષે પણ થયો છે કે કેવી રીતે પાપ અને પરીક્ષણએ સંતાયેલ છટકા સમાન છે કે જે લોકોને પકડે છે અને તેમને નુકસાન પહોંચાડે છે

ઘણીવાર છટકું ઊંડા બાકોરું/છિદ્ર જેવું હોઈ શકે કે જે બનાવવામાં આવ્યું હોય જે કંઇક તેમાં પડે તેને પકડવા માટે.

(આ પણ જુઓ: મુક્ત કરવું, , શિકાર, શેતાન, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાળ, જાળ પાથરે છે, જાળમાં ફસાવવું, જાળમાં ફસાવે છે, જાળમાં ફસાવ્યો, ફોસલાવવું, છટકું, છટકું કરે છે, છટકું ગોઠવ્યું

વ્યાખ્યા:

“જાળ” અને “છટકું” શબ્દ એવા સાધનનો ઉલ્લેખ કરે છે કે જે પ્રાણીઓને પકડવા અને તેમને ભાગી જતા અટકાવવા માટે વપરાય છે. “જાળ” કે “જાળમાં ફસાવવું” એટલે જાળ દ્વારા પકડવું, અને “છટકું” કે “ફોસલાવવું” એટલે કે છટકા દ્વારા પકડવું. બાઈબલમાં, આ શબ્દોનો ઉપયોગ રૂપકાત્મક રીતે એ વાત કહેવા વિષે પણ થયો છે કે કેવી રીતે પાપ અને પરીક્ષણએ સંતાયેલ છટકા સમાન છે કે જે લોકોને પકડે છે અને તેમને નુકસાન પહોંચાડે છે

ઘણીવાર છટકું ઊંડા બાકોરું/છિદ્ર જેવું હોઈ શકે કે જે બનાવવામાં આવ્યું હોય જે કંઇક તેમાં પડે તેને પકડવા માટે.

(આ પણ જુઓ: મુક્ત કરવું, , શિકાર, શેતાન, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રચાર કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જાહેર, જાહેર કરે છે, જાહેર કરાયેલું, જાહેર કરવું, જાહેરાત, જાહેરાતો

વ્યાખ્યા:

“જાહેર કરવું” અને “જાહેરાત” શબ્દો, મોટે ભાગે કોઈએક બાબત પર ભાર મૂકવા માટે ઔપચારિક અથવા જાહેર નિવેદન કરવા માટે દર્શાવાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રચાર કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જીવન, જીવવું, જીવ્યો, જીવે છે, જીવી રહ્યો છે, જીવંત

વ્યાખ્યા:

આ બધા શબ્દો શારીરિક રીતે જીવંત, મૃત નહીં તેનો ઉલ્લેખ કરે છે. તેઓ અર્થાલંકારિક રીતે આત્મિક રીતે જીવંતનો ઉલ્લેખ કરવા માટે પણ વપરાય છે. "ભૌતિક જીવન" અને "આત્મિક જીવન" નો અર્થ શો થાય એ નીચે જણાવવામાં આવ્યું છે.

1. ભૌતિક જીવન

ઈશ્વરે આદમના શરીરમાં શ્વાસ ફૂંક્યો, અને તે જીવતો વ્યક્તિ બન્યો.

તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ "તેઓ શહેરમાં રહેતા હતા" માં છે તેમ.

2. આત્મિક જીવન

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: મરી જવું, અનંતકાળ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

જુલમ કરવો, જુલમ કરે છે, કચડાયેલા, જુલમ કરતું, જુલમ, અત્યાચારી, અત્યાચાર કરનાર, અત્યાચાર કરનારાઓ

વ્યાખ્યા:

“જુલમ કરવો” તથા “જુલમ” શબ્દો લોકો સાથે કઠોર વ્યવહાર કરવાનો ઉલ્લેખ કરે છે. “અત્યાચારી” એવો વ્યક્તિ છે કે જે લોકો પર જુલમ ગુજારે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બાંધવું, દાસ/ગુલામ બનાવવું, સતાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જે પવિત્ર છે

વ્યાખ્યા:

“જે પવિત્ર છે” શબ્દ બાઈબલમાં શીર્ષક છે, કે જે મોટેભાગે દેવને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર, દેવ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

જેલ, કેદી, કેદીઓ, જેલો, જેલમાં પૂરવું, જેલમાં પૂરે છે, જેલમાં પૂર્યું, જેલવાસ, જેલવાસો

વ્યાખ્યા:

“જેલ” શબ્દ એવી જગાનો ઉલ્લેખ કરે છે જ્યાં ગુનેગારોને તેઓના ગુનાઓની શિક્ષા કરવા રાખવામાં આવે છે. “કેદી” એવી વ્યક્તિ છે જેને જેલમાં પૂરવામાં આવી છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અર્થનો બીજો અનુવાદ “બંદી” થઈ શકે.

(આ પણ જૂઓ: બંદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

જ્ઞાની માણસો

તથ્યો:

બાઇબલમાં, "જ્ઞાની માણસો" શબ્દ, ઘણીવાર એવા લોકોનો ઉલ્લેખ કરે છે જેઓ દેવની સેવા કરે છે અને મૂર્ખામીભર્યા નથી, પરંતુ કુશળ રીતે કાર્ય કરે છે. આ એક વિશિષ્ટ શબ્દ પણ છે જે અસામાન્ય જ્ઞાન અને ક્ષમતાઓ ધરાવતા માણસોને દર્શાવે છે જે રાજાના દરબારના ભાગ રૂપે સેવા આપતા હતા.

આનો અર્થ એ છે કે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળવાને કારણે ડહાપણથી અને ન્યાયપણાથી વર્તતા હોય તેવા માણસોનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, રાજા નબુખાદનેસ્સારે માંગ કરી હતી કે તેમના જ્ઞાની પુરુષો તેનું સ્વપ્ન વર્ણવે અને તેનો અર્થ શું છે તે તેઓ કહે, પરંતુ તેમને દાનિયલ જેને દેવ પાસેથી આ જ્ઞાન મળ્યું હતું તે સિવાય આવું કહેવા માટે, કોઇ સક્ષમ ન હતું.

કેટલાક એવું માને છે કે દાનીએલ બાબેલોનમાં હતા ત્યારે, તેમણે શીખવેલા જ્ઞાની માણસોના વંશજ હતા.

(આ પણ જુઓ: બાબિલોન, દાનિયેલ, ભવિષ્યકથન, જાદુ, નબૂખાદનેસ્સાર, રાજ, ડાહ્યું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝબદી

તથ્યો:

ઝબદી ગાલીલનો માછીમાર હતો, જે તેના પુત્રો, યાકૂબ અને યોહાનને કારણે ઓળખાય છે, જે ઈસુના શિષ્યો હતા. તેઓ નવા કરારમાં "ઝબદીના પુત્રો" તરીકે ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: શિષ્ય,[માછીમારો,યાકૂબ)ઝબદીનો પુત્ર), યોહાન )પ્રેષિત))

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝબુલોન

તથ્યો:

ઝબુલોન, યાકૂબ અને લેઆહનો છેલ્લો જન્મેલો પુત્ર હતો અને ઇઝરાએલના બાર કુળોમાંના એકનું નામ છે.

(આ પણ જુઓ: ઈઝરાએલ, લેઆહ, ખારો સમુદ્ર, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝબુલોન

તથ્યો:

ઝબુલોન, યાકૂબ અને લેઆહનો છેલ્લો જન્મેલો પુત્ર હતો અને ઇઝરાએલના બાર કુળોમાંના એકનું નામ છે.

(આ પણ જુઓ: ઈઝરાએલ, લેઆહ, ખારો સમુદ્ર, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝભ્ભો, ઝભ્ભાઓ, ઝભ્ભો પહેરાવ્યો

વ્યાખ્યા:

ઝભ્ભો એ બાહ્ય લાંબી બાંયનું કપડું કે જે પુરુષ કે સ્ત્રી દ્વારા પહેરી શકાય. તે અંગરખાને સમાન હોય છે.

(આ પણ જુઓ: રાજવંશી, ઉપવસ્ત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝભ્ભો, ઝભ્ભાઓ, ઝભ્ભો પહેરાવ્યો

વ્યાખ્યા:

ઝભ્ભો એ બાહ્ય લાંબી બાંયનું કપડું કે જે પુરુષ કે સ્ત્રી દ્વારા પહેરી શકાય. તે અંગરખાને સમાન હોય છે.

(આ પણ જુઓ: રાજવંશી, ઉપવસ્ત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝૂંસરી, ઝૂંસરીઓ, ઝૂંસરીવાળું

વ્યાખ્યા:

ઝૂંસરી લાકડા અથવા ધાતુનો એક ભાગને બે અથવા વધુ પ્રાણીઓ સાથે જોડાયેલ હળ અથવા ગાડાને ખેંચવાના હેતુ માટે જોડવામાં આવે છે. આ શબ્દ માટે કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

આને "સાથીદાર" અથવા "સાથી સેવક" અથવા "સહકર્મીને" તરીકે પણ અનુવાદ કરવામાં આવે છે.

(આ પણ જુઓ: બાંધવું, બોજો, જુલમ કરવો, સતાવવું, ગુલામ બનાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઝૂંસરી, ઝૂંસરીઓ, ઝૂંસરીવાળું

વ્યાખ્યા:

ઝૂંસરી લાકડા અથવા ધાતુનો એક ભાગને બે અથવા વધુ પ્રાણીઓ સાથે જોડાયેલ હળ અથવા ગાડાને ખેંચવાના હેતુ માટે જોડવામાં આવે છે. આ શબ્દ માટે કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

આને "સાથીદાર" અથવા "સાથી સેવક" અથવા "સહકર્મીને" તરીકે પણ અનુવાદ કરવામાં આવે છે.

(આ પણ જુઓ: બાંધવું, બોજો, જુલમ કરવો, સતાવવું, ગુલામ બનાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ટોપલી, ટોપલીઓ, ટોપલીભર

વ્યાખ્યા:

“ટોપલી” શબ્દ, વણેલા સામગ્રીનું બનેલું પાત્ર દર્શાવે છે.

ટોપલી જળરોધક પદાર્થથી મઢેલી હોઈ તેઓ તરી શકે છે.

આ બન્ને સંદર્ભોનો ઉપયોગમાં વપરાયેલ સામાન્ય શબ્દનો અર્થ “તરતુ પાત્ર” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ: વહાણ, મૂસા, નાઇલ નદી, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ટોપલી, ટોપલીઓ, ટોપલીભર

વ્યાખ્યા:

“ટોપલી” શબ્દ, વણેલા સામગ્રીનું બનેલું પાત્ર દર્શાવે છે.

ટોપલી જળરોધક પદાર્થથી મઢેલી હોઈ તેઓ તરી શકે છે.

આ બન્ને સંદર્ભોનો ઉપયોગમાં વપરાયેલ સામાન્ય શબ્દનો અર્થ “તરતુ પાત્ર” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ: વહાણ, મૂસા, નાઇલ નદી, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ઠપકો, નિંદા કરવી, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરતું, નિંદાખોરીથી

વ્યાખ્યા:

કોઇની નિંદા કરવાનો અર્થ તે વ્યક્તિના ચારિત્ર્ય કે વર્તનની ટીકા કરવી કે તેને ખોટું ઠરાવવું એવો થાય છે. નિંદા એ વ્યક્તિ માટેની નકારાત્મક ટીપણી છે.

(આ પણ જૂઓ: આરોપ, ઠપકો આપવો, શરમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ડર,(ભય), ડર લાગે છે, બીક

વ્યાખ્યા:

“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.

દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ડર,(ભય), ડર લાગે છે, બીક

વ્યાખ્યા:

“ડર” અથવા “બીક” શબ્દો જયારે વ્યક્તિને પોતા અથવા અન્ય માટે નુકશાનની ધમકી આપવામાં આવે હોય ત્યારે જે અપ્રિય લાગણી થાય છે, તે દર્શાવે છે.

દેવ પવિત્ર છે અને પાપને ધિક્કારે છે તે ભયને જાણી તેના દ્વારા પ્રેરિત થવું તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

“યહોવાનો ભય” શબ્દસમૂહને બદલે અથવા “પ્રભુ દેવનો ભય” વાપરવામાં આવ્યો છે.

(આ પણ જુઓ: આશ્ચર્ય પામેલું, આદરયુક્ત ભય, પ્રભુ, સામર્થ્ય, યહોવાહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ડહાપણ, શાણપણ, ડાહ્યો, શાણો, ડહાપણભરી રીતે

તથ્યો:

“ડાહ્યો” શબ્દ એવા વ્યક્તિને વર્ણવે છે કે જે પોતાના કાર્યો વિષે કાળજીપૂર્વક વિચારે છે અને ડહાપણભર્યા નિર્ણયો લે છે.

(આ જૂઓ: ચાલાક, આત્મા, ડાહ્યું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઢાલ, ઢાલો, રક્ષણ

વ્યાખ્યા:

દુશ્મનના હથિયારો દ્વારા ઘાયલ થવાથી પોતાની જાતને બચાવવા માટે યુદ્ધમાં સૈનિક દ્વારા રાખવામાં આવતી વસ્તુ તેને ઢાલ કહેવાતી હતી. કોઈને "ઢાલ" રૂપ બનવું એટલે કે તે વ્યક્તિને હાનિથી રક્ષણ આપવું.

(જુઓ:

રૂપક)

(આ પણ જુઓ: વિશ્વાસ, આજ્ઞા પાળવી, શેતાન, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ઢોંગી, ઢોંગીઓ, પાખંડ

વ્યાખ્યા:

“ઢોંગી” શબ્દ વ્યક્તિ કે જે ન્યાયી હોવાની બાબતો કરે છે, પણ તે ગુપ્તમાં દુષ્ટ રીતે વર્તે છે. “પાખંડ” શબ્દ, એવું વર્તન કે જે તે વ્યક્તિ ન્યાયી છે તેવો વિચાર કરાવી લોકોને છેતરે છે, તેને દર્શાવે છે. ઢોંગીઓ સારી બાબતો કરે છે તેવું દેખાડવા માંગે છે, જેથી કે લોકો તેઓ વિશે વિચારે કે તેઓ સારા લોકો છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

તંબુ, તંબુઓ, તંબુ બનાવનારા

વ્યાખ્યા:

એક તંબુ એ નાનો આશ્રય છે જે મજબુત કાપડના બનેલા હોય છે જે થાંભલાના માળખા પર ઢંકાયેલ હોય છે અને તેમને જોડે છે.

દાખલા તરીકે, મોટા ભાગના વખતે ઈબ્રાહીમનો પરિવાર કનાન દેશમાં રહેતો હતો, તેઓ બકરાના વાળમાંથી બનેલા મજબૂત કાપડના વિશાળ તંબુમાં રહેતા હતા.

તેનો અનુવાદ "ઘરો" અથવા "નિવાસ" અથવા "મકાનો" અથવા તો "સંસ્થાઓ" તરીકે પણ થઈ શકે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કનાન, પડદો, પાઉલ, સિનાઈ, મુલાકાતમંડપ,મુલાકાતમંડપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તકરાર

વ્યાખ્યા:

“તકરાર” શબ્દ લોકો વચ્ચેનો શારીરિક કે ભાવનાત્મક ઝગડાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જુઓ: ગુસ્સો)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તલવાર,તલવારો, તલવારની પત્તાબાજીમાં ઉસ્તાદ

વ્યાખ્યા:

તલવાર કાપવા અથવા ભોંકવા માટે ઉપયોગમાં લેવાતુ એક પહોળી ધારવાળું ધાતુનું હથિયાર છે. તેને હેન્ડલ અને લાંબી, ખૂબ તીક્ષ્ણ ધારવાળી,અણીદાર બ્લેડ હોય છે.

પીતરે તેની તલવારથી, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલમાં ઇશ્વરનું શિક્ષણ લોકોના આંતરિક વિચારોને ખુલ્લા પાડે છે અને તેમનાં પાપનું ભાન કરાવે છે. તેવી જ રીતે,તલવાર ઊંડે સુધીકાપે છે,જેનાથી પીડા થાય છે. (જુઓ:રૂપક

તેનું ભાષાંતર આ રીતે કરી શકાય છે કે,"જીભ તલવાર જેવી છે જે વ્યક્તિને ખરાબ રીતે ઘાયલ કરી શકે છે."

કેટલાક અનુવાદોમાં તલવારનું ચિત્ર સામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ:અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ:યાકુબ (ઇસુના ભાઇ),યોહાન(બાપ્તિસ્ત),જીભ, ઈશ્વરનો શબ્દ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તલવાર,તલવારો, તલવારની પત્તાબાજીમાં ઉસ્તાદ

વ્યાખ્યા:

તલવાર કાપવા અથવા ભોંકવા માટે ઉપયોગમાં લેવાતુ એક પહોળી ધારવાળું ધાતુનું હથિયાર છે. તેને હેન્ડલ અને લાંબી, ખૂબ તીક્ષ્ણ ધારવાળી,અણીદાર બ્લેડ હોય છે.

પીતરે તેની તલવારથી, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલમાં ઇશ્વરનું શિક્ષણ લોકોના આંતરિક વિચારોને ખુલ્લા પાડે છે અને તેમનાં પાપનું ભાન કરાવે છે. તેવી જ રીતે,તલવાર ઊંડે સુધીકાપે છે,જેનાથી પીડા થાય છે. (જુઓ:રૂપક

તેનું ભાષાંતર આ રીતે કરી શકાય છે કે,"જીભ તલવાર જેવી છે જે વ્યક્તિને ખરાબ રીતે ઘાયલ કરી શકે છે."

કેટલાક અનુવાદોમાં તલવારનું ચિત્ર સામેલ હોઈ શકે છે.

(આ પણ જુઓ:અજ્ઞાતનું કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ:યાકુબ (ઇસુના ભાઇ),યોહાન(બાપ્તિસ્ત),જીભ, ઈશ્વરનો શબ્દ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તામાર

તથ્યો:

તામાર જૂના કરારમાં ઘણી સ્ત્રીઓનું નામ હતું તે જૂના કરારમાં કેટલાક શહેરો અથવા અન્ય સ્થળોનું નામ પણ હતું

તેણે પેરેસને જન્મ આપ્યો જે ઇસુ ખ્રિસ્તના પૂર્વજ હતા.

તેના સાવકા ભાઈ આમ્નોને તેના પર બળાત્કાર કર્યો અને તેને તરછોડી દીધી હતી.

એક "બાલ તામાર" પણ છે, અને સામાન્ય સંદર્ભોમાં "તામાર" નામનું સ્થળ જે બીજા શહેરોથી અલગ હોઈ શકે છે.

(આ પણ જુઓ: આબ્શાલોમ, પૂર્વજ, આમ્નોન, દાઉદ, પૂર્વજ, યહૂદા, ખારો સમુદ્ર)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

તીડ, તીડ

તથ્યો:

" તીડ " શબ્દનો ઉલ્લેખ મોટા, ઉડતી ખડમાકડી તરીકેનો થાય છે જે ઘણીવાર ઝૂંડમાં ખૂબ જ વિનાશક થઈને ઊડે છે જે બધી વનસ્પતિ ખાઇ જાય છે.

ઈશ્વરે ઇજિપ્તવાસીઓ સામે દસ મરકીઓમાંના એક તરીકે તીડો મોકલ્યા હતા.

(આ પણ જુઓ: બંદી, મિસર, ઈઝરાએલ, યોહાન (બાપ્તિસ્ત), મરકી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તીડ, તીડ

તથ્યો:

" તીડ " શબ્દનો ઉલ્લેખ મોટા, ઉડતી ખડમાકડી તરીકેનો થાય છે જે ઘણીવાર ઝૂંડમાં ખૂબ જ વિનાશક થઈને ઊડે છે જે બધી વનસ્પતિ ખાઇ જાય છે.

ઈશ્વરે ઇજિપ્તવાસીઓ સામે દસ મરકીઓમાંના એક તરીકે તીડો મોકલ્યા હતા.

(આ પણ જુઓ: બંદી, મિસર, ઈઝરાએલ, યોહાન (બાપ્તિસ્ત), મરકી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તૂર, તૂરના લોકો

તથ્યો:

તૂર એ એક પ્રાચીન કનાની શહેર હતું, જે ભૂમધ્ય સમુદ્રના દરિયાકિનારે સ્થિત છે, જે હવે લેબનોનના આધુનિક દેશનો ભાગ છે. તેના લોકો "તૂરના" તરીકે ઓળખાતા હતા.

તૂરના રાજા હીરામે રાજા દાઉદ માટે મહેલ બાંધવા માટે દેવદારના વૃક્ષોનું લાકડું અને કુશળ કામદારોને મોકલી દીધાં.

સુલેમાને મોટા પ્રમાણમાં ઘઉં અને ઓલિવ તેલ આપ્યા.

કનાન પ્રાંતના આ સૌથી મહત્વપૂર્ણ શહેરો ફિનીકિયા કહેવાતા હતા.

આ પણ જુઓ: કનાન, એરેજ (દેવદાર), ઈઝરાએલ, સમુદ્ર, ફિનીકિયા, સિદોન

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

તેલ

વ્યાખ્યા:

તેલ એક ઘટ્ટ પારદર્શક પ્રવાહી છે કે જેને ખાસ છોડમાંથી એકઠું કરી શકાય છે. બાઇબલના સમયોમાં, સામાન્ય રીતે તેલને જૈતુન વૃક્ષોમાંથી કાઢવામાં આવતું હતું.

કેટલીક ભાષાઓમાં આ વિભિન્ન પ્રકારના તેલો માટે વિભિન્ન શબ્દો હોય છે.

(આ પણ જૂઓ: જૈતફળ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

તેલ

વ્યાખ્યા:

તેલ એક ઘટ્ટ પારદર્શક પ્રવાહી છે કે જેને ખાસ છોડમાંથી એકઠું કરી શકાય છે. બાઇબલના સમયોમાં, સામાન્ય રીતે તેલને જૈતુન વૃક્ષોમાંથી કાઢવામાં આવતું હતું.

કેટલીક ભાષાઓમાં આ વિભિન્ન પ્રકારના તેલો માટે વિભિન્ન શબ્દો હોય છે.

(આ પણ જૂઓ: જૈતફળ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ત્યાગ, ત્યાગ કરે છે, ત્યજાયેલો, ત્યજાઈ ગયેલું

વ્યાખ્યા:

“ત્યાગ” શબ્દનો અર્થ કોઈને છોડી દેવું અથવા કશાકનો પરિત્યાગ કરવો. કોઈ કે જે “ત્યજાયેલો” છે, તે કોઈ બીજા દ્વારા ત્યજેલો અથવા છોડી દીધેલો છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “ત્યાગ કરવો” અથવા “પરિત્યાગ કરવો” અથવા “આજ્ઞા પાળવાનું બંધ કરવું” તેનું શિક્ષણ અથવા તેના કાયદા “પાળવાનું બંધ કરવું” પણ થઈ શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

થોમા

તથ્યો:

થોમા બાર માણસોમાંનો એક હતો, જેમને ઈસુએ પોતાના શિષ્યો અને પાછળથી પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. તે "દીદૂમસ" તરીકે પણ જાણીતો હતો, જેનો અર્થ "જોડિયા." થાય છે.

થોમાએ ઇસુને પૂછ્યું કે , જ્યારે તેઓ જાણતા ન હતા કે તેઓ ક્યાં જઈ રહ્યાં હતા ત્યારે.તેઓ ત્યાં જવાનો માર્ગ કેવી રીતે જાણી સકે.

(અનુવાદ સૂચનો: નામ કેવી રીતે ભાષાંતર કરવું

(આ પણ જુઓ: પ્રેરિત,શિષ્ય,ઈશ્વરપિતા, બાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દયા, દયાળુ

વ્યાખ્યા:

“દયા” તથા “દયાળુ” શબ્દો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સમાન્ય તથા નમ્ર સ્થિતિના હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરુણા, માફ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જે માણસને લૂંટવામાં અને મારવામાં આવ્યો હતો તેનો પાડોશી તે ત્રણમાંનો કોણ હતો? તેણે જવાબ આપ્યો, “જે વ્યક્તિ તેના પ્રત્યે દયાળુ હતો તે.”

શબ્દ માહિતી:

દસ આજ્ઞાઓ

તથ્યો:

"દસ આજ્ઞાઓ" એ આજ્ઞાઓ હતી જે ઈશ્વરે મુસાને સિનાય પર્વત પર આપી હતી, જ્યારે ઈસ્રાએલીઓ કનાન દેશને રસ્તે અરણ્યમાં રહેતા હતા. ઈશ્વરે આ આદેશો પથ્થરની બે મોટી શિલા પર લખ્યા હતા. ઈશ્વરે ઈસ્રાએલીઓને ઘણી આજ્ઞાઓ પાળવાની આજ્ઞા આપી હતી, પરંતુ દસ આજ્ઞાઓ ખાસ આજ્ઞા હતી કે ઈસ્રાએલીઓ ઈશ્વરને પ્રેમ કરે અને ભજન કરે અને અન્ય લોકોને પ્રેમ કરે.

ઈશ્વરે તેમને જે કરવા કહ્યું હતું તે પાળવાથી ઈસ્રાએલી લોકો બતાવશે કે તેઓ ઈશ્વરને પ્રેમ કરતા હતા અને તેઓ તેમના હતા.

(આ પણ જુઓ: કરારકોશ, આદેશ, કરાર, રણ, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, સિનાઈ, ઉપાસના)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દાઉદ

સત્યો:

દાઉદ ઈઝરાએલનો બીજો રાજા હતો અને તેણે દેવને પ્રેમ કર્યો અને તેની સેવા કરી. તે ગીતશાસ્ત્રના પુસ્તકનો મુખ્ય લેખક હતો.

તેણે પલિસ્તી ગોલ્યાથનો પરાજય કર્યો તે સારી રીતે જાણીતું છે.

(આ પણ જુઓ: ગોલ્યાથ, પલિસ્તિઓ, [શાઉલ )

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

જયારે દાઉદ હજુ તો જુવાન માણસ હતો, તે ગોલ્યાથ નામના રાક્ષસ સામે લડ્યો.

શાઉલે ઘણીવાર તેને મારવા પ્રયત્નો કર્યા, જેથી દાઉદ શાઉલથી સંતાઈ રહ્યો.

તોપણ, તેના જીવનના પાછળના સમયમાં તરફ તેણે દેવની વિરુદ્ધ ભયંકર રીતે પાપ કર્યું.

બાકીના તેના જીવન દરમ્યાન કે જ્યાં ખૂબ મુશ્કેલી હતી છતાં પણ દાઉદ દેવને અનુસર્યો અને આધીન રહ્યો.

શબ્દ માહિતી:

દાડમ

તથ્યો:

દાડમ એક પ્રકારનું ફળ છે કે જેને સખત જાડું છોડું હોય છે જેમાં ખાવાલાયક લાલ ગરથી આવરિત બીજ રહેલા હોય છે.

(આ પણ જૂઓ: પિત્તળ, કનાન, મિસર, સુલેમાન, મંદિર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન, દાનો

વ્યાખ્યા:

“દાન” શબ્દ કંઈક કે જે કોઈને આપવામાં અથવા અર્પણ કરવામાં આવે છે, તેને દર્શાવે છે. દાન એ કંઈપણ પાછું મળવાની અપેક્ષા વગર આપવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

સત્યો:

દાન યાકૂબનો પાંચમો દીકરો હતો, અને તે ઈઝરાએલના બાર કુળોમાંનો એક હતો. કનાનના ઉત્તર ભાગના પ્રદેશમાં દાનનું કુળ સ્થાયી થયું હતું તેને પણ આ નામ અપાયું હતું.

“દાનીઓ” શબ્દ દાનના વંશજોને દર્શાવે છે કે જેઓ તેના કુળના પણ સભ્યો હતા.

(આ પણ જુઓ: કનાન, યરૂશાલેમ, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાન

વ્યાખ્યા:

ગરીબોને મદદરૂપ થવા માટે પૈસા, ખોરાક અથવા બીજી અન્ય વસ્તુઓ આપવામાં આવે તેના માટે “દાન” શબ્દ વપરાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દાનિયેલ

સત્યો:

દાનિયેલ ઈઝરાએલીઓનો એક પ્રબોધક હતો કે જેને જુવાન તરીકે લગભગ ઈસ પૂર્વે 600 વર્ષમાં બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર દ્વારા બંદી બનાવીને લઈ જવામાં આવ્યો હતો.

પણ દાનિયેલે દેવને પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું, જેથી તેની ધરપકડ કરી અને સિંહોના બિલમાં ફેકવામાં આવ્યો. પણ દેવે તેને બચાવ્યો અને તેને કંઈપણ ઈજા થઈ નહીં.

(આ પણ જુઓ: બાબિલોન, નબૂખાદનેસ્સાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિલાસો, આરામ, દિલાસો પામેલ, દિલાસો આપવો, દિલાસો આપનાર, દિલાસો આપનારાં, દિલાસો ન પામેલ

વ્યાખ્યા:

“દિલાસો” અને “દિલાસો આપનાર” કોઈક કે જે શારીરિક અથવા ભાવનાત્મક દર્દથી પીડાઈ રહ્યું છે તેને મદદ કરવાનું દર્શાવે છે.

જેઓ દિલાસો પામે છે તેઓ તેવો જ દુઃખથી પીડાતા લોકોને તે જ પ્રકારનો દિલાસો આપવા સક્રિય બને છે.

ભાષાંતર માટેના સૂચનો:

(આ પણ જુઓ: હિંમત, પવિત્ર આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દિવસ, દિવસો

વ્યાખ્યા:

“દિવસ” શબ્દનો શાબ્દિક અર્થ, 24 કલાકનો સમયગાળો જેની શરૂઆત સૂરજના ઉગવાથી થાય છે. તેનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે.

(આ પણ જુઓ: ન્યાયનો દિવસ, અંતિમ દિવસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દીકરો, દીકરાઓ

વ્યાખ્યા:

પુરુષ અને સ્ત્રીનું નાર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય. તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય. “દત્તક પુત્ર” એક પુરુષ છે જે કાયદેસર રીતે દીકરો હોવાનું સ્થાન ધરાવે છે.

તે ઈશ્વરે ઈઝરાયેલને રાષ્ટ્ર તરીકે પોતાના ખાસ લોક બનવા પસંદ કર્યું તેનો ઉલ્લેખ કરે છે. તે તો તેમના દ્વારા ઈશ્વરનો ઉદ્ધાર અને તારણનો સંદેશ આવ્યો, તેના પરિણામ સ્વરૂપે ઘણાં બીજા લોકો તેમના આત્મિક બાળકો બન્યા.

તેના ઉદાહરણ તરીકે “અજવાળાના દીકરાઓ,” “અનઆજ્ઞાંકિતના દીકરાઓ,” “શાંતિનો દીકરો,” અને “ગર્જનાના દીકરાઓ”નો સમાવેશ થાય છે.

આ શબ્દસમૂહનો ઉપયોગ વંશાવળીઓમા અને બીજી ઘણી જગ્યાએ થાય છે.

ઉદાહરણ તરીકે, 1 રાજાઓ 4 મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને 2 રાજાઓ 15 મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહાર્ણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: અઝાર્યા, વારસામાં ઉતરેલું, પૂર્વજ, પ્રથમજનિત, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દીકરો, દીકરાઓ

વ્યાખ્યા:

પુરુષ અને સ્ત્રીનું નાર સંતાન તેમનો “દીકરો” તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કહેવાય. તેને તે પુરુષનો દીકરો અને તે સ્ત્રીનો દીકરો પણ કહેવાય. “દત્તક પુત્ર” એક પુરુષ છે જે કાયદેસર રીતે દીકરો હોવાનું સ્થાન ધરાવે છે.

તે ઈશ્વરે ઈઝરાયેલને રાષ્ટ્ર તરીકે પોતાના ખાસ લોક બનવા પસંદ કર્યું તેનો ઉલ્લેખ કરે છે. તે તો તેમના દ્વારા ઈશ્વરનો ઉદ્ધાર અને તારણનો સંદેશ આવ્યો, તેના પરિણામ સ્વરૂપે ઘણાં બીજા લોકો તેમના આત્મિક બાળકો બન્યા.

તેના ઉદાહરણ તરીકે “અજવાળાના દીકરાઓ,” “અનઆજ્ઞાંકિતના દીકરાઓ,” “શાંતિનો દીકરો,” અને “ગર્જનાના દીકરાઓ”નો સમાવેશ થાય છે.

આ શબ્દસમૂહનો ઉપયોગ વંશાવળીઓમા અને બીજી ઘણી જગ્યાએ થાય છે.

ઉદાહરણ તરીકે, 1 રાજાઓ 4 મા, “સાદોકનો દીકરો અઝાર્યા” અને નાથાનનો દીકરો અઝાર્યા” અને 2 રાજાઓ 15 મા “અમાસ્યાનો દીકરો અઝાર્યા” ત્રણે જુદા જુદા માણસો છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહાર્ણ તરીકે, “ઈશ્વરના દીકરાઓ” નું અનુવાદ “ઈશ્વરના બાળકો” તરીકે કરી શકાય જેમાં આ અભિવ્યક્તિ છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: અઝાર્યા, વારસામાં ઉતરેલું, પૂર્વજ, પ્રથમજનિત, ઈશ્વરનો દીકરો, ઈશ્વરના દીકરાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દીન, દીનતા

વ્યાખ્યા:

“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે. દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.

(આ પણ જૂઓ: નમ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીન, દીનતા

વ્યાખ્યા:

“દીન” શબ્દ સૌમ્ય, આધીન તથા અન્યાય સહેવા સહમત એવા વ્યક્તિનું વર્ણન કરે છે. દીનતા, જ્યારે કઠોરતા અથવા તો બળપ્રયોગનો ઉપયોગ યોગ્ય લાગે ત્યારે પણ સૌમ્ય રહેવાની ક્ષમતા છે.

(આ પણ જૂઓ: નમ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીવી, દીવીઓ

વ્યાખ્યા:

બાઈબલમાં, સામાન્ય રીતે "દીવી" શબ્દ એવિ રચનાનો ઉલ્લેખ કરે છે જેના પર દીવો મૂકવામાં આવે જેથી તે ઓરડામાં પ્રકાશ આપે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: પિત્તળ, સોનુ, દીવો, પ્રકાશ, ચાંદી/રૂપું, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દીવો, દીવાઓ

વ્યાખ્યા:

સામાન્ય રીતે "દીવો" શબ્દ જે અજવાળું આપે છે તેનો ઉલ્લેખ કરે છે. બાઈબલના સમયમાં જે દીવાઓ ઉપયોગમાં લેવાતા હતા એ તો સામાન્ય રીતે તેલના દીવાઓ હતા. બળતણના સ્ત્રોત સાથેનું નાનું પાત્ર, સામાન્ય રીતે તેલ, જે જ્યારે સળગે ત્યારે અજવાળું આપે એ બાઈબલના સમયોમાં વપરાતા દીવાનો પ્રકાર હતો.

(આ પણ જુઓ: દીવી, જીવન, પ્રકાશ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દુકાળ, દુષ્કાળ

વ્યાખ્યા:

“દુકાળ” શબ્દ સામાન્ય રીતે અપૂરતા વરસાદને કારણે, સમગ્ર દેશ અથવા પ્રદેશમાં ખોરાકની સખત અછતને દર્શાવે છે.

તમારી ભાષામાં “દુકાળ” શબ્દ અથવા શબ્દસમૂહનું ભાષાંતર, “ખૂબજ અછત” અથવા “ગંભીર નુકશાન,” (શબ્દ વાપરીને ભાષાંતર) કરી શકાય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દુષ્ટ, દુષ્ટ, દુષ્ટતા

વ્યાખ્યા:

“દુષ્ટ” અથવા” ઘૃણાસ્પદ” બન્ને શબ્દો કઈંક કે જે દેવના પવિત્ર ચરિત્ર અને ઈચ્છાનો વિરોધ કરે છે, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, પાપ, સારું, ન્યાયી, ભૂત)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

દેવ

સત્યો:

બાઈબલમાં, “દેવ” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે. દેવનું વ્યક્તિગત નામ “યહોવા” છે.

ભાષાંતરના સૂચનો:

ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “દેવ” માટે શબ્દ હોઈ શકે. એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા દેવના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ અગત્યનું છે.

(આ પણ જુઓ: સર્જન કરવું, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, દેવ, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

આ મારું સદાકાળનું નામ છે.”

શબ્દ માહિતી:

દેવ

સત્યો:

બાઈબલમાં, “દેવ” શબ્દ દર્શાવે છે કે, એ શાશ્વત વ્યક્તિ છે કે જેણે શૂન્યમાંથી સૃષ્ટિનું સર્જન કર્યું છે. દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અસ્તિત્વમાં છે. દેવનું વ્યક્તિગત નામ “યહોવા” છે.

ભાષાંતરના સૂચનો:

ભાષામાં ભાષાંતર તરીકે ત્યાં કદાચ પહેલેથીજ “દેવ” માટે શબ્દ હોઈ શકે. એમ હોય તો, ખાતરી કરો કે તે ઉપર વર્ણવેલા એક સાચા દેવના લક્ષણો સાથે આ શબ્દ બંધબેસતો આવે કે નહિ અગત્યનું છે.

(આ પણ જુઓ: સર્જન કરવું, દેવ, ઈશ્વરપિતા, પવિત્ર આત્મા, દેવ, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

આ મારું સદાકાળનું નામ છે.”

શબ્દ માહિતી:

દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા

વ્યાખ્યા:

જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે. વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.

ફક્ત યહોવા એકલો દેવ છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા (મૂર્તિ), રાજ્ય, ઉપાસના)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :

શબ્દ માહિતી:

દેવ, જૂઠા દેવો, દેવી, મૂર્તિ, મૂર્તિઓ, મૂર્તિપૂજક, મૂર્તિપૂજકો, મૂર્તિપૂજક, મૂર્તિપૂજા

વ્યાખ્યા:

જૂઠો દેવ એ છે કે લોકો સાચા દેવને બદલે તેની પૂજા કરે છે. વિશેષ કરીને “દેવી” શબ્દ, જૂઠા નારી દેવને (દેવીને) દર્શાવે છે.

ફક્ત યહોવા એકલો દેવ છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દેવ, અશેરાહ, બઆલ, મોલેખ, ભૂત, પ્રતિમા (મૂર્તિ), રાજ્ય, ઉપાસના)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો :

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેશ, દેશો

વ્યાખ્યા:

દેશ એ કોઈક પ્રકારની સરકાર દ્વારા શાસિત લોકોનો એક મોટો સમૂહ છે. ઘણી વાર દેશના લોકોના એક જ પૂર્વજો હોય છે અને તેઓનો વંશવારસો સમાન હોય છે.

તેનો સંદર્ભ તપાસવો બહું જ મહત્ત્વનું છે.

આનો અનુવાદ “બે દેશોના સ્થાપકો” અથવા તો “બે લોકજાતિઓના પૂર્વજો” તરીકે કરી શકાય.

અહીં સંદર્ભ અર્થને સ્પષ્ટ બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આશ્શૂર, બાબિલોન, કનાન, વિદેશી, ગ્રીક, લોકજાતિ, પલિસ્તિઓ, રોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દેહ

વ્યાખ્યા:

બાઈબલમાં, શાબ્દિક રીતે “દેહ” શબ્દ, માનવી અથવા પ્રાણીના શારીરિક શરીરની નરમ પેશીઓને દર્શાવે છે.

મોટે ભાગે આ શબ્દ તેઓના આત્મિક સ્વભાવના વિરોધાભાસમાં વાપરવામાં આવ્યો છે.

ભાષાંતરના સૂચનો:

કદાચ જ્યાં સંદર્ભ હોય છે, ત્યાં તેનું ભાષાંતર “પૂર્વજો” અથવા “વંશજો” તરીકે કરી શકાય છે.

આ અભિવ્યક્તિનું ભાષાંતર લક્ષ્ય ભાષા અને સંસ્કૃતિમાં સ્વીકાર્ય છે તે ખાતરી કરી ચકાસવું જોઈએ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા

વ્યાખ્યા:

“દોષિત” અને “દંડાજ્ઞા” શબ્દો, કોઈને કઈંક ખોટું કરવા માટે ન્યાય કરવો, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ન્યાયાધીશ, શિક્ષા કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દોષિત, દંડ પામે છે, દોષિત ઠરાવેલું, દંડાજ્ઞા

વ્યાખ્યા:

“દોષિત” અને “દંડાજ્ઞા” શબ્દો, કોઈને કઈંક ખોટું કરવા માટે ન્યાય કરવો, તે દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ન્યાયાધીશ, શિક્ષા કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્રષ્ટાંત, દ્રષ્ટાંતો

વ્યાખ્યા:

“દ્રષ્ટાંત” શબ્દ સામાન્ય રીતે એક નાની વાર્તા અથવા તો પદાર્થપાઠનો ઉલ્લેખ કરે છે કે જેનો ઉપયોગ એક નૈતિક સત્ય સમજાવવા અથવા તો શીખવવા થાય છે.

જો કે તેમણે લોકોના ટોળાઓને પણ દ્રષ્ટાંતો કહ્યાં, તો પણ તેમણે હંમેશાં દ્રષ્ટાંતની સમજણ આપી નહિ.

ઈસુએ જૂની તથા નવી મશકોની સરખામણી કરી તે દ્રષ્ટાંતનું એક ઉદાહરણ છે. શિષ્યોને ઈસુનું શિક્ષણ સમજવામાં મદદ કરવા તે એક પદાર્થપાઠ હતો.

(આ પણ જૂઓ: સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો

વ્યાખ્યા:

દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે. દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.

જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.

સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.

(આ પણ જુઓ: વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્રાક્ષ, દ્રાક્ષા, દ્રાક્ષનો વેલો

વ્યાખ્યા:

દ્રાક્ષ એ નાનું, ગોળ, કોમળ છાલવાળું બોર જેવું ફળ છે કે જે વેલાઓ ઉપર ઝૂમખાંમાં ઊગે છે. દ્રાક્ષાના રસને દ્રાક્ષારસ બનાવવા માટે વાપરવામાં આવે છે.

જેમાં સામાન્ય રીતે વેલાઓની લાંબી હારમાળા આવેલી હોય છે.

સુકાઈ ગયેલી દ્રાક્ષોને “કિસમિસ” કહેવામાં આવતી, અને તેઓ તેની કિસમિસ કેક બનાવવા ઉપયોગ કરતા હતાં.

(આ પણ જુઓ: વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્રાક્ષવાડી, દ્રાક્ષવાડીઓ

વ્યાખ્યા:

દ્રાક્ષવાડી એક મોટો બગીચો છે જ્યાં દ્રાક્ષવેલાની વાવણી થાય છે અને દ્રાક્ષની ખેતી થાય છે.

)જુઓ: [રૂપક[

(આ પણ જુઓ: [દ્રાક્ષ[, ઇસ્રાએલ, દ્રાક્ષ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

દ્રાક્ષાકુંડ

વ્યાખ્યા:

બાઇબલના સમયમાં, "દ્રાક્ષાકુંડ" એક વિશાળપાત્ર અથવા ખુલ્લું સ્થળ હતું, જ્યાં દ્રાક્ષનો રસ દ્રાક્ષારસ બનાવવા માટે કાઢવામાં આવતો હતો.

દ્રાક્ષના ઝૂમખાં કાણાંના સપાટ તળિયે મૂકવામાં આવતાં હતાં અને લોકો દ્રાક્ષનો રસ બહાર કાઢવા માટે તેમના પગ તળે દ્રાક્ષને કચડી નાખતા હતા.

(જુઓ: રૂપક

(આ પણ જુઓ: દ્રાક્ષ, કોપ

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

દ્રાક્ષારસ, દ્રાક્ષારસ, મશક, મશકો, નવો દ્રાક્ષારસ

વ્યાખ્યા:

બાઇબલમાં, " દ્રાક્ષારસ " શબ્દનો અર્થ છે દ્રાક્ષના ફળોના રસમાંથી બનાવેલ આથો ચડાવેલું પીણું. દ્રાક્ષારસ ને " મશકો " માં સંગ્રહ કરવામાં આવતો હતો, જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી હતી.

કેટલીકવાર " દ્રાક્ષારસ " શબ્દ પણ આથો ચડાવેલો ન હોય તેવા દ્રાક્ષના રસનો ઉલ્લેખ કરે છે.

આ રસને આખરે આથો ચડે છે અને તે દારૂમાં ફેરવાય છે.

હાલના દ્રાક્ષરસમાં દારૂ હોય તેટલો ત્યારના દ્રાક્ષારસમાં ન હતો.

નવી મશકોમાં નરમ અને લવચીક હતી, જેનો અર્થ છે કે તેઓ સરળતાથી તૂટતી ન હતી અને દ્રાક્ષારસને સુરક્ષિત રાખી શકતી હતી.

મશકનું બીજી રીતે ભાષાંતર “દ્રાક્ષારસ માટેની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલી દ્રાક્ષારસની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલું દ્રાક્ષારસ માટેનું પાત્ર.

(આ પણ જુઓ: દ્રાક્ષ, વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષાકુંડ

બાઇબલના સંદર્ભો:

પીસવું

શબ્દ માહિતી:

દ્રાક્ષારસ, દ્રાક્ષારસ, મશક, મશકો, નવો દ્રાક્ષારસ

વ્યાખ્યા:

બાઇબલમાં, " દ્રાક્ષારસ " શબ્દનો અર્થ છે દ્રાક્ષના ફળોના રસમાંથી બનાવેલ આથો ચડાવેલું પીણું. દ્રાક્ષારસ ને " મશકો " માં સંગ્રહ કરવામાં આવતો હતો, જે પ્રાણીઓની ચામડીમાંથી બનાવવામાં આવેલી હતી.

કેટલીકવાર " દ્રાક્ષારસ " શબ્દ પણ આથો ચડાવેલો ન હોય તેવા દ્રાક્ષના રસનો ઉલ્લેખ કરે છે.

આ રસને આખરે આથો ચડે છે અને તે દારૂમાં ફેરવાય છે.

હાલના દ્રાક્ષરસમાં દારૂ હોય તેટલો ત્યારના દ્રાક્ષારસમાં ન હતો.

નવી મશકોમાં નરમ અને લવચીક હતી, જેનો અર્થ છે કે તેઓ સરળતાથી તૂટતી ન હતી અને દ્રાક્ષારસને સુરક્ષિત રાખી શકતી હતી.

મશકનું બીજી રીતે ભાષાંતર “દ્રાક્ષારસ માટેની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલી દ્રાક્ષારસની થેલી” અથવા પ્રાણીઓની ચામડીમાંથી બનાવેલું દ્રાક્ષારસ માટેનું પાત્ર.

(આ પણ જુઓ: દ્રાક્ષ, વેલો, દ્રાક્ષવાડી, દ્રાક્ષાકુંડ

બાઇબલના સંદર્ભો:

પીસવું

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

દ્વાર, દ્વારો, દરવાજાના ભૂંગળો, દ્વારપાળ, દ્વારપાળો, દ્વારસ્તંભો, પ્રવેશદ્વાર, પ્રવેશદ્વારો,

વ્યાખ્યા:

“દ્વાર” એ પ્રવેશદ્વાર આગળ રહેલો અને મિજાગરા પર ફરતો એક અવરોધરૂપ બારણું છે કે, જે ઘર અથવા શહેરની આસપાસ, અને દિવાલ સાથે જોડાયેલ હોય છે. “આગળો” એ લાકડાનો અથવા ધાતુનો આગળો કે જે દ્વારને બંધ કરવા માટે ખસેડી શકાય છે.

દ્વારોને ધાતુ અથવા લાકડાના આગળાથી બંધ કરી અને તાળા મારવામાં આવતા હતા જેથી શત્રુ સિપાઈઓને શહેરમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય.

દિવાલો પ્રવેશદ્વાર સખત જાડી રહેતી કે જેથી સૂર્યની ગરમીથી બચીને ઠંડો છાંયો ઉત્પન્ન થાય, તેને કારણે તે જગ્યા પર ધંધાની લેવડદેવડ અને ચુકાદો પણ આપવામાં આવતો હતો. નાગરિકોને તે છાંયામાં બેસીને તેઓનો વ્યવસાય કરવાનું અને કાનૂની કિસ્સાઓનો ન્યાય કરવાનું સુખદ લાગતું હતું.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ધૂપ, ધૂપ કરવો

વ્યાખ્યા:

“ધૂપ” શબ્દ મસાલાની સુવાસના મિશ્રણને દર્શાવે છે કે જેને બાળવાથી જે ધુમાડો પેદા થાય છે, તેની સુવાસ સુખદ હોય.

આ પવિત્ર ધૂપ હતો, જેથી તેઓને તેની બીજા કોઈ હેતુ માટે વાપરવાની પરવાનગી નહોતી.

તે દરેક સમયે જયારે દહનાર્પણ અર્પણ કરવામાં આવતું, ત્યારે તે (ધૂપ) ચઢાવવામાં આવતો હતો.

(આ પણ જુઓ: ધૂપનીવેદી, દહનાર્પણ, લોબાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નકાર કરવો, નકાર કરે છે, નકાર કર્યો, નકાર કરતું, નકાર

વ્યાખ્યા:

કોઈક વ્યક્તિ કે વસ્તુનો “નકાર કરવા” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને સ્વીકારવાનો ઇનકાર કરવો એવો થાય છે.

તેઓ તેનું આજ્ઞાપાલન કરવા ચાહતા નહોતા.

બીજી ભાષાઓમાં આવી જ અભિવ્યક્તિ હોય શકે કે જેનો અર્થ કોઈક વ્યક્તિ કે વસ્તુનો નકાર કરવો અથવા તો તેના પર વિશ્વાસ કરવાનો ઇનકાર કરવો એવો થતો હોય.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: આદેશ, આજ્ઞાભંગ, આજ્ઞા પાળવી, અક્કડ ગરદન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નફતાલી

તથ્યો:

નફતાલી યાકૂબનો છઠ્ઠો દીકરો હતો. તેના વંશજોથી નફતાલીનું કુળ બન્યું, કે જે ઇઝરાયલના બાર કુળોમાનું એક હતું.

(આ જૂઓ: ઉપલક્ષ્ય અલંકાર

(આ પણ જૂઓ: આશેર, દાન, ઈઝરાએલ, ગાલીલનો સમુદ્ર, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નફતાલી

તથ્યો:

નફતાલી યાકૂબનો છઠ્ઠો દીકરો હતો. તેના વંશજોથી નફતાલીનું કુળ બન્યું, કે જે ઇઝરાયલના બાર કુળોમાનું એક હતું.

(આ જૂઓ: ઉપલક્ષ્ય અલંકાર

(આ પણ જૂઓ: આશેર, દાન, ઈઝરાએલ, ગાલીલનો સમુદ્ર, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નમ્ર,નમ્ર કરે છે, નમ્ર કરાયેલું, નમ્રતા

વ્યાખ્યા:

નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી.

તે અભિમાની અથવા ઘમંડી નથી. નમ્ર હોવાનો ગુણ તે નમ્રતા છે. દેવની આગળ નમ્ર હોવાનો અર્થ, પોતાની નબળાઈ અને અપૂર્ણતા સરખામણીમાં દેવની મહાનતા, શાણપણ, અને સંપૂર્ણતાને સમજવી.

(આ પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નમ્ર,નમ્ર કરે છે, નમ્ર કરાયેલું, નમ્રતા

વ્યાખ્યા:

નમ્ર શબ્દ એવી વ્યક્તિને વર્ણવે છે કે જે બીજાઓ કરતાં પોતે વધુ સારો (સારી) છે એમ વિચારતો નથી.

તે અભિમાની અથવા ઘમંડી નથી. નમ્ર હોવાનો ગુણ તે નમ્રતા છે. દેવની આગળ નમ્ર હોવાનો અર્થ, પોતાની નબળાઈ અને અપૂર્ણતા સરખામણીમાં દેવની મહાનતા, શાણપણ, અને સંપૂર્ણતાને સમજવી.

(આ પણ જુઓ: અભિમાની)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નર્ક, અગ્નિની ખાઈ

વ્યાખ્યા:

નર્ક એ દુઃખ અને પીડાનું અંતિમ શાશ્વત સ્થળ છે જ્યાં દેવ દરેક કે જેઓ તેની વિરુદ્ધ બળવો કરે છે અને ઈસુના બલિદાન દ્વારા તેઓને બચાવવાની તેની યોજનાને નકારે છે, તેઓને સજા કરશે. તેને “અગ્નિની ખાઈ” તરીકે પણ દર્શાવવામાં આવી છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: સ્વર્ગ, મરી જવું, હાદેસ, પાતાળ [શેઓલ](../kt/hades.md))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

અગ્નિ કે જે કદી હોલવાશે નહિ પણ સતત તે તેઓને બાળશે, અને કીડાઓ તેઓને ખાવાનું કદી બંધ કરશે નહીં.

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નામ, નામો, નામ પાડ્યું

વ્યાખ્યા:

બાઇબલમાં, “નામ” શબ્દનો ઉપયોગ કેટલીક પ્રતિકાત્મક રીતે થયો છે.

ઉદાહરણ તરીકે, “મૂર્તિઓના નામ ભૂંસી કાઢવા”નો અર્થ થાય છે કે તે મૂર્તિઓનો નાશ કરો કે જેથી તેઓને યાદ કરવામાં કે તેઓની પૂજા કરવામાં આવે નહિ.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: તેડું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાશ, નાશ કરે છે, નાશ પામેલું, વિનાશક, વિનાશકો, વિનાશ કરનારું

વ્યાખ્યા:

કંઇક વસ્તુનો નાશ કરવો એટલે તેનો સંપૂર્ણપણે અંત લાવવો, જેથી તે અસ્તિત્વમાં ન રહે.

તેનું ભાષાંતર, “એક (અથવા દૂત) કે જેણે પ્રથમ જનિત પુરુષોને મારી નાખ્યા,” તરીકે કરી શકાય છે.

તે એક છે “કે જે નાશ કરે છે” કારણકે તેનો હેતુ દેવે જે બનાવ્યું છે તે બધાંનો વિનાશ કરવાનો છે.

(આ પણ જુઓ: દેવદૂત, મિસર, પ્રથમજનિત, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નાસરેથ, નાઝારી

તથ્યો:

નાસરેથ ઉત્તર ઇઝરાયલમાં ગાલીલ પ્રાંતમાં આવેલું એક નગર છે. તે યરુશાલેમથી લગભગ 100 કિલોમીટર ઉત્તરે છે અને પગે ચાલતા લગભગ ત્રણથી પાંચ દિવસ લાગતા હતા.

તેથી જ ઈસુ “નાઝારી” તરીકે ઓળખાતા હતા.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, ગાલીલ, [યૂસફ, યૂસફ (નવાકરાર))

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

નાહૂમ

તથ્યો:

નાહૂમ એક પ્રબોધક હતો કે જેણે જ્યારે મનાશ્શા રાજા યહૂદિયા પર રાજ કરતો હતો ત્યારે પ્રબોધ કર્યો.

(આ પણ જૂઓ:: આશ્શૂર, મનાશ્શા, પ્રબોધક, નિનવે)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિંદા, નિંદા કરે છે, નિંદા કરી, નિંદા કરનાર, નિંદા કરી રહ્યા છે, નિંદાત્મક

વ્યાખ્યા:

નિંદાએ નકારાત્મક, બીજી વ્યક્તિ માટે બદનામકારક બોલવામાં (લખાણમાં નહિ) આવે તેને સમાવિષ્ટ કરે છે.

કોઈકના વિષે તેવી બાબતો બોલવી (તેઓને લખવી નહિ) એટલે કે તે વ્યક્તિની નિંદા કરવી.

જે વ્યક્તિ આવી બાબતો બોલે છે તે નિંદા કરનાર છે.

(આ પણ જુઓ: ઈશ્વર નિંદા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિનવે, નિનવેવાદી

તથ્યો:

નિનવે આશ્શૂરની રાજધાનીનું શહેર હતું. “નિનવેવાદી” એક વ્યક્તિ હતી કે જે નિનવેમાં રહેતી હતી.

લોકોએ પશ્ચાતાપ કર્યો અને ઈશ્વરે તેમનો નાશ કર્યો નહિ.

તેઓએ ઇઝરાયલના રાજ્યને જીતી લીધું અને લોકોને નિનવેમાં લઈ ગયા.

(આ પણ જૂઓ: આશ્શૂર, યૂના, પશ્ચાતાપ કરવો, વળાંક)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિમ્ન, નીચુ, નિમ્નતા

વ્યાખ્યા:

"નિમ્ન" અને "નિમ્નતા" શબ્દો ગરીબ અથવા નીચી સ્થિતિ હોવાનો ઉલ્લેખ કરે છે. નિમ્ન હોવાનો અર્થ નમ્ર હોવાનો અર્થ પણ હોઈ શકે છે.

(આ પણ જુઓ: નમ્ર, અભિમાની)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ, ગુનો અથવા બીજું ખોટું કર્યાનો દોષ ન હોવો. વધુ સામાન્ય રીતે તે લોકો કે જેઓ દુષ્ટ બાબતોમાં સામેલ નથી તે પણ દર્શાવી શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપરાધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દેવનો દીકરો હતો”.

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો શાબ્દિક અર્થ “દોષ વગરનો” એમ થાય છે. તે એ વ્યક્તિ માટે દર્શાવાય છે કે જે પુરા હ્રદયથી દેવની આજ્ઞા પાળે છે, પણ તેનો અર્થ નથી કે તે વ્યક્તિ પાપરહિત છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર એમ થઇ શકે કે “જેના ચરિત્રમાં ખામી નથી” અથવા “જે દેવને સંપૂર્ણપણે આજ્ઞાંકિત છે” અથવા “પાપથી દૂર રહે છે” અથવા “દુષ્ટતાથી દૂર રહે છે.”

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નિર્દોષ, દોષમુક્ત કરવું, નિર્દોષ જાહેર કરાયેલું

વ્યાખ્યા:

“નિર્દોષ” શબ્દનો અર્થ એમ થાય છે કે ઔપચારિક રીતે જાહેર કરવું કે જે તે વ્યક્તિ ગેરકાયદે કામ અથવા અનૈતિક વર્તનથી મુક્ત છે.

(જુઓ: માફ કરવું, અપરાધ, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

નૂહ

તથ્યો:

નૂહ એક માણસ હતો કે જે 4000 વર્ષ અગાઉ થઈ ગયો. આ તે સમય હતો કે જ્યારે ઈશ્વરે જગતના બધા જ દુષ્ટ લોકોનો સંહાર કરવા વિશ્વવ્યાપી પૂર મોકલ્યું હતું. ઈશ્વરે નૂહને એક વિશાળકાય વહાણ બાંધવા કહ્યું કે જ્યારે પૂર આખી પૃથ્વીને ઘેરી વળે ત્યારે તે અને તેનું કુટુંબ તેમાં રહી શકે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, વહાણ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વરે તેઓને જે પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે તેણે તથા તેના દીકરાઓએ વહાણ બાંધ્યું.

ઘણાં બાળકો અને બાળકોના બાળકો પેદા કરો અને પૃથ્વીને ભરપૂર કરો. તેથી નૂહ અને તેનું કુટુંબ વહાણમાંથી બહાર આવ્યા.

શબ્દ માહિતી:

નેગેબ

તથ્યો:

નેગેબ દક્ષિણ ઇઝરાયલમાં એક અરણ્ય પ્રદેશ છે કે જે ખારા સમુદ્રની દક્ષિણ પશ્ચિમે છે.

(આ પણ જૂઓ: ઈબ્રાહિમ, બેરશેબા, ઈઝરાએલ, યહૂદા, કાદેશ, ખારો સમુદ્ર, શિમયોન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ન્યાયસભા, ન્યાયસભાઓ

વ્યાખ્યા:

ન્યાયસભા એ લોકોનું જૂથ છે કે, જેઓ ચર્ચા કરવા, સલાહ આપવા, અને અગત્યની બાબતો વિશે નિર્ણયો લેવા ભેગા મળે છે.

તે આ ન્યાયસભાના ધાર્મિક આગેવાનો હતા કે, જેઓએ ઈસુ પર મુકદ્દમો ચલાવ્યો, અને તેને મારી નાખવો જોઈએ તેવું નક્કી કર્યું.

(આ પણ જુઓ: સભા, સલાહ, ફરોશી, નિયમ/કાયદો/કાનૂન, યાજક, સદૂકી, શાસ્ત્રી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો, ન્યાય, ચુકાદાઓ

વ્યાખ્યા:

મોટેભાગે “ન્યાયાધીશ” અથવા “ન્યાય” શબ્દો, કંઈક નૈતિક રીતે સાચું કે ખોટું છે તે વિશે નિર્ણય કરવો તેને દર્શાવે છે.

દેવ તેના લોકોને સૂચન કરે છે કે આ રીતે એક બીજાનો ન્યાય ન કરો.

તેઓ તેના આદેશો, નિયમો, અથવા આજ્ઞાઓ સમાન છે.

વ્યક્તિ કે જેનામાં “ન્યાય” કરવાનો અભાવ હોય છે તેની પાસે સમજદાર નિર્ણયો કરવાનું જ્ઞાન હોતું નથી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિધિ (હુકમ), ન્યાયાધીશ, ન્યાયનો દિવસ, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ જે રાજા બનીને આવશે અને તે દાઉદના રાજ્યાસન પર બેસીને સંપૂર્ણ રાજા બનશે. તે આખી દુનિયા પર સદાકાળ માટે રાજ્ય કરશે, અને તે હંમેશા પ્રમાણિકપણે અને સારા નિર્ણયો કરી ન્યાય કરશે.

જ્યાં તેઓ સદાકાળ માટે નરકમાં નાખવામાં આવશે કે ત્યાં તેઓ રડશે અને દાંત પીસશે.

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો, ન્યાય, ચુકાદાઓ

વ્યાખ્યા:

મોટેભાગે “ન્યાયાધીશ” અથવા “ન્યાય” શબ્દો, કંઈક નૈતિક રીતે સાચું કે ખોટું છે તે વિશે નિર્ણય કરવો તેને દર્શાવે છે.

દેવ તેના લોકોને સૂચન કરે છે કે આ રીતે એક બીજાનો ન્યાય ન કરો.

તેઓ તેના આદેશો, નિયમો, અથવા આજ્ઞાઓ સમાન છે.

વ્યક્તિ કે જેનામાં “ન્યાય” કરવાનો અભાવ હોય છે તેની પાસે સમજદાર નિર્ણયો કરવાનું જ્ઞાન હોતું નથી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિધિ (હુકમ), ન્યાયાધીશ, ન્યાયનો દિવસ, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મસીહ જે રાજા બનીને આવશે અને તે દાઉદના રાજ્યાસન પર બેસીને સંપૂર્ણ રાજા બનશે. તે આખી દુનિયા પર સદાકાળ માટે રાજ્ય કરશે, અને તે હંમેશા પ્રમાણિકપણે અને સારા નિર્ણયો કરી ન્યાય કરશે.

જ્યાં તેઓ સદાકાળ માટે નરકમાં નાખવામાં આવશે કે ત્યાં તેઓ રડશે અને દાંત પીસશે.

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો

વ્યાખ્યા:

ન્યાયાધીશ એવી વ્યક્તિ છે કે જે જયારે લોકોની વચ્ચે વિવાદો થાય ત્યારે સાચું અથવા ખોટું શું છે તે નક્કી કરે છે, સામાન્ય રીતે એવી બાબતોમાં કે જે કાયદાને અનુલક્ષે છે.

મોટેભાગે આ ન્યાયાધીશો સૈન્યના આગેવાનો હતા કે જેઓ ઈઝરાએલીઓને તેઓના શત્રુઓને હરાવીને તે દ્વારા છોડાવતા હતા.

(આ પણ જુઓ: સંચાલન, ન્યાયાધીશ, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો

વ્યાખ્યા:

ન્યાયાધીશ એવી વ્યક્તિ છે કે જે જયારે લોકોની વચ્ચે વિવાદો થાય ત્યારે સાચું અથવા ખોટું શું છે તે નક્કી કરે છે, સામાન્ય રીતે એવી બાબતોમાં કે જે કાયદાને અનુલક્ષે છે.

મોટેભાગે આ ન્યાયાધીશો સૈન્યના આગેવાનો હતા કે જેઓ ઈઝરાએલીઓને તેઓના શત્રુઓને હરાવીને તે દ્વારા છોડાવતા હતા.

(આ પણ જુઓ: સંચાલન, ન્યાયાધીશ, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો

વ્યાખ્યા:

ન્યાયાધીશ એક નિયુક્ત કરેલ અધિકારી છે કે જે ન્યાય કરવાનું કામ કરે છે અને કાયદાકિય બાબતોનો નિર્ણય કરે છે.

(આ પણ જૂઓ: ન્યાયાધીશ, નિયમ/કાયદો/કાનૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ન્યાયાધીશ, ન્યાયાધીશો

વ્યાખ્યા:

ન્યાયાધીશ એક નિયુક્ત કરેલ અધિકારી છે કે જે ન્યાય કરવાનું કામ કરે છે અને કાયદાકિય બાબતોનો નિર્ણય કરે છે.

(આ પણ જૂઓ: ન્યાયાધીશ, નિયમ/કાયદો/કાનૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાયીપણું, અન્યાયી, અન્યાયીપણું, પ્રામાણિક, પ્રમાણિકપણું

વ્યાખ્યા:

“ન્યાયીપણું” શબ્દ ઈશ્વરની સંપૂર્ણ ભલાઈ, ન્યાય, વિશ્વાસુપણું અને પ્રેમનો ઉલ્લેખ કરે છે. આ બધા ગુણલક્ષણો હોવાને કારણે ઈશ્વર “ન્યાયી” છે. ઈશ્વર ન્યાયી છે તે કારણે તેમણે પાપને વખોડવું જ જોઈએ.

તો પણ, બધા જ લોકોએ પાપ કર્યું છે તે કારણે, ઈશ્વર સિવાય બીજું કોઈ સંપૂર્ણપણે ન્યાયી નથી.

“અન્યાયી” શબ્દનો અર્થ પાપી હોવું તથા નૈતિક રીતે ભ્રષ્ટ હોવું એવો થાય છે. “અન્યાયીપણું” પાપ કે પાપી હોવાની દશાનો ઉલ્લેખ કરે છે.

“પ્રામાણિક” અને “પ્રામાણિકપણું” શબ્દો ઈશ્વરના નિયમોને અનુસરતી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: દુષ્ટ, વફાદાર (વિશ્વાસુ), સારું, પવિત્ર, પ્રામાણિકપણું, ન્યાયી, કાયદો/કાનૂન, નિયમ/કાયદો/કાનૂન, આજ્ઞા પાળવી, શુદ્ધ, ન્યાયી, પાપ, કાયદેસર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે દુષ્ટ લોકો મધ્યે રહેતો એક ન્યાયી માણસ હતો.

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ન્યાયી, ન્યાય, અન્યાયી, અન્યાયી રીતે, અન્યાય, ન્યાયપૂર્ણ, ન્યાયી ઠરાવવું, ન્યાયીકરણ

વ્યાખ્યા:

"ન્યાયી" અને "ન્યાય" ઈશ્વરના નિયમો પ્રમાણે લોકો સાથે વાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે. માનવી નિયમો કે જે ઈશ્વરના બીજાઓ પ્રત્યેના યોગ્ય વર્તનના ધારાધોરણો પ્રતિબિંબિત કરે છે તેઓ પણ ન્યાયી છે.

તે ઈશ્વરની દ્રષ્ટિમાં જે નૈતિક રીતે ખરું છે તે કરવા પ્રમાણિક્તા અને અખંડતા સૂચવે છે.

"અન્યાયી" અને "અન્યાયી રીતે" શબ્દો લોકો સાથે ગેરવ્યાજબી રીતે અને ઘણીવાર હાનિકારક રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

તે લોકો સાથે ગેરવ્યાજબી રીતે વર્તવાનો ઉલ્લેખ કરે છે.

"ન્યાયી ઠરાવવું" અને "ન્યાયીકરણ" શબ્દો એ દોષિત વ્યક્તિને ન્યાયી ઠરાવવાનો ઉલ્લેખ કરે છે. માત્ર ઈશ્વર જ ખરેખર લોકોને ન્યાયી ઠરાવી શકે.

તેઓ પાપીઓ કે જેઓ પસ્તાવો કરે છે અને ઈસુમાં વિશ્વાસ કરે છે તેઓને તેમના પાપોમાથી બચાવવા ન્યાયી ઠરાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: માફ કરવું, અપરાધ, ન્યાયાધીશ, ન્યાયી, ન્યાયી)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પક્ષ, પક્ષ લેવો, તરફેણ, પક્ષપાત

વ્યાખ્યા:

“પક્ષ” એટલે પસંદ છે. જયારે કોઈ વ્યક્તિનો પક્ષ લે છે, ત્યારે તે હકારાત્મક રીતે તે વ્યક્તિ પર ધ્યાન દે છે અને અન્ય ના ફાયદા માટે જે કરે છે તેના કરતા તે વ્યક્તિના ફાયદા માટે વધારે કરે છે.

તેનો અર્થ એક વ્યક્તિ ઉપર બીજાને પસંદ કરવાની ઈચ્છા અથવા એક બાબત ઉપર બીજી બાબત પસંદ કરવાની ઈચ્છા કારણકે વ્યક્તિ અથવા વસ્તુ પસંદ કરેલી છે.???? સામાન્ય રીતે, “પક્ષપાત” ને અયોગ્ય માનવામાં આવે છે.

તેનો અર્થ કે તેઓએ તેના ચારિત્ર્ય અને વર્તન ને મંજુર કર્યા.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ “મનપસંદ” શબ્દ સાથે સંબંધિત છે,” જેનો અર્થ “એક કે જે પસંદ અથવા અતિપ્રિય” છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પડદો, પડદાઓ

વ્યાખ્યા:

બાઈબલમાં, “પડદો” શબ્દ, મુલાકાત મંડપ અને મંદિર બનાવવામાં માટે વપરાતી કપડાંની સામગ્રીના ખૂબજ જાડો અને ભારે ટુકડાને દર્શાવે છે.

આ પડદાના આવરણો કાપડ અથવા પશુઓની ચામડીમાંથી બનાવેલા હતા.

આ પડદાઓ “શણ” માંથી બનાવેલા હતા, કે જે શણના છોડમાંથી બનાવેલું એક પ્રકારનું કાપડ હતું.

આ તે પડદાઓ હતા કે જયારે ઈસુ મૃત્યુ પામ્યા ત્યારે ચમત્કારિક રીતે બે ભાગોમાં ચિરાઈ ગયા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર સ્થાન, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પડદો, ઘૂંઘટ, અસ્પષ્ટ, અનાવરણ

વ્યાખ્યા:

"પડદો" શબ્દ સામાન્ય રીતે કાપડના પાતળા ભાગને દર્શાવે છે, જે માથાના આવરણ તરીકે ઉપયોગમાં લેવાય છે, માથા કે ચહેરાને ઢાંકવા માટે કે જેથી તેને જોઈ શકાતું નથી.

પરંતુ તે સંદર્ભમાં "પડદો" એ વધુ સારો શબ્દ છે, કારણ કે તે કાપડના ભારે, જાડા ભાગને દર્શાવે છે.

અનુવાદનાં સૂચનો

મૂસા માટે તેનો ઉપયોગ થતો હોય ત્યારે કોઈ અલગ શબ્દ શોધવાનું જરૂરી બની શકે છે. )આ પણ જુઓ: મૂસા)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

પડોશી, પડોશીઓ, પાડોશ, પાડોશના

વ્યાખ્યા:

“પડોશી” શબ્દ સામાન્ય રીતે નજીકમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વધુમાં, તે એક જ સમુદાયમાં અથવા તો લોકજાતિમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ પણ કરી શકે છે.

(આ પણ જૂઓ: વૈરી, દ્રષ્ટાંત, લોકજાતિ, સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પડોશી, પડોશીઓ, પાડોશ, પાડોશના

વ્યાખ્યા:

“પડોશી” શબ્દ સામાન્ય રીતે નજીકમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વધુમાં, તે એક જ સમુદાયમાં અથવા તો લોકજાતિમાં રહેતા વ્યક્તિનો ઉલ્લેખ પણ કરી શકે છે.

(આ પણ જૂઓ: વૈરી, દ્રષ્ટાંત, લોકજાતિ, સમરૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પત્ર, પત્ર, પત્રો

વ્યાખ્યા:

પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.

પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.

(આ પણ જુઓ: હિંમત, બોધ, શીખવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પત્ર, પત્ર, પત્રો

વ્યાખ્યા:

પત્ર એ એક લેખિત સંદેશ વ્યક્તિ કે વ્યક્તિઓના જુથને મોકલવામાં આવતો જેઓ સામાન્ય રીતે લેખકથી દૂર અંતરે હોય.

પત્ર (એપિસ્ટલ) એ ખાસ પ્રકારનો પત્ર છે, ઘણીવાર ખૂબ પદ્ધતિસર શૈલીમાં, ખાસ હેતુ, જેમ કે શીખવવા માટે લખવામાં આવતો હતો.

(આ પણ જુઓ: હિંમત, બોધ, શીખવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પથ્થર, પથ્થરો, પથ્થર મારવા

વ્યાખ્યા:

પથ્થર એ નાનો ખડક છે. કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા. “પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, સોંપવું, ગુનો, મરી જવું, લુસ્ત્રા, જુબાની)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પથ્થર, પથ્થરો, પથ્થર મારવા

વ્યાખ્યા:

પથ્થર એ નાનો ખડક છે. કોઈકને “પથ્થર” મારવા એટલે કે તે વ્યક્તિ સામે તેને મારી નાંખવાના ઈરાદાથી પથ્થરો અને મોટા ખડકો ફેંકવા. “પથ્થર મારવા” એ એક બનાવ છે કે જેમાં કોઈકને પથ્થરે મારવામાં આવ્યા હોય છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, સોંપવું, ગુનો, મરી જવું, લુસ્ત્રા, જુબાની)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પરદેશી, અલગ કરે છે, અલગ કરેલું, વિદેશ, વિદેશી, વિદેશીઓ

વ્યાખ્યા:

“વિદેશી” શબ્દ વ્યક્તિ કે જે દેશ તેનો પોતાનો નથી તેમાં રહે છે, તે દર્શાવે છે. વિદેશીનું બીજું એક નામ “પરદેશી” છે.

પછીથી જયારે નાઓમી અને તેણીની પુત્ર વધૂ રૂથ ઈઝરાએલમાં રહેવા આવ્યા, ત્યારે રૂથને “વિદેશી” કહેવામાં આવી હતી કારણકે તેણી મૂળ ઈઝરાએલથી નહોતી.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પરદેશી, અલગ કરે છે, અલગ કરેલું, વિદેશ, વિદેશી, વિદેશીઓ

વ્યાખ્યા:

“વિદેશી” શબ્દ વ્યક્તિ કે જે દેશ તેનો પોતાનો નથી તેમાં રહે છે, તે દર્શાવે છે. વિદેશીનું બીજું એક નામ “પરદેશી” છે.

પછીથી જયારે નાઓમી અને તેણીની પુત્ર વધૂ રૂથ ઈઝરાએલમાં રહેવા આવ્યા, ત્યારે રૂથને “વિદેશી” કહેવામાં આવી હતી કારણકે તેણી મૂળ ઈઝરાએલથી નહોતી.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર, પવિત્રતા, અપવિત્ર, પવિત્ર

વ્યાખ્યા:

“પવિત્ર” અને “પવિત્રતા” શબ્દો ઈશ્વરના ચરિત્રનું વર્ણન કરે છે, તે દેવને જે સર્વ પાપી અને અપૂર્ણ છે તેનાથી તેને તદ્દન નિરાળું અને અલગ કરે છે

તે લોકો અને વસ્તુઓને પવિત્ર બનાવે છે.

દેવની નજીક જવા માટે તેઓએ ધાર્મિક સંસ્કાર પ્રમાણે પાપથી શુદ્ધ થવું પડતું.

શાબ્દિક રીતે, “અપવિત્ર” શબ્દનો અર્થ “જે પવિત્ર નથી.” તે કોઈક વ્યક્તિ અથવા કંઈક વસ્તુ કે જે દેવનું સન્માન કરતી નથી તેનું વર્ણન કરે છે.

તે દેવનું નથી. “પવિત્ર” શબ્દ કંઈક કે જે દેવની આરાધના સંબંધિત અથવા જૂઠા દેવોની મૂર્તિપૂજાને વર્ણવે છે.

તે શબ્દનું “ધાર્મિક” તરીકે પણ ભાષાંતર કરી શકાય છે.

તેનું ભાષાંતર, “યહોવાની આરાધના માટેનું સંગીત” અથવા “ગીતો કે જે દેવની પ્રશંસા કરે છે” તરીકે કરી શકાય છે.

તે વિધિ જૂઠા દેવની (આરાધના કરવા) માટે મૂર્તિપૂજક યાજક દ્વારા કરવામાં આવતી પૂજાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

તેનું ભાષાંતર “દેવના મહિમા માટે કોઈને અલગ કરવું” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, પાવન કરવું, પવિત્ર કરવું, અલગ કરવું)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર આત્મા, દેવનો આત્મા, પ્રભુનો આત્મા, આત્મા

સત્યો:

આ બધાંજ શબ્દો પવિત્ર આત્મા, કે જે દેવ છે તેને દર્શાવે છે. એક સાચા ઈશ્વર પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા તરીકે અનંતકાળ માટે અસ્તિત્વ ધરાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ પણ જુઓ: પવિત્ર, આત્મા, દેવ, પ્રભુ, ઈશ્વરપિતા, ઈશ્વરનો દીકરો, દાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પવિત્ર નગર, પવિત્ર નગરો

વ્યાખ્યા:

બાઈબલમાં, “પવિત્ર નગર” શબ્દ યરૂશાલેમ શહેરને દર્શાવે છે.

(આ પણ જુઓ: સ્વર્ગ, પવિત્ર, યરૂશાલેમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પવિત્ર સ્થાન

વ્યાખ્યા:

બાઈબલમાં “પવિત્ર સ્થાન” અને “પરમ પવિત્ર સ્થાન” શબ્દો, મુલાકાત મંડપના અથવા મંદિરની ઈમારતના બે ભાગોને દર્શાવે છે. પ્રથમ ખંડ “પવિત્ર સ્થાન” હતું, અને તેમાં વેદીનો ધૂપ અને ટેબલ ઉપર ખાસ “રોટલીની હાજરી” રાખવામાં આવતી હતી.

સામાન્ય રીતે તે કોઈપણ જગ્યા હોય, તે દેવ માટે અલગ કરાયેલી હતી એમ દર્શાવી શકાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ધૂપનીવેદી, કરારકોશ, રોટલી, પાવન કરવું, અદાલત, પડદો, પવિત્ર, અલગ કરવું, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પવિત્રસ્થાન

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “પવિત્રસ્થાન”નો અર્થ “પવિત્ર સ્થાન” અને તે જે જગ્યાને ઈશ્વરે પવિત્ર બનાવી છે તેનો ઉલ્લેખ કરે છે. તે એવી પણ જગ્યાનો ઉલ્લેખ કરે છે કે જે રક્ષણ અને સલામતી આપે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર, પવિત્ર આત્મા, પવિત્ર, અલગ કરવું, મુલાકાતમંડપ, વેરો, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પવિત્રસ્થાન

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “પવિત્રસ્થાન”નો અર્થ “પવિત્ર સ્થાન” અને તે જે જગ્યાને ઈશ્વરે પવિત્ર બનાવી છે તેનો ઉલ્લેખ કરે છે. તે એવી પણ જગ્યાનો ઉલ્લેખ કરે છે કે જે રક્ષણ અને સલામતી આપે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર, પવિત્ર આત્મા, પવિત્ર, અલગ કરવું, મુલાકાતમંડપ, વેરો, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પસંદ કરેલું, પસંદ કરેલાઓ, પસંદ, પસંદ કરેલા લોકો, પસંદ કરેલો, ચૂંટવું

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ચૂંટી કાઢવું” શબ્દનો અર્થ, “પસંદ કરેલાઓ” અથવા “પસંદ કરેલા લોકો” જેમની દેવે નિમણૂક અથવા તેના લોકો થવા પસંદ કર્યા છે, તે દર્શાવે છે. “પસંદ કરેલા” અથવા દેવના પસંદ કરેલા” શીર્ષક કે જે ઈસુને દર્શાવે છે, કે જે પસંદ કરેલો મસીહા છે.

મોટેભાગે તે એવી વ્યક્તિને દર્શાવે છે કે જેને દેવ તેના લોક થવા સારું અને તેની સેવા કરવા સારું નિમણૂક કરે છે. “પસંદ કરેલા હોવું” શબ્દનો અર્થ કઈંક કરવા “પસંદ હોવું” અથવા” નિમણૂક કરેલું હોવું.”

તેને લીધે તેઓ “પસંદ કરાયેલા અથવા “ચૂંટેલા” કહેવાય છે.

તે ઈઝરાયેલ દેશના પસંદ કરેલા લોકોને દર્શાવવા પણ વપરાયો છે.

જયારે ખ્રિસ્તમાં વિશ્વાસીઓને દર્શાવવામાં આવે છે, ત્યારે મૂળ ભાષામાં આ શબ્દસમૂહ બહુવચન છે.

નવા કરારમાં “ચૂંટવું” શબ્દ, મોટાભાગની આધુનિક આવૃત્તિઓમાં વાપર્યો છે, જે દર્શાવે છે કે લોકો વિશ્વાસથી ઈસુમાં દેવ દ્વ્રારા બચાવવામાં આવ્યા છે. બાઈબલના અન્યત્ર લખાણમાં તેઓએ “પસંદ કરેલાઓ” તરીકે આ શબ્દનું ભાષાંતર વધારે શાબ્દિક રીતે કર્યું છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: નિમણુક, ખ્રિસ્ત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું

વ્યાખ્યા:

તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.

તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.

દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.

બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.

તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.

અનુવાદનાં સૂચનો:

"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે." "આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.

આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.

સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પાણી, પાણીઓ, પાણી પાયું, પાણી પીવડાવવું

વ્યાખ્યા:

તેના પ્રાથમિક અર્થ ઉપરાંત, "પાણી" પણ ઘણીવાર પાણીના શરીરનો ઉલ્લેખ કરે છે, જેમ કે મહાસાગર, સમુદ્ર, તળાવ અથવા નદી.

તે મોટા પ્રમાણમાં પાણી માટે સામાન્ય સંદર્ભ હોઈ શકે છે.

દાખલા તરીકે, ઈશ્વર વચન આપે છે કે જ્યારે આપણે 'પાણીમાંથી પસાર થઈશું' ત્યારે તે અમારી સાથે હશે.

બાઇબલના સમયમાં, તે સામાન્ય રીતે એક કૂવામાંથી ડોલથી પાણી કાઢીને પ્રાણીઓને પીવા માટે પાણીની હોજમાં અથવા અન્ય વાસણમાં રેડવામાં આવતું હતું.

તેનો અર્થ એ કે તે આધ્યાત્મિક શક્તિ અને તાજગીનો સ્ત્રોત છે.

અનુવાદનાં સૂચનો:

"* તેમનામાંથી જીવતા પાણીના ઝરાઓ વહેશે" નું ભાષાંતર કરી શકાય છે "પવિત્ર આત્માથી શક્તિ અને આશીર્વાદો તેમનામાંથી પાણીના ઝરાઓની જેમ વહેશે." "આશીર્વાદ" શબ્દને બદલે "ભેટ" અથવા "ફળો" અથવા "દૈવી ચરિત્ર” નો ઉપયોગ કરી શકાય છે.

આ સંદર્ભમાં, પાણીની કલ્પનાને અનુવાદમાં રાખવી જોઈએ.

સંદર્ભને આધારે, "પાણી" અથવા "ઘણાં પાણી " શબ્દનું ભાષાંતર "મહાન પીડા )તમારી આસપાસ પાણીની જેમ ઘેરે છે" અથવા "જબરજસ્ત મુશ્કેલીઓ )પાણીના પ્રવાહની જેમ( અથવા "મોટા પ્રમાણમાં પાણી” ભાષાંતર કરી શકાય છે.

(આ પણ જુઓ: જીવન, આત્મા, પવિત્ર આત્મા, [શક્તિ([

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાપ, પાપ કરે છે, પાપ કર્યું, પાપી, પાપ કરનાર, પાપ કર્યા કરવું

વ્યાખ્યા:

“પાપ” એવી ક્રિયાઓ, વિચારો અને શબ્દોનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરના નિયમો અને ઈચ્છાની વિરુદ્ધમાં છે. પાપ જે ઈશ્વર ઈચ્છે છે કે આપણે કરીએ તે ન કરવું તેનો પણ ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, આ નામપટ્ટી કર ઉઘરાવનારા/દાણીઓ અને વેશ્યાઓ/ગણિકાઓને આપવામાં આવી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, દુષ્ટ, દેહ, વેરો)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેમણે ઈશ્વરે કરેલો સિનાઈ પર્વત પરનો તેમની સાથેનો કરાર તોડી નાંખ્યો.

બીજા લોકોના પાપની શિક્ષા ભોગવવા માટે તે મરણ પામશે.

તે નવા કરારમાનું મારું લોહી છે જે પાપોની માફીને સારું વહેવડાવવામાં આવ્યું છે.

પરંતુ ઈશ્વર વિશ્વાસુ છે અને જો તમે તમારા પાપો કરો તો, તેઓ તમને માફ કરશે. તેઓ તમને પાપની વિરુદ્ધ લડવા માટે સામર્થ્ય આપશે.

શબ્દ માહિતી:

પાયમાલ, પાયમાલી, તારાજીઓ (નાશ)

વ્યાખ્યા:

“પાયમાલ” અને “પાયમાલી” શબ્દો વસવાટ કરેલા પ્રદેશને નાશ કરવો જેથી તે બિનવસવાટી જગ્યા બની જાય, તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: રણ, ઉજાડવું, વિનાશ, કચરો)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

પારાન

તથ્યો:

પારાન ઈજિપ્તની પૂર્વમાં અને કનાન દેશની દક્ષિણે આવેલો રણ કે અરણ્ય વિસ્તાર હતો. ત્યાં પારાન પહાડ પણ હતો કે જે સિનાઈ પર્વતનું બીજું નામ હોય શકે છે.

(આ પણ જૂઓ: કનાન, રણ, મિસર, કાદેશ, સિનાઈ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પાળક, પાળકો

વ્યાખ્યા:

“પાળક” શબ્દ શબ્દશઃ રીતે “ઘેટાંપાળક” નો સમાનાર્થી શબ્દ છે. કોઈ વ્યક્તિ કે જે એક વિશ્વાસીઓના જૂથનો આત્મિક આગેવાન છે તેના માટે તે શીર્ષક તરીકે વપરાય છે.

બીજે બધે જ્યાં “ઘેટાંપાળક” શબ્દનો અનુવાદ થયો છે તેનો આ સમાનર્થી શબ્દ છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: ઘેટાંપાળક, ઘેટી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પાસ્ખા, પાસ્ખાપર્વ

તથ્યો:

ઈશ્વરે કેવી રીતે તેઓના પૂર્વજોને એટલે કે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની યાદગીરીમાં યહૂદીઓ દર વર્ષે જે ધાર્મિક પર્વ મનાવતા હતા તેનું નામ “પાસ્ખાપર્વ” છે.

આ ખોરાક તેમને તે ભોજનની યાદ અપાવતો હતો કે જેને ઇઝરાયલીઓએ ઈજિપ્તમાંથી છૂટકારો પામ્યા તેની આગલી રાત્રે ખાધું હતું.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેઓ સંપૂર્ણ અને પાપરહિત હતા અને તેમને પાસ્ખાપર્વની ઉજવણી દરમ્યાન મારી નાખવામાં આવ્યા હતા.

શબ્દ માહિતી:

પાસ્ખા, પાસ્ખાપર્વ

તથ્યો:

ઈશ્વરે કેવી રીતે તેઓના પૂર્વજોને એટલે કે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની યાદગીરીમાં યહૂદીઓ દર વર્ષે જે ધાર્મિક પર્વ મનાવતા હતા તેનું નામ “પાસ્ખાપર્વ” છે.

આ ખોરાક તેમને તે ભોજનની યાદ અપાવતો હતો કે જેને ઇઝરાયલીઓએ ઈજિપ્તમાંથી છૂટકારો પામ્યા તેની આગલી રાત્રે ખાધું હતું.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેઓ સંપૂર્ણ અને પાપરહિત હતા અને તેમને પાસ્ખાપર્વની ઉજવણી દરમ્યાન મારી નાખવામાં આવ્યા હતા.

શબ્દ માહિતી:

પિતર, સિમોન પિતર, કેફાસ

તથ્યો:

પિતર ઈસુના બાર શિષ્યોમાંનો એક હતો. તે શરૂઆતની મંડળીનો એક મહત્ત્વનો આગેવાન હતો.

પિતર નામનો અર્થ ગ્રીક ભાષામાં પણ “પથ્થર” અથવા તો “ખડક” થાય છે.

(આ પણ જૂઓ: શિષ્ય, પ્રેરિત)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

અમને શો બદલો મળશે?”

સાત વાર?”

ઈસુએ પિતરને કહ્યું, “આવ!”

પછી ઈસુએ પિતરને કહ્યું, “શેતાન તમારા બધા પર નિયંત્રણ ચાહે છે, પણ પિતર મેં તારા માટે પ્રાર્થના કરી છે કે તારો વિશ્વાસ નિષ્ફળ ન જાય. તો પણ, આજે રાત્રે, તું ક્યારેય મને ઓળખતો હતો તે વિષે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર નકાર કરીશ.”

શબ્દ માહિતી:

પિત્તળ

વ્યાખ્યા:

“પિત્તળ” શબ્દ, એક પ્રકારનું ધાતુ દર્શાવે છે કે જે તાંબુ અને કલાઈ ધાતુઓને એક સાથે ઓગાળીને બનાવવામાં આવે છે. તેને ઘેરો બદામી, સહેજ લાલ રંગ હોય છે.

આ પ્રક્રિયાને “ઢાળણી” કહેવામાં આવતી હતી.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: બખ્તર, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પિત્તળ

વ્યાખ્યા:

“પિત્તળ” શબ્દ, એક પ્રકારનું ધાતુ દર્શાવે છે કે જે તાંબુ અને કલાઈ ધાતુઓને એક સાથે ઓગાળીને બનાવવામાં આવે છે. તેને ઘેરો બદામી, સહેજ લાલ રંગ હોય છે.

આ પ્રક્રિયાને “ઢાળણી” કહેવામાં આવતી હતી.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: બખ્તર, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પિલાત

તથ્યો:

પિલાત યહૂદીયાના રોમન પ્રાંતનો રાજ્યપાલ હતો કે જેણે ઈસુને મૃત્યુદંડ દીધો હતો.

(આ પણ જૂઓ: વધસ્તંભે જડવું, સંચાલન, અપરાધ, યહૂદિયા, રોમ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેઓને આશા હતી કે પિલાત ઈસુને દોષિત ઠરાવશે અને તેને મારી નાખવાની સજા કરશે. પિલાતે ઈસુને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?”

પણ યહૂદી આગેવાનોએ અને ટોળાએ બૂમો પાડી, “તેને વધસ્તંભે જડાવ!” પિલાતે પ્રત્યુત્તર આપ્યો, “તે દોષિત નથી.” પણ તેઓએ વધારે મોટેથી બૂમો પાડી. પછી પિલાતે ત્રીજી વાર કહ્યું, “તે દોષિત નથી!”

શબ્દ માહિતી:

પીડા, ત્રાસ, પીડા, પીડિત

તથ્યો:

"પીડા" શબ્દનો અર્થ ભયંકર દુઃખો થાય છે. કોઈને દુઃખ આપવાનો અર્થ એ કે તે વ્યક્તિને ઘણીવાર ક્રૂર રીતે, સહન કરવું પડે છે.

ઉદાહરણ તરીકે, પ્રકટીકરણનું પુસ્તક શારીરિક પીડાને વર્ણવે છે કે "શ્વાપદ"ના ભક્તો અંતના સમયમાં પીડાશે.

કેટલાક અનુવાદકો અર્થને સ્પષ્ટ બનાવવા માટે " શારીરિક " અથવા "આધ્યાત્મિક" ઉમેરી શકે છે.

)આ પણ જુઓ: [શ્વાપદ[, [શાશ્વત[, [અયૂબ[, [તારનાર[, [આત્મા[, [પીડા[, [ભજન([

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પીડા, ત્રાસ, પીડા, પીડિત

તથ્યો:

"પીડા" શબ્દનો અર્થ ભયંકર દુઃખો થાય છે. કોઈને દુઃખ આપવાનો અર્થ એ કે તે વ્યક્તિને ઘણીવાર ક્રૂર રીતે, સહન કરવું પડે છે.

ઉદાહરણ તરીકે, પ્રકટીકરણનું પુસ્તક શારીરિક પીડાને વર્ણવે છે કે "શ્વાપદ"ના ભક્તો અંતના સમયમાં પીડાશે.

કેટલાક અનુવાદકો અર્થને સ્પષ્ટ બનાવવા માટે " શારીરિક " અથવા "આધ્યાત્મિક" ઉમેરી શકે છે.

)આ પણ જુઓ: [શ્વાપદ[, [શાશ્વત[, [અયૂબ[, [તારનાર[, [આત્મા[, [પીડા[, [ભજન([

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પૂછવું, પુછે છે, તપાસ કરેલું, પૂછપરછ

સત્યો:

“પૂછવું” શબ્દનો અર્થ જાણકારી માટે કોઈને પૂછવું.

“(તે)ને વિશે પૂછવું” અભિવ્યક્તિ મોટેભાગે જ્ઞાન અથવા મદદ માટે દેવને પૂછવું, તે દર્શાવવા વાપરવામાં આવ્યો છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર, પૂર આવે છે, પૂર આવ્યું, પૂર આવવું, પાણીનું પૂર

વ્યાખ્યા:

“પૂર” શબ્દનો શાબ્દિક અર્થ, જ્યારે મોટા પ્રમાણમાં પાણી સંપૂર્ણપણે રીતે જમીનને ઢાંકે છે તેને દર્શાવે છે.

દરેક કે જેઓ નૂહની સાથે વહાણમાં નહોતા તેઓ ડૂબી ગયા. પૂરથી જમીનનો બધોજ નાનો વિસ્તાર ઢંકાઈ ગયો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વહાણ, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો, પિતા, પિતાઓ, જન્મ આપવો, પિતાની સાર, વડવા, વડવાઓ, દાદા

વ્યાખ્યા:

જયારે શાબ્દિક રીતે “પિતા” શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે તે વ્યક્તિના પુરુષ પિતાને દર્શાવે છે. આ શબ્દના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ છે.

આ શબ્દનું ભાષાંતર, “પૂર્વજ” અથવા “વડીલોપાર્જિત પિતા” પણ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે, ઉત્પત્તિ 4 માં “બધાનો પિતા જે તંબુઓમાં રહે છે” તે શબ્દનો અર્થ, “પ્રથમ લોકોના પ્રથમ કુળનો આગેવાન કે જે તંબુમાં વસ્યો હતો,” એમ થઈ શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરપિતા, દીકરો, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો, પિતા, પિતાઓ, જન્મ આપવો, પિતાની સાર, વડવા, વડવાઓ, દાદા

વ્યાખ્યા:

જયારે શાબ્દિક રીતે “પિતા” શબ્દ વાપરવામાં આવ્યો છે, ત્યારે તે વ્યક્તિના પુરુષ પિતાને દર્શાવે છે. આ શબ્દના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ છે.

આ શબ્દનું ભાષાંતર, “પૂર્વજ” અથવા “વડીલોપાર્જિત પિતા” પણ કરી શકાય છે.

ઉદાહરણ તરીકે, ઉત્પત્તિ 4 માં “બધાનો પિતા જે તંબુઓમાં રહે છે” તે શબ્દનો અર્થ, “પ્રથમ લોકોના પ્રથમ કુળનો આગેવાન કે જે તંબુમાં વસ્યો હતો,” એમ થઈ શકે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરપિતા, દીકરો, ઈશ્વરનો દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો

વ્યાખ્યા:

બાઈબલમાં “પૂર્વજ” શબ્દ જે વ્યક્તિ યહૂદી લોકોની સ્થાપના કરનાર પૂર્વજ હતો તેનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઇબ્રાહિમ, ઇસહાક અથવા તો યાકૂબનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: પૂર્વજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પૂર્વજ, પૂર્વજો

વ્યાખ્યા:

બાઈબલમાં “પૂર્વજ” શબ્દ જે વ્યક્તિ યહૂદી લોકોની સ્થાપના કરનાર પૂર્વજ હતો તેનો ઉલ્લેખ કરે છે, ખાસ કરીને ઇબ્રાહિમ, ઇસહાક અથવા તો યાકૂબનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: પૂર્વજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પૃથ્વી, માટીનું, ધરતીનું

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પૃથ્વી, માટીનું, ધરતીનું

વ્યાખ્યા:

“પૃથ્વી” શબ્દ એ વિશ્વને દર્શાવે છે કે જેના ઉપર મનુષ્ય જાત, બધા અન્ય સ્વરૂપોના જીવો સાથે રહે છે.

મોટેભાગે આ શબ્દ રૂપકાત્મક રીતે, લોકો કે જેઓ પૃથ્વી ઉપર રહે છે તેઓ માટે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. (આ પણ જુઓ: સબંધી/અજહલ્લક્ષણા

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: આત્મા, વિશ્વ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પેઓર, પેઓર પહાડ, બઆલ પેઓર

વ્યાખ્યા:

“પેઓર” અને “પેઓર પહાડ” શબ્દો મોઆબના પ્રદેશમાં, ખારા સમુદ્રની ઉત્તરપૂર્વે સ્થિત એક પહાડનો ઉલ્લેખ કરે છે.

આ એ જગ્યા છે જ્યાં ઈશ્વરે મૂસાને વચનનો દેશ બતાવ્યો તે પછી તે ત્યાં મૃત્યુ પામ્યો.

ઇઝરાયલીઓએ પણ તે મૂર્તિની પૂજા કરવાનું શરૂ કર્યું હતું અને ઈશ્વરે તે માટે તેઓને સજા કરી હતી.

(આ પણ જૂઓ: બઆલ, દેવ, મોઆબ, ખારો સમુદ્ર, ઉપાસના)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પેઢી

વ્યાખ્યા:

“પેઢી” શબ્દ, લોકોનું જૂથ કે જેઓ એક સમયગાળામાં આસપાસ જન્મ્યા હતા, તેને દર્શાવે છે.

બાઈબલના સમયમાં, પેઢી સામાન્ય રીતે લગભગ 40 વર્ષો માટે માનવામાં આવતી હતી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, દુષ્ટ, પૂર્વજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પેઢી

વ્યાખ્યા:

“પેઢી” શબ્દ, લોકોનું જૂથ કે જેઓ એક સમયગાળામાં આસપાસ જન્મ્યા હતા, તેને દર્શાવે છે.

બાઈબલના સમયમાં, પેઢી સામાન્ય રીતે લગભગ 40 વર્ષો માટે માનવામાં આવતી હતી.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, દુષ્ટ, પૂર્વજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાર, પ્રકારો, દયા, દયાળુ

વ્યાખ્યા:

“પ્રકાર” અને “પ્રકારો” “શબ્દો જૂથો કે વસ્તુઓના વર્ગીકરણનો ઉલ્લેખ કરે છે જે સરખી લાક્ષણિક્તાઓથી જોડાયેલ હોય છે.

ઉદાહરણ તરીકે, ઘોડાઓ, જીબ્રાઓ, અને ગધેડાઓ એ સર્વ સમાન “પ્રકાર” ના સભ્યો છે પરંતુ તેઓ જુદી પ્રજાતિઓ છે.

જુદા પ્રકારોના સભ્યો એકબીજા સાથે એમ કરી શકતા નથી.

અનુવાદ માટેના સૂચનો

બાઇબલ સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ

વ્યાખ્યા:

બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે. તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક

અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.

અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.

આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રકાશ, પ્રકાશે છે, પ્રકાશિત કરવું, દિવસનો પ્રકાશ, સૂર્યપ્રકાશ, સંધિકાળ, પ્રકાશિત કરવું, પ્રબુદ્ધ

વ્યાખ્યા:

બાઈબલમાં અનેક અલંકારિક ઉપયોગો "પ્રકાશ" શબ્દ માટે છે. તે ઘણીવાર ન્યાયીપણું, પવિત્રતા, અને સત્યતાના રૂપક તરીકે વાપરવામાં આવે છે. (જુઓ: રૂપક

અંધકાર એ સર્વ પ્રકાશની ગેરહાજરી છે.

અંધકારમાં ચાલવું એ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારીને જીવવું, દુષ્ટ બાબતો કરવી તેનું પ્રતિનિધિત્વ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

ઉદાહરણ તરીકે, "પ્રકાશના સંતાનોની જેમ ચાલો" નું અનુવાદ "ન્યાયી રીતે જીવો, જાણે કોઈક તેજસ્વી સૂર્યપ્રકાશમાં ચાલતું હોય" એમ કરી શકાય.

આ શબ્દનું અનુવાદ પોતે જ પ્રકાશનો ઉલ્લેખ કરતો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અંધકાર, પવિત્ર, ન્યાયી, સાચું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રતિજ્ઞા, સમ, મંજૂર

વ્યાખ્યા:

પ્રતિજ્ઞા એક વચન છે કે જે વ્યક્તિ ઈશ્વરને આપે છે. વ્યક્તિ વિશિષ્ટ રીતે ઈશ્વરનું સન્માન કરવા અથવા તેને ભક્તિ દર્શાવવા માટે ચોક્કસ વસ્તુ કરવાના વચનો આપે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આ પણ જુઓ: વચન, શપથ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

પ્રતિજ્ઞા, જમાનત, પ્રતિજ્ઞા કરી, પ્રતિજ્ઞા કરે છે

વ્યાખ્યા:

“પ્રતિજ્ઞા” શબ્દ ઔપચારિક રીતે અને ગંભીરતાપૂર્વક કઇંક કરવાનું કે આપવાનું વચન આપવાનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: વચન, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રથમજનિત

વ્યાખ્યા:

“પ્રથમજનિત” શબ્દ, તે લોક અથવા પ્રાણીઓના સંતાનને દર્શાવે છે, જેઓ બીજા સંતાનની પહેલા જન્મે છે.

ઉદાહરણ તરીકે, ઈઝરાએલના દેશને દેવનો પ્રથમજનિત દીકરો કહેવામાં આવ્યો છે કારણકે દેવે તેને બીજા દેશો ઉપર ખાસ અધિકારો આપ્યા છે.

ભાષાંતરના સૂચનો:

ખાત્રી કરો કે ઈસુના સંદર્ભમાં આ શબ્દનું ભાષાંતર કે તેને બનાવવામાં આવેલો હતો તેમ સૂચિત કરતું નથી.

(આ પણ જુઓ: વારસો મેળવવો, બલિદાન, દીકરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રબોધક, પ્રબોધકો, પ્રબોધવાણી, પ્રબોધવાણી કરવી, દ્રષ્ટા, પ્રબોધિકા

વ્યાખ્યા:

“પ્રબોધક” એ વ્યક્તિ છે કે જે લોકોને ઈશ્વરનો સંદેશ જણાવે છે. જો એક સ્ત્રી આ કાર્ય કરે તો તેને “પ્રબોધિકા” કહેવામાં આવે છે.

“પ્રબોધવાણી કરવી” નો અર્થ ઈશ્વરનો સંદેશો કહેવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: બઆલ, ભવિષ્યકથન, દેવ, જૂઠો પ્રબોધક, પરિપૂર્ણ થવું, નિયમ/કાયદો/કાનૂન, દર્શન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રબોધકોએ ઈશ્વર તરફથી સંદેશા સાંભળ્યા અને પછી લોકોને ઈશ્વરના સંદેશાઓ કહ્યા.

ઘણીવાર તેઓએ પ્રબોધકો સાથે દુર્વ્યવહાર કર્યો અને કેટલીક વાર તેઓની હત્યા પણ કરી.

પણ ઈસુ બધા જ પ્રબોધકોમાં સૌથી મહાન પ્રબોધક છે.

તેઓ ઈશ્વરનો શબ્દ (વચન) છે.

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ, ઉમરાવો, પ્રભુ, માલીક, માલિકો, સાહેબ, સજ્જનો

વ્યાખ્યા:

આ "પ્રભૂ" શબ્દ કોઈ વ્યક્તિ અન્ય લોકો પર માલિકી અથવા સત્તા ધરાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

જ્યારે "પ્રભુ" નું મોટા અક્ષરોમાં હોય છે, ત્યારે તે શીર્ષક છે જે ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. (નોંધ લો, જો કે, જ્યારે તે કોઈને સંબોધન તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તે વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે તે મોટા અક્ષરોમાં હોય છે અને "સાહેબ" અથવા "માલીક" નો અર્થ થાય છે.)

ઉદાહરણ તરીકે, જૂના કરારમાં લખાણ છે " જે યહોવાને નામે આવે છે તે આશીર્વાદિત છે " અને નવા કરારમાં લખાણ છે " જે પ્રભુના નામે આવે છે તે આશીર્વાદિત છે."

અનુવાદ માટેનાં સૂચનો:

નોકર દ્વારા તેનો ઉપયોગ જેના માટે તે કામ કરે છે તે વ્યક્તિને સંબોધવા માટે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: દેવ, ઈસુ, રાજ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રભુ યહોવા, યહોવા દેવ

તથ્યો:

જૂના કરારમાં, " પ્રભુ યહોવા " નો વારંવાર એક સાચા ઈશ્વરનો ઉલ્લેખ કરવા માટે ઉપયોગ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઈશ્વરનો ઉલ્લેખ કરતી વખતે " પ્રભુ " શબ્દનો સંદર્ભ અન્ય સંદર્ભોમાં અનુવાદિત કરવામાં આવે છે તે પણ ધ્યાનમાં લો.

પ્રોજેક્ટ ભાષામાં કુદરતી શું છે તે ધ્યાનમાં લો: "પ્રભુ" શીર્ષક "યહોવા" પહેલાં અથવા પછી આવવું જોઈએ?

અન્ય શક્ય અનુવાદો, "માલીક પ્રભુ" અથવા "ઈશ્વર પ્રભુ" હોઈ શકે છે.

(આ પણ જુઓ: દેવ, પ્રભુ, પ્રભુ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રમુખ યાજક

વ્યાખ્યા:

“પ્રમુખ યાજક” શબ્દ વિશેષ યાજકને દર્શાવે છે કે જેને બધા અન્ય ઈઝરાએલી યાજકો માટે એક વર્ષ આગેવાન તરીકે સેવા કરવા નિમણુક કરવામાં આવતો હતો.

ફક્ત તેને એકલાને જ વરસમાં એક વાર ખાસ બલિદાન ચઢાવવા માટે મંદિરના સૌથી પવિત્ર ભાગમાં જવાની પરવાનગી હતી.

ક્યારેક કાયાફાસના સસરા અન્નાસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણકે તે ભૂતપૂર્વ પ્રમુખ યાજક હતો તેમ છતાં પણ હજુ તે કદાચ લોકો ઉપર સત્તા અને અધિકાર ધરાવતો હતો.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અન્નાસ, કાયાફા, મુખ્ય યાજકો, યાજક, મંદિર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

પ્રાંત, પ્રાંતો, પ્રાંતીય

તથ્યો:

પ્રાંત એ દેશ અથવા સામ્રાજ્યનો એક ભાગ કે વિભાગ છે. “પ્રાંતીય” શબ્દ એવી બાબતનું વર્ણન કરે છે કે જે પ્રાંત સાથે સંબંધિત છે જેમ કે પ્રાંતીય રાજયપાલ.

આ શાસક અધિકારીને કેટલીક વાર “પ્રાંતીય અધિકારી” અથવા તો “પ્રાંતીય રાજ્યપાલ” કહેવામા આવતો હતો.

(આ જૂઓ: આશિયા, મિસર, એસ્તેર, ગલાતિયા, ગાલીલ, યહૂદિયા, મકદોનિયા, માદીઓ, રોમ, સમરૂન, સીરિયા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

પ્રાણી, પ્રાણીઓ

સત્યો:

બાઈબલમાં “જાનવર” શબ્દ માટે મોટેભાગે “પ્રાણી” શબ્દ વપરાય છે

મોટેભાગે “પશુધન” શબ્દ આ પ્રકારના જાનવર માટે દર્શાવાયો છે.

(જુઓ: રૂપક

તેઓ પાસે મોટે ભાગે શક્તિ અને સત્તા હોય છે, કે જેઓ દેશો, રાષ્ટ્રો, અથવા રાજકીય સત્તાઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: અધિકાર, દાનિયેલ, પશુધન, દેશ, સામર્થ્ય, પ્રગટ કરવું, બાલઝબૂલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાણી, પ્રાણીઓ

સત્યો:

બાઈબલમાં “જાનવર” શબ્દ માટે મોટેભાગે “પ્રાણી” શબ્દ વપરાય છે

મોટેભાગે “પશુધન” શબ્દ આ પ્રકારના જાનવર માટે દર્શાવાયો છે.

(જુઓ: રૂપક

તેઓ પાસે મોટે ભાગે શક્તિ અને સત્તા હોય છે, કે જેઓ દેશો, રાષ્ટ્રો, અથવા રાજકીય સત્તાઓને દર્શાવે છે.

(આ પણ જુઓ: અધિકાર, દાનિયેલ, પશુધન, દેશ, સામર્થ્ય, પ્રગટ કરવું, બાલઝબૂલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાણી, પ્રાણીઓ

વ્યાખ્યા:

“પ્રાણી” શબ્દ, બધાંજ જીવતા સજીવોને જેને દેવે બનાવ્યા તેને દર્શાવે છે, જેમકે તેમાં માણસો અને પશુઓ બન્નેનો સમાવેશ થાય છે.

તેને ખબર નહોતી કે તેઓ કોણ છે, જેથી તેણે તેઓને ખૂબ સામાન્ય નામ આપ્યું.

“સર્જન” શબ્દ, જેમાં સજીવ અને નિર્જિવનો સમાવેશ થાય છે કારણકે દેવે સધળું બનાવ્યું છે અને બંને વસ્તુઓ માટે અલગ અર્થ થાય છે તે ધ્યાન રાખો (જેવી કે જમીન, પાણી, અને તારાઓ)

“પ્રાણી” શબ્દમાં ફક્ત જીવંત વસ્તુઓનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: સર્જન કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાણી, પ્રાણીઓ

વ્યાખ્યા:

“પ્રાણી” શબ્દ, બધાંજ જીવતા સજીવોને જેને દેવે બનાવ્યા તેને દર્શાવે છે, જેમકે તેમાં માણસો અને પશુઓ બન્નેનો સમાવેશ થાય છે.

તેને ખબર નહોતી કે તેઓ કોણ છે, જેથી તેણે તેઓને ખૂબ સામાન્ય નામ આપ્યું.

“સર્જન” શબ્દ, જેમાં સજીવ અને નિર્જિવનો સમાવેશ થાય છે કારણકે દેવે સધળું બનાવ્યું છે અને બંને વસ્તુઓ માટે અલગ અર્થ થાય છે તે ધ્યાન રાખો (જેવી કે જમીન, પાણી, અને તારાઓ)

“પ્રાણી” શબ્દમાં ફક્ત જીવંત વસ્તુઓનો સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: સર્જન કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત કરવું, પ્રાયશ્ચિત કરે છે, પ્રાયશ્ચિત કરેલ

વ્યાખ્યા:

“પ્રાયશ્ચિત” અને “પ્રાયશ્ચિત કરવું” શબ્દો દર્શાવે છે કે દેવે કેવી રીતે લોકોના પાપો માટે બલિદાન પૂરું પાડ્યું અને પાપનો કોપ શમાવ્યો છે.

જયારે ઈસુ મૃત્યુ પામ્યા, ત્યારે તેમણે લોકોના પાપની સજા પોતા પર લઈ લીધી. તેણે પોતાના બલિદાનયુક્ત મરણ દ્વારા પ્રાયશ્ચિતની કિંમત ચૂકવી.

ભાષાંતરના સુચનો

(આ પણ જુઓ: દયાસન, માફ કરવું, કોપશમન, સમાધાન કરવું, છૂટકારો કરવો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેમ, પ્રેમ, પ્રેમાળ, પ્રેમભર્યા

વ્યાખ્યા:

બીજા વ્યક્તિને પ્રેમ કરવો તે વ્યક્તિની સંભાળ રાખવી અને એવી બાબતો કરવી જે તેને લાભ કરે. "પ્રેમ" માટેના વિવિધ અર્થ છે જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરીને કેટલીક ભાષાઓ વ્યક્ત કરી શકે છે:

1. ઈશ્વરતરફથી જે પ્રકારનો પ્રેમ આવે છે તે બીજાઓના ભલા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલે તે પોતાને લાભ ન કરે. આ પ્રકારનો પ્રેમ બીજાઓ માટે કાળજી રાખે છે, ભલે તેઓ ગમે તે કરે. ઈશ્વર પોતે પ્રેમ છે અને સાચા પ્રેમનો સ્ત્રોત છે.

આ પ્રકારના પ્રેમમાં ખાસ કરીને બીજાને ક્ષમા આપવાનું શામેલ છે.

2. નવા કરારમાં બીજો શબ્દ, ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ, અથવા મિત્ર અથવા પરિવારના સભ્ય માટેનો પ્રેમ દર્શાવે છે.

આનો અર્થ એ છે કે તે કરવા માટે તેમણે "ખૂબ જ ગમે છે" અથવા "મોટી ઇચ્છા" થાય છે. 3. "પ્રેમ" શબ્દ એ પુરુષ અને સ્ત્રી વચ્ચે રોમેન્ટિક પ્રેમનો પણ ઉલ્લેખ કરી શકે છે. 4. આ રૂપકાત્મક અભિવ્યક્તિમાં "યાકુબને હું પ્રેમ કરું છું, પરંતુ એસાવને હું ધિક્કારું છું," શબ્દ "પ્રેમ" એ ઈશ્વર સાથે યાકુબ સંબંધી કરાર કરવા માટે યાકુબની પસંદગી કરવાનો ઉલ્લેખ કરે છે. આને "પસંદ કરેલ" તરીકે પણ અનુવાદ કરી શકાય છે. જો કે એસાવને ઈશ્વર દ્વારા પણ આશીર્વાદ આપવામાં આવ્યો હતો, પરંતુ કરારમાં હોવાનો તેમને વિશેષાધિકાર આપવામાં આવ્યો ન હતો. "નફરત" શબ્દનો ઉપયોગ "નકારેલું" અથવા "પસંદ ન કરેલ" થાય તે માટે અર્થપૂર્ણ રૂપે અહીં થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

આનો અનુવાદ કરવાના રીતોમાં "સમર્પિત, વફાદાર સંભાળ" અથવા "નિઃસ્વાર્થપણે કાળજી રાખવી" અથવા "ઈશ્વરથી પ્રેમ" શામેલ હોઈ શકે છે. ખાતરી કરો કે જે શબ્દનો ઉપયોગ ઈશ્વરના પ્રેમનું ભાષાંતર કરવા માટે થાય છે તેમાં બીજાઓને ફાયદો કરવા પોતાનાં હિતોનો ત્યાગ કરવો અને બીજાઓ પર પ્રેમ રાખવો પછી તેઓ ભલે જે કરે તે નો સમાવેશ થાય છે કે નહીં

કેટલીક ભાષાઓ કોઈ શબ્દ અથવા શબ્દસમૂહ સાથે તેનો અનુવાદ કરી શકે છે, જેનો અર્થ છે, "ખૂબ જ ગમે છે" અથવા " ને માટે કાળજી " અથવા "તેના માટે ગાઢ પ્રેમ છે."

તેથી ઉદાહરણ તરીકે, તેઓ ભાષાંતર કરી શકે છે કે "પ્રેમ ધૈર્ય છે, પ્રેમ દયાળુ છે", "જ્યારે કોઈ વ્યક્તિ કોઈને પ્રેમ કરે છે, ત્યારે તે તેની સાથે ધીરજ રાખે છે અને તેના પ્રત્યે દયાળુ છે."

(આ પણ જુઓ: કરાર, મરી જવું, બલિદાન, બચાવવું, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ત્યાં કોઈ પાપ ન હતું. આદમ અને હવાએ એકબીજાને પ્રેમ કર્યો, અને તેઓએ ઈશ્વરને પ્રેમ. કર્યો

શબ્દ માહિતી:

પ્રેરિત, પ્રેરિતો,પ્રેરિતપદ

વ્યાખ્યા :

“પ્રેરિતો” દેવ અને તેના રાજ્ય વિશે બોધ આપવા ઈસુ દ્વારા મોકલેલા માણસો હતા. “પ્રેરિતપદ” નો અર્થ એવો થાય કે, જેઓ પ્રેરિતો તરીકે પસંદ કરાયા હતા, અને તેઓના હોદ્દા અને અધિકાર વિશે જણાવે છે.

પ્રેરિતને તેના મોકલનાર સમાન અધિકાર હોય છે.

બીજા માણસો, જેમકે પાઉલ અને યાકુબ, તેઓ પણ પ્રેરિતો બન્યા. દૈવી શક્તિ દ્વારા, પ્રેરિતો નિર્ભયતાથી સુવાર્તાનો બોધ કરતા અને લોકોને સાજા કરતા હતા, અને અશુદ્ધ આત્માઓને લોકોમાંથી નીકળવાનો આદેશ કરતા હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : અધિકાર, શિષ્ય, યાકુબ (ઝબદી નો દિકરો), પાઉલ, બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

પ્રેરિતોએ ઈસુની સાથે પ્રવાસ કર્યો અને તેની પાસેથી શીખ્યા.

તે પ્રેરિતોનાં નાણાની થેલીનો અધિકારી હતો, પણ તે પૈસાને પ્રેમ કરતો અને વારંવાર થેલીમાંથી ચોરી કરતો.

શબ્દ માહિતી:

ફરમાન, ફરમાનો

વ્યાખ્યા:

ફરમાન એક જાહેર કાયદો કે નિયમ છે કે જે લોકોને અનુસરવા માટે ધોરણો કે સૂચનાઓ આપે છે. આ શબ્દ “ઠરાવવું” શબ્દ સાથે સંબંધિત છે.

ઘણીવાર ઈશ્વરે તેઓને તે હંમેશાં પાળવા આજ્ઞા કરી હતી.

(આ પણ જૂઓ: આદેશ, વિધિ (હુકમ), નિયમ/કાયદો/કાનૂન, ઠરાવવું, વિધિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફરોશી, ફરોશીઓ

તથ્યો:

ફરોશીઓ ઈસુના સમયમાં યહૂદી ધાર્મિક આગેવાનોનું એક મહત્ત્વનું શક્તિશાળી જૂથ હતું.

“ફરોશી” નામ “અલગ કરવું” શબ્દ પરથી આવે છે.

(આ પણ જૂઓ: ન્યાયસભા, યહૂદી અધિકારીઓ, નિયમ/કાયદો/કાનૂન, સદૂકી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફળ, ફળો, ફળદાયી, નિષ્ક્રિય

વ્યાખ્યા:

શાબ્દિક રીતે “ફળ” શબ્દ દર્શાવે છે કે તે છોડનો એક ભાગ છે કે જેને ખાઈ શકાય છે. કંઈક કે જે “ફળદાયી” છે, તેને ઘણા ફળ હોય છે. બાઈબલમાં આ શબ્દોને રૂપકાત્મક રીતે પણ વાપરવામાં આવ્યા છે.

જેવી રીતે વૃક્ષ ઉપરનું ફળ બતાવે છે કે તે કેવા પ્રકારનું વૃક્ષ છે, તેવીજ રીતે વ્યક્તિનું ચરિત્ર કેવું છે તે તેના શબ્દો અને કાર્યો જાહેર કરે છે.

મોટેભાગે આ ઘણા બાળકો અને વંશજો, એ જ પ્રમાણે પુષ્કળ ખોરાક અને અન્ય સંપત્તિ હોવાનું દર્શાવે છે.

આમાં ફક્ત ફળો જેવા કે દ્રાક્ષો અથવા ખજૂર જ નહિ, પણ શાકભાજી, બદામ, અને અનાજનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

જ્યારે પણ એક કરતા વધારે ફળને દર્શાવવામાં આવે છે ત્યારે કદાચ “ફળો” માટે ઘણી ભાષાઓમાં બહુવચનને વધારે કુદરતી વાપરવામાં આવ્યો છે.

તેનું ભાષાંતર “ઘણા સંતાન હોવા” અથવા “ઘણા બાળકો અને વંશજો હોવા” અથવા “ઘણા બાળકો કરો જેથી તમારે ઘણા વંશજો હોય” એમ પણ કરી શકાય છે.

કદાચ લક્ષ્ય ભાષામાં પણ તેની અલગ અલગ અભિવ્યક્તિ હોઈ શકે.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, અનાજ, દ્રાક્ષ, પવિત્ર આત્મા, વેલો, ગર્ભાશય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફસલ, ફસલો, કાપણી, લણણી કરવી, કાપણી કરનાર, કાપણી કરનારાઓ

વ્યાખ્યા:

“ફસલ” શબ્દ દર્શાવે છે કે છોડવાઓથી પાકેલાં ફળો અથવા શાકભાજી કે જે તેઓ ઉગાડી રહ્યા હતા, તેને ભેગા કરવામાં આવે છે.

દેવે તેઓને આજ્ઞા આપી આ પાકોના પ્રથમ ફળોનું તેને બલિદાન તરીકે અર્પણ કરવા.

ભાષાંતર સૂચનો:

(આ પણ જુઓ: પ્રથમફળો, તહેવાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ફિલિપ, સુવાર્તિક

તથ્યો:

યરૂશાલેમમાંની શરૂઆતની ખ્રિસ્તી મંડળીમાં, ગરીબ અને જરૂરિયાતમંદ ખ્રિસ્તીઓની, ખાસ કરીને વિધવાઓની સંભાળ લેવા પસંદ કરાયેલા સાત આગેવાનોમાંનો એક ફિલિપ હતો.

કેટલીક ભાષાઓમાં આ બંને વ્યક્તિઓ માટે થોડા જુદા નામ વાપરવા વિચારી શકાય કે જેથી એ સ્પષ્ટ થાય કે તેઓ બંને જુદાજુદા વ્યક્તિઓ છે.

(આ પણ જૂઓ: પ્રેરિત ફિલિપ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ફ્રાત નદી, નદી

સત્યો:

ફ્રાત નદી એ ચાર નદીઓમાંની એક કે જે એદનના બાગમાંથી વહેતી હતી. તે નદીનો બાઈબલમાં સૌથી વધારે વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ

વ્યાખ્યા:

“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે. યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.

તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે

ભાષાંતરના સૂચનો

“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.

સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, જપ્ત કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બંદી, બંદીવાનો, વશમાં કરવું, વશમાં કરેલુ, બંદીવાસ

વ્યાખ્યા:

“બંદી “અને “બંદીવાસ” શબ્દ દર્શાવે છે કે, જયારે લોકોને પકડીને, અને જ્યાં તેઓને નથી રહેવું ત્યાં, જેમકે વિદેશમાં રહેવા બળજબરી કરવામાં આવે. યહુદાના રાજ્યમાંથી ઈઝરાએલીઓને 70 વર્ષો માટે બાબિલના રાજ્યમાં બંદી કરાયા હતા.

તે એ વિશે પણ વાત કરે છે કે વ્યક્તિ કેવી રીતે પાપ દ્વારા “વશમાં આવી શકે છે”, એનો અર્થ એ કે તે પાપ “દ્વારા નિયંત્રિત” થઇ જાય છે

ભાષાંતરના સૂચનો

“બંદીને લઇ જવા” અથવા “બંદી લઇ જવાયા” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર, “બંદી કરેલ” અથવા “કેદ કરવું” અથવા “વિદેશમાં લઇ જવા બળજબરી કરવી” એમ થઇ શકે છે.

સંદર્ભ પર આધાર રાખીને, “બંદીવાસનું ભાષાંતર, “કેદ” અથવા “દેશનિકાલ” અથવા “વિદેશમાં રહેવા બળજબરી કરવી” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: બાબિલોન, બંદીવાસ, જેલ, જપ્ત કરવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બંદીવાસ, નિર્વાસિતો, દેશવટો

વ્યાખ્યા:

“બંદીવાસ” શબ્દ, લોકોને તેમના વતનના દેશથી ક્યાંક દૂર રહેવા માટે ફરજ પાડવામાં આવે તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: બાબિલોન, યહુદા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બઆલ

સત્યો:

“બઆલ”નો અર્થ “સ્વામી” અથવા “ધણી” થાય છે, અને તે કનાનીઓ દ્વારા પૂજાતા પ્રાથમિક જુઠા દેવનું નામ હતું.

ક્યારેક આ બધા દેવોનો ઉલ્લેખ એક સાથે “બઆલીમ” તરીકે કરવામાં આવ્યો છે.

તેના પરિણામે, બઆલના પ્રબોધકોનો નાશ થયો અને ફરીથી લોકોએ યહોવાની આરાધના કરવાનું ચાલુ કર્યું.

(આ પણ જુઓ: આહાબ, અશેરાહ, એલિયા, દેવ, વેશ્યા, યહોવાહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

બકરી, બકરાં, બકરાની ચામડી, બલિનો બકરો, બકરીનું બચ્ચું

વ્યાખ્યા:

બકરી એ મધ્યમ કદનું, ચાર પગોવાળું પ્રાણી છે કે જે ઘેટાં સમાન હોય છે, અને પ્રાથમિક રીતે તેના દૂધ અને માંસ માટે ઉછેરવામાં આવે છે. બકરીના નાના બચ્ચાને “લવારું” કહેવામાં આવે છે.

જયારે એક બકરાનું બલિદાન આપવામાં આવતું હતું, ત્યારે યાજક બીજા બકરા પર પોતાના હાથો મૂકતો, તે બકરાને લોકોના પાપોને વહન કરી લઈ લેવાના પ્રતિકરૂપે રણમાં મોકલી દેવામાં આવતો આવતો.

(આ પણ જુઓ: ઘેટાં બકરાં, બલિદાન, ઘેટી, ન્યાયી, દ્રાક્ષારસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: શિક્ષા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બદલો, બદલો આપે છે, બદલો આપ્યો, બદલો આપતું, બદલો આપનાર

વ્યાખ્યા:

“બદલો” શબ્દ વ્યક્તિએ જે કઈ સારું કે ખરાબ કર્યું છે તે કારણે તે જે પ્રાપ્ત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. કોઈક વ્યક્તિને “બદલો” આપવો એટલે જે બાબત તે વ્યક્તિ પામવા માટે યોગ્ય છે તે તેને આપવી.

આ સંદર્ભમાં “બદલો” તેઓના પાપી કાર્યોને લીધે તેઓ જે સજા અથવા તો નકારાત્મક પરિણામો પામે છે તેનો ઉલ્લેખ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

“બદલો” ખાસ રીતે કોઈ કામ કરવા બદલ નાણાં કમાવવા વિષે નથી.

(આ પણ જૂઓ: શિક્ષા કરવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બરફ, બરફ પડ્યો, બરફ પડી રહ્યો છે

તથ્યો:

“બરફ” શબ્દ સફેદ પાણીના ઠરી ગયેલા ટુકડાઓ કે જે એવી જગાઓમાં જ્યાં હવાનું તાપમાન વધુ ઠંડુ હોય ત્યાં વાદળામાંથી પડે છે

પર્વતોના શિખરો પર બરફ કે જે લાંબો સમય સુધી રહે છે. બાઈબલમાં નોંધવામાં આવેલ જગાનું એક ઉદાહરણ કે જ્યાં બરફ હોય છે તે છે લબાનોન પર્વત.

ઉદાહરણ તરીકે, પ્રકટીકરણના પુસ્તકમાં ઈસુના વસ્ત્રો અને વાળ “બરફ જેવા સફેદ” તરીકે વર્ણવામાં આવ્યા છે.

ઉદાહરણ તરીકે, આપણા “પાપો બરફ જેવા સફેદ થશે” વાક્યનો અર્થ એ છે કે ઈશ્વર સંપૂર્ણપણે પોતાના લોકોને તેમના પાપોથી શુદ્ધ કરશે.

(આ પણ જુઓ: અજ્ઞાતનો અનુવાદ કેવી રીતે કરવો

(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ

(આ પણ જુઓ: લબાનોન, શુદ્ધ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બરુ, બરુઓ

તથ્યો:

“બરુ” શબ્દ લાંબી દાંડીવાળા છોડનો ઉલ્લેખ કરે છે કે જે પાણીમાં અને સામાન્ય રીતે નદી કે ઝરણાના કિનારે ઊગે છે.

તેઓ ઊંચી પોલી દાંડીઓ હતી કે જેઓ નદીના પાણીમાં ભરાવદાર ઝૂંડોમાં ઊગતી હતી.

(આ પણ જૂઓ: મિસર, મૂસા, નાઇલ નદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બરુ, બરુઓ

તથ્યો:

“બરુ” શબ્દ લાંબી દાંડીવાળા છોડનો ઉલ્લેખ કરે છે કે જે પાણીમાં અને સામાન્ય રીતે નદી કે ઝરણાના કિનારે ઊગે છે.

તેઓ ઊંચી પોલી દાંડીઓ હતી કે જેઓ નદીના પાણીમાં ભરાવદાર ઝૂંડોમાં ઊગતી હતી.

(આ પણ જૂઓ: મિસર, મૂસા, નાઇલ નદી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બર્થોલ્મી

સત્યો:

બર્થોલ્મી ઈસુના બાર પ્રેરિતોમાંનો એક હતો.

થોડા અઠવાડિયા પછી, એટલે કે જયારે પચાસમાના દિવસે પવિત્રઆત્મા તેઓના ઉપર આવ્યો, ત્યારે તે બીજા પ્રેરિતોની સાથે યરુશાલેમમાં હતો.

(આ પણ જુઓ: પ્રેરિત, સારા સમાચારો, પવિત્ર આત્મા, ચમત્કાર, પેન્ટીકોસ્ટ, બાર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બલામ

સત્યો:

જયારે ઈઝરાએલપુત્રોએ મોઆબના ઉત્તરે યર્દન નદી પાસે છાવણી નાંખીને કનાનની ભૂમિમાં પ્રવેશ કરવા તૈયારી હતા, તે સમયે બલામ જે એક મૂર્તિપૂજક પ્રબોધક હતો તેને બાલાક રાજાએ ઈઝરાએલને શ્રાપ આપવા ભાડે રાખ્યો.

દેવે ગધેડીને પણ બલામની સાથે બોલવાની ક્ષમતા આપી.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આશીર્વાદ આપવો, કનાન, શાપ, ગધેડો, ફ્રાત નદી, યર્દન નદી, મિદ્યાન, મોઆબ, પેઓર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બલિદાન, બલિદાન કરે છે, બલિદાન કર્યું, બલિદાન કરી રહ્યો છે, અર્પણ, અર્પણો

વ્યાખ્યા:

બાઈબલમાં, “બલિદાન” અને “અર્પણ” શબ્દો ઈશ્વરની આરાધનાના ભાગ સ્વરૂપે તેમને ખાસ ભેટ આપવાંનો ઉલ્લેખ કરે છે લોકો જુઠ્ઠા દેવોને પણ બલિદાનો ચઢાવતાં હતાં.

“બલિદાન” શબ્દ આપનાર દ્વારા ભારે કિંમતે કંઈક કે જે આપવામાં અથવા કરવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દહનાર્પણ, પેયાર્પણો, દેવ, શાંત્યર્પણ, ઐચ્છિકાર્પણ શાંત્યાર્પણ, યાજક, પાપાર્થાપણ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર ખૂશ હતાં બલિદાનથી અને નૂહ અને તેના કુટુંબને આશીર્વાદિત કર્યા.

ફરીથી ઈબ્રાહીમ ઈશ્વરને આધીન થયો અને તૈયારી કરવાં લાગ્યો બલિદાન કરવાં તેના દીકરાને.

યાજક પશુને મારી નાંખતો અને યજ્ઞવેદી પર બાળી નાંખતો. પશુનું રક્ત બલિદાન કરવામાં આવતું હતું વ્યક્તિના પાપને ઢાંકવા અને ઈશ્વરની નજરમાં તે વ્યક્તિને શુદ્ધ કરવાં માટે.

અન્ય યાજકોથી વિપરીત, તેમણે પોતાને આપી દીધા એકમાત્ર બલિદાન તરીકે જે વિશ્વના તમામ લોકોના પાપ દૂર કરી શકે.

શબ્દ માહિતી:

બલિદાન, બલિદાન કરે છે, બલિદાન કર્યું, બલિદાન કરી રહ્યો છે, અર્પણ, અર્પણો

વ્યાખ્યા:

બાઈબલમાં, “બલિદાન” અને “અર્પણ” શબ્દો ઈશ્વરની આરાધનાના ભાગ સ્વરૂપે તેમને ખાસ ભેટ આપવાંનો ઉલ્લેખ કરે છે લોકો જુઠ્ઠા દેવોને પણ બલિદાનો ચઢાવતાં હતાં.

“બલિદાન” શબ્દ આપનાર દ્વારા ભારે કિંમતે કંઈક કે જે આપવામાં અથવા કરવામાં આવતું તેનો ઉલ્લેખ કરે છે

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દહનાર્પણ, પેયાર્પણો, દેવ, શાંત્યર્પણ, ઐચ્છિકાર્પણ શાંત્યાર્પણ, યાજક, પાપાર્થાપણ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર ખૂશ હતાં બલિદાનથી અને નૂહ અને તેના કુટુંબને આશીર્વાદિત કર્યા.

ફરીથી ઈબ્રાહીમ ઈશ્વરને આધીન થયો અને તૈયારી કરવાં લાગ્યો બલિદાન કરવાં તેના દીકરાને.

યાજક પશુને મારી નાંખતો અને યજ્ઞવેદી પર બાળી નાંખતો. પશુનું રક્ત બલિદાન કરવામાં આવતું હતું વ્યક્તિના પાપને ઢાંકવા અને ઈશ્વરની નજરમાં તે વ્યક્તિને શુદ્ધ કરવાં માટે.

અન્ય યાજકોથી વિપરીત, તેમણે પોતાને આપી દીધા એકમાત્ર બલિદાન તરીકે જે વિશ્વના તમામ લોકોના પાપ દૂર કરી શકે.

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, બળવાન, વધારે બળવાન, શક્તિશાળી રીતે

વ્યાખ્યા:

“બળ” અને “બળવાન” શબ્દો પુષ્કળ શક્તિ અથવા તો સામર્થ હોવાનો ઉલ્લેખ કરે છે.

જ્યારે ઈશ્વર વિષે તેને વાપરવામાં આવે છે ત્યારે, તેનો અર્થ “સામર્થ્ય” થઈ શકે છે.

દાઉદના વિશ્વાસુ લોકોનું જૂથ કે જેઓએ તેનો બચાવ અને રક્ષણ કરવા મદદ કરી તેઓને ઘણીવાર “બળવાન પુરુષો” કહેવામાં આવતા હતા.

અનુવાદ માટેના સૂચનો:

તેનો અનુવાદ “મૂસા ઈશ્વર તરફથી જોરદાર શબ્દો બોલ્યો અને ચમત્કારિક બાબતો કરી” અથવા તો “મૂસા ઈશ્વરના શબ્દો જોરદાર રીતે બોલ્યો અને ઘણી અદભૂત બાબતો કરી” તે રીતે કરી શકાય.

(આ પણ જૂઓ: સર્વશક્તિમાન, ચમત્કાર, સામર્થ્ય, બળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બળ, મજબૂત કરવું, મજબૂત કરે છે, મજબૂત કર્યું, મજબૂત કરી રહ્યા છે

તથ્યો:

“બળ” શબ્દ શારીરિક, ભાવનાત્મક, અથવા આત્મિક શક્તિનો ઉલ્લેખ કરે છે. કોઈકને અથવા કશાકને “મજબૂત કરવું” નો અર્થ તે વ્યક્તિ કે વસ્તુને બળવાન બનાવવી એમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જુઓ: વફાદાર (વિશ્વાસુ), દ્રઢ રહેવું, જમણો હાથ, બચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બહેન, બહેનો

વ્યાખ્યા:

બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે. તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બહેન, બહેનો

વ્યાખ્યા:

બહેન એક સ્ત્રી વ્યક્તિ છે કે જે ઓછામાં ઓછા એક જૈવિક માતા અથવા પિતાને અન્ય સાથે વહેંચે છે. તેણીને તે બીજા વ્યક્તિની બહેન અથવા બીજા વ્યક્તિની બહેન કેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: ભાઈ ખ્રિસ્તમાં, આત્મા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બાબિલ

સત્યો:

બાબિલ એ મેસોપોતામિયાના દક્ષિણ ભાગના શિનઆર પ્રાંતમાં આવેલું મુખ્ય શહેર હતું. પછી શિનઆર બાબિલોનિયા કહેવાયું હતું.

તે પાછળથી “બાબિલના બુરજ” તરીકે જાણીતો બન્યો.

જેથી તેઓને આખા દુનિયાના જુદા જુદા ભાગોમાં દુર જઈને રહેવાની ફરજ પડી.

(આપણ જુઓ: બાબિલોન, હામ, મેસોપોતામિયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાર, અગિયાર

વ્યાખ્યા:

"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા

ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બાર, અગિયાર

વ્યાખ્યા:

"બાર" શબ્દ બાર માણસોને દર્શાવે છે જે ઈસુએ તેના સૌથી નજીકના અનુયાયીઓ અથવા પ્રેરિતો તરીકે પસંદ કર્યા હતા. યહૂદાના પોતે માર્યા ગયાબાદ , તેઓ "અગિયાર." તરીકે ઓળખાતા હતા

ત્યારબાદ ફરીથી તેઓ બાર તરીકે ઓળખવા લાગ્યા.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, શિષ્ય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બારસાખ

વ્યાખ્યા:

“બારસાખ” એ બારણાની બેમાંથી એક બાજુ પર આવેલો ઊભી પાંખ (મોભ) છે, કે જે બારણાના સૌથી ઉપરના ભાગને આધાર આપે છે.

(આ પણ જુઓ: મિસર, પાસ્ખા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાલઝબૂલ

સત્યો:

બાલઝબૂલ એ શેતાન અથવા દુષ્ટ વ્યક્તિ માટેનું બીજું નામ છે. ક્યારેક તેની જોડણી “બિલઝબૂબ” પણ હોય છે.

આ શબ્દનું ભાષાંતર કરવાને બદલે તેને અસલ જોડણી રાખવી વધારે શ્રેષ્ઠ છે.

(આ પણ જુઓ: ભૂત, એક્રોન, શેતાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાળકો, બાળક

વ્યાખ્યા:

બાઈબલમાં, મોટેભાગે “બાળક” શબ્દ, સામાન્ય રીતે કોઈક કે જે ઉંમરમાં નાનું હોય તેને દર્શાવે છે, જેમાં નાના શિશુનો પણ સમાવેશ થાય છે. “બાળકો” શબ્દ બહુવચનનું સ્વરૂપ છે અને તેના અનેક રૂપકાત્મક ઉપયોગો પણ હોય છે.

કેટલાક ઉદાહરણો હોઈ શકે:

ઉદાહરણ તરીકે, “દેવના બાળકો” લોકો કે જેઓ ઈસુમાં વિશ્વાસ કરી દેવના બનેલા છે, તેને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

શક્ય હોય તો “દેવના બાળકો” શબ્દસમૂહનું ભાષાંતર, શાબ્દિક રીતે થવું જોઈએ કારણકે તે બાઈબલમાં મહત્વનો વિષય છે, એટલે કે તેનું ભાષાંતર ઈશ્વર આપણો આકાશવાશી પિતા છે, એમ થવું જોઈએ. તેનું શક્ય વૈકલ્પિક ભાષાંતર, “લોકો કે જેઓ દેવના છે” અથવા “દેવના આત્મિક બાળકો” એમ થઇ શકે છે.

(આ પણ જુઓ : વારસામાં ઉતરેલું, વચન, દીકરો, આત્મા, વિશ્વાસ રાખવો, ખૂબ વ્હાલું (અતિપ્રિય))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાવળ

વ્યાખ્યા:

"બાવળ" શબ્દ એ પુરાતન કનાનમાં આવેલા એક છોડ અથવા વૃક્ષનું નામ છે જે એ વિસ્તારમાં બહુ ઉગે છે.

બાઈબલ ની અંદર, કરારકોશ અને મુલાકાત મંડપ બનાવવા માટે બાવળના લાકડાનો ઉપયોગ કર્યો હતો.

(જુઓ: અજ્ઞાતોનું ભાષાંતર કેવી રીતે કરવું

(જુઓં: કરારકોશ, મુલાકાતમંડપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બાશાન

સત્યો:

બાશાન ગાલીલ સમુદ્રના પૂર્વની ભૂમિનો પ્રદેશ હતો. તે જે હાલના સીરિયાના ભાગના પ્રદેશને અને ગોલાનની ઉંચાઈને ઢાંકે છે.

(આ પણ જુઓ: મિસર, ઓક, ગાલીલનો સમુદ્ર, સીરિયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બિન્યામીન, બિન્યામીની, બિન્યામીનીઓ

સત્યો:

બિન્યામીન એ યાકૂબ અને તેની પત્ની રાહેલ દ્વારા જન્મેલો સૌથી નાનો દીકરો હતો. તેના નામનો અર્થ, “મારા જમણા હાથનો પુત્ર.”

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, [યુસૂફ , યૂસફ (જૂના કરાર), પાઉલ, રાહેલ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બીજ, વીર્ય

વ્યાખ્યા:

બીજ એવા છોડનો એક ભાગ છે જે જમીનમાં સમાન છોડનું પુનઃઉત્પાદન કરવાને માટે વાવેતર કરવામાં આવે છે. તેના કેટલાક રૂપકાત્મક અર્થો પણ છે.

તેના સંકલનને વીર્ય કહેવાય છે.

અનુવાદ માટેના સૂચનો:

કેટલીક ભાષાઓમાં એક શબ્દ હોઈ શકે છે જેનો અર્થ "બાળકો અને પૌત્રો" થાય છે.

(જુઓ: સોમ્યોક્તિ

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, સંતાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બેખમીર રોટલી

વ્યાખ્યા:

"બેખમીર રોટલી" શબ્દ એ રોટલીનો ઉલ્લેખ કરે છે, જે ખમીર અથવા અન્ય ધમણ વિના બનાવવામાં આવે છે. આ પ્રકારની રોટલી સપાટ છે કારણ કે તેમાં વધારો કરવા માટે કોઈ ખમીર નથી.

તેથી તેઓએ તેમના ભોજન સાથે બેખમીર રોટલી ખાધી. ત્યારથી બેખમીર રોટલી તેમને તે સમયે યાદ કરાવવા માટે તેમના વાર્ષિક પાસ્ખાપર્વની ઉજવણીમાં વપરાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: રોટલી, મિસર, મિજબાની, પાસ્ખા, ગુલામ બનાવવું, પાપ, ખમીર)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

બેથલેહેમ,એફ્રાથાહ

સત્યો:

બેથલેહેમ ઈઝરાએલની ભૂમિમાં યરૂશાલેમ શહેરની નજીક આવેલું એક નાનું શહેર હતું. તે “એફ્રાથાહ,” તરીકે પણ જાણીતું હતું કે, જે સંભવત તેનું મૂળ નામ હતું.

“બેથલેહેમ” શબ્દના નામનો અર્થ, “રોટલીનું ઘર” અથવા “અન્નનું ઘર” થતો હતો.

(આ પણ જુઓ : કાલેબ, દાઉદ, મીખાહ)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

મીખાહ પ્રબોધકે કહ્યું કે તે બેથલેહેમ નગરમાં જન્મ લેશે.

શબ્દ માહિતી:

બોઆઝ

સત્યો:

બોઆઝ ઈઝરાએલી માણસ હતો કે જે રૂથનો પતિ, દાઉદ રાજાના વડદાદા, અને ઈસુ ખ્રિસ્તનો પૂર્વજ હતો.

(આ પણ જુઓ: મોઆબ, છૂટકારો કરવો, રૂથ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોજો, ભારરૂપ છે, ભારથી લદાયેલું, બોજારૂપ

વ્યાખ્યા:

બોજો એ ભારે વજનને દર્શાવે છે. તે શાબ્દિક અર્થ અનુસાર તે શારીરિક ભારને દર્શાવે છે, જેમકે પ્રાણી કામ કરવા માટે જે બોજાને ઉંચકે છે. “ભાર” શબ્દને ઘણા બધા રૂપકાત્મક અર્થો પણ હોય છે.

તેને કહેવા મુજબ તે “ભારે બોજો” “વહન કરી” અથવા “લઇ જઈ” રહ્યો છે.

વ્યક્તિ પાપનો દોષ તેના માટે બોજ છે. “પ્રભુનો બોજો” શબ્દનો અર્થાલંકારિક અર્થ, “ઈશ્વર તરફથી સંદેશ” કે જે પ્રબોધકે ઈશ્વરના લોકોને સુધી અવશ્ય પહોંચાડવાનો હોય, તેને દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોજો, ભારરૂપ છે, ભારથી લદાયેલું, બોજારૂપ

વ્યાખ્યા:

બોજો એ ભારે વજનને દર્શાવે છે. તે શાબ્દિક અર્થ અનુસાર તે શારીરિક ભારને દર્શાવે છે, જેમકે પ્રાણી કામ કરવા માટે જે બોજાને ઉંચકે છે. “ભાર” શબ્દને ઘણા બધા રૂપકાત્મક અર્થો પણ હોય છે.

તેને કહેવા મુજબ તે “ભારે બોજો” “વહન કરી” અથવા “લઇ જઈ” રહ્યો છે.

વ્યક્તિ પાપનો દોષ તેના માટે બોજ છે. “પ્રભુનો બોજો” શબ્દનો અર્થાલંકારિક અર્થ, “ઈશ્વર તરફથી સંદેશ” કે જે પ્રબોધકે ઈશ્વરના લોકોને સુધી અવશ્ય પહોંચાડવાનો હોય, તેને દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોધ, સલાહ (પ્રોત્સાહન)

વ્યાખ્યા:

“બોધ” શબ્દનો અર્થ કોઈને શું યોગ્ય છે તે કરવા માટે સખત રીતે પ્રોત્સાહિત કરવું અને અરજ કરવી. આવા પ્રોત્સાહનને “બોધ આપવો” કહેવામાં આવે છે.

ભાષાંતરના સૂચનો:

શબ્દમાં તાકાત અને ગંભીરતા વ્યક્ત થવી જોઈએ, પણ ગુસ્સાવાળું ભાષણ હોવું જોઈએ નહિ.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

બોળ

વ્યાખ્યા:

બોળ એક તેલ અથવા તો તેજાનો છે કે જેને બોળના વૃક્ષના ગુંદરમાંથી બનાવવામાં આવે છે. બોળના વૃક્ષો આફ્રિકા અને એશિયામાં થાય છે. તે લોબાન સાથે સંબંધિત છે.

(આ પણ જૂઓ: લોબાન, વિદ્વાન માણસ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

બોળ

વ્યાખ્યા:

બોળ એક તેલ અથવા તો તેજાનો છે કે જેને બોળના વૃક્ષના ગુંદરમાંથી બનાવવામાં આવે છે. બોળના વૃક્ષો આફ્રિકા અને એશિયામાં થાય છે. તે લોબાન સાથે સંબંધિત છે.

(આ પણ જૂઓ: લોબાન, વિદ્વાન માણસ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભઠ્ઠી

સત્યો:

ભઠ્ઠી એ ખૂબ જ મોટો ચૂલો હતો કે જેમાં વસ્તુઓને ઊંચા તાપમાને ગરમ કરવા માટે વાપરવામાં આવતો હતો.

(આ પણ જુઓ: દેવ, પ્રતિમા (મૂર્તિ))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભઠ્ઠી

સત્યો:

ભઠ્ઠી એ ખૂબ જ મોટો ચૂલો હતો કે જેમાં વસ્તુઓને ઊંચા તાપમાને ગરમ કરવા માટે વાપરવામાં આવતો હતો.

(આ પણ જુઓ: દેવ, પ્રતિમા (મૂર્તિ))

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા

વ્યાખ્યા:

કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે. એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે. "વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.

જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.

ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભરોસો, વિશ્વાસ, વિશ્વસનીય, ભરોસાપાત્ર, વિશ્વસનીયતા

વ્યાખ્યા:

કંઈક અથવા કોઈ વ્યક્તિ પર "વિશ્વાસ" કરવો એ એવું માને છે કે આ વસ્તુ અથવા વ્યક્તિ સાચી છે અથવા ભરોસાપાત્ર છે. એવી માન્યતાને પણ "વિશ્વાસ " કહેવામાં આવે છે. "વિશ્વસનીય" વ્યક્તિ તે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો અને ખરું અને સાચું શું છે તે કહી શકો, અને તેથી જે વ્યક્તિની પાસે "વિશ્વસનીયતા" નો ગુણ હોય છે.

જો આપણે કોઈનો ભરોસો કરીએ છીએ, તો તે વ્યક્તિએ જે વચન આપ્યું છે તે કરશે એવો આપણે વિશ્વાસ કરીએ છીએ.

ઈસુમાં "વિશ્વાસ" કરવો તેનો અર્થ તે ઈશ્વર છે, તે આપણા પાપોની કિમત ચૂકવવા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યો હતો અને આપણને બચાવવા તેમના પર આધાર રાખવો એ થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"વિશ્વસનીય" * શબ્દ તરીકે ભાષાંતર કરી શકાય છે "આધારભૂત" અથવા "વિશ્વસનીય" અથવા "હંમેશા વિશ્વસનીય કરી શકાય છે."

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, આત્મવિશ્વાસ, વિશ્વાસ, વફાદાર (વિશ્વાસુ), સાચું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભાઈ, ભાઈઓ

વ્યાખ્યા:

“ભાઈ” શબ્દ, સામાન્ય રીતે પુરુષ વ્યક્તિ માટે દર્શાવામાં આવ્યો છે કે, જે (બીજી વ્યક્તિની સાથે) ઓછામાં ઓછા એક જૈવિક માતા પિતાનો ભાગ હોય છે.

ઉદાહરણ તરીકે, યાકુબ (ના પત્રમાં) કે જે બધા વિશ્વાસીઓ વિશે વાત કરી રહ્યો છે ત્યારે તે “ભાઈ અથવા બહેન” કે જેઓને ખોરાક અથવા કપડાંની જરૂરિયાત છે તે દર્શાવવા પર ભાર મૂકે છે.

ભાષાંતરના સુચનો:

લક્ષ્ય ભાષામાં આ શબ્દનું સૌથી સારું ભાષાંતર કરીએ તે ભાષામાં વપરાતો શાબ્દિક શબ્દ જે કુદરતી રીતે અથવા જૈવિક ભાઈને દર્શાવતો હોય તેનો ઉપયોગ કરવો, અને જ્યાં સુધી તે શબ્દનો અર્થ ખોટો અર્થ ના થાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો.

(આ પણ જુઓ: પ્રેરિત, ઈશ્વરપિતા, બહેન, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભૂંડ, ભૂંડો, ડુક્કરનું માંસ, ભૂંડણ

વ્યાખ્યા:

ભૂંડ એ ચાર પગવાળું, ખરીવાળું પ્રાણી છે કે જે માંસ માટે પાળવમાં આવે છે.

તેનું માંસ “ડુક્કરનું માંસ” (અંગ્રેજીમાં “પોર્ક”) કહેવામાં આવે છે.

ભૂંડો તથા તેમના સંબંધિત પ્રાણીઓ માટે “ભૂંડણ” એ સામાન્ય શબ્દ છે.

યહૂદીઓ આજે પણ ભૂંડને અશુદ્ધ ગણે છે અને તેનું માંસ ખાતા નથી.

જંગલી સૂવરોને મોટો અણીદાર દાંત હોય છે અને તેઓને ખૂબ જ ભયાનક પ્રાણી માનવામાં આવે છે.

(આ પણ જૂઓ: કેવી રીતે અજ્ઞાત બાબતોનો અનુવાદ કરવો

(આ પણ જૂઓ: શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભૂત, દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા

વ્યાખ્યા:

આ બધાંજ શબ્દો તે ભૂતોને દર્શાવે છે, કે જેઓના આત્મા અસ્તિત્વ ધરાવે છે, તેઓ દેવની ઈચ્છાનો વિરોધ કરે છે. દેવે દૂતોને તેની સેવા કરવા માટે બનાવ્યા. જયારે શેતાને દેવની વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે કેટલાક દૂતોએ પણ બળવો કર્યો અને તેઓને સ્વર્ગમાંથી બહાર ફેકવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે આ “પતિત થયેલા દૂતો,” ભૂતો અને દુષ્ટ આત્માઓ છે.

“અશુદ્ધ” શબ્દનો અર્થ “ભૂંડો” અથવા “દુષ્ટ” અથવા “અપવિત્ર” છે

ક્યારેક તેઓ લોકોની અંદર રહે છે અને તેઓનું નિયંત્રણ કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : ભૂત વળગેલાઓ, શેતાન, દેવ, દેવ, દેવદૂત, દુષ્ટ, શુદ્ધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભૂત, દુષ્ટ આત્મા, અશુદ્ધ આત્મા

વ્યાખ્યા:

આ બધાંજ શબ્દો તે ભૂતોને દર્શાવે છે, કે જેઓના આત્મા અસ્તિત્વ ધરાવે છે, તેઓ દેવની ઈચ્છાનો વિરોધ કરે છે. દેવે દૂતોને તેની સેવા કરવા માટે બનાવ્યા. જયારે શેતાને દેવની વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે કેટલાક દૂતોએ પણ બળવો કર્યો અને તેઓને સ્વર્ગમાંથી બહાર ફેકવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે આ “પતિત થયેલા દૂતો,” ભૂતો અને દુષ્ટ આત્માઓ છે.

“અશુદ્ધ” શબ્દનો અર્થ “ભૂંડો” અથવા “દુષ્ટ” અથવા “અપવિત્ર” છે

ક્યારેક તેઓ લોકોની અંદર રહે છે અને તેઓનું નિયંત્રણ કરે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : ભૂત વળગેલાઓ, શેતાન, દેવ, દેવ, દેવદૂત, દુષ્ટ, શુદ્ધ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

ભૂસું

વ્યાખ્યા:

ભૂસું એ અનાજના દાણાનું સુકું રક્ષણાત્મક આવરણ છે. ભૂસું એ ખોરાક માટે સારું નથી, જેથી લોકો તેને અનાજના દાણામાંથી જુદું કરીને તેને દૂર ફેંકી દે છે.

હવા ભૂસાને દૂર ખેંચી લઇ જાય છે, અને દાણા જમીન ઉપર પડે છે. આ પ્રક્રિયાને “ઊપણવું” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: અનાજ, ઘઉં, ઊપણવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, ભ્રષ્ટ થયેલું, ભ્રષ્ટ કરતું

વ્યાખ્યા:

કોઈ બાબતને ભ્રષ્ટ કરવાનો અર્થ જે કશું પવિત્ર છે તેને અશુદ્ધ, પ્રદુષિત કે અનાદર કરતી રીતે વ્યવહાર કરવો એવો થાય છે.

તેઓ ઈશ્વરનું અપમાન પણ કરતા હતા.

(આ પણ જૂઓ: અશુદ્ધ કરવું, પવિત્ર, શુદ્ધ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

ભ્રષ્ટ, બગડેલ છે, ભ્રષ્ટ થયેલું, અનૈતિક, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારવાળું, ભ્રષ્ટ ન થાય તેવું

વ્યાખ્યા:

“ભ્રષ્ટ” અને “ભ્રષ્ટાચાર” શબ્દો રાજ્યની બાબતો દર્શાવે છે કે જેમાં લોકો નાશ પામેલ, અનૈતિક, અથવા અપ્રામાણિક બની ગયેલા હોય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મંડળી, મંડળીઓ, વૈશ્વિક મંડળી

વ્યાખ્યા:

નવાકરારમાં, “મંડળી” શબ્દ, ઈસુમાં વિશ્વાસીઓનું સ્થાનિક જૂથ કે જેઓ નિયમિત રીતે એક સાથે મળી પ્રાર્થના અને દેવના વચનોનો પ્રચાર સાંભળતા હતા તેમને દર્શાવે છે. મોટેભાગે “મંડળી” (વૈશ્વિક મંડળી) શબ્દ બધા ખ્રિસ્તીઓને દર્શાવે છે.

મોટેભાગે વિશ્વાસીઓ ખાસ શહેરમાં કોઈકના ઘરમાં એક સાથે મળતાં હતા. આ શહેરોની સ્થાનિક મંડળીઓને જેમકે “એફેસસ ની મંડળી” એવું નામ આપવામાં આવતું હતું. બાઈબલમાં, “મંડળી” તે મકાનને દર્શાવાતું નથી.

ભાષાંતરના સૂચનો:

એ પણ ધ્યાનમાં રાખો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય બાઈબલ ભાષાંતરમાં તેનું ભાષાંતર કેવી રીતે થયું છે.

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું.)

(આ પણ જુઓ: સભા, વિશ્વાસ રાખવો, ખ્રિસ્તી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંદિર

તથ્યો:

મંદિર દિવાલોથી ઘેરાયેલ આંગણાવાળું એક મકાન હતું, જ્યાં ઈસ્રાએલીઓ ઈશ્વરને પ્રાર્થના કરવા અને બલિદાન અર્પણ કરવા માટે આવ્યા. તે યરૂશાલેમ શહેરમાં મોરીયા પર્વત પર આવેલું હતું.

કેટલીકવાર તે મકાનને જ ઓળખવામાં આવે છે.

યરૂશાલેમમાં પૂજા માટેની કાયમી જગ્યા હોવાનું માનવામાં આવે છે

અનુવાદ માટેના સૂચનો:

આનું ભાષાંતર "મંદિરના આંગણામાં" અથવા "મંદિરના સંકુલમાં" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: બલિદાન,સુલેમાન, બાબિલોન, પવિત્ર આત્મા, મુલાકાતમંડપ, અદાલત, સિયોન, ઘર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મંદિર

તથ્યો:

મંદિર દિવાલોથી ઘેરાયેલ આંગણાવાળું એક મકાન હતું, જ્યાં ઈસ્રાએલીઓ ઈશ્વરને પ્રાર્થના કરવા અને બલિદાન અર્પણ કરવા માટે આવ્યા. તે યરૂશાલેમ શહેરમાં મોરીયા પર્વત પર આવેલું હતું.

કેટલીકવાર તે મકાનને જ ઓળખવામાં આવે છે.

યરૂશાલેમમાં પૂજા માટેની કાયમી જગ્યા હોવાનું માનવામાં આવે છે

અનુવાદ માટેના સૂચનો:

આનું ભાષાંતર "મંદિરના આંગણામાં" અથવા "મંદિરના સંકુલમાં" તરીકે થઈ શકે છે.

(આ પણ જુઓ: બલિદાન,સુલેમાન, બાબિલોન, પવિત્ર આત્મા, મુલાકાતમંડપ, અદાલત, સિયોન, ઘર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મગ્દલાની મરિયમ

તથ્યો:

મગ્દલાની મરિયમ ઈસુમાં વિશ્વાસ કરતી અને તેમની સેવામાં તેમનું અનુસરણ કરતી સ્ત્રીઓમાંની એક સ્ત્રી હતી. જેનામાંથી ઈસુએ સાત દુષ્ટાત્માઓ કાઢ્યા હતા કે જેઓએ તેને બાંધી રાખી હતી તે સ્ત્રી તરીકે તે જાણીતી હતી.

(આ પણ જૂઓ: ભૂત, ભૂત વળગેલાઓ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મજૂરી, મજૂરીમાં, પ્રસૂતિની પીડા

વ્યાખ્યા:

એક સ્ત્રી કે જે "પ્રસૂતિમાં હોય" તે પીડાનો અનુભવ કરે છે જે બાળકના જન્મ તરફ દોરી જાય છે. તેઓને "પ્રસૂતિની પીડા" કહેવામા આવે છે.

(આ પણ જુઓ: મજૂરી, અંતિમ દિવસ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મજૂરી, મજૂરીમાં, પ્રસૂતિની પીડા

વ્યાખ્યા:

એક સ્ત્રી કે જે "પ્રસૂતિમાં હોય" તે પીડાનો અનુભવ કરે છે જે બાળકના જન્મ તરફ દોરી જાય છે. તેઓને "પ્રસૂતિની પીડા" કહેવામા આવે છે.

(આ પણ જુઓ: મજૂરી, અંતિમ દિવસ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મજૂરી, મજૂરી કરે છે, મહેનત, મજૂર, મજૂરો

વ્યાખ્યા:

"મજૂરી" શબ્દ કોઈપણ પ્રકારના ભારે શ્રમના કાર્યનો ઉલ્લેખ કરે છે.

તેમાં ઘણીવાર કાર્ય મુશ્કેલ હોય છે તે સૂચિત હોય છે.

બીજી ભાષાઓમાં સંપૂર્ણપણે અલગ શબ્દ તે માટે હોઈ શકે.

(આ પણ જુઓ: કઠણ, મજૂરી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મજૂરી, મજૂરી કરે છે, મહેનત, મજૂર, મજૂરો

વ્યાખ્યા:

"મજૂરી" શબ્દ કોઈપણ પ્રકારના ભારે શ્રમના કાર્યનો ઉલ્લેખ કરે છે.

તેમાં ઘણીવાર કાર્ય મુશ્કેલ હોય છે તે સૂચિત હોય છે.

બીજી ભાષાઓમાં સંપૂર્ણપણે અલગ શબ્દ તે માટે હોઈ શકે.

(આ પણ જુઓ: કઠણ, મજૂરી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મધ, મધપૂડા

વ્યાખ્યા:

“મધ” એ મીઠું, ચીકણું, ખાદ્ય પદાર્થ કે જે મધમાખીઓ ફૂલના અમૃતમાંથી બનાવે છે. મધપૂડો એ મીણ જેવી રચના છે કે જ્યાં માખીઓ મધ એકઠું કરે છે.

મધનું ઉત્પાદન કરી તેને ખાવા અથવા વેચવા માટે લોકો મધપૂડાઓમાં પણ મધમાખીઓને ઉછેરે છે, પણ બાઈબલમાં જે મધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે કદાચ જંગલી મધ હતું.

ઉદાહરણ તરીકે, દેવના વચનો અને આજ્ઞાઓ, જેઓ “મધ કરતાં મીઠા” છે. (જુઓ: સમાન, રૂપક

અમુક વ્યક્તિ દેખાવમાં મધના જેવા મીઠા દેખાય છે, પણ તેઓ આખરે છેતરનારા અને બીજાને નુકશાન કરનારા હોય છે.

(આ પણ જુઓ: યોહાન (બાપ્તિસ્ત), યોનાથાન, પલિસ્તિઓ, સામસૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મન, મનો, મનવાળું, સાવધ મનવાળું, યાદ કરાવવું, યાદ કરાવે છે, યાદ કરાવ્યું, યાદપત્ર, યાદપત્રો, યાદ કરાવતું, સમાન વિચારધારા ધરાવતા લોકો

વ્યાખ્યા:

“મન” શબ્દ વ્યક્તિના તે અંગનો ઉલ્લેખ કરે છે કે જે વિચારે છે અને નિર્ણયો લે છે.

તેનો અર્થ થાય છે કે ઈશ્વરપિતાને આજ્ઞાધિન હોવું, ખ્રિસ્તના શિક્ષણને પાળવું, આ પ્રમાણે કરવા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા સક્ષમ બનવું.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: વિશ્વાસ રાખવો, હ્રદય, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મનાશ્શા

તથ્યો:

જૂના કરારમાં મનાશ્શા નામના પાંચ પુરુષો હતા:

બાકીનું અરધું કુળ યર્દન નદીની પૂર્વ દિશાએ વસ્યું હતું.

મનાશ્શા ઈશ્વર તરફ પાછો ફર્યો અને જ્યાં મૂર્તિપૂજાઓ થતી હતી તે વેદીઓનો નાશ કર્યો.

આ બે પુરુષોને તેઓની પરદેશી પત્નીઓને છૂટાછેડા આપવા કહેવામાં આવ્યું હતું કે જેમણે તેઓને જૂઠા દેવોની આરાધના કરવા પ્રભાવિત કર્યાં હતા.

(આ પણ જૂઓ: યજ્ઞવેદી, દાન, એફ્રાઈમ, એઝરા, દેવ, ઈઝરાએલ, યહૂદા, અધર્મી, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મનાશ્શા

તથ્યો:

જૂના કરારમાં મનાશ્શા નામના પાંચ પુરુષો હતા:

બાકીનું અરધું કુળ યર્દન નદીની પૂર્વ દિશાએ વસ્યું હતું.

મનાશ્શા ઈશ્વર તરફ પાછો ફર્યો અને જ્યાં મૂર્તિપૂજાઓ થતી હતી તે વેદીઓનો નાશ કર્યો.

આ બે પુરુષોને તેઓની પરદેશી પત્નીઓને છૂટાછેડા આપવા કહેવામાં આવ્યું હતું કે જેમણે તેઓને જૂઠા દેવોની આરાધના કરવા પ્રભાવિત કર્યાં હતા.

(આ પણ જૂઓ: યજ્ઞવેદી, દાન, એફ્રાઈમ, એઝરા, દેવ, ઈઝરાએલ, યહૂદા, અધર્મી, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મરકી, મરકીઓ

વ્યાખ્યા:

મરકીઓ એવી ઘટનાઓ છે કે જેઓ મોટી સંખ્યામાં લોકોમાં પીડા અને મૃત્યુ ઉપજાવે છે. ઘણી વાર મરકી એ એવો રોગ છે જે ઝડપથી ફેલાય છે અને તેને અટકાવી શકાય તે અગાઉ ઘણા લોકોના મૃત્યુમાં પરિણામે છે.

આ મરકીઓમાં પાણીનું લોહી બનવું, શારીરિક રોગો, જીવાત અને કરા દ્વારા પાકનો નાશ, ત્રણ દિવસનો સંપૂર્ણ અંધકાર અને પ્રથમજનિત પુત્રોના મૃત્યુનો સમાવેશ થાય છે.

(આ પણ જૂઓ: કરા, ઈઝરાએલ, મૂસા, ફારૂન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મરિયમ, ઈસુની માતા

તથ્યો:

મરિયમ નાઝરેથ નગરમાં રહેતી એક યુવાન સ્ત્રી હતી કે જેની સગાઈ યૂસફ નામના એક પુરુષ સાથે થઈ હતી. ઈશ્વરે મરિયમને ઈસુ મસીહ એટલે કે ઈશ્વરપુત્રની શારીરિક માતા થવા પસંદ કરી.

બાદમાં હેરોદ રાજાની તે બાળકને મારી નાખવાની યોજનાથી બચવા તેઓ ઈસુને ઈજીપ્તમાં લઈ ગયા. અંતે તેઓ પાછા નાઝરેથમાં સ્થાયી થયા.

તેમણે પોતાના શિષ્ય યોહાનને તેણીની કાળજી પોતાની સગી માતા તરીકે રાખવા કહ્યું.

(આ પણ જૂઓ: કાના, મિસર, મહાન હેરોદ, ઈસુ, યૂસફ (નવાકરાર), ઈશ્વરનો દીકરો, કુમારિકા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે કુંવારી હતી અને યૂસફ નામના પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી. દૂતે તેને કહ્યું, “તું ગર્ભવતી થશે અને એક પુત્રને જન્મ આપશે. તારે તેનું નામ ઈસુ પાડવું અને તેઓ તો મસીહ હશે.”

તેથી બાળક પવિત્ર એટલે કે ઈશ્વરપુત્ર હશે.” મરિયમે દૂતે જે કહ્યું તેના પર વિશ્વાસ કર્યો અને તેને સ્વીકાર્યું.

જેવી એલિસબેતે મરિયમની સલામ સાંભળી કે, એલીસાબેતનું બાળક તેના પેટમાં કૂદ્યું.

તેના પેટમાનું બાળક પવિત્ર આત્મા દ્વારા છે.”

તેથી જ્યારે તે કુંવારી હતી ત્યારે, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ઈસુ પાડ્યું.

શબ્દ માહિતી:

મરિયમ, ઈસુની માતા

તથ્યો:

મરિયમ નાઝરેથ નગરમાં રહેતી એક યુવાન સ્ત્રી હતી કે જેની સગાઈ યૂસફ નામના એક પુરુષ સાથે થઈ હતી. ઈશ્વરે મરિયમને ઈસુ મસીહ એટલે કે ઈશ્વરપુત્રની શારીરિક માતા થવા પસંદ કરી.

બાદમાં હેરોદ રાજાની તે બાળકને મારી નાખવાની યોજનાથી બચવા તેઓ ઈસુને ઈજીપ્તમાં લઈ ગયા. અંતે તેઓ પાછા નાઝરેથમાં સ્થાયી થયા.

તેમણે પોતાના શિષ્ય યોહાનને તેણીની કાળજી પોતાની સગી માતા તરીકે રાખવા કહ્યું.

(આ પણ જૂઓ: કાના, મિસર, મહાન હેરોદ, ઈસુ, યૂસફ (નવાકરાર), ઈશ્વરનો દીકરો, કુમારિકા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તે કુંવારી હતી અને યૂસફ નામના પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી. દૂતે તેને કહ્યું, “તું ગર્ભવતી થશે અને એક પુત્રને જન્મ આપશે. તારે તેનું નામ ઈસુ પાડવું અને તેઓ તો મસીહ હશે.”

તેથી બાળક પવિત્ર એટલે કે ઈશ્વરપુત્ર હશે.” મરિયમે દૂતે જે કહ્યું તેના પર વિશ્વાસ કર્યો અને તેને સ્વીકાર્યું.

જેવી એલિસબેતે મરિયમની સલામ સાંભળી કે, એલીસાબેતનું બાળક તેના પેટમાં કૂદ્યું.

તેના પેટમાનું બાળક પવિત્ર આત્મા દ્વારા છે.”

તેથી જ્યારે તે કુંવારી હતી ત્યારે, તેણે એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ ઈસુ પાડ્યું.

શબ્દ માહિતી:

મરિયમ

તથ્યો:

મરિયમ હારુન અને મૂસાની મોટી બહેન હતી.

જ્યારે ફારુનની દીકરીને તે બાળક મળ્યું અને તેને કોઈ વ્યક્તિની જરૂર હતી કે જે બાળકની સંભાળ રાખી શકે ત્યારે, તે કરવા મરિયમ પોતાની માતાને બોલાવી લાવી.

પણ બાદમાં જ્યારે મૂસાએ તેના માટે આજીજી કરી ત્યારે ઈશ્વરે તેને સાજી કરી.

(આ પણ જૂઓ: હારુન, કૂશ, મધ્યસ્થી કરવી, મૂસા, નાઇલ નદી, ફારૂન, બળવો કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મરિયમ

તથ્યો:

મરિયમ હારુન અને મૂસાની મોટી બહેન હતી.

જ્યારે ફારુનની દીકરીને તે બાળક મળ્યું અને તેને કોઈ વ્યક્તિની જરૂર હતી કે જે બાળકની સંભાળ રાખી શકે ત્યારે, તે કરવા મરિયમ પોતાની માતાને બોલાવી લાવી.

પણ બાદમાં જ્યારે મૂસાએ તેના માટે આજીજી કરી ત્યારે ઈશ્વરે તેને સાજી કરી.

(આ પણ જૂઓ: હારુન, કૂશ, મધ્યસ્થી કરવી, મૂસા, નાઇલ નદી, ફારૂન, બળવો કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં, “મર્મ” શબ્દ કંઈક અજ્ઞાત અથવા તો સમજવા અઘરી એવી બાબત કે જેને ઈશ્વર હવે સમજાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, વિદેશી, સારા સમાચારો, યહૂદી, સાચું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મર્મ, મર્મો, ગુપ્ત સત્ય, ગુપ્ત સત્યો

વ્યાખ્યા:

બાઇબલમાં, “મર્મ” શબ્દ કંઈક અજ્ઞાત અથવા તો સમજવા અઘરી એવી બાબત કે જેને ઈશ્વર હવે સમજાવે છે તેનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: ખ્રિસ્ત, વિદેશી, સારા સમાચારો, યહૂદી, સાચું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મહિનો, મહિનાઓ, મહિને

વ્યાખ્યા:

“ મહિનો” એ શબ્દ, ચાર અઠવાડિયાના સમયગાળાને દર્શાવે છે. દરેક મહિનામાં કેટલા દિવસોની સંખ્યા હોય છે, તેનો આધાર સૂર્ય અથવા ચંદ્રના પંચાંગ પર હોઈ, તેઓ અલગ અલગ હોય શકે છે.

આ વ્યવસ્થામાં એક વર્ષમાં 12 અથવા 13 મહિના હોય છે. આ પંચાંગમાં વર્ષના 12 અથવા 13 મહિના હોય છે, જેમાં પ્રથમ મહિનાને હંમેશા એક જ નામથી બોલાવાય છે, તેમ છતાં તેમાં અલગ અલગ ઋતુ હોય શકે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મહિમા

વ્યાખ્યા:

“મહિમા” શબ્દ મહાનતા અને વૈભવનો ઉલ્લેખ કરે છે અને ઘણીવાર એક રાજાના ગુણોના સંબંધમાં વપરાય છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: રાજા)

બાઇબલ સંદર્ભ:

શબ્દ માહિતી:

મહેલ, મહેલો

વ્યાખ્યા:

“મહેલ” શબ્દ જ્યાં રાજા તેના કુટુંબીજનો અને દાસો સાથે રહે છે તે ભવન અથવા તો ઘરનો ઉલ્લેખ કરે છે.

(આ પણ જૂઓ: અદાલત, પ્રમુખ યાજક, રાજા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મહોર, મહોર કરે છે, મહોર કરવામાં આવી, મહોર કરવામાં આવી રહી છે, મહોર ન કરેલું

વ્યાખ્યા:

વસ્તુને મહોર કરવી તેનો અર્થ કે તેને કશાકથી બંધ કરવું કે જેને તોડ્યા વિના ખોલવા માટે અશક્ય બનાવે.

જ્યારે મીણ ઠંડુ અને કઠણ બની જાય, ત્યારે મહોરને તોડ્યા વિના પત્ર ખોલી શકાય નહિ.

(આ પણ જુઓ: પવિત્ર આત્મા, કબર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

માછીમાર, માછીમારો

વ્યાખ્યા:

માછીમાર માણસો કે જેઓ પૈસાની આવક માટે પાણીમાંથી માછલી પકડે છે. નવા કરારમાં, માછીમાર માછલી પકડવા મોટી જાળોનો ઉપયોગ કરતા હતા. “માછીમારો” શબ્દ એ માછીમાર માટેનું બીજું નામ છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માણસનો દીકરો, માણસનો દીકરો

વ્યાખ્યા:

“માણસનો દીકરો” શિર્ષક ઈસુ દ્વારા પોતાને સંબોધવા વાપરવામાં આવ્યું તેમને ઘણીવાર આ શબ્દ “હું” કે “મને” બોલવાને બદલે વાપર્યું.

તેનો એ પણ અર્થ થાય કે “માનવ.”

ઉદાહરણ ટીકે, તેઓએ કહ્યું, “તારે, માણસના દીકરા, પ્રબોધ કરવો જ જોઈએ.”

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: સ્વર્ગ, દીકરો, ઈશ્વરનો દીકરો, યહોવાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

માથ્થી, લેવી

તથ્યો:

માથ્થી બાર માણસોમાંનો એક હતો કે જેઓને ઈસુએ તેમના પ્રેરિતો થવા પસંદ કર્યાં હતા. તે અલ્ફીના પુત્ર લેવી તરીકે પણ ઓળખાતો હતો.

(આ પણ જૂઓ: પ્રેરિત, લેવી, વેરો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન, સન્માન

વ્યાખ્યા:

“માન” અને “સન્માન” શબ્દો કોઈને આદર, પ્રશંસા, અથવા આદર આપવા માટે દર્શાવવામાં આવ્યા છે.

આ સમાન વસ્તુને દર્શાવવાની કદાચ આ બે અલગ અલગ રીતો હશે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: અપમાન, ગૌરવ, ગૌરવ, સ્તુતિ કરવી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

માન્ના

વ્યાખ્યા:

માન્ના સફેદ દાણાના જેવો ખોરાક હતો કે જે ઈશ્વરે ઇઝરાયલીઓને તેઓ ઈજીપ્ત દેશમાંથી નીકળ્યા ત્યાર બાદ અરણ્યના 40 વર્ષના વસવાટ દરમ્યાન ખાવા માટે પૂરો પાડ્યો.

તે મધની જેમ ગળ્યું લાગતું હતું.

અનુવાદ માટેના સૂચનો

(આ પણ જૂઓ: રોટલી, રણ, અનાજ, સ્વર્ગ, વિશ્રામવાર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મિસર, મિસરી, મિસરીઓ

સત્યો:

મિસર એ આફ્રિકાના ઇશાન ભાગમાં, કનાનની ભૂમિના દક્ષિણ પશ્ચિમમાં આવેલો દેશ છે. મિસરી વ્યક્તિ છે કે જે મિસર દેશમાંથી આવે છે.

પ્રાચીન મિસર બે ભાગમાં વહેચાયેલું હતું, મિસરનો નીચેનો (ઉત્તર ભાગ જ્યાં નાઈલ નદી નીચે સમુદ્ર તરફ વહેતી હતી) અને મિસર નો ઉપરનો (દક્ષિણ ભાગ).

જૂના કરારમાં, આ ભાગોને મૂળ ભાષાના લખાણમાં “મિસર” અને “પત્રોસ” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: મહાન હેરોદ, [યૂસફ , યૂસફ (નવાકરાર), નાઇલ નદી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મિસર, મિસરી, મિસરીઓ

સત્યો:

મિસર એ આફ્રિકાના ઇશાન ભાગમાં, કનાનની ભૂમિના દક્ષિણ પશ્ચિમમાં આવેલો દેશ છે. મિસરી વ્યક્તિ છે કે જે મિસર દેશમાંથી આવે છે.

પ્રાચીન મિસર બે ભાગમાં વહેચાયેલું હતું, મિસરનો નીચેનો (ઉત્તર ભાગ જ્યાં નાઈલ નદી નીચે સમુદ્ર તરફ વહેતી હતી) અને મિસર નો ઉપરનો (દક્ષિણ ભાગ).

જૂના કરારમાં, આ ભાગોને મૂળ ભાષાના લખાણમાં “મિસર” અને “પત્રોસ” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: મહાન હેરોદ, [યૂસફ , યૂસફ (નવાકરાર), નાઇલ નદી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મુખ્ય, મુખ્ય વ્યક્તિઓ

વ્યાખ્યા:

“મુખ્ય” શબ્દ એ ખાસ જૂથના સૌથી શક્તિશાળી અથવા સૌથી મહત્વના આગેવાનને દર્શાવે છે.

આ સંદર્ભમાં, “મુખ્ય” શબ્દનું ભાષાંતર “આગેવાન” અથવા “મુખ્ય પિતા” તરીકે પણ કરી શકાય છે.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, યાજક, વેરો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુખ્ય યાજકો

વ્યાખ્યા:

ઈસુ પૃથ્વી ઉપર રહેતા હતા તે સમય દરમ્યાન મુખ્ય યાજકો મહત્વના યહૂદી ધાર્મિક આગેવાનો હતા.

તેઓ મંદિરમાં જે પૈસા આપવામાં આવતા હતા, તેના પણ ઉપરીઓ હતા.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: મુખ્ય, પ્રમુખ યાજક, યહૂદી અધિકારીઓ, યાજક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મુલાકાતમંડપ

વ્યાખ્યા:

આ મુલાકાતમંડપ એ ખાસ તંબુ જેવું હતું, જ્યાં ઈસ્રાએલીઓ 40 વર્ષ દરમિયાન ઈશ્વરનું ભજન કરતા હતા.

દરરોજ ઈસ્રાએલીઓ અરણ્યમાં રહેવા માટે જુદીજુદી જગ્યાએ જતાં ત્યારે,યાજકો મુલાકાતમંડપને ઊંચકીને તેને બીજી છાવણીએ લઈ જતા હતા. પછી તેઓ ફરીથી તેને નવી છાવણીની મધ્યમાં ઊભો કરતા.

અનુવાદ માટેના સૂચનો:

"મંડપ" શબ્દનો અર્થ "નિવાસસ્થાન" થાય છે. બીજી રીતે અનુવાદ કરવામાં "પવિત્ર તંબુ" અથવા " જ્યાં ઈશ્વર હતા તે તંબુ" અથવા " ઈશ્વરનો તંબુ" નો સમાવેશ થાય છે. ખાતરી કરો કે આ શબ્દનો અનુવાદ "મંદિર"ના અનુવાદથી અલગ છે.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, ધૂપનીવેદી, કરારકોશ, મંદિર, મુલાકાતમંડપ

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

મુલાકાતમંડપ

તથ્યો:

" મુલાકાત મંડપ "શબ્દ એ તંબુને દર્શાવે છે, જેમાં મુસા ઈશ્વરસાથે કામચલાઉ તંબુમાં જે મુલાકાત મંડપ બાંધવામાં આવ્યો તે પહેલાં મળતો હતો.

(આ પણ જુઓ: ઈઝરાએલ, મૂસા, થાંભલો, મુલાકાતમંડપ, તંબુ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

મુશ્કેલી, મુશ્કેલીઓ, મુશ્કેલીગ્રસ્ત, મુશ્કેલીમાં, તોફાની,

વ્યાખ્યા:

"મુશ્કેલી" એ જીવનનો અનુભવ છે જે ખૂબ જ મુશ્કેલ અને દુ: ખદાયી છે. કોઇ વ્યક્તિને "મુશ્કેલી" આપવી એટલે તે વ્યક્તિને "ચિંતા" કરવા અથવા તેને દુઃખ પહોંચાડવાનો અર્થ થાય છે. "મુશ્કેલીમાં" હોવાનો અર્થ કોઈના વિશે અસ્વસ્થ અથવા દુઃખી થવાનો થાય છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: વ્યથિત, સતાવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મૂર્ખ, મૂર્ખો, નાદાન, મૂર્ખાઈ

વ્યાખ્યા:

“મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે મોટેભાગે ખોટી પસંદગીઓ, ખાસ કરીને કે જ્યારે તે (આજ્ઞાનું) અનાદર કરવાનું પસંદ કરે છે.

“નાદાન” શબ્દ વ્યક્તિ અથવા વર્તન કે જે જ્ઞાની નથી, તેનું વર્ણન કરે છે.

તેને જ્ઞાની માણસ સાથે સરખાવવામાં આવ્યો છે કે જે દેવમાં વિશ્વાસ કરે છે અને દેવની આજ્ઞા પાળે છે.

મોટેભાગે “મૂર્ખાઈ” શબ્દના અર્થ માં કઈક કે જે હાસ્યસ્પદ અથવા ખતરનાક છે, તેનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મૂર્ખ, મૂર્ખો, નાદાન, મૂર્ખાઈ

વ્યાખ્યા:

“મૂર્ખ” શબ્દ વ્યક્તિ કે જે મોટેભાગે ખોટી પસંદગીઓ, ખાસ કરીને કે જ્યારે તે (આજ્ઞાનું) અનાદર કરવાનું પસંદ કરે છે.

“નાદાન” શબ્દ વ્યક્તિ અથવા વર્તન કે જે જ્ઞાની નથી, તેનું વર્ણન કરે છે.

તેને જ્ઞાની માણસ સાથે સરખાવવામાં આવ્યો છે કે જે દેવમાં વિશ્વાસ કરે છે અને દેવની આજ્ઞા પાળે છે.

મોટેભાગે “મૂર્ખાઈ” શબ્દના અર્થ માં કઈક કે જે હાસ્યસ્પદ અથવા ખતરનાક છે, તેનો પણ સમાવેશ થાય છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

મૂલ્યવાન

તથ્યો:

“મૂલ્યવાન” શબ્દ એવા લોકો કે વસ્તુઓનો ઉલ્લેખ કરે છે જેઓને ઘણા કિંમતી ગણવામાં આવે છે.

(આ પણ જૂઓ: સોનુ, ચાંદી/રૂપું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

મૂસા

તથ્યો:

મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.

મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું. જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.

(આ પણ જૂઓ: મરિયમ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”

શબ્દ માહિતી:

મૂસા

તથ્યો:

મૂસા 40 વર્ષ સુધી ઇઝરાયલી લોકો માટે એક પ્રબોધક અને આગેવાન હતો.

મૂસાની બહેન મરિયમે ત્યાં તેનું ધ્યાન રાખ્યું હતું. જ્યારે ફારુનની દીકરીએ તેને જોયો અને તેને પોતાના પુત્ર તરીકે ઉછેરવા મહેલમાં લઈ ગઈ ત્યારે મૂસાનું જીવન બચી ગયું હતું.

(આ પણ જૂઓ: મરિયમ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર તમારા માટે લડશે અને તમને બચાવશે.”

શબ્દ માહિતી:

મોઆબ, મોઆબી, મોઆબી સ્ત્રી

તથ્યો:

મોઆબ લોતની મોટી દીકરીનો પુત્ર હતો. તે અને તેનું કુટુંબ જ્યાં રહેતા હતા તે પ્રદેશનું નામ પણ મોઆબ પડ્યું. “મોઆબી” શબ્દ એવી વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે મોઆબની વંશજ છે અથવા તો જે મોઆબ દેશમાં રહે છે.

આ શબ્દનો અનુવાદ “મોઆબની સ્ત્રી” અથવા તો “મોઆબ દેશની સ્ત્રી” તરીકે પણ થઈ શકે.

(આ પણ જૂઓ: બેથલેહેમ, યહૂદિયા, લોત, રૂથ, ખારો સમુદ્ર)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

યજ્ઞવેદી, યજ્ઞવેદીઓ

વ્યાખ્યા:

યજ્ઞવેદી એક ઉભું કરેલું માળખું હતું કે જ્યાં ઈઝરાએલીઓ દેવને પશુઓ અને અનાજનું દહન તરીકે અર્પણ કરતા.

(આ પણ જુઓ: ધૂપનીવેદી, દેવ, ખાદ્યાર્પણ, બલિદાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યબૂસ, યબૂસી, યબૂસીઓ

સત્યો:

યબૂસીઓ એ કનાનની ભૂમિમાં રહેનારા લોકોનું એક જૂથ હતું. તેઓ હામના દીકરા કનાનથી ઉતરી આવેલા હતા. યબૂસીઓ એ યબૂસ શહેરમાં રહેતા હતા, અને જયારે દાઉદ રાજાએ તેને જીતી લીધું ત્યારે તેનું નામ બદલીને યરૂશાલેમ રાખવામાં આવ્યું.

(આ પણ જુઓ: કનાન, હામ, યરૂશાલેમ, મલ્ખીસેદેક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યરીખો

સત્યો:

યરીખો કનાનની ભૂમિમાંનું શક્તિશાળી શહેર હતું. તે યર્દન નદીની પૂર્વે અને ખારા સમુદ્રની ઉત્તરે આવેલું હતું.

(આ પણ જુઓ: કનાન, યર્દન નદી, યહોશુઆ, ચમત્કાર, ખારો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યરીખો

સત્યો:

યરીખો કનાનની ભૂમિમાંનું શક્તિશાળી શહેર હતું. તે યર્દન નદીની પૂર્વે અને ખારા સમુદ્રની ઉત્તરે આવેલું હતું.

(આ પણ જુઓ: કનાન, યર્દન નદી, યહોશુઆ, ચમત્કાર, ખારો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યર્દન નદી, યર્દન

સત્યો:

યર્દન નદી કે જે ઉત્તરથી દક્ષિણમાં વહે છે, અને જમીનની પૂર્વ સીમા બનાવે છે કે જે કનાન કહેવાતો હતો. આજે, યર્દન નદી ઈઝરાએલને તેના પશ્ચિમ યર્દનથી તેના પૂર્વ યર્દનને અલગ કરે છે.

તેને સામાન્ય રીતે પાર કરવી ખૂબ અઘરી હતી, પણ દેવે નદીને ચમત્કારીક રીતે વહેતી બંધ કરી જેથી તેઓ ચાલીને નદીના પટ પાર કરી શક્યા.

(આ પણ જુઓ: કનાન, ખારો સમુદ્ર, ગાલીલનો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યર્દન નદી, યર્દન

સત્યો:

યર્દન નદી કે જે ઉત્તરથી દક્ષિણમાં વહે છે, અને જમીનની પૂર્વ સીમા બનાવે છે કે જે કનાન કહેવાતો હતો. આજે, યર્દન નદી ઈઝરાએલને તેના પશ્ચિમ યર્દનથી તેના પૂર્વ યર્દનને અલગ કરે છે.

તેને સામાન્ય રીતે પાર કરવી ખૂબ અઘરી હતી, પણ દેવે નદીને ચમત્કારીક રીતે વહેતી બંધ કરી જેથી તેઓ ચાલીને નદીના પટ પાર કરી શક્યા.

(આ પણ જુઓ: કનાન, ખારો સમુદ્ર, ગાલીલનો સમુદ્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યર્મિયા

સત્યો:

યર્મિયા યહૂદાના રાજ્યમાં દેવનો પ્રબોધક હતો. યર્મિયાના જૂના કરારના પુસ્તકમાં તેની ભવિષ્યવાણીઓનો સમાવેશ થયેલો છે.

જેથી તેઓએ તેને ઊંડા, સૂકા ટાંકામાં નાંખ્યો અને મરવા માટે ત્યાં છોડી દીધો. પણ યહૂદાના રાજાએ તેના નોકરોને યર્મિયાને ટાંકામાંથી બહાર કાઢવા આદેશ આપ્યો.

(આ પણ જુઓ: બાબિલોન, યહુદા, પ્રબોધક, બળવો કરવો, સહન કરવું, ટાંકણ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યશાયા

સત્યો:

યશાયા એ દેવનો પ્રબોધક હતો કે જેણે યહૂદાના ચાર રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી: ઉઝિઝયા, યોથામ, આહાઝ, અને હિઝિક્યા.

(આ પણ જુઓ: આહાઝ, આશ્શૂર, ખ્રિસ્ત, હિઝિક્યા, યોથામ, યહુદા, પ્રબોધક, ઉઝિઝયા)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈસુએ ઓળિયું ખોલ્યું અને લોકો માટે તેનો ભાગ વાંચ્યો.

શબ્દ માહિતી:

યહૂદા

સત્યો:

યહૂદા એ યાકૂબના મોટા દીકરાઓમાંનો એક હતો. લેઆહ તેની માતા હતી. તેના વંશજોને “યહૂદાનું કુળ” કહેવામાં આવતા હતા. તે યહૂદા હતો કે જેણે તેના ભાઈઓને તેઓના નાના ભાઈ યૂસફને ઊંડા ખાડામાં તેને મરવા માટે છોડવાને બદલે ગુલામ તરીકે વેચી દેવા કહ્યું.

ઈસુ, પણ યહૂદાનો વંશજ હતો.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહુદા, યહૂદિયા, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદા

સત્યો:

યહૂદા એ યાકૂબના મોટા દીકરાઓમાંનો એક હતો. લેઆહ તેની માતા હતી. તેના વંશજોને “યહૂદાનું કુળ” કહેવામાં આવતા હતા. તે યહૂદા હતો કે જેણે તેના ભાઈઓને તેઓના નાના ભાઈ યૂસફને ઊંડા ખાડામાં તેને મરવા માટે છોડવાને બદલે ગુલામ તરીકે વેચી દેવા કહ્યું.

ઈસુ, પણ યહૂદાનો વંશજ હતો.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહુદા, યહૂદિયા, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદિયા

સત્યો:

“યહૂદિયા” શબ્દ પ્રાચીન ઈઝરાએલની ભૂમિના એક વિસ્તારને દર્શાવે છે. તેનો ઉપયોગ કેટલીક વાર સાંકડા સંદર્ભમાં અને અમુકવાર તેને બહોળા સંદર્ભમાં કરવામાં આવ્યો છે.

કેટલાક ભાષાંતરોમાં, આ પ્રાંતને “યહૂદા” કહેવામાં આવે છે.

(આ પણ જુઓ: ગાલીલ, અદોમ, યહૂદા, યહુદા, સમરૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી, યહૂદીઓ

સત્યો:

યહૂદી લોકો કે જેઓ ઈબ્રાહિમના પૌત્ર યાકૂબના વંશજો હતા. “યહૂદી” શબ્દ “યહૂદા” શબ્દ પરથી આવે છે.

તેમ છતાં, યહૂદી ધાર્મિક આગેવાનોએ ઈસુનો અસ્વીકાર કર્યો અને તેને મારી નાખવાની માંગણી કરી.

તે સંદર્ભોમાં, તેને સ્પષ્ટ બનાવવા માટે કેટલાક ભાષાંતરો “આગેવાનો નો” ઉમેરે છે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈઝરાએલ, ઈઝરાએલ, બાબિલોન, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહૂદી, યહૂદી ધર્મ

વ્યાખ્યા:

“યહૂદીવાદ” શબ્દ, યહૂદીઓ દ્વારા પાળવામાં આવતા ધર્મને દર્શાવે છે. તેને “યહૂદી ધર્મ” તરીકે પણ દર્શાવવામાં આવે છે.

તેમાં રિવાજો અને પરંપરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેને ઘણા સમય બાદ યહૂદી ધર્મના ઉમેરવામાં આવ્યા છે.

(આ પણ જુઓ: યહૂદી, નિયમ/કાયદો/કાનૂન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યહોવાહ

તથ્યો:

"યહોવાહ" શબ્દ ઈશ્વરનું વ્યક્તિગત નામ છે જે તેમણે પ્રગટ કર્યું, જ્યારે તેમણે બળતા ઝાડવા પાસે મૂસાને જણાવ્યું હતું.

" * યહોવાહ" ના શક્ય અર્થમાં શામેલ છે, "તે છે" અથવા "હું છું" અથવા "જે કોઈ હોવાનું કારણ બને છે તે."

તેનો અર્થ એ પણ છે કે તે હંમેશા હાજર છે.

અનુવાદ માટેનાં સૂચનો:

"* યહોવાહ" શબ્દનો અર્થ "હું છું" અથવા "જીવનારું" અથવા "જે તે છે" અથવા "જે જીવંત છે તે" દ્વારા ભાષાંતર કરી શકાય છે.

કેટલીક મંડળીના સંપ્રદાયો "યહોવાહ" શબ્દનો ઉપયોગ નહીં કરવાને બદલે પરંપરાગત અનુવાદનો ઉપયોગ કરે છે, "પ્રભુ". એક મહત્વની વિચારણા એ છે કે જ્યારે તે મોટેથી વાંચવામાં આવે ત્યારે તે મૂંઝવણ થઈ શકે છે કારણ કે તે "પ્રભુ" શીર્ષક જેવો જ ધ્વનિ (અવાજ) કરશે. કેટલીક ભાષાઓમાં એક લગાડવું અથવા અન્ય વ્યાકરણીય માર્કર હોઈ શકે છે જે "યહોવાહ" ને "પ્રભુ" થી એક અલગ નામ "પ્રભુ" તરીકે ઓળખવામાં આવે છે.

(આ પણ જુઓ: દેવ, પ્રભુ, પ્રભુ, મૂસા, પ્રગટ કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યહોશાફાટ

સત્યો:

જૂનાકરારમાં યહોશાફાટ નામના ઓછામાં ઓછા બે માણસો હતા.

તેનું કાર્ય દસ્તાવેજો લખવાનું હતું, જેમાં રાજા સહી કરતો અને તે ઈતિહાસની અગત્યની ઘટનાઓ તે રાજ્યમાં બનતી તેની નોંધ કરવાના કાર્યનો સમાવેશ હતો.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, દાઉદ, દેવ, ઈઝરાએલ, યહૂદા, યાજક, સુલેમાન)

બાઇબલના કલમો:

શબ્દ માહિતી:

યહોશુઆ

સત્યો:

બાઈબલમાં યહોશુઆ નામનાં ઘણા ઈઝરાએલી માણસો હતા. નૂનનો દીકરો યહોશુઆ એ સૌથી સારી રીતે જાણીતો છે કે જે મૂસાનો મદદગાર હતો, અને જે પાછળથી દેવના લોકોનો એક મહત્વનો આગેવાન બન્યો.

(આ પણ જુઓ: કનાન, હાગ્ગાય, યરીખો, મૂસા, વચનનો દેશ, ઝખાર્યા (જૂનો કરાર))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યાજક, યાજકો, યાજકપદ

વ્યાખ્યા:

બાઇબલમાં, યાજક એ માણસ હતો કે જેને ઈશ્વરના લોકો માટે ઈશ્વરને બલિદાનો ચડાવવા પસંદ કરવામાં આવ્યો હતો. “યાજકપદ” એ તેના હોદ્દાનું નામ અથવા તો યાજક હોવાની સ્થિતિ હતી.

તેમણે આપણા માટે અંતિમ બલિદાન તરીકે પોતાનું સ્વાર્પણ કર્યું છે. તેનો અર્થ એ થાય છે કે માનવીય યાજકો દ્વારા આપતા બલિદાનોની હવે જરૂર નથી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: હારુન, મુખ્ય યાજકો, પ્રમુખ યાજક, મધ્યસ્થ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યાજક, યાજકો, યાજકપદ

વ્યાખ્યા:

બાઇબલમાં, યાજક એ માણસ હતો કે જેને ઈશ્વરના લોકો માટે ઈશ્વરને બલિદાનો ચડાવવા પસંદ કરવામાં આવ્યો હતો. “યાજકપદ” એ તેના હોદ્દાનું નામ અથવા તો યાજક હોવાની સ્થિતિ હતી.

તેમણે આપણા માટે અંતિમ બલિદાન તરીકે પોતાનું સ્વાર્પણ કર્યું છે. તેનો અર્થ એ થાય છે કે માનવીય યાજકો દ્વારા આપતા બલિદાનોની હવે જરૂર નથી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: હારુન, મુખ્ય યાજકો, પ્રમુખ યાજક, મધ્યસ્થ, બલિદાન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

યાફા

સત્યો:

બાઈબલના સમયોમાં, યાફાનું શહેર ભૂમધ્ય સમુદ્ધ ઉપર, શારોનના મેદાનની દક્ષિણે આવેલું એક મહત્વનું વ્યાપારી બંદર હતું.

(આ પણ જુઓ: સમુદ્ર, યરૂશાલેમ, શારોન, તાર્શીશ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યૂના

વ્યાખ્યા:

યૂના એ જૂના કરારમાંનો હિબ્રૂ પ્રબોધક હતો.

જયારે તેઓએ તેમ કર્યું ત્યારે તોફાન બંધ થયું.

(આ પણ જુઓ: આજ્ઞાભંગ, નિનવે, વળાંક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યોથામ

વ્યાખ્યા:

જૂના કરારમાં, યોથામ નામ સાથેના ત્રણ માણસો હતા. એક યોથામ નામનો માણસ ગિદિયોનનો નાનો પુત્ર હતો. યોથામે તેના મોટાભાઈ અબીમેલેખને હરાવવા મદદ કરી, કે જેણે બાકીના તેઓના બધા ભાઈઓને મારી નાખ્યા હતા.

(આ પણ જુઓ: અબીમેલેખ, આહાઝ, ગિદિયોન, ઉઝિઝયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

યોશિયા

સત્યો:

યોશિયા એક ધાર્મિક રાજા હતો જેણે યહૂદાના રાજ્ય ઉપર એકત્રીસ વર્ષ માટે રાજ કર્યું. તેણે યહૂદાના લોકોને પસ્તાવો કરી અને યહોવાની આરાધના કરવા આગેવાની આપી.

જયારે આ થયું હતું ત્યારે નિયમશાસ્ત્રના પુસ્તકો મળી આવ્યા.

તેણે આદેશ આપ્યો કે મૂર્તિ પૂજાના બધા સ્થાનોનો નાશ કરવો અને જૂઠા દેવોના યાજકોને મારી નાખવા.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: દેવ, યહૂદા, કાયદો/કાનૂન, પાસ્ખા, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રક્ત

વ્યાખ્યા:

“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.

આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.

ભાષાંતરના સૂચનો:

સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.

(આ પણ જુઓ: દેહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.

શબ્દ માહિતી:

રક્ત

વ્યાખ્યા:

“રક્ત” શબ્દ, જયારે વ્યક્તિને ઈજા અથવા ઘા થાય ત્યારે તે વ્યક્તિની ચામડીના ભાગમાંથી લાલ પ્રવાહી બહાર આવે છે તેને દર્શાવે છે. રક્ત વ્યક્તિના આખા શરીરમાં જીવન આપવાના પોષક તત્વો લાવે છે.

આ પ્રાણીના જીવનનું બલિદાન લોકોના પાપોની ચુકવણી માટેનું પ્રતિક છે.

ભાષાંતરના સૂચનો:

સંદર્ભ પર આધાર રાખીને, “મારું પોતાનું રક્ત અને માંસ” અભિવ્યક્તિનું ભાષાંતર “મારું પોતાનું કુટુંબ” અથવા “મારા પોતાના સગા સબંધીઓ” અથવા “મારા પોતાના લોકો” થઇ શકે છે.

(આ પણ જુઓ: દેહ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ હલવાનના રક્તને કારણે બચ્યા હતાં.

શબ્દ માહિતી:

રડવું, રડે છે, રડ્યો, રડતું, પોકાર કરવો, પોકાર કર્યો, બૂમ પાડવી, બૂમરાણ કરે છે

વ્યાખ્યા”

“રડવું” અથવા “પોકારવું” શબ્દોના અર્થ, મોટેભાગે કંઇક મોટેથી કહેવું અથવા તાત્કાલિક કરવા વિનંતી કરવી. કોઈક દુઃખ અથવા તકલીફ અથવા ગુસ્સામાં “રડી” શકે છે.

(આ પણ જુઓ: તેડું, આજીજી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રણ, રણો, અરણ્ય, અરણ્યો

વ્યાખ્યા:

રણ અથવા અરણ્ય, સુકી અને ઉજ્જડ જગ્યા છે કે જ્યાં ખુબજ અલ્પ પ્રમાણમાં છોડવા અને વૃક્ષો ઉગી શકે.

“અરણ્ય” તે એક દૂરવર્તી, નિર્જન, અને લોકોથી અળગી જગ્યા હોવાનો અર્થ આપે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રથ, રથો, સારથિ

વ્યાખ્યા:

પ્રાચીન સમયમાં, રથો ઓછા વજનવાળા, બે પૈડાના ગાડા હતા કે જેઓ ઘોડાઓ દ્વારા ખેચવામાં આવતા હતાં.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ : મિસર, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રહાબામ

તથ્યો:

રહાબામ સુલેમાન રાજાનો એક પુત્ર હતો અને સુલેમાનના મૃત્યુ બાદ તે ઇઝરાયલ દેશનો રાજા બન્યો.

(આ પણ જૂઓ: ઈઝરાયેલનું રાજ્ય, યહુદા, સુલેમાન)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

ફક્ત બે જ કુળો તેને વિશ્વાસુ રહ્યાં.

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાખ, ભસ્મ, ધૂળ

સત્યો:

“રાખ” અથવા “ભસ્મ” શબ્દ, જે લાકડાં બળી ગયા પછી જે રાખોડી ભુકીવાળો પદાર્થ પાછળ રહી જાય છે તેને દર્શાવે છે. ક્યારેક લાક્ષણિક રીતે કે જે કંઇક નકામું અથવા નિરર્થક છે તેના માટે તેનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ક્યારેક “ધૂળ” શબ્દ રાખ વિશે વાત હોય ત્યારે વપરાય છે. તેનો ઉલ્લેખ બારીક, છૂટ્ટી ધૂળ કે જે કોરી જમીન રૂપ ધારણ કરી શકે છે, તેને દર્શાવે છે.

પ્રાચીન સમયમાં રાખમાં બેસવું તે વિલાપ અથવા શોકની નિશાની હતી. વિલાપના સમયમાં એવો રિવાજ હતો કે ખરબચડા ટાટના વસ્ત્રો પહેરવા અને રાખમાં બેસવું અથવા માથા ઉપર રાખ ભભરાવવી. માથા ઉપર રાખ નાખવી, તે માનહાની અથવા વ્યગ્ર કરાયેલું હોય એની પણ નિશાની હતી.

કંઈક નકામા માટે સખત પ્રયત્ન કરવો, એ રાખ ખવડાવવા (નિષ્ફળતા પર વધુ ધ્યાન આપવું) સમાન કહેવાય છે.

જયારે યોજેલી ભાષામાં “રાખ” શબ્દનો ભાષાંતર કરીએ ત્યારે તે લાકડાં બાળી નાખ્યા પછી બાકી રહેલ વસ્તુને દર્શાવે છે.

(આ પણ જુઓ: અગ્નિ, શોકના વસ્ત્રો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજ, રાજ કરે છે, રાજ કર્યું, રાજકર્તા, રાજકર્તાઓ, ચુકાદો, ચુકાદાઓ, નામંજૂર, નામંજૂર કર્યું

વ્યાખ્યા:

“રાજકર્તા” શબ્દ એ એક વ્યક્તિ કે જેને બીજા લોકો પર અધિકાર છે તેનો સામાન્ય ઉલ્લેખ છે, જેમ કે દેશનો, રાજ્યનો, અથવા ધાર્મિક જુથનો આગેવાન. “રાજકર્તા” એ છે કે જે રાજ કરે છે, અને તેનો અધિકાર એ તેનું “રાજ” છે.

જ્યારે રાજાના શાસનનો ઉલ્લેખ થાય છે ત્યારે તેનો અર્થ “રાજ” એકસરખો જ થાય છે.

(આ પણ જુઓ: અધિકાર, સંચાલન, રાજા, સભાસ્થાન)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાજા, રાજાઓ, રાજ્ય, રાજ્યો, રાજાશાહી, રાજવી

વ્યાખ્યા:

"રાજા" શબ્દ એવા એક માણસનો ઉલ્લેખ કરે છે જે શહેર, રાજ્ય, અથવા દેશનો સર્વોચ્ચ શાસક છે.

(આ પણ જુઓ: અધિકાર, હેરોદ, રાજ્ય, ઈશ્વરનું રાજ્ય)

બાઇબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

તે સારો હતો રાજા, અને કોલો તેને પ્રેમ કરતાં હતા.

શબ્દ માહિતી:

રાજા, રાજાઓ, રાજ્ય, રાજ્યો, રાજાશાહી, રાજવી

વ્યાખ્યા:

"રાજા" શબ્દ એવા એક માણસનો ઉલ્લેખ કરે છે જે શહેર, રાજ્ય, અથવા દેશનો સર્વોચ્ચ શાસક છે.

(આ પણ જુઓ: અધિકાર, હેરોદ, રાજ્ય, ઈશ્વરનું રાજ્ય)

બાઇબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

તે સારો હતો રાજા, અને કોલો તેને પ્રેમ કરતાં હતા.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાજ્ય, રાજ્યો

વ્યાખ્યા:

રાજ્ય એ રાજા દ્વારા શાસિત લોકોનું જુથ છે. તે રાજ્ય અથવા રાજકીય વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેના પર રાજા અથવા બીજો શાસક નિયંત્રણ અને સત્તા ધરાવે છે.

રાજા કદાચ રાષ્ટ્ર અથવા દેશ અથવા કેવળ શહેર પર શાસન કરતો હોય.

તેનું રાજ્ય એ દુષ્ટ છે અને તેને "અંધકાર" તરીકે સંબોધવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

આ અભિવ્યક્તિમાં "અજવાળું" શબ્દ રાખવો એ શ્રેષ્ઠ છે કેમ કે તે બાઇબલમણિ અતિ મહત્વનો શબ્દ છે.

(આ પણ જુઓ: અધિકાર, રાજા, ઈશ્વરનું રાજ્ય, ઈઝરાયેલનું રાજ્ય, યહૂદા, યહુદા, યાજક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

માત્ર બે કુળો જ તેને વફાદાર રહ્યા. આ બે કુળો બન્યા રાજ્ય યહુદાના.

તેઓએ સ્થાપ્યું તેમનું રાજ્ય જમીનના ઉત્તર ભાગમાં અને તેને કહ્યું રાજ્ય ઈઝરાયેલનું.

શબ્દ માહિતી:

રાણી, રાણીઓ

વ્યાખ્યા:

રાણી એ એક દેશની સ્ત્રી શાસક અથવા તો રાજાની પત્ની છે.

રાજમાતા ઘણી પ્રભાવશાળી વ્યક્તિ હતી; ઉદાહરણ તરીકે અથાલ્યાએ લોકોને મૂર્તિપૂજા કરવા પ્રેર્યા હતા.

(આ જૂઓ: અહાશ્વેરોશ, અથાલ્યા, એસ્તેર, રાજા. ઇરાન રાજ, શેબા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાણી, રાણીઓ

વ્યાખ્યા:

રાણી એ એક દેશની સ્ત્રી શાસક અથવા તો રાજાની પત્ની છે.

રાજમાતા ઘણી પ્રભાવશાળી વ્યક્તિ હતી; ઉદાહરણ તરીકે અથાલ્યાએ લોકોને મૂર્તિપૂજા કરવા પ્રેર્યા હતા.

(આ જૂઓ: અહાશ્વેરોશ, અથાલ્યા, એસ્તેર, રાજા. ઇરાન રાજ, શેબા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાબ્બા

વ્યાખ્યા:

રાબ્બા આમ્મોની લોકોનું સૌથી મહત્ત્વનું શહેર હતું.

(આ જૂઓ: આમ્મોન, દાઉદ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામા

તથ્યો:

રામા યરૂશાલેમથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન ઇઝરાયલનું એક શહેર હતું. જ્યાં બિન્યામીનનું કુળ રહેતું હતું તે પ્રદેશમાં તે સ્થિત હતું.

(જુઓં: બિન્યામીન, ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રામોથ

તથ્યો:

રામોથ યર્દન નદી નજીક ગિલ્યાદના પહાડોમાં સ્થિત એક અગત્યનું શહેર હતું. તેને રામોથ ગિલ્યાદ પણ કહેવામાં આવતું હતું.

તે યુદ્ધમાં આહાબને મારી નાખવામાં આવ્યો હતો.

(આ પણ જૂઓ: આહાબ, અહાઝ્યા, અરામ, ગાદ, યહોશાફાટ, યેહૂ, યોરામ (યહોરામ), યર્દન નદી, યહુદા, આશ્રય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રાહાબ

તથ્યો:

રાહાબ એક સ્ત્રી હતી કે જે જ્યારે ઇઝરાયલીઓએ યરીખો પર હુમલો કર્યો ત્યારે ત્યાં રહેતી હતી. તે એક વેશ્યા હતી.

તેણે તે જાસૂસોને ઇઝરાયલની છાવણીમાં પાછા ભાગી જવા મદદ કરી હતી.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, યરીખો, વેશ્યા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓ ઇઝરાયલી લોકોનો હિસ્સો બની ગયા.

શબ્દ માહિતી:

રાહેલ

તથ્યો:

રાહેલ યાકૂબની પત્નીઓમાંની એક હતી. તે અને તેની બહેન લેઆ લાબાન કે જે યાકૂબના મામા હતા તેની દીકરીઓ હતી.

પછી ઈશ્વરે તેને યૂસફનો જન્મ આપવા સક્ષમ કરી.

(આ પણ જૂઓ: બેથલેહેમ, ઈઝરાએલ, લાબાન, લેઆહ, યૂસફ (જૂના કરાર), ઇસ્રાએલના બાર કુળ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

રૂથ

તથ્યો:

રૂથ મોઆબી સ્ત્રી હતી જે જ્યારે ન્યાયાધીશો ઈઝરાયેલનો ન્યાય કરતાં હતાં તે સમય દરમિયાન જીવતી હતી. તેણીએ ઈઝરાયેલી માણસ સાથે મોઆબમાં લગ્ન કર્યા હતાં જ્યારે ન્યાયાધીશો ઈઝરાયેલનો ન્યાય કરતાં હતાં તે સમય દરમિયાન દુષ્કાળને કારણે તેણે ત્યાં તેના કુટુંબ સાથે સ્થળાંતર કર્યું હતું

કારણ કે દાઉદ રાજા ઈસુ ખ્રિસ્તના પૂર્વજ હતાં તેથી રૂથ પણ હતી.

(આ પણ જુઓ: બેથલેહેમ, બોઆઝ, દાઉદ, ન્યાયાધીશ)

બાઈબલના સદાર્ભો:

શબ્દ માહિતી:

રૂથ

તથ્યો:

રૂથ મોઆબી સ્ત્રી હતી જે જ્યારે ન્યાયાધીશો ઈઝરાયેલનો ન્યાય કરતાં હતાં તે સમય દરમિયાન જીવતી હતી. તેણીએ ઈઝરાયેલી માણસ સાથે મોઆબમાં લગ્ન કર્યા હતાં જ્યારે ન્યાયાધીશો ઈઝરાયેલનો ન્યાય કરતાં હતાં તે સમય દરમિયાન દુષ્કાળને કારણે તેણે ત્યાં તેના કુટુંબ સાથે સ્થળાંતર કર્યું હતું

કારણ કે દાઉદ રાજા ઈસુ ખ્રિસ્તના પૂર્વજ હતાં તેથી રૂથ પણ હતી.

(આ પણ જુઓ: બેથલેહેમ, બોઆઝ, દાઉદ, ન્યાયાધીશ)

બાઈબલના સદાર્ભો:

શબ્દ માહિતી:

રોટલી

વ્યાખ્યા:

રોટલી એ લોટમાં પાણી અને તેલ ભેળવીને કણક (બાંધેલા લોટ) માંથી બનાવેલો ખોરાક છે.

પછી કણકને રોટલાનો આકાર આપીને શેકવામાં આવે છે.

બાઈબલમાં તેને “બેખમીર રોટલી” અને જે યહૂદિઓના પાસ્ખાપર્વના ભોજન માટે વપરાય હતી.

(જુઓ: લક્ષણા(અલંકાર)

આ રોટલીઓ ઈઝરાએલના બાર કુળો દર્શાવે છે અને તે ફક્ત યાજકોને ખાવા માટે હતી. તેનું ભાષાંતર એમ કરી શકાય, “રોટલી દર્શાવે છે કે દેવ તેઓની મધ્યેમાં રહે છે.”

(આ પણ જુઓ: પાસ્ખા, મુલાકાતમંડપ, મંદિર, બેખમીર રોટલી, ખમીર)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

રોટલી

વ્યાખ્યા:

રોટલી એ લોટમાં પાણી અને તેલ ભેળવીને કણક (બાંધેલા લોટ) માંથી બનાવેલો ખોરાક છે.

પછી કણકને રોટલાનો આકાર આપીને શેકવામાં આવે છે.

બાઈબલમાં તેને “બેખમીર રોટલી” અને જે યહૂદિઓના પાસ્ખાપર્વના ભોજન માટે વપરાય હતી.

(જુઓ: લક્ષણા(અલંકાર)

આ રોટલીઓ ઈઝરાએલના બાર કુળો દર્શાવે છે અને તે ફક્ત યાજકોને ખાવા માટે હતી. તેનું ભાષાંતર એમ કરી શકાય, “રોટલી દર્શાવે છે કે દેવ તેઓની મધ્યેમાં રહે છે.”

(આ પણ જુઓ: પાસ્ખા, મુલાકાતમંડપ, મંદિર, બેખમીર રોટલી, ખમીર)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

રોમ, રોમન

તથ્યો:

નવા કરારના સમયમાં, રોમ શહેર તે રોમન સામ્રાજયનું કેન્દ્ર હતું. તે હવે આજના આધુનિક દેશ ઈટલીનું મહત્વનું શહેર છે.

(આ પણ જુઓ: સારા સમાચારો, સમુદ્ર, પિલાત, પાઉલ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

રોમ, રોમન

તથ્યો:

નવા કરારના સમયમાં, રોમ શહેર તે રોમન સામ્રાજયનું કેન્દ્ર હતું. તે હવે આજના આધુનિક દેશ ઈટલીનું મહત્વનું શહેર છે.

(આ પણ જુઓ: સારા સમાચારો, સમુદ્ર, પિલાત, પાઉલ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

લબાનોન

તથ્યો:

લબાનોન ઈઝરાયેલની ઉત્તરે સુંદર પર્વતીય વિસ્તાર ભૂમધ્ય સમુદ્રના કિનારાની સમાંતરે સ્થિત છે. બાઈબલના સમયમાં આ વિસ્તાર જાડા વૃક્ષો જેવા કે દેવદાર અને સાયપ્રસ સાથે, જંગલવાળો હતો.

એ તો આ શહેરોમાં સૌ પ્રથમ મૂલ્યવાન જાંબલી રંગ ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.

(આ પણ જુઓ: એરેજ (દેવદાર), જૈત વૃક્ષ, દેવદાર, ફિનીકિયા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાકડી, લાકડીઓ

વ્યાખ્યા:

“લાકડી” શબ્દ સાંકડી, સખત, સોટીનો ઉલ્લેખ કરે છે- હથિયાર જેવું જેનો ઉપયોગ અનેક જુદી જુદી રીતે કરવામાં આવતો હતો. તે કદાચ લંબાઈમાં ઓછામાં ઓછી એક મીટર હતી.

ભટકતા ઘેટાંને ટોળામાં પાછું લાવવાં માટે તેને ફેંકવામાં પણ આવતું હતું.

(આ પણ જુઓ: લાકડી, ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાકડી, લાકડીઓ

વ્યાખ્યા:

લાકડી એ લાંબી લાકડાંની છડી અથવા સોટી હોય છે, જે ઘણીવાર ચાલતી વખતે સાથે રાખવામાં આવે છે.

(આ પણ જુઓ: ફારૂન, સામર્થ્ય, ઘેટી, ઘેટાંપાળક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાબાન

તથ્યો:

જૂના કરારમાં, લાબાન એ યાકુબનો સસરા તથા મામા હતા.

(આ પણ જુઓ: ઈઝરાએલ, નાહોર, લેઆહ, રાહેલ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લાભ, લાભો, લાભકારક, બિનલાભદાયક

વ્યાખ્યા:

સામાન્ય રીતે, “લાભ” અને “લાભકારક” શબ્દો ખાસ કાર્યો કે વ્યવહાર કરવા દ્વારા કશુંક સારું પ્રાપ્ત કરવું તેનો ઉલ્લેખ કરે છે. જો કોઈ બાબત કોઈ વ્યક્તિ માટે સારી બાબતો ઉપજાવે છે અથવા તો બીજાઓ માટે સારી બાબતો ઉપજાવવામાં મદદ કરે છે તો તે બાબત તે વ્યક્તિ માટે “લાભકારક” છે.

વેપારમાં જે નાણાં ખર્ચવામાં આવે છે તેનાથી જો વધારે નાણાં પ્રાપ્ત થાય તો તે વેપારને “લાભકારક” કહેવામાં આવે છે.

તેનો અર્થ એ થાય છે કે બાઇબલનું શિક્ષણ લોકોને ઈશ્વરની ઇચ્છા અનુસાર જીવવાનું શીખવવા મદદરૂપ અને ઉપયોગી છે. “બિનલાભદાયક” શબ્દનો અર્થ ઉપયોગી નહીં એવો થાય છે.

(આ પણ જૂઓ: લાયક)

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લેવી, લેવી, લેવીઓ, લેવીઓના

વ્યાખ્યા:

લેવી યાકુબ અથવા ઈઝરાયેલના બાર દીકરાઓમાનો એક હતો. "લેવી””" શબ્દ એવિ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ઈઝરાયેલી કુળનો સભ્ય છે જેના પૂર્વજો લેવી હતા.

(જો કે, સર્વ લેવીઓ યાજકો ન હતા.)

(આ પણ જુઓ: માથ્થી, યાજક, બલિદાન, મંદિર, ઇસ્રાએલના બાર કુળ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લોત

તથ્યો:

લોત ઇબ્રાહીમનો ભત્રીજો હતો.

પરંતુ, તેમણે સૌ પ્રથમ લોત અને તેના કુટુંબને શહેર છોડી જવા કહ્યું, જેથી તેઓ ભાગી શકે.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, આમ્મોન, હારાન, મોઆબ, સદોમ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

લોબાન

વ્યાખ્યા:

લોબાન એ રાળ વૃક્ષમાંથી બનાવેલી તેજાનાની સુવાસ છે. તેને અત્તર અને ધૂપ બનાવવા વાપરવામાં આવે છે.

(આ પણ જુઓ: બેથલેહેમ, વિદ્વાન માણસ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વખાર, વખારો

વ્યાખ્યા:

“વખાર” એ મોટી ઈમારત હોય છે જે લાંબા સમય માટે અનાજ અને બીજી વસ્તુઓ રાખવા માટે વપરાય છે.

તેમાંની કેટલીક બાબતોનો ઉપયોગ મંદિરના સમારકામ અને જાળવણી માટે કરવામાં આવતો જે ત્યાં રાખવામાં આવતું હતું.

(આ પણ જુઓ: પાવન કરવું, અર્પણ, દુકાળ, સોનુ, અનાજ, ચાંદી/રૂપું, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વચન, વચન આપવું, વચનો, વચન આપ્યું

વ્યાખ્યા:

વચન એ કોઈ ખાસ બાબત કરવાની પ્રતિજ્ઞા છે. જ્યારે કોઈ વ્યક્તિ કશું કરવાનું વચન આપે છે ત્યારે તેનો અર્થ થાય છે કે તે કશું કરવાનું સમપર્ણ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જૂઓ: કરાર, શપથ, પ્રતિજ્ઞા)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

મેઘધનુષ જ્યારે પણ આકાશમાં દેખાય ત્યારે ઈશ્વર તેમણે જે વચન આપ્યું છે તે યાદ કરશે અને તેમના લોકો પણ તે યાદ કરશે.

ઇબ્રામે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો.

જો કે તેઓ હજું પાછા આવ્યા નથી તો પણ તેઓ પોતાનું વચન પાળશે.

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલ વ્યક્તિ તે છે કે જે સ્થાનિક મંડળીમાં સાથી વિશ્વાસીઓને સાથે વ્યવહારુ જરૂરીયાતો, જેવી કે ખોરાક અથવા પૈસાની મદદ કરીને સેવા આપે છે.

(આ પણ જુઓ: સેવા આપવી, ગુલામ બનાવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલ વ્યક્તિ તે છે કે જે સ્થાનિક મંડળીમાં સાથી વિશ્વાસીઓને સાથે વ્યવહારુ જરૂરીયાતો, જેવી કે ખોરાક અથવા પૈસાની મદદ કરીને સેવા આપે છે.

(આ પણ જુઓ: સેવા આપવી, ગુલામ બનાવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલો એ આત્મિક રીતે પુખ્ત માણસો છે કે, જેઓને દેવના લોકો મધ્યે આત્મિક જવાબદારીઓ અને વ્યવહારુ નેતૃત્વ મળેલા હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વડીલ, વડીલો

વ્યાખ્યા:

વડીલો એ આત્મિક રીતે પુખ્ત માણસો છે કે, જેઓને દેવના લોકો મધ્યે આત્મિક જવાબદારીઓ અને વ્યવહારુ નેતૃત્વ મળેલા હોય છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વધસ્તંભ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, વધસ્તંભ એ એક જમીનમાં ઉભું કરેલું લાકડું, જેની ઉપરની ટોચના આડા લાકડા સાથે મોભથી જોડાયેલું હતું.

ધ્યાનમાં રાખો કે, આ શબ્દ ક્રિયાપદ “પાર જવું” (ક્રોસ કરવું) તે શબ્દથી સંપૂર્ણપણે અલગ છે કે જેનો અર્થ, જેમકે નદી અથવા સરોવરની પેલે પાર જવું.

ભાષાંતરના સૂચનો:

(જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, રોમ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેઓએ જે વધસ્તંભ પર તેનું મૃત્યુ થવાનું હતું તે તેને ઉંચકાવ્યો.

તેઓએ તેને કહ્યું , “જો તું દેવનો દીકરો હોય તો, “વધસ્તંભ પરથી નીચે ઉતરી આવ અને પોતાને બચાવ! પછી અમે તને માનીશું.

શબ્દ માહિતી:

વરરાજા, વરરાજાઓ

વ્યાખ્યા:

લગ્ન સમાંરભમાં, વરરાજા એક પુરુષ છે કે જે કન્યા સાથે લગ્ન કરશે.

ઈસુએ તેના શિષ્યોને વરરાજાના મિત્રો સમાન સરખાવ્યા છે કે જયારે તેઓ વરરાજા સાથે છે ત્યારે તેઓ ઉજવણી કરે છે, પણ જયારે વરરાજા ચાલ્યો જશે ત્યારે તેઓ ઉદાસ થઇ જશે.

(આ પણ જુઓ: કન્યા)

બાઈબલની કલમો :

શબ્દ માહિતી:

વરુ, વરુઓ, જંગલી કુતરાઓ

વ્યાખ્યા:

વરુ એક જંગલી કૂતરા સમાન ઉગ્ર, માંસ ભક્ષક પ્રાણી છે.

ખોટુ શિક્ષણ લોકોને ખોટી બાબતો મનાવે છે જે તેમને નુકસાન પહોંચાડે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, જૂઠો પ્રબોધક, ઘેટી, શીખવવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વર્ષ, વર્ષો

વ્યાખ્યા:

બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે. આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.

પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે. આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.

આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે. આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.

(આ પણ જુઓ: મહિનો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વર્ષ, વર્ષો

વ્યાખ્યા:

બાઈબલમાં જયારે “વર્ષ” શબ્દ વાપરવામાં આવે છે ત્યારે તેના શાબ્દિક અર્થ અનુસાર તે સમયગાળો 354 દિવસોનો હોય છે. આ ચંદ્રની પંચાંગ પ્રમાણેની વ્યવસ્થા છે, જેમાં ચંદ્રને પૃથ્વીની ચોફેર ફરતા જે સમય લે છે તે દર્શાવે છે.

પણ ચંદ્રના પંચાંગમાં વધારાનો 13મો મહિનો ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય પંચાંગ પ્રમાણે 11 ખૂટતા દિવસો ઉમેરી દેવામાં આવે. આ બંને પંચાંગો એકબીજા સાથે જોડી રાખવામાં વધારે મદદ કરે છે.

આ ઉદાહરણોમાં “યહોવાનું વર્ષ,” અથવા “દુકાળના સમયનું વર્ષ” અથવા “પ્રભુને માન્ય વર્ષ” નો સમાવેશ થાય છે. આ સંદર્ભોમાં, ”વર્ષ” શબ્દનું ભાષાંતર “સમય” અથવા “ઋતુ” અથવા “સમયગાળો” કરી શકાય છે.

(આ પણ જુઓ: મહિનો)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વહાણ

વ્યાખ્યા:

“વહાણ” શબ્દનો શાબ્દિક અર્થ દર્શાવે છે કે, લંબચોરસ લાકડાનું ખોખું કે જેમાં કાંઈક રાખી શકાય અથવા તેમાં રક્ષણ થઈ શકે. વહાણ નાનું કે મોટું હોઈ શકે, તે તેના ઉપયોગ પર આધારિત છે. અંગ્રેજી બાઈબલમાં, પ્રથમવાર “વહાણ” શબ્દ બહુ મોટા લંબચોરસ, કે જે વિશ્વભરના જળપ્રલયથી બચવા નુહે બાંધેલી લાકડાંની નાવ એમ દર્શાવે છે વહાણનું તળિયું, છત, અને દિવાલો સીઘા હતા. આ શબ્દનું ભાષાંતર “ખુબ મોટી નાવ” અથવા “સપાટ તળિયા વાળી માલવાહક નૌકા” અથવા “નૌકાભાર” અથવા “મોટી, ખોખા આકારની નાવ” થઇ શકે છે.

આ કિસ્સામાં સામાન્ય રીતે તેનું ભાષાંતર “પેટી” થઇ શકે છે.

તેનું ભાષાંતર “ખોખું” અથવા “પેટી” અથવા “ડબ્બો” થઇ શકે છે.

(આપણ જુઓ: કરારકોશ, ટોપલી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વહાણ

વ્યાખ્યા:

“વહાણ” શબ્દનો શાબ્દિક અર્થ દર્શાવે છે કે, લંબચોરસ લાકડાનું ખોખું કે જેમાં કાંઈક રાખી શકાય અથવા તેમાં રક્ષણ થઈ શકે. વહાણ નાનું કે મોટું હોઈ શકે, તે તેના ઉપયોગ પર આધારિત છે. અંગ્રેજી બાઈબલમાં, પ્રથમવાર “વહાણ” શબ્દ બહુ મોટા લંબચોરસ, કે જે વિશ્વભરના જળપ્રલયથી બચવા નુહે બાંધેલી લાકડાંની નાવ એમ દર્શાવે છે વહાણનું તળિયું, છત, અને દિવાલો સીઘા હતા. આ શબ્દનું ભાષાંતર “ખુબ મોટી નાવ” અથવા “સપાટ તળિયા વાળી માલવાહક નૌકા” અથવા “નૌકાભાર” અથવા “મોટી, ખોખા આકારની નાવ” થઇ શકે છે.

આ કિસ્સામાં સામાન્ય રીતે તેનું ભાષાંતર “પેટી” થઇ શકે છે.

તેનું ભાષાંતર “ખોખું” અથવા “પેટી” અથવા “ડબ્બો” થઇ શકે છે.

(આપણ જુઓ: કરારકોશ, ટોપલી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વાંસળી, વાંસળીઓ, મુરલી, મુરલીઓ

વ્યાખ્યા:

બાઈબલના સમયમાં, મુરલીઓ એ સંગીતના સાધનો હતા જેને વગાડવા અને તેનો અવાજને બહાર આવવા માટે લાકડાં અથવા હાડકાંમાં નાના કાણાં પાડવામાં આવતા હતા. વાંસળી એ એક પ્રકારની પાઈપ હતી.

(આ પણ જુઓ: ઘેટાં બકરાં, ઘેટાંપાળક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વિદેશી, વિદેશીઓ

સત્યો:

“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે. વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.

તેઓ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, યહૂદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વિદેશી, વિદેશીઓ

સત્યો:

“વિદેશી” શબ્દ કોઈ પણ કે જે યહૂદી નથી, તેને દર્શાવે છે. વિદેશીઓ એ લોકો હતા કે જેઓ યાકૂબના વંશજો નહોતા.

તેઓ બીજા દરેકને “વિદેશી” તરીકે ઓળખ્યા.

(આ પણ જુઓ: ઈઝરાએલ, ઈઝરાએલ, યહૂદી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વિધિ, વિધિઓ

વ્યાખ્યા:

વિધિએ સ્પષ્ટ લેખિત નિયમ છે જે લોકોને જીવવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

આ બધા શબ્દો સૂચનાઓ અને જરૂરિયાતો કે જે ઈશ્વર તેમના લોકોને આપે છે અથવા રાજકર્તાઓ તેમના લોકોને આપે છે તેનો સમાવેશ કરે છે.

(આ પણ જુઓ: આદેશ, વિધિ (હુકમ), નિયમ/કાયદો/કાનૂન, ફરમાન, યહોવાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિનાશ, વિનાશ કરવો, વિનાશ કર્યો

વ્યાખ્યા:

કશાકનો “વિનાશ” કરવો એટલે કે બગાડવું, નાશ, અથવા નિરુપયોગી બનાવવું. “વિનાશ” અથવા “વિનાશ કરવો” શબ્દ જેનો નાશ કરવામાં આવ્યો છે તેના રોડાં અને બગડેલા કશાકના અવશેષનો ઉલ્લેખ કરે છે.

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિપત્તિ

વ્યાખ્યા:

"વિપત્તિ" શબ્દ હાડમારી, દુઃખ અને વેદનાના સમયનો ઉલ્લેખ કરે છે.

)આ પણ જુઓ: [પૃથ્વી[, પૃથ્વી, શીખવવું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિપત્તિ

વ્યાખ્યા:

"વિપત્તિ" શબ્દ હાડમારી, દુઃખ અને વેદનાના સમયનો ઉલ્લેખ કરે છે.

)આ પણ જુઓ: [પૃથ્વી[, પૃથ્વી, શીખવવું

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્રામવાર

વ્યાખ્યા:

“વિશ્રામવાર” શબ્દ અઠવાડિયાના સાતમા દિવસનો ઉલ્લેખ કરે છે, કે જેને ઈશ્વરે ઇઝરાયેલીઓ માટે આરામના દિવસ અને કોઈ કામ ન કરવાં તરીકે અલગ કરવાં ફરમાવ્યો હતો.

તે જ પ્રમાણે, સાતમા દિવસને આરામના અને ઈશ્વરની આરાધના કરવાના ખાસ દિવસ તરીકે અલગ કરવાં તેમણે ઈઝરાયેલીઓને આજ્ઞા આપી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: કેવી રીતે અજ્ઞાતનો અનુવાદ કરવો

(આ પણ જુઓ: આરામ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

વિશ્રામવાર

વ્યાખ્યા:

“વિશ્રામવાર” શબ્દ અઠવાડિયાના સાતમા દિવસનો ઉલ્લેખ કરે છે, કે જેને ઈશ્વરે ઇઝરાયેલીઓ માટે આરામના દિવસ અને કોઈ કામ ન કરવાં તરીકે અલગ કરવાં ફરમાવ્યો હતો.

તે જ પ્રમાણે, સાતમા દિવસને આરામના અને ઈશ્વરની આરાધના કરવાના ખાસ દિવસ તરીકે અલગ કરવાં તેમણે ઈઝરાયેલીઓને આજ્ઞા આપી હતી.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: કેવી રીતે અજ્ઞાતનો અનુવાદ કરવો

(આ પણ જુઓ: આરામ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વ, દુન્યવી

વ્યાખ્યા:

"વિશ્વ" શબ્દ સામાન્ય રીતે બ્રહ્માંડના ભાગને ઉલ્લેખ કરે છે જ્યાં લોકો રહે છે: પૃથ્વી. "દુન્યવી" શબ્દનો અર્થ આ જગતમાં રહેતા લોકોના દુષ્ટ મૂલ્યો અને વર્તણૂકોનું વર્ણન કરે છે.

આમાં માનવ પ્રયાસો પર આધારીત સ્વ-પ્રામાણિક ધાર્મિક પ્રથાઓ શામેલ હોઈ શકે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

ઉદાહરણ તરીકે, "સમગ્ર વિશ્વ ઇજિપ્તમાં આવ્યું”નું ભાષાંતર, "આજુબાજુના દેશોમાંથી ઘણા લોકો ઇજિપ્તમાં આવ્યા" અથવા "ઇજિપ્તની આસપાસના બધા દેશોના લોકો ત્યાં આવ્યા"કરી શકાય છે.

(આ પણ જુઓ: ભ્રષ્ટ, સ્વર્ગ, રોમ, દૈવી)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વિશ્વાસ

વ્યાખ્યા:

“વિશ્વાસ” શબ્દ, સામાન્ય રીતે, કોઈક પર અથવા કોઈક બાબતમાં માન્યતા, ભરોસો અથવા આત્મવિશ્વાસને દર્શાવે છે.

ખાસ કરીને તેનો અર્થ એમ કે લોકો ઈસુમાં વિશ્વાસ, અને તેના બલિદાન જે તેઓને તેમના પાપથી શુદ્ધ કરે છે, અને તેઓના પાપને કારણે જે સજાને લાયક હતા, તેમાંથી તેઓને છોડાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શાંતિએ જા.”

શબ્દ માહિતી:

વેદના

વ્યાખ્યા:

“વેદના” શબ્દ તીવ્ર દુઃખ અથવા આપત્તિ દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વેર, વેર લે છે, વેર લીધું, વેર લેવું, વેર લેનાર, વેર વાળવું, બદલો

વ્યાખ્યા:

“વેર” અથવા “વેર લેવું” અથવા “બદલો વાળી આપવો” કોઈને તેને કરેલા નુકસાનને પાછું ભરી આપવાની સજા છે. વેર લેવાનું કામ અથવા વેર લેવું તે “બદલો” છે. સામાન્ય રીતે “વેર” નો ઉદ્દેશ ન્યાય મેળવી, ખોટને સુધારવું (રોકવું). “બદલો લેવો” અથવા “વેર લેવું” તે અભિવ્યક્તિ દર્શાવે છે, કે સામાન્ય રીતે જે વ્યક્તિએ નુકસાન કર્યું તેને તે પ્રમાણે કરી પાછું વાળી આપવું.

ભાષાંતરના સુચનો:

જો આ શબ્દ નો અર્થ “વેરની વસૂલાત” થાય છે, તો એનો ઉપયોગ ફક્ત માણસજાત માટે જ થાય છે.

(આ પણ જુઓ: શિક્ષા કરવી, ન્યાયી, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વેર, વેર લે છે, વેર લીધું, વેર લેવું, વેર લેનાર, વેર વાળવું, બદલો

વ્યાખ્યા:

“વેર” અથવા “વેર લેવું” અથવા “બદલો વાળી આપવો” કોઈને તેને કરેલા નુકસાનને પાછું ભરી આપવાની સજા છે. વેર લેવાનું કામ અથવા વેર લેવું તે “બદલો” છે. સામાન્ય રીતે “વેર” નો ઉદ્દેશ ન્યાય મેળવી, ખોટને સુધારવું (રોકવું). “બદલો લેવો” અથવા “વેર લેવું” તે અભિવ્યક્તિ દર્શાવે છે, કે સામાન્ય રીતે જે વ્યક્તિએ નુકસાન કર્યું તેને તે પ્રમાણે કરી પાછું વાળી આપવું.

ભાષાંતરના સુચનો:

જો આ શબ્દ નો અર્થ “વેરની વસૂલાત” થાય છે, તો એનો ઉપયોગ ફક્ત માણસજાત માટે જ થાય છે.

(આ પણ જુઓ: શિક્ષા કરવી, ન્યાયી, ન્યાયી)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

વેલો, વેલા

વ્યાખ્યા:

"વેલો" શબ્દ એ એક છોડને દર્શાવે છે જે જમીનની સાથે અથવા વૃક્ષો અને અન્ય માળખાઓ ચડતાં વધતો જાય છે. બાઇબલમાં "વેલો" શબ્દનો ઉપયોગ ફળદાયક વેલાને માટે થાય છે અને સામાન્ય રીતે દ્રાક્ષવેલાનો ઉલ્લેખ કરે છે.

આ સંદર્ભમાં, "વેલો" શબ્દને "દ્રાક્ષવેલાનું થડ" અથવા "દ્રાક્ષના છોડનો દાંડો" તરીકે ભાષાંતર કરી શકાય છે.)જુઓ: રૂપક આ પણ જુઓ: દ્રાક્ષ દ્રાક્ષવાડી)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વેલો, વેલા

વ્યાખ્યા:

"વેલો" શબ્દ એ એક છોડને દર્શાવે છે જે જમીનની સાથે અથવા વૃક્ષો અને અન્ય માળખાઓ ચડતાં વધતો જાય છે. બાઇબલમાં "વેલો" શબ્દનો ઉપયોગ ફળદાયક વેલાને માટે થાય છે અને સામાન્ય રીતે દ્રાક્ષવેલાનો ઉલ્લેખ કરે છે.

આ સંદર્ભમાં, "વેલો" શબ્દને "દ્રાક્ષવેલાનું થડ" અથવા "દ્રાક્ષના છોડનો દાંડો" તરીકે ભાષાંતર કરી શકાય છે.)જુઓ: રૂપક આ પણ જુઓ: દ્રાક્ષ દ્રાક્ષવાડી)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

વેશ્યા, વેશ્યાવૃત્તિ કરી, વેશ્યાઓ, ગણિકા, વેશ્યાવૃત્તિ કરી

વ્યાખ્યા:

“વેશ્યા” અને “ગણિકા” બંને શબ્દો પૈસા માટે કે ધાર્મિક ક્રિયાકાંડો માટે જાતીય વ્યવહાર કરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વેશ્યાઓ તથા ગણિકાઓ સામાન્ય રીતે સ્ત્રીઓ હતી, પણ કેટલાક પુરુષો પણ હતા.

બાઇબલમાં આ અભિવ્યક્તિનો ઉપયોગ મૂર્તિઓની પૂજા કરનાર વ્યક્તિનો ઉલ્લેખ કરવા પણ થયો છે.

કેટલીક ભાષાઓમાં આને માટે વપરાતો સૌમ્યોક્તિ શબ્દ હોય શકે.

(આ જૂઓ: સૌમ્યોક્તિ

(આ જૂઓ: વ્યભિચાર, દેવ, જાતીય અનૈતિકતા, દેવ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વૈભવ

વ્યાખ્યા:

“વૈભવ” શબ્દ ઉચ્ચ સુંદરતા અને લાવણ્યનો ઉલ્લેખ કરે છે કે જે ઘણીવાર સંપત્તિ અને ભવ્ય દેખાવ સાથે સંકળાયેલ હોય છે.

(આ પણ જુઓ: ગૌરવ, રાજા, મહિમા)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યભિચાર, વ્યભિચારી, વ્યભિચાર કરનાર, વ્યભિચારીણી, વ્યભિચારીઓ, લંપટો

વ્યાખ્યા:

“વ્યભિચાર” શબ્દ એ પ્રકારનું પાપ દર્શાવે છે કે જયારે લગ્ન કરેલી વ્યક્તિ પોતાના પતિ કે પત્નીને છોડીને બીજા કોઈની સાથે જાતીય સબંધો રાખે. બન્ને વ્યભિચારના પાપ માટે દોષિત છે. “વ્યભિચારી” શબ્દ એ પ્રકારનું વર્તન દર્શાવે છે અથવા એવી કોઈ વ્યક્તિ જે તે પાપ કરે છે.

ભાષાંતર માટે સૂચનો:

જો લક્ષ્ય ભાષામાં “વ્યભિચાર” શબ્દનું ભાષાંતર બરાબર રીતે ન થયું હોય તો તેને “અવિશ્વાશુ” અથવા “અનૈતિક” અથવા “એક બેવફા પતિ કે પત્ની સમાન” એવું ભાષાંતર કરવું.

(જુઓ: સોંપવું, કરાર, જાતીય અનૈતિકતા, ની સાથે સંબંધ હતો, વફાદાર (વિશ્વાસુ))

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણ:

શબ્દ માહિતી:

વ્યર્થ, મિથ્યાભિમાન

વ્યાખ્યા:

આ "વ્યર્થ" શબ્દ કંઈક નકામી છે અથવા કોઈ હેતુ નથી તેવું વર્ણવે છે. વ્યર્થ વસ્તુઓ ખાલી અને નકામી છે.

તે ગર્વિષ્ઠ અથવા ઘમંડનો પણ ઉલ્લેખ કરી શકે છે.

તેઓ નકામી છે અને તેનો કોઈ ઉપયોગ અથવા હેતુ નથી.

પ્રયત્ન અથવા ક્રિયા કંઈપણ પૂર્ણ કરી શકતી નહીં.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: દેવ, [લાયક([

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

શબ્દ, શબ્દો

વ્યાખ્યા:

"શબ્દ" એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈએ કહ્યું છે

આ શબ્દ લગભગ હંમેશાં સમગ્ર સંદેશ, ફક્ત એક શબ્દ નહીં, ઉલ્લેખ કરે છે.

આ છેલ્લા બે અર્થો માટે, જુઓ ઈશ્વરનો શબ્દ

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનો શબ્દ

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શબ્દ, શબ્દો

વ્યાખ્યા:

"શબ્દ" એવી કોઈ બાબતનો ઉલ્લેખ કરે છે જે કોઈએ કહ્યું છે

આ શબ્દ લગભગ હંમેશાં સમગ્ર સંદેશ, ફક્ત એક શબ્દ નહીં, ઉલ્લેખ કરે છે.

આ છેલ્લા બે અર્થો માટે, જુઓ ઈશ્વરનો શબ્દ

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનો શબ્દ

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરમ, શરમ અનુભવે છે, શરમ અનુભવવી, શરમજનક, શરમજનક રીતે, બેશરમ, નિર્લજ્જ, લજ્જિત, નિષ્ઠુર

વ્યાખ્યા:

"શરમ" શબ્દ એ વ્યક્તિનું અપમાન થયાની પીડાદાયક લાગણીનો સંદર્ભ આપે છે, તેણે અથવા અન્ય કોઈ વ્યક્તિએ કરેલ શરમજનક અથવા અયોગ્ય બાબતને કારણે.

(આ પણ જુઓ: દેવ, નમ્ર, હલકું પાડવું, યશાયા, પશ્ચાતાપ કરવો, પાપ, ઉપાસના)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરીર, શરીરો

વ્યાખ્યા:

શાબ્દિક અર્થ અનુસાર “શરીર” શબ્દ, શારીરિક શરીર અથવા પ્રાણી દર્શાવે છે. આ શબ્દનો રૂપકાત્મક ઉપયોગ કોઈ વસ્તુ અથવા આખા સમુદાય માટે થાય છે કે જેમાં વ્યક્તિગત સભ્યો રહેલા છે.

જે રીતે વ્યક્તિનું મગજ તેના શરીરને શું કરવું તે કહે છે, તે જ રીતે ઈસુ ખ્રિસ્તી લોકોને તેના “શરીરના” સભ્યો તરીકે માર્ગદર્શન આપીને દિશા આપે છે.

ભાષાંતરના સૂચનો:

ખાસ ધ્યાન આપશો કે આ શબ્દ કોઈના માટે અરુચિકર ન હોય. જયારે વિશ્વાસીના સમુદાયને વિશે વાત કરવામાં આવે ત્યારે, અમુક ભાષામાં “ખ્રિસ્તનું આત્મિક શરીર” શબ્દ સ્વાભાવિક તથા ચોક્કસ હોય શકે છે.

(આ પણ જુઓ: શિર, આત્મા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શરૂઆત, ઉંબરો, પ્રવેશદ્વાર

વ્યાખ્યા:

" ઉંબરો " શબ્દનો ઉપયોગ દરવાજાના તળિયાનો ભાગ અથવા બારણ।ની અંદરના ભાગમાંના એક ભાગ તરીકે ઉલ્લેખ થાય છે.

(આ પણ જુઓ: દ્વાર, તંબુ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંતિ, શાંતિપૂર્ણ, શાંતિપૂર્ણ રીતે, શાંતિચાહક, શાંતિ કરાવનારાઓ

વ્યાખ્યા:

“શાંતિ” શબ્દ સંઘર્ષ, ચિંતા કે ડર વગરની લાગણી અનુભવી કે તેવી સ્થિતિમાં હોવું તેનો ઉલ્લેખ કરે છે. “શાંતિપૂર્ણ” વ્યક્તિ શાંતિ અનુભવે છે અને સુરક્ષા તથા સલામતી સંબંધિત તે ખાતરી ધરાવે છે.

તેવા લોકોને “શાંતિપૂર્ણ સંબંધો” ધરાવતા લોકો કહેવામા આવે છે.

તેને “ઈશ્વર સાથે સમાધાન” કહેવાય છે.

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:

તેમને થયેલી સજા ઈશ્વર અને લોકો વચ્ચે શાંતિ કરાવશે.

તેઓ પાછા આવશે અને તેમનું રાજ્ય સદાકાળને માટે ન્યાય અને શાંતિ થી ચલાવશે.

શબ્દ માહિતી:

શાંત્યર્પણ, શાંત્યર્પણો

સત્યો:

જૂના કરારમાં, “શાંત્યર્પણ” એ એક પ્રકારનું બલિદાન હતું કે જે અલગઅલગ કારણો, જેવા કે દેવનો આભાર માનવા અથવા પ્રતિજ્ઞાને પૂર્ણ કરવા માટે ચઢાવવામાં આવતું હતું,

તે દહનાર્પણથી અલગ હતું, કે જેમાં નર પશુ જરૂરી હોય છે.

(આ પણ જુઓ: દહનાર્પણ, પરિપૂર્ણ થવું, ખાદ્યાર્પણ, દોષાર્થાર્પણ, શાંત્યાર્પણ, યાજક, બલિદાન, બેખમીર રોટલી, પ્રતિજ્ઞા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો

વ્યાખ્યા:

“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : આશીર્વાદ આપવો)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શાપ, શાપિત, શ્રાપો, શાપ આપવો

વ્યાખ્યા:

“શાપ” શબ્દનો અર્થ, વ્યક્તિ અથવા વસ્તુઓને જેને શાપ આપવામાં આવ્યો છે અથવા તેવી નકારાત્મક વસ્તુ બનવા કારણ થવું.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ : આશીર્વાદ આપવો)

બાઈબલની કલમો :

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શાસ્ત્રી, શાસ્ત્રીઓ

વ્યાખ્યા:

શાસ્ત્રીઓ અધિકૃત હતા કે જેઓ સરકારી અથવા ધાર્મિક મહત્વના દસ્તાવેજો હાથથી લખવા અથવા નકલ કરવા જવાબદાર હતા. યહૂદી શાસ્ત્રીનું બીજું નામ “યહૂદી નિયમમાં પારંગત” હતું.

(આ પણ જુઓ: નિયમ/કાયદો/કાનૂન, ફરોશી)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શિંગડા, શિંગ, શિંગડાવાળા

સત્યો:

શિંગડા એ ઘણા પ્રકારના પ્રાણીઓના માથા ઉપર કાયમ માટે થતી કઠણ અણીદાર વૃદ્ધિ છે, જેમાં ઢોર, ધેટા, બકરાં અને હરણનો સમાવેશ થાય છે.

જો કે આ પ્રક્ષેપણોને “રણ શિંગડા” કહેવામાં આવતા હતા, ખરેખર તેઓ પ્રાણીઓના શિંગડા નહોતા.

શિંગનું તેલ રાજાનો અભિષેક કરવા માટે વાપરવામાં આવતું હતું, જેવી રીતે શમુએલે દાઉદ સાથે કર્યું હતું. આ શબ્દનું ભાષાંતરમાં જે શબ્દ રણશિંગું દર્શાવે છે, તેનાથી અલગ રીતે થવું જોઈએ.

(આ પણ જુઓ: અધિકાર, ગાય, હરણ, બકરી, સામર્થ્ય રાજવંશી, ઘેટી, [રણશિંગુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શિંગડા, શિંગ, શિંગડાવાળા

સત્યો:

શિંગડા એ ઘણા પ્રકારના પ્રાણીઓના માથા ઉપર કાયમ માટે થતી કઠણ અણીદાર વૃદ્ધિ છે, જેમાં ઢોર, ધેટા, બકરાં અને હરણનો સમાવેશ થાય છે.

જો કે આ પ્રક્ષેપણોને “રણ શિંગડા” કહેવામાં આવતા હતા, ખરેખર તેઓ પ્રાણીઓના શિંગડા નહોતા.

શિંગનું તેલ રાજાનો અભિષેક કરવા માટે વાપરવામાં આવતું હતું, જેવી રીતે શમુએલે દાઉદ સાથે કર્યું હતું. આ શબ્દનું ભાષાંતરમાં જે શબ્દ રણશિંગું દર્શાવે છે, તેનાથી અલગ રીતે થવું જોઈએ.

(આ પણ જુઓ: અધિકાર, ગાય, હરણ, બકરી, સામર્થ્ય રાજવંશી, ઘેટી, [રણશિંગુ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શિક્ષક, શિક્ષકો

વ્યાખ્યા:

શિક્ષક એક એવી વ્યક્તિ છે જે બજા લોકોને નવી માહિતી આપે છે. શિક્ષકો બીજાઓને જ્ઞાન અને કૌશલ્યો બંને મેળવવામાં અને ઉપયોગ કરવામાં મદદ કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: શિષ્ય, પ્રચાર કરવો)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શિક્ષા કરવી, શિક્ષા કરે છે, શિક્ષા કરી, શિક્ષા કરતું, શિક્ષા , શિક્ષા નહીં કરેલું

વ્યાખ્યા:

“શિક્ષા કરવી” શબ્દનો અર્થ કશું ખોટું કરવા માટે વ્યક્તિ નકારાત્મક પરિણામ ભોગવે તેવું કરવું તેવો થાય છે. “શિક્ષા” શબ્દ તે ખોટા વ્યવહારના ફળ સ્વરૂપે આપવામાં આવેલા નકારાત્મક પરિણામનો ઉલ્લેખ કરે છે.

તેઓના પાપોને કારણે ઈશ્વરે તેઓના શત્રુઓને તેઓ પર હુમલા કરવા દીધા અને બંદી બનાવવા દીધા.

દરેક મનુષ્યે ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું છે અને તે શિક્ષાને યોગ્ય છે.

જો કે તેમણે કશું પણ ખોટું કર્યું ન હતું અને તેના માટે તેમને શિક્ષા થાય તે યોગ્ય ન હતું તો પણ, ઈસુએ દરેક વ્યક્તિની શિક્ષા પોતા પર ભોગવી.

ઈશ્વર ઘણી વાર પાપની શિક્ષા કરતાં નથી કારણ કે લોકો પશ્ચાતાપ કરે તેની તેઓ રાહ જૂએ છે.

(આ જૂઓ: ન્યાયી, પશ્ચાતાપ કરવો, ન્યાયી, પાપ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

જો લોકો તે કાનૂનો પાળે તો, ઈશ્વરે વચન આપ્યું કે તેઓ તેમને આશીર્વાદ આપશે અને રક્ષણ કરશે. જો લોકો તેનો અનાદર કરે તો ઈશ્વર તેઓને શિક્ષા કરશે.

શબ્દ માહિતી:

શિમયોન

તથ્યો:

બાઈબલમાં, શિમયોન નામના ઘણા માણસો હતા.

તેની માતા લેહ હતી. તેના વંશજો ઈઝરાયેલના બાર કુળમાંના એક બન્યા.

તે જમીન જે જમીન યહુદિયા સાથે સંકળાયેલ હતી તેનાથી સંપૂર્ણપણે ઘેરાયેલી હતી.

(આ પણ જુઓ: કનાન, ખ્રિસ્ત, અર્પણ, ઈઝરાએલ, યહૂદા, મંદિર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શિર, શિરો, કપાળ, કપાળો, ટાલિયો, વગરવિચારે અથવા અનાયાસે, ખેસ, દુપટ્ટો, શિરચ્છેદ

વ્યાખ્યા:

બાઈબલમાં, “શિર” શબ્દ, અન્ય રૂપકાત્મક અર્થો સાથે વાપરવામાં આવ્યો છે.

જેવી રીતે વ્યક્તિનું શિર તેના શરીરના અવયવોને માર્ગદર્શન અને દિશા બતાવે છે, તેવી રીતે ઈસુ તેના “શરીર” એટલે કે મંડળીને માર્ગદર્શન અને દિશા બતાવે છે.

તેને તેની પત્ની અને કુટુંબને આગેવાની અને માર્ગદર્શન આપવાની જવાબદારી આપવામાં આવી છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: અનાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શિર, શિરો, કપાળ, કપાળો, ટાલિયો, વગરવિચારે અથવા અનાયાસે, ખેસ, દુપટ્ટો, શિરચ્છેદ

વ્યાખ્યા:

બાઈબલમાં, “શિર” શબ્દ, અન્ય રૂપકાત્મક અર્થો સાથે વાપરવામાં આવ્યો છે.

જેવી રીતે વ્યક્તિનું શિર તેના શરીરના અવયવોને માર્ગદર્શન અને દિશા બતાવે છે, તેવી રીતે ઈસુ તેના “શરીર” એટલે કે મંડળીને માર્ગદર્શન અને દિશા બતાવે છે.

તેને તેની પત્ની અને કુટુંબને આગેવાની અને માર્ગદર્શન આપવાની જવાબદારી આપવામાં આવી છે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: અનાજ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શિષ્ય, શિષ્યો

વ્યાખ્યા:

“શિષ્ય” શબ્દ, વ્યક્તિ કે જે શિક્ષક સાથે વધારે સમય વિતાવે છે, તે શિક્ષકના ચરિત્ર અને શિક્ષણથી શીખે છે તે માટે દર્શાવાયો છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: પ્રેરિત, વિશ્વાસ રાખવો, ઈસુ, યોહાન (બાપ્તિસ્ત), બાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

શિસ્ત, વિવિધ શિસ્ત, શિસ્તબદ્ધ, સ્વયં-શિસ્તપાલન

વ્યાખ્યા:

“શિસ્ત” શબ્દ, નૈતિક આચરણ કરવા માટે લોકોને આપવામાં આવતી તાલીમની બધી માર્ગદર્શિકાને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શીખવવું, શીખવે છે, શીખવ્યું, શિક્ષણ, ઉપદેશો, વણશીખવ્યું

વ્યાખ્યા:

કોઈને “શીખવવું” એટલે તે જે કઇ જાણતો નથી તે તેને કહેવું. સામાન્ય રીતે "માહિતી પૂરી પાડવી" એવો અર્થ પણ થઇ શકે છે, જે શીખનાર વ્યક્તિ સાથે કોઈ સંદર્ભ નથી. સામાન્ય રીતે માહિતી ઔપચારિક અથવા વ્યવસ્થિત રીતે આપવામાં આવે છે એક વ્યક્તિનું " શિક્ષણ " અથવા તેના "ઉપદેશો" એ છે જે તેમણે શીખવ્યું છે

“શીખવ્યું” એ “શીખવવાની” ભૂતકાળની ક્રિયા છે.

આનો અનુવાદ "ઈશ્વરના ઉપદેશો" અથવા " ઈશ્વર આપણને જે શીખવે છે" એમ પણ અનુવાદ કરી શકાય છે

(આ પણ જુઓ: સૂચના આપવી, શિક્ષક, ઈશ્વરનો શબ્દ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, સાફ કરે છે, સાફ કરાયેલું, શુદ્ધ કરવું, સાફ કરાયેલું, સફાઈ, ધોવું, ધોયેલું, ધોવે છે, અશુદ્ધ

વ્યાખ્યા:

“શુદ્ધ” શબ્દનો અર્થ, વાસ્તવિક રીતે કંઈપણ ધૂળ અથવા ડાઘ ના હોય તેવું. બાઈબલમાં આ શબ્દ, મોટે ભાગે “શુદ્ધ”, “પવિત્ર”, અથવા “પાપથી મુક્ત” થવા માટે અર્થાલંકારિક રૂપમાં વપરાયો છે.

તેનું ભાષાંતર, “ધોવું” અથવા “શુદ્ધ કરવું” એમ કરી શકાય છે.

ખાવા માટે અથવા બલિદાન માટે ફક્ત શુદ્ધ પ્રાણીઓને વાપરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સંદર્ભ માં, “શુદ્ધ” શબ્દ એટલે કે દેવને બલિદાન કરવા સ્વીકાર યોગ્ય પ્રાણી.

ચામડીના રોગમાંથી શુદ્ધ કરાયેલી વ્યક્તિને શુદ્ધિકરણના નિયમો પ્રમાણે ફરીથી “શુદ્ધ” જાહેર કરવું અગત્યનું હતું.

બાઈબલમાં, “અશુદ્ધ” શબ્દ રૂપકાત્મક રીતે એવી રીતે વપરાયો છે, જેને દેવે અડકવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય જાહેર કરે છે.

અશુદ્ધ પ્રાણીઓને ખાવા અથવા બલિદાન માટે વાપરવાની પરવાનગી આપી નહોતી.

ઈઝરાએલીઓ દેવની આજ્ઞાઓનું પાલન કરીને અશુદ્ધ વસ્તુઓને સ્પર્શ નહિ કરીને કે ન ખાઈને, તેઓ દેવની સેવા માટે અલગ કરાયેલા હતા.

અન્ય રૂપકાત્મક અર્થમાં, “અશુદ્ધ આત્મા” એ દુષ્ટ આત્માને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

આ શબ્દ, દેવ જેને સ્પર્શવા, ખાવા, અથવા બલિદાન માટે અયોગ્ય તરીકે જાહેર કરે છે તેને દર્શાવે છે.

(આ પણ જુઓ: અશુદ્ધ કરવું, ભૂત, પવિત્ર, બલિદાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શુદ્ધ, શુદ્ધ કરવું, શુદ્ધિકરણ

વ્યાખ્યા:

“શુદ્ધ” હોવુંનો અર્થ કોઈ ખામી ના હોવી અથવા તો જે ના હોવું જોઈએ તેની સાથે કોઈ પણ ભેળસેળ ન હોવી તેવો થાય છે. કોઈ બાબતને શુદ્ધ કરવી એટલે તેને સાફ કરવી અને જે કંઇ તેને દૂષિત કે પ્રદુષિત કરતું હોય તેને દૂર કરવું.

આ શુદ્ધિકરણ હંગામી હતું અને બલિદાનોનું સતત પુનરાવર્તન કરવું પડતું હતું.

અનુવાદ માટેના સૂચનો:

(આ જૂઓ: પ્રાયશ્ચિત, શુદ્ધ, આત્મા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શેતાન, શેતાન, દુષ્ટ

તથ્યો:

જો કે શેતાન એ આત્મા છે જે ઈશ્વરે સૃજાવ્યો છે, તેણે ઈશ્વર વિરુદ્ધ બંડ પોકાર્યું અને ઈશ્વરનો દુશ્મન બન્યો. તેને “શેતાન” અને “દુષ્ટ” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(જુઓં: ભૂત, દુષ્ટ, ઈશ્વરનું રાજ્ય, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વચન આપવામાં આવ્યું કે મસીહા આવશે અને હરાવશે શેતાનને સંપૂર્ણપણે.

રસ્તો એ તો વ્યક્તિ છે કે જે ઈશ્વરનું વચન સંભાળે છે, પરંતુ તેને સમજતો નથી, અને શેતાન તે વચન તેની પાસેથી લઇ જાય છે.”

તેનો અર્થ એ કે શેતાન મસીહાને મારી નાંખશે, પરંતુ ઈશ્વર તેમને સજીવન કરશે, અને પછી મસીહા સામર્થ્યને છુંદશે શેતાનના હંમેશને માટે.

દુશ્મન કે જેણે ખરાબ ઘાસ ઉગાવ્યું છે તે શેતાન છે.”

તેઓ નાંખી દેશે શેતાનને નરકમાં જ્યાં તે સદાકાળને માટે બળશે, તે દરેકની સાથે કે જેઓએ ઈશ્વરને આધીન થવા કરતાં તેને અનુસરવાનું પસંદ કર્યું.

શબ્દ માહિતી:

શેષ

વ્યાખ્યા:

“શેષ” શબ્દ શાબ્દિક રીતે લોકો અથવા વસ્તુઓનો ઉલ્લેખ કરે છે કે જેઓ મોટા જૂથ અથવા તો પ્રમાણમાંથી “બાકી બચેલા” અથવા તો “બાકી વધેલા” છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

શ્વાસ, શ્વાસ લેવો, શ્વાસ લે છે, શ્વાસ લીધો, શ્વાસ લેવો

વ્યાખ્યા:

બાઈબલમાં, “શ્વાસ લેવો” અને “શ્વાસ” શબ્દનો રૂપક રીતે વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ, જીવન આપવું અથવા જીવન લેવું થાય છે.

તે એમ દર્શાવે છે કે આદમ જીવતો માનવ બન્યો.

તે તેની શક્તિ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો

તેનું ભાષાંતર, “તેણે છેલ્લો શ્વાસ લીધો” અથવા “તેણે શ્વાસ લેવાનું બંધ કર્યું અને મૃત્યુ પામ્યો” અથવા “તેણે હવામાં એક છેલ્લી વખત શ્વાસ નાખ્યો” આ રીતે પણ કરી શકાય છે. દેવનું વચન “ઈશ્વર-પ્રેરિત” છે જે શબ્દ વર્ણવે છે કે, દેવ બોલ્યો અથવા શાસ્ત્રોના વચનો તેની પ્રેરણાથી આવ્યા, ત્યારબાદ માનવી લેખકોને તેને લખ્યું. “ઈશ્વર-પ્રેરિત” એ શબ્દનું સંભવિત રીતે શક્ય છે તેમ તેનું સૌથી સારું શાબ્દિક ભાષાંતર શું થાય છે તે જણાવવું અઘરું છે.

એટલે એમ કહી શકાય કે, “ઈશ્વરે વચનોના શબ્દોને પ્રેરિત કર્યા.”

(આ પણ જુઓ: આદમ, પાઉલ, ઈશ્વરનો શબ્દ, જીવન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંત, સંતો

વ્યાખ્યા:

"સંતો" શબ્દનો શાબ્દિક અર્થ "પવિત્ર વ્યક્તિઓ" થાય છે અને ઈસુમાં વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે.

તેઓ એક જ છે જે તેઓને પવિત્ર બનાવે છે.

અનુવાદ માટેના સૂચનો:

(આ પણ જુઓ: પવિત્ર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંતાન

વ્યાખ્યા:

“સંતાન” શબ્દ લોકોના કે પ્રાણીઓના જૈવિક વંશજનો સામાન્ય ઉલ્લેખ છે.

(આ પણ જૂઓ: વારસામાં ઉતરેલું, બીજ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંદેશવાહક, સંદેશવાહકો

તથ્યો:

“સંદેશવાહક” શબ્દ એવો વ્યક્તિ કે જેને બીજાઓને કહેવા માટે એક સંદેશ આપવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કરે છે.

કેટલાક અનુવાદો “દૂત”નો “સંદેશવાહક” તરીકે અનુવાદ કરે છે.

(આ પણ જૂઓ: દેવદૂત, પ્રેરિત, યોહાન (બાપ્તિસ્મી))

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંદેશવાહક, સંદેશવાહકો

તથ્યો:

“સંદેશવાહક” શબ્દ એવો વ્યક્તિ કે જેને બીજાઓને કહેવા માટે એક સંદેશ આપવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કરે છે.

કેટલાક અનુવાદો “દૂત”નો “સંદેશવાહક” તરીકે અનુવાદ કરે છે.

(આ પણ જૂઓ: દેવદૂત, પ્રેરિત, યોહાન (બાપ્તિસ્મી))

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સંપૂર્ણ, સંપૂર્ણ થયેલ, સંપૂર્ણ કરનાર, સંપૂર્ણતા, સંપૂર્ણ રીતે

વ્યાખ્યા:

બાઇબલમાં, “સંપૂર્ણ” શબ્દનો અર્થ ખ્રિસ્તી જીવનમાં પરિપક્વ હોવું એવો થાય છે. કોઈ બાબતને સંપૂર્ણ કરવી તેનો અર્થ તે બાબત ઉત્તમ અને ખામીરહિત બને ત્યાં સુધી પ્રયત્ન કરવો એવો થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સદૂકી, સદૂકીઓ

વ્યાખ્યા:

ઈસુ ખ્રિસ્તના સમય દરમિયાન સદૂકીઓ યહૂદી યાજકોનું રાજકીય જૂથ હતું. તેઓ રોમન સત્તાને સમર્થન આપતાં હતાં અને પુનરુત્થાનમાં માનતાં ન હતાં.

(આ પણ જુઓ: મુખ્ય યાજકો, ન્યાયસભા, પ્રમુખ યાજક, ઢોંગી, યહૂદી અધિકારીઓ, ફરોશી, યાજક)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સદોમ

વ્યાખ્યા:

સદોમએ કનાનના દક્ષિણ ભાગનું શહેર હતું જ્યાં ઈબ્રાહિમનો ભત્રીજો લોત તેણી પત્ની અને બાળકો સાથે રહેતો હતો.

(આ પણ જુઓ: કનાન, ગમોરાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સદોમ

વ્યાખ્યા:

સદોમએ કનાનના દક્ષિણ ભાગનું શહેર હતું જ્યાં ઈબ્રાહિમનો ભત્રીજો લોત તેણી પત્ની અને બાળકો સાથે રહેતો હતો.

(આ પણ જુઓ: કનાન, ગમોરાહ)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સભા, સભાઓ, એકત્ર કરવું, ભેગા થયેલ

વ્યાખ્યા:

“સભા” શબ્દ દર્શાવે છે કે એક લોકોનું એવું જૂથ જેઓ એક સાથે ભેગા થઈ સમસ્યાઓની ચર્ચા કરી, સલાહ આપી, અને નિર્ણય કરે.

તેનું ભાષાંતર “સૈન્ય” થઇ શકે છે.

આ “સભા” સાન્હેદ્રીન” અથવા “પરિષદ” તરીકે જાણીતી હતી.

ભાષાંતરના સુચનો

(જુઓ:અતિશયોક્તિ

(આ પણ જુઓ: ન્યાયસભા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સભા, સભાઓ, એકત્ર કરવું, ભેગા થયેલ

વ્યાખ્યા:

“સભા” શબ્દ દર્શાવે છે કે એક લોકોનું એવું જૂથ જેઓ એક સાથે ભેગા થઈ સમસ્યાઓની ચર્ચા કરી, સલાહ આપી, અને નિર્ણય કરે.

તેનું ભાષાંતર “સૈન્ય” થઇ શકે છે.

આ “સભા” સાન્હેદ્રીન” અથવા “પરિષદ” તરીકે જાણીતી હતી.

ભાષાંતરના સુચનો

(જુઓ:અતિશયોક્તિ

(આ પણ જુઓ: ન્યાયસભા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સભાસ્થાન

વ્યાખ્યા:

સભાસ્થાન એ એક એવી ઇમારત છેકે જ્યાં યહૂદી લોકો ઈશ્વરનું ભજનકરવા ભેગા મળે છે.

આ પણ જુઓ: સાજુ કરવું, યરૂશાલેમ, યહૂદી, પ્રાર્થના કરવી, મંદિર, ઈશ્વરનો શબ્દ, ઉપાસના)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમય, સમયસર, સમય, અકાળે

તથ્યો:

બાઇબલમાં "સમય" શબ્દને કેટલીક ચોક્કસ ઘટનાઓ અથવા અમુક સમયના સમયગાળાનો ઉલ્લેખ કરવા માટે લાક્ષણિક રીતે ઉપયોગ થતો હતો. તેનો અર્થ "વય" અથવા "યુગ" અથવા "ઋતુ" જેવો હોય છે.

આ શબ્દસમૂહ વર્તમાન યુગના અંતમાં આવનાર મહા વિપત્તિકાળ દરમિયાન સાડા ત્રણ વર્ષના સમયગાળાને દર્શાવે છે. ” * સમય" નો અર્થ "ત્રીજી વખત." જેવા કેટલાક શબ્દસમૂહમાં "પ્રસંગ" થઈ શકે. "ઘણી વખત" શબ્દનો અર્થ "ઘણા પ્રસંગોએ" થાય છે.

આ પણ તરીકે ભાષાંતર કરી શકાય "ચોક્કસ સમયગાળામાં થઈ રહેલી ચોક્કસ ઘટનાઓ." (જુઓ: સામ્ય ધરાવનારો શબ્દ

આ પણ જુઓ: ઉંમર/યુગ, વિપત્તિ)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમરૂન, સમરૂની

તથ્યો:

સમરૂન ઈઝરાયેલના ઉત્તરીય ભાગના એક શહેર અને તેના આસપાસના પ્રદેશનું નામ હતું. આ પ્રદેશ શારોન સરહદની પશ્ચિમ અને યરદન નદીની પૂર્વ વચ્ચે આવેલું હતું.

પાછળથી તેના આસપાસના પ્રદેશને પણ સમરૂન કહેવાય છે.

(જુઓં: આશ્શૂર, ગાલીલ, યહૂદિયા, શારોન, ઈઝરાયેલનું રાજ્ય)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

વિદેશીઓએ નષ્ટ થયેલાં શહેરોનું પુનઃનિર્માણ કર્યું અને ત્યાં બાકી રહેલા ઈઝરાયેલીઓ સાથે લગ્ન કર્યા. ઈઝરાયેલીઓ કે જેઓ વિદેશીઓ સાથે પરણ્યા હતાં તેઓના વંશજોને સમુરૂનીઓ તરીકે ઓળખાયા.

શબ્દ માહિતી:

સમાન, સમાન વિચારસરણી, સરખું, સમાનતા, સમાનતાઓ, તેવી જ રીતે, એકસરખું, વિપરીત

વ્યાખ્યા:

"સમાન" અને "સમાનતા" શબ્દો કંઈક બીજા કશાકને એક સરખું, અથવા મળતું આવતું હોય તેનો ઉલ્લેખ કરે છે.

ઉદાહરણ તરીકે, "તેના વસ્ત્રો સૂર્યની જેમ પ્રકાશે છે" અને "અવાજ મેઘગર્જના જેવો મોટો છે. " (જુઓ: અનુકરણ

તેનો અર્થ એ કે જે "સમાન" અથવા "સરખી" ગુણવત્તા ઈશ્વર પાસે છે એ તેઓ પાસે ગુણવત્તા અથવા લાક્ષણિક્તાઓ છે, જેમ કે વિચારવાની, અનુભવવાની, અને વાત કરવાની ક્ષમતા.

અનુવાદ માટેના સૂચનો

એ ધ્યાનમાં રાખો કે આ અભિવ્યક્તિનું અનુવાદ એમ ન કહે કે ઈસુ પાપી હતા.

(આ પણ જુઓ: પ્રાણી, દેહ, દેવની પ્રતિમા, પ્રતિમા (મૂર્તિ), નાશ પામવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર

તથ્યો:

બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.

ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).

આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સમુદ્ર, મહા સમુદ્ર, પશ્ચિમનો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર

તથ્યો:

બાઇબલમાં, “મહા સમુદ્ર” અથવા તો “પશ્ચિમનો સમુદ્ર” જેને હાલમાં “ભૂમધ્ય સમુદ્ર” કહેવાય છે તેનો ઉલ્લેખ કરે છે કે જે બાઇબલના સમયના લોકોની જાણ પ્રમાણે સૌથી મોટો સમુદ્ર હતો.

ઇઝરાયલ (પૂર્વ), યુરોપ (ઉત્તર તથા પશ્ચિમ), અને આફ્રિકા (દક્ષિણ).

આ સમુદ્રને કિનારે આવેલા શહેરો તથા લોકો ખૂબ જ સમૃદ્ધ હતા કારણકે વહાણો દ્વારા બીજા દેશોનો સામાન મેળવવો ખૂબ જ સરળ હતું.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, લોકજાતિ, સમૃદ્ધ થવું)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સર્પ, સર્પો, સાપ, સાપો, નાનો ઝેરી સાપ, નાના ઝેરી સાપો

તથ્યો:

આ બધા શબ્દો એક પ્રકારની પેટે ચાલનારા પ્રાણીનો ઉલ્લેખ કરે છે જેને લાંબા, પાતળા શરીર અને મોટી ફેણ હોય છે અને તે સમગ્ર જમીન પર પાછળથી આગળ વધીને આગળ વધે છે. “સર્પ” શબ્દ મોટા સાપનો ઉલ્લેખ કરે છે અને “એક નાનો ઝેરી સાપ” એવા પ્રકારનો સાપ કે જેનામાં ઝેર હોય છે જેનો ઉપયોગ તે પોતાના શિકારમાં ઝેર ફેલાવવા કરે છે.

(આ પણ જુઓ: શાપ, છેતરવું, આજ્ઞાભંગ, એદન, દુષ્ટ, સંતાન, શિકાર, શેતાન, પાપ, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સર્પ, સર્પો, સાપ, સાપો, નાનો ઝેરી સાપ, નાના ઝેરી સાપો

તથ્યો:

આ બધા શબ્દો એક પ્રકારની પેટે ચાલનારા પ્રાણીનો ઉલ્લેખ કરે છે જેને લાંબા, પાતળા શરીર અને મોટી ફેણ હોય છે અને તે સમગ્ર જમીન પર પાછળથી આગળ વધીને આગળ વધે છે. “સર્પ” શબ્દ મોટા સાપનો ઉલ્લેખ કરે છે અને “એક નાનો ઝેરી સાપ” એવા પ્રકારનો સાપ કે જેનામાં ઝેર હોય છે જેનો ઉપયોગ તે પોતાના શિકારમાં ઝેર ફેલાવવા કરે છે.

(આ પણ જુઓ: શાપ, છેતરવું, આજ્ઞાભંગ, એદન, દુષ્ટ, સંતાન, શિકાર, શેતાન, પાપ, લલચાવવું)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સલાહ, સલાહ આપવી, સલાહ આપી, સલાહકાર, સલાહકારો, સલાહ, સલાહ આપનારો, સલાહ આપનારાઓ

વ્યાખ્યા:

“સલાહ” અને “સલાહ-સૂચન” શબ્દોના સમાન અર્થ હોય છે, અને કોઈકને ચોક્કસ પરિસ્થિતિમાં શું કરવું તે વિશે ડહાપણથી નિર્ણય લેવા મદદ કરે છે, તેને દર્શાવે છે. સમજદાર “સલાહકાર” અથવા “સલાહ આપનારો” એ વ્યક્તિ છે કે જે એવી સલાહ અથવા સલાહ-સૂચન આપે છે કે જેથી વ્યક્તિ યોગ્ય પસંદગીઓ કરી શકે.

દુષ્ટ સલાહકારો રાજાને એવી કાર્યવાહી કરવા અથવા ફરમાન પાળવા અરજ કરતા જેથી તે રાજાને અથવા તેના લોકોને નુકશાન થાય.

(તેને પણ જુઓ: બોધ, પવિત્ર આત્મા, ડાહ્યું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાચું, સત્ય, સત્ય

વ્યાખ્યા:

"સત્ય" શબ્દ એક અથવા વધુ ખ્યાલો છે જે હકીકતો છે, વાસ્તવમાં જે ઘટનાઓ બને છે, અને વાસ્તવમાં કહેવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરે છે. આવા ખ્યાલોને "સાચા" કહેવાય છે.

તે ખરેખર જે થયું છે તે વિશે કહે છે અને ઈશ્વર વિશે અને તેમણે જે કંઈ પણ બનાવ્યું છે તે બધું સાચું છે તે વિશે તે શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ), પરિપૂર્ણ થવું, આજ્ઞા પાળવી, પ્રબોધક, સમજવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સાચું, સત્ય, સત્ય

વ્યાખ્યા:

"સત્ય" શબ્દ એક અથવા વધુ ખ્યાલો છે જે હકીકતો છે, વાસ્તવમાં જે ઘટનાઓ બને છે, અને વાસ્તવમાં કહેવામાં આવતા નિવેદનોનો ઉલ્લેખ કરે છે. આવા ખ્યાલોને "સાચા" કહેવાય છે.

તે ખરેખર જે થયું છે તે વિશે કહે છે અને ઈશ્વર વિશે અને તેમણે જે કંઈ પણ બનાવ્યું છે તે બધું સાચું છે તે વિશે તે શીખવે છે.

અનુવાદ માટેનાં સૂચનો:

(આ પણ જુઓ: વિશ્વાસ રાખવો, વફાદાર (વિશ્વાસુ), પરિપૂર્ણ થવું, આજ્ઞા પાળવી, પ્રબોધક, સમજવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો

સત્યો:

“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાથી, સાથીઓ, સહકાર્યકર, સહકાર્યકરો

સત્યો:

“સાથી” શબ્દ વ્યક્તિ કે જે બીજા કોઈકની સાથે જાય છે અથવા બીજા કોઈની સાથે સંકળાયેલો છે, જેમકે મિત્રતા અથવા લગ્નને તે દર્શાવે છે. “સહકાર્યકર” શબ્દ કોઈક કે જે બીજા વ્યક્તિ સાથે કામ કરે છે તે દર્શાવે છે.

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાદોક

તથ્યો:

રાજા દાઉદના શાસનકાળ દરમિયાન ઇઝરાયલમાં એક મહત્વપૂર્ણ મુખ્ય યાજકનું નામ સાદોક હતું.

(આ પણ જુઓ: કરારકોશ, દાઉદ, યોથામ, નહેમ્યા, રાજ કરવું, સુલેમાન)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સામર્થ્ય, સત્તા, શક્તિઓ

વ્યાખ્યા:

“સામર્થ્ય” શબ્દ મોટા ભાગે પુષ્કળ બળનો ઉપયોગ કરીને કોઈ બાબતો કરવાની કે કરાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરે છે. “શક્તિઓ” એવા લોકો કે આત્માઓનો ઉલ્લેખ કરે છે જેઓની પાસે કોઈ બાબતો કરાવવા મોટી ક્ષમતા હોય છે.

અનુવાદ માટેના સૂચનો:

આ સંદર્ભમાં, “સામર્થ્ય” નો અર્થ પોતાના બળનો ઉપયોગ બીજાઓને અંકુશમાં કરીને તેઓનું દમન કરવાનો થાય છે.

(આ પણ જૂઓ: પવિત્ર આત્મા, ઈસુ, ચમત્કાર)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેથી બાળક એટલે કે ઈશ્વરનો પુત્ર પવિત્ર હશે.

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારા, સારાય

તથ્યો:

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, ઈસહાક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણી સાથે લગ્ન પણ કર કે જેથી તેણીને મારે માટે બાળક થાય.”

જેમ ઈશ્વરે તેઓને કહ્યું હતું તેમ તેઓએ તેનું નામ ઈસહાક પાળ્યું."

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સારું, ભલાઈ

વ્યાખ્યા:

સંદર્ભ પર આધાર રાખીને “સારું” શબ્દના અલગ અલગ અર્થો હોય છે. ઘણી ભાષાઓ આ અલગઅલગ અર્થોનું ભાષાંતર કરવા અલગઅલગ શબ્દો વાપરશે.

તે તેની નૈતિક સંપૂર્ણતાને પણ દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: દુષ્ટ, પવિત્ર, લાભ, ન્યાયી)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સાવધાન, ભયની સુચના આપવી, ભયભીત

સત્યો:

સાવધાની તે આવનાર ભયની સુચના છે જેનાથી લોકોને નુકશાન થઈ શકે છે. “સાવધાન થવું” એટલે, કાંઈક જોખમી અથવા ધમકીને લીધે ચિંતા થાય અને ડર લાગે.

જુના જમાનામાં કોઈને ચેતવણી આપવા માટે રણશિંગું ફુંકીને અવાજ કરવામાં આવતો.

ભાષાંતરના સૂચનો

(જુઓ: યહોશાફાટ, મોઆબ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સાવધાન, ભયની સુચના આપવી, ભયભીત

સત્યો:

સાવધાની તે આવનાર ભયની સુચના છે જેનાથી લોકોને નુકશાન થઈ શકે છે. “સાવધાન થવું” એટલે, કાંઈક જોખમી અથવા ધમકીને લીધે ચિંતા થાય અને ડર લાગે.

જુના જમાનામાં કોઈને ચેતવણી આપવા માટે રણશિંગું ફુંકીને અવાજ કરવામાં આવતો.

ભાષાંતરના સૂચનો

(જુઓ: યહોશાફાટ, મોઆબ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સિદોન, સિદોનીઓ

તથ્યો:

સિદોન કનાનનો મોટો દીકરો હતો. ત્યાં એક કનાની શહેર સિદોન નામનું પણ હતું, કદાચ તેનું નામ કનાનના દીકરા પરથી પાડવામાં આવ્યું હોય.

(આ પણ જુઓ: કનાન, નૂહ, ફિનીકિયા, સમુદ્ર, તૂર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સિદોન, સિદોનીઓ

તથ્યો:

સિદોન કનાનનો મોટો દીકરો હતો. ત્યાં એક કનાની શહેર સિદોન નામનું પણ હતું, કદાચ તેનું નામ કનાનના દીકરા પરથી પાડવામાં આવ્યું હોય.

(આ પણ જુઓ: કનાન, નૂહ, ફિનીકિયા, સમુદ્ર, તૂર)

બાઈબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

સિદ્ધાંત

વ્યાખ્યા:

“સિદ્ધાંત” શબ્દનો શાબ્દિક અર્થ “શિક્ષણ” છે. સામાન્ય રીતે તે ધાર્મિક શિક્ષણને દર્શાવે છે.

સંદર્ભ આ અર્થને સ્પષ્ટ કરે છે.

(આ પણ જુઓ: શીખવવું)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સિનાઈ, સિનાઈ પર્વત

તથ્યો:

સિનાઈ પર્વત એક પહાડ છે તે કદાચ હાલના સિનાઈ દ્વીપકલ્પના દક્ષિણ ભાગે સ્થિત છે. તેને “હોરેબ પર્વત” તરીકે પણ ઓળખવામાં આવતો હતો.

(આ પણ જુઓ: રણ, મિસર, હોરેબ, વચનનો દેશ, દસ આજ્ઞાઓ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સિયોન, સિયોન પર્વત

વ્યાખ્યા:

અસલમાં, "સિયોન" અથવા " સિયોન પર્વત" શબ્દનો અર્થ કિલ્લાનો ગઢ અથવા ગઢ તરીકે ઓળખાય છે, જે રાજા દાઉદે યબૂસીઓની પાસેથી કબજે કર્યો હતો. આ બંને શબ્દો અન્ય રીતે યરૂશાલેમનો ઉલ્લેખ કરતા બન્યા હતા.

બાદમાં, " સિયોન " અને " સિયોન પર્વત " આ પર્વતો અને યરૂશાલેમના શહેર બંને માટે સામાન્ય શબ્દો તરીકે ઉપયોગમાં લેવાય છે. ક્યારેક તેઓ યરૂશાલેમમાં આવેલ મંદિરના ઉલ્લેખ માટે પણ થતો હતો.

આ દાઉદના વતન, બેથલહેમથી અલગ છે, જેને દાઉદનું શહેર પણ કહેવામાં આવ્યું હતું.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, દાઉદ, યરૂશાલેમ, બેથલેહેમ, યબૂસ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

સિયોન, સિયોન પર્વત

વ્યાખ્યા:

અસલમાં, "સિયોન" અથવા " સિયોન પર્વત" શબ્દનો અર્થ કિલ્લાનો ગઢ અથવા ગઢ તરીકે ઓળખાય છે, જે રાજા દાઉદે યબૂસીઓની પાસેથી કબજે કર્યો હતો. આ બંને શબ્દો અન્ય રીતે યરૂશાલેમનો ઉલ્લેખ કરતા બન્યા હતા.

બાદમાં, " સિયોન " અને " સિયોન પર્વત " આ પર્વતો અને યરૂશાલેમના શહેર બંને માટે સામાન્ય શબ્દો તરીકે ઉપયોગમાં લેવાય છે. ક્યારેક તેઓ યરૂશાલેમમાં આવેલ મંદિરના ઉલ્લેખ માટે પણ થતો હતો.

આ દાઉદના વતન, બેથલહેમથી અલગ છે, જેને દાઉદનું શહેર પણ કહેવામાં આવ્યું હતું.

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, દાઉદ, યરૂશાલેમ, બેથલેહેમ, યબૂસ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

સિયોનની દીકરી

વ્યાખ્યા:

“સિયોનની દીકરી” રૂપકાત્મક રીતે ઈઝરાએલના લોકોને દર્શાવવા માટે વપરાયો છે. સામાન્ય રીતે તે ભવિષ્યવાણીને માટે વપરાયો છે.

તે ધીરજ અને કાળજી માટેનું રૂપક છે કે જે દેવ તેના લોકો માટે રાખે છે

ભાષાંતરના સૂચનો:

આ શબ્દનો રૂપકાત્મક અર્થ અને ભવિષ્યકથનનો ઉપયોગ સમજાવવા માટે તેના ભાષાંતરમાં નોંધનો સમાવેશ કરવો.

(આ પણ જુઓ: યરૂશાલેમ, પ્રબોધક, સિયોન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સુન્નત, સુન્નત કરવી, સુન્નતની વિધિ, બેસુન્ન્ત, બેસુન્ન્ત

વ્યાખ્યા:

“સુન્નત” નો અર્થ, માણસ અથવા નર બાળકની શિશ્નના આગળના ભાગની ચામડી કાપવી, એમ થાય છે. કદાચ સુન્નત વિધિનો સંસ્કાર આ બાબતના અનુસંધાનમાં કરવામાં આવે છે.

તે અર્થાલંકારિક રીતે દર્શાવે છે કે જેઓની આત્મિક રીતે સુન્નત થઈ નથી, અને જેઓને દેવની સાથે સંબંધ નથી. “બેસુન્ન્તી” અને “બેસુન્ન્ત” શબ્દ પુરૂષ કે જેની શારીરિક સુન્નત કરાઈ નથી તેને દર્શાવે છે. આ શબ્દો રૂપક રીતે પણ વપરાયા છે. મિસર દેશમાં પણ સુન્નત ફરજીયાત હતી. જયારે દેવે મિસરના “બેસુન્ન્તીઓને” હરાવવા કહ્યું, ત્યારે દેવ એવા મિસરીઓની વાત કરે છે જેઓ સુન્ન્ત કરવાનું ધિક્કારતા હતા.

આ બાબતને અર્થાલંકારિક રીતે કહેવામાં આવે તો આ લોકો દેવના લોકો નથી અને તેને અવગણના કરનારા હઠીલા છે.

તેમ છતાં, બની શકે તો આ અભિવ્યક્તિ એમ જ રાખવી અથવા તેના સમાન રાખવી, કારણકે આત્મિક સુન્નત એક અગત્યનો વિષય છે.

ભાષાંતરના સૂચનો:

ધ્યાન રાખો કે આ શબ્દનું જે ભાષાંતર સ્ત્રીઓને માટેની સુન્નત દર્શાવતી ન હોય. આ શબ્દનું ભાષાંતર થાય ત્યારે દર્શાવેલ શબ્દ અથવા શબ્દસમૂહ “પુરુષની” સુન્નત સાથે જોડાયેલો હોવો જોઈએ.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

(આ પણ જુઓ: ઈબ્રાહિમ, કરાર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સુલેમાન

તથ્યો:

સુલેમાન દાઉદ રાજાના દીકરાઓમાનો એક દીકરો હતો. તેની માતા બાથશેબા હતી.

તેથી સુલેમાને લોકો પર ન્યાયી અને સારી રીતે રાજ કરવા ડહાપણ માંગ્યું. ઈશ્વર સુલેમાનની માંગણીથી ખુશ થયા અને તેને ડહાપણ અને ઘણી સંપત્તિ બંને આપ્યા.

આ રાજ્યો અવારનવાર એકબીજા વિરુદ્ધ લડતાં હતાં.

(આ પણ જુઓ: બાથ-શેબા, દાઉદ, ઈઝરાએલ, યહુદા, ઈઝરાયેલનું રાજ્ય, મંદિર)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

ઈશ્વર બોલ્યા સુલેમાન સાથે અને તેને પૂછ્યું કે તેને વધારે શું જોઈએ છે. જ્યાત્રે સુલેમાને ડહાપણ માંગ્યું, ત્યારે ઈશ્વર ખુશ થયા અને તેને દુનિયાનો જ્ઞાની માણસ બનાવ્યો. સુલેમાન ઘણું શીખ્યો અને જ્ઞાની ન્યાયાધીશ હતો. ઈશ્વરે તેને ઘણો ધનવાન પણ બનાવ્યો.

જ્યારે સુલેમાન વૃદ્ધ થયો, ત્યારે તેણે તેમના દેવોની પણ પૂજા કરી.

શબ્દ માહિતી:

સોંપવું, સોંપેલું, સોંપણી, ગૃહકાર્ય, ગૃહકાર્યો, પરત સોંપવું

સત્યો:

“સોંપવું” અથવા “સોંપેલું” શબ્દ દર્શાવે છે કે કોઈકને ચોક્કસ કામ માટે નીમવું અથવા કોઈકને કઈક પૂરું પાડવા એક અથવા વધારે લોકોને નિમવામાં આવે.

(ભાષાંતરના સુચનો: નામોનું ભાષાંતર કરવું

(આ પણ જુઓ: નિમણુક, શમુએલ, [શાઉલ )

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સોંપવું, સમર્પિત, સોંપાયેલું, પ્રતિબદ્ધતા

વ્યાખ્યા:

“સોંપવું” અને “સમર્પણ” શબ્દો, નિર્ણય કરવા અથવા કઈંક વચનબદ્ધ કરવાની વાત દર્શાવે છે.

ઉદાહરણ તરીકે, 2 કરિંથીઓમાં પાઉલ કહેછે કે દેવે આપણને લોકોને દેવની સાથે સમાધાન કરવા મદદ કરવાની સેવા “સોંપેલી” (અથવા આપવામાં) આવેલી છે.

(આ પણ જુઓ: વ્યભિચાર, વફાદાર (વિશ્વાસુ), વચન, પાપ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સોઆર

તથ્યો:

સોઆર નાનું શહેર હતું જ્યાં લોત જ્યારે ઈશ્વરે સદોમ અને ગમોરાહનો નાશ કર્યો ત્યારે નાસી ગયો.

(આ પણ જુઓ: લોત, સદોમ, ગમોરાહ)

બાઇબલ સંદર્ભો

શબ્દ માહિતી:

સોનુ, સોનેરી

વ્યાખ્યા:

સોનું એ પીળું, ઊંચા ગુણવત્તાની ધાતુ છે કે જે આભૂષણ અને ધાર્મિક વસ્તુઓ બનાવવા માટે વાપરવામાં આવતું હતું પ્રાચીન સમયમાં તે સૌથી મૂલ્યવાન ધાતુ હતી.

તેની કિંમતને નક્કી કરવા તેનું વજન કરવામાં આવતું હતું.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, કરારકોશ, દેવ, ચાંદી/રૂપું, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સોનુ, સોનેરી

વ્યાખ્યા:

સોનું એ પીળું, ઊંચા ગુણવત્તાની ધાતુ છે કે જે આભૂષણ અને ધાર્મિક વસ્તુઓ બનાવવા માટે વાપરવામાં આવતું હતું પ્રાચીન સમયમાં તે સૌથી મૂલ્યવાન ધાતુ હતી.

તેની કિંમતને નક્કી કરવા તેનું વજન કરવામાં આવતું હતું.

(આ પણ જુઓ: યજ્ઞવેદી, કરારકોશ, દેવ, ચાંદી/રૂપું, મુલાકાતમંડપ, મંદિર)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

સ્તુતિ કરવી, સ્તુતિ કરે છે, સ્તુતિ કરી, સ્તુતિ કરતા, સ્તુતિયોગ્ય

વ્યાખ્યા:

કોઈ વ્યક્તિની સ્તુતિ કરવી એટલે તે વ્યક્તિ માટે પ્રશંસા તથા સન્માન વ્યક્ત કરવું.

(આ પણ જૂઓ: ઉપાસના)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

તો પણ મધ્યરાત્રિએ, તેઓ ઈશ્વરની સ્તુતિના ગીતો ગાઈ રહ્યા હતા.

શબ્દ માહિતી:

સ્વપ્ન

વ્યાખ્યા:

સ્વપ્ન તે (બાબત) છે કે જયારે લોકો ઊંઘતા હોય છે ત્યારે તેઓ કંઇક જોવે અથવા તેમના મનમાં અનુભવ કરે છે.

તે (દેવ) લોકો સાથે તેઓના સ્વપ્નોમાં સીધી વાત પણ કરે છે.

સ્વપ્નો જયારે વ્યક્તિ ઊંઘી ગયેલી હોય ત્યારે આવે છે, પરંતુ દર્શનો સામાન્ય રીતે વ્યક્તિ જયારે જાગતી હોય છે ત્યારે આવે છે.

(આ પણ જુઓ: દર્શન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેના સલાહકારોમાંથી કોઈ પણ તેના સ્વપ્નનો અર્થ કહી શક્યા નહીં.

યૂસફે તેના સ્વપ્નો અર્થઘટન કર્યું અને કહ્યું, દેવ સાત વર્ષ પુષ્કળ ફસલ મોકલશે અને પછીના સાત વર્ષ દુકાળના રહેશે.

માણસના મિત્રએ કહ્યું, ”આ સ્વપ્ન નો અર્થ એમકે ગિદિઓનનું લશ્કર મિદ્યાનીઓના લશ્કરનો પરાજય કરશે.

તે તેવું કરે તે પહેલા, દૂતે સ્વપ્નમાં આવીને તેની સાથે વાત કરી.

શબ્દ માહિતી:

સ્વપ્ન

વ્યાખ્યા:

સ્વપ્ન તે (બાબત) છે કે જયારે લોકો ઊંઘતા હોય છે ત્યારે તેઓ કંઇક જોવે અથવા તેમના મનમાં અનુભવ કરે છે.

તે (દેવ) લોકો સાથે તેઓના સ્વપ્નોમાં સીધી વાત પણ કરે છે.

સ્વપ્નો જયારે વ્યક્તિ ઊંઘી ગયેલી હોય ત્યારે આવે છે, પરંતુ દર્શનો સામાન્ય રીતે વ્યક્તિ જયારે જાગતી હોય છે ત્યારે આવે છે.

(આ પણ જુઓ: દર્શન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેના સલાહકારોમાંથી કોઈ પણ તેના સ્વપ્નનો અર્થ કહી શક્યા નહીં.

યૂસફે તેના સ્વપ્નો અર્થઘટન કર્યું અને કહ્યું, દેવ સાત વર્ષ પુષ્કળ ફસલ મોકલશે અને પછીના સાત વર્ષ દુકાળના રહેશે.

માણસના મિત્રએ કહ્યું, ”આ સ્વપ્ન નો અર્થ એમકે ગિદિઓનનું લશ્કર મિદ્યાનીઓના લશ્કરનો પરાજય કરશે.

તે તેવું કરે તે પહેલા, દૂતે સ્વપ્નમાં આવીને તેની સાથે વાત કરી.

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

સ્વર્ગ, આકાશ, આકાશો, આકાશો, આકાશી (સ્વર્ગીય)

વ્યાખ્યા:

“સ્વર્ગ” શબ્દનું ભાષાંતર, સામાન્ય રીતે કે દેવ જ્યાં રહે છે તેને દર્શાવે છે. સંદર્ભ પર આધાર રાખીને સમાન શબ્દનો અર્થ “આકાશ” પણ થઇ શકે છે.

તેમાં સ્વર્ગીય તત્વોનો પણ સમાવેશ થાય છે, જેવા કે દૂરના ગ્રહો, કે જે આપણે પૃથ્વી ઉપરથી સીધા જોઈ શકતા નથી.

મોટેભાગે સૂર્ય અને ચંદ્રને પણ “ઉપર આકાશમાં” છે, તેમ કહેવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, જયારે માથ્થી “સ્વર્ગના રાજ્ય” વિશે લખે છે, ત્યારે તે દેવના રાજ્યને દર્શાવે છે.

ભાષાંતરના સૂચનો:

(આ પણ જુઓ: ઈશ્વરનું રાજ્ય)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

હરણ, હરણી, હરણીઓ, હરણનું બચ્ચું, એક જાતનું નર હરણ, એક જાતના નર હરણો

વ્યાખ્યા:

હરણ એ મોટું, આકર્ષક, ચાર પગોવાળું પ્રાણી કે જે જંગલોમાં અને પર્વતો ઉપર રહે છે. નર પ્રાણીને તેના માથા પર મોટા શિંગડા અથવા સાબરશિંગ હોય છે.

(આ પણ જુઓ: અજ્ઞાતનું ભાષાંતર કેવી રીતે કરવું

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હળ, હળો, હળથી ખેડ્યું, ખેડતું, ખેડનારા, ખેડનાર ખેડૂત, હળનું લોખંડનું ફળ, વણખેડેલું

વ્યાખ્યા:

“હળ” ખેતીનું સાધન છે કે જેનો ઉપયોગ વાવણી કરવા જમીનને તોડીને ખેતર તૈયાર કરવા થાય છે.

તેમાં સામાન્ય રીતે હાથો હોય છે કે જેના દ્વારા ખેડૂત હળને યોગ્ય દિશામાં દોરે છે.

(આ પણ જૂઓ: પિત્તળ, ગાય)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

હવા

સત્યો:

આ પ્રથમ સ્ત્રીનું નામ હતું. તેણીના નામનો અર્થ “જીવન” અથવા “સજીવ” થાય છે.

(આ પણ જુઓ: આદમ, જીવન, શેતાન)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

તેણે સ્ત્રીને પૂછયું, શું ખરેખર દેવે તને કહ્યું છે, વાડીમાંના કોઇપણ વૃક્ષોના ફળમાંથી ખાવું નહીં?

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાથ, હાથો, સોપી દીધું, સોંપવું, ના હાથ દ્વારા, ઉપર હાથ મૂકે, તેના હાથ ઉપર મૂકે છે, જમણો હાથ, જમણા હાથો, (તે)ના હાથોથી

વ્યાખ્યા:

બાઈબલમાં રૂપકાત્મક રીતે “હાથ” શબ્દનો ઉપયોગ અનેક જગ્યાએ કરવામાં આવ્યો છે.

“કોઈના હાથ દ્વારા” અભિવ્યક્તિનો અર્થ, તે વ્યક્તિ “વડે” અથવા “દ્વારા” કામ થયું છે. ઉદાહરણ તરીકે, “પ્રભુના હાથ દ્વારા” જેનો અર્થ કે પ્રભુ એક છે આ બધું કરે છે.

ભાષાંતરના સૂચનો

તે તેને કાયમ માટે આપવામાં આવ્યું નહોતું, પણ માત્ર તે સમયે વાપરવાના હેતુ માટે આપવામાં આવ્યું હતું.

અથવા તેની સાથે નાની છણાવટ કરી શકાય કે: “તે દેવના જમણે હાથે કે જ્યાં સહુથી ઊંચો અધિકાર આપવામાં આવ્યો છે.”

(આ પણ જુઓ: વૈરી, આશીર્વાદ આપવો, બંદી, માન, સામર્થ્ય)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હાબેલ

સત્યો:

હાબેલ આદમ અને હવાનો બીજો પુત્ર હતો . તે કાઈનનો નાનો ભાઈ હતો.

(ભાષાંતર માટેના સૂચનો: નામોનું ભાષાંતર કેવીરીતે કરવું

(જુઓં: કાઈન, બલિદાન, ઘેટાંપાળક)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હામ

સત્યો:

હામ એ નૂહના ત્રણ દીકરાઓમાંનો બીજો હતો.

પરિણામે, નૂહે હામના દીકરા કનાન અને તેના બધા વંશજોને શ્રાપ દીધો, કે છેવટે જેઓ કનાનીઓ તરીકે ઓળખાયા.

(આ પણ જુઓ: વહાણ, કનાન, અપમાન, નૂહ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હારુન

સત્યો:

હારુન મુસાનો મોટો ભાઈ હતો. ઈશ્વરે હારુનને પસંદ કર્યો કે જેથી તે ઈઝરાએલના લોકોનો પ્રથમ યાજક બની શકે.

(તે પણ જુઓં: યાજક, મૂસા, ઈઝરાએલ)

બાઈબલ ની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

શબ્દ માહિતી:

હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું

સત્યો:

“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.

“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.

“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિંમત, હિંમતવાન, પ્રોત્સાહિત, પ્રોત્સાહન, હિંમત રાખો, નાહિંમત, નાહિંમત થયેલ, નિરાશા, નાહિંમત કરનારું

સત્યો:

“હિંમત” શબ્દ દર્શાવે છે કે, મુશ્કેલ, ડરાવનારું, અથવા ખતરનાક બાબત સામે હિંમતભેર સામનો કરવો.

“પ્રોત્સાહિત કરવું” અને “પ્રોત્સાહન” શબ્દો દર્શાવે છે કે, કોઈકને દિલાસો, આશા, આત્મવિશ્વાસ, અને હિંમત આપવા માટે કંઇક કહેવું અથવા કરવું.

“નાહિંમત” શબ્દ એવી બાબતને દર્શાવે છે કે જે કહેવાથી કે કરવાથી લોકોની આશા, આત્મવિશ્વાસ, અને હિંમત ગુમાવી દે, જેથી તેઓએ જે કરવું જોઈએ તે કરવા માટે તેઓ પાસે ઓછી ઉત્તેજના રહે.

ભાષાંતરના સૂચનો

(આ પણ જુઓ: આત્મવિશ્વાસ, બોધ, ડર, બળ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિત્તી, હિત્તીઓ

વ્યાખ્યા:

હિત્તીઓ હામના તેના પુત્ર કનાનથી થયેલા વંશજો હતા. તેઓ એક મોટું સામ્રાજ્ય બન્યું, જે હાલના સમયનું તુર્કસ્તાન અને ઉત્તર પેલેસ્ટાઈનમાં આવેલું છે.

છેવટે ઈબ્રાહિમ અને તેના અન્ય વંશજોને પણ તે ગુફામાં દફનાવવામાં આવ્યા હતા.

આ પરદેશી સ્ત્રીઓએ સુલેમાંનના હ્રદયને દેવથી દૂર ફેરવી નાખ્યું, કારણકે તેઓ જૂઠા દેવોની પૂજા કરતી હતી.

(આ પણ જુઓ: વારસામાં ઉતરેલું, એસાવ, પરદેશી, હામ, બળ, સુલેમાન, ઉરિયા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિબ્રૂ, હિબ્રુઓ

સત્યો:

“હિબ્રુઓ એ લોકો હતા કે જેઓ ઈબ્રાહિમથી ઈસહાક અને યાકૂબના કુળ દ્વારા ઉતરી આવેલા હતા. ઈબ્રાહિમ પ્રથમ વ્યક્તિ છે કે જે બાઈબલમાં “હિબ્રૂ” કહેવાય છે.

મોટાભાગનો જૂનો કરાર હિબ્રૂ ભાષામાં લખવામાં આવ્યો હતો.

જ્યાં સુધી એ સ્પષ્ટ થાય છે કે આ ત્રણેય શબ્દોના એક લોકોના જૂથને દર્શાવે છે, ત્યાં સુધી આ ત્રણેય શબ્દો અલગ રાખવા ઉત્તમ છે.

(આ પણ જુઓ: ઈઝરાએલ, યહૂદી, યહૂદી અધિકારીઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હિવ્વી, હિવ્વીઓ

સત્યો:

હિવ્વીઓ કનાનની ભૂમિમાં રહેતા સાત મુખ્ય લોકોના જૂથોમાંનું એક હતું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: કનાન, હમોર, નૂહ, શખેમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હેરોદ, હેરોદ એન્તીપાસ

સત્યો:

ઈસુના મોટાભાગના જીવનકાળ દરમ્યાન, હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ભાગનો શાસક હતો કે જેમાં ગાલીલ પ્રાંતનો સમાવેશ થાય છે.

હેરોદ એન્તીપાસ રોમન સામ્રાજ્યના ચોથા ભાગમાં રાજ્ય કરતો હતો, જેથી તેને “હેરોદ તેત્રાચ” પણ કહેવામાં આવતો હતો.

(આ પણ જુઓ: વધસ્તંભે જડવું, મહાન હેરોદ, યોહાન (બાપ્તિસ્ત), રાજા, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હેરોદિયા

સત્યો:

હેરોદિયા એ યહૂદિયામાં યોહાન બાપ્તિસ્તના સમય દરમ્યાન હેરોદ એત્નીપાસની પત્ની હતી.

તેને કારણે, હેરોદે યોહાનને કેદખાનામાં નાંખ્યો અને હેરોદિયાના કારણે શિરચ્છેદ કરવામાં આવ્યો હતો.

(આ પણ જુઓ: હેરોદ, યોહાન(બાપ્તિસ્ત)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હેર્મોન પર્વત

તથ્યો:

હેર્મોન પર્વત ઇઝરાયલના સૌથી ઊંચા પર્વતનું નામ છે કે જે લબાનોન પર્વતમાળાની દક્ષિણના છેડે આવેલો છે.

સૌથી ઊંચું શિખર 2800 મીટર ઊંચું છે.

(આ પણ જૂઓ: ઈઝરાએલ, ગાલીલનો સમુદ્ર, સીરિયા)

બાઇબલના સંદર્ભો:

શબ્દ માહિતી:

હોરેબ

વ્યાખ્યા:

હોરેબ પર્વત એ સિનાઈ પર્વત માટેનું બીજું નામ છે, જ્યાં દેવે મૂસાને દસ આજ્ઞાઓ સાથે શિલાપાટીઓ આપી.

(આ પણ જુઓ: કરાર, ઈઝરાએલ, મૂસા, સિનાઈ, દસ આજ્ઞાઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હોશિયા

સત્યો:

હોશિયા ઈઝરાએલનો એક પ્રબોધક હતો, કે જેણે લગભગ ખ્રિસ્તના 750 વર્ષો સમય પહેલા જીવ્યો હતો અને તેણે ભવિષ્યવાણી કરી.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આહાઝ, હિઝિક્યા, હોશિયા, યરોબઆમ, યોથામ, ઉઝિઝયા, [ઝખાર્યા )

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

હોશિયા

સત્યો:

જૂના કરારમાં હોશિયા તે ઈઝરાએલના રાજા અને અન્ય માણસોના નામ (પણ) હતા.

મૂસાએ કનાનીઓની ભૂમિમાં અગિયાર માણસો જાસૂસ કરવા સાથે મોકલ્યા, તે પહેલા હોશિયાનું નામ બદલીને યહોશુઆ આપ્યું હતું.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર

(આ પણ જુઓ: આહાઝ, કનાન, એફ્રાઈમ, હિઝિક્યા, યહોશુઆ, મૂસા)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી: